Slider Archives - Page 358 of 487 - CIA Live

May 7, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5870

લીગ રાઉન્ડના બન્ને મેચમાં ચેન્નાઇ સામે જીત મેળવનાર મુંબઇની ટીમ ફેવરિટ
ધોનીની ટીમ સીએસકેને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે
આઇપીએલ-12નો લીગ તબકકો સમાપ્ત થઇ ચૂકયો છે. હવે આવતીકાલ મંગળવારથી પ્લેઓફના મુકાબલા શરૂ થશે. મંગળવારે પહેલા કવોલીફાયર મેચમાં પોઇન્ટ ટેબલ પરની બે ટોચની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની કાંટે કી ટકકર થશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમનો સીધો ફાઇનલમાં પ્રવેશ થશે. જયારે પરાજીત ટીમને વધુ એક તક મળશે. આ મેચ એમ. એ. ચિંદમ્બર સ્ટેડિયમ પર રમાશે. જે ધોનીની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આથી સીએસકેને ફાયદો મળી શકે છે. જો કે આ જ મેદાન પર રમાયેલા પાછલા લીગ મેચમાં મુંબઈની ટીમે ચેન્નાઇને હાર આપી હતી. એ મેચમાં ધોની અનફિટ હોવાથી રમ્યો ન હતો. આઇપીએલની વર્તમાન સિઝનના બન્ને લીગ મેચમાં મુંબઇની ટીમે ચેન્નાઇની ટીમને હાર આપી હતી. આથી આવતીકાલના પ્લેઓફના મેચમાં રોહિત શર્માની ટીમને એસએસ ધોનીની ટીમ સામે ફેવરિટ માનવામાં આવી રહી છે. આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચની ટકકર થઇ છે. જેમાં મુંબઇનો હાથ ઉપર રહ્યો છે. તેને 1પમાં જીત મળી છે. જયારે ચેન્નાઇને 11 મેચમાં વિજય પ્રાપ્ત થયો છે.
ચેન્નાઇની ધીમી પિચ પર ધોનીનું સૌથી મુખ્ય હથિયાર તેની સ્પિન બોલિંગ હશે. ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા અને અનુભવી હરભજનસિંઘ મુંબઇના બેટધરોને સંયમમાં રાખવા સક્ષમ છે. ઇજા બાદ વાપસી કરનાર ઓલરાઉન્ડર બ્રાવો ફોર્મમાં નથી. આથી તેના સ્થાને કિવિ સ્પિનર મિચેલ સેન્ટરને તક મળી શકે છે. ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને મુરલી વિજયને લગભગ અજમાવવામાં આવશે.
આ સામે મુંબઇની ટીમ તેના બે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને લાસિથ મલિંગા પર વધુ નિર્ભર રહેશે. તેના સાથમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, સુકાની રોહિત શર્મા, કિવંટન ડિ’કોક, કિરોન પોલાર્ડ, દીપક ચહર, કુણાલ પંડયા અને સૂર્યકુમાર યાદવ રહેશે. મુંબઇની ટીમમાં કેરેબિયન બેટધર ઇવિન લૂઇસને તક મળી શકે છે. મેચ મંગળવારે સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે.
May 7, 2019
kedar_jadhav.jpg
1min7450
ઇજાની સમસ્યા કેદાર જાધવનો પીછો છોડવાનું નામ લઇ રહી નથી. ગત સિઝનમાં ખભાની ઇજાને લીધે તે લગભગ ચાર મહિના મેદાન બહાર રહયો હતો. હવે ઠીક વર્લ્ડ કપ પહેલા ફરી તેને ખભાની ઇજાની સમસ્યા થઇ છે. આથી તે આઇપીએલ આ પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થઇ ગયો છે. વિશ્વ કપ નજીક હોવાથી ટીમ ઇન્ડિયાની પણ ચિંતા વધી છે.
‘કેદાર જાધવને રવિવારના મેચમાં ચેન્નાઇ તરફથી રમતા પંજાબ સામેના મેચમાં ઇજા થઇ હતી. જો કે સીએસકે ટીમ મેનેજમેન્ટનું કહેવું’ છે કે કેદારની ઇજા ગંભીર નથી. તે બે સપ્તાહમાં ઠીક થઇ જશે. આથી ભારતની વિશ્વ કપની યોજનામાં કોઇ ફરક પડશે નહીં. જાધવ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ભારતની વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયો છે. વર્લ્ડ કપ 30 મેના શરૂ થઇ રહયો છે. ભારતનો પહેલો મેચ પ જૂને આફ્રિકા સામે છે.
વર્લ્ડ કપ નજીક હોવાથી ચેન્નાઇની ટીમે કેદાર જાધવને પ્લેઓફના મેચોમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇના કોચ સ્ટીફન ફલેમિંગે પણ કહયું છે કે કેદાર હવે પ્લેઓફના મેચમાં રમશે નહીં. તેની નજર વિશ્વ કપ પહેલા ફિટ થવા પર છે.
May 7, 2019
urinal.jpg
1min6760

ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.

May 7, 2019
talala_kesar.jpg
1min7540

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5630

ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક., (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.

વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇ કોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માગી હતી. ગુજરાત હાઇ કોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, 204 ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિધાર્રિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇ કોર્ટ દ્વારા 30 /10/2018ના ચુકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.

May 7, 2019
NEET-1.png
1min15000

ટ્રેન મોડી પડવાથી નિટની પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓને ફરી તક અપાશે: જાવડેકર

ટ્રેન મોડી પડવાને કારણે મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ ઇલેજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષા ચૂકનાર કર્ણાટકના વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી હતી. આ વિદ્યાર્થીઓની પરીક્ષા 20મી મેને દિવસે લેવામાં આવશે.

જાવડેકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે મને આ વાત જણાવતા આનંદ થાય છે કે ટ્રેન મોડી પડવાને કારણે કર્ણાટકના જે વિદ્યાર્થીઓ નિટની પરીક્ષા ચૂક્યા હતા, એમને વધુ એક તક આપવામાં આવશે. આ પરીક્ષા રવિવારે આખા દેશમાં લેવામાં આવી હતી, પણ કર્ણાટકના સેંકડો વિદ્યાર્થીઓની ટ્રેન પરીક્ષાના ચોક્કસ સમય કરતા બેંગલોર એક કલાક મોડી પહોંચી હતી.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આ મામલો ટ્વિટર પર હાઇલાઇટ કર્યો હતો અને એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કર્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષા લે છે અને એમણે પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફરેફાર ન કર્યો હોવાની જાહેરાત કરી હતી.

ઓડિશામાં પણ ચક્રવાત ફોનિને કારણે પરીક્ષા લંબાવીને 20મી મેને દિવસે લેવાનો નિર્ણય લેવાયો હતો.

May 7, 2019
sitaram_yechury.jpg
1min5140

વડા પ્રધાન મોદી સામે પ્રહારો કરતા સીપીઆઇ(એમ)ના જનરલ સેક્રેટરી સાતારામ યેચુરીએ સોમવારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક ધ્રુવીકરણને તીવ્ર બનાવવા મોદી જુઠ્ઠાણા બોલે છે. પ. બંગાળના ઝારગ્રામ ખાતે ચૂંટણી સભાને સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ રામાયણ અને મહાભારત પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ યેચુરીની ટીકા કરી હતી.

‘મેં ભોપાળમાં જે કહ્યું તેને મોદીએ ટેવ પ્રમાણે ખોટી રીતે ટાંક્યું હતું. ભોપાળમાં ભાજપે આતંક ફેલાવનારાને ઊભો રાખ્યો છે. જેમ આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો, તેમ હિંસક લોકો દરેક જૂથમાં મળી આવી શકે છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ આવા લોકોની વાત છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણને તીવ્ર બનાવવા મોદી જુઠ્ઠાણાં બોલે છે,’ એમ યેચુરીએ ટ્વીટ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે સામ્યવાદી લોકોની હિંદુ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ભાષા બોલવાની ફેશન થઇ ગઇ છે.

યેચુરીએ તાજેતરમાં રામાયણ અને મહાભારત કાવ્યને હિંદુ હિંસાચારના ઉદાહરણ તરીકે ઓળખાવ્યા હતા.

May 7, 2019
voting.jpg
1min4570

સોમવારે સાત રાજ્યોમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન ભારે ઉત્સાહથી સંપન્ન થયું હતું. ઉત્તર પ્રદેશમાં 57.33 ટકા, રાજસ્થાનમાં 63.78 ટકા, મધ્ય પ્રદેશમાં 63.88 ટકા, બિહારમાં 57.86 ટકા અને ઝારખંડમાં 63.72 ટકા મતદાન થયું હતું. પ. બંગાળમાં 74.42 ટકા અને જમ્મુ-કાશ્મીરના લડાખમાં 64 ટકા મતદાન નોંધાયું હતું.

જોકે શોપિયાં અને પુલવામા જિલ્લાની બેઠકમાં ફક્ત 3 ટકાનું કંગાળ મતદાન નોંધાયું હતું. અનંતનાગમાં એકંદરે 8.76 ટકા મતદાન નોંધાયું હતું. પાંચમા તબક્કા માટે ચૂંટણી પંચે 96 હજાર મતદાન મથક ઊભા કર્યા હતા. હવે 424 બેઠક પર મતદાન પૂરું થયું છે અને 12 તથા 19 મેના રોજ 118 બેઠક પર મતદાન થશે.

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ ચેર પરસન સોનિયા ગાંધી અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સહિત ટોચના નેતાઓનું ભાવિ મતદાનમથકમાં સીલ થયું હતું.

May 6, 2019
admission-1280x1360.jpg
1min18120

જયેશ બ્રહ્મભટ્ટ 09253 44944

આગામી તા.9મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ રહ્યું છે અને એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીઓને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ આ વખતથી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્કિટેક્ચર વગેરે કોર્સમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે જરૂરી 14 આંકડાના પીન નંબરના વિતરણ તેમજ ઓનલાઇન ફી ભરવા માટેની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે.

14 આંકડાનો પીન ક્યારથી મળશે એની જાહેરાત હવે પછી અખબારોમાં જાહેરાત આપી કરવામાં આવશે

આ વખતથી કોટક બેંકમાં નહીં પરંતુ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની રાજ્યભરમાં પથરાયેલી ચોક્કસ બ્રાન્ચમાંથી ઓનલાઇન પ્રવેશ માટેનો જરૂરી 14 આંકડાનો પીન મળશે.

ગુજરાતમાં આવેલી ધો.12 પછી પ્રવેશ માટેની ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, આર્કિટેકચર, ધો.10 પછી ડિપ્લોમા, કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએ, એમસીએ વગેરે કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બહાર પાડવામાં આવતા 14 આંકડાના પીન નંબરનું મહત્વ ઘણું છે. તેના વગર રજિસ્ટ્રેશન થઇ શકે નહીં.

ગત વર્ષ સુધી કોટક બેંકમાંથી 14 ડિજિટનો પીન મળતો હતો હવે આ વર્ષથી બદલાયેલી વ્યવસ્થા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી પીન મળશે.

રાજ્યભરમાં આવેલી ICICI બેંકની 136 બ્રાન્ચ માંથી 14 આંકડાનો પીન મળશે

May 6, 2019
sensex-l-express-photo.jpg
1min7110

સોમવારે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી અને અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ સોમવારે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 10.15 વાગ્યે BSE S&P સેન્સેક્સ 314 પોઈન્ટ્સ ધટીને 38,649 જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 96 પોઈન્ટ્સ ઘટીને 11,615 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે ટાટા મોટર્સ 4.5 ટકા ઘટીને જ્યારે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને હિન્દાલ્કો વગેરે શેર્સ 3 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. યસ બેન્કની ક્રેડિટ ક્લોલિટી કથળતા ICRAના બેન્કના ટીયર1 અને ટીયર 2 બોન્ડના ડાઉનગ્રેડને પગલે તેના શેર્સ પણ 2.9 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

જોકે, નકારાત્મક ટ્રેન્ડ વચ્ચે આજે સવારે ભારત પેટ્રોલિયનમ, ઈન્ડિયન ઓઈલ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર્સ સાધારણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ટ્રમ્પની ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારવાની ધમકીને પગલે એશિયાના મોટા ભાગના બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. રજા બાદ ચીનનું શેરબજાર આજે 3.5 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું.