CIA ALERT
19. May 2024

સુરતીઓની દુનિયા Archives - Page 4 of 67 - CIA Live

February 19, 2023
cia_multi-1280x1045.jpg
1min181

મહાશિવરાત્રીના ઉત્સવ સાથે લોંગ વીકએન્ડમાં ભારતની ક્રિકેટ ટીમની મજા માણવાના ક્રિકેટ રસીયાઓની યોજના પર પાણી ફરી વળ્યું છે. ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દેતા ક્રિકેટ રસીયાઓ ભારતીય મેન્સ એન્ડ વીમેન ક્રિકેટ ટીમની મેચોનું લાઇવ પ્રસારણ માણી શક્યા નથી. કેબલ ઓપરેટરોએ નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નહીં કર્યા હોઇ વિવાદ સર્જાયો છે. 

The broadcasting of several Russian TV channels will be stopped in  Kazakhstan | Radar Armenia

નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ પ્રસારકો દ્વારા પ્રસારિત ચેનલોને જોવાથી વંચિત થઈ ગયા હતા.

મેચ જોવા માટે અનેક લોકોએ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારો ક્રિકેટ રસીયાઓને છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી ચેનલ પર નિહાળવાનું નહીં મળતા આખરે ના છૂટકે ક્રિકેટ રસીયાઓએ ડિઝની પ્લસ હોટસ્ટારનું પેકેજ ખરીદવું પડ્યું છે. ટીવી ચેનલવાલા અને કેબલ ઓપરેટરો વચ્ચેનો આ વિવાદ લાંબો ચાલે તેવું લાગી રહ્યું હોઇ, ક્રિકેટ રસીયાઓએ પોતાનો શોખ પૂરો કરવા માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું પેક ખરીદવું પડી રહ્યું છે.

February 18, 2023
societynews-1280x1040.jpg
1min427

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન

સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે. ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.

February 4, 2023
weavers.jpg
1min2582

વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Textile trading comes to a standstill in Surat amid second Covid-19 wave |  Business Standard News

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.

સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.

લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.

February 2, 2023
SGCCI-budget-1280x853.jpg
2min208

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત, આ બાબતે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે આવકારદાયક : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

2023

સુરત. ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ વર્ષ ર૦ર૩–ર૪ ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સપ્તૠષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એમ્પ્લોયમેન્ટ, રેલ્વેઝ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર, ફાયનાન્શીયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી વધારે ફોકસ ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને સ્ટાર્ટ–અપ્સ પર કરવામાં આવ્યું છે. જેને કારણે રોજગારી વધશે.

નાણાં મંત્રી દ્વારા એમએસએમઇને રાહત થાય તેવી જાહેરાત કરાઇ છે. કોવિડના સમયમાં પ્રોજેકટ પૂર્ણ નહીં કરી શકનારી સરકારી કોન્ટ્રાકટ લેનારી એજન્સીઓ કે જેઓની સિકયોરિટી એનકેશ થઇ ગઇ હોય એવા એમએસએમઇ એકમોને ૯પ ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી. એમએસએમઇ સરકારી કોન્ટ્રાકટરો માટે વોલિએન્ટરી સેટલમેન્ટ સ્કીમની જાહેરાત કરાઇ હતી.

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત કરાઇ છે, આથી આ સ્કીમ અંતર્ગત એમએસએમઇ ઉદ્યોગકારોને વાર્ષિક નવી રૂપિયા બે લાખ કરોડની લોન મળી શકશે. આ મામલે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી એમએસએમઇ સેક્રેટરીને સતત રજૂઆતો કરાઇ હતી.

એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિત રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જાહેરાતને પગલે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. આ ઉપરાંત ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે એમએસઇસીડીપી સ્કીમ અંતર્ગત રૂપિયા ૧પ૦ કરોડની ફાળવણી કરાઇ છે.

હાલ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે સીડની આયાત કરવામાં આવે છે ત્યારે સીડનું ઉત્પાદન ભારતમાં થઇ શકે તે હેતુથી આઇઆઇટીને પાંચ વર્ષ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ ફાળવવાની જાહેરાત કરાઇ હતી. તદુપરાંત સીડની આયાત ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.

યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એકિસલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. નવા સ્થપાતા સ્ટાર્ટ–અપને આગામી દસ વર્ષ માટે ઇન્કમ ટેક્ષનો લાભ આપવામાં આવે છે ત્યારે નવા સ્ટાર્ટ–અપ્સ સ્થપાવવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. કો–ઓપરેટીવ મોડલમાં મેન્યુફેકચરીંગ કરતી સોસાયટીને કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્કમ ટેક્ષ ૧પ ટકા આપવાની જાહેરાત કરાઇ છે.

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સહકારી ક્ષેત્રે ખાંડ મંડળીઓની વર્ષો જૂની મુશ્કેલીનું નિરાકરણ આવ્યું છે. એસેસમેન્ટ ઇયર ર૦૧૬–૧૭ પહેલાં શેરડી ખરીદવા માટે થયેલા તમામ ખર્ચને ઇન્કમ ટેક્ષમાં ખર્ચ તરીકે ગણવામાં આવે તેવી જોગવાઇ કરાઇ છે. આવી રીતે રૂપિયા ૧૦ હજાર કરોડ જેટલી રાહત ખાંડ મંડળીઓને આપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી વધુ મંડળીઓ આવેલી છે, ત્યારે ખાંડ મંડળીઓને ઘણી મોટી રાહત બજેટમાં કરાયેલી જાહેરાતથી થઇ છે.

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે જીડીપી ગ્રોથમાં વધારો થશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ૦ જેટલા નવા એરપોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય એવી આશા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ પ્રોટેકશનમાં સુધારો લાવવા સસ્ટેનેબલ પ્રોજેકટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ગ્રીન એનર્જી અને ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામ માટે જાહેરાત કરાઇ છે.

નેશનલ ફાયનાન્શીયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી બનાવવામાં આવી છે. જેના થકી ક્રેડીટ ફલોમાં સુધારો થઇ શકશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમવાળા ચાર ગીગાવોટ સુધી સ્થપાતા રિન્યુએબલ એનર્જીવાળા પ્રોજેકટ માટે વાયાબિલિટી ગેપ ફંડીંગની જાહેરાત કરાઇ છે. પાનકાર્ડને કોમન બિઝનેસ આઇડેન્ટીફાયર બનાવવામાં આવ્યું છે. ડીનેચરલ ઇથાઇલ આલ્કોહોલની બેઝીક કસ્ટમ ડયૂટીમાંથી એકઝમ્પ્શન આપ્યું છે.

નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુકિત મર્યાદા વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે. કરદાતાઓને રૂપિયા ૩ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહીં. રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાઓને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેક્ષ લાગશે. ઇન્કમ ટેક્ષ રિબેટ વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે.

January 30, 2023
sgcci-1280x581.jpeg
1min535

એકઝીબીશનમાં ખાસ કરીને હોમ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડિયા ફર્નિચર અને ડેકોરેટીવ ઇન્ટીરિયર એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે

અમેરિકનો હોટેલ્સ માટે જરૂરી તમામ પ્રોડકટ આયાત કરતા હોવાથી એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરનારા એકઝીબીટર્સ સ્થાનિક હોટેલ માલિકો, વેન્ડર્સ તથા બાયર્સના સીધા સંપર્કમાં આવશે અને તેથી તેઓને સીધો બિઝનેસ મળી રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત યુએસએ ખાતે આગામી એપ્રિલ અને મે – ર૦ર૩ દરમ્યાન ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં તા. ર૭, ર૮ અને ર૯ એપ્રિલ ર૦ર૩ દરમિયાન એસએલપીએસ ઇવેન્ટ સેન્ટર, ડલાસ, ખાતે ત્રિદિવસીય એકઝીબીશન યોજાશે. જ્યારે યુએસએમાં તા. ૪, પ અને ૬ મે ર૦ર૩ દરમ્યાન ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટર હોલ ડી, અટલાન્ટા ખાતે પણ ત્રણ દિવસ માટે ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. આ એકઝીબીશનના આયોજન માટે અમેરિકાના સૌથી વિશાળ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ)નો સહયોગ પ્રાપ્ત થયો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્યપણે અમેરિકામાં ફર્નિચર એકઝીબીશનો થતા હોય છે, પરંતુ ભારતથી પ્રથમ વખત એકસકલુઝીવ ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો થવા જઇ રહયો છે. યુએસએ ખાતે બે જુદા–જુદા શહેરોમાં ‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ યોજાશે. જેમાં ભારતભરમાંથી ૧૦૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયાં છે. સુરત ઉપરાંત મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરથી એકઝીબીટર્સ આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરી પોતાની પ્રોડકટ્‌સનું પ્રદર્શન કરશે. આ એકઝીબીશન બીટુબી ધોરણે યોજાશે.

યુએસએ ખાતે આ એકઝીબીશનના આયોજનમાં આહોઆ સહભાગી બન્યું છે, જે ચેમ્બર ઓફ કોમર્સ માટે સૌથી મોટું જમા પાસું છે. કારણ કે, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસીએશન (બબજફબ) માં ૩૪ હજારથી વધુ ડાયરેકટ સભ્યો છે. આ બધા સભ્યો અમેરિકામાં ર૦ હજારથી પણ વધુ હોટેલના માલિકો છે. જેને કારણે અમેરિકાની વિશાળ ચેઇન હોટલો જેવી કે હિલ્ટન, હયાત, મેરીયોટ, આઇએચજી, ડેઝ ઇન અને વિન્ધમના વેન્ડર્સ પણ એકઝીબીશનની મુલાકાત લેશે. સાથે જ અમેરિકામાં વિવિધ એરિયામાંથી આહોઆ એસોસીએશનોના સભ્યો પણ એકઝીબીશનની મુલાકાત લેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં હોટેલ્સ માટે જેટલી પણ પ્રોડકટની જરૂરિયાત ઉભી થાય છે એ તમામ હોટેલના માલિકો દ્વારા આયાત કરવામાં આવે છે. આથી આ એકઝીબીશનમાં ભાગ લઇ રહેલા વિવિધ પ્રોડકટ્‌સના મેન્યુફેકચરર્સ સ્થાનિક હોટેલ માલિકો, વેન્ડર્સ તથા અન્ય બાયર્સના સીધા સંપર્કમાં આવશે. અમેરિકાના વિવિધ બાયર્સના સંપર્કમાં આવવાથી તેઓને સીધો બિઝનેસ મળી રહેશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં હોટલ બનાવનારા આર્કિટેકટ, ઇન્ટીરિયર્સ, ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સના આયાતકારો તથા મોટી સંખ્યામાં અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પણ એકઝીબીશનની વિઝીટ કરશે.

‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે વોલમાર્ટ, કોસ્ટકો, હોમ ડીપો, મેનાર્ડસ, આઇકીયા જેવી મેગા સ્ટોર કંપનીઓના પરચેઝ એજન્ટ્‌સ જે ફર્નિચર, હોમ ટેક્ષ્ટાઇલ્સ એન્ડ બિલ્ડીંગ મટિરિયલ્સની ખરીદી માટે વિઝીટ કરશે. આ એકઝીબીશનમાં મુખ્યત્વે ફર્નિચર મેન્યુફેકચરર્સ જેવા કે હોટેલ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, મોડયુલર કીચન, ડોમેસ્ટીક અને કોમર્શિયલ મળીને તમામ પ્રકારના ફર્નિચર બનાવનારા ભાગ લઇ રહયાં છે.

‘ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો’ના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે હોમ ટેક્ષ્ટાઇલ્સમાં બેડીંગ એન્ડ કર્ટેન્સ, સ્લીપીંગ બેગ્સ, હોમ ફર્નિશીંગ ફેબ્રિકસ, બેડસ્પ્રીડ્‌સ, બ્લેન્કેટ્‌સ, પીલો એન્ડ પીલો કવર્સ, કયુશન એન્ડ કયુશન કવર્સ, કાર્પેટ્‌સ એન્ડ રગ્સ, સોફા બનાવવા ઉપયોગમાં લેવાતું ફેબ્રિકસ એન્ડ કવર્સ, ટોવેલ અને મેટ્રેસ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત બાથરૂમ ફિટીંગ્સમાં મુખ્યત્વે સિરામિક ટાઇલ, વોલ અને ફલોર તથા વુડન ફલોરીંગ, વોલપેપર, પ્લાયવુડ મેન્યુફેકચરર્સ પાર્ટીસિપેટ કરીરહયાં છે. લાઇટીંગ સોલ્યુશન્સમાં હોમ આર્ટ લાઇટ, ગ્લેમટયુબ્સ, સ્માર્ટ લાઇટીંગ, એલઇડી રિસેસ પેનલ્સ, એલઇડી સ્પોટલાઇટ, એલઇડી કોબ, ડાઉન લાઇટર, સ્પોટ લાઇટ્‌સ, પેનલ લાઇટ્‌સ અને એલઇડી લેમ્પ્સ બનાવનારા પણ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરશે.

