CIA ALERT

Slider Archives - Page 396 of 487 - CIA Live

February 2, 2019
unnati.png
1min9400

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

February 2, 2019
nitin_pethani.jpg
1min5600

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17માં કુલપતિપદે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિન માધવજીભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે તેમની નિમણૂંક પણ કરાવી છે.

નીતિન માધવજીભાઈ પેથાણીનો જન્મ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે બિનવિવાદાસ્પદ છાપ ધરાવે છે. પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નીતિનભાઈ પેથાણી હાલ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે. નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. 2012થી 2015 દરમિયાન નીતિન પેથાણી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે  નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી અદા કરી ચૂક્યા છે.

February 1, 2019
modi_budget.jpg
1min7550

ચૂંટણી પછીનું બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે : બજેટ રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાને આપી બજેટ પર પ્રતિક્રિયા

આજે સંસદ ભવનમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું આ બજેટમાં તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ માટે વધાઇ આપું છું. લાંબા સમયથી માંગણી હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવતા એ આજે સંતોષવામાં આવી છે. ભારતના લોકો આજે ખુશીઓ મનાવી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ બજેટ તો માત્ર ટ્રેઈલર છે. ચૂંટણી પછી રિલીઝ થનારું પૂર્ણ બજેટ દેશને વિકાસના પથ પર લઈ જશે. અમે આ બજેટમાં મધ્યવર્ગથી લઈને ખેડૂતો, વેપારીઓ, MSME સેક્ટર તમામનું ધ્યાન રાખ્યું છે.

PMએ કિસાન સન્માન નિધિ યોજનાની માહિતી આપતા કહ્યું કે પહેલા 2 થી 3 કરોડ ખેડૂતોને જ સરકારી યોજનાઓનો લાભ મળતો હતો પરંતુ આ યોજનાઓનો લાભ દેશના બાર કરોડ ખેડૂતોને મળશે.

February 1, 2019
fisheris.png
1min24500

હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલએ આજે રજૂ કરેલા ઇન્ટ્રીમ બજેટમાં સૌથી મોટો ફાયદો જો કોઇ ઉદ્યોગને થયો હોય તો એ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે. વર્ષે દહાડે ભારતને રૂ.40 હજાર કરોડનું વિદેશી હૂંડીયામણ કમાવી આપતા ફિશરીઝ માટે ભારતમાં કોઇ અલગ ડિપાર્ટમેન્ટ જ ન હતું. પરંતુ, આ વખતે બજેટરી પ્રોવિઝન મુજબ હવેથી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકારમાં સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત થઇ રહ્યું છે અને તેનો સૌથી મોટો ફાયદો સુરતના ફિશરીઝ ઉદ્યોગ ખાસ કરીને ઝીંગા ઉદ્યોગને થશે એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

  • સ્થાનિક ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મુદ્દે બદનામ કરવામાં આવી રહ્યા છે

  • સુરતના ઝીંગા ઉત્પાદકોએ રૂ.3200 કરોડનું વિદેશી હૂંડીયામણ ભારતની તિજોરીમાં રળી આપ્યું છે

  • એકલા દક્ષિણ ગુજરાતમાં એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું

  • આખા ગુજરાતના 45 ટકા ઝીંગા ફક્ત સુરતના ઝીંગા ઉત્પાદકો પેદા કરી રહ્યા છે

  • વિદેશી હૂંડીયામણ ઉપરાંત ઝીંગા ઉછેર અને માછીમારીએ મોટી સંખ્યામાં રોજગારી પણ પ્રદાન કરી છે

દક્ષિણ ગુજરાતમાં હાલ ઝીંગા ઉછેર ઉદ્યોગ જબરદસ્ત વેગ પકડી રહ્યો છે તેની પ્રતીતિ એ રકમ પરથી થાય છે કે છેલ્લા એક જ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં કુલ રૂ.3200 કરોડની કિંમતના ઝીંગાનો ઉછેર કરીને તેની નિકાસ કરવામાં આવી. ઝીંગા ઉદ્યોગે જ ભારતની તિજોરીમાં વિદેશી હૂંડીયામણ પેટે રૂ.3200 કરોડ ઠાલવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 55 હજાર ટન ઝીંગાનું ઉત્પાદન થયું. સમગ્ર ગુજરાતના કુલ ઝીંગા ઉત્પાદનનો 45 ટકા હિસ્સો ફક્ત એકલું દક્ષિણ ગુજરાત પકવે છે અને તેની નિકાસ કરીને ભારતને ડોલર્સમાં રૂપિયા લણી આપે છે. જાણકારો જણાવે છે કે સુરતના ઝીંગા ઉદ્યોગને ફક્ત જમીન કે તળાવના મામલે બદનામ જ કરવામાં આવી રહ્યા છે હકીકતમાં ઝીંગા ઉદ્યોગ કે માછીમારી હવે મર્યાદિત નહીં બલ્કે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ બની ચૂક્યા છે.

ફિશરીઝ ડિપાર્ટમેન્ટને એગ્રિકલ્ચરથી અલગ કરીને સ્વતંત્ર ડિપાર્ટમેન્ટ તરીકે મંજૂરી આપવાના કારણે આ ઉદ્યોગને હવે વધુ પ્રોત્સાહન મળશે. માછીમારી, ઝીંગા ઉછેર વગેરેથી ભારતને વિદેશી હૂંડીયામણ તો મળે છે પરંતુ, મોટી સંખ્યામાં આ ઉદ્યોગ રોજગારી પણ પૂરી પાડે છે. આજે ઝીંગા તળાવોને કારણે હજારો લોકોને એક સ્થાયી રોજગારનું માધ્યમ મળ્યું છે.

CIA Live ન્યુઝ પોર્ટલ હંમેશ આપની સાથે છે

CIA Live ન્યુઝ પોર્ટલ ભારતની તિજોરીને વિદેશી હૂંડીયામણ કમાઇ આપતા ઝીંગા ઉત્પાદકો, ઝીંગા તળાવના સંચાલકો, માછીમારી કરી રહેલા માછીમાર ભાઇઓ, ખલાસીઓ આ તમામની પડખે છે અને તેમના પ્રશ્નોને હંમેશા વાચા આપશે. કોઇપણ ઝીંગા તળાવ સંચાલક, ઝીંગા ઉછેર કે માછીમારી સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ તેમને પ્રશ્નો માટે અમારો સંપર્ક કરી શકે છે.

જયેશ બ્રહ્મભટ્ટ એડીટર 98253 44944

February 1, 2019
jasmat-1.jpg
1min7680

હંગામી કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયેલએ આજે વચગાળાનું બજેટ જાહેર કરતા બાંધકામ ઉદ્યોગ (રિયલ એસ્ટેટ) સેક્ટરને વેગવંતુ બનાવવા માટે કરેલી જોગવાઇઓ પૈકી ત્રણ મુખ્ય જોગવાઇઓ કરી છે તેમાં નોશનલ રેટની મુક્તિ મર્યાદા એક વર્ષની જગ્યાએ બે વર્ષ,  એક મકાનની જગ્યાએ બે મકાનની ખરીદી પર કેપિટલ ગેઇન ટેક્સમાં મુક્તિ અને ભાડાની આવકની મુક્તિ મર્યાદા રૂ.1.8 લાખથી વધારીને રૂ.2.4 લાખ કરી છે.

આટલી જોગવાઇ કરવા છતાં સ્થાનિક બાંધકામ ઉદ્યોગને કોઇ ખાસ લાભ નહીં થાય તેવો મત વ્યક્ત કરતા સુરત ક્રેડાઇ ચેરમેન શ્રી જસમતભાઇ વિડીયાએ જણાવ્યું હતું કે અમારી વર્ષો જૂની માગણી છે કે બાંધકામ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવે. આ દરજ્જો મળે પછી જ બાંધકામ ઉદ્યોગમાં નવું જોમ-જોશ આવે તેવી શક્યતા છે. એ સિવાય જસમતભાઇએ જણાવ્યું હતું કે જીએસટી દર જે હાલમાં બાંધકામ સેક્ટર પર 12 ટકા છે તેના કારણે પણ મકાનો, ફ્લેટ્સ, દુકાનો વેચાઇ રહ્યા નથી. જીએસટી સ્લેબ ઘટે તો બાંધકામ ઉદ્યોગમાં નવું જોમ આવે તેવી શક્યતા છે.

વધુમાં ઘરો વધુ સસ્તા થાય, લોકોને સારા મકાનો સસ્તા દરે મળે તે માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી દ્વારા જુદા જુદા એરીયામાં પ્રવર્તમાન તકલીફો અંગે ભલામણો કરશે અને તેમાં સંભવ છે કે જીએસટી દર ઘટાડાની પણ જોગવાઇ થઇ શક્શે.

February 1, 2019
rangnath_sharda.jpg
1min10280

ટેક્સટાઇલ ઉદ્યોગકારોની 12 મહિનાથી ડઝન પડતર માંગણી પૈકી એક આખરે સંતોષાય

(શ્રી રંગનાથ શારડા, ફોસ્ટા)

સુરતમાં લગભગ 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ  75 હજાર ટેક્સટાઇલ ટ્રેડર્સ કાપડનો ધંધો કરે છે, ફોસ્ટાના આંકડા પ્રમાણે 50 ટકા વ્યાપારીઓ અઢી થી ત્રણ કરોડ જ્યારે 75 ટકા વેપારીઓ 5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવે છે. ફોસ્ટાના એક્ટિવ ડિરેક્ટર રંગનાથ શારડાના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રી પિયુષ ગોયેલ પણ પોતે એક વ્યાપારી છે, તેમણે વ્યાપારી ભાવનાનું ધ્યાન રાખીને તેમણે ફોસ્ટાની વર્ષ જૂની માગણી સ્વીકારી છે, જેનાથી સમગ્ર ટેકસ્ટાઇલ ટ્રેડર્સમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે.

આ જોગવાઇ મુજબ રૂ.5 કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવનાર વ્યાપારી ત્રણ મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશન ફોસ્ટાએ પાંચ કરોડ કે તેથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ત્રણ મહિને એક વખત રિટર્ન ફાઇલ કરવાની સુવિધા કેન્દ્રીય નાણાં મંત્રાલય સમેત જીએસટી વિભાગને વારંવાર કરી હતી. જ આજે બજેટની જોગવાઇઓ જાહેર કરતા હંગામી નાણાં મંત્રી પિયુષ ગોયલએ પોતાના વક્તવ્યમાં પૂરી કરવાની ઘોષણી કરી હતી.

 

February 1, 2019
psb59_logo.jpg
1min8500

બીજી નવેમ્બર 2018ના રોજ વડાપ્રધાન મોદીએ નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને રૂ.10 લાખથી રૂ.1 કરોડ સુધીની લોન મળે તાત્કાલિક અસરથી મળે તે માટે પ્લેટફોર્મ લોંચ કર્યું હતું. જેને પીસએબી (પબ્લિક સેક્ટર બેંક)  59 કહેવામાં આવે છે. આ પીએસબી 59 લોન સર્વર પ્રમાણે જે તે ઉદ્યોગકાર 59 મિનિટમાં જ પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને રૂ.10 કરોડ સુધીની લોન મેળવી શકે છે. જેના વિવિધ ક્રાઇટેરીયામાં આધાર કાર્ડ, છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન, જીએસટી નંબર સમેતની માહિતી તેમજ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહે છે. આ પ્રકારે પીએસબી-59 લોન લઇ ચૂકેલા, લઇ રહેલા અને આગામી દિવસોમાં લોન લેનારા ઉદ્યોગકારોને આજે ઇન્ટ્રીમ બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ વ્યાજ સબસિડીમાં વધારાના 2 ટકા જેટલી રાહત આપવામાં આવશે.

પીએસબી-59 કેટલા લોકો લઇ ચૂક્યા છે

બીજી નવેમ્બર 2018થી 10 જાન્યુઆરી 2019 સુધી સુરતના 850થી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પીએસબી 59 થકી 7974 લાખ રૂપિયાનું માતબર ધિરાણ 10 નેશનલલાઇઝ્ડ બેંકો પાસેથી મળી ચૂક્યું છે.

લીડ બેંકના અધિકારીના જણાવ્યા અનુસાર આ પીએસબી 59 પોર્ટલ થકી અત્યાર સુધી 845 ઉદ્યોગકારોને લોન મંજૂર કરવામાં આવી છે. જેમાંથી 339 લોકોને લોન ડિસ્બર્સમેન્ટ મળી ચૂક્યું છે. જ્યારે 506 લોકોએ બેંક પાસેથી પોતાનું એલોટમેન્ટ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. આ યોજનામાં અત્યાર સુધી 8થી 10 ટકાના લોન વ્યાજ પર વિવિધ જોગવાઇ પ્રમાણે 1થી 2 ટકા સુધીનું વ્યાજ વળતર મળી રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે નવી કરેલી જોગવાઇ પ્રમાણે 2 ટકા સુધી વધારાનું વ્યાજની સબસિડી ઉદ્યોગકારોને મળવાપાત્ર બનશે.

પીએસબી 59 યોજનામાં 2 ટકા વધારાની વ્યાજ સબસિડી આપવાની બજેટરી જોગવાઇ હાલના લોન ધારકો ઉપરાંત નવા લોન ધારકોને પણ મળશે.

February 1, 2019
Union-Budget.png
2min21040

કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલે દેશના ત્રણ કરોડ જેટલા પગારદારો, નાના અને મધ્યમકદના વ્યાપારીઓને સીધો લાભ થાય તેવી કરેલી જોગવાઇ અનુસાર હાલની રૂ.2.5 લાખની આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. આવકવેરા મુક્તિમાં પિયુષ ગોયલે સીધો બમણો વધારો કર્યો હતો. 5 લાખની આવક ટેક્સ ફ્રી થવા ઉપરાંત અન્ય દોઢ લાખ રૂપિયા સુધીનું ચોક્કસ રોકાણ કરવામાં આવશે તો રૂ.6.5 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગશે.

અગાઉ 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નહતો. હવે રૂ.1.5 લાખ સુધી વિવિધ ટેક્સ સેવિંગ રોકાણ કરવાથી 6.5 લાખ સુધીની ગ્રોસ આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો પડશે નહીં જે ખુશીની વાત છે.

20 ટકાનો ટેક્સ સ્લેબ

જો તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હતી તો તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અને 4 ટકા સેસ તો ખરો જ

30 ટકાનો ટેક્સ સ્લેબ

પાછલા બજેટ પ્રમાણે જો તમારી આવક 10 લાખથી 50 લાખ વચ્ચે હોય તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અહી પણ 4 ટકા સેસ ચૂકવવો પડે છે.

આ ઉપરાંત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વર્તમાન રૂ.40,000 વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આવક વેરા મુક્તિ મર્યાદા વધારતા તેનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રને આનાથી 18,500 કરોડનું નુકસાન થશે. દરમિયાન બેન્ક તેમજ પોસ્ટમાં મૂકેલા નાણાંના વ્યાજ પર ટીડીએસ લિમિટ રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરાઈ હતી.

  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
  • પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
  • પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
  • 5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
  • 1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
  • 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે
  • નાણાં મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને લુભાવવા લોકપ્રિય પગલાંની ભરમાર
  • સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર) ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75,000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
  • પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે
  • કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
  • ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
  • આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે
  • MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે
  • પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
  • ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે
  • વિચરતી જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
  • 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ
  • જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
  • 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદી સરકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થપાશે
  • 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે
  • LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
  • ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત 
  • મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
  • 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
  • મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
  • ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
  • પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા 
  • પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકાનું વ્યાજ વળતર
  • તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોસેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
  • GSTની સરેરાશ આવક 97,100 કરોડ પ્રતિ માસ
  • ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા 
  • ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
  • 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
  • સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
  • નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે  
  • ભારતીય રેલવેનું આ વર્ષ  ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું 
  • રેલવે માટે બજેટમાં 1.58 લાખ કરોડ ફાળવાયા
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
  • 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
  • આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
  • આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
  • કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
  • સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
  • GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
  • 42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે

ઇન્ટરિમ બજેટ 2019માં નાણામંત્રી પીયૂષ ગોયલે ઘણી મોટી જાહેરાતો કરી. કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોજ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. તે સાથે જ અસંગઠિક ક્ષેત્રમાં શ્રમિકોને મદદ પહોંચાડવા માટે સરકારે પેન્શન યોજનાની જાહેરાત કરી જે હેઠળ 3000 રૂપિયા પ્રતિમાસનું પેન્શન આપવાની જોગવાઈ છે.

 

January 31, 2019
government_gujarat.jpg
1min11360

ચૂંટણી અને બજેટ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓના ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે.

રાજ્ય સરકારે કરેલી આ જાહેરાતનો લાભ 9 કરોડ 61 લાખ કર્મચારીઓને મળશે, જો કે આ જાહેરાતના કારણે સરકાર પર વાર્ષિક 771 કરોડનો વધારાનો બોજ પડશે.

સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને મળશે. આ પહેલા કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે 9 ટકા થયું છે. આ નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના નિવૃત કર્મચારીઓને પણ મળશે. સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.

 

January 31, 2019
social-media-1.jpg
1min5280

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.