CIA ALERT

Slider Archives - Page 449 of 488 - CIA Live

September 5, 2018
hyderabad_twin_blasts.jpg
1min11140

હૈદરાબાદના બે અલગ-અગલ વિસ્તારમા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચી ગઇ હતી. એક બોમ્બ વિસ્ફોટ ગોકુલ ચાટ વિસ્તાર અને અન્ય વિસ્ફોટ લુંબીની પાર્કમાં થયો હતો.

હૈદરાબાદમાં 25 ઓગસ્ટ 2007માં થયેલા બે વિસ્ફોટ કેસમાં એનઆઇએની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં અનિક શફિક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષી ગણાવ્યા છે જ્યારે બે આરોપીઓને નિર્દોષ મુક્ત કરાયા છે. આ કેસના પાંચ આરોપીઓ પૈકી એક ફરાર છે જેની સુનાવણી તેમજ બે દોષીતોને સજાની સુનાવણી સોમવારે કરાશે.

આ હુમલો 25 ઓગસ્ટ 2007ના રોજ હૈદરાબાદના લુમ્બિની પાર્ક અને ગોકુલ ચાટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બોમ્બ વિસ્ફોટના આ કેસને ચાલુ વર્ષે જૂન મહિનામાં નામપલ્લી કોર્ટમાંથી કરી ચેરલાપલ્લી મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જજ શ્રીનિવાસ રાવે 7 ઓગસ્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપવા માટે 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. જોકે, આ દિવસે ચુકાદો આવ્યો નહોતો. આ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોએ 25 ઓગસ્ટે આની 11મી વરસી મનાવી હતી. આ ઘટનાની તપાસ તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજેન્સ(સીઆઇ)એ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

 

September 5, 2018
hardik-1280x720.jpg
1min5820

ખેડૂતો માટે ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય હવે દર કલાકે કથળી રહ્યું છે. અત્યાર સુધી હાર્દિક પટેલના ઉપવાસને નજરઅંદાજ કરનાર રાજ્ય સરકાર તા.4થી સપ્ટેમ્બરથી એવી હરકતમાં આવી કે હવે હાર્દિકની માગણીઓ પરત્વે અંદરખાને વિચારણા શરૂ કરી દીધી છે. જેમ જેમ હાર્દિકનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેમ તેમ રાજ્ય સરકારનું બ્લડ પ્રેશર વધી રહ્યાનું જણાય આવે છે. જે રીતે  રાજ્ય સરકારે હાર્દિકને પારણા કરાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે એ જોતા હવે રાજ્ય સરકારે હાર્દિક પટેલના મુદ્દે કંઇકને કંઇક નમતું ઝોખવું પડે તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.

ઉપવાસના 11માં દિવસે સરકારે હાર્દિકને સિરીયલી લેવાનું શરૂ કર્યું

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે, પરંતુ આજદિન સુધી એક પણ પ્રધાન કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો, પરંતુ વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ પ્રધાન સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ.

હાર્દિકનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે, સરકારનું બીપી વધી રહ્યું છે

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ઉપવાસથી અગિયાર દિવસમાં હાર્દિકનું 20 કિલો વજન ઊતરી ગયુ છે. હાર્દિકનું ધરખમ વજન ઉતારતાં સોલા સિવિલના ડૉક્ટરે તેને હૉસ્પિટલમાં દાખલ થવા સલાહ આપી હતી. હાર્દિક ગયા મહિનાની 25મી તારીખથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા. 25મી ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઊતર્યો ત્યારે તેનું વજન 78 કિલો હતું. ઉપવાસના 10 દિવસ બાદ તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઊતરી ગયું છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હૉસ્પિટલની ટીમ પહોંચી હતી. તબીબોની ટીમમાં એક ફિઝિશિયન ડૉક્ટરને પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક બે દિવસથી યુરિન કે બ્લડ ટેસ્ટ કરવાની ના પાડી રહ્યો છે.

સોલા સિવિલના ડૉકટરે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન થયું છે. હાર્દિકને હૉસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે. હાર્દિક ઉપવાસ પર ઊતર્યો ત્યારે તંદુરસ્ત અને હસમુખો ચહેરો ધરાવતો હતો, પરંતુ ઉપવાસ પર ઊતરતા તેણે અન્નનો ત્યાગ કર્યો હતો. આ ઉપરાંત બે દિવસ જળનો ત્યાગ કરતાં તેની હાલત દિવસે ને દિવસે કથળી હતી, પરંતુ 1 સપ્ટેમ્બરે એસપી સ્વામીએ જળગ્રહણ કરાવ્યું જેને પગલે તેને થોડી રાહત થઈ હતી, પરંતુ તેનું વજન ઉતરવાનું ઓછું થયું ન હતું.

પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી

મંગળવારે તા.4 સપ્ટેમ્બર 2018ના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઉમિયા કેમ્પસમાં પાટીદારોની 6 ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક મળી હતી. બેઠક બાદ સાંજે સી. કે. પટેલ અને જેરામ પટેલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ સરકારને રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યું હતું, જ્યાં કેબિનેટ પ્રધાનો સૌરભ પટેલ, કૌશિક પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સંયુક્ત બેઠક યોજીને હાર્દિકને પારણાં કરાવવા માટેનો વિચાર-વિમર્શ કર્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હાર્દિક પટેલ પારણાં કરશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે.

 

September 5, 2018
Drrupal.jpg
1min7270

 Jayesh Brahmbhatt   98253 44944

ગોકુળ અષ્ઠમી એવો પવિત્ર પર્વ છે કે આ દિવસે બધા જ યોગ, સંયોગ, સંજોગ, ચોઘડીયા, મૂહૂર્ત, ઘડી, ક્ષણ તમામને શુભ-લાભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આ દિવસે સુરતના પાંચ પરિવારો એવા હતા કે જેઓ સંતાનપ્રાપ્તિ માટે વર્ષો સુધી ઝઝુમ્યા, જીવનદિપ બુઝાઇ શકે તેવા સ્વાસ્થય વચ્ચે પણ સુરતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. રૂપલ શાહના માર્ગદર્શનમાં આઇ.વી.એફ. થકી ડિવાઇન બાળકોને જન્મ આપવામાં સફળ રહ્યા છે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહની યાદગાર તસ્વીર)

સુરતના ખ્યાતિપ્રાપ્ત ગાયનેક ડો.રૂપલ શાહએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જન્માષ્ટમીનો પર્વ ખુશાલીઓ લઇને આવ્યો હતો. એવા પાંચ દંપતિને સંતાન પ્રાપ્તિ થઇ કે જેમને બાયોલોજિકલી સંતાન મેળવવામાં વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હતી. ડો.રૂપલે કહ્યું કે અમારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે ચાર બેબી ગર્લ, (રાધા) અને એક બેબી બોય (ક્રિષ્ણ)નો જન્મ થયો છે. આ પૈકી 4 બેબીઓને આઇ.વી.એફ.ની મદદથી તેમની માતાઓએ જન્મ આપ્યો છે અને એક બેબીને એવી માતાએ જન્મ આપ્યો કે જેઓ અગાઉ 5 વખત આઇ.વી.એફ.ની મદદથી બાળકને જન્મ આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા અને માતાને જીવનું જોખમ હતું.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની તસ્વીર)

ડો.રૂપલ શાહે કહ્યું કે, આ માતાની શારીરિક સ્થિત ક્રિટિકલ હતી કેમકે તેઓ આઇ.ટી.પી. નામની ખતરનાક બિમારી કે જેમાં પ્લેટલેટ કાઉન્ટસની સંખ્યા જરૂરીયાતથી ખૂબ ઓછી હતી. આવા સંજોગોમાં બાળકને જન્મ આપવો એ માતા માટે જીવનું જોખમ સમાન હતું. આમ છતાં એ દંપતિએ હિંમત હાર્યા વગર આઇ.વી.એફ. ટ્રીટમેન્ટ પર ભરોસો રાખીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. છેવટે ગઇ તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ ગોકુલ અષ્ઠમીના પવિત્ર પર્વે અમારી હોસ્પિટલમાં 5 ડિવાઇન બાળકો અવતર્યા, આનાથી મોટી ખુશી અમારા પરિવાર માટે કઇ હોઇ શકે.

(ગોકુળ અષ્ઠમીએ જે પાંચ ડિવાઇન બાળકોએ જન્મ લીધો તેમની સાથે ડો.રૂપલ શાહ અને તેમની ટીમની તસ્વીર)

All these babies are born on auspicious day of Janmashtami. Out of 5, 4 r Radhas n 1 Krishna. 4 r ivf babies ,who are born to their parents after their long difficult fight to overcome their childlessness after 8-10 years of marriage life. One baby is born to mother, who had undergone previous 5 failed ivf cycles.

One baby is born to a mother having life threatening medical condition known as ITP in which platelet counts go on fluctuating to Lower limits & if platelet count is very low ,delivery is very risky . So I m happy that on auspicious day so many infertile couples made their dreams of parenthood real.

September 5, 2018
af1.jpg
1min10410

Contact number for any more news  98253 44944

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામ (શિવરામપુરા) ખાતે અદાણી ફાઉન્ડેશન- હજીરા દ્વારા નવનિર્મિત કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૭-૧૮ માં કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ. ૩૦ લાખના ખર્ચે કૉમ્યુનિટી હોલ બાંધવામાં આવ્યો છે. જુના ગામના ગ્રામજનોને સામૂહિક તેમજ સામાજિક પ્રસંગો માટે અતિ ઉપયોગી બની રહેશે. આ વેળાએ મંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશનની સામાજિક ભાવનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, ચોર્યાસી ડેરીના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ, જૂનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ તથા હજીરા વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

September 4, 2018
SS_Logo_Blue-1280x986.png
1min14230

 

અત્યાર સુધી એવું નોંધવામાં આવ્યું છે કે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ સારી રીતે પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીનો નિર્ણય લેવામાં ભારે મૂંઝવણ અનુભવતા હોય કેમકે તેમની પાસે કોલેજમાં કેવી રીતે, કયા કોર્સમાં અભ્યાસ કરવો તેની કોઇ જ જાણકારી હોતી નથી. પરીણામે છેલ્લી ઘડીએ જ્યાં મળે ત્યાં ઉતાવળે નિર્ણય લઈને સચોટ નિર્ણય લઇ શકાતો નથી.

બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કઇ કઇ મૂંઝવણો અનુભવે છે એના પર નજર કરીએ તો…

તેમની પાસે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની કોઇ જ માહિતી ઉપલબ્ધ હોતી નથી. જે હોય તે પ્રાથમિક અને આઉટ ડેટેડ હોય છે.

તેમની પાસે પ્રવેશ પરીક્ષાઓ અંગેની 90 ટકા માહિતી હોતી જ નથી.

તેમને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પહેલા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેવી ખબર હોતી નથી.

તેઓ હાઇલી વોકેશનલ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં નોંધણીની મુદતથી વાકેફ હોતા નથી.

તેમને કેવા પ્રકારના દસ્તાવેજો ક્યાંથી મેળવવા તે અંગેની જાણકારી હોતી નથી.

મેરીટ પ્રીપેરેશન કેવી રીતે થાય તે અંગે તેમની પાસે કોઇ જ જાણકારી હોતી નથી.

તેમને ખબર હોતી નથી કે ક્વોલિફાઇંગ માર્કસ અને મેરીટ વચ્ચે શું તફાવત હોય.

તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે પરીણામ પહેલા અને પરીણામ પછી કયા અને કેટલા ફોર્મ ભરવાના હોય.

તેમને જાણકારી હોતી નથી કે સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકાય, અગર તો પોતાને મળવાપાત્ર છે કે નહીં.

આવી અસંખ્યા બાબતોથી વાકેફ નહીં હોય તેવા વાલીઓ માટે શિક્ષણ સર્વદાએ મોબાઇલ એલર્ટ સિસ્ટમ લોંચ કરી છે. જેમાં પ્રતિ દિન રૂ.1ની નજીવા દરે બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને મહત્વની જાણકારીઓ પરીણામ આવે એ દિવસ સુધી મળતી રહેશે.

વહેલો તે પહેલાના ધોરણે આ યોજનામાં સમાવેશ કરાશે.

યોજનાનો ચાર્જ પ્રતિ મોબાઇલ નંબર રૂ.200 છે જે બોર્ડના પરીણામની ઘોષણા સુધીની મુદત માટેનો રહેશે.

આ યોજનામાં જોડાવા માટે 98253 44944 પર મેસેજ કરો. અગર તો નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો.

Paytm પેટીએમથી ચૂકવણી માટેનો નંબર 98253 44944

https://chat.whatsapp.com/1m37dIlbbVS1aauncRfaNP

 

 

September 4, 2018
petrol.jpg
1min6430

તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઇમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર રૂ.૮૬.૫૬ અને ડીઝલ પ્રતિ લિટર ૭૫.૫૪ રૂપિયા પર પહોંચ્યું

મુંબઈમાં સોમવાર તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ પેટ્રોલના ભાવ વિક્રમી ઊંચાઈ પર રહ્યા હતા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૬.૫૬ રૂપિયા થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. આ પહેલાં ૨૯ મેએ મુંબઈમાં પેટ્રોલની કિંમતે પ્રતિ લીટર ૮૬.૨૪ રૂપિયાનો વિક્રમ નોંધાવ્યો હતો.

પેટ્રોલની સાથે જ ડીઝલ પણ તા.3જી સપ્ટેમ્બર 2018ના રોજ મુંબઈમાં ૭૫.૫૪ રૂપિયા પ્રતિ લીટરની ઊંચી કિંમતે વેચાયું હતું. ફેડરેશન ઑફ ઑલ મહારાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના જણાવ્યા મુજબ ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલના ભાવ વધતા હોવાથી અને ડૉલરની તુલનામાં રૂપિયાનો ઘટાડો ચાલુ હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ટૅક્સ, ઈંધણ પરના સેસ તેમ જ અન્ય ટૅક્સમાં રાહત આપવી જોઈએ.

September 4, 2018
IIT-1.jpg
1min7230

જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી તા.2જી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. આ સાથે જ આઇઆઇટી જેવી સંસ્થામાં અભ્યાસ કરતા વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનું જીવન રહસ્યમયી સંજોગોમાં ટૂંકાવી દીધું છે.

IIT

આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે જણાવ્યું હતું કે જયદીપ સ્વેઇન પવઈની IIT કૉલેજમાં MTechના પહેલા વર્ષમાં ભણતો હતો અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતો હતો. જયદીપ ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેણે જોગેશ્વરીની હોટેલમાં ગઈ કાલે સવારે જ ચેક-ઇન કર્યું હતું.

વધુ મળતી જાણકારી મુજબ જયદીપ સ્વેઇન મૂળ છત્તીસગઢ વતની હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના પરિવારજનોને તેની આત્મહત્યા અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.

September 4, 2018
kerosene.jpg
1min6570

ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.

ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.

શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.

જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.

September 3, 2018
mundan.jpg
1min7130

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

September 3, 2018
china-flag-759.jpg
9min4680

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552