તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.
વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)” દ્વારા આયોજીત “ગોલ્ડનજ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી – ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .
ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.
આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.
ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.
સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.
(૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
(૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
(૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
અમેરિકાના ટેરિફ વોરની અસરથી ભારતીય શેરબજારમા ભારે અફડા તફડી જોવા મળી છે. જેમા આજે Date 7/04/2025 સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ શેરબજારના કોરોના બાદનો સૌથી મોટો કડાકો છે. જેના લીધે રોકાણકારોના નિરાશા જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરુઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ આજે 3939.68 પોઇન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. રોકાણકારોની મૂડીમાં આજે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. શુક્રવારે 403.34 લાખ કરોડ સામે બીએસઈ માર્કેટ કેપ આજે 383 લાખ કરોડ થયું છે.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે. 727 સ્ક્રિપ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં અફરાતફરીના માહોલ છે.
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર ઘટાડા ખુલ્યા. બીજી તરફ નિફ્ટીની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ફક્ત ભારતી એરટેલનો શેર 0.90 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે, ટાટા સ્ટીલનો શેર આજે ૮.૨૯ ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ 2231 પોઇન્ટ, નાસડેક 962 પોઇન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ 2370.25 પોઇન્ટ હેંગસેંગ 2445 પોઇન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ 5 ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવૉર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતું નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારુ વેપાર નીતિ બનાવશે.
બ્લેક મંડે શું છે ?
19 ઓક્ટોબર 1987ના રોજ બ્લેક મંડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6 ટકા ઘટ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક શેરબજારમાં મંદી લાવી દીધી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક બન્યો. આ દિવસે S&P 500 30 ટકા ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાંમોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20 ટકા થી વધુ ગુમાવ્યા હતા.
સોનુ ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પણ ભારે વેચાવાલી
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, નીતિને પગલે અમેરિકા સહિતની વિશ્વભરની ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં રોકાણકારોને થયેલી વ્યાપક નુકસાની સરભર કરવા માટે રોકાણકારો સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ એક ટકા કરતાં વધુ માત્રામાં ઘટીને સાડાત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને ચાંદીમાં તળિયેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2603થી 2613નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. 89,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતર્યા હતા.
સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ગત શુક્રવારના વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 4535નાં ગાબડાં સાથે રૂ. 89,000ની અંદર ઉતરીને રૂ. 88,375ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2603 ઘટીને રૂ. 88,047 અને રૂ. 2813 ઘટીને રૂ. 88,401ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાની વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો થોડોઘણો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના નેતૃત્વમાં લોકશાહી, સાતત્ય અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહેલી સ્ટેડીયમ પેનલ જીતના માર્ગ પર અગ્રેસર
છેલ્લા 28 વર્ષથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને કનૈયાભાઇ લાલભાઇ કોન્ટ્રાક્ટરનું મજબૂત નેતૃત્વ સાંપડી રહ્યું છે. કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના કુનેહભર્યા નેતૃત્વ અને સૌને સાથે રાખવાની નીતિને કારણે જ આજે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન એક અડીખમ વટવૃક્ષની જેમ હજારો મેમ્બર્સને સુવિધા રૂપી છાયા આપી રહી છે. હાલમાં જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીનો વાયરો સુરતમાં ચોમેર ફૂંકાય રહ્યો છે ત્યારે તેમનો એક ગુણ એસડીસીએના મેમ્બર્સ અને ક્રિકેટ પ્રેમીઓ યાદ કરી રહ્યા છે કે પાછલા વર્ષોમાં પોતાના લઘુબંધુએ સુકાની પદ સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદેથી ખસી જઇને પોતાના લઘુબંધુ સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરને સુકાન સોંપી દીધું હતું. કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે આ પ્રકારે આપેલા સમર્પણને કારણે જ સ્ટેડીયમ પેનલ સાથે આજે મતદારો પણ અડીખમ ઉભા છે. આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના મેમ્બર પરીવારો એ દિવસો યાદ કરી રહ્યા છે જયારે સ્ટેડીયમનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું, શરૂઆતના દિવસો હતા ત્યારે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે એસ.ડી.સી.એ. પરીવાર એક દિવસ વિશાળ હશે અને તેમાં આપણે વિકસાવેલી ક્રિકેટની રમત માટેની માળખાગત સુવિધાઓને કારણે દેશની અનેક ટીમો સુરતમાં રમવા આવશે અને છેલ્લા પાંચ વર્ષનો સ્ટેડીયમનો ઓક્યુપન્સી રેટ જોઇએ તો ખ્યાલ આવશે કે જેવું વિઝન કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરે દાયકાઓ પહેલા બતાવ્યું હતું તેવું જ બન્યું અને હજુ બની રહ્યું છે. આગામી રવિવારે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પેનલનું નેતૃત્વ કરી રહ્યા છે. જેમ ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં સિનિયર પ્લેયર્સ, ઓલરાઉન્ડર્સ, સ્પેશ્યાલિસ્ટ બેટર્સ, બોલર્સ, ફિનિશર્સ છે તેવી જ રીતે સ્ટેડીયમ પેનલના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારો જુદી જુદા ક્ષેત્રના મહારથીઓ છે, તેમણે અત્યાર સુધી તેમના ક્ષેત્રમાં પ્રગતિ કરવા સાથે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના નાના મોટા કાર્યોમાં ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આગામી સમય સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન જ્યારે નિર્ણાયક તબક્કામાંથી પસાર થવાનું છે ત્યારે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સ્ટેડીયમ પેનલે લોકશાહી, સાતત્ય અને વિકાસ એ ત્રણ પ્રચંડ મુદ્દા પર ચૂંટણીમાં ઝુકાવ્યું છે.
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.
પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે. પીએમ મોદીએ વર્ષ 2019મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો અને 5 વર્ષમાં દરિયા પર તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે.
પંબન બ્રિજની વિશેષતાઓ
આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે. જેમાં 18.3 મીટરના 99 સ્પાન અને 72.5 મીટરનો એક વર્ટિકલ લિફ્ટ સ્પાન આ બ્રિજ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો બ્રિજ નીચેથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે બ્રિજ નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પોલિસીલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરાયો નવો પંબન બ્રિજ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે સલામત બ્રિજ પર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે બ્રિજ વચ્ચેથી ખુલશે જેથી જહાજો પસાર થઈ શકશે આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરાયું. તેનો બાંધકામ ખર્ચ રૂપિયા 535 કરોડ પીએમ મોદીએ 2019 માં શિલાન્યાસ કર્યો હતો પીએમ મોદીએ વર્ષ 2019 મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં સામાન્ય રીતે દાયકાઓ લાગે છે. જેના કારણે ખર્ચ અનેકગણો વધી જાય છે. જોકે, આ બ્રિજનું કામ રેકોર્ડ ટાઇમમા પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.
રેલવેના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોએ દેશને એક નવું વિકસિત પરિમાણ આપ્યું છે. કાશ્મીર સુધી સીધી રેલ સેવા માટે ચેનાબ અને અંજી પુલના નિર્માણથી દેશનું ગૌરવ વધ્યું છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીની 46 બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં હઠાગ્રહ સેવીને પેનલ ટુ પેનલ ચૂંટણી લડીને જીતવાના બણગાં ફૂંકનારા નવા નિશાળીયાઓને ધોબી પછાડ મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો હતો.
રવિવારે મોડીરાત્રે 11.30 કલાકે ચૂંટણીનું અંતિમ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર પેનલના તમામ 46 ઉમેદવારોનો જંગી વિજય થયો હતો. નવસર્જન પેનલના એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા પણ મતો મેળવી શક્યા ન હતા. ડિપોઝીટ બચાવવા માટે ઉમેદવારે કુલ વેલિડ વોટના 30 ટકા મત જરૂરી હોય છે, નવસર્જન પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હતી.
ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીના લેખાં જોખાં જોઇએ તો સૌરાષ્ટ્રવાસીઓ સૌથી વધુ મતોથી જીત્યા હતા જ્યારે અપરિપક્વ અને ચેમ્બરમાં કશું યોગદાન આપ્યા વગર સત્તા પર કબજો જમાવવાના ઇરાદે ચૂંટણી લડવા નીકળેલા નવા નિશાળીયાઓની મનની મનમાં રહી ગઇ હતી.
નવસર્જન પેનલમાં મનિષ કાપડીયા અને ગણપત ધામેલિયાની એન્ટ્રી થયા પછી સ્થિતિ બગડી હતી. ચૂંટણીના બે દિવસ અગાઉ સુધી નવસર્જન પેનલના ઉમેદવારો પોતાની રીતે સારું ગ્રાઉન્ડ કવર કરી શક્યા હતા પરંતુ, બે દિવસ અગાઉ મનિષ કાપડીયાએ નવસર્જન પેનલના કાર્યાલયમાં એન્ટ્રી લીધા પછી નવસર્જન પેનલની દશા બેઠી હતી. વાતાવરણ એવું ફેરવાયું કે કુલ મતદાનના 30 ટકા મતો પણ નવસર્જન પેનલના ઉમેવદવારો મેળવી શક્યા ન હતા.
વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રબળ દાવેદાર અને ગયા વર્ષે વીપીનું ઇલેક્શન ખરાબ રીતે હારી ચૂકેલા મનિષ કાપડીયાએ સહકાર પેનલ સાથે મુખ મે રામ બગલ મે છુરી જેવો વ્યવહાર કર્યો હતો. મનિષ કાપડીયા એવું જાહેરમાં કહેતા ફરતા હતા કે નવસર્જન પેનલ પાછળ તેમનો કોઇ હાથ નથી પરંતુ જ્યારે બીજી તરફ મતદાનના દિવસે ક્રોસ વોટીંગ કરાવવા માટે મનિષ કાપડીયા નવસર્જન પેનલ અને સહકાર પેનલના ઉમેદવારોની મિક્સ ચિઠ્ઠી મતદારોને આપતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. નવસર્જન પેનલના ઉમેદવારો અને સમર્થકો તોફાન મચાવે તેવા અનેક પ્રયાસો મનિષ કાપડીયાએ કરી જોયા હતા પરંતુ, એવું થઇ શક્યું ન હતું.
નવસર્જનના કેટલાક ઉમેદવારો એટલા છાકટા થઇ ગયા હતા કે ચૂંટણી અધિકારીઓને પણ થાય તે કરી લેજો એવા શબ્દ પ્રયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરતા જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રવાસી મતદારોનું પરીપક્વ મતદાન
આજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસી મતદારોએ પરીપક્વ મતદાન કર્યું હતું. પીઢ, સિનિયર અને પરીપક્વ સૌરાષ્ટ્રવાસી ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપ્યા હતા. બાકીના મતો સુરતીઓ ઉમેદવારોને આપ્યા હતા. ચેમ્બરના વહીવટમાં એન્ટ્રી કરવા પહેલા ઉપદ્રવ કરતા જોવા મળેલા ઉમેદવારોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ચેેમ્બરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રતિનિધિત્વ પણ અકબંધ રહ્યું હતું અને ઉપદ્રવી ઉમેદવારો પોતાની ડિપોઝીટ જાળવી શકે તેટલા પણ મત મેળવી શક્યા ન હતા.
સુરતી મતદારોએ પણ જોરદાર અને આક્રમક મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં સુરતી અને સૌરાષ્ટ્રવાસીનો માહોલ ઉભો કરીને વર્ગવિગ્રહ સુધી મામલો પહોંચાડી દેનારા કેટલાક તત્વોને આ વખતે સૌરાષ્ટ્રવાસી પરીપક્વ ઉદ્યોગપતિઓ અને આગેવાનોએ ઓળખી લીધા છે, હવે ચેમ્બરની ચૂંટણીમાં ક્યારેય સૌરાષ્ટ્રવાસી અને સુરતીઓનો જંગ જોવા નહીં મળે. સુરતના મતદારોએ આજે જોરદાર મતદાન કરીને સૌરાષ્ટ્રવાસીઓને તો ટોપ પોઝિશન પર જીતાડ્યા પરંતુ, સુરતી મતદારને જીત એટલી શાનદાર અપાવી કે નવસર્જનના ઉપદ્રવી ઉમેદવારો બીજી વખત સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસી વચ્ચે ભેદ પાડીને ચૂંટણી જીતવાનું નામ નહીં લે.
નાના મોટા અનેક છમકલાં અને વિવાદો સર્જાય હતા. ચૂંટણીના મતદાનના આરંભે જ બબાલ થતાં મતદાન અડધો કલાક વિલંબથી શરૂ થયું હતું. મતદાન દરમિયાન નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને ભારે દેકારો મચાવ્યો હતો, જોકે મતદાન ખોરવવાની તેમની હરકતો પરીણામ વિહીન નિવડી હતી.
સાંજે 5.30ના ટકોરે જ્યારે મતદાન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે લાઇફ કેટેગરીમાં કૂલ 12,158 પૈકી 3590 મતદારોએ મતદાન કરતા કૂલ મતદાન 29.52 ટકા નોંધાયું હતું. મતદાન બાદ શરૂ થયેલી મતગણતરીના પ્રથમ તબક્કામાં જ સહકાર પેનલના ઢગલાબંધ મતો નીકળવા માંડ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સહકાર પેનલના ઉમેદવારોએ અડધોઅડધ સીટો હાંસલ કરી લીધી હતી.
સધર્ન ગુજરાત ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર પેનલ ટુ પેનલ ચૂંટણી યોજાઇ હતી. સહકાર પેનલ કે જે સત્તાધારી પક્ષની પેનલ હોઇ, તેમાં પૂરેપૂરા 46 મતદારો હતા જ્યારે તેની સામે સૌરાષ્ટ્રવાસી યુવા મેમ્બરોએ 26 ઉમેદવારોની પેનલ ઉતારી હતી. તેમની પાસે પૂરા 46 ઉમેદવારો ન હોઇ, સહકાર પેનલના કેટલાક ઉમેદવારો માટે પણ નવસર્જન પેનલના ઉમેદવારોએ મત માગવા પડ્યા હતા. વહેલી સવારે જ્યારે મતદાન શરૂ થયું ત્યારે આ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને પાંચ પૂર્વ પ્રમુખોના બનેલા ચૂંટણી પંચે નવસર્જન પેનલના 7 ઉમેદવારોને ચૂંટણી આચારસંહિતાના ભંગના કસૂરવાર ગણાવીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાના આદેશ કર્યા હતા. એ પછી પણ નવસર્જન પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ચૂંટણીનું મતદાન ખોરવવાના આશયથી ચેમ્બર પરીસરમાં ભારો હોહા અને સૂત્રોચ્ચાર કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પોલિસે લાલ આંખ કરતા બાદમાં ચૂપચાપ બેસી રહેવું પડ્યું હતું.
નવની જગ્યાએ સાડા નવ વાગ્યે શરૂ થયેલા મતદાનના પહેલા બે કલાકમાં જોરદાર વોટીંગ શરૂ થયું હતું અને પ્રથમ બે કલાકમાં જ 1600થી વધુ મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં એક તરફ મતદાન યોજાઇ રહ્યું હતું અને બીજી તરફ પ્લેટીનમ હોલની બહાર બે છાવણીઓમાં સહકાર પેનલ અને નવસર્જન પેનલના સમર્થકો વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા.પહેલા બે કલાક દરમિયાન તો મતદાન કરવા માટે કતારો લાગી ગઇ હતી. બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી મતદાન સાવ મંદ પડી ગયું હતું.
એકલ દોકલ મતદારો મતદાન કરવા આવતા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા કરતા ઉમેદવારોની સખ્યા વધુ જણાતી હતી. આજે રાજસ્થાન સ્થાપના દિવસ, ચેટીચંડ, રમજાન ઇદ પૂર્વેનો અંતિમ દિવસ તેમજ સેન્ટ્રલ બોર્ડની સ્કુલનું નવું સત્ર શરૂ થવા પૂર્વેનો અંતિમ દિવસ હોઇ, તેની અસર ચેમ્બરની ચૂંટણીના મતદાન પર જોવા મળી હતી. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાની સમગ્ર પ્રક્રિયા સુરત પીપલ્સ બેંકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર ભારતમાં સૌથી પહેલો કોર્સ, ગુરુગ્રામની નોર્થકેપ યુનિવર્સિટીમાં શરૂ થશે જુલાઇ 2025થી Start
સરળ ભાષામાં સમજો સેમિકન્ડક્ટર ચીપ શું હોય
સેમિકન્ડક્ટર એક એવી માઇક્રોચીપ છે કે જે પૂર્વનિર્ધારિત પ્રોગ્રામિંગ અનુસાર જુદી જુદી પરિસ્થિતિઓમાં જે તે ઉપકરણને ઓટોમેટીક અને સતત કાર્યરત રાખે છે. સેમિકન્ડક્ટર ચીપ કમ્પ્યુટર્સથી લઇને મોટરકાર, એરોપ્લેન, રોકેટ, હોમ એપ્લાયન્સીસઝ, મોબાઇલ ફોન્સ વગેરે વર્તમાન સમયના દરેકે દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હાર્દ હોય છે.
નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), IIT મંડી અને ધ નોર્થકેપ યુનિવર્સિટી (NCU), ગુરુગ્રામે, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) માં B.Tech રજૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઔપચારિક રીતે કૌશલ ભવન, નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.
સેમિકન્ડક્ટર ટેક્નોલોજી એવું ક્ષેત્ર છે જે આધુનિક ઇક્વિપમેન્ટ્સથી લઇને મોટરકાર સુધીની તમામ ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરીંગમાં અનિવાર્ય અંગ છે.ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને અનુરૂપ મેનપાવર ઉદભવે તે સાથે જ ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલાવિદ્યાર્થીઓને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ તાલીમથી સજ્જ કરવા માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને બી.ટેક. વીથ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કોર્સ ડિઝાઇન કર્યો છે.
આઠ સેમેસ્ટરમાં રચાયેલ આ ચાર વર્ષનો કાર્યક્રમ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે, જેમાં નીચેના ચેપ્ટર્સનો સમાવેશ થાય છે:
નેનોટેકનોલોજી અને સેમિકન્ડક્ટર મટિરિયલ્સ એન્જિનિયરિંગ
સેમિકન્ડક્ટર ફિઝિક્સ
માઇક્રોફેબ્રિકેશનનો પરિચય
સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન
સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ટેકનોલોજી
મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સ્ડ વિષયો
અભ્યાસક્રમમાં NCU, NSDC અને IIT મંડી દ્વારા સહ-વિકસિત એપ્લિકેશન-ઓરિએન્ટેડ લર્નિંગના 25 ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. ડિગ્રી NCU નોર્થકેપ યુનિવર્સિટી ગુરુગ્રામ દ્વારા એનાયત કરવામાં આવશે.
અમલીકરણમાં NSDC ની ભૂમિકા
NSDC આ કાર્યક્રમના સરળ રોલઆઉટને સુનિશ્ચિત કરશે:
તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી નોંધણી કરવી
શિક્ષણ લોન સાથે પાત્ર ઉમેદવારોને ટેકો આપવો
AI-સક્ષમ સામગ્રી, વ્યાખ્યાનો અને સોંપણીઓ સાથે એક-સ્ટોપ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું
વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરી પ્લેસમેન્ટમાં સહાય કરવી
IIT મંડી ખાતે હેન્ડ્સ-ઓન લર્નિંગ
IIT મંડી ફેકલ્ટી વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવશે અને ચાર વર્ષમાં અદ્યતન પ્રયોગશાળાઓમાં છ હેન્ડ્સ-ઓન નિમજ્જન કાર્યક્રમો પ્રદાન કરશે. સંસ્થા અભ્યાસક્રમ, પરીક્ષાઓ, સબમિશન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરશે, જે NCU ખાતે અંતિમ ડિગ્રી માટે ગણવામાં આવશે.
વેદ મણિ તિવારી, CEO, NSDC (અને MD, NSDC ઇન્ટરનેશનલ) કહે છે કે “IIT મંડી અને NCU સાથેનો અમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણનું લોકશાહીકરણ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવા તરફ એક પગલું છે. આ પહેલ રોજગાર ક્ષમતામાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે – જે ભારતના તકનીકી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.”
ડૉ. તુષાર જૈન, CCE, IIT મંડી કહે છે કે “આ સહયોગ IIT મંડીની સંશોધન કુશળતા, NCUના શૈક્ષણિક માળખા અને NSDCની કૌશલ્ય વિકાસ પહેલને જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવે છે.”
પ્રો. નુપુર પ્રકાશ, વાઇસ ચાન્સેલર, NCU: “આ અગ્રણી કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યવહારુ સંપર્કનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ IIT મંડી ખાતે સ્વચ્છ રૂમ અને અદ્યતન પ્રયોગશાળાઓમાં વ્યવહારુ અનુભવ મેળવશે, જે તેમને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તૈયાર કરશે.”
આ પહેલ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તક આપે છે, જે તેમને વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો બનાવે છે.
The B.Tech CSE with Specialisation in Semiconductor Technology at The NorthCap University (NCU) is designed to equip students with in-depth knowledge of semiconductor design, fabrication, and advanced computing technologies. As semiconductors drive innovation across industries, this programme blends core computer science principles with cutting-edge semiconductor technologies to prepare students for high-demand roles in chip design, embedded systems, and nanoelectronics.
This specialisation focuses on VLSI design, semiconductor materials, circuit fabrication, and AI-enabled hardware, making graduates highly valuable in industries such as quantum computing, artificial intelligence, telecommunications, and IoT. With industry collaborations, state-of-the-art semiconductor labs, and hands-on exposure to chip design, testing, and fabrication, students gain practical expertise essential for the rapidly evolving semiconductor industry.
State-of-the-Art Labs – Hands-on training with Cadence, Xilinx, Siemens, Key Soft, and Ansys design software.
Global Academic Collaborations – Partnerships with NTHU Taiwan and University of Illinois, USA for advanced semiconductor technology research.
Research & Innovation Opportunities – Focus on quantum computing, AI-driven chip design, and next-gen semiconductor materials like graphene and gallium nitride.
Real-World Industry Exposure – Internships with leading semiconductor companies to gain practical experience in semiconductor design, testing, and production.
Multidisciplinary Skill Development – Integration of circuit design, embedded systems, semiconductor testing, and packaging technologies for industry readiness.
Curriculum – Detailed Programme Structure
The B.Tech CSE with Semiconductor Technology is structured over four years (eight semesters), integrating fundamental computer science principles with specialized semiconductor knowledge.
Advanced topics in Logic Gates, Power Management, and Circuit Analysis
Lab exposure with design and simulation software
Years 3 & 4: Advanced Specialisation & Industry Exposure
Digital & Analog Circuit Design for semiconductor applications
Embedded Systems Design for IoT, automotive, and AI applications
Quantum Computing & AI-Enabled Hardware
Semiconductor Fabrication & Testing with industry-standard tools
Research & Capstone Project in Semiconductor Innovations
Mandatory Internship with Semiconductor Firms
Programme Outcomes (POs)
Graduates of the B.Tech CSE with Semiconductor Technology will:
✅ Master semiconductor design methodologies and integrate AI-driven chip development. ✅ Develop expertise in VLSI circuit design, embedded systems, and chip fabrication techniques. ✅ Apply knowledge of semiconductor physics and materials to innovate in device miniaturisation and efficiency. ✅ Design and test semiconductor devices and circuits for various industrial applications. ✅ Gain industry-ready skills through practical exposure to semiconductor fabrication and testing. ✅ Be equipped for high-paying careers in semiconductor research, design, and manufacturing.
Career Opportunities After Course Completion
Graduates of this programme are in high demand across semiconductor design, fabrication, and emerging technology fields. Career opportunities include:
🔹 Chip Design Engineer – Develop next-gen semiconductor chips and processors. 🔹 Process Engineer – Optimise fabrication processes for high-yield semiconductor production. 🔹 Field Application Engineer (FAE) – Work on customer-focused chip design and implementation. 🔹 Embedded Systems Engineer – Design and develop hardware-driven AI and IoT applications. 🔹 Nanoelectronics Engineer – Innovate in miniaturised semiconductor devices and quantum computing. 🔹 AI Hardware Engineer – Develop AI-driven chips for machine learning and deep learning applications.
Top Hiring Companies:
✔ Intel Corporation ✔ TSMC (Taiwan Semiconductor Manufacturing Company) ✔ Samsung Electronics ✔ Apple Inc. ✔ Qualcomm ✔ NVIDIA ✔ Texas Instruments ✔ Infineon Technologies ✔ NXP Semiconductors ✔ Cadence ✔ IBM Research ✔ Micron Technology ✔ Broadcom Inc.
With the semiconductor industry driving advancements in AI, IoT, and smart devices, graduates enjoy strong career prospects with global companies.
Why Choose NCU for BTech CSE – Semiconductor Technology?
State-of-the-Art Labs – Hands-on experience with leading semiconductor design software (Cadence, Xilinx, Siemens, Ansys, and Key Soft).
Global Collaborations – Academic partnerships with NTHU Taiwan and University of Illinois, USA for semiconductor research.
Research & Innovation Focus – Students engage in projects on AI-driven chip design, quantum computing, and emerging semiconductor materials.
Internships & Industry Exposure – Strong ties with semiconductor giants like Intel, TSMC, and Qualcomm ensure students gain practical experience.
Placement Support – Graduates secure roles in leading semiconductor, AI, and computing companies worldwide.
With a strong blend of theoretical knowledge, practical training, and industry engagement, the B.Tech CSE – Semiconductor Technology programme at NCU ensures that students emerge as industry-ready professionals, shaping the future of semiconductor and computing technologies.
ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.
મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.
સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.
આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.
સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.