Slider Archives - Page 433 of 488 - CIA Live

October 18, 2018
ravan.jpg
1min7670
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 18, 2018
RSS.jpg
1min19910
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 17, 2018
adinath.jpg
1min6070

સુરતના પરવત પાટિયા ખાતે આવેલા આદિનાથ દિગંબર જૈન દેરાસરમાં તા.16મી ઓક્ટોબર 2018ની રાત દરમિયાન જૈનો માટે અતિપવિત્ર અને આસ્થાનું પ્રતિક ગણાતી અષ્ટધાતુની મૂર્તિ, ચાંદીની છત અને કળશ ગુમ થઇ જતા જૈન સમાજમાં રોષ છે. આજે તા.17મી ઓક્ટોબર 2018ના રોજ સવારે નિત્ય ક્રમ મુજબ ભગવાનની પુજાનો સમય થયો ત્યારે એ વાત ઉજાગર થઇ કે મૂર્તિ સમેત અન્ય સામગ્રી પર તસ્કરો હાથ ફેરો કરીને પલાયન ભણી ગયા છે.

(આ મૂર્તિની પૂજા થવાની હતી, પરંતુ એ પહેલા તસ્કરો તફડાવી ગયા)

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આ આદિનાથ દિગંબર જૈન મંદિર નજીક 10થી 19 ઓકટોબર સુધી  24 સમવશરણ કલ્પદ્રુમ મહામંડળ વિધાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે જ આ ઘટના બનતા જૈન બંધુઓની લાગણી દુભાઇ જવા પામી છે. ચોરી કોણે કરી એ જાણવા માટે જ્યારે સીસી ટીવી કેમેરાની સિસ્ટમ ચેક કરવામાં આવી ત્યારે સીસી ટીવી કેમેરા બંધ મળ્યા હતા. ઇલેક્ટ્રીક સપ્લાયનો પ્લગ નીકળી જતા સીસી ટીવી ઠપ હતા. એ જ સમયે તસ્કરોએ પણ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિંગબર જૈન સમાજના ભક્તોએ કેશવ નગર પોલીસ ચોકીનો ઘેરાવ કરીને ચોરને પકડી પાડવાની માગ કરી હતી.

October 16, 2018
liquor.jpg
1min11330
  • માર્ચ 2018થી લિકર પરમિટ નવી-રિન્યુઅલ બધી જ કાર્યવાહી સ્થગિત
  • એપ્રિલ 2018થી ગુજરાતમાં દારુ પર 65 ટકા જેટલો જંગી ટેક્સ
  • સરકારે દારુ પરમિટના નીતિ-નિયમો કડક બનાવવા ઉપરાંત તોતિંગ ટેક્સ નાંખતા સત્તાવાર લિકર શોપનું વેચાણ ઘટ્યું
  • કાયદેસર વેચાતો દારુ ઓછો થતાં સરકારની તિજોરીને મળતા ટેક્સની આવકમાં પણ ઘટાડો
  • ખાનગીમાં ગેરકાયદે દારુનો વેપલો કરતા બુટલેગરોને તડાકો
  • ગુજરાતમાં 6 કરોડની વસતિ પૈકી ફક્ત 72 હજાર પાસે દારુની પરમિટ 
  • 72000 દારુની પરમિટ પૈકી 40 હજાર હેલ્થના કારણોસર અપાયેલી છે

ગુજરાતમાં દારુબંધીનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા છ મહિના દરમિયાન અનેક પગલાં ભર્યા છે. રાજ્ય સરકારના પગલાં આવકારદાયક છે પણ આ પગલાંની બીજી તરફ કેટલીક આડઅસરો પણ ઉપસ્થિત થઇ છે. જેમકે રાજ્ય સરકારે ગુજરાતમાં લિકર પરમિટ શોપ પરથી વેચાતા દારુ પર 65 ટકા જેટલો ટેક્સ ઠોકી બેસાડતા થયું એવું કે હવે ખાનગીમાં ગેરકાયદેસર દારુ વેચી રહેલા બુટલેગરોને તડાકો પડી ગયો છે. જેમની પાસે પરમિટ છે એ લોકો પણ પરમિટના દારુની જગ્યાએ ખાનગીમાં દારુ લઇ રહ્યા છે, બુટલેગરો દ્વારા વેચાતો દારુ સસ્તો પડતો હોવાથી લોકો હવે ગેરકાનુની રીતે દારુ ખરીદી રહ્યા છે.

બીજી બાજુ રાજ્ય સરકારે માર્ચ 2018થી નવી લિકર પરમિટ આપવાનું કે જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે. જેને લઇને પરમિટ હોલ્ડર પણ ગેરકાયદેસર હોવા છતાં બુટલેગરો પાસેથી જ દારુ ખરીદી રહ્યા છે.

રાજ્યમાં આવેલી સત્તાવાર લિકર શોપમાં છેલ્લા 6 મહિના દરમિયાન લિકર વેચાણ સતત ઘટ્યું છે. ગુજરાતના હોટેલિયર્સ આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના જુદા જુદા અધિકારીઓ તેમજ મંત્રીઓને મળ્યું હતું અને તેમણે ઉપરોક્ત રજૂઆતો કરી જે પૈકી કેટલીક રજૂઆતો આંખ ઉઘાડનારી હતી. એક રજૂઆત એવી પણ હતી કે રાજ્ય સરકારે પરમિટ રિન્યુઅલ બંધ કરતા, જેમની પરમિટ રિન્યુ નથી થઇ તેવા લોકો પણ હવે બુટલેગરો પાસેથી દારુ ખરીદી રહ્યા છે. આવું થવાને કારણે ગુજરાત સરકારની તિજોરીને મળતો ટેક્સ પણ ગુમાવવાનો વખત આવે છે.

જોકે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં અને ઘણુંખરું દિવાળી પહેલા લિકર પરમિટ નવી અને રિન્યુઅલની પ્રોસેસ ફરીથી શરૂ થશે. નવા દર અનુસાર પરમિટ હોલ્ડરોએ ફી ચૂકવવાની રહેશે. પરમિટ માટે રૂ.2000ની પ્રોસેસિંગ ફી નો નવો ધારો લાગુ કરવામાં આવ્યો છે. એવી શક્યતા છેકે લિકર પરમિટ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે.

October 16, 2018
treatment-of-skin-.jpg
1min14120

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરનાર છે.

ભારતમાં દર વર્ષે દાઝી જવાના કારણે લગભગ 70 લાખ લોકોને સારવાર લેવાની ફરજ પડે છે અને દાઝી જવાના કારણે માણસનું મૃત્યુ નથી થતું પરંતુ દાઝી જવાના કારણે ચામડી બળી જતા ઇન્ફેકશન થાય છે. પરંતુ દાઝી ગયેલા ભાગ પર તાત્કાલીક સ્કીન કવર કરી આપવામાં આવે તો 80 ટકા લોકોની જીંદગી બચાવી શકાય છે.

સ્કીન ડોનેશન અંગે જાગૃતિ જરૂરી

માણસ મૃત્યુ પછી જેમ આંખ, કીડની, લીવર વગેરે અંગોનું ડોનેશન કરે છે એજ રીતે મૃત્યુ પછી સ્કીન ડોનેશન કરે અને તે સ્કીનને સ્કીન બેંકમાં યોગ્ય રીતે સાચવી રાખવામાં આવે તો ઘણા બધા લોકો માટે જીવનદાનરૂપ સાબીત થાય. આ બાબતની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાને લઇ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરે સ્કીન બેંકની સ્થાપના રાજકોટ ખાતે કરવાનું સાહસ કર્યું છે.

October 16, 2018
Rampal_SatlokAshram.jpg
1min6000

સતલોક આશ્રમમાં હત્યાના કેસમાં સંત રામપાલને દોષિત ઠેરવ્યા બાદ સજાની સુનાવણી થઈ છે. ડબલ મર્ડર કેસમાં રામપાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રામપાલ અને તેના 27 અનુયોયીઓને પણ ગુરુવારે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.  2014ના બે કેસ પૈકી એક કેસમાં રામપાલને આજીવન કેદની સજા હરિયાણાની હિસાર કોર્ટે ફટકારી છે જ્યારે હત્યાના અન્ય કેસમાં આવતીકાલે સજાની સુનાવણી કરવામાં આવશે.

October 16, 2018
rakeshpande1.jpg
1min4900

રાજકારણીઓના નબીરાઓ છાશવારે એવા કૃત્યો કરતા હોય છે કે આખા દેશમાં તેની ચર્ચા થતી રહે છે. ગયા શનિવાર તા.13મી ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ હયાતના મેઇન ગેટ પર બસપાના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડેએ એક યુગલને ધમકાવવા માટે ખુલ્લેઆમ રિવોલ્વોર બતાવીને 15 મિનીટ સુધી તાયફો કર્યો હતો. જોકે ઘટના અંગે હયાત હોટેલના સિક્યુરીટી મેનેજરે પોલીસ ફરીયાદ કરી છે.

જ્યારે ઘટના બની રહી હતી ત્યારે સામાન્ય મુલાકાતીઓની નજરે લખનઉના એક શખ્શે બંદૂક કાઢી ધમકી આપી હતી એવું ચિત્ર હતું. બાદમાં પ્રાપ્ત માહિતી મુજબ બંદૂક કાઢીને ધમકી આપનાર શખ્સ બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર છે. આ ઘટનાનો વીડિયા વાયરલ થયો છે, જેમાં તેમના હાથમાં બંદૂક દેખાઇ રહી છે અને સાથે તેઓ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ પણ કરતા હોવાનું જણાયું હતું એટલું જ નહી તેમની મહિલા મિત્ર પણ અપશબ્દો બોલી રહી હતી.

હોટેલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદના આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  દિલ્હીના હયાત હોટલમાં પૂર્વ બીએસપી સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડે કંઇક વાત પર એક યુગલ પર ભડકી ગયા હતા. ત્યારબાદ આશીષે તેમની એસયુવીમાંથી બંદૂક કાઢી ગેટ પર હાજર યુગલની સામે તાકી હતી. અને ત્યારબાદ તેમણે યુગલને ગાળો ભાંડી હતી.

લગભગ બે મિનિટી સુધી આશીષ અને તેમની સાથે હાજર યુવતીએ યુગલને ધમકાવ્યા હતા. યુગલને ધમકાવ્યા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જોકે આશીષ યુગલને કેમ ધમકાવી રહ્યો હતો તે હજું સ્પષ્ટ થયું નથી.આશીષનાં ભાઇ આંબેડકર નગરના જલાલપુર વિસ્તારના ધારાસભ્ય છે અને તેમના કાકા પવન પાંડે પણ ધારાસભ્ય છે. આશીષ દારૂનો વ્યવસાય કરે છે. દિલ્હીના આર કે પુરમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે

October 16, 2018
unnati.png
1min6280

સ્કુલ માટેનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આંગળીના વેઢે ગણી શકાય તેટલી સુરત શહેરમાં ઉપલબ્ધ શાળાઓની યાદીમાં આગવું સ્થાન ધરાવતી ઉમરા વિસ્તારમાં આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીને આખરે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું સત્તાવાર એફિલયેશન પ્રાપ્ત થઇ ગયું છે. ઉમરાના ડી.આર. ઉમરીગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના સંચાલક મંડળે છેલ્લા સવા વર્ષ દરમિયાન પરીણામલક્ષી પ્રયાસો કરીને હાલ પ્રાઇમરી સેગમેન્ટ કાર્યરત હોવા છતાં શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઇ એફિલિયેશન વેલ ઇન એડવાન્સ પ્રાપ્ત કરી લેતા શાળાના સેંકડો વાલીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

વધુ માહિતી આપતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું કે શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ મિડીયમ શાળા સીબીએસઇ બેઝ્ડ રાખવા અંગેનું પ્લાનિંગ હતું. દરેક કાર્યવાહીનો એક તબક્કો હોય છે. શાળા શરૂ થઇ ત્યારે સંજોગોવસાત એફિલિયેશન અંગે કેટલીક ભ્રામક વાતો ઉડી હતી. મેનેજમેન્ટએ આવી અફવાઓ પર સહેજ પણ દરકાર કર્યા વગર સીધા જ સેન્ટ્રલ બોર્ડ સાથે સંવાદ કર્યા. સીબીએસઇને એફિલિયેશન આપવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કર્યા અને એક પ્રોપર પ્રોસેસમાં અમે બધા જ પ્રોસિડિંગ્સ પૂરા કરીને એફિલિયેશન મેળવ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાએ કશું ખોટું કરવું ન હતું, પણ દરેક પ્રક્રિયાનો એક નિર્ધારિત સમય હોય છે, એ સમયે જ એ કામ થતું હોય છે.

શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું હાલમાં ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં સેન્ટ્રલ બોર્ડના સિલેબસ અનુસાર ધો.1થી 8 સુધીના વર્ગો ચાલી રહ્યા છે. વર્ષ 2019-20 માટે પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓએ નીચે મુજબની જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી.

October 16, 2018
Nirav_shah-1280x622.jpg
1min21390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાંડુત ગામે ઘનકચરાના નિકાલની પ્રપોઝ્ડ સાઇટની સમસ્યા હોય કે સુરતની ચોપાટીની ગંદકી હોય કે અડાજણ વિસ્તારમાં સેનિટેશનની સમસ્યા હોય કે પછી કેબલ સ્ટેઇડ બ્રિજના અડાજણ છેડે ટ્રાફિકનો વકરેલો પ્રશ્ન હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન ડેપ્યુટી મેયર નિરવ શાહ સ્પોટ પર પહોંચીને પાલિકાના સંબંધિત અધિકારીઓને તેડાવીને ઓન ધ સ્પોટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓ મહદઅંશે સફળ રહ્યા છે. અહીં બિટવીન ધ લાઇન્સ એ પણ સંદેશો નીકળે છે કે અત્યાર સુધી સુરતમાં ડેપ્યુટી મેયર પદને રબર સ્ટેમ્પ, શોભાના ગાંઠીયા કે માત્ર કોઇકને ખુશ કરવા માટે આપી દેવાતું પદ મનાતું હતું, પણ જ્યારથી નિરવ શાહ ડેપ્યુટી મેયર પદે આરુઢ થયા છે એ પછી એમણે જે કામગીરી કરીને લોકસમસ્યાઓનો નિવેડો લાવ્યા છે, એ વાત માનવી પડશે કે ડેપ્યુટી મેયર પદેથી શું ન કરી શકાય.

(Nirav Shah @ Chowpati with SMC Officials)

હકીકતમાં એ વાત પણ નિશ્ચિત બની છે કે જે રીતે ડેપ્યુટી મેયર પદે રહીને નિરવ શાહ હાઇપ્રોફાઇલ, લીડ લઇને કામો કરી રહ્યા છે એ જોતા હવે પછીના ડેપ્યુટી મેયરોએ પણ નવા ટ્રેન્ડમાં સતત દોડતા રહેવું પડશે. એવું નથી કે નિરવ શાહ ફક્ત અડાજણ વિસ્તારમાં જ કે જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં ના પ્રશ્નો માટે પ્રયત્નશીલ છે, તેઓ શહેરના ડેપ્યુટી મેયર છે એટલે સમગ્ર શહેરમાં કનડતા પ્રશ્નોનો નિવડો લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

(Nirav Shah @ Cable Stayed Bridge Adajan side with SMC officials)

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાયા એ દિવસથી જ ટ્રાફિકની સમસ્યા હતી

શહેરને માટે નજરાણું બનેલો તાપીનદી ઉપરનો કેબલ સ્ટેઈડ બ્રિજ ઉદ્દઘાટન પછીના કલાકમાં જ ચક્કાજામનો ભોગ બન્યો હતો. ખાસ કરીને બ્રિજના અડાજણ તરફના છેડે ઓવરબ્રિજની નીચે સર્જાતા જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિને લીધે આવુ થયું હતું. આનેલીધે કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ-પાલ તરફ જતા ટ્રાફિકને સ્ટારમોલવાળા જંકશન ક્રોસ કરવાનું બંધ કરાવીને ફરજિયાત લેફ્ટ ટર્ન લેવાની ફરજ પડાઈ હતી. જોકે, આ ટ્રાફિકને એલ.પી. સવાણી રોડ તરફ જવુ હોય તો તેના માટે રાધાસ્વામી આશ્રમ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંથી યુ-ટર્ન લેવો પડતો હતો. આવી સ્થિતિમાં ઓવરબ્રિજ ઉપરથી હજીરા તરફ જતો સીધો ટ્રાફિક પણ ખોરવાતો હતો. છેલ્લાં પખવાડિયાથી આવી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો.

સમસ્યા ઉકેલવા ડે.મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ સોલ્યુશન શોધાવ્યુ

ટ્રાફિક સરળ થાય તે માટે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવ્યો. જોકે, તેના બદલે અડાજણ છેડે ફલાય ઓવરબ્રીજ પર ઉતરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એટલે, તેના ઉકેલ માટે સોમવારે ડે. મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ ઉકેલ શોધાવવા મથામણ આદરી હતી.

સિટી ઇજનેર ભરત દલાલ, ડે. કમિશનર સી. વાય. ભટ્ટ, ડે. કમિશનર આર. જે. પંડ્યા, બ્રિજસેલના કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા અને ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર તૃપ્તિબેનને સ્થળ પર બોલાવ્યા હતાં. તેમની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને પણ વાસ્તવિક સ્થિતિ શું સર્જાય છે, તેનું અવલોકન કરાવ્યું હતું.

દરેક સમસ્યાનો એક ઉકેલ જરૂર હોય જ

સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ તરફ આવતા અને એલ.પી. સવાણી રોડ તરફ જતા ટ્રાફિકને માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી જ યુ-ટર્ન લઈ શકાય તેવું આયોજન કરવાનો વિકલ્પ નક્કી કરાયો હતો. આ માટે આગામી બે-ત્રણ દિવસમાં આર.સી.સીની પરદી, સિમેન્ટ કર્બસ્ટોનથી વ્યવસ્થા ઉભી કરી દેવાશે, તેવું ડે.મેયર નિરવ શાહનું કહેવું હતું.

(Nirva Shah @ Bhandut, Olpad. the Proposed Sight of Solid Waste Disposal by SMC)

October 15, 2018
Online-vs-Offline-Shopping-Shop-Online.jpg
1min8470
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આખું વર્ષ સેલ જેવો માહોલ હોઇ, ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે

દિવાળી સેલ્સ હવે કોઇ પ્રસંગ પૂરતું મર્યાદિત નથી. દાયકા અગાઉના સમયમાં જે લોકો ભારતમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે મેગા સેલ કરી રહ્યા હતા એ હવે સેલ નથી કરી રહ્યા અને જણાવી રહ્યા છે કે, ઓનલાઇન શોપિંગ તેમજ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન આખા વર્ષ દરમિયાન બમ્પર સેલ આપી રહ્યા છે જેના કારણે ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી પડે છે. તા.10 ઓક્ટોબર 2018થી એમોઝોન અને ફ્લીપકાર્ડના મેગા સેલ શરૂ થયા હતા જેમાં ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે.

યુએસ પોલો એસોસિયેશન, ગેપ, એરોપોસ્ટેલ, એડ હાર્ડી, ફ્લાઇંગ મશીન જેવી બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપની અરવિંદ બ્રાન્ડ્સના લાઇફસ્ટાઇલ બ્રાન્ડના અગ્રણીએ જણાવ્યું કે આ એવો જમાનો ચાલી રહ્યો છે કે આખા વર્ષ દરમિયાન દિવાળી હોય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ દ્વારા સતત આપવામાં આવતા ડિસ્કાઉન્ટિંગ તરફ તેઓ અંગૂલી નિર્દેશ કરી રહ્યા હતા. ઓનલાઇન કંપનીઓ સામે ટક્કર લેવા ઓફલાઇન કંપનીઓએ પણ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે.

ઓફલાઇન રિટેલર્સ માટે દિવાળીમાં બિઝનેસ ઘણો વધારે થતો હતો પરંતુ હવે તે માત્ર બે સપ્તાહની કામગીરી રહી ગઈ છે. પાંચ વર્ષ અગાઉ દિવાળી વખતે એક મહિના સુધી ધમધોકાર બિઝનેસ ચાલતો હતો. દુબઈ સ્થિત લાઇફસ્ટાઈલ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઓફલાઇન રિટેલર્સનો દિવાળી બિઝનેસ હવે ઘટીને ફક્ત 20 ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષ અગાઉ 25થી 30 ટકા હતો. દિવાળી હજુ પણ ઓફલાઇન ફેશન રિટેલર્સ માટે સૌથી મોટો રેવન્યુ જનરેટર તહેવાર છે.

દિવાળી પર નિર્ભરતા ઘટી છે કારણ કે હવે ડિસ્કાઉન્ટિંગ માટેના ઘણા સમયગાળા છે. તેથી દિવાળી વેચાણ પર તેની ચોક્કસ અસર પડે છે. રિટેલર્સે વર્ષના અલગ સમયગાળામાં મોટા પ્રમાણમાં સેલ્સ પ્રોપર્ટી રચી છે જેમાં સારું એવું વેચાણ પણ કરી શકાય છે. દિવાળી હજુ પણ મહત્ત્વનો સમયગાળો છે પરંતુ તમે એક પ્રોપર્ટી પર વધુ પડતા આધારિત નથી.

પરંપરાગત રીતે જોવામાં આવે તો દિવાળી એ ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ માટે બહુ ડિસ્કાઉન્ટિંગ સિઝન નથી. રિટેલર્સ હંમેશાથી પૂર્ણ ભાવે વેચાણ કરતા રહ્યા છે. તેમાં તેઓ વાઉચર અને ગિફ્ટ કુપનની સ્કીમ આપે છે અથવા બે જિન્સ પર એક શર્ટ ફ્રી આપવા જેવી સ્કીમ લોન્ચ કરતા હતા. પરંતુ ફ્લિપકાર્ટ, એમેઝોનના આગમન પછી ચિત્ર બદલાઈ ગયું છે. ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ તરફ ખેંચવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરે છે. પરિણામે ઓફલાઇન રિટેલર્સે પોતાનું લિમિટેડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું છે. તેમાં તેમના માર્જિનમાં ઘટાડો થયો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ ઓફલાઇન સ્ટોર્સ દ્વારા સરેરાશ 15 ટકા ડિસ્કાઉન્ટ અપાતું હતું જે હવે વધીને 23 ટકા થયું છે.