હૈદરાબાદના બે અલગ-અગલ વિસ્તારમા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ હૈદરાબાદ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચી ગઇ હતી. એક બોમ્બ વિસ્ફોટ ગોકુલ ચાટ વિસ્તાર અને અન્ય વિસ્ફોટ લુંબીની પાર્કમાં થયો હતો.

હૈદરાબાદમાં 25 ઓગસ્ટ 2007માં થયેલા બે વિસ્ફોટ કેસમાં એનઆઇએની સ્પેશ્યિલ કોર્ટે આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે ચુકાદો આપતાં અનિક શફિક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષી ગણાવ્યા છે જ્યારે બે આરોપીઓને નિર્દોષ મુક્ત કરાયા છે. આ કેસના પાંચ આરોપીઓ પૈકી એક ફરાર છે જેની સુનાવણી તેમજ બે દોષીતોને સજાની સુનાવણી સોમવારે કરાશે.
આ હુમલો 25 ઓગસ્ટ 2007ના રોજ હૈદરાબાદના લુમ્બિની પાર્ક અને ગોકુલ ચાટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બોમ્બ વિસ્ફોટના આ કેસને ચાલુ વર્ષે જૂન મહિનામાં નામપલ્લી કોર્ટમાંથી કરી ચેરલાપલ્લી મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
જજ શ્રીનિવાસ રાવે 7 ઓગસ્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપવા માટે 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરાયો હતો. જોકે, આ દિવસે ચુકાદો આવ્યો નહોતો. આ વિસ્ફોટના પીડિતોના પરિવારજનોએ 25 ઓગસ્ટે આની 11મી વરસી મનાવી હતી. આ ઘટનાની તપાસ તેલંગાણા પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજેન્સ(સીઆઇ)એ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરાઇ હતી.





















