CIA ALERT

Slider Archives - Page 434 of 491 - CIA Live

October 24, 2018
Hari_Krishna_Exports_Logo.png
1min12500
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીએ 600 કર્મચારીઓને કાર લઇ આપી, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ કારની ચાવી અર્પણ કરાશે
  • નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પોતાની ઓફિસમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીઓ સમેત 4 કર્મચારીઓને ટોકન રૂપે ચાવી અર્પણ કરશે
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીના સવજીભાઇ ધોળકીયા કહે છે કે તેજી હોય કે મંદી મોટરકાર આપવાના મામલાને કોઇ અસર નથી પહોંચતી કેમકે એ કર્મચારીઓએ કરેલી એક્સટ્રા મહેનતના જ પૈસા છે
  • દરેક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પેટે રૂ.6 હજાર ફિક્સ, જેમાંથી લોનનો હપ્તો કંપની બારોબાર ભરશે

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

સુરતની જાણીતી હીરાની પેઢી હરેકૃષ્ણે એક્સપોર્ટ દ્વારા ચાલુ વર્ષે પણ દિવાળી પૂર્વે તેના 600 કર્મચારીઓને મોટરકારની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ યોજી રહી છે.

 

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હરે કૃષ્ણ પેઢીના સ્થાપક સવજીભાઇ ધોળકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટરકાર આપવાના કાર્યક્રમને સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ મિશન નામ આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મોટરકાર એવા કર્મચારીઓને મળી રહી છે જેમણે તેમનામાં સ્કીલ ડેવલપ કરી કંપનીને ફાયદો કરાવ્યો છે. ટૂંકમાં કંપની માટે કર્મચારીઓએ કરેલી મહેનતનું પરિણામ તેઓ તેમને મોટરકાર અપાવીને કે ઘર લેવા માટેની ફિક્સ ડિપોઝિટ કરીને ચૂકવશે.

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કર્મચારીઓને ઇન્સેન્ટીવ માટે પસંદ કરવામાં આવેલા 600 કર્મચારીઓએ પોતાને મોટરકાર જોઇએ છે તેવી માગણી કરતા તેમણે મારુતી સેલેરીયો, મારુતી અલ્ટો અને રેનૉલ્ટ ક્વીડ કાર લઇ આપી છે. તેમણે મોટરકાર ઉત્પાદક કંપનીઓ સાથે જ સીધું ડિલિંગ કર્યું છે એટલે પ્રતિકાર 80 હજાર જેટલું જંગી ડિસ્કાઉન્ટ મળ્યું હોવાનું પણ સવજીભાઇએ કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં આવે એટલા માટે સંપર્ક કરાયો હતો પણ તેઓ વ્યસ્ત હોવાથી નહીં આવી શકે પણ, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે તેઓ દિલ્હી ખાતે સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટના 4 કર્મચારીઓ જેમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે તેમને ટોકન ચાવી ગીફ્ટ કરશે એ પછી સુરત ખાતે ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ કંપની ખાતે બાકીના કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવશે.

કર્મચારીઓને કાર વિતરીત કરાયા પછી કંપની તેમના વતી હપ્તો ભરશે, આ હપ્તોની રકમ એ જે તે કર્મચારીઓએ કરેલી મહેનતના બદલામાં તેમને આપવામાં આવેલું પ્રતિ માસ રૂ.6 હજારની રકમનું ઇન્સેન્ટીવ જ છે.

સવજીભાઇએ એક વાત મહત્વની એ પણ કરી કે ઇન્સેન્ટીવ પામનારા દરેક કર્મચારીઓને માગે એટલે કાર નથી આપતા પણ તેઓ પહેલા એ ચેક કરે છે કે કર્મચારી પાસે પોતાનું ઘર છે કે નહીં, ઘર ન હોય તો તેઓ પહેલા ઘર લેવા માટે ઇન્સેન્ટિવના નાણાં ઉપયોગમાં લેવાની સૂચના આપે છે, જેમની પાસે ઘર હોય તેઓને જ કાર લેવાની પરમિશન અપાય છે.

October 24, 2018
organic-farming.jpg
1min16100

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 24, 2018
DARSHAN_naik.jpg
1min6160
  • તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે દર્શન દેસાઇની સહાનુભૂતિ
  • જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસરથી રિપેરિંગ કરવા દર્શન દેસાઇની રજૂઆત
  • કીમમાં અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટે દર્શન દેસાઇની માગણી
  • ભાંડૂત ખાતે સુરત મનપાની પ્રપોઝ્ડ ડિસ્પોઝલ સાઇટ આવે તે પહેલા રોકથામ કરવા દર્શન દેસાઇની માગ
  • જિલ્લા પંચાયત વિસ્તારમાં બોગસ તબીબો સામે નક્કર કામગીરી કરવા માટે દર્શન દેસાઇની આક્રમક રજૂઆતો
આજ રોજ યોજાયેલી સુરત જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત સભ્ય શ્રી દર્શન ભાઈ નાયક દ્વારા આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, મકાનો વગેરે વિભાગોને સ્પર્શતા પાયાના 18 જેટલા લોકપ્રશ્નોની કરેલી આક્રમક રજૂઆતોને પગલે શાસકોમાં સન્નાટો મચી ગયો હતો. દર્શન દેસાઇએ એક પછી એક એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે અધિકારીઓના મોઢા સિવાય જવા પામ્યા હતા. દર્શન દેસાઇએ કહ્યું કે લોકોના કામો નહીં થાય ત્યાં સુધી તેઓ અાક્રમકતાથી રજૂઆતો કરતા રહેશે અને લોકોને સ્પષ્ટ ચિતાર આપશે કે કયા અધિકારી કે પદાધિકારીને કારણે કામો થતા નથી.
જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં દર્શન દેસાઇએ રજૂ કરેલા મહત્વના પ્રશ્નોમાં
(૧) ખાસ કરીને બોગર્સ ડોક્ટરો અને ચોર્યાસી તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેદ્રો અને PM કરવાની બાબતમાં સભામાં ધારદાર રજુઆત કરવામાં આવી જેના  અનુસંધાન માં જિલ્લા પંચાયતના સાથી સભ્યો એ પણ આરોગ્યની નબળી કામગીરી ને ચિંતા વ્યક્ત કરી અને તત્કાલ પગલાં લેવા રજુઆત કરી હતી.
(૨) ધનસુખભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામેં શહેર નો  ઘન કચરો નાખવા ના વિરોધ માં મુકાયેલ ઠરાવ ને નામંજુર કરતા દર્શન ભાઈ નાયક દ્વારા સુરત જિલ્લા ના તમામ  ગામડા ના લોકો ની લાગણી ને માન આપવા ખાતર કોઈ પણ  ગામ માં શહેર નો કચરો ન નાખવો જોઈએ એવી ધારદાર રજુઆત કરવામાં આવી અને આ રજુઆત ધ્યાન માં લઇને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સરકાર માં  લેખિત રજુઆત કરવાંની ખાત્રી આપવામાં આવી હતી.
(3) કીમ ગામે વસ્તી વધતા જે હાલમાં  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે તેને અધતન બનાવી કમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાની રજુઆત કરવામાં આવી હતી.
(૪) સુરત જિલ્લા ના તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે હડતાલ પર ઉતર્યા છે સાચા અર્થ માં ગામડાના વિકાસ અને  લોકો ની સેવામાં એમનો મોટો  ફાળો છે તો તેમની માગણી સંતોષાય તે માટે આજની સુરત જિલ્લા પંચાયતની સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવાની માગણી દર્શન ભાઈ નાયક દ્વારા કરવામાં આવી હતી.
(5) સુરત જિલ્લા માં જુના જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસર થી રિપેરિંગ કરવા માટે જિલ્લા ના પશુપાલકો ના હીતમાં રજુઆત કરવામાં આવી હતી.

 

October 24, 2018
DRBch.jpg
1min10870

  • હવે પછીના ઓલમ્પિકમાં પ્રોબેબલ્સ પ્લેયર્સની યાદીમાં સુરતની કલ્યાણી સક્સેનાનું નામ સામેલ છે
  • ગુજરાત સરકારે સુરતના કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ સંચાલિત સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેનાને ટોપ મોસ્ટ એ કેટગરીના પ્લેયર્સની યાદીમાં મૂકી
  • શક્તિદૂત યોજના અન્વયે કલ્યાણી સક્સેનાને રૂ.5 લાખનું ઇનામ અપાયું

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના વીઆઇપી લોકોની હંમેશા વાતો મોટા ઉપાડે થતી હોય છે. મોટા ભાગે વીઆઇપી લોકો એટલે ધનવાન લોકો જ ગણાય. પણ સીઆઇએ સુરત વાસીઓને અસ્સલ સુરતી VIP સાથે હંમેશા ભેટો કરાવે છે અને આજે પણ અમે એવા જ એક સુરતી ગર્લની મુલાકાત કરાવી રહ્યા છે જે ખરેખર સુરત માટે જ નહીં પણ ભારત માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન બની ચૂકી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ આ સુરતી યુવતિને સ્પેશલ સ્ટેટસ આપ્યુ છે. આવો જાણીએ આ ખરી સુરતી ગર્લ અને ખરા અર્થમાં VIP ને…..

કોઇકે બહું જ સરસ લખ્યું છે કે જે લોકો શાંતિપૂર્વક પુરુષાર્થ કરતા હોય છે તેમની સફળતા ભારે શોર મચાવી મૂકે છે. સુરતના ભરથાણા વિસ્તારમાં આવેલા કાંઠા વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેના માનવના રૂપમાં ફિશ ( માછલી) હોય એ રીતે સ્વીમીંગ કરે છે અને રાજ્યથી લઇને રાષ્ટ્ર કક્ષા સુધીની સ્વીમીંગ કોમ્પિટિશનમાં સુરતની કલ્યાણીનું પરફોર્મન્સ જોઇને કેન્દ્ર સરકારની કમિટીએ કલ્યાણીને ઓલમ્પિક પ્રોબેબલ્સ (સંભવિત ખેલાડી)ની યાદીમાં મૂકી દીધી છે.

(કલ્યાણી સક્સેનાને શુભેચ્છા આપતા કાંઠા વિભાગ કેળવણી મંડળના મંત્રી શ્રી વિજયભાઇ પટેલ અને ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ)

ગુજરાત સરકાર પણ સુરતની આ સ્વીમર યુવતિને પ્રોત્સાહિત કરી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારે કલ્યાણી સક્સેનાને ગુજરાતના ઓલમ્પિક ગેમ્સ માટે સિલેક્ટ થઇ શકે તેવા ક્ષમતાવાન ખેલાડીઓની ટોપ મોસ્ટ એ ગ્રેડ કેટેગરીની યાદીમાં મૂકી દીધી છે. ગુજરાત સરકારે શક્તિદૂત યોજના અન્વયે ખેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવતું રૂ.5 લાખનું ઇનામ પણ સુરતની આ સ્વીમર કલ્યાણી સક્સેનાને એનાયત કર્યું છે.

હાઇપ્રોફાઇલ સ્વીમર અને જબરદસ્ત પ્રતિભા ધરાવતી ભરથાણા સ્થિત કાંઠા વિભાગ કેળવણી મંડળની જે.એન.એમ. પટેલ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની કલ્યાણી સક્સેનાને સંચાલક મંડળ વતી પ્રમુખ શ્રી સુનિલભાઇ પટેલ, મંત્રી શ્રી વિજયભાઇ પટેલ (ભાણા), ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ (માજી મંત્રી) સમેત વહીવટીતંત્રએ શુભેચ્છાઓ પાઠવીને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કલ્યાણી સક્સેના જરૂર ઓલમ્પિક ગેમ્સ રમશે અને ભારત માટે મેડલ પ્રાપ્ત કરશે.

(કલ્યાણી સક્સેનાને તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકારે એ ગ્રેડ ટોપમોસ્ટ પ્લેયરની યાદીમાં મૂકી હતી અને રૂ.5 લાખનો ચેક આપીને સન્માનિત કરી હતી એ વેળાની તસ્વીર)

October 24, 2018
ram_mandir.jpg
1min12470

ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો

  • VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
  • આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
  • આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
  •  29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે

આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.

દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

October 24, 2018
CBI.png
1min12640

CBI ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં છેલ્લા 10 દિવસ દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમે સમગ્ર વિશ્વમાં ભારતની આબરુના ધજાગરા ઉડાડ્યા છે. ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠ્યા કે તેમના પ્રિય અધિકારી રાકેશ અસ્થાના ભ્રષ્ટ રીતરસમોમાં રચ્યા પચ્યા રહ્યા અને આમ છતાં તેમને સીબીઆઇમાં સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ આપી દીધી. સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માએ મોદીના ફેવરીટ અધિકારી રાકેશ અસ્થાનાની સિફતપૂર્વક એવી ગેમ કરી દીધી કે ભારતના ઇતિહાસમાં સીબીઆઇ જેટલી હાલમાં બદનામ થઇ એટલી ક્યારેય નથી થઇ.

  • સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર
  • સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
  • સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે
  • વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર
  • પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી

(ડાબેથી સીબીઆઇ ચીફ આલોક વર્મા જેમને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા, વચ્ચે ઇન્ચાર્જ સીબીઆઇ ચીફ બનાવાયા એ એમ. નાગેશ્વર રાવ અને છેલ્લે જમણી બાજુએ રાકેશ અસ્થાના જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકાયા છે)

સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેના વૉરમાં જેટલું નુકસાન થવાનું હતું એ થઇ ગયા પછી હવે કેન્દ્ર સરકારને ડહાપણ આવ્યું અને તેમણે તાત્કાલિક પગલાં રૂપે સીબીઆઇ ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી દૂર કરી દીધા છે. વર્માના સ્થાને એમ.નાગેશ્વર રાવને કાર્યકારી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ સાથે પ્રથમ વખત સીબીઆઇની ઓફિસ સીલ કરવામાં આવી છે. અને અધિકારીઓને તેમજ કર્મચારીઓને અંદર પ્રવેશ માટે મનાઇ કરાતા પરત મોકલવામાં આવી રહ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર પદે હતા. 1986ની બેચના ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે. દરમિયાન સીબીઆઈના વડા આલોક વર્માએ તેમને રજા પર ઉતારવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આલોક વર્માની અરજી પર 26 ઓક્ટોબરને શુક્રવારના વધુ સુનાવણી હાથ ધરશે.

 

October 24, 2018
Alok_vs_ashtna.jpg
1min7980

ગુજરાત ફેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સામે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ લાંચની ફરિયાદ એક જ દિવસમાં નોંધીને તપાસનો દોર શરૂ કરતા ગુજરાતના આઈપીએસમાં ખળભળાટ મચી ગયો છે.

સરકાર વિરુદ્ધના આઈપીએસ અધિકારીઓ રાકેશ અસ્થાના ગુજરાતમાં જે જગ્યાએ ફરજ બજાવી હતી ત્યાં તેમની સામે થયેલી અરજીઓની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા અમદાવાદ સેક્ટર-2 અને સુરતમાં રાકેશ અસ્થાના ફરજ બજાવી હતી. દિલ્હી સીબીઆઈની ટીમ વડોદરામાં અને સુરતમાં રાકેશ અસ્થાના સાથે સંબંધ ધરાવનાર ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે ખુદ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીમાં પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી વડોદરાના આદેસરા ગ્રૂપના ત્યાંથી ઇન્કમટેક્ષ વિભાગને મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ સામે આવતા આલોક વર્માએ ઈડી અને ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી સ્ટ્રલીંગ ગ્રૂપના દરોડાની માહિતી મગાવી હતી. એટલું જ નહીં સીબીઆઈના સાદેસરા ગ્રૂપમાં ચાલતી તપાસ ઉપર સીબીઆઈના વડા ખાનગીમાં વોચ પણ રાખી હતી. બંને અધિકારીઓ વચ્ચે છેલ્લા આઠેક માસથી પત્રયુદ્ધ ચાલતું હતું. તેમ જ સીબીઆઈના બંને જણાની ફાઈલોની તપાસ પણ કરી રહ્યા હતા. સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની આગામી દિવસોમાં બદલી કરીને તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.

October 24, 2018
swadeshi1.jpeg
1min6010

પૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ ‘ટ્રેન 18’ને વિશેષરીતે બુલેટ ટ્રેનના મૉડેલ પ્રમાણે તૈયાર કરાઈ છે. 18 મહિનામાં તૈયાર કરાયેલ ‘ટ્રેન 18’ના નિર્માણમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રેનના રૅકને તૈયાર કરનાર ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીના વ્યવસ્થાપક સુધાંશુ મણિના જણાવ્યા મુજબ આ ટ્રેનમાં 16 એસી કૉચ અને બે એક્ઝિક્યુટિવ ક્લાસના કૉચ લગાવવામાં આવ્યા છે.

ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં એક મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે. રેલવે તરફથી આગામી વર્ષમાં હાઈ સ્પીડ ‘ટ્રેન-18’ને દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે. તામિલનાડુ સ્થિત રેલવેની ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીએ આ વિશેષ ટ્રેનને હાઈ ટૅક સુવિધાઓ સાથે તૈયાર કરી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વગર એન્જિને દોડનારી ‘ટ્રેન 18’ને લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડાવાશે. તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ટ્રેન 18’ના દરેક કૉચમાં છ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે. 16 એસી ચેર કાર કૉચ અને બે એક્ઝિક્યુટિવ કૉચ હાઈ ટૅક સુવિધાથી સજ્જ હશે. આ કૉચમાં સ્પેનથી ખાસ મગાવાયેલ સીટ લગાડાઈ હશે જે 360 ડિગ્રી સુધી રૉટેટ કરી શકાશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષપણે બે બાથરૂમ અને બેબી કૅર માટે અલગ વ્યવસ્થા કરાઈ છે.

‘ટ્રેન 18’માં પ્રવાસ દરમિયાન ઈમરજન્સીના સમયે પ્રવાસી ડ્રાઈવર સાથે વાતચીત કરી શકે તે માટે દરેક કૉચમાં એક ખાસ ટૉક બૅક યુનિટ લગાડવામાં આવશે. ટ્રેનમાં ભોજનાલય હશે એવું વ્યવસ્થાપકે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનને મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવી વિદેશી ટૅકનોલોજી અને ટ્રાન્સફરમાં થતા ખર્ચ અને સમય બચાવવામાં આવ્યા છે. જો આ ટ્રેન વિદેશથી આયાત કરાઈ હોત તો તેની કિંમત આશરે 170 કરોડ રૂપિયા સુધીની થઈ હોત, પરંતુ સ્વદેશી નિર્માણને કારણે માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ટ્રેન બનાવવામાં આવી છે.

October 23, 2018
goti1-1280x852.jpg
1min7510

દાનવીરો દાન આપે તેના કરતા ચાર ઘણું પોતાનું નામ થાય તેવી જાહેરાતો કરાવવાનો આગ્રહ રાખતા હોય. પણ સૌરાષ્ટ્રના વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામના વતની શ્રી કેશુભાઇ ગોટી (ગ્લોસ્ટાર)એ લીધેલા સંકલ્પ જેવો સંકલ્પ લે અને તેને યથાર્થ ઠેરવે એ જ ખરા દાનવીર કહેવાય.

કેશુભાઇ ગોટી માટે કહેવાય છે કે તેમણે આદિવાસી વિસ્તારના ગામડાંઓમાં જ કુલ 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પ એવો છે કે તેનો કોઇ વિકલ્પ ન હોય. આ કાર્ય તેઓ કરીને જ ઝંપશે. અને લગભગ 60 ટકા વિકલ્પ તેઓ પરીપૂર્ણ પણ કરી ચૂક્યા છે.

કેશુભાઇ ગોટીએ 108 હોસ્ટેલ આદિવાસી વિસ્તારમાં બનાવવાના સંકલ્પમાં એવી પણ જાહેરાત કરી છે કે 108 હોસ્ટેલ બનાવવામાં 50 ટકા તેમનું યોગદાન અને 50 ટકા જે કોઇ દાતા સ્વૈચ્છીક રીતે જોડાવા માગે તે આપે અને હોસ્ટેલ પર કેશુભાઇ ગોટી નહીં પણ જે 50 ટકા દાન આપે તેમનું નામ રાખવામાં આવશે.

કેશુભાઇ ગોટીના આ પ્રયાસને દાનવીરો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં નવસારીના વાંસદા ખાતે આવેલા ઉપસળ ગામે આ પ્રકારે તૈયાર કરવામાં આવેલી હોસ્ટેલનું લોકાપર્ણ કરવામાં આવ્યું એ વેળાની તસ્વીર. કેશુભાઇ ગોટીની 108 હોસ્ટેલની સંકલ્પ યાત્રામાં નવસારીના વાંસદાના ઉપસળ ખાતેની આ 36મી હોસ્ટેલ હતી જેનું લોકાપર્ણ કરી દેવામાં આવ્યું છે.

અને મહત્વની વાત એ છે કે આખા રાજ્યમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં 108 હોસ્ટેલ બનાવવાના કેશુભાઇ ગોટીના સંકલ્પમાં 80 જેટલી હોસ્ટેલ બનાવવા માટેનું 50 ટકા દાન આપનારાઓ તેમને મળી ચૂક્યા છે.

October 23, 2018
statue-of-unity.jpg
1min12780

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)