CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 3 of 73 - CIA Live

March 30, 2025
WhatsApp-Image-2025-03-30-at-21.01.21.jpeg
2min235

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની 46 બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં હઠાગ્રહ સેવીને પેનલ ટુ પેનલ ચૂંટણી લડીને જીતવાના બણગાં ફૂંકનારા નવા નિશાળીયાઓને ધોબી પછાડ મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો હતો.

રવિવારે મોડીરાત્રે 11.30 કલાકે ચૂંટણીનું અંતિમ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો જંગી વિજય થયો હતો. નવસર્જન પેનલના એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા પણ મતો મેળવી શક્યા ન હતા. ડિપોઝીટ બચાવવા માટે ઉમેદવારે કુલ વેલિડ વોટના 30 ટકા મત જરૂરી હોય છે, નવસર્જન પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી.

ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીના લેખાં જોખાં જોઇએ તો સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ મતોથી જીત્યા હતા જ્યારે અપરિપક્વ અને ચેમ્બરમાં કશું યોગદાન આપ્યા વગર સત્તા પર કબજો જમાવવાના ઇરાદે ચૂંટણી લડવા નીકળેલા નવા નિશાળીયાઓની મનની મનમાં રહી ગઇ હતી.

– સુરતીઓએ પરીપક્વ સૌરાષ્ટ્રવાસીઓને ખભે બેસાડીને સૌથી વધુ મતોથી વિજય બનાવ્યા જેમાં ઘનશ્યામ નાવડીયાને 3231 મત, હરીભાઇ કથિરીયાને 3219 મત, કાનજી ભાલાળાને 3217 મત, કમલેશ ગજેરાને 3204 મત, મહેશ રામાણીને 3204 મત, જગદીશ વઘાસીયાને 3191 મત, વિજય રાદડીયાને 3173 મત, જયંતિ ઠુમ્મરને 3171 મત, વિજય માંગુકીયાને 3166 મત,સુનિલ કાકડીયાને 3156 મત, પ્રવીણ દોંગાને 3144 મત આપીને ટોપ-15માં જીતાડ્યા હતા.

નવસર્જન પેનલમાં મનિષ કાપડીયા અને ગણપત ધામેલિયાની એન્ટ્રી થયા પછી સ્થિતિ બગડી હતી. ચૂંટણીના બે દિવસ અગાઉ સુધી નવસર્જન પેનલના ઉમેદવારો પોતાની રીતે સારું ગ્રાઉન્ડ કવર કરી શક્યા હતા પરંતુ, બે દિવસ અગાઉ મનિષ કાપડીયાએ નવસર્જન પેનલના કાર્યાલયમાં એન્ટ્રી લીધા પછી નવસર્જન પેનલની દશા બેઠી હતી. વાતાવરણ એવું ફેરવાયું કે કુલ મતદાનના 30 ટકા મતો પણ નવસર્જન પેનલના ઉમેવદવારો મેળવી શક્યા ન હતા.

વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રબળ દાવેદાર અને ગયા વર્ષે વીપીનું ઇલેક્શન ખરાબ રીતે હારી ચૂકેલા મનિષ કાપડીયાએ સહકાર પેનલ સાથે મુખ મે રામ બગલ મે છુરી જેવો વ્યવહાર કર્યો હતો. મનિષ કાપડીયા એવું જાહેરમાં કહેતા ફરતા હતા કે નવસર્જન પેનલ પાછળ તેમનો કોઇ હાથ નથી પરંતુ જ્યારે બીજી તરફ મતદાનના દિવસે ક્રોસ વોટીંગ કરાવવા માટે મનિષ કાપડીયા નવસર્જન પેનલ અને સહકાર પેનલના ઉમેદવારોની મિક્સ ચિઠ્ઠી મતદારોને આપતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. નવસર્જન પેનલના ઉમેદવારો અને સમર્થકો તોફાન મચાવે તેવા અનેક પ્રયાસો મનિષ કાપડીયાએ કરી જોયા હતા પરંતુ, એવું થઇ શક્યું ન હતું.

નવસર્જનના કેટલાક ઉમેદવારો એટલા છાકટા થઇ ગયા હતા કે ચૂંટણી અધિકારીઓને પણ થાય તે કરી લેજો એવા શબ્દ પ્રયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રવાસી મતદારોનું પરીપક્વ મતદાન

આજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી મતદારોએ પરીપક્વ મતદાન કર્યું હતું. પીઢ, સિનિયર અને પરીપક્વ સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા. બાકીના મતો સુરતીઓ ઉમેદવારોને આપ્યા હતા. ચેમ્બરના વહીવટમાં એન્ટ્રી કરવા પહેલા ઉપદ્રવ કરતા જોવા મળેલા ઉમેદવારોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ચેેમ્બરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ પણ અકબંધ રહ્યું હતું અને ઉપદ્રવી ઉમેદવારો પોતાની ડિપોઝીટ જાળવી શકે તેટલા પણ મત મેળવી શક્યા ન હતા.

સુરતી મતદારોએ પણ જોરદાર અને આક્રમક મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં સુરતી અને સૌરાષ્ટ્રવાસીનો માહોલ ઉભો કરીને વર્ગવિગ્રહ સુધી મામલો પહોંચાડી દેનારા કેટલાક તત્વોને આ વખતે સૌરાષ્ટ્રવાસી પરીપક્વ ઉદ્યોગપતિઓ અને આગેવાનોએ ઓળખી લીધા છે, હવે ચેમ્બરની ચૂંટણીમાં ક્યારેય સૌરાષ્ટ્રવાસી અને સુરતીઓનો જંગ જોવા નહીં મળે. સુરતના મતદારોએ આજે જોરદાર મતદાન કરીને સૌરાષ્ટ્રવાસીઓને તો ટોપ પોઝિશન પર જીતાડ્યા પરંતુ, સુરતી મતદારને જીત એટલી શાનદાર અપાવી કે નવસર્જનના ઉપદ્રવી ઉમેદવારો બીજી વખત સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસી વચ્ચે ભેદ પાડીને ચૂંટણી જીતવાનું નામ નહીં લે.

નાના મોટા અનેક છમકલાં અને વિવાદો સર્જાય હતા. ચૂંટણીના મતદાનના આરંભે જ બબાલ થતાં મતદાન અડધો કલાક વિલંબથી શરૂ થયું હતું. મતદાન દરમિયાન નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને ભારે દેકારો મચાવ્યો હતો, જોકે મતદાન ખોરવવાની તેમની હરકતો પરીણામ વિહીન નિવડી હતી.

સાંજે 5.30ના ટકોરે જ્યારે મતદાન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે લાઇફ કેટેગરીમાં કૂલ 12,158 પૈકી 3590 મતદારોએ મતદાન કરતા કૂલ મતદાન 29.52 ટકા નોંધાયું હતું. મતદાન બાદ શરૂ થયેલી મતગણતરીના પ્રથમ તબક્કામાં જ સહકાર પેનલના ઢગલાબંધ મતો નીકળવા માંડ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સહકાર પેનલના ઉમેદવારોએ અડધોઅડધ સીટો હાંસલ કરી લીધી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર પેનલ ટુ પેનલ ચૂંટણી યોજાઇ હતી. સહકાર પેનલ કે જે સત્તાધારી પક્ષની પેનલ હોઇ, તેમાં પૂરેપૂરા 46 મતદારો હતા જ્યારે તેની સામે સૌરાષ્ટ્રવાસી યુવા મેમ્બરોએ 26 ઉમેદવારોની પેનલ ઉતારી હતી. તેમની પાસે પૂરા 46 ઉમેદવારો ન હોઇ, સહકાર પેનલના કેટલાક ઉમેદવારો માટે પણ નવસર્જન પેનલના ઉમેદવારોએ મત માગવા પડ્યા હતા. વહેલી સવારે જ્યારે મતદાન શરૂ થયું ત્યારે આ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને પાંચ પૂર્વ પ્રમુખોના બનેલા ચૂંટણી પંચે નવસર્જન પેનલના 7 ઉમેદવારોને ચૂંટણી આચારસંહિતાના ભંગના કસૂરવાર ગણાવીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાના આદેશ કર્યા હતા. એ પછી પણ નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ચૂંટણીનું મતદાન ખોરવવાના આશયથી ચેમ્બર પરીસરમાં ભારો હોહા અને સૂત્રોચ્ચાર કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પોલિસે લાલ આંખ કરતા બાદમાં ચૂપચાપ બેસી રહેવું પડ્યું હતું.

