CIA ALERT

Slider Archives - Page 429 of 491 - CIA Live

November 5, 2018
gseb-1280x720.jpg
1min6580

ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવાઈ છે, પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ, 2017ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ 2018માં લેવાઈ હતી, જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ગાંધીનગર ખાતે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પ્રથાને સારો પ્રતિસાદ ન મળતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર011થી ર017 દરમિયાન ધોરણ 1ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધો.11-12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ 2018થી રદ કરી દેવાઈ છે અને ગત માર્ચ 2017માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-4 પરીક્ષા લેવાઈ હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન 2018થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરી દેવાઈ છે. જેની પ્રથમવારની ધો.12 સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે 19 એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.

November 4, 2018
crpatil-1280x720.jpg
1min89640

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિભા કહો કે કર્મ, ક્યારેએ સંતાયને રહેતું નથી અને કોઇ લાખ પ્રયત્નો કરે પણ કોઇ, કોઇનું કર્મ દબાવી શક્તું નથી. નવસારીના સાંસદ સી.આર. પાટીલ પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરી રહેલા અમલીકરણ અને એ પછી લાભકર્તાઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહર્ષ નોંધ લઇને દેશના અન્ય સાંસદોને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે.

(સાંસદ સી.આર. પાટીલ એ ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો કોઇ ટ્વીટ કરે તો એ હજારો લોકો માટે માર્મિક બની જતી હોય છે. પણ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારીના સાંસદ અને ગુજરાત બીજેપીના કદાવર નેતા શ્રી સી.આર. પાટીલની કામગીરીને રેફરન્સ આપતી બે ટ્વીટ કરી છે. સાંસદ શ્રી સી.આર. પાટીલએ પોતાના મત વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડ્યો અને પહોંચાડ્યા પછી લાભકર્તા પરિવારોના પ્રતિભાવોનો વિડીયો મૂક્યો હતો. આ વિડીયો પરથી જણાય આવે છે કે કેન્દ્રસરકારની સુખાકારી યોજનાઓ લાભકર્તા પરિવારો માટે કેટલી હદે ઉપયોગી નિવડે છે. પી.એમ. મોદીની આ ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ બીજી ટ્વીટ કરી અને એ પણ સી.આર. પાટીલની કામગીરીને બિરદાવતી ટ્વીટ હતી.

(સાંસદ સી.આર. પાટીલ એ આયુષ્યમાન યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

સી.આર. પાટીલએ કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારતનો બહોળો ફેલાવો પોતાના મતવિસ્તારમાં કર્યો છે અને તેનો લાભ લેનારા છેવાડાના પરિવારો એ આ યોજના બદલ કેન્દ્ર સરકાર, મોદી સરકારને અનેકાનેક આશીર્વાદ આપ્યા છે.

પી.એમ. મોદીએ ભાજપાના સાંસદો, નેતાઓ જોગ જણાવ્યું છે કે આ પ્રકારે કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને તેમનો પ્રતિસાદ લઇને અન્ય લોકો સુધી પહોંચાડવો જોઇએ. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળવાનો પણ અનુરોધ કર્યો છે.  કેન્દ્ર સરકારની કામગીરીનું ખરેખર આ જ તો મૂલ્યાંકન છે.

