CIA ALERT

Slider Archives - Page 40 of 475 - CIA Live

July 27, 2024
Cia_business_news-1280x936.jpg
1min256

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ તારીખ: 27 જુલાઈ, 2024 ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ – સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનું લોકાર્પણ સુમુલના ચેરમેન માનસિંહભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ , વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યો, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ – સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24×7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ – સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે.

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.

સ્થળ : સુમુલ ડેરી પાર્લર, માસ્ટર શેફ ની સામે

July 26, 2024
medicine.jpg
1min235

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

July 24, 2024
india-paris-olympic.png
3min481

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે. એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

ભારતીય એથ્લેટ્સ માટે પેરિસ ઓલિમ્પિક 2024નું શેડ્યુલ

રમતશરૂઆતઅંતિમ તારીખભાગ
લેનાર
ભારતીય
એથ્લેટ્સ
તીરંદાજી25 જુલાઈ4 ઓગસ્ટ5
એથ્લેટિક્સ1 ઓગસ્ટ10 ઓગસ્ટ16
બેડમિન્ટન27 જુલાઈ5 ઓગસ્ટ4
બોક્સિંગ27 જુલાઈ10 ઓગસ્ટ6
ઘોડેસવારી30 જુલાઈ4 ઓગસ્ટ1
હોકી27 જુલાઈ8 ઓગસ્ટ1
જૂડો2 ઓગસ્ટ2 ઓગસ્ટ1
રોઈંગ27 જુલાઈ3 ઓગસ્ટ1
સેલિંગ1 ઓગસ્ટ6 ઓગસ્ટ2
શૂટિંગ27 ઓગસ્ટ5 ઓગસ્ટ15
સ્વિમિંગ28 જુલાઈ29 જુલાઈ2
ટેબલ ટેનિસ27 જુલાઈ10 ઓગસ્ટ4
ટેનિસ27 જુલાઈ4 ઓગસ્ટ2
કુશ્તી5 ઓગસ્ટ11 ઓગસ્ટ6
વેઇટ લીફટીંગ7 ઓગસ્ટ7 ઓગસ્ટ1

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે.

આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલા મેડલની આશા

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે.

એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

July 24, 2024
ausi-flood2.jpg
1min243

ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.

દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

July 24, 2024
nita-ambani-in-ioc.png
1min305
Paris Olympics: Nita M. Ambani re-elected unanimously as IOC Member for  second term - Weekly Voice

પૅરિસ 2024 ઑલિમ્પિક્સના (Paris Olympics 2024) ઉદ્ઘાટન સમારોહ પહેલા, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એ બુધવાર, 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતના રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા મુકેશ અંબાણીને ભારત વતી IOC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૅરિસમાં 142માં IOC સત્રમાં નીતા અંબાણી100 ટકા મત સાથે સર્વસંમતિથી ફરી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.

નીતા અંબાણીએ કહ્યું “હું રાષ્ટ્રપતિ બાક અને IOC ખાતેના મારા તમામ સાથીદારોનો મારા પ્રત્યે વિશ્વાસ દાખવવા બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શૅર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઑલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે ઉત્સુક છું.” નીતા અંબાણીનો (Paris Olympics 2024) પ્રથમ વખત 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સમાં પરિચય થયો હતો. ત્યારથી તેઓ IOC માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા બન્યા હતા અને તેમણે પહેલેથી જ આ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેમજ ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઑલિમ્પિક વિઝનની હિમાયત કરી છે.

તાજેતરમાં ઓક્ટોબર 2023 માં જ મુંબઈમાં 40 કરતાં વધુ વર્ષો બાદ પહેલું IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશ્વ સામે એક નવા, મહત્વાકાંક્ષી ભારતનું પ્રદર્શન (Paris Olympics 2024) કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત કરવા માંગે છે. નીતા અંબાણીએ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનને સુધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના રમતગમતના વિકાસને આગળ વધારવામાં મોખરે છે, તેના કાર્યક્રમો ભારતના 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે.

સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની કોઈ પહોંચ્યા નથી. ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (Paris Olympics 2024) (IOA) સાથે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમ ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ માટે `ઘરથી દૂર ઘર` હશે, જે જીતની ઉજવણી કરવાનું અને વિશ્વ સાથે ભારતની ઑલિમ્પિક સફર શૅર કરવાનું સ્થળ હશે. તે વૈશ્વિક રમતોમાં મોટી શક્તિ બનવાની, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની તરફનો માર્ગ મોકળો કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે.

July 24, 2024
kbc-16.png
1min282
Kaun Banega Crorepati S 16' will be out soon! Here's where you can watch  Amitabh Bachchan's iconic quiz show -

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’

આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.

July 24, 2024
reservoir.png
1min240

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

July 23, 2024
budget-24.png
2min215

ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે

નાણા મંત્રીનિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં મધ્યમવર્ગને રાહત આપી છે. સીતારમણે નવા ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપતાં તેના ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યા છે. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે.

આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તે અંતર્ગત નવા કર માળખામાં રૂ. ત્રણ લાખ સુધીની આવક પર અગાઉની જેમ શૂન્ય ટેક્સ છે. જો કે, 5 ટકાના સ્લેબની આવકમાં ફેરફાર કર્યો છે. હવે 3થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ પહેલા રૂ. 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ભરવાનો આવતો હતો.

આ સિવાય રૂ. 10 લાખ સુધીની આવક 10 ટકા ટેક્સ લાગુ કરાયો છે. અગાઉ રૂ. 10 લાખની આવક ધરાવતા લોકો 15 ટકા ટેક્સ ચૂકવતા હતા. જો કે, હાઈ નેટવર્થ ધરાવતા વર્ગ અર્થાત 15 ટકા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ તેમને ડિડક્શનનો લાભ મળશે.

75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે

નવા કર માળખા પ્રમાણે, રૂ. ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવાતો હતો. જો કે, આટલી રકમ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લેતાં કરદાતાઓએ 7.75 લાખ સુધીની આવક પર 5 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટેક્સનું ભારણ ઘટાડવા સરકાર દ્વારા અપાતી છૂટછાટ. તેમાં વિવિધ ખર્ચ ઉપરાંત કરદાતા સીધો રૂ. 75 હજાર સુધીની કપાતનો લાભ લઈ શકે છે.

નવા ટેક્સ રેજિમમાં મધ્યમવર્ગને થશે બચત

નવા ટેક્સ રેજિમમાં કરાયેલા ફેરફારોના પગલે 5 ટકા ટેક્સ ચૂકવતાં કરદાતાને રૂ. 28600, 10 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 14300, 15 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 15600 તેમજ 20થી 30 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 18200નો લાભ થશે.

10.75 લાખની આવક પર થશે આટલો ફાયદો

જે કરદાતાની આવક રૂ. 10.75 લાખ હશે, તે અગાઉ રૂ. 66300 ટેક્સ ચૂકવતા. જો કે નવા કર માળખા હેઠળ 10 ટકા ટેક્સ રેટ સાથે રૂ. 52000 ચૂકવવા પડશે. એટલે કે તેમને રૂ. 14300નો લાભ થશે.

12.75 લાખની આવક પર મળશે 15600નો લાભ

રૂ. 10થી 12 લાખની આવક ધરાવતા કરદાતા માટે 15 ટકા ટેક્સ લાગુ કરાયો છે. જે કરદાતાની આવક રૂ. 12.75 લાખ હશે, તેમણે આ સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અગાઉના માળખા પ્રમાણે રૂ. 98,800 ચૂકવવાનો થતો હતો. એટલે કે આ આંકડો ઘટીને હવે રૂ. 83200 થશે, જેમાં કરદાતાઓને રૂ. 15600ની બચતન લાભ મળશે.

રૂ. 15.75 લાખ આવક પર રૂ. 18200નો લાભ

નવા ફેરફાર પ્રમાણે ચોથા સ્લેબ હેઠળ રૂ. 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈને રૂ. 15.75 લાખ સુધીની આવક પર ચૂકવવા પાત્ર ટેક્સ રૂ. 1,63,800 થાય છે. હવે આ આંકડો ઘટીને રૂ. 1,45,600 થશે. એટલે કે તેમાં રૂ. 18,200નો લાભ મળશે.