નવની જગ્યાએ સાડા નવ વાગ્યે શરૂ થયેલા મતદાનના પહેલા બે કલાકમાં જોરદાર વોટીંગ શરૂ થયું હતું અને પ્રથમ બે કલાકમાં જ 1600થી વધુ મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં એક તરફ મતદાન યોજાઇ રહ્યું હતું અને બીજી તરફ પ્લેટીનમ હોલની બહાર બે છાવણીઓમાં સહકાર પેનલ અને નવસર્જન પેનલના સમર્થકો વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.પહેલા બે કલાક દરમિયાન તો મતદાન કરવા માટે કતારો લાગી ગઇ હતી. બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન સાવ મંદ પડી ગયું હતું.

એકલ દોકલ મતદારો મતદાન કરવા આવતા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા કરતા ઉમેદવારોની સખ્યા વધુ જણાતી હતી. આજે રાજસ્થાન સ્થાપના દિવસ, ચેટીચંડ, રમજાન ઇદ પૂર્વેનો અંતિમ દિવસ તેમજ સેન્ટ્રલ બોર્ડની સ્કુલનું નવું સત્ર શરૂ થવા પૂર્વેનો અંતિમ દિવસ હોઇ, તેની અસર ચેમ્બરની ચૂંટણીના મતદાન પર જોવા મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાની સમગ્ર પ્રક્રિયા સુરત પીપલ્સ બેંકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

March 30, 2025
WhatsApp-Image-2025-03-30-at-10.31.37.jpeg
1min152

રત્નકલાકારોનું આંદોલન હવે ઉદ્યોગપતિઓ,મોટી ફેક્ટરીઓના માલિકો વિરુદ્ધમાં

ગોવિંદ ધોળકિયા, વીએસ પટેલ, લાલજીભાઇ જેવા ઉદ્યોગપતિઓ પર રત્નકલાકારોની મજૂરી વધારવાનું દબાણ

આજે તા.30મી માર્ચ 2025ને રવિવારથી સુરતના હીરા ઉદ્યોગમાં બે દિવસની હડતાળનું એલાન ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના આગેવાનોએ જાહેર કર્યું હતું. જ્યારે આ હડતાળનું એલાન આપવામાં આવ્યું ત્યારે ડાયમંડ વર્કર યુનયિન, ગુજરાતના આગેવાનોએ હડતાળ અને રેલી સરકારની વિરુદ્ધમાં હોવાની જાહેરાતો કરી હતી. પરંતુ, ગઇકાલ શનિવારથી રાજ્ય સરકાર અને પોલિસે એવી ભીંસ વધારી કે ડાયમંડ વર્કર યુનિયને આંદોલનની દિશા બદલવાની ફરજ પડી અને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક તથા અન્ય આગેવાનોએ વારંવાર એવી જાહેરાત કરવી પડી કે રત્નકલાકારોની હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી. પોલિસ અધિકારીઓને પણ ભાઇબાપા કરવા પડ્યા કે રેલી શાંતિપૂર્ણ રીતે કાઢીશું અને સરકાર સામે એક હરફ પણ ઉચ્ચારીશું નહીં. રેલીમાં કોઇ સાઉન્ડ સિસ્ટમ વગાડવી નહીં વગેરે સૂચના આપવામાં આવી અને એ પછી જ આજે રવિવારે સવારે કતારગામ દરવાજાથી રેલી કાઢવા માટે પોલિસે સંમતિ આપી હતી. રેલી શરૂ થઇ ત્યારે અંદાજે 150 જેટલા રત્નકલાકારો જણાતા હતા. તેમના કરતા પોલિસ અને મિડીયા પર્સન્સની હાજરી વધુ જણાતી હતી.