જ્યારે લોન્ડ્રી એન્ડ કલીનિંગ ઇકવીપમેન્ટ્‌સમાં વોશર્સ, ડ્રાયર્સ, કિલનિંગ કેમિકલ્સ, પ્રેસેસ એન્ડ સ્ટીમર્સ, સોર્ટીંગ બિન્સ, હેન્ગર્સ, ગારમેન્ટ કવરીંગ એન્ડ રેકસ વિગેરે બનાવનારા ભાગ લઇ રહયાં છે. આર્ટ એન્ડ ક્રાફટમાં ટેક્ષ્ટાઇલ, ડેકોરેટીવ, પેપર, ફંકશનલ એન્ડ ફેશન ક્રાફટ્‌સ તથા પેઇન્ટીંગ્સ, શો પીસ, કટલરી એન્ડ ક્રોકરી બનાવનારા ભાગ લેશે અને તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

હાઉસ કીપિંગ પ્રોડકટ્‌સમાં ગ્લાસ કલીનર્સ, ફલોર કલીનર્સ, કારપેટ એન્ડ રગ કલીનર્સ, ડસ્ટીંગ પ્રોડકટ્‌સ અને ફર્નિચર કલીનર્સ એન્ડ પોલિશર્સ પણ પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે. તદુપરાંત એકઝીબીશનમાં હોસ્પિટાલિટી સપોર્ટ અને આઇટી સોલ્યુશન્સની વિવિધ કંપનીઓ પણ ભાગ લેશે.

January 23, 2023
societynews-1280x1040.jpg
1min237

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

2016 સુધી કોઇ બિમાર હોય, ઓપરેશનની જરૂર પડે તો મોટા ભાગે એવું સંભળાતું કે મુંબઇની ફલાણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે કે જઇ રહ્યા છે, પણ હવે મેડીકલ ટ્રીટમેન્ટ માટે મુંબઇ ગયા છે કે જવાના છે એવું સંભળાવાનું સાવ ઓછું થઇ ગયું છે. સુરતમાં અને ગુજરાતમાં હવે મેડીકલ ટ્રીટમેન્ટ જેવી જોઇએ તેવી ઉપલબ્ધ બની છે અને તેમાં પણ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલે અત્યાધુનિક મેડીકલ સુવિધાઓ બિલકુલ ન્યૂનત્તમ દરે આપીને મોટી હોસ્પિટલની ગરજ સારી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને કિરણ હોસ્પિટલનો લાભ મળી રહ્યો છે. રવિવાર તા.22મી જાન્યુઆરીએ કિરણ હોસ્પિટલના ફેઝ-2નું ઉદઘાટન 6 રક્તદાતા મહિલા, પુરુષોના હસ્તે કરવામાં આવ્યું ત્યારે એક માઇલસ્ટોન એ પણ સર્જાયો કે કિરણ હોસ્પિટલ હવે 900 બેડ ધરાવતી ગુજરાતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ બની છે.

સુરતના કતારગામ, સુમુલ ડેરી રોડ સ્થિત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ફેઝ-૨ અંતર્ગત ૩૫૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ ૯૦૦ બેડની અત્યાધુનિક સુવિધાસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત થઈ છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાતાઓના હસ્તે ફેઝ-૨ની તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કિરણ હોસ્પિટલે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હોસ્પિટલોમાં સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, હેલ્થકેર અને શિક્ષણક્ષેત્રે વાઈબ્રન્ટ વિકાસ થાય તે ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લા ૧૦ વર્ષમાં સુરતનો ડાયમંડ, ટેક્સટાઈલ, સોફ્ટવેર, જ્વેલરી, લેબગ્રોન, એપરલ ગારમેન્ટ સહિતના દરેકક્ષેત્રે ફરણફાળ વિકાસ થયો છે. સાથોસાથ સુરતમાં મેડિકલ ટુરિઝમક્ષેત્રમાં વિશાળ તકો છે.

આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં તબીબો પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેનું કિરણ હોસ્પિટલ જીવંત ઉદ્દાહરણ છે. દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ એવા લોહીની જરૂરીયાતમંદ દર્દીઓને રોજનું ૩૦૦ બોટલ રક્ત નિઃશુલ્ક મળી રહેશે.

વધુમાં મથુરભાઈએ કહ્યું કે, ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કિરણ હોસ્પિટલમાં ૭૫ હજારથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળ્યો છે. દુનિયાના સૌથી મોંઘા અતિઆધુનિક મેડિકલ સાધનો કિરણની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ સાથે તમામ પ્રકારના બોનમેરો, હાથનું ટ્રાન્સપ્લાન્ટ, કિડની, લીવર સહિતના ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

નોંધનીય છે કે, કિરણ હોસ્પિટલના ફેઝ-૨ના ૩૫૦ વધુ બેડની તકતી અનાવરણ રક્તદાતાઓ પ્રફુલભાઈ ભજીયાવાલા, મેહુલભાઈ સોરઠીયા, પંકજભાઈ પુનેટકર, શ્રીમતી વિલાસબેન પટેલ, શ્રીમતી મણીબેન રાણા, શ્રીમતી કાજલબેન સાવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક અને ઉદ્યોગ અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, રવજીભાઈ મોણપરા, મનજીભાઈ લાખાણી, સુરેશભાઈ કુકડીયા, વલ્લ્ભભાઈ શેટા, રાજુભાઈ વાનાણી, રાજેશભાઈ મકવાણા, મેહુલભાઈ પંચાલ, જયેશભાઈ લાઠીયા, મગનભાઈ ડોબરીયા સહિત ટ્રસ્ટીઓ, સમાજશ્રેષ્ઠીઓ, તબીબો, રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

December 26, 2022
WhatsApp-Image-2022-12-25-at-21.15.34-1280x853.jpeg
2min216

તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા પરમ આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈ સાહેબનો જન્મદિવસ જેને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે દીને શ્રદ્ધેય અટલબિહારી બાજપેયીજીને પુષ્પાર્પણ કરીને સુરત ભાજપ મહાનગર દ્વારા આયોજિત અભિવાદન સમારોહ- ઋણ સ્વીકાર કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક જીત માટે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તથા સુરત મહાનગરના તમામ નગરજનોનો અભિવાદન તથા ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

નિરંજન ઝાંઝમેરાએ સ્વાગત પ્રવચન કર્યું

સ્વાગત પ્રવચન કરતા સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તથા સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ , મીડિયાના મિત્રોનો તથા નગરજનોનો ઋણસ્વીકાર કર્યો હતો .

ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સર્વેનો ઋણ સ્વીકાર કરતા કહ્યું હતું કે જયારે આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાત રાજ્ય પર હતી તયારે સમગ્ર ગુજરાતની નજર સુરત પર હતી અને સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોએ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીજીમાં જે વિશ્વાસ મૂકી આ જીત અપાવી તે ધન્યવાદને પાત્ર છે .

દર્શના જરદોષે નરેન્દ્ર મોદીની કવિતાનું સ્મરણ કર્યું

કેન્દ્રીય રેલ તથા કપડાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમના ઉદબોધનમાં શ્રદ્દેય શ્રી અટલબિહારી બાજપેયીજીની કવિતાનું પાઠન કર્યું હતું . સાથે તેમણે પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીની પણ તેમના કુશળ સંગઠન કલા અને નેતૃત્વની પ્રશંશા કરી હતી અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને ધન્યવાદ આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કવિતા સાથે પોતાનું વ્યક્તત્વ પૂર્ણ કર્યું હતું .