November 4, 2018
smc1.png
1min6590

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારે બાંધકામના નીતિ નિયમો એટલે કે GDCRમાં બિલ્ડર્સ એસોસીએશન તેમજ કેટલાક અધિકારીઓએ કરેલા સૂચનો સ્વીકારીને તેમાં સુધારા કરવાનું નોટિફિકેશન જાહેર કરતા જ ખાસ કરીને બિલ્ડર્સ, ડેવલપર્સની દિવાળી સુધરી જવા પામી છે. (www.cialive.in)  સુરતમાં અત્યાર સુધી હાઇરાઇઝ બિલ્ડીંગ એવરેજ 10-12 માળના બનતા હતા એટલે કે મોટા ભાગે આટલી જ મંજૂરી અપાતી હતી, પણ હવે તા.3જી નવેમ્બર 2018થી અમલી બનેલા નવા GDCR ને કારણે સુરતમાં હવે હાઇરાઇઝ બિલ્ડિંગની એવરેજ હાઇટ 14 માળની થઇ જશે. શહેરના એવા બાંધકામ પ્રોજેક્ટસ કે જ્યાં હાલમાં બાંધકામ શરૂ છે એ બિલ્ડર્સ પણ આ સુધારાઓની રાહ જોતા હતા, સ્વાભાવિક છે કે 12 માળનું બિલ્ડીંગમાં 14 માળની પરવાનગી મળે તો અસાધારણ નફો મળે તેમ છે. પછી જેવા જેના પ્રોજેક્ટ્સ. (www.cialive.in)

ગુજરાતમાં પ્રવર્તમાન GDCRમાં તા.3જી નવેમ્બર 2018થી કેવા પ્રકારના ફેરફાર કરાયા તેની વિસ્તૃત માહિતી અત્રે ઉપલબ્ધ છે.

  • શહેરી વિસ્તારોમાં વર્ટિકલ ડેવલપમેન્ટ માટે GDCRમાં ફેરફાર કરતાં નોટિફિકેશનને સીએમની આખરી મંજૂરી
  • સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભાવનગર જેવા મહાનગરો, મહેસાણા, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા શહેરોમાં આવાસ નિર્માણમાં રાહત (www.cialive.in)
  • ગામતળમાં અગ્રભાગે ૨૫ ટકા ખુલ્લી જગા રાખવી પડતી હવે તેમાં હવે ફ્રન્ટ ઉપરાંત ગમે તે સાઇડમાં ખુલ્લી જગા રાખી શકાશે
  • ૧૨ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર મકાનની ઊંચાઇ ૨૫ મીટરથી વધારી ૩૦ મીટર રાખી શકાશે (www.cialive.in)
  • ૧૮ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર હવે ૨૫ મીટરને બદલે ૪૫ મીટર સુધી ઊંચાઇના મકાન બાંધી શકાશે
  • આ છુટછાટથી ગ્રાઉન્ડનો ભાગ ખુલ્લા રહેશે, મકાનના આયોજન પ્રમાણે માર્જીન છોડી વધુ ઊંચા મકાન બાંધી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાતના મહાનગરો ઉપરાંત નગરો અને અર્ધ શહેરી, અર્બન વિસ્તારોમાં વસતા તથા રહેવા ઇચ્છતા પરિવારો માટે બાંધકામના નિયમોને વધારે સરળ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. નગરો, મહાનગરોમાં વધુ (www.cialive.in) સુવિધાવાળા આવાસો ઉપલબ્ધ બની શકે તેવા પ્રકારના બાંધકામના નિયમો (GDCR)માં ફેરફાર કરતા નોટિફિકેશનને મંજૂરી આપી છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

સુરત સમેત અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા વગેરે તેમજ મહેસાણા, ધાનેરા, ડીસા, પાટણ, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા અનેક નગરોમાં વર્ટિકલ હાઉસિંગ ડેવલપમેન્ટને વધારે સુગમતા ઊભી થશે. મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડમાં વધુ ખુલ્લી જગા ઉપલબ્ધ થાય (www.cialive.in) તેવા આશયથી બિલ્ડિંગ હાઇટ વધારવાની છુટ આપવા સાથે મકાનના આયોજનને ધ્યાને રાખી ખુલ્લી જગા છોડવાની છુટછાટ અપાશે. જેથી નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાનનું બાંધકામ કરી શકશે.

રાજ્યમાં બાંધકામના નિયમોને પ્રજાલક્ષી બનાવવા માટે વખતોવખત સમાજના વિવિધ વર્ગોમાંથી આવતી રજૂઆતોને પગલે સુધારા કરવામાં આવ્યા છે તેવી જ રીતે થોડા સમય પૂર્વે અમલી બનાવાયેલી રાજ્યભરના એક જીડીસીઆરમાં હજુ કેટલાક સુધારા કરવા જોઇએ તેવી રજૂઆતો મુખ્યમંત્રી વિજય રૂપાાણી સમક્ષ આવી હતી. (www.cialive.in) આ સંદર્ભે શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ બપોરે શહેરી વિસ્તાર વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ કેટલાક મહત્વના સુધારા સાથેના નોટિફિકેશનને મંજૂરી આપી છે.

શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, મહાનગરો અને નગરોમાં ૧૨ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગો ઉપર હાલ ૨૫ મીટર સુધીની ઊંચાઇવાળા બાંધકામને મંજૂરી મળતી હતી. હવે ૩૦ મીટર સુધીનું બાંધકામ તેને મળેલી એફએસઆઇની મર્યાદામાં બાંધી શકશે. આ જ રીતે ૧૮ મીટર કે તેથી વધુ પહોળા માર્ગ ઉપર ૨૫ મીટરને બદલે હવેથી ૪૫ મીટર એકલે કે સાત ને બદલે ૧૪ માળ સુધીના આવાસ બાંધી શકાશે. (www.cialive.in) આ છુટછાટને કારણે મહાનગરોની જેમ નગરોમાં થઇ રહેલા વિકાસને વધારે બળ મળશે. ઊંચાઇમાં વધારો કરવાની છુટ ગ્રાઉન્ડનો ભાગ વધુ ખુલ્લો રાખી શકે તેવા હેતુથી અપાઇ છે.

અમદાવાદમાં ૧૪ માળ સુધીની છુટછાટ અપાયેલી છે પરંતુ અન્ય મહાનગરો, નગરોમાં જીડીસીઆરની જોગવાઇ મુજબ વધુ છુટછાટ મળતી ન હતી. હવે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. સરકારના આ નિર્ણયના કારણે હાઉસિંગ સેક્ટરમાં વર્ટિકલ ડેવલપમેન્ટમાં વધારે સરળતા ઊભી થશે અને નાગરિકોને સારા હવા ઉજાસવાળા આવાસો (www.cialive.in) શક્ય બનશે.

આ ઉપરાંત ગામોમાં ગામતળ પાસે બનતાં આવાસોમાં ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી ફરજિયાત હતી. હવે તેમાં સુધારો કરી અગ્ર ભાગે નિયત છુટછાટ પછી બાકીની જગા તે પોતાના આવાસની કોઇપણ સાઇડમાં રાખી શકશે. (www.cialive.in) આવી જ રીતે ગામડાઓ, નગરોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે અપાતા પ્લોટ્સ અથવા તો ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા પ્લોટ્સના માર્જીનના ધોરણોમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. આનો લાભ ધોરાજી, જેતપુર, થરાદ, ડીસા, ધાનેરા, મહેસાણા, પાટણ, નવસારી, વાપી, વલસાડ, પાવી જેતપુર, હાલોલ, ગોધરા સહિતના અનેક નગરોને મળશે.

મહાનગરો, નગરોમાં હવે વધુ ઊંચાઇવાળા આવાસો બની શકશે

— હાલ ૧૨ મીટર કે તેથી વધુ પહોળા માર્ગો ઉપર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બની શકતા હતા. હવે ૩૦ મીટરની ઊંચાઇવાળા મકાન બની શકશે. જેનાથી બેઝમેન્ટનો ભાગ વધારે ખુલ્લો રહેશે. (www.cialive.in)
— હાલ ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇવાળા માર્ગો પર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બનાવી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી ૪૫ મીટર કરાતાં ૧૪ માળ સુધીના આવાસ બની શકશે. વર્ટિકલ ડેવલપમેન્ટ વધશે. (www.cialive.in)
— હાલ ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી પડતી હતી. હવે ફ્રન્ટ સાઇડ ઉપરાંત કોઇપણ ભાગે કુલ ૨૫ ટકા જગા ખુલ્લી રાખી શકાશે. જેથી ગામડાઓમાં ગામતળ પાસે બનતાં આવાસો વધારે હવા ઉજાસ, સુવિધાવાળા બની શકશે.

