CIA ALERT

Slider Archives - Page 395 of 487 - CIA Live

February 4, 2019
ips-1280x720.jpg
1min6120

રાજીવ કુમાર (ફાઇલ ફોટો)

શારદા ચિટફંડ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને સીબીઆઇ સામસામે આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચેલી સીબીઆઇ ઓફિસર્સની ટીમને કોલકાતા પોલીસે અટકાવી હતી અને તમામ ઓફિસર્સની અટકાયત પણ કરી હતી. ત્યારબાદ આ ઓફિસર્સને છોડી પણ મૂકવામાં આવ્યા હતા. જોકે આ બધા ડ્રામા દરમિયાન મમતા બેનર્જી પણ રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા. તેમણે રાજીવ કુમાર માટે થઈને ભાજપ વિરુદ્ધ ધરણા કર્યા હતા. જાણો કોણ છે આ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર અને મમતા બેનર્જી કેમ કરી રહ્યા છે તેમની તરફેણ.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

રાજીવ કુમાર હાલ શારદા ચિટફંડ તપાસના ઘેરામાં છે. તેમણે ચિટફંડની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને લીડ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ તપાસ દરમિયાન ગરબડ કરવામાં આવી હતી. SITની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ સાથે જોડાયેલા અનેક મહત્વની ફાઇલો અને દસ્તાવેજો ગાયબ છે. સીબીઆઈ આ ગુપ્ત થયેલી ફાઇલો અને દસ્તાવેજોને લઈને કમિશ્નરની પૂછપરછ કરવા માંગે છે. આ મામલે સીબીઆઈએ પોલીસ કમિશ્નરને ફરાર બતાવ્યા છે.

રાજીવ કુમાર બંગાળના 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ કોલકાતા પોલીસના વડા છે. રાજીવ કુમારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ચંદૌસીના રહેવાસી છે. રાજીવ કુમારના પિતા આનંદ કુમાર ચંદૌસીની SM કોલેજમાં પ્રોફેસર હતા. જે બાદમાં તેમનો પરિવાર અહીં જ વસી ગયો હતો. રાજીવ કુમારે આ જ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે, પરંતુ બાદમાં તેઓ પશ્ચિમ બંગાળ ચાલ્યા ગયા હતા.

શારદા ચિટફંડ એક મોટો ગોટાળો છે. આ ગોટાળામાં અનેક મોટા લોકો સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં પશ્ચિમ બંગાળની ચિટફંડ કંપની શારદા ગ્રુપે લોકોને છેતરવા માટે અનેક લલચામણી ઓફર આપી હતી. આ કંપનીએ 34 ગણી રકમ કરી આપવાનું વચન આપ્યું હતું, બાદમાં કંપનીએ લોકોના પૈસા પડાવી લીધા હતા.

February 4, 2019
best-card-swiping-machine.png
1min7910

જામનગર જિલ્લા પોલીસે એક એવી પીઝા રેસ્ટોરેન્ટની ગેંગ પકડી પાડી છે જેઓ પોતાને ત્યાં પીઝા ખાવા આવતા કસ્ટમર્સના બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવી લેતા હતા. કસ્ટમર્સ ઓનલાઇન પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ કરીને પેમેન્ટ કરતા ત્યારે આ ગેંગ કસ્ટમર્સના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ડેટા ચોરી લેતી અને બાદમાં એટીએમ કે ઓનલાઇન શોપિંગમાં એ ડેટા વાપરીને રૂપિયા ખંખેરી લેતા હતા. આ પ્રકારે પીઝા ખાવા આવતા કસ્ટમર્સના  રૂપિયા ઉડાડી લેતી ગેંગના 7 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગર પોલીસે કેયુર હાડા, એલિયાસ કિશન, સાબિર નાઇ, મોહિત પરમાર અને નિકુંજ કંખારા જેઓ તમામ જાનગરના રહેવાસી છે એમને એક ઓનલાઇન ફ્રોડ કેસમાં અટકાયત કરી ત્યારે એ વાતનો ભાંડો ફૂટ્યો હતો કે પીઝા રેસ્ટોરેન્ટમાં કાર્ડ સ્વાઈપ કરાવતા ગ્રાહકોના નાણા ઉસેટી લેવામાં આવ્યા હતા.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે મળતી માહિતી મુજબ નાઇ અને પરમાર નામના બે આરોપીઓ જામનગરની જાણીતી પીઝા શોપમાં કેશીયરો તરીકે નોકરી કરતા હતા. આ બન્ને જણાએ તેમના કસ્ટમર્સને એવી ઓફર આપતા કે જો કસ્ટમર્સ કાર્ડ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરે તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કસ્ટમર્સ પણ આ લોભામણી ઓફરને પગલે પોતાનો ક્રેડિટ, ડેબિટ કાર્ટ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરતા. દરમિયાન કેશિયર તરીકે કામ કરતા આ બન્ને ભેજાબાજે પેમેન્ટ સિસ્ટમ સાથે એક કોપી મશીન અને લેપ્ટોપ એટેચ્ડ કરી રાખ્યું હતું, એ કોપી મશીન એટલું પાવરફુલ હતુ જે કસ્ટમર્સના કાર્ડ સ્વાઇપ થતાની સાથે જ કાર્ડની સઘળી ડિટેઇલ અને પીન નંબર પણ કોપી કરીને લેપ્ટોપમાં સેવ કરી દેતું હતું.