રૂ. 18.75 લાખની આવક પર પણ ટેક્સનો લાભ

આ રૂ. 18 લાખથી વધુ આવક પર ટેક્સેબલ આવક રૂ. 2,57,400 હતી. જે ઘટી 2,39,200 થશે. આમ આટલી આવક ધરાવનારાને રૂ. 18,200ની બચત થશે.

July 23, 2024
mitish-modi.jpeg
1min305

વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
મજબુત બજેટને બદલે મજબૂર બજેટ

“વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે
“મજબુત બજેટ” ને બદલે ‘મજબૂર બજેટ” — સીએ. મીતિશ મોદી

૩.૦ મોદી સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીથારમને આજે સંસદમાં સતત સાતમી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરીને ઈતિહાસ સર્જ્યો છે. વચગાળાના બજેટ પછી લોકસભાની ચૂંટણી અને પરિણામો પછી આજે નાણામંત્રીશ્રીએ રોજગારી, સ્કીલીંગ, એમ.એસ.એમ.ઈ. એકમો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રીનું પાંચ વિવિધ સ્કીમોવાળું પેકેજને સમાવેશ કરતું સામાન્ય બજેટ મુક્યું. આવનારા પાંચ વર્ષોમાં ૨ લાખ કરોડનાં ખર્ચાને પરિણામે ૪.૧ કરોડ યુવા વર્ગને આ પાંચ વિવિધ સ્કીમોનો લાભ થશે, એવો આશાવાદ દર્શાવ્યો છે. સમગ્ર બજેટને જોતાં, નાણામંત્રીશ્રીએ નવ પાયાના સ્તંભોને અગ્રીમતા આપતું “વિકસિત ભારત”નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસરૂપે વિવિધ જોગવાઈઓ અને દરખાસ્તો સાથે અંદાજપત્ર રજુ કર્યું છે.

છેલ્લાં ત્રણ મહિનામાં જ્યારે વ્યક્તિગત ઇન્કમટેક્ષ અને કોર્પોરેટ ટેક્ષનું કલેક્શન વિક્રમી દરે વધ્યું હોય અને પરિણામે રાજકોષિય ખાધ ઘટાડવામાં રાહત મળી હોય ત્યારે દેશનો મધ્યમ વર્ગનો સામાન્ય નાગરિક આ અંદાજપત્રમાં મોંઘવારી, રોજગારીની ઉમદા તકો, આરોગ્યની નિશુલ્ક સવલતો, રહેઠાણની સમસ્યાઓ વગેરે સળગતા પ્રશ્નો માટે ખુબ જ આશાવાદી હતો, પરંતુ અંતે નિરાશા સાંપડી છે.

ભારતમાં દેશની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતીક્ષેત્ર રહ્યું છે. ખેતીક્ષેત્રના વિકાસને જેટલી અગ્રિમતા આપવામાં આવે તેટલી ઝડપથી અન્ય ક્ષેત્રો અને દેશની અર્થવ્યવસ્થા મજબુત બને. નાણામંત્રીશ્રીએ આજના બજેટમાં “કુદરતી ખેતી”ને ભાર મુકીને આવનાર બે વર્ષમાં એક કરોડ જેટલા ખેડૂતોને લાભ મળશે, એવી દરખાસ્ત મૂકી છે. તે ઉપરાંત, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી ખેતપેદાશોનું એકત્રીકરણ, સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપી વેજીટેબલ ઉત્પાદન અને સપ્લાય ચેઈન વિકસાવવા જાહેર કર્યું છે. આ સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબુત કરવા “રાષ્ટ્રીય સહકાર પોલીસી” અમલમાં લાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત કરી રોજગારની તકો ઉભી કરવા ૧.૫૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ખેતી ક્ષેત્રને વિકસાવવા રજુ કરેલી દરખાસ્તો આવકારદાયક છે, પરંતુ સંપુર્ણતઃ સંતોષકારક નથી. આજે રજુ કરેલા અંદાજપત્રમાં, ઓર્ગેનિક ઇન્સ્યુરેન્સ સબસીડીમાં વધારો, કોલ્ડ સ્ટોરેજ તેમજ ઉત્પાદન અને વિતરણ માટેની માળખાગત સુવિધાઓ માટે વધુ ફાળવણી ન કરતાં ખેતીક્ષેત્રે અને ખાસ કરીને, સહકારની ક્ષેત્રને અન્યાય થયેલો ફલિત થાય છે.
ખેતીક્ષેત્રને પ્રોત્સાહિત કરવા ટ્રેક્ટરો અને ખેતીના સાધનો પર હાલમાં ૧૨ ટકા જી.એસ.ટી. અને જંતુનાશક દવાઓ ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. નાબૂદ કરી હોત તો જી.એસ.ટી. મુક્ત ખેતી વ્યવસ્થા કરી પ્રધાનમંત્રીના ખેડૂતોના આવકને બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા આ અંદાજપત્ર મારફતે સાનુકુળતા ઉભી થઇ શકી હોત. તે ઉપરાંત, વર્ષ ૨૦૦૬-૦૭ માં પાક લોન સ્કીમની મર્યાદામાં વધારો કરતી દરખાસ્ત ન દેખાતા પાક ધિરાણ પર વ્યાજનો બોજ એ સહન કરવાનો રેહશે. કોવીડ સમય દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડ અને ફર્ટીલાઈઝર ઇન્ડસ્ટ્રી પર સબસીડી બંધ કરવામાં આવી હતી, જેને પરિણામે ખાદ્યની કિમતો આસમાન પર પહુંચી છે. આ બજેટમાં નાણામંત્રીશ્રીએ સબસીડી પુનઃ ચાલુ કરવાની કોઈ દરખાસ્ત ન મુકતા ખેતીક્ષેત્રનો વિકાસ રૂંધાશે.

નાણામંત્રીશ્રીએ પોતાની અંદાજપત્રની રજુઆતમાં બિહાર, અન્ધ્રાપ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો માટે ૨૬૦૦૦ કરોડ અને પાવર પ્લાન્ટ અર્થે ૨૧૪૦૦ કરોડની ફાળવણી કરતી જાહેરાત કરી છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા ફલિત થાય છે કે ૩.૦ મોદી સરકારે અન્ય રાજકીય પક્ષો સાથે જોડાણ આવશ્યક બનતાં વિકાસશીલ અને ગતિશીલ અર્થવ્યવસ્થાની મજબૂતાઈને બાજુએ મુકીને “મજબૂર બજેટ” રજૂ કરવાની નોબત આવી છે. અલબત્ત, એમ્પ્લોયમેન્ટ બોન્ડ ઇન્સેન્ટીવને અગ્રિમતા ભવિષ્યમાં સાનુકુળ વિકાસ સર્જે એવી જણાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારાના ત્રણ કરોડ ઘરો આપવાની દરખાસ્ત ગમે એવી છે. પરંતુ, રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ત્રીને ઉદ્યોગનો દરજ્જો આપતો કોઈ દરખાસ્ત આ બજેટમાં જણાતી નથી. સરકાર એકબાજુ સામાન્ય લોકોને આવાસ સસ્તાદરે મળે એવી વાતો કરે છે પરંતુ રીઅલ એસ્ટેટ સેકટરને ઉદ્યોગનો દરજ્જો ન મળતા જમીનો મોંઘી બને છે અને પરિણામે, સામાન્ય ગરીબ નાગરિકોને માટે મકાન લેવું કઠિન બન્યું છે. હાલમાં, હોઉંસિંગ લોન પર વ્યાજ ડીડકશન લીમીટ ૨ લાખ છે તે વધારીને ૫ લાખ સુધી કરી હોત તો રીઅલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળ્યું હોત.
ઇન્કમટેક્ષ કાયદાને લગતી દરખાસ્તોને જોતાં અમુક રાહતો જેવી કે નવા કર માળખામાં સ્લેબમાં સાનુકૂળ ફેરફારો, પગારદાર અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદા રૂ.૫૦૦૦૦/- થી વધારીને રૂ.૭૫૦૦૦/-, ફેમિલી પેન્શન ફંડફાળાની મર્યાદા રૂ. ૧૫૦૦૦/- થી વધારીને રૂ. ૨૫૦૦૦/-, ટી.ડી.એસ.ના વિવિધ દરોમાં ઘટાડો, દરોડાના આકારણી કેસોની મર્યાદા ઘટાડીને છ વર્ષની દરખાસ્ત, ભાગીદારોને ચુકવાતા પગારની મજરે મળવાપાત્ર રકમની મર્યાદામાં વધારો વગેરે નાના કરદાતાઓને “ફિલગુડ” ની લાગણી પ્રેરે છે.