સી.આર. પાટીલના વક્તવ્યમાં કાર્યકરોએ ખૂબ તાળીઓ પાડી

કુશળ સંગઠક અને યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે સુરત મહાનગર તથા સુરત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને આ ભવ્ય વિજય આપવા બદલ તેમને નમન અને પ્રણામ કરી તેમના ઉદબોધનની શરૂઆત કરી હતી . સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા તમામ આગેવાન કેન્દ્રીય તથા પ્રાદેશિક નેતાઓનો પણ આભાર માન્યો હતો જેઓએ ગુજરાતની ચૂંટણીમાં પોતાનો ફાળો આપ્યો હતો. તેમણે એક નવો કીર્તિમાન સ્થાપવા બદલ ખુશી વ્યકય કરી હતી પણ સાથે તેમણે જણાવ્યું કે કદાચ ક્યાંક થોડી કચાશ રહી ગઈ જેના કારણે આપણે કદાચ ૧૭૬ સીટો સુધી પણ જીતી શક્યા હોત .

વર્ચ્યુઅલ સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે આ મળેલી ભવ્ય જીતનો શ્રેય બૂથ લેવલના કાર્યકર્તાઓ થઈ લઈને પેજ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધીના તમામ લોકોને આપ્યો હતો. તેમણે તેમના ઉદબોધનમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલના વખાણ કરતા કહ્યું હતું કે તેમની પેજ કમિટી અને પેજ પ્રમુખની રણનીતિના કારણે આ ભવ્યાતિભવ્ય જીત મળી છે કે જેનો રેકોર્ડ તોડવો હવે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ અઘરો પડશે . તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને છેવાડાના માનવી સુધી તેમની સરકાર પહોંચી શકી છે . અને તે જ કારણે પણ ગુજરાતની જનતા મન બનાવી ચુકી હતી કે ફરી એક વાર ભાજપની સરકાર ઐતિહાસિક જીત સાથે બનાવશું

આ પ્રસંગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલકેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી શહેર અધ્યક્ષ શ્રી મેયર શ્રી વગેરે સહુ નાગરિકો વચ્ચે જઈ ગુલાબની પાંખડીઓ ઉડાડી સહુ નાગરિકોનું અભિવાદન કર્યું હતું.

December 22, 2022
cia_multi-1280x1045.jpg
1min274

સુરતના યંગસ્ટર્સ અનેક નીત નવી અને ઉડીને આંખે વળગે તેવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના રહેવાસી હિમલ દેસાઇના પુત્ર અને નવોદિત બોલિવુડ એક્ટર નૈતિક દેસાઇ અને કચ્છ એક્ષપ્રેસ મૂવીની જાણિતી હિરોઇન હીના વારડે પર ફિલ્માંકિત કરવામાં આવેલા સોંગ આલ્બમને બોલીવુડની પેનોરમા મ્યુઝિક ચેનલ પેનોરમા મ્યુઝિક પર લોંચ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી દેશ વિદેશમાં હજારો લોકોએ સુરતના ફિલ્મ એક્ટર નૈતિક દેસાઇનું આ આલ્બમ સોંગ એ વક્ત રૂક જા જોયું છે એ તમામ તેની એક્ટિંગ, એપિરીયન્સને વખાણી રહ્યા છે.

નૈતિક દેસાઇએ મુંબઇની સુપ્રસિદ્ધ એક્ટીંગ કોલેજ, વ્હિસલીંગ વુડ્ઝમાં અભ્યાસ કર્યો છે.

નૈતિક દેસાઇ પર ફિલ્માંકિત એ વક્ત રૂક જા ના ગીતકાર અને પ્રોડ્યુસર પણ સુરતના જ રહેવાસી વિકેશ પટેલ છે. આ સોંગમાં નૈતિક દેસાઇ સાથે તેમના પિતા હિમલ દેસાઇએ પણ એક્ટીંગ કરી છે. સોંગનું મ્યુઝિક અને ગાયકી સોહમ નાયક અને ડીરેક્ટ કરવાનું કાર્ય શૈલેષ પટેલ તથા અતુલ સોનારે કરી છે.