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા. આમ કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ મળ્યા બાદ આ ગેંગે ધ્રોલ ખાતે આવેલા એટીએમ ખાતે મધરાતે રૂપિયા ઉપાડવાની યોજના બનાવી. પહેલા જ પ્રયાસમાં આ ગેંગને મોટી રકમની કેશ મળી જતા, તેઓ સતત બીજી રાત્રે પણ અન્ય કસ્ટમરનો કાર્ડ સ્વાઇપ કરીને મોટી રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી.

ભેજાબાજોએ પહેલું ટ્રાન્જેકશન 21મી જાન્યુઆરી 2019ના રોજ સફળતાથી પાર પાડી દીધું હતું, તેને પગલે કાર્ડ ધારકે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યાંથી નાણાં ઉપડ્યા હતા એ ધ્રોલ એટીએમ કીઓસ્ક પર પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને તપાસ દરમિયાન એ પણ કડી મળી હતી કે એવા લોકોના રૂપિયા જ એટીએમ માંથી ઉચાપત થઇ રહ્યા હતા જેમણે ચોક્કસ શોપ પરથી જ પીઝા ખાધા હતા. દરમિયાન તા.3જી ફેબ્રુઆરીને રવિવારની મધરાતે ધ્રોલ એટીએમ ખાતે નાણાં ઉપાડવા આવેલા ચારને પોલીસે દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ ચારેયએ મોડ્સ ઓપરેન્ડી પોલીસને જણાવી દીધી હતી.

કાર્ડ સ્વાઇપ મશીન્સ પરથી કાર્ડ ધારકોનો ડેટા ચોરી લે તેવું સ્કીમર મશીન ભારતમાં ઉપલબ્ધ ન હોય, વિદેશથી ઓનલાઇન મંગાવ્યું હતું

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા.

 

February 4, 2019
bus.gif
1min4980

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

February 3, 2019
sunday.png
1min32520

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .

February 3, 2019
yogi-helicopter.jpg
1min5790

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.

February 3, 2019
ahmedabad_airport-1280x720.jpg
1min5870

દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને બોંબ તા.2જી ફેબ્રુઆરી 2019ની રાત્રે દોઢ વાગ્યે ફુટશે એવી માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ એલર્ટ કરી દેવાયો હતો, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ એરપોર્ટ પર ધસી ગયા હતા. કહેવાતા બોંબને શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણો ખૂણો ખૂંદી કાઢ્યો.

(અમદાવાદ એરપોર્ટ File Photo)

અમદાવાદના ઈન્ટરનેશલ એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળતા ગઇ મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને આ માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતને એલર્ટ કરી દેવાયો હતો.

બોંબ મૂકાયાના મેસેજ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું.

સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, બોંબ શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણેખૂણો ખૂંદી કાઢ્યો હતો.

અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પહોંચીને તપાસ પર નજર રાખી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ મહેતાના નામના કોઈ શખ્સે ફોન કરીને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ આપ્યો હતો. મેસેજ પ્રમાણે 1.30 વાગે બોમ્બ ફૂટવાની ચેતવણી અપાઈ હતી.