સુરતના હીરા ઉદ્યોગમાં આકાર લઇ રહેલું રત્નકલાકારોનું આંદોલન કહો કે હડતાળ, હવે તેનો હેતુ બદલાઇ ચૂક્યો અને ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના નેતાઓ કે જેઓ ગયા શુક્રવાર સુધી એવું કહેતા હતા કે રાજ્ય સરકાર નિષ્ક્રીય રહી છે, રત્નકલાકારો માટે અનેક વખત રજૂઆત કરવા છતાં રાજ્ય સરકારે કોઇ પગલાં લીધા ન હોઇ, હડતાળ અને રેલી સરકારની નિષ્ક્રીયતા સામે કાઢવામા આવશે. પરંતુ, જે રીતે રાજ્ય સરકાર અને પોલીસે ભીંસ વધારી એ જોતા ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાત દ્વારા પવન જોઇને શઢ ફેરવી લેતા હોય એમ હવે હડતાળ કે રેલી સરકારની વિરુદ્ધમાં નથી પરંતુ, રત્નકલાકારોના ઓછા થઇ ગયેલા મહેનતાણા વધારવા માટે છે.

સીધો અર્થ એ થાય છે કે હવે રત્નકલાકારોની હડતાળ કે આંદોલનનો રૂખ હીરાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કે જેના હાથમાં સમગ્ર હીરા ઉદ્યોગનું રિમોટ કન્ટ્રોલ છે તેમની સામે થઇ ગયો છે. સુરતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, ડાયમંડ બુર્સના પ્રવક્તા લાલજી પટેલ, કિરણ જેમ્સના વી.એસ. પટેલ વગેરે જેવા દિગ્ગજો પર હવે પ્રેશર આવશે કે તેમણે રત્નકલાકારોના પગાર, મહેનતાણા વધારવા માટે પ્રયાસ કરવા પડશે.

March 9, 2025
mahendra-chauhan-1280x850.jpeg
1min686

}} ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે:
}} શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું જરૂરી, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને

:- વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિ

તંદુરસ્ત બાળક જન્મે અને સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિનામૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ: ડો.બિનોદીની ચૌહાણ

માહિતી બ્યુરો,સુરત:રવિવાર: ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન થઈ શકે એ માટે ફીટલ મેડિસીનની અગત્યતા સંદર્ભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કર્ણાટકના બેંગ્લોરના વિખ્યાત રેડિયોલોજીસ્ટ અને ફીટલ મેડિસીનના તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિની ઉપસ્થિતમાં ‘માસ્ટર ક્લાસ ઓન ફીટલ અલ્ટ્રા સાઉન્ડ’ વિષયક કોન્ફરન્સ યોજાઈ હતી.

નવી સિવિલના ફીટલ મેડિસીન વિભાગ અને રેડિયોલોજી વિભાગના ઉપક્રમે નવી સિવિલ સ્થિત સરકારી મેડિકલ કોલેજના સુશ્રુત ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફીટલ મેડિસીન તજજ્ઞ ડો. બી.એસ. રામામૂર્તિએ જણાવ્યું હતું કે, ફીટલ મેડિસીન અંતર્ગત ગર્ભાવસ્થા પહેલા, ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા અને ગર્ભના સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે ગર્ભસ્થ શિશુમાં મગજ, આંતરડા, મંદબુદ્ધિ ઈન્ફેક્શન, રંગસૂત્રોની ખામી, શારીરિક ખોડખાંપણનું વહેલું નિદાન કરવું, જેથી તેની સારવાર કરી શકાય અને સ્વસ્થ બાળકનો જન્મ સંભવ બને.

તેમણે કહ્યું કે, ફીટલ મેડિસીનમાં ફીટલ MRI દ્વારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સહિત ડાયગ્નોસ્ટિક પ્રોસેસ થકી ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સચોટ અર્લી ડિટેક્શન (આગોતરી જાણ) થઈ શકે છે. ફીટલ MRI દ્વારા ગર્ભસ્થ શિશુ અને સગર્ભા માતા બંનેમાં સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે.

ડો.રામામૂર્તિએ જણાવ્યું કે, આંતરડાની ખોડખાંપણ સોનોગ્રાફીમાં ડાયગ્નોસ કરવી અઘરી છે. જેનું ફીટલ MRIમાં સચોટ નિદાન થઈ શકે છે. અલ્ટ્રાફાસ્ટ ફેટલ MRI માં “સ્નેપશોટ” તકનીકનો ઉપયોગ કરીને હાઈ રિઝોલ્યુશન ઈમેજ ઝડપથી કેપ્ચર કરવામાં આવે છે.

ડો.રામામૂર્તિએ ફીટલ MRI લાઈવ સ્કેન કરીને ઉપસ્થિત રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ફીટલ મેડિસીનના પોસ્ટ ગ્રેજ્યુએટસ અને ફેલોશિપ કરતા વિદ્યાર્થીઓ, અન્ય તબીબોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું.

ડો.બિનોદીની મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગર્ભસ્થ શિશુને કોઈ આંતરિક સમસ્યા સર્જાય તો વહેલું નિદાન થવાથી યોગ્ય સારવાર શક્ય બનતી હોય છે. જે માટે ફીટલ MRI આશીર્વાદરૂપ બને છે. એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં તંદુરસ્ત બાળક જન્મે અને નવી સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર વિના મૂલ્ય મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.
આ કોન્ફરન્સમાં નવી સિવિલના રેડિયોલોજી વિભાગના વડા ડો. પૂર્વી દેસાઈ, ડો.રાગિણી વર્મા, ડો.પ્રફુલ જોશી, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત ૨૦૦ જેટલા રેડિયોલોજીસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, અન્ય તબીબો, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

February 20, 2025
WhatsApp-Image-2025-02-19-at-18.04.52-1280x853.jpeg
1min98

SGCCI દ્વારા તા. ર૧થી ર૩ ફેબુ્રઆરી દરમ્યાન SIECC સરસાણા ખાતે ‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનું ભવ્ય આયોજન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ઉદ્યોગ– ર૦રપ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૮પ વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧પમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦રપ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, મુંબઇ, ઠાણે, નવી દિલ્હી, નોઇડા, જાલંધર (પંજાબ), હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તામિલનાડુના કુલ ૧૭પથી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સીલરી, ઇન્વર્ટર, વોટર ટ્રિટમેન્ટ, ઇલેકટ્રીકલ તથા ઇન્ડસ્ટ્રી માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટીલેશન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરાશે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત ઉદ્યોગ પ્રદર્શનમાં મુક–બધીર અને દિવ્યાંગો માટે અલગથી પેવેલિયન ફાળવવામાં આવશે. દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તી તથા અન્ય પ્રોડકટનું તેઓ પ્રદર્શન કરી શકે તે માટે તેઓને પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.

‘ઉદ્યોગ–ર૦રપ’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં બારડોલીના માનનીય સાંસદ શ્રી પરભુભાઇ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ, જૈનમ બ્રોકીંગ લિમિટેડના ચેરમેન શ્રી મિલન પરીખ અને કાકરાપાર સ્થિત ઓટોમિક પાવર સ્ટેશન દ.હયીના સ્ટેશન ડિરેકટર શ્રી યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

જ્યારે સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરને ઉદ્યોગ પ્રદર્શનમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો, ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપનો તથા એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્ષ્ટબી અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો સહકાર પ્રાપ્ત થયો છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા ઉપરાંત ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા તથા ઉદ્યોગ એકઝીબીશનના ચેરમેન શ્રી ભાવેશ ટેલર અને કો–ચેરમેન શ્રી સંજય ગજીવાલા ઉપસ્થિત રહયા હતા.

ઉદ્યોગ એકઝીબીશન માટે રજિસ્ટ્રેશન વિના મૂલ્યે રાખવામાં આવ્યું છે. ‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.

February 13, 2025
CP-at-Textile-Market-1280x853.jpeg
1min123

फोस्टा द्वारा सूरत कपड़ा मार्केट में हेलमेट वितरण कार्यक्रम

आज दिनांक 13/02/2025,गुरुवार सुबह 10.00am को फोस्टा कार्यालय, मिलेनियम टेक्सटाइल मार्केट, रिंगरोड पर माननीय गृहराज्यमंत्री श्री हर्षभाई संघवीजी की प्रेरणा एवं DGP श्री विकास जी सहाय के मार्गदर्शन एवं सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपमसिंह जी गहलौत के निर्देशन से सूरत शहर में चल रहे ट्रेफिक जागरूकता अभियान के अंतर्गत , सूरत कपड़ा मार्केट के व्यापारियों एवं कर्मचारियों में सड़क सुरक्षा एवं ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाने हेतु आज फेडरेशन ऑफ सूरत ट्रेड एंड टेक्सटाइल एसोसिएशन (फोस्टा) एवं सूरत शहर ट्रैफिक पुलिस के संयुक्त प्रयास से ट्रैफिक अवेयरनेस प्रोग्राम एवं हेलमेट वितरण कार्यक्रम का आयोजन किया गया।

टेक्षटाइल मार्केट एरियामां करीब 50 हजार से ज्यादा व्यापारी एवं उनके स्टाफ को मिलाकर 2 लाख से ज्यादा लोगो में आज फोस्टा के कार्यक्रम से ये मेसेज पास हो गया है की दि.15 फरवरी से द्वी चक्री व्हीकल चलाने वाले एवं उनके पीछे बेठने वाले के लिए हेल्मेट पहनना आवश्यक है. समारोह के बाद हमारी टीमने टेक्षटाइल मार्केटोमां जाकर व्यापारीओ से पूछताछ की तब सभी के मूह से एक ही बात सूनने को मिली की फोस्टा ने बोला है तो हेल्मेट पहनना ही पडेगा. हम इस मुहिम में फोस्टा के साथ है.

कार्यक्रम के दौरान कपडा मार्केट के कुल 19 प्रतिष्ठित व्यापारिक संस्थानों के सहयोग से उपस्थित कर्मचारियों को लगभग 1350 हेलमेट वितरित किए गए। इस अवसर पर माननीय पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलौत साहेब विशेष रूप से उपस्थित रहे। साथ ही संयुक्त पुलिस आयुक्त (ट्रैफिक) श्री राघवेन्द्र वत्स साहेब, डीसीपी ट्रैफिक श्रीमती अनीता वानानी मेडम, डीसीपी जोन-2 श्री भागीरथ गढ़वी साहेब, एसीपी ट्रैफिक श्री वी.पी.गामित साहेब सहित अन्य पुलिस अधिकारी उपस्थित रही ।
पुलिस कमिश्नर श्री गहलौत साहेब ने सभी व्यापारियों और कर्मचारियों को हेलमेट पहनने और ट्रैफिक नियमों का पालन करने की अपील की। उन्होंने फोस्टा टीम एवं सहयोगी व्यापारियों द्वारा किए गए इस प्रयास की सराहना की और इस पहल को शहर में सड़क सुरक्षा को बढ़ावा देने का एक महत्वपूर्ण कदम बताया।

कार्यक्रम में भाग लेने वाले सभी व्यापारिक प्रतिष्ठानों एवं व्यापारियों को प्रशस्ति पत्र (सर्टिफिकेट) देकर सम्मानित किया गया।कार्यक्रम के पश्चात् साकेत संस्था द्वारा भोजन वितरित किया गया ।

फोस्टा द्वारा इस आयोजन का उद्देश्य सूरत शहर में ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाना और सड़क सुरक्षा को सुदृढ़ करना है। उम्मीद है कि यह प्रयास कपड़ा मार्केट के सभी व्यापारियों एवं कर्मचारियों के लिए ट्रैफिक सुरक्षा एवं नियमों के प्रति एक सकारात्मक संदेश देगा।

फोस्टा – आपके व्यवसाय और समाज की सुरक्षा के लिए प्रतिबद्ध

February 8, 2025
hit_and_run_accidents-1280x672.png
1min171

કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત

ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી યો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

February 2, 2025
CRpc1.jpg
1min219

આજે સુરત ખાતે એક પત્રકાર પરીષદને સંબોધતા કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર. પાટીલે એવી માહિતી આપી હતી કે સુરત એરપોર્ટથી મુંબઇની ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી સુરત એરપોર્ટને અનુલક્ષીને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. CiA Live News Web

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત થયું છે પરંતુ સોનાની થાળીમાં લોઢાનો મેખ હોય તેવું મહેણું સુરત એરપોર્ટ માટે એ છે કે વિશ્વના દરેક દેશોની ફ્લાઇટ જ્યાંથી સંચાલિત થાય છે એ મુંબઇ એરપોર્ટને સુરત સાથે જોડતી એકેય ફ્લાઇટ નથી. ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી સુરત માટે મુંબઇની ફ્લાઇટની કમી મોટું નુકસાન પણ કરાવી રહી છે. CiA lIv

આ અંગે સી.આર. પાટીલે આજે સુરત ખાતેથી કહ્યું કે સુરત એરપોર્ટને મુંબઇ એરપોર્ટ સાથે જોડતી ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ અગે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં સુરત એરપોર્ટની કમિટીના સભ્યો કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીને મળ્યા હતા અને તેમને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે પૈકીના ચારથી પાંચ મુદ્દાઓનો થોડા દિવસોમાં જ અમલ કરી દેવા અંગે તેમણે બાંહેધરી આપી છે. બાકીની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ ઉડ્ડયન મંત્રી સુરત માટે ખૂબ હકારાત્મક પ્રતિસાદ પાઠવી રહ્યા છે.

January 28, 2025
Govind_dholakia.jpg
6min107

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરતના આગેવાન હીરા ઉદ્યોગપતિ, દિગ્ગજ એસ.આર.કે. ડાયમંડ કંપનીના સ્થાપક, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન, દાનવીર અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જૂનાગઢ ખાતે એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં લેબગ્રોન ડાયમંડ માટે જે નિવેદનો કર્યા એના સુરતના હીરા ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડ માટે કરેલા નિવેદનને રીલ સ્વરૂપે વોઇસ ઓફ ઇન્ડિયા નામની વેબ પોર્ટલે તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી સોશ્યલ મિડીયા યુઝર્સે ગોવિંદ ધોળકિયાને કોમેન્ટો કરીને એવા ટ્રોલ કર્યા કે ન પૂછો વાત. જાતજાતની કોમેન્ટો કરીને ગોવિંદ ધોળકિયાની ખબર લઇ નાખી. વાઇસ ઓફ ઇન્ડિયાની ગોવિંદ ધોળકિયાના નિવેદનની રીલ પર તા.28મી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ 271 જેટલી કોમેન્ટો થઇ હતી તેમાંથી 98 ટકા કોમેન્ટો નકારાત્મક હતી અને લેબગ્રોન ડાયમંડ માટેના નિવેદનોને આકરી રીતે ઝાટકણી કાઢતી કોમેન્ટો કરીને યુઝર્સે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને એવા ટ્રોલ કર્યા છે કે કદાચ બીજી વખત તેઓ નિવેદન આપવાની હિંમત કરતા પહેલા સો વાર વિચારશે.

અહીં અમે અમારા વાચકો માટે વોઇસ ઓફ ઇન્ડિયાની રીલ નીચે કરવામાં આવેલી કોમેન્ટ્સના સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે

January 9, 2025
1min158

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.

આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્‌ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.

વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

January 3, 2025
Surat-jahaj-1280x698.jpg
7min420
xr:d:DAFzd0SQryM:3,j:884239860705702294,t:23110707

સુરતનું નામ હાલમાં વિશ્વભરના દેશોના સંરક્ષણ વિભાગોના અધિકારીઓમાં ભારે ચર્ચાસ્પદ છે. કેમકે ભારતીય નૌકાદળનું એક શક્તિશાળી યુદ્ધપોત જહાજ તેમજ મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજને સુરતનું નામ આપવામાં આવ્યું છે. આ જહાજને આગામી તા.15મી જાન્યુઆરીએ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવશે અને તા.15મી જાન્યુઆરીથી જ સુરત મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજ દેશની નૌકાસીમામાં તૈનાત કરી દેવામાં આવશે. સુરત મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજ સાથે અન્ય બે શક્તિશાળી યુદ્ધપોત જહાજો પણ ભારતીય નૌકાદળ દ્વારા દેશને સમર્પિત કરવામાં આવશે.

ભારતીય નૌકાદળ 15 જાન્યુઆરીના રોજ બે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો – સુરત અને નીલગીરી તેમજ ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન વાગશીરને ભારતીય દરીયાઇ સીમામાં ઉતારીને દેશની રક્ષા કાજે સમર્પિત કરશે. આ ત્રણેય જહાજો નૌકા દળની એકંદર લડાયક ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારશે તેવી અપેક્ષા છે.

ભારતીય નૌકાદળની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “નીલગીરી, સુરત અને વાઘશેરનું સંયુક્ત સંચાલન સંરક્ષણ સ્વાવલંબન અને સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની અપ્રતિમ પ્રગતિ દર્શાવે છે.”

સુરત ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર છે, જ્યારે નીલગીરી સ્ટીલ્થ ફ્રિગેટ છે. યુદ્ધ જહાજો અને સબમરીનને મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે એક સમારોહમાં કાર્યરત કરવામાં આવશે. આ ત્રણેય પ્લેટફોર્મની ડિઝાઈન અને નિર્માણ સંપૂર્ણપણે Mazagon Dock Shipbuilders Limited (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.

નીલગીરી અને સુરત બંને આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ છે અને “ચેતક, ALH, સી કિંગ અને નવા સમાવિષ્ટ MH-60R સહિત હેલિકોપ્ટરની શ્રેણીને દિવસ અને રાત્રિ બંને કામગીરી દરમિયાન ચલાવી શકે છે,” સરકારે જણાવ્યું હતું.

કેન્દ્રએ ઉમેર્યું હતું કે આ જહાજોમાં “મહિલા અધિકારીઓ અને ખલાસીઓના મોટા પ્રમાણમાં પૂરકને ટેકો આપવા માટે વિશિષ્ટ સવલતોનો સમાવેશ થાય છે, જે ફ્રન્ટલાઈન લડાઇ ભૂમિકાઓમાં લિંગ-સમાવેશ તરફ નૌકાદળના પ્રગતિશીલ પગલાઓ સાથે સંરેખિત છે.”

Surat: Key features

  1. Surat is the fourth and final ship of the Project 15B stealth destroyer class
  2. The Project 15B destroyer, Surat, is the culmination of the follow-on class to the Kolkata-class (Project 15A) destroyers, featuring substantial improvements in design and capabilities.
  3. Surat is a guided missile destroyer with a displacement of 7,400 tons and an overall length of 164 meters.
  4. It is a potent and versatile platform equipped with state-of-the-art weapons and sensors, including surface-to-air missiles, anti-ship missiles and torpedoes.
  5. The destroyer is also powered by a Combined Gas and Gas (COGAG) propulsion set, comprising four gas turbines.
  6. Surat has achieved speeds in excess of 30 knots (56 km/h) during her sea trials.
  7. It is also poised to be Indian Navy’s first Al-enabled warship utilising indigenously developed Al solutions which would enhance its operational efficiency manifolds.
  8. Surat’s keel was laid on November 7, 2019 and was launched on May 17, 2022. The ship was delivered to the Indian Navy in 31 months from launch to delivery, making her the fastest indigenous destroyer ever built.

The ship had commenced her Contractor Sea Trials on June 15, 2024 and completed her Final Machinery Trials on November 25, 2024, “within an unprecedented record time of just six months.”

Nilgiri: Key features

  1. Nilgiri is the lead ship of the Project 17A stealth frigate class. It’s a major advancement over the Shivalik-class frigates, incorporating significant stealth features and reduced radar signatures through state-of-the-art technology.
  2. Nilgiri is first among the seven P17A frigates under construction and MDL, Mumbai and GRSE, Kolkata.
  3. These multi-mission frigates are capable of operating in a ‘blue water’ environment, “dealing with both conventional and non-conventional threats in the area of India’s Maritime Interests.”
  4. The ships are powered by two Combined Diesel or Gas (CODOG) main propulsion plants, each comprising a Diesel Engine and Gas Turbine, driving a Controllable Pitch Propeller (CPP).
  5. The ships also have state- of-the-art Integrated Platform Management System (IPMS).
  6. They are fitted with supersonic surface-to-surface missile system, Medium Range Surface-to-Air Missiles system, 76 mm Upgraded Gun, and a combination of rapid-fire close-in weapon systems.
  7. Nilgiri’s keel was laid on December 28, 2017 and the ship was launched into water on September 28, 2019. The ship had sailed out for her maiden sea trials in Augusta 24 and ever since, has undergone a comprehensive schedule of trials in harbour and at sea.

Vaghsheer submarine: Key features

  1. Vaghsheer is the sixth and final Scorpene-class submarine under the Kalvari-class Project 75.
  2. It is one of the most silent and versatile diesel-electric submarines in the world.
  3. It is designed to undertake a wide range of missions, including anti-surface warfare, anti-submarine warfare, intelligence gathering, area surveillance, and special operations.
  4. Armed with wire-guided torpedoes, anti-ship missiles, and advanced sonar systems, the submarine also features modular construction, allowing for future upgrades such as the integration of Air Independent Propulsion (AIP) technology.