પરંતુ ટેક્ષટાઈલ ગેઇન ટેક્ષનો બોજ વધારો ખાસ કરીને, શેર-સિક્યુરીટીઝ, અને ફંડોને રોકાણો અને તેનાં વેચાણના વ્યવહારો કરનારા કરદાતાઓ માટે અસહ્ય બનશે.

સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને લગતા ઘણાં સુધારાઓ આવકારદાયક છે. જેવી કે ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ અરજદાર એકમ દીઠ રૂ.૧૦૦ કરોડની ફાળવણી, ટર્ન ઓવર કે મિલ્કતોની મર્યાદા ધ્યાનમાં લીધા વગર સ્કીમ હેઠળ મળનારા લાભો, સીડબી (SIDBI) દ્વારા સીધો જ ક્રેડીટ લાભ વગેરે એમ.એસ.એમ.ઈ. એકમોના વિકાસમાં સહાયરૂપ રેહશે, એવું માની શકાય. પરંતુ ઇન્કમ ટેક્ષ કાયદાની કલમ ૪૩બી માં ગતવર્ષે આવેલા સુધારાને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને ખુબ જ મોટી હાલાકી ભોગવવી પડેલ છે. વેપાર, ધંધા અને ઉદ્યોગને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના ખ્યાલથી વિરુદ્ધ છે અને તેથી આવી આકરી જોગવાઈઓ નાબૂદ કરવા જોઈએ એવી રજુઆત અનેક સ્તરેથી કરવામાં આવી છે. કમનસીબે, આ બજેટમાં નાણામંત્રીશ્રીએ કોઈ સાનુકુળ સુધારો કરતી દરખાસ્ત મૂકી નથી. વૈકલ્પિક રીતે, નાણામંત્રીશ્રીએ એમ.એસ.એમ.ઈ. ડેવેલોપમેન્ટ એક્ટ, ૨૦૦૬ માં સુધારો કરી ૪૫ દિવસમાં ચુકવણી કરવાના નિયમને લગતા ઝઘડાઓ દૂર કરવા એક “ઓનલાઈન ડિસ્પુટ રેસોલ્યુશન સ્કીમ” શરુ કરતી દરખાસ્ત મુકવી જોઈતી હતી પરંતુ આ બાબતે ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા સાંપડી છે. એમ.એસ.એમ.ઈ. એક્ટ અને ઇન્કમ ટેક્ષની આકરી જોગવાઈઓને લીધે વેપારી અને ઉદ્યોગકારોને આર.બી.આઈ.ના બેઝ દરના ત્રણ ગણા દરે મોડી કરેલી ચુકવણી પર વ્યાજ ભોગવવી પડે છે. એમ.એસ.એમ.ઈ.ને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં “સેન્ટર્સ ઓફ એક્ષલેન્સ” ચાલુ કરવાની જોગવાઈ જો લાવી હોત તો એક્ષ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળી શકે તેમ છે.

પાછલા બજેટમાં ટેક્ષ સ્ટ્રકચરમાં વૈકલ્પિક બે કર માળખા દાખલ કરીને કોઈ ડીડકશન મળ્યા નથી. સામાન્ય કરદાતાને આવા કર માળખાને બદલે કરપાત્ર આવકમાંથી વધુ ડીડકશન મળે એવી દરખાસ્ત આવે તો વ્યક્તિગત કરબોજ ઓછો થાય. હાઉસિંગ રોકાણ બાબતે ટેક્ષમાંથી લાભ દરેક કરદાતા મેળવી શકતો નથી અને તેથી જ કરબોજ ઘટવાને બદલે પ્રમાણસર વધ્યો છે. તેથી આ બજેટમાં કરપાત્ર આવકમાંથી કરદાતાને વિવિધ ડીડકશન રીતે રાહત મળવાની દરખાસ્તો વધુ લાભકારક અને આવકારદાયક બન્યો હોત. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની નવી જોગવાઈઓ દાખલ કરી હોવા છતાં બિનજરૂરી હેરાનગતિરૂપ ટેક્ષ ડિમાન્ડ અને તેની રિકવરીનો ભોગ સામાન્ય કરદાતા બન્યો છે. આવા ટેક્ષ ટેરરિઝમમાંથી સામાન્ય કરદાતાને મુક્ત કરી “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના સરકારના ખ્યાલને ટેકો આપતી દરખાસ્ત ન આવતા વેપારીઓ ઉદ્યોગકારો અને સામાન્ય કરદાતા મુકપ્રેક્ષક બન્યો છે. — સીએ. મીતિશ મોદી

July 22, 2024
neet-ug-scam.png
1min251

આ છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી

Image
Image

દેશભરમાં NEET UG પરીક્ષાના પેપર લીક અને તેમાં થયેલા ઘોટાળાને (NEET UG Exam) લઈને વિવાદ શરૂ થયો છે. આટલી મહત્ત્વની પરીક્ષાના પેપર લીક થતાં અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગણી કરી છે તો અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો છે. પેપર લીક મામલે સીબીઆઇએ તપાસ હાથ ધરી છે અને અનેક લોકોની ધરપકડ પણ કરી છે. આ બધા વચ્ચે ગુજરાતથી NEET UG એવો મામલો સામે આવ્યો છે જેને લઈને આ પરીક્ષા બાબતે ફરી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના એક વિદ્યાર્થીનીએ એવું અદ્ભુત કામ કર્યું છે જે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગયું છે. ગુજરાતમાં એક વિદ્યાર્થીનીએ NEET UG પરીક્ષામાં 720માંથી 705 માકર્સ મેળવ્યા છે. આ અંગે ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીની 12 માં ધોરણમાં (NEET UG Exam) નાપાસ થઈ હતી. શનિવારે NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આ પરાક્રમ અમદાવાદની એક વિદ્યાર્થીનીએ કર્યું છે. 12 માં ધોરણ અને NEET UG ની પરીક્ષા આપનાર આ વિદ્યાર્થીનીની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને માર્કશીટ વચ્ચે આટલો તફાવત જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આ માર્કશીટ ગુજરાતના એક જ વિદ્યાર્થીનીની જ છે કે નહીં તે બાબતે કોઈપણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ વિદ્યાર્થીનીની 12 માં ધોરણની માર્કશીટ મુજબ તેને ફિઝિક્સમાં 21 તો કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં (NEET UG Exam) અનુક્રમે 31 અને 39 માકર્સ મળ્યા હતા તેમ જ અંગ્રેજીમાં તેને માત્ર 59 માકર્સ મળ્યા હતા. જેથી તેને કુલ 700 માકર્સમાંથી 352 માકર્સ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, સ્કૂલે તેના ખરાબ પ્રદર્શન વિશે વાત કરવા માટે તેના માતાપિતાને પણ બોલાવ્યા હતા. તેના કોચિંગ સેન્ટરે જણાવ્યું કે તે 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે બે વાર ભણવાનું છોડી દીધું હતું. અહેવાલો અનુસાર, છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી.

દરમિયાન, શનિવારે NEET UG પરીક્ષાના પરિણામ જોઈને શાળા પ્રશાસન પણ આશ્ચર્યચકિત થઈ (NEET UG Exam) ગયું હતું. ધોરણ 12માં નાપાસ થયેલી છોકરીએ NEET UG પરીક્ષામાં 720 માંથી 705 માકર્સ મેળવ્યા, જેનાથી તેને ગુજરાતની ટોચની વિદ્યાર્થી બની ગઈ છે. તેણે NEET પરીક્ષામાં ફિઝિક્સમાં 99.1 ટકા માકર્સ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 99.1 ટકા મેળવ્યા છે અને તેની કુલ ટકાવારી 99.8 ટકા થઈ ગઈ છે જેથી બધા ચોંકી ગયા છે.