સુરતઃ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ (TVIS)ને તેના કેમ્પસમાં પ્રખ્યાત સરોદવાદક પંડતિ પાર્થો સારોથીજીને આમંત્રિત કરવાનો લાહવો મળ્યો હતો. પાર્થો સારોથી જીએ ભારતના ઉચ્ચ કોટિના સંગીતકારોમાંના એક છે. તેમનું હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીતનું વાસ્તવિક વિરાસતનું પ્રતિક મનાય છે.

TVISએ તેના કેમ્પસમાં પંડિત પાર્થો સારોથી જીના સરોદ વાદનનું કાર્યક્રમ આયોજીત કર્યું હતું. તેમના સરોદ વાદનથી શ્રૌતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને શાસ્ત્રીય સંગીત સાંભળવાના અનેરા આનંદનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શ્રૌતાઓને સરોદ સહિત અન્ય શાસ્ત્રીય સંગીત વાદ્ય અને હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત વિશેની ઊંડી માહિતી આપી હતી.
સરોદ ઉપર તેમના દ્વારા છેદાયેલા રાગ સુરમેળાપ અને પરમશાંતિની સધન તાલિમ દર્શાવે છે અને તેમનું ગંભીરતાપૂર્વકનું દ્રષ્ટિકોણ તેમના સંગીતને એક પૂર્ણતઃ અસીમિત ઊંચાઇએ પહોંચાડે છે.
સરોદ એક તંતુ વાદ્ય છે, જેનો મુખ્યત્વે હિન્દુસ્તાની સંગીતમાં ઉપયોગ કરવામાં આવે છે. તે એક ઊંડી, ભારપૂર્ણ, આત્મનિર્ભર ધ્વનિ માટે ઓળખવામાં આવે છે, જે સિતારના મીઠાં, ભારે સમુદ્ધ સંગીતથી વિપરિત છે. જે સહાનુભૂરિતપૂર્ણ તારોની સાથે જે તેને અનુશાસિત, પુનરાવૃતિ ગુણવત્તા યુક્ત આપે છે.
પંડિત પાર્થો સારોથી જી વિદ્યાર્થીઓને વિવિધ તાલ અને લય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સાથે-સાથે સરોદ વાદન કર્યું હતું. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને તેના જીવંત અને વૈભવાશાળી ઇતિહાસ વિશે એક સંક્ષિપ્તમાં પરિચય અને તથ્યોની માહિતી આપી હતી.
પંડિતજી સાથે તાલ પુરાવવા માટે શ્રીઆશિષ પૌલે તલબા ઉપર સંગત કરી હતી. તે બંને એ સંગીતનું એક મદક મોહક વાતાવરણ સર્જ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ કલાકારો દ્વારા છેદાયેલા સુરની શાંતિમાં અંતર્ધ્યાન થઇ ગયા હતા.
આ સંગીત કાર્યક્રમનું આયોજન સોસાયટી ફોર ધી પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્ગ્સ્ટ યુથ (સ્પિક મૈકે-SPIC MACAY) કર્યું હતું જે બિન- રાજકીય રાષ્ટ્રવ્યાપી, સ્વૈચ્છીક સંગઠન છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, લોક કલા વગેરેના કાર્યક્રમ આયોજીત કરે છે.
આ સંગઠન જાગૃતિ ફેલાવવા અને આજના યુવાનો અને લુપ્ત થતી હસ્તકલા વચ્ચેનું અંતર ઘટાડવા માટે પુલ તરીકેની કામગીરી કરે છે. ભારત કલાના સૌથી જૂના ઇતિહાસ માટે ઓળખાય છે અને સ્પિક મેકૈ આ કલા સ્વરૂપોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
-x-x-x-






