આ મેસેજને કારણે એરપોર્ટની સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ હતી. દોડધામને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

February 3, 2019
bihar1.jpg
1min9380
બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત
બિહારના વૈશાલીમાં મોટી રેલ દુર્ઘટના

બિહારના વૈશાલીમાં આજરોજ તા.3 ફેબ્રુઆરી 2019ની વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના સર્જાતા સમગ્ર દેશમાં રવિવારની સવારે આ અકસ્માત ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોગબનીથી દિલ્હી આનંદ વિહાર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉથલી પડયા હતા. ઘટના બની ત્યારે ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો નિંદ્રાધીન હતા. ડબ્બાઓ ઉથલી પડવાથી સર્જાયેલા ગગનભેદી અવાજને કારણે આસપાસના લોકો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડબ્બાઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું ત્તંત્રવાહકો જણાવી રહ્યા છે અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે જેને આસપાસની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન અપ અથવા ડાઉન લાઈન સ્થગિત કરવામાં આવી છે.

રેલવે પ્રધાન રેલ્વે બોર્ડ સાથે અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી અંગે સતત સંપર્કમાં છે. તેમણે રેલવે મુસાફરોની મૃત્યુ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ લોકોને સ્વસ્થ રહેવાની કામના કરી છે.

ટ્રેનના નવ ડબ્બા પટરી પરથી ઉતરવાના સમાચાર આવ્યા છે. એમાંથી ત્રણ સ્લીપર (એસ-8, એસ-9 અને એસ-10)છે. એક જનરલ કોચ અને એક AC કોચ(બી-3)ના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. દુર્ઘટનામાં એક ડબ્બો પૂરો ખરાબ રીતે પલટી ખાતા આ ડબ્બામાં મુસાફરી કરી રહેલા લોકોના જાનમાલને સૌથી વ્યાપક નુકસાન થયું હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બાદ સદહેઈ બુઝુર્ગ સ્ટેશન પર NDRFની ટીમ પહોંચી ગઈ છે. ક્રેનના મદદથી ટ્રેનના ડબ્બાઓને કાપીને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સૂચના અનુસાર વૈશાલી ડીએસ રાજીવ રોશન અને એસપી માનવજીત સિંહ ઢિલ્લોન પણ પહોંચી ગયા છે.

February 3, 2019
rajniti.jpg
1min12290

મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની બેઠકો પર લોકસભાની ચૂંટણીમાં ભાજપાને નુકસાનની ભીંતિ હતી પણ ચૂંટણી પહેલા જ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસ છોડી દેતા ભાજપાને સીધો ફાયદો દેખાય રહ્યો છે

2014માં કેન્દ્રમાં સરકાર રચ્યા પછી ભાજપાની રાજનીતિમાં એક મહત્વનો ટર્ન જોવા મળ્યો. ભાજપાએ ખાસ કરીને ગુજરાતમાં એવી રાજનીતિ રમી કે જેનાથી રાજ્યમાં જ્યાં જ્યાં ભાજપાની પકડ ઢીલી હતી, એવા વિસ્તારો કે જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી લઇને એમ.પી. સુધીની બેઠકો પર ભાજપાનો પરાજય થઇ શકે એવા વિસ્તારોમાં મજબૂત કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસને જ રામ રામ કરી દીધા છે. એક સમયે ભાજપાને ભાંડવામાં કશું બાકી નહીં રાખનાર એક સમયના મહેસાણાના કોંગ્રેસી સાંસદ જીવાભાઇ પટેલ, રાજકોટના કુંવરજી બાવડીયા હોય કે પછી ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર હોય અને છેલ્લે સાબરકાંઠાના ડો. આશાબેન પટેલ હોય, આ તમામ કોંગ્રેસ પાર્ટીને એક સમયના સ્ટ્રોંગ ગ્રાઉન્ડ ધરાવતા નેતાઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ખાસ કરીને ભાજપાએ મિશન નોર્થ ગુજરાત અભિયાન ચલાવ્યે રાખ્યું, પડદા પાછળ રહીને ભાજપાની રાષ્ટ્રીય નેતાગીરીએ એવો ખેલ પાડ્યો કે નોર્થ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો કે જ્યાં ભાજપાને 2019માં મોટી હારનો સામનો કરવો પડે તેમ હતો, એ નુકસાન ખાળવા માટેના ભાજપે કરેલા પ્રયાસો ફળદાયી નિવડ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.

  • એક સમયના પાક્કા કોંગ્રેસીઓ આજે કોંગ્રેસ છોડી ચૂક્યા છે
  • મહેસાણાના પૂર્વ એમ.પી. જીવાભાઇ પટેલ
  • રાજકોટના કુંવરજી બાવડીયા
  • ધારાસભ્ય ડો.આશાબેન પટેલ

ગુજરાત વિધાન-સભાની ગત ચૂંટણીમાં ભાજપને ખાસ કરીને ઉતર ગુજરાતની મોટાભાગની બેઠકો પર પાટીદાર નેતાઓ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની કારણે નુકસાન વેઠવું પડ્યું હતું, પરંતુ લોકસભા 2019ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર આવા નુકસાન ખાળવા માટે મિશન નોર્થ ગુજરાત શરૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની પૂર્વ સાસંદ જીવાભાઇ પટેલથી શરૂ કરીને વાયા ડૉ. આશાબેન પટેલ થઇને આ મિશનમાં પાંચેય બેઠક સર કરવા માટે ઠાકોર નેતા અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેના બે થી ત્રણ સાથીદાર ધારાસભ્યને પણ ભાજપનો કેસરિયો પહેરાવા માટેની રણનીતિ

દરમિયાન મહેસાણાનાં પટેલ સમાજનાં નેતા જીવા પટેલ પણ હાલ ભાજપમાં જોડાયા છે. તેઓ ગત ચૂંટણીમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સામે લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. હવે ઉત્તર ગુજરાતનાં બીજા પટેલ નેતા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. દરમિયાન એક તરફ જ્યાં કૉંગ્રેસ ગુજરાતમાં સબ સલામતનાં દાવા કરે છે અને બીજી તરફ તેમનાં ધારાસભ્યો પક્ષથી નારાજ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ચર્ચા એવી પણ છે કે આશાબહેન ઉપરાંત પણ અનેક ધારાસભ્યો ભાજપ તરફ ઢળી રહ્યા હોવાનું કહેવાય છે.

ઉત્તર ગુજરાતમાં પાંચ લોકસભા બેઠકો આવે છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. દરમિયાન ઊંઝા મતવિસ્તાર મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે, જેમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દરમિયાન આ સાત બેઠકોમાંથી કડી, મહેસાણા, વિસનગર અને વિજાપુર ભાજપ પાસે છે જ્યારે ત્રણ બેઠકો-ઊંઝા, માણસા અને બેચરાજી કૉંગ્રેસ પાસે છે. દરમિયાન હવે ઊંઝાનાં કૉંગ્રેસનાં ધારસભ્ય ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે તેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર કૉંગ્રેસ જીત્યું છે અને 15 બેઠકો પર ભાજપ જીત્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં આ પરિબળો મિશન 26 જાળવવામાં ગાબડું પાડી શકે છે.

ભાજપાની રાજનીતિ સામે કોંગ્રેસ વિવશ

ડૉ. આશાબેન પટેલ પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી, પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. કાલ સુધી તેમની કોઇ નારાજગી સામે આવી નહોતી, પરંતુ રાતોરાત શું રંધાયું તે આગામી સમય બતાવશે એવું જણાવીને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને બદનામ કરવાના પ્રયાસો કરે છે. ભાજપની આ નીતિ આવનારા સમયમાં ખુલ્લી પડશે. તા.1લી ફેબ્રુઆરી 2019ના રોજ શુકવારે કૉંગ્રેસ પ્રદેશ સમિતિની ઑફિસમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોની યોજાયેલી બેઠકમાં આશાબેન પટેલ પણ હાજર હતા. તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી, પરંતુ તેમની વાત કે રજૂઆત પરથી ક્યાંય કોઇ નારાજગી સામે આવી નહોતી. રાતો રાત શું રંધાયું તેની જાણ નથી. તે આવનારો સમય જ બતાવશે. તેમણે કહ્યું કે, પક્ષે તેમની પર વિશ્ર્વાસ મૂકી વિધાનસભાની ટિકિટ આપી હતી. પ્રજાએ તેમને કૉંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા હતા. જોકે, તેમણે આ નિર્ણય લેતાં પહેલાં ત્યાંની પ્રજા કે પક્ષ સાથે કોઇ વાતચીત કરી નહોતી. કદાચ તેમણે વ્યક્તિગત હિતો માટે આ નિર્ણય લીધો હશે. આશાબેનના આંતરિક વિખવાદ અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામેના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં તમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. તેમના સ્થાનિક પ્રશ્ર્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત છે તો તેમનું નેતૃત્વ મજબૂત અને સર્વસ્વિકૃત છે. વ્યક્તિગત લાભ માટે નિર્ણય લઇ રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરવો યોગ્ય નથી.

February 3, 2019
journalist.jpg
1min7760

રાજ્ય સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહિને રૂ. 8,000થી 10,000ની રકમ જાહેર થવાની શક્યતા છે. આ સ્કીમ અંતર્ગત પત્રકાર, ફોટોગ્રાફર, એડિટર અને ફ્રી લાન્સર પત્રકારોને ફાયદો મળશે. આ પત્રકારો પાસે ઓછામાં ઓછું દસ વર્ષ માટે અધિસ્વીકૃતિ પત્ર હોવું જોઈએ અને તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પત્રકારિતા હોવી જોઈએ. આ સાથે એવી શરત પણ રાખવામાં આવી છે કે અરજદાર કરવેરો ભરતો હોવો જોઈએ નહીં. એટલે કે તેની આવક કરવેરાની આવકમર્યાદા કરતા ઓછી હોવી જોઈએ. આ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. અધિસ્વીકૃતિ પત્ર ન ધરાવતા પત્રકારોને પેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા લેવામાં આવશે. આ સાથે મહાત્મા જ્યોતિબાઈ ફૂલે આરોગ્ય યોજના અંતર્ગત પણ પત્રકારોને સમાવવાનો નિર્ણય સરકારે લીધો હતો.

ગુજરાતમાં પત્રકારો માટેની સ્કીમોથી પત્રકારો જ અજાણ

ગુજરાતમાં પણ પત્રકારો માટે અનેક કલ્યાણકારી સ્કીમ્સ રાજ્ય સરકારે વખતો વખત અમલમાં મૂકી હોવાનું જાણવા મળે છે. પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે આ કલ્યાણકારી યોજનાઓ જેના માટે અમલમાં મૂકવામાં આવી છે તેનાથી પત્રકારો જ અજાણ છે. પ્રેસ એક્રેડીટેશન કાર્ડની સ્કીમથી પત્રકારો વાકેફ છે પરંતુ, આ કાર્ડથી તેમને કઇ કઇ સુવિધાઓ મળે છે અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેનાથી પત્રકારોને અવગત કરવામાં આવતા નથી.

એસ.ટી.માં વિનામૂલ્યે મુસાફરી પણ કન્ડક્ટરો જ અજાણ

ગુજરાતમાં પ્રેસ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે પરંતુ, જ્યારે પત્રકારો બસમાં મુસાફરી કરવા બેસે છે ત્યારે જે તે બસ કન્ડક્ટરો આવી કોઇ યોજના ન હોવાનું જણાવીને જાહેરમાં અપમાનિત કરે છે, આમેય પત્રકારોની છાપ કેટલાક લોકોને કારણે ખરાબ થઇ હોય બસના અન્ય મુસાફરોમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કન્ડક્ટરનું વર્તન હોવાને કારણે પત્રકારો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.

February 2, 2019
Narendra-Modi-budget.jpg
1min10980

ભારતીય સંસદમાં તા.1લી ફેબ્રુઆરી 2019ને શુક્રવારે હંગામી નાણાંમંત્રી શ્રી પિયુષ ગોયેલ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ અંગે સમગ્ર ભારતમાં ખુશાલીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો છે ત્યાં કેટલાક લોકોને આ વચગાળાનું બજેટ ગેરકાયદે પણ દેખાયું છે અને તેના ભાગૂરપે જ બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વચગાળાનું બજેટને રદ કરવા અંગે વિનંતી કરવામાં આવી છે.

મોદી સરકારના ઇન્ટ્રીમ બજેટ વિરુદ્ધ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વચગાળાના બજેટ અંગે બંધારણમાં કોઇ જોગવાઇ નથી. વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં નિર્દેશ કરાયો છે કે બંધારણમાં માત્ર પૂર્ણ બજેટ અને વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની જ જોગવાઇ છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વોટ ઓન એકાઉન્ટ ચૂંટણીના વર્ષમાં નિર્ધારિત સમય માટે સરકારી ખર્ચને મંજૂરી આપે છે. ત્યારબાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે. શુક્રવારે લોકસભામાં નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી.