CIA ALERT

Slider Archives - Page 364 of 487 - CIA Live

April 26, 2019
sabji_market-1280x720.jpg
1min7930

તોબા તોબા પોકારાવતી ગરમીએ ભલભલાને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા છે ત્યારે જીવનજરૂરી એવા શાકભાજીના ભાવ પણ ખૂબ વધી જતાં ઘર ઘરનાં બજેટ વેરણછેરણ થઇ ગયાં છે. બધાં જ શાકભાજી મોંઘાદાટ થઈ ગયાં છે એટલું જ નહીં શાકભાજીની ગુણવત્તા પણ નબળી આવતી હોવાથી ગૃહિણીઓ રોજ શું બનાવવું તેની ચિંતામાં છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રભરમાં કોઈ શાક એક કિલોએ રૂ. 60થી સસ્તું નથી. મહિલાઓ 250 અને 500 ગ્રામ ખરીદીને ચલાવી રહી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને લીધે શાકભાજીનાં વાવેતર સાવ નબળાં રહ્યાં છે. એ કારણે ઉનાળાના આરંભથી જ શાકભાજી મોંઘાં છે. હવે ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને ચડી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડ કદની દૃષ્ટિએ ઘણું મોટું છે. જ્યાં સામાન્ય રીતે શાકભાજીની બેશૂમાર આવક થતી હોય છે. જોકે અત્યારે ફક્ત બટાટા અને ડુંગળીની જ નોંધપાત્ર આવક છે. એ સિવાયના તમામ શાકભાજી શોધવા પડે તેમ છે.
જથ્થાબંધ ભાવોમાં પાંખી આવકને લીધે કાગડાં ઉડતા હોય એવી સ્થિતિ છે. ફ્લાવરની આવક જ સામાન્ય દેખાય એવી છે. એ સિવાય તમામ શાકભાજી પૂરાં પચ્ચાસ ક્વિન્ટલ પણ આવતાં નથી! રાજકોટ યાર્ડમાં આજે રીંગણાની 37 ક્વિન્ટલની આવક હતી. કોબીજ 28 ક્વિન્ટલ, ફ્લાવર 250 ક્વિન્ટલ, ભીંડા 30 ક્વિન્ટલ, ગુવાર 35 ક્વિન્ટલ, દૂધી 30 ક્વિન્ટલ અને ગાજર 25 ક્વિન્ટલ આવ્યા હતા. એ સામે ડુંગળીની આવક 1800 ક્વિન્ટલ અને બટાટાની 9500 ક્વિન્ટલની આવક હતી.
શાકભાજીના ભાવ pef K.G.
શાક”” માર્કેટ યાર્ડનો ભાવ””” રિટેઇલ ભાવ
લીંબું”’ રૂ. 70-80””’ રૂ.125-130
ગુવાર” રૂ. 60-80””’ રૂ. 115-130
ભીંડા” રૂ. 40-50””’ રૂ. 90-100
દૂધી”” રૂ. 15-25””’ રૂ. 35-55
રીંગણા રૂ. 12-18””’ રૂ. 30-50
ટમેટાં” રૂ. 7-12”””’ રૂ. 30-60
કોબીજ રૂ. 8-12”””’ રૂ. 35-45
ફ્લાવર રૂ. 12-15””’ રૂ. 60-80

April 26, 2019
nirav.jpeg
1min7220

પંજાબ નેશનલ બૅંક સાથે એક અબજ ડૉલરની છેતરપિંડી કરવામાં અને મની લૉન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા તેમ જ યુકેમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલા હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ નિરવ મોદી શુક્રવારે લંડન કોર્ટ સમક્ષ રિમાન્ડ સુનાવણી માટે હાજર રહેશે.

ગત મહિને ધરપકડ થયા બાદ 48 વર્ષીય નૈઋત્ય લંડનમાં આવેલી વંડ્સવર્થ જેલમાં બંધ છે. તેમને જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવશે. નિરવ મોદી શરણે આવવામાં નિષ્ફળ જશે એવી પશ્ર્ચાદ ભૂમિકા પર ચીફ મેજિસ્ટ્રેટ ઇમ્મા અર્બુથનોટ દ્વારા 29 માર્ચના રોજ નિરવ મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

‘આ એક મસમોટો છેતરપિંડીનો કેસ છે. જેમાં ભારતની બૅંકને 1-2 અબજ યુએસ ડૉલરનું નુક્સાન થયું છે. મને ખાતરી નથી કે આ કેસમાં માગવામાં આવેલા શરતી જામીન ભારત સરકારની ચિંતાઓને પહોંચી વળશે,’ એમ જજે તેમના ચુકાદામાં નોંધ્યું હતું.

આવા કેસમાં જ્યુડિશિયલ રિમાન્ડની 28 દિવસની સમય મર્યાદા મુજબ આ અઠવાડિયે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ) દલીલ કરશે. તેમણે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે મોદીની જામીન અરજી નકારી કાઢવામાં આવી તેની સામે મોદી યુકેની હાઇ કોર્ટમાં જામીન અરજી કરશે.

અગાઉ સોલિસિટર આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરી સહિતની કાનૂની ટીમે તેમના ક્લાયન્ટ માટે એક મિલિયન પાઉન્ડ સિક્યોરિટી અને ઘરમાં નજરકેદ જેવા સખત ઇલેક્ટ્રોનિક ટૅગ પ્રતિબંધની ઓફર કરી હતી.

ડાયમંડ ડીલર નિરવના યુકેમાં કમ્યુનિટી ટાઇના અભાવ અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના દૂરસ્થ ટાપુ દેશ-વાનુઆટુનું નાગરિકત્વ મેળવવાનો 2017માં પ્રયાસ- આ બે બાબત નીરવ મોદીની વિરોધમાં ગઇ હતી અને જજે નોંધ્યું હતું કે આવા મહત્ત્વના સમયે નીરવ ભારતની દૂર જઇ રહ્યો છે.

સીપીએસ ટીમના વકીલે દલીલ કરી હતી કે પંજાબ નેશનલ બૅંક છેતરપિંડી કેસનો મહત્ત્વનો આરોપી ભાગી જશે અને સાક્ષી તથા પુરાવાઓ સાથે ચેડાં કરશે, એવું ગંભીર જોખમ રહેલું છે. એના ધંધાને કારણે એની પાસે હીરા, મોતી, સોનું છે.

ગત મહિનાની સુનાવણીમાં સામે આવ્યું હતું કે મોદીએ સાક્ષીઓને જાનથી મારવાની ધમકી આપી હતી અને પુરાવાઓનો નાશ કરવાની કોશિશ કરી હતી.

નીરવની વકીલની ટીમ એ કિંગફિશર ઍરલાઇન્સના વિજય માલ્યાની ટીમ એક જ છે. તેણે નીરવ મોદી સામેના બધા આક્ષેપનું ખંડન કર્યું હતું.

મોદી યુકેમાં ઇન્વેસ્ટર્સ વિઝા પર રહે છે એમ માનવામાં આવે છે. સ્કોટલેન્ડ યાર્ડ ઑફિસર્સ દ્વારા સેન્ટ્રલ લંડનમાં જ્યારે નીરવ મોદી નવો બૅંક એકાઉન્ટ ખોલાવવા ગયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min5880

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 26, 2019
maharashtra_map.jpg
1min4990

લોકસભાની ચૂંટણીના કામકાજ માટે નિમવામાં આવેલા અધિકારી, કર્મચારીઓને મતદાન બાદ બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી હોવાના અહેવાલ આવી રહ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ અહેવાલો આવ્યા બાદ કર્મચારીઓમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી, તેને પગલે રાજ્યના ચૂંટણી કમિશન ઑફિસ તરફથી આ અહેવાલો ખોટા હોઈ મતદાનના બીજા દિવસે કર્મચારીઓને કોઈ જાહેર રજા આપવામાં આવી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ચૂંટણીના બીજા દિવસે કર્મચારીને રજા તો આપવી જોઈએ. કારણ કે મોટા ભાગના કર્મચારીઓ તેમના ઘરેથી દૂર ચૂંટણીની કામગીરી માટે મોકલવામાં આવ્યા હોવાથી તેમને મુશ્કેલી પડતી હોય છે. એક દિવસમાં તો અવરજવર કરવામાં જ સમય નીકળી જાય તેથી રજા જરૂરી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

April 25, 2019
bjp_vs_congress.jpg
1min4810

આ વખતે કોંગીના 423 સામે ભાજપના 437 ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર 44 સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.

કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે 423 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે 437 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબાદ પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જોવામાં આવે છે.’ જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં 1998-99માં કેદ્રમાં સત્તા મેળવી હતી પરંતુ 2014ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને 282 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે.

2014માં કોંગ્રેસને 44 સીટો મળી હતી પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે 464 ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 428 ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં ભાજપે 433 અને કોંગ્રેસે 440 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

April 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8980

સૌરાષ્ટ્રની સાત બેઠકો રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર માટે ગઈકાલે પ9 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં સૌથી વધારે મતદાન રાજકોટમાં 63.1પ ટકા થયું છે જ્યારે ઓછું મતદાન અમરેલીમાં પપ.73 ટકા થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ગરમી વચ્ચે પણ સારૂં મતદાન થયું છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો અકળાયા છે અને રાજકીય તજજ્ઞો સ્પષ્ટ ગણિત માંડી શકતા નથી. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાંથી ત્રણમાં ભાજપનું પલડું ભારે હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે જ્યારે ચાર બેઠકો પર તો ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકની વાત કરીએ તો 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું છે. પાટીદારોના વિસ્તાર ટંકારામાં મતદાન વધારે થયું છે જ્યારે કોળી મતદારોના પ્રભુત્વ ધરાવતા જસદણમાં ઓછું મતદાન થયું છે. મતદારો જાણે ઘરેથી કોને મત આપવો, તેવું નક્કી કરીને નીકળ્યા હોય એ રીતે મતદાન થયું છે અને એટલે જ આ વખતે કોઈ અનુમાનો લગાવી શકાય એવી સ્થિતિ નથી. જૂનાગઢમાં ગયા વખત કરતાં સરેરાશ ત્રણ ટકા મતદાન ઓછું થયું છે અને જે મતદાન ઘટયું છે તે સવર્ણોનું ઘટયું હોવાનું તારણ નીકળે છે. દલિત, મુસ્લિમ સમાજ દ્વારા વધારે મતદાન થયું છે અને જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારૂં મતદાન થયું છે. સોમનાથ વિસ્તારમાં 70.8પ ટકા અને વિસાવદરમાં સૌથી ઓછું પ9.01 ટકા મતદાન થયું છે. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી, વંથલીમાં કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધન કર્યું, તેની શું અસર થાય છે તે જોવાનું રહ્યું. હાલમાં આ બેઠકનું’ અનુમાન કરી શકાય એવું નથી. ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગરમાં પણ પાક વીમો, રસ્તા, વિકાસ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. અહીં શહેર અને ગામડાંઓમાં લગભગ સરખું મતદાન થયું છે જે ભાજપનું પલડું ભારે કરી શકે તેમ મનાય છે. જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમની પાંચ વર્ષની ટર્મ, તેમનું નેટવર્ક તેમને ફાયદો કરાવી શકશે એમ માનવામાં આવે છે, છતાં વિવાદમાં રહેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધારે 6પ.13 ટકા મતદાન થયું તેના ઉપર સૌની નજર છે. દ્વારકા વિસ્તારમાં પ6.31 ટકા જેટલું ઓછું મતદાન થયું છે.

અમરેલી બેઠકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું મતદાન આ બેઠક માટે પપ.73 ટકા થયું છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોનું જંગી મતદાન થયું છે. શહેરી વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે. અમરેલી બેઠક હેઠળ મહુવા, ગારિયાધાર વિસ્તારો આવતા હોવાથી આ વિસ્તારમાં ખેડૂતો વધારે નારાજ છે અને ધાનાણી આંદોલનના સમયમાં આ વિસ્તારના ખેડૂતોની પડખે રહ્યા હતા એટલે એમનું પલડું નમેલું દેખાય છે. અમરેલીમાં મહુવા વિસ્તારમાં 63.66 જેટલું ઊંચું મતદાન થયું છે જ્યારે ગારિયાધારમાં પ2.31 ટકા જેટલું ઓછું વોટીંગ થયું છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના નવા ચહેરાસમા ઉમેદવાર ડૉ. મુંજપરા સામે કેંગ્રેસે દિગ્ગજ નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ઉતાર્યા હતા તો કેંગ્રેસથી નારાજ કોળી આગેવાન લાલજીભાઈ મેર અપક્ષ લડતા હતા. એ રીતે અહીં ત્રિપાંખીયો જંગ હતો અને વિશેષ વાત એ કે, આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો હતા. આ બેઠક માટે પ7.86 ટકા મતદાન થયું છે. જેમાં વીરમગામ અને ધ્રાંગધ્રામાં વધારે અને ધંધુકામાં ઓછું મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરના મતદારોએ મતદાનમાં સ્થાનિક પ્રશ્નો ખેતી, પાક વીમો અને પાણીની સમસ્યા ધ્યાને લઈ મતદાન કર્યું હોવાનું તારણ નીકળ્યું છે.

પોરબંદર બેઠક માટે ભાજપે નવા ચહેરા રમેશ ધડૂકને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ધોરાજીના ધારાસભ્યને લડાવ્યા હતા. પોરબંદર શહેરના લોકો માટે આ બન્ને નવા ચહેરા છે અને બન્ને પાટીદાર ખરા એટલે જ્ઞાતિવાદી સમીકરણો કરતાં પાટીદાર મતદારોએ સ્થાનિક પ્રશ્નોને અગ્રતા આપીને મતદાન કર્યું હોય એવું જણાઈ આવે છે. ગેંડલમાં પાટીદારોએ વધારે મતદાન કર્યું, તે સમીકરણ બદલાવી શકે. બન્ને પક્ષના જીતના દાવા વચ્ચે રાજકોટ, જામનગર, ભાવનગર બેઠકો ઉપર ભાજપનું પલડું ભારે છે પણ બાકીની ચાર બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં 23મી મે સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી ગઇકાલે શાંતિમય સંપન્ન થઇ તેમાં લઘુમતિ અને દલિતોએ ધીંગુ મતદાન કરવા છતાં ગત ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછા મતદાન પાછળ સવર્ણોની ઉદાસીનતા અને કંઇક ઉણપ હોવાનું જણાય છે. આ ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક તો નહીં બને ને? તે સવાલ સૌને મુંઝવી રહ્યો છે.

જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળની 7 વિ.સભા મત વિસ્તારમાં ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. તેમાં વિધાનસભા વાર મતદાનની ટકાવારી ઉપર નજર કરીએ તો જૂનાગઢ 59.01, વિસાવદર 53.01, માંગરોળ 63.89, સોમનાથ 59.01, તાલાળા 58.28 ટકા, કોડીનાર 59.63, ઉના 60.72 ટકા મતદાન નોંધાયુ છે. તેથી આ મત વિસ્તારમાં 60.73 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ લોકસભા બેઠકને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ ગણ્યો છે. તેના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢમાં ચૂંટણી’ સભાને સંબોધી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોડીનારમાં રોડ શો કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાતેય વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી સભા કરવી પડી હતી. જ્યારે કોંગ્રેસ ભાજપની સરખામણીમાં એકમાત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી સભા યોજાઇ હતી. કોંગ્રેસ પાસે આગેવાનો અને કાર્યકરો પણ ઓછા હોવાથી ભાજપ જેટલો જોરશોરથી પ્રચાર કરીશકી ન હતી તેનાથી સૌ પરિચિત છે.

આવા માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં લઘુમતી અને દલિત વિસ્તારોમાં ધીંગુ મતદાન થયું હતું. તેની સામે સવર્ણોમાં ઉદાસીનતા દેખાઇ હતી તેના પરિણામે ગત લોકસભા ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું છે.

આ ઓછા મતદાન માટે કંઇક ઉણપ રહી હોય તેમ જણાય છે. રાજકીય પક્ષોના આગેવાનોમાં મતદાનના દિવસે ઉદાસીનતા નજરે ચડી હતી. ટાઢાપોરે નેતાઓ દેખાયા હતા. કાર્યકરો પણ ડોર ટુ ડોર જઇ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી શકયા ન હતા.
મતદાનમાં લઘુમતી અને દલિતોના ઉત્સાહના પ્રમાણમાં સવર્ણોમાં ઉદાસનીતા દેખાઇ હતી. આ પાછળ કંઇક ઉણપ રહી હોય તેમ નકારી ન શકાય. ઉપરોકત બન્ને કોમોના ધીંગા મતદાનથી રાજકીય તજજ્ઞો પણ ચિંતિત બન્યા છે અને આંકડાના ગણિત કયાંક ઉંધા પડે તેવી આશંકા વ્યકત કરી રહ્યા છે. કદાચ મતદાનમાં ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક સાબિત પુરવાર થાય તો નવાઇ નહીં.

April 25, 2019
cji.jpg
1min14320

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ જાતિય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની તપાસ પેનલમાં રહેવાનો જસ્ટિસ એન વી રમનાએ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની તપાસ પેનલમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

April 25, 2019
gseb.png
1min10040

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધો.12 સાયન્સનું પરીણામ 9મી મે 2019
  • ધો.10નું પરીણામ 24-25મી મે 2019
  • ધો.12 કોમર્સનું પરીણામ 31મી મે 2019ના રોજ જાહેર થવાની શક્યતાઓ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ આગામી તા. 24 અગર તા.25મી મે અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તા.9મી મેના રોજ જાહેર કરશે, તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બિલકુલ બિનસત્તાવાર સમાચાર છે. અલબત્ત ગુજરાત બોર્ડ દ્વારા ભૂતકાળમાં જે રીતે પરીણામો જાહેર થયા હતા એને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહીને જોતા ઉપરોક્ત તારીખ અથવા તેની આસપાસના દિવસોમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ગત તા.7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે.

ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11.00થી 4.00 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલી ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

April 25, 2019
metoo-1.jpg
1min10620

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
surat_loksabha.png
3min7320

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.