CIA ALERT

Slider Archives - Page 458 of 488 - CIA Live

August 19, 2018
narmada.jpg
1min10070

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ 113.50 મીટરે પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં જળ સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,02,414 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા અગામી 9 મહિના રાજ્યને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે 111.30 મીટરે પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે 3થી 4 સેન્ટિમીટર વધી રહી હતી. માત્ર 12 કલાકમાં જ જળ સપાટી 32 સેન્ટિમીટર વધી હતી. અગાઉ આ આવક 4થી 5 હજાર ક્યુસેક હતી જે વધીને 6747.0 હજાર ક્યુસેક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એેંધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી, પરંતુ મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે.

August 19, 2018
ox.jpg
1min13840

મીડિયા રિપોર્ટ પ્રમાણે 30 વર્ષના ગાળાં બાદ વિશ્ર્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કૉલેજ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.

ધ ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની પાંચ વર્ષની યોજનામાં 1000 ગ્રેજ્યુએટ રૂમ બાંધવાનો અને ઓછામાં ઓછી એક નવી કૉલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અગાઉ ઓક્સફર્ડે 1990માં ફક્ત ગ્રેજ્યુએટ્સ માટેની કેલોગ કૉલેજ શરૂ કરી હતી.

નવી કૉલેજ શરૂ કરવાની યોજનાને યુનિવર્સિટીની ગવર્નિંગ બોડીએ ટેકો આપ્યો છે, પણ એ શરૂ કરવા માટે ઓક્સફર્ડના શિક્ષણવિદોની મંજૂરી મળવી જરૂરી છે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અનુસ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા 2023 સુધીમાં વધીને વર્ષે 850 અને અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યા વર્ષે 200 જેટલી થશે. હાયર એજ્યુકેશન પોલિસી ઇંસ્ટિટયૂટના ડિરેક્ટર નિક હિલમેને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ પોતાની સરખામણી યુકેની અન્ય સંસ્થાઓ સાથે નહીં, પણ આઇવી લિગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરે છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ્સ કરતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

ઓક્સફર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોજનાની રૂપરેખા હજુ બની રહી છે તથા એને માટે સલાહ લેવામાં આવી રહી છે, જ્યારે એ યોજનાની મોટેપાયે સમીક્ષા કરવામાં આવશે અને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે ત્યારે યુનિવર્સિટી એ વિશે ટિપ્પણી કરશે.

August 18, 2018
k1.jpg
1min10410

કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કર્ણાટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં ગુરુવારે પડેલા ભારે વરસાદમાં હજ્જારો હૅક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. માળખાકીય સગવડને પ્રચંડ નુકસાન પહોંચ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઓે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત સેંકડોને બોટ અને હેલિકૉપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ટીવી ચૅનલો પર મહિલાઓ અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકૉપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.

એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયો છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઓને બચાવી લેવા ટીવી ચૅનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા.

વૉટ્સ ઍપ વીડિયો ક્લિપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે કેરળ પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડ્યો

અર્નાકુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑક્સિજનના પુરવઠાની તંગી પડતાં દર્દીઓને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઓમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે આફત વધી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ઘઠી રહ્યો છે, તો પેટ્રોલ પંપોમાં સ્ટોક નથી. કેરળમાં 100 વર્ષનું આ સૌથી મોટુ સંકટ છે, અને અત્યાર સુધીમાં કુલ 324 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ પણ કેરળ પહોંચીને હવાઈ નીરિક્ષણ કર્યું. પરિસ્થિતિની સમીક્ષા કરી.

કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે પીએમ મોદી શુક્રવારે મોડી સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેઓએ સવારે સીએમ વિજયન સાથે બેઠક કરી, આ બેઠકમાં પૂરથી થયેલા નુક્સાન અને રાહત બચાવ કાર્યને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત કેરળ માટે 100 કરોડની મદદ જાહેર કરી ચૂકી છે.

ઑગસ્ટ માસની શરૂઆતથી જ વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે 147 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રૂપ પહેલી વાર જોયું છે.

પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઓમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે. કેરળે ચાલુ વર્ષે સૌથી ભયાનક ચોમાસાનો સામનો કર્યો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.

સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રૂ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નોંધવામાં આવી છે.

ગાડગિલ કમિટી (જેને વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજિકલ એક્સપર્ટ પેનલ પણ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ માધવ ગાડગિલના જણાવ્યા પ્રમાણે કમિટી દ્વારા વેસ્ટર્ન ઘાટ વિસ્તારોને ભારે વરસાદથી બચાવવા અંગે ભલામણ કરવામાં આવી હતી. પેનલ દ્વારા ભલામણ અંતર્ગત ખાસ સૂચનો કરવામાં આવ્યા હતાં. જે મુજબ વેસ્ટર્ન ઘાટના 140000 કિ.મી. વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંરક્ષણ વ્યૂહરચના માટે ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કમિટીએ માઇનીંગ તથા કવૉરિંગ પર પ્રતિબંધ મૂકવા પણ ભલામણ કરી હતી, હાઈરાઈઝ ક્ધસ્ટ્રકશન પર પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ સરકારને જણાવ્યું હતું.

NDRFની બચાવ કામગીરી બની ઝડપી

તો NDRFની સાથે સાથે સૈન્ય પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યુ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. તો સેંકડો ગામ ટાપૂમાં ફેરવાઈ ચૂક્.ા છે.

રાહત અને બચાવ માટે સૈન્યના હેલિકોપ્ટર

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૈન્યના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. અલૂવા, કાલાડી, પેરુંબુર, મુવાડ્ડુપુઝા અને ચાલાકુડીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક માછીમારો પણ પોતાની બોટ સાથે સામેલ થઈ રહ્યા છે.

લગભગ સવા બે લાખ લોકો થયા બેઘર

રાજ્યમાં લગભગ સવા બે લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. તમામ લોકોને રાહત છાવણીમાં શરણ અપાઈ છે. NDRFની 51 ટીમ કેરળ મોકલાઈ છે

ટ્રેનથી મોકલાયું પીવાનું પાણી

રનવે પર પાણી ભરાઈ જતા કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થઈ ચૂક્યુ છે. 25થી વધુ ટ્રેન રદ કરાઈ છે, અને કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. દક્ષિણ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યુ છે.

100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે. વીમા નિયામક ઈરડાડુએ તમામ વીમા કંપનીના દાવાની ચૂકવણી કરવા માટે ખાસ શિબિર લગાવવા નિર્દેશ કર્યા છે.

પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 કરોડ રૂપિયા અને ભોજન સહિત જરૂરી સામાન માટે અન્ય  5 કરોડની    જાહેરાત કરી છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેરળના સીએમ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, 10 કરોડની સહાય જાહેર કરી છે. તેલંગાણાએ પણ કેરળને મદદ માટે 25 કરોડ આપવાનું કહ્યું છે.

August 18, 2018
imran.jpg
1min7820

પાકિસ્તાનમાં પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને વડા પ્રધાન બનતા અટકાવી શકે એવા તેમને પડકારનાર વિરોધ પક્ષોની યુતિમાં તડાં પડ્યાં હોવાથી ઈમરાનનું પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

