Slider Archives - Page 428 of 488 - CIA Live

October 30, 2018
train_without_engine.jpg
1min9730

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 30, 2018
police.jpg
1min4310

મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ થયેલા તોફાનોમાં બેદરકારી દાખવવા અંગે બાર પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા હતાં.

વિહિપના પ્રમુખની હત્યા બાદમાં મહુવામાં તોફાન થયું હતું અને દસથી વધુ દુકાનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી હતી. તેના કારણે રૂ. 50 લાખથી વધુનું નુકસાન થયું હતું. મહુવામાં શાંતિ સ્થપાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમજ  શાંતિયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન  તોફાનોના બંદોબસ્તમાં મૂકાયેલ  પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેવાના બદલે ગેરહાજર રહ્યાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે ભાવનગર જિલ્લાના બાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઉપરાંત બંદોબસ્તમાં રહેલા અમરેલીના સાત અને બોટાદના બે  મળી કુલ 21 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતાં.

October 29, 2018
mod.jpg
1min11940

31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ પ્રસંગને લઈ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન મોદી તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે ગાંધીનગરમાં રાતવાસો કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રાતવાસો કરશે જેને પગલે ગાંધીનગરમાં સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ છે. પીએમ મોદીની સુરક્ષા માટે 800 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

વડાપ્રધાન કેવડીયા જતા પહેલા ગાંધીનગરમાં 30મીએ રાતવાસો કરીને 31મીએ સવારે હવાઇ માર્ગે કેવડીયા જશે. ગાંધીનગરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને રીહર્સલ થઈ રહ્યુ છે. પીએમનાં રૂટમાં ઝાડીઓ તથા ગરનાળાઓમાં સર્ચ કરવામાં આવ્યુ હતુ. સુત્રોનાં જણાવ્યાનુંસાર વડાપ્રધાનની સુરક્ષા તથા પ્રોટોકોલ પ્રમાણે 1 આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 30 પીઆઇ, 60 પીએસઆઇ, 600 પોલીસ જવાનો, 50 મહિલા પોલીસ, એસઆરપી, ક્યુરઆરટી તથા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે ફાયર બ્રિગેડ તથા મેડીકલ ટીમો પણ તૈનાત રખાશે.

October 29, 2018
mobile.jpg
1min14500

રાજકોટ સહિત રાજ્યભરમાં ચાર જિલ્લા મથકે આજે ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે લાયકાત મેળવવા માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ)નું આયોજન કરાયું હતું. જેમાં એક ઉમેદવાર મોબાઇલ ફોન સાથે કસોટી આપતા હોવાનું જણાતા તેની સામે કોપીકેસ નોંધી વીજાણું ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કસોટી દરમિયાન વર્ગખંડમાં મોબાઈલ સહિતના વિજાણું ઉપકરણ લઈ જવાની મનાઈ હતી દરમિયાન રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલયમાં ચેકિંગ વખતે મોબાઈલ સાથે કસોટી આપતા ઉમેદવાર ઝડપાતા ઉત્તરવહી સીલ કરી, તેનો મોબાઈલ જપ્ત કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોપીકેસ નોંધવામા આવ્યો હતો.

 

October 29, 2018
mal_HALVAD.jpg
1min6700

મોરબી જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવા, ચેકડેમ સહિતના સિંચાઈ કામમાં થયેલી ગેરરીતિ સબબ તટસ્થ તપાસની માગ કરનાર નેતાના જ પગ તળે આ મુદ્દે રેલો આવ્યો છે. જિલ્લામાં સિંચાઈ કામમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અરજી નહીં કરવા અને વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા નહીં કરવા મળતિયા મારફતે 40 લાખની માગણી કરનાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેના મળતિયા એવા વકીલ ભરત ગણેશીયાની મોરબી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે.

 

વર્ષ ર017-18 અને ર018-19માં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા તાલુકામાં સરકારની નાની સિંચાઈ, જુદી જુદી યોજના તળે અનુશ્રવણ તળાવ, ચેક ડેમ સહિતના કામો કરવા માટે કુલ 334 કામોનો અંદાજીત ખર્ચ ર0.31 કરોડનો મંજૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ગેરરીતિ થયાની રજૂઆતના આધારે સિંચાઈ વિભાગ દ્વારા મુખ્ય ઈજનેર અને અધિક સચિવ, ગુણવત્તા નિયમન ગાંધીનગરની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો દ્વારા 46 કામની તપાસ કરાઈ હતી.