સુરતના યંગ એક્ટર નૈતિક દેસાઇના આ આલ્બમ સોંગને વધુને વધુ નિહાળવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતના લોકોનો અનુરોધ કરવામાં આવે છે.

December 16, 2022
Cia_business_news-1280x936.jpg
1min214

ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર ર૦રર દરમ્યાન બીટુસી ધોરણે આયોજિત ત્રિદિવસીય સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર માં ૩૦થી વધુ ઝવેરાતની બ્રાન્ડ પોતાની વેરાઇટી ડિસ્પ્લેમાં મૂકશે 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ત્રણ દિવસીય હીરા ઝવેરાતના સ્પાર્કલ મેગા એક્ઝિબિશન કમ સેલનો આરંભ આગામી તા.16મી ડિસેમ્બરના રોજ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરવામાં આવશે. દેશના અનેક શહેરોમાંથી બાયર્સ તથા વિઝીટર્સ સ્પાર્કલ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને આ વખતે સ્પાર્કલ અગાઉના એક્ષ્પોના વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખશે એ પ્રકારે સ્પાર્કલનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, સુરતના જ્વેલર્સ દ્વારા જ્વેલરીમાં આજે જે ટ્રેન્ડ ચાલી રહયો છે તે આજીવન ગ્રાહકોને પસંદ પડશે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને બ્રાઇડલ જ્વેલરી બનાવવામાં આવી છે. લગ્નસરા વખતે ભારતીય પરિવારો દ્વારા જીવનમાં એક અથવા બે વખત જ લાઇફ ટાઇમ માટે પારિવારીક ઘરેણું ખરીદવામાં આવે છે. સમયાંતરે બ્રાઇડલ જ્વેલરીની કિંમત વધતી જ જાય છે. આથી ગ્રાહકોની લાગણીઓને ધ્યાને લઇને સોનામાં રિયલ એમરલ્ડ સ્ટોન, રૂબી સ્ટોન, મોતી, પોલકી ડાયમંડ, રોઝ કટ ડાયમંડ અને કલર સ્ટોનનો ઉપયોગ કરીને અલૌકિક ફયુઝન જ્વેલરી બનાવવામાં આવી છે, જે સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.મ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે,સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે.

છ મહિનામાં જે પરિવારમાં લગ્ન થવાના છે તેઓ ખાસ આમંત્રિત

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ચેમ્બર દ્વારા પ૦૦ જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી ચાર – છ મહિનામાં લગ્ન થવાના છે તેઓને આઇડેન્ટીફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. 

50 હજારથી એક કરોડ સુધીના આર્ટિકલ વેચવા મૂકાશે

સ્પાર્કલમાં પ્રદર્શિત થનાર જ્વેલરી છ મહિનાથી સ્પેશિયલ કારીગરો પાસે તથા જ્વેલરી ડિઝાઇનરો પાસે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હેરીટેજ જ્વેલરી, એકસકલુઝીવ બ્રાઇડલ કલેકશન, નવાબી કન્સેપ્ટ, ફયુજન જ્વેલરી, પોલકી અનકટ જ્વેલરી, બિકાનરી મીના અને રજવાડી જ્વેલરી, ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી જે ભારતભરમાં વખાણાય છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. એકઝીબીશનમાં રૂપિયા પ૦ હજારથી લઇને રૂપિયા ૧ કરોડ સુધી બ્રાઇડલ જ્વેલરી પ્રદર્શિત કરાશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની અલૌકિક જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.

November 24, 2022
cia_multi-1280x1045.jpg
1min321

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટરની વરણી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવતા આજે સુરત એસડીસીએ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના અગ્રણીઓએ હેંમતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં સુરતના હેમંતભાઇને વાઇસ પ્રેસિડેન્ટ પદ સાથે મળેલા પ્રતિનિધિત્વને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ક્રિકેટમાં નવું જોમ, ઉત્સાહ વધ્યો છે.

આજે સવારે હેમંતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવા માટે શૈલેષભાઈ, નિસર્ગ પટેલ, મંયકભાઇ ત્રિવેદી, વિપુલ ભાઈ, હરીશભાઈ, સંજયભાઈ, મયંક ભાઈ, બિપિન ભાઈ, સાયમન કોરેથ, હનીફ મંજુ, વિજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.