પાકિસ્તાનમાં નવી જ ચૂંટાયેલી ધારાસભા અને સંસદનું નીચલું ગૃહ વડા પ્રધાનને ચૂંટવા મીટિંગ કરી હતી. ૧૫મી રાષ્ટ્રીય ધારાસભા (એનએ)માં ચૂંટણી માત્ર એક ઔપચારીકતા બનીને રહી ગઈ હતી. ૫૪ બેઠક ધરાવતી બીલાવલ ભુત્તો-ઝરદારીના વડપણ હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) મતદાનમાં ગેરહાજર રહી હોવાથી ચૂંટણી માત્ર ઔપચારીકતા બની ગઈ હતી. ખાનને ૧૭૬ મત અને શાહબાઝને ૯૬ મત મળ્યા હતા. ખાન શનિવારે હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેશે. પાકિસ્તાનમાં સરકાર રચવા ૩૪૨ સભ્યના નીચલા ગૃહમાં ૧૭૨ મતની સરકાર રચવા માટે આવશ્યકતા હોય છે. શાહબાઝની ઉમેદવારી અંગે વિપક્ષોમાં ભારે મતમતાંતર જોવા મળ્યા હોવાથી વિખ્યાત ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનનો વડા પ્રધાન માટેનો વિજય લગભગ નિશ્ર્ચીત બની રહ્યો હતો. સ્પીકરની કચેરીમાં ઉમેદવારી પત્રોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી.

બપોરે ૩-૩૦ના સુમારે પાકિસ્તાન સંસદનું સત્ર યોજાયું હતું. રાષ્ટ્રીય ધારાસભાના સ્પીકર અસદ કૈસરે આ સત્ર યોજ્યું હતું. વિવિધ ઉમેદવારો માટેની વિવિધ ગેલેરીમાંથી ખુલ્લેઆમ મતદાન થયું હતું. ચૂંટાયેલા વડા પ્રધાન શનિવારે ૧૮મી ઓગસ્ટે શપથ લેશે.

August 17, 2018
tataagiyaribandra.jpg
1min18520

પારસીઓનું નવું વર્ષ ગણાતા પતેતી પર્વે આજે દેશભરમાં પારસી બિરાદરોએ પરિવાર સમેત પતેતીની ઉજવણી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો, સગાસબંધીઓને પતેતીની શુભકામનાઓ પાઠવી હતી.

ભારતમાં પારસી કોમ્યુનિટીમાં શિર્ષસ્થ ગણાતા ઉદ્યોગપતિ તાતા પરિવારના રતન તાતાએ પણ મુંબઇના બાંદ્રા ખાતે આવેલી ટાટા અગિયારી ખાતે પતેતીની શુભકામનાઓ પાઠવતા ઉજવણી કરી હતી. જે તસ્વીરમાં દ્શ્યમાન છે.

August 17, 2018
tiranga.jpg
1min6230

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્રારા આયોજીત 1100 મીટર લાંબા તિરંગા યાત્રા વખતે ડ્રોનનો ઉપયોગ કરવા ઉપરાંત ડ્રોનને એટલી ભયજનક ઉંચાઇએ ઉડાડ્યું કે સુરત એરપોર્ટ પર આવી રહેલા પ્લેનના પાઇલોટની નજરમાં આવ્યું હતું અને પ્લેન પાઇલોટે એર ટ્રાફિક કન્ટ્રોલરને જાણ કરતા મામલો ગરમાયો હતો. તેના રિપોર્ટને આધારે જ તિરંગા યાત્રાના આયોજક અને ડ્રોનના માલિક સામે પોલીસે ગુનો નોંધી બનેંની અટકાયત કરી છે.

સુરતમાં 72માં સ્વાંત્તત્ર્ય વર્વની ઉજવણીમાં ડ્રોનનો ઉપયોગ કરવાનું  બે લોકોને ભારે પડ્યું હતું, પોલીસે એર ક્રાફુટની કલમ 11 મુજબ ગુનો નોંધી બેની અટકાયત કરી હતી.અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ પંદરમી ઓગસ્ટના રોજ 1,100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એરપોર્ટના વિસ્તારમાં 1 હજાર મીટરથી વધુ ઉંચાઈ પર ડ્રોન ઉડાડવા બદલ યાત્રાના આયોજક તેમજ ડ્રોનના માલિક સામે ઉમરા પોલીસ મથકમાં એર ક્રાફ્ટની કલમ 11 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બન્નેની અટકાયત કરી છે.

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની આ યાત્રા એરપોર્ટની નજીક, ઉધના મગદલ્લા રોડ અને સુરત ડુમસ રોડને જોડતા વાય જંક્શન પર પહોંચી ત્યારે ત્યાં 1 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો. રન-વે વિસ્તારમાં આ રીતે એક હજારથી વધુ ઉંચાઈ પર કોઈ પણ વસ્તુ ઉડાડવાથી અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આ રીતે ડ્રોન ઉડાડવા બદલ ડ્રોનના માલિક કમલ રમણ પટેલ અને તિરંગા યાત્રાના આયોજકોમાંથી એક રાહુલ ઓમપ્રકાશ અગ્રવાલ સામે એર ક્રાફ્ટની કલમ 11 તેમજ પોલીસ કમિશનરની જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.

August 17, 2018
paes.jpg
1min5800

એશિયન ગેમ્સના પાંચ ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક જીતનાર ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસ આગામી એશિયાડમાંથી નીકળી ગયો છે. પોતાને ડબલ્સ માટેનો સ્પેશિયલિસ્ટ જોડીદાર આપવાને બદલે નબળો પર્ફેાર્મન્સ ધરાવતા સુમીત નાગલ સાથે રમવાનું કહેવામાં આવતાં પેસે આ નિર્ણય લીધો છે.

August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10420

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 17, 2018
child.png
1min10850

બાળકો અને સગીરોને ગેરકાયદે અમેરિકા લઈ જવાના રૅકેટના કથિત સૂત્રધારને મુંબઈ પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાજેશ ઘમેલાવાલા (54) અને આ રૅકેટમાં સંડોવાયેલા શંકાસ્પદો માગ અનુસાર બાળકોને કથિત રીતે અમેરિકા મોકલાવતા હતા.

અંધેરીના વર્સોવા ખાતેના એક સલૂનમાં મેકઅપ માટે લાવવામાં આવેલી 11 અને 16 વર્ષની બે છોકરીને માર્ચ મહિનામાં પોલીસે છોડાવ્યા બાદ આ રૅકેટનો પર્દાફાશ થયો હતો. તે સમયે છોકરીઓ સાથે હાજર ચાર જણ અમીર ખાન (36), તજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (38) અને રિઝવાન ચોટાની (39)ની ધરપકડ કરવામાં આવી હતી. છોડાવાયેલી બન્ને છોકરી ગુજરાતની વતની હતી.

ધરપકડ કરાયેલા ચાર આરોપીની પૂછપરછમાં રૅકેટના સૂત્રધાર તરીકે ઘમેલાવાલાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. બે છોકરીને ગેરકાયદે અમેરિકા મોકલવાના પ્રયાસના કેસમાં તેને ફરાર જાહેર કરાયો હતો.

આરોપીઓએ આપેલી માહિતીને આધારે પોલીસની ટીમ ગુજરાતના અમદાવાદ શહેર પહોંચી હતી. 11 ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 18 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઈ હોવાનું વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર બડગુજરે જણાવ્યું હતું.

ઘમેલાવાલાની અગાઉ 2007માં પાસપોર્ટ સંબંધિત કેસમાં ધરપકડ કરાઈ હતી. 2007થી ચાલતા આ રૅકેટમાં અત્યાર સુધીમાં 300 બાળકને અમેરિકા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું કે 300 બાળકોને મોકલવાની માહિતી ક્યાંથી આવી તેની અમને જાણ નથી. આ આંકડો અમે આપ્યો નથી. અમારા કેસમાં માત્ર બે બાળકનો ઉલ્લેખ છે, એવું તેમણે જણાવ્યું હતું.

બાળકદીઠ 45 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના અહેવાલ અંગે દહિયાએ જણાવ્યું હતું કે બાળક માટે આરોપીઓ કેટલાક રૂપિયા લેતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

August 16, 2018
kvpy1.jpg
5min7940

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર સંચાલિત કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના 2018માં તા.4 નવેમ્બરના રોજ લેવામાં આવશે. દેશભરમાં આવેલી ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને તેમણે આપી જ જોઇએ.

કેવીપીવાય પરીક્ષાથી અનેક ફાયદા છે. વિદ્યાર્થીઓમાં રિસર્ચની પ્રવૃતિને પ્રોત્સાહન તો મળે જ છે સાથોસાથ કેન્દ્ર સરકારની સ્કોલરશીપ પણ મળે છે અને સાથેસાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થામાં પ્રવેશ પણ પામી શકે છે.

કેવીપીવાય માટે એનરોલ કરાવવાની અંતિમ તા.31મી ઓગસ્ટ છે. કેવીપીવાય માટે રજીસ્ટ્રેશન ફક્તને ફક્ત ઓનલાઇન જ થઇ શકે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

Application for KVPY-2018 must be done online only.

  • There are three steps to complete your application successfully.
  • Step 1. Registration
  • Step 2. Filling personal and academic details, choosing test centres and uploading photo, signature and other certificates, as applicable.
  • Step 3. Payment of application fees. Please note that you must pay the fee only at the KVPY application portal. This can be done by using a Credit Card, ATM-Debit Card or Net Banking. No other means of payment will be accepted.  Once the payment is successful and application is submitted, no refund of application fee will be done.
  • The application fees for KVPY-2018 are as follows:

          For General/OBC Category: Rs. 1000,  For SC/ST/PWD: Rs. 500 (Bank Charges extra)

  • It is strongly recommended that the candidates read the instructions given on the KVPY website carefully before attempting to fill  the online application. These steps are described in detailhere.

KVPY Aptitude Test 2018 will be held online in the following cities across India:

East: 

Patna (Bihar), Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Bhubaneshwar, Rourkela(Orissa), Naharlagun (Arunachal Pradesh), Guwahati, Tezpur (Assam), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Kolkata, Siliguri (West Bengal)

North: 

Chandigarh (Chandigarh), Delhi (Delhi-NCR), Ambala, Faridabad, Gurgaon, Karnal, Kurukshetra (Haryana), Jammu (Jammu & Kashmir), Jalandhar, Ludhiana, Mohali, Patiala(Punjab), Ajmer, Jaipur, Jodhpur, Sikar (Rajasthan),  Agra, Allahabad, Ghaziabad, Greater Noida, Kanpur, Lucknow, Noida, Varanasi (Uttar Pradesh), Dehradun (Uttarakhand)

South:

 Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkamangaluru, Davanagere, Dharwad, Haliyal, Hassan, Hubballi, Kalburagi, Mandya, Mangaluru, Mysuru, Shivamogga, Udupi (Karnataka), Hyderabad(Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram, Palakkad, Pathanamthitta, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem(Tamil Nadu)

West:

Panaji (Goa), Ahamedabad, Anand, Rajkot, Vadodra (Gujarat), Amaravati, Aurangabad, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra), Bilaspur, Raipur  (Chhattisgarh), Bhopal, Indore (Madhya Pradesh)


PLEASE NOTE KVPY-2018 APTITUDE TEST WILL BE COMPLETELY ONLINE

Mock Computer Based Test of KVPY Aptitude Test – Click here

 

  • Note: As virtual calculators will be made available  at  the examination venue, as displayed in the mock link,  candidates are not allowed to carry calculators inside the examination hall.
Important Dates
Opening of online application portal : 11th July 2018 at 5.00 PM
Date for closing of online application : 31st  August 2018 at 5 PM
Download Admit card : Second week of October
Exam Date : 4th November 2018

Applications are invited from Indian Nationals. However, as per the Interim Order (Final Order awaited) of the Hon’ble High Court of Karnataka OCI/PIO students will be allowed to take up the KVPY Aptitude Test 2018.

Support Helpdesk Details
IF YOU REQUIRE ANY INFORMATION RELATED TO Application Form,

CALL ON 080 – 22932975/76, 080- 23601008 & 080 – 22933536

Email to applications.kvpy@iisc.ac.in

THE PHONE NUMBERS ARE AVAILABLE BETWEEN 10:00 AM AND 05:00 PM.

* Saturday and Sunday are Holidays.