નોંધપોથીમાં નોંધાયેલા કામો અને સ્થળ તપાસમાં વિસંગતતા જણાતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ર7-9-ર018ના રોજ ગુનો દાખલ થયો હતો. આ મામલે તત્કાલીન કાર્યપાલક સહિત 4 આરોપીની અટકાયત કરાઈ હતી. તપાસ દરમિયાન 46 ઉપરાંત વધુ પાંચ મળી કુલ પ1 કામોમાં 1.1ર કરોડ રૂપિયાની ગેરરીતિ જણાઈ આવી હતી. અન્ય ર83 કામોની ચકાસણી તંત્ર દ્વારા ચાલુ છે.

દરમિયાન આ ઘટનાના મુખ્ય આરોપી એવા ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણી તથા જુદીજુદી મંડળીઓએ ગેરરીતિ છૂપાવવા અલગ અલગ કાર્યકરો, હોદ્દેદારોને નાણાં આપ્યાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. વધુ તપાસ કરતા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ આ કામમાં થયેલી ગેરરીતિ બાબતે અરજી નહી કરવા તેમજ વિધાનસભા ગૃહમાં આ બાબતે રજૂઆત નહી કરવા પેટે પોતાના મળતિયા ભરત ગણેશીયા (વકીલ) મારફતે 40 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જેમાં 3પ લાખ રૂપિયામાં સોદો નક્કી કરી મુખ્ય આરોપી તથા મંડળી પાસેથી કટકે કટકે 10 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. બાકીના રપ લાખ રૂપિયા માટે સિક્યુરીટી પેટે એકાઉન્ટનો ચેક મેળવ્યો હતો. આ હકિકત ખુલવા પામતા પુરાવાના આધારે તા.ર8મી ઓક્ટોબર 2018ના રોજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા સીટના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા (ઉ.60, રહે. મોરબી-ર ધર્મસિધ્ધી સોસાયટી-ત્રાજપર)ની અને મળતિયા ભરત દેવજીભાઈ ગણેશીયા (ઉ.વ.38 ધંધો વકીલાત, રહે. હળવદ, વૃક્ષમણી પાર્ક સોસાયટી, સરા રોડ હળવદ)ની મોરબી પોલીસે ધરપકડ કરી હતી.

સિંચાઈ અને ચેકડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે એક તબક્કે ખુદ ધારાસભ્યએ તટસ્થ તપાસની માગ કરી હતી. આ તપાસનો રેલો હવે તેમના પગ તળે આવતા ધારાસભ્ય સાબરીયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ ઘટના શહેરભરમાં ચર્ચાના ચકડોળે ચડી છે.

October 29, 2018
gst.jpg
1min6290

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 29, 2018
diamond1.jpg
1min6820

ભારતમાં રિ-કટિંગ તથા રિ-ડિઝાઇનિંગ માટે આવતા કટ અને પોલિશ હીરા પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારવામાં આવી હોવાથી સુરત-મુંબઇ સમેત હીરાના વેપાર સાથે સંકળાયેલા શહેરોની ઇકોનોમી પર ઘેરી અસર થઇ છે. હીરાના જોબવર્કનું કામ જે પહેલા ભારતને સૌથી વધુ મળતું હતું એ હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાને કારણે ચીન અને થાઇલેન્ડ ભણી જઇ રહ્યું છે. વિદેશોમાંથી જોબવર્ક માટે ભારત આવતા હીરા પર ડ્યૂટી વધારાને કારણે ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે.

  • 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કટ અને પોલિશ માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો
  • હીરા કટ એન્ડ પોલીશનું કામ હવે થાઇલેન્ડ અને ચીન ભણી ઘસડાય રહ્યું છે

સરકારે આ વર્ષે 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધી છે. ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે બિનઆવશ્યક આઇટમ્સ પરની આયાત ડ્યૂટીમાં વધારો કરવાના પગલાના ભાગરૂપે ડ્યૂટી વધારવામાં આવી હતી પણ તેની અવળી અસર રોજગારી પર પડશે એવી કોઇ ગણતરી સરકારની ન હતી.

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રો કહે છે કે ડ્યૂટીમાં વધારો, બિઝનેસ કરવામાં સરળતાના અભાવે તથા પ્રવાહિતાની સમસ્યાના કારણે આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન સુરતમાં હીરાના વેપારમાં સંકળાયેલા આશરે એક લાખ લોકોની રોજગારી સંભવિતપણે છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. ઘણા બધા હીરા રિ-કટિંગ માટે ભારતમાં આવતા હોય છે તે હવે ચીન તથા થાઇલેન્ડ જઈ રહ્યા છે. દેશમાં હીરાના વેપાર સાથે આશરે પાંચ લાખ લોકો સંકળાયેલા છે. ઉપરાંત હીરા ઉદ્યોગમાં પ્રવાહિતા સંદર્ભે પણ કોઈ રાહત નથી કેમ કે કોલેટરલ નોર્મ તથા રેટિંગના નોર્મ્સ વધારે કડક થયા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કટ અને પોલિશ એટલે કે જોબવર્ક માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ છ માસિક ગાળા માટે ₹7,759.48 કરોડની કિંમતના કટ અને પોલિશ હીરાની આયાત થઈ હતી તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹5,289.35 કરોડની કિંમતની આયાત નોંધાઈ છે.

ઉદ્યોગની કુલ નિકાસની ટકાવારી તરીકે ઉદ્યોગ પાસે કામગીરીને ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ નથી. અવાસ્તવિક કોલેટરલ નોર્મના કારણે તેમાં વધારે ઘટાડો થશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે ડોલરમાં ફાઇનાન્સમાં વધારે ઘટાડો નોંધાયો છે જેથી મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતમાં કટિંગ અને પોલિશિંગ એકમોએ તેમની નફાકારકતાને જાળવી રાખવા માટે દિવાળીની રજાઓને એક પખવાડિયા પહેલાં જ શરૂ કરી દીધી છે.ઘરઆંગણાના બજારમાં પણ હીરાનો ઉપાડ ઘટ્યો છે. ટ્રેડર્સ કહે છે કે સેન્ટિમેન્ટ તેજીમય નથી કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ પડી ભાંગ્યું છે.

October 27, 2018
rafale-fighter-1.jpg
1min4750

આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકાર પાસેથી ડીલના નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે થઈ તે અંગે વિસ્તૃત માહિતી માગી હતી, જેના અનુસંધાને આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં રાફેલ ડિલ સિક્રેટની સઘળી વિગતો સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી છે. સમગ્ર અહેવાલ રાફેલ ડીલની નિર્ણય પ્રક્રિયા કેવી રીતે થઈ તેના પર આધારિત છે. આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી થશે.

 

October 27, 2018
dinesh-bambhaniya.jpg
1min4990

દિનેશ બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવતા પાસના જ આગેવાન દિનેશ બાંભણિયા સંગીન આરોપ લગાડતા કહ્યું છે કે અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. જેડી યુ સાથે મળીને હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા સક્રિય હોવાનો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે.

બાંભણિયાના કહેવા મુજબ હાર્દિક પટેલનું JDU સાથે કનેક્શન છે. જેથી JDUના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.

એટલું જ નહીં હાર્દિક સારવારના બહાને દિલ્હી આનંદ કરવા ગયો હોવાનો આડકતરો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે,’આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.’

October 27, 2018
rajkot.jpg
1min7080

રાજકોટના 6 ગામના ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 56 જેટલા ખેડૂતોએ એક સાથે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી. આ મામલે સરકાર પણ મદદ ન કરતી હોવાની ખેડૂતોની રાવ છે. ખેડૂતોના કહેવા મુજબ વીમાની રકમ અંદાજે દોઢ કરોડ જેટલી થવા જાય છે.

લાંબા સમયથી વીમાની રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુસ્સે થયેલા ખેડૂતો આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના દિવસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મવિલોપનની ચિીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં વાત કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.

ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાનું કહેવું હતું કે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.