ઔદ્યોગિક હેતુના નાના પ્લોટના માર્જીનમાં મહત્વના ફેરફારથી રાહત

–ઔદ્યોગિક હેતુ માટેના નાના પ્લોટોમાં ૫૦૦ ચો.મી. સુધીના રસ્તા સિવાય ફલ્ત ગમે તે એક બાજુ ૩.૦ મીટર માર્જીન છોડી શકાશે. જે અગાઉ માત્ર ફ્રન્ટ સાઇડ જ હતું. (www.cialive.in)
–૫૦૦ ચો.મી થી ૧૦૦૦ ચો.મી.ના પ્લોટમાં રસ્તા સિવાય બે બાજુ ૩ મીટર માર્જીન છોડી શકાશે.
–નાની નગરપાલિકાઓમાં જ્યાં ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) હોતા નથી એવા વિસ્તારોમાં ગામતળથી ૨૦૦ મીટર બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે પ્લોટ વિકસાવી શકાશે. જે અગાઉ ૫૦૦ મીટર એટલે કે અડધો કિમી દૂર રાખવો પડતો હતો. આ છુટછાટથી ગામડાઓ અથવા તો ઓછી વસતિવાળા અર્ધ શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસશે અને લોકોને ઘરઆંગણે રોજગારની તક વધશે.

November 4, 2018
200-1280x720.jpg
1min18070

લોકો જે ફિલ્મની ખૂબ જ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે એ ફિલ્મ ‘૨.૦’ને બનાવવા પાછળ લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા.3 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ડિરેક્ટર શંકરની ‘રોબોટ’ની સીક્વલ છે. ‘૨.૦’ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજો આ ફિલ્મ સુપરહિટ થવાની છે. હું  ઍડ્વાન્સમાં શંકરને અને પ્રોડક્શન-હાઉસને શુભેચ્છા આપું છુ. લગભગ ૬૦૦ કરોડ રૂપિયા આ ફિલ્મ બનાવવામાં લાગ્યા છે. પ્રોડક્શન-હાઉસના સર્પોટ વગર આ ફિલ્મ બનવી શક્ય નહોતી. આ માત્ર રજનીકાન્તની ફિલ્મ નથી. આ પૈસા શંકર પાછળ ખર્ચવામાં આવ્યા છે, જે હંમેશાં લોકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ શંકરનું વિઝન છે અને પ્રોડક્શન-હાઉસે એની પાછળ જે રકમ ખર્ચી છે એના માટે હું તેમનો આભારી છું.’

રજનીકાન્ત, અક્ષયકુમાર અને ‘૨.૦’ના ડિરેક્ટર શંકરે ગઈ કાલે ચેન્નઈમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં મોબાઇલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ખતરનાક હોય છે એવું કહેવામાં આવ્યું છે. ટંૂકમાં મોબાઇલ આ ફિલ્મમાં મહkવનો ભાગ ભજવી રહ્યો છે અને એથી જ તેઓ લૉન્ચમાં પણ મોબાઇલ સાથે જોવા મYયા હતા.

November 4, 2018
surat.jpg
1min17010

દિવાળીના આગમન આડે 3-4 દિવસ બાકી છે, હાલ દરમિયાન કંદીલ, રંગોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફટાકડા, નવા કપડાં, મીઠાઇ વગેરેની ખરીદી માટે શહેરની બજારોમાં લોકોનો ધસારો, ગીર્દી વધતી જોવા મળી રહી છે. આજે તા.4 નવેમ્બર 2018ને રવિવારે તો સવારથી જ ઘોડદોડ, વરાછા રોડ, રાજમાર્ગ, ડુમસ રોડના મોલ્સ, ચૌટા બજાર, એલ.પી. સવાણી રોડ, આનંદ મહલ રોડ, ભાગળ, કતારગામ, ઉધના મેઇન રોડ વગેરેમાં ખરીદદારનો ધસારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ લોકો ખરીદી કરવામાં પાછીપાની કરતા નથી. જોકે, તેમ છતાં બજેટ ધ્યાનમાં રાખીને જ સામાનની ખરીદી કરી રહ્યા છે.

બીજી બાજુ ચૌટા બજાર માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસ્તુઓના ભાવ વધ્યા હોવાથી મોંઘવારીને ધ્યાનમાં લઇને તેઓ મર્યાદિત માત્રામાં ખરીદી કરે છે. તે સિવાય ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ બિઝનેસને તેનો ફટકો પડે છે.

બજારમાં રેડિમેડ રંગોળી સહિત વિવિધ પ્રકારની રંગોળી ઉપલબ્ધ છે. આ રંગોળીઓ લેવા માટે મહિલાઓની ગીર્દી જોવા મળે છે. હૉલસેલ માર્કેટમાં રંગોળીના ભાવ 20 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય છે, જ્યારે રંગોળીના રંગના નાના પાકીટ દસ-દસ રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે. જોકે, અમુક રીટેલરની દુકાનમાં તે 15 રૂપિયાના ભાવે પણ વેચાઇ છે.

કંદીલની વાત કરીએ તો બજારમાં ચાઇનીઝ, કાગળ, કાપડ અને બાંબુથી બનાવેલા ઇકોફ્રેન્ડલી કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જોકે, સૌથી વધુ બોલબાલા કાગળના કંદીલની છે. અન્ય બનાવટની તુલનામાં લોકો કાગળના કંદીલ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાના નાના કંદીલ 120 રૂપિયા ડઝનથી લઇને સાઇઝ અને મટીરિયલના હિસાબે રૂ.100થી લઇને રૂ.5000ની રેન્જમાં રંગબેરંગી કંદીલ બજારમાં છે.

દીવાની ખરીદી વગર દિવાળીની ઉજવણી અધૂરી છે. હાલમાં માર્કેટમાં માટીના બનાવેલા સાદા અને પારંપારિક દીવડાઓથી લઇને કાચના, મેટલના, પીઓપીના અને એલઇડી લાઇટવાળા ફેન્સી દીવડાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 10થી લઇને 300 રૂપિયા સુધીમાં છે. અન્ય સજાવટની વસ્તુ જેમ કે લાઇટિંગ, તોરણ, શરણગારેલી પૂજાની થાળી વગેરે સહિત મીઠાઇ, નવા કપડાં વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દિવાળીને ધૂમધામથી ઉજવવા ફટાકડાની ખરીદી કરવાનું પણ લોકો ચૂકતા નથી. હાલમાં માર્કેટમાં અનાર, ચકરી, રોકેટ, ફૂલઝડી, લક્ષ્મી બૉમ્બથી લઇને કલરફુલ ફટાકડા અને આકાશ તારા સુધીના ફટાકડા માર્કેટમાં ઉપલબ્ધ છે, જે 100 રૂપિયાથી લઇને પાંચથી છ હજારની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી મળી હોવાથી લોકો ફટાકડાની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહ્યા હોવાનું બજારમાં ચિત્ર છે.

રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ભારતીય માટે આ એક મહત્ત્વપૂર્ણ પર્વ હોવાથી લોકો દિવાળીની ખરીદી ધામધૂમથી કરી રહ્યા છે. અહીં થતી લોકોની ભીડને જોતા મંદીનો માહોલ હોય તેવું લાગતું નથી.

ટૂંકમાં કહીએ તો સીઆઇએ લાઇવની ટીમ જ્યાં જ્યાં ફરી છે પાછલા દિવસોમાં ત્યાંં વેપારી હોય કે ગ્રાહક વર્ગ હોય એક સૂર એ જ સાંભળવા મળ્યો કે દિવાળી ખરી પણ પહેલા જેવી નહીં.

November 3, 2018
tax_consult.jpg
1min498

જીએસટીના અમલને 16 મહિના થવા આવ્યા છતાં જીએસટીના માળખામાં, ફ્રેમવર્કમાં પડી રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. પોતાના ક્લાયન્ટસને સામે ચાલીને જીએસટી રિટર્ન માટે સમજાવી તૈયાર કરતા ટેક્સ કન્સલ્ટન્ટસ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. એક તો કાયદાની જટીલતા અને તેનાથી પણ વધારે તેના અમલીકરણની જટીલતા સામે તેઓ રોજ ઝઝુમી રહ્યાં છે. સર્વરને અપગ્રેડ નહિં કરાતા રોજબરોજ નવા પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી આ પ્રશ્નોનું હવે તો નિરાકરણ લાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

જીએસટી જ્યારે લાગુ પડ્યું ન હતું અને લાગુ પડ્યા પછી જ્યારે સુરતમાં વ્યાપારીઓ ખાસ કરીને ટેક્સટાઇલ વ્યાપારીઓ જીએસટીને ઇગ્નોર કરી રહ્યા હતા ત્યારે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટસ એ જ ક્લાયન્ટસને જીએસટીની તરફેણમાં સમજાવ્યા હતા. આજે પરિસ્થિતિ એ થઇ કે એક તરફ જીએસટી નેટવર્ક યોગ્ય રીતે કામગીરી કરી શકતું નથી, ટેક્નોલોજી, પ્રોગ્રામિંગમાં અનેક છીંડા છે ત્યારે સૌથી વધારે મરો ટેક્સ કન્સલ્ટન્ટસનો થઇ રહ્યો છે. એક તરફ ન તો સરકાર સિસ્ટમ સુધારી રહી છે કે ન તો તેમાં અનુભવાય રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્લાયન્ટસ ટેક્સ કન્સલ્ટન્ટસને સામે પૂછી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને જીએસટી સિસ્ટમ સુધરી જશે.

જીએસટીના કાયદાના અમલના 16 મહિના પછી પણ વેપારીઓઁએ અમુક વ્યવહાર માટે વકીલની સલાહ લેવી પડે છે. ટૂંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલા બદલાવ અને આકરા દંડના કારણે વેપારધંધો સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલો કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ મુજબની રજૂઆત કરતાં આવદેનપત્રમાં ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઇવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મીતેષભાઈ વગેરેના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં કર-કાયદાઓનું 90 ટકા અનુપાલન કર વ્યવસાયિકો દ્ધારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે તેઓ રીતસર ઝઝુમી રહ્યાં છે. સિસ્ટમની નાકામયાબીના હિસાબે વેપારીઓ દ્વારા અનેકવખત વારે-તહેવારો રજૂઆતો થઈ છે  જેનો 16-16 મહિના પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

આથી તેમની આ રજૂઆતોને જીએસટી કાઉન્સિલના ચેરમેન સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી સાથે કલેકટરને આજરોજ આવેદનપત્ર અપાયું છે. જેમાં ઝીણવટપૂર્ણ મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે જેથી કરીને તેની પર યોગ્ય કામ થાય.

જાણો તેમની મુશ્કેલીઓ….

  1.     —-જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 1,50,000 રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા 1.14 કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવું પડે. તેની કેપેસિટી વધારવી જોઈએ.
  2.   —- અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓને દિવસો સુધી પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેના કારણે તેઓને નાણાંકિય નુકશાન ભોગવવું પડે છે.
  3.   —- રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી.
  4.    —–જીએસટી નેટવર્ક પર કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર વ્યવસાયિકો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે પરંતુ કોઈ જ હેલ્પ મળતી નથી અને હાસ્યાસ્પદ જવાબો મળે છે.
  5.    —–પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ન ભરી શકનારા વેપારીને પેનલ્ટીમાંથી મુકિત મળવી જોઈએ.
November 3, 2018
sanjay_sinh_congress.jpg
1min4770

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહના ભાઈ અને શિવરાજના સાળા એવા સંજય સિંહે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કંઠી બાંધી લેતા શિવરાજ સિંહને રાજકીય નુકસાન તો વેઠવું પડી રહ્યું છે પણ સાથોસાથ તેઓ મોટા ધરમસંકટમાં મૂકાય જવા પામ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પીસીસી ચીફ કમલ નાથ તેમજ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

November 3, 2018
sudico_green.jpg
1min7070

સુરતના અઠવાગેટ નજીક રિંગ રોડ પર આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની હેડ ઓફિસના ભવનને તાજેતરમાં હૈદરાબાદ ખાતે મળેલી નેશનલ ગ્રીન બિલ્ડીંગ કોન્ફરન્સમાં ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો આપવામાં અાવ્યો છે. સુરત કે સાઉથ ગુજરાતમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક એવી પહેલી બેંક બની છે કે જેની હેડ ઓફિસ ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ ધરાવે છે. નેશનલ ગ્રીન બિલ્ડીંગ ઓથોરિટીએ યોજાયેલા એક ખાસ સમારોહમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ તેમજ વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇએ સર્ટિફિકેટ અને ટ્રોફી સ્વીકારી હતી.

કેમ મળ્યો ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ.બેન્ક લી સુરતની રજિસ્ટર્ડ ઓફિસના ગ્રીન બિલ્ડીંગમાં વિવિધ એન્વાયરમેંટ ફ્રેંડલી પેરામીટર્સ મુજબ પર્યાપ્ત લેન્ડ સ્કેપિંગ, ઑક્સીજન ઉત્સર્જન કરતાં ઈન્ડોર પ્લાન્ટસ, કેમ્પસમાં વૃક્ષોનું પ્લાન્ટેશન અને રૂફ ટોપ પર 36 કિલો વોટની સોલાર પેનલો લગાડવામાં આવી છે. જેનાથી 30થી 35 ટકા સૌર ઉર્જા ઉત્પન્ન થશે. બિલ્ડીંગના નિર્માણમાં વાપરવામાં આવેલ મટિરિયલ્સ પણ પર્યાવરણ મિત્ર હોય આઇજીબીસી દ્વારા બેન્કના સહકાર ભવનની પર્યાપ્ત ચકાસણી બાદ બેન્કને ગ્રીન બિલ્ડીંગ ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અર્થકારણના ક્ષેત્રે અદકેરું સ્થાન ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લી હવે પર્યાવરણના જતન માટે કટિબદ્ધ થઈ સાચા અર્થમાં ખેડૂતમિત્ર અને ગ્રામ્ય સંકસ્કૃતિની સુરક્ષા કવચ બની છે.

એકંદરે 7,300 કરોડનો વ્યાપાર ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ. બેન્ક લી. સુરતની અઠવાગેટ, સુરત સ્થિત રજિસ્ટર્ડ ઓફિસ કે જ્યાંથી બેન્કનો સમગ્ર કારોબાર એક છત નીચે હવે ચાલુ થયો છે. તેના ભવ્ય મકાનનું નિર્માણ વાયબ્રન્ટ ગુજરાતના સમજૂતી કરાર હેઠળ સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટથી ફક્ત એક વર્ષના ટૂંકા ગાળામાં બેન્ક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

