CIA ALERT

Slider Archives - Page 458 of 491 - CIA Live

August 23, 2018
cbse1.jpg
1min12970

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 23, 2018
vasundhra_750_1534868510_618x347.jpeg
1min5460
રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કાઢવામાં આવી રહેલી ગૌરવ યાત્રામાં લખલૂંટ અને બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા સંદર્ભે રાજસ્થાન હાઈકોર્ટમાં એક રીટ પીટીશન થઇ છે. જેમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.
ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગતો સાંપટી છે. પ્રથમ તબક્કાની ગૌરવયાત્રામાં ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ગોરવયાત્રામાં વસુંધરા રાજેના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા, ઇંધણના રૂ. ૧.૪૦ લાખ  તેમજ  અન્ય પરચૂરણ ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રૂપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રૂપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રૂપિયા જાહેરાતનો ખર્ચ થયો. ભાજપા પ્રદેશ એકમે જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો.
જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રૂપિયા સહિતનો ખર્ચ કર્યો હતો. ભાજપે હાઈકોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું કે, ગૌરવયાત્રાનો ખર્ચ પાર્ટી એકમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
August 23, 2018
bandhan.jpg
1min12330

લિસ્ટિંગના પાંચ મહિનામાં બંધન બેન્કનો શેર ₹375ના ઓફર ભાવથી 87 ટકા ઊછળ્યો છે. તેનું માર્કેટ-કેપ યસ બેન્કની નજીક આવ્યું છે. બંધન બેન્ક કરતાં યસ બેન્કની લોન બૂક છ ગણી મોટી અને કુલ આવક સાડા ચાર ગણી વધુ છે. શેરમાં તીવ્ર ઉછાળાથી પ્રાઇસ ટુ બૂક (P/B)ના સંદર્ભમાં ટોચની 10 બેન્કોમાં બંધન બેન્ક સૌથી મોંઘો બેન્ક શેર બન્યો છે.

તા.17મી ઓગસ્ટે બંધન બેંકનો શેર ₹703.20એ બંધ આવ્યો હતો અને માર્કેટ-કેપ ₹83,878 કરોડ હતું, જેનાથી તે દેશની આઠમા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. સાતમા ક્રમની સૌથી મોટી બેન્ક યસ બેન્કનું માર્કેટ-કેપ ₹90,628 કરોડ હતું. બંધન બેન્કનો શેર 8.9ના P/B રેશિયોએ ટ્રેડ થાય છે. ટોચની દસ ખાનગી બેન્કોનો P/B રેશિયો 2.5થી 5.1ની રેન્જમાં છે, જ્યારે સરકારી બેન્કનો 0.9થી 1.4 છે. માર્કેટ-કેપના સંદર્ભમાં HDFC બેન્કનો P/B રેશિયો 5.1 છે.

બંધનનું પ્રીમિયમ વેલ્યુએશન તેના ઊંચા રિટર્ન રેશિયો અને વધુ સારી એસેટ ક્વોલિટીનું પ્રતિબિંબ પાડે છે. FY18માં તેનું રિટર્ન ઓન એસેટ (RoA) 4 ટકાના સ્તરે સૌથી ઊંચું હતું. ટોચની દસ બેન્કોનું RoA બે ટકાથી નીચું છે. બંધનની કુલ એનપીએ 1.25 ટકા હતી, જે સૌથી નીચી છે.

FY18માં બંધનની કુલ આવક ₹5,508 કરોડ અને કુલ ધિરાણ ₹32,339 કરોડ હતું. આ બંને માપદંડમાં તે આ યાદીની સૌથી નાની બેન્ક છે. એનાલિસ્ટ્સ બંધનના શેર માટે હકારાત્મક વલણ ધરાવે છે. બ્લૂમબર્ગનું સરેરાશ રેટિંગ દર્શાવે છે કે છમાંથી પાંચ એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપેલું છે અને એકે હોલ્ડ રેટિંગ આપેલું છે.

August 23, 2018
tc1.jpg
1min5750

સોશિયલ મીડિયા દ્વારા તિરંગા ચેલેન્જમાં ભાગ લેનાર દેશભરના ઉત્સાહી 55 યુવાન સામાજિક કાર્યકર્તાઓને નોબલ એશિયન ઓફ ઘી યરપુરસ્કારથી સમ્માનવામાં આવ્યા

 

 

સુરત, તા. 17 – દેશભરના સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ફેસબૂક પર ‘તિરંગા ચેલેન્જ’ નામની ડિજિટલ ફ્રેમ હાલ ઓગસ્ટ મહિનામાં ખુબ જ વાયરલ થઈ છે. આ ફ્રેમ દ્વારા એક અવનવો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં એક છોડ વાવો અને અન્ય ત્રણ મિત્રોને છોડ વાવવા માટે ચેલેન્જ પડકારો. સુરતથી શરુ થયેલી આ મુહિમ જોતજોતામાં આખા ભારતમાં પ્રસરી ગઈ અને લોકોમાં છોડ વાવી અન્ય ત્રણ મિત્રોને ચેલેન્જ કરવાની જાણે હોડ લાગી ગઈ.

તિરંગા ચેલેન્જ દ્વારા દેશના ખૂણે-ખૂણાથી લોકો જોડાયા જેમાં વિવિધ બ્યુટી પેજન્ટ્સ જીતનાર મોડેલ્સ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તેમજ ડોક્ટરો પણ શામેલ છે. આ તમામ લોકો જેઓએ આ ડિજિટલ ફ્રેમનો ફેસબૂક પર ઉપયોગ કરી પોતપોતાના શહેરમાં હરિયાળી ક્રાંતિ માટે વિશેષ કામ કર્યું તેઓને 15મી ઓગસ્ટે સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે બોલાવી ‘નોબલ એશિયન ઓફ ઘી યર’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત સહિત લગભગ 29 શહેરના લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ ‘ગો ગ્રીન’ મુહિમને હજી વધુ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં શહેરના મેયર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ કોર્પોરેટર રૂપલબેન  શાહે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર ‘તિરંગા ચેલેન્જ’ની ડિજિટલ ફ્રેમ બનાવનાર ડો. વિમલ રાઠી અને અવેરનેસ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ફ્રેમની સફળતાથી તેઓ ખુશ છે પણ એનાથી વિશેષ આ ફ્રેમના કારણે દેશના વિવિધ શહેરોમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે તેનાથી તેઓને વધુ આનંદ છે.

 

 

 

 

August 23, 2018
socialmedia1-900px.jpg
1min6080

Jayesh Brahmbhatt   98253 44944

સોશ્યલ મિડીયા પર પોસ્ટિંગ અંગે કોઇ ધારોધોરણો તો ઠીક પણ નીતિ-નિયમો ન હોવાથી કેટલાક લોકો તેને બેફામ દૂરુપયોગ કરીને લોકોને રંજાડી તો રહ્યા છે પરંતુ, તેની સાથોસાથ અફવાઓ ફેલાવીને સામૂહિક હિંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોઇ, ભારત સરકારે આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થાય તે રીતે સોશ્યલ મિડીયા પર કાનુની લગામ કસવાની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે. ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી ગાઇડલાઇન્સ દાખલ કરશે. ગાઇડલાઇન્સની રૂપરેખા તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં રહેલી એક અત્યંત મહત્વની જોગવાઇએ છે કે ફેસબુક કે વ્હોટ્સ એપ પર ખોટા સમાચારો, ઉત્તેજક સમાચારો, અફવાઓ, નિંદા કરતી પોસ્ટ્સ વગેરે મોકલનારના મૂળ સુધી કંપનીઓએ પહોંચવું પડશે એટલું જ નહીં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે. વાંધાનજક પોસ્ટ માટે સ્થાનિક સ્તરે ફરીયાદ થઇ શકે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી પડશે

કેન્દ્ર સરકારની ગતિવિધિઓ જોતા એવું જણાય આવે છે કે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સ એપ સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ 79 હેઠળ આવશે. વોટ્સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે.

સંભવતઃ સપ્ટેમ્બર 2018થી દાખલ થઇ શકે નિમ્નલિખિત જોગવાઇઓ

(1) બોગસ, ખોટો, ઉત્તેજક મેસેજ ફેલાવનારા સુધી પહોંચવું પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(2) અફવાઓ ફેલાવનારા, ખોટા મેસેજ કરનારા સુધી પહોંચ્યા પછી તેમની સામે ફોજદારી દાખલ કરવી પડશે

(3) સ્થાનિક રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અધિકારીઓની નિમણૂંક કરવી પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(4) વાંધાજનક કન્ટેન્ટ ચોક્કસ સમય મર્યાદામાં દૂર કરવું પડશે કંપનીઓએ

સૂચિત સોશ્યલ મિડીયા રેગ્યુલેશન્સ ગાઇડલાન્સમાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિ કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ 2011માં નોટિફાય કરવામાં આવી હતી.

કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા 36 કલાકનો સમય આપવાની જોગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો.

ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી. હવે અમારે IT એક્ટની કલમ 79 હેઠળ માર્ગરેખા જાહેર કરવાની છે. ત્યાર પછી અમે વોટ્સએપ (કે અન્ય ઇન્ટરનેટ કંપની)ને કાયદાનું પાલન નહીં કરવા બદલ જવાબદાર ઠેરવી શકીએ. કાયદો અમને કડક પગલાંના અમલમાં મદદ કરશે. અત્યારે કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી મેસેજનું મૂળ શોધી શકાતું નથી.

August 22, 2018
narmada.jpg
1min5870

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે.

ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

August 22, 2018
bn2-1280x853.jpg
1min8530

Jayesh Brahmbhatt   98253 44944

ઓગસ્ટ, 2018 : મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે યોજાયેલી બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં ભારતના 65થી વધુ શહેરોના બીએનઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, રિજનલ ડિરેક્ટર્સ, ડિરેક્ટર કન્સલ્ટન્ટ્સ અને લીડરશીપ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના પણ નેશનલ ડિરેક્ટર્સે આ ભવ્ય કોન્ફરન્સમાં હાજર રહીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

 

 

 

 

 

બીએનઆઇ ઇન્ડિયા એન્યુઅલ લીડરશીપ કોન્ફરન્સ 2018માં 6નેશનલ રેકગ્નિશન્સમાંથી બીએનઆઇ સુરતે નીચે મૂજબની ચાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ જીત્યાં છે.

(1) ટોપ પર્ફોર્મિંગ રિજન ટુ સ્કોર 100પોઇન્ટ્સ ઇન લાસ્ટ 12મંથ્સ,

(2)હાઇએસ્ટ વર્લ્ડ એવરેજ ચેપ્ટર સાઇઝ,

(3) ટોપ પર્ફોર્મિંગ રિજન એઝ પર 3+1 ટ્રાફિક લાઇટ્સ અને

(4)હાઇએસ્ટ રિટેન્શન.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં અત્યંત ઝડપી પ્રગતિ સાધીને 14ચેપ્ટર્સમાં 1,000થી વધુ સભ્યોને જોડ્યાં છે તથા તેણે બીએનઆઇમાં વિશ્વભરમાં અત્યાર સુધીના સૌથી ઝડપે વૃદ્ધિ સાધતા રિજનનું ટાઇટલ પણ મેળવ્યું છે.

આની સાથે-સાથે બીએનઆઇ સુરતે 5રિજનલ એવોર્ડ્સ પણ મેળવ્યાં છે. હવે બીએનઆઇ સુરતે પોતાના સભ્યોને કારોબારમાં વિસ્તાર કરવામાં મદદરૂપ બનવા માટે એક્ઝિમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

-x-x-x-

August 22, 2018
Ukai-1.jpg
1min44400

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખેતી સિંચાઇ તેમજ પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોત સમાન ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી ગઇ છે અને તા.23મી ઓગસ્ટને ગુરુવારે બપોરે 3 કલાકે ઉકાઇ ડેમની સપાટી 311 ફૂટના લેવલને આંબી ગઇ છે.

 

ઉકાઇ ડેમ અંગે બે બાબતો હાલમાં ચર્ચાસ્પદ છે એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક બાબત એ છે કે ધીમે ધીમે ખરું પણ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે અને સપાટી 292 ફૂટ પરથી વધીને તા.23મી ઓગસ્ટ 2018ના રોજ 311.34 ફૂટ પર પહોંચી છે. આમ, ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા કે જ્યાં વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી પાણીનો આવરો ડેમમાં થઇ રહ્યો છે.

નકારાત્મક બાબત એ છે કે રાજ્ય સરકારે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવા માટે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં એક નિયમ રુલ લેવલની જાળવણીનો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે તે તારીખે ડેમમાં પાણીનું લેવલ કેટલું જાળવવું તે અંગે ચોક્કસ ગણતરી સાથે કાર્યવાહી થાય છે. તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું રૂલ લેવલ 335 ફૂટ હોવું જોઇએ. તેના કરતા આજના દિવસે પાણીની સપાટી 24 ફૂટ ઓછી છે.

પણ દેર આયે દુરસ્ત આયે એ રુએ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદનું પાણી ઉકાઇ ડેમને ધીમી ધારે ભરી રહ્યું છે એ પોઝિટીવ બાબત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ધીમે ધીમે જળસંકટ ઓછું કરી રહી છે.

અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણીનો આવરો નહીં થતા ચોમાસાના પ્રારંભે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે જિલ્લા પ્રશાસન તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઉકાઇ ડેમની પાણીની સપાટી વધવાથી હાશકારો થઇ રહ્યો છે.

August 22, 2018
vior.jpg
1min13070

સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.

 

ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

August 22, 2018
maulin.jpg
1min8370

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરતના વર્તમાન પ્રમુખ શ્રી હેતલ રુમેન્દ્ર મહેતાના પુત્ર મૌલિન કે જેમણે હાલમાં એસ.એસ.સી.ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી તેઓ હવે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અમેરિકાના ઓહિયોના કોલંબસ ખાતે સ્ટડી કરવા માટે સિલેક્ટ થયા છે અને તેઓ હવે ધો.11નો સ્ટડી 11 મહિના માટે અમેરિકા ભણશે. મૌલિન મહેતા આજરોજ તા.22મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી અમેરિકા ખાતે તેમની 11 મહિનાની ટ્રીપ માટે રવાના થયા છે.

મોલિન હેતલ મહેતા એક સારા રોલબોલ પ્લેયર પણ છે અને રોટરી સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં તેઓ સક્રિય રહીને રચનાત્મક પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ ભારતના લાખો વિદ્યાર્થીઓમાંથી અમેરિકાના ઓહિયો ખાતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સિલેક્ટ થયા છે. બહું જૂજ વિદ્યાર્થીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા હોય છે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060-6690 અન્વયે તેમની પસંદગી કરવામાં આવી છે.

રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ એક એવો પ્રોગ્રામ છે કે જે વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ અને એક્સપોઝર આપે છે કે વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ફેસ્ટિવલ, લાઇફસ્ટાઇલ અને અન્ય અધતન રીતરસમોથી વાકેફ થઇ શકે છે.

Traveling today to Columbus, Ohio, USA as a Rotary International Youth Exchange Student till July -2019 from RI dist. 3060 to 6690