સહકારી ક્ષેત્રે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન ધરાવતી પ્રથમ બેન્ક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના આ ભવનનું નિર્માણ પ્રોજેકટ મેનેજમેંટ કન્સલ્ટન્ટ જયેશ દલાલની દેખરેખ હેઠળ શહેરના બિલ્ડર સિદ્ધિ કન્સ્ટ્રક્શનના સાગર દંડવતે તથા પ્રશાંત દંડવતે દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્તમાન ટીમ બેંકને નવા નવા શિખરો પર લઇ જવા કટિબદ્ધ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્કના ચેરમેન નરેશ પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ આઇજીબીસી તરફથી આપવામાં આવેલ ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ હતું કે દેશમાં વધતાં જતાં ઔદ્યોગીકરણ સામે વન અને કૃષિ આધારિત વિકાસની ક્ષિતિજો જ આવનાર દિવસોમાં આ વિશ્વને પ્રદૂષણ મુક્ત રાખવાનો આધાર બનશે.

 

November 2, 2018
madhavpura_bank.jpg
1min27740
  • માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
  • 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
  • બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
  • 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
  • વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
  • શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે

પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.

માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.

બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

November 2, 2018
rahul1.jpg
1min6550

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન

BJPને હરાવવા માટે વિપક્ષી એકતા સાધવાનો સંકલ્પ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથેની ગઈ કાલની મુલાકાત વખતે જાહેર કર્યો હતો. ચંદ્રબાબુ સાથે વિપક્ષી એકતા વિશે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો લોકતાંત્રિક બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે કાર્ય કરશે. વિરોધ પક્ષો બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ નાબૂદ કરવા અને રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચાર સહિતના મહત્વના મુદ્દા પર સાથે મળીને કામ કરશે.’

લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ છે. એ ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ખરેખર શું બન્યું? એ બધા પૈસા ક્યાં ગયા અને ભ્રષ્ટાચાર કોણે કર્યો એ મુદ્દા પર હું ભાર મૂÊકું છું. રાષ્ટ્ર એ બધું જાણવા માગે છે.’

વિપક્ષી એકતાની ઉત્સુકતા દર્શાવતાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અમે એક મંચ પર આવીને ભાવિ વ્યૂહ ઘડીશું. તમને ઉમેદવારો વિશે જાણવાની ઉત્સુકતા છે અને અમને રાષ્ટ્રનું હિત જાળવવામાં રુચિ છે.’

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીને મળતાં પહેલાં નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુક અબદુલ્લા તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ ત્રણ નેતાઓએ BJP સામે લડવા અને રાષ્ટ્રના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન રચવાની તૈયારીરૂપે ચર્ચા કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘રોજબરોજ દેશની પરિસ્થિતિ વણસતી જાય છે. આ મહાન રાષ્ટ્રે આપણને ઓળખ આપી છે. એથી આપણે એના ભાવિનું રક્ષણ કરવું અનિવાર્ય છે. અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી. અમે અહીં ખુરસીઓ કે સત્તા માટે ભેગા નથી થયા. અમારી રુચિ ફક્ત રાષ્ટ્રના હિતમાં છે. અમારો પ્રયાસ તમામ BJPવિરોધી પક્ષોને એક મંચ પર લાવીને ભવિષ્યનો વ્યૂહ ઘડવાનો છે. આજે CBI અને RBI ઉપરાંત ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દબાણ હેઠળ છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યોના ગવર્નર્સ પણ છૂટથી કામ નથી કરી શકતા.’

કેટલાક મહિના પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાન્યસથી છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ પવાર અને અબદુલ્લા સાથેની મુલાકાત પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને BJPના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાને મળ્યા હતા.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા BJPનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. કોલસાકૌભાંડ સહિત ચાર હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડોમાં વિવાદિત મધુ કોડા ગઈ કાલે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના કૉન્ગ્રેસના મુખ્યાલયમાં પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ડૉ. અજય કુમારની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયા હતા. મધુ કોડાનાં પત્ની અને રાજ્યના જગન્નાથપુરનાં વિધાનસભ્ય ગીતા કોડા ૧૧ ઑક્ટોબરે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં.