CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 47 of 54 - CIA Live

October 10, 2018
school.jpg
1min12330
  • સેલ્ફફાઇનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન સાથે સંકળાયેલા બધી સ્કુલો રાબેતા મુજબ શરૂ રહી
  • સેન્ટ્રલ બોર્ડ તેમજ બિનગુજરાતી બોર્ડની સ્કુલોમાં (www.cialive.in) શિક્ષણ કાર્ય ધમધમતું રહ્યું
  • ગ્રાન્ટઇન એઇડ સ્કુલોએ સરકારની સૂચનાનું પાલન કર્યું
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવરાત્રીનું વેકેશન
  • જે શાળાઓએ વેકેશન આપ્યું એ પગારકાપ, ગ્રાન્ટ કાપ કે (www.cialive.in) શિક્ષાત્મક  સજાની બીકે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇ સજ્જડ કારણ વિના, કોઇ તાર્કિક દલીલ વગર આજથી શરૂ થયેલા ગુજરાતના અસ્મિતા પર્વ નવરાત્રીમાં તા.10થી તા.18 ઓક્ટોબર 2018 સુધી શિક્ષણ કાર્ય બંધ રાખીને વેકેશન પાડવાના ગુજરાતની ભાજપા સરકારના ફતવા વિરુદ્ધ (www.cialive.in) આજે સુરતમાં પ્રાઇવેટ, સેલ્ફફાઇનાન્સ, અધર ધેન ગુજરાત બોર્ડની શાળાઓ ધરાર ચાલુ રહી હતી. પ્રાઇવેટની એકેય શાળાઓએ નવરાત્રીના વેકેશનની કોઇ અસર થવા ન દીધી.

550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના (www.cialive.in) બિનજરૂરી વેકેશનને ફગાવીને આજે ધરાર ભણ્યા

ગુજરાત બોર્ડ સંલગ્ન હોય તેવી 550થી વધુ સેકન્ડરી સ્કુલ્સ, 650થી વધુ પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલ્સ, 45 જેટલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. તેમજ અધર બોર્ડની સ્કુલો મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારે આપેલા નવરાત્રીના બિનજરૂરી વેકેશનને ફગાવીને (www.cialive.in) આજે ધરાર ભણ્યા હતા. શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પહેલી વખત એક મુદ્દા પર સંમત દેખાયા. રાજ્ય સરકારનો આનાથી મોટો વિરોધ કયો હોઇ શકે?

અહીં શિક્ષાત્મક પગલાંની બીકે શાળાઓમાં જબરદસ્તીનું વેકેશન

રાજ્ય સરકારના નવરાત્રી વેકેશનના આદેશનું અક્ષરસઃ પાલન જો કોઇએ કર્યું હોય તો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી www.cialive.in ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ આપીને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું છે. આ તમામ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને શિક્ષકોએ કચવાતા મને વેકેશન લેવું પડ્યું છે. www.cialive.in રાજ્ય સરકાર પગાર કાપી લેશે, ગ્રાન્ટ કાપી લેશે અથવા તો અન્ય કોઇ શિક્ષાત્મક પગલાં ભરશે એવી બીકના માર્યા આ સ્કુલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 335 શાળાઓના અંદાજે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ, 9 સુમન સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ 276 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી સ્કુલ્સના વિદ્યાર્થીઓને આજથી શાળામાં જવાથી મુક્તિ www.cialive.in આપીને નવરાત્રી વેકેશન

હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારે નવરાત્રિ વેકેશન નહીં આપનાર સ્કુલોના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું, www.cialive.in એ નિવેદનના અનુસંધાને શું કાર્યવાહી કરવામાં આવે છે.

બીજી તરફ શાળા સંચાલકો આ મુદ્દે રાજ્ય સરકાર સામે ન્યાયીક રીતે લડવા માટે તૈયારી કરી ચૂક્યા છે. રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવે, એટલે તુરત જ નવરાત્રી વેકેશનના જબરદસ્તીના સોદા સંદર્ભે ખાનગી સ્કુલોના સંચાલકો કાયદેસરની લડત આપશે.

સરકાર વિરુદ્ધ ઓલની સ્થિતિ

નવરાત્રિમાં વેકેશના મુદ્દે રાજ્ય સરકાર પાસે કોઇ સજ્જડ કે તાર્કિક દલીલ નથી રહી. સરકારે આ મુદ્દે કોઇ ફોડ પણ પાડ્યો નથી. નવરાત્રી પર્વ એટલે નૃત્યોત્સવ એટલે ગરબા જે રાત્રે 9 વાગ્યા પછી જ આયોજિત થાય છે. 12 વાગ્યે સરકાર અને પોલીસ માઇક લાઉડ સ્પીકર બંધ કરાવી દે છે www.cialive.in  એટલે ગરબામાં ઉજાગરા થાય તેવી શક્યતા નથી. દિવસ દરમિયાન નવરાત્રીમાં કોઇ ઉજવણી થતી નથી. એટલે વેકેશનનો કોઇ અર્થ સરતો નથી. પરીણામે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, સંચાલકો આમ રાજ્ય સરકારના ફતવાની વિરુદ્ધ બધા જ એક થઇને ઉભા છે.

સામે પક્ષે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો, શિક્ષકો, આચાર્યો www.cialive.in તમામ એક સૂરે તાર્કિક દલીલ એ કરી રહ્યા છે કે દિવાળી વેકેશનના ભોગે નવરાત્રિનું વેકેશન તો નહીં જ જોઇએ. દિવાળી પર્વે સુરત આવીને વસેલા લાખો સૌરાષ્ટ્રવાસીઓ, તેમજ પરપ્રાંતનો પરિવારો તેમના વતન જતા હોય છે, જો દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવે તો તેમનું આખા વર્ષનું સમયપત્રક ખોરવાય જાય તેમ છે.

October 7, 2018
dollarvsrupeee.jpg
1min5810
  • વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો
  • હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે
  • વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે

 

ડૉલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.

અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહ્યા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્કિન યુનિવર્સિટી-કેમ્બ્રિજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદલાતા જતા સંજોગને સ્વીકારી તેમણે કાર ખરીદવાનો વિચાર પડતો મૂક્યો, ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જોબ કરી રહ્યો છે.

અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મનોજ ગુપ્તાનો જ કેસ ચકાસીએ તો તેઓ ભારતની ઓઈલ એન્ડ ગેસ કંપનીના એક્ઝિક્યુટિવ છે. જે પ્રતિ વર્ષ આશરે 30,000 ડૉલર્સ પુત્રના અભ્યાસ તથા અન્ય ખર્ચ પાછળ ખર્ચે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર યુએસ વધુ અભ્યાસ અર્થે ગયો ત્યારે 1 ડૉલરનો ભાવ 64 રૂ. હતો જે હાલ 74 રૂ. પહોંચ્યો છે. ભારતીય મા-બાપ માટે આ 10 રૂ.નો તફાવત વિકટ સમસ્યા થઈ પડી છે એ સર્વાનુવિદીત છે.

ઘણા માતા-પિતાએ વધુ અભ્યાસ અર્થે સંતાનોને વિદેશ મોકલવા જંગી રકમની લોન લીધી છે અથવા તો તેમની મિલકત પણ ગીરવે મૂકી છે, ત્યારે એક બાજુ રૂપિયાના વધતા જતા ભાવ અને ટ્રમ્પ પ્રશાસન તરફથી બદલાઈ રહેલી વીઝા નીતિને કારણે ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ડામોડોળ થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ બ્રિટન, યુકે ખાતે પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે સર્વે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે.

હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે છે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે છે. મળતા અહેવાલ મુજબ રૂપિયાના વધતા જતા ભાવને પરિણામે એર ફેર મોંઘું થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ વેકેશનમાં કે પ્રસંગો પર પણ દેશ જવું કે નહીં તે અંગે પણ અવઢવમાં છે.

પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો 85.5 થી 96.7ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડૉલરની સામે 65.2થી 74.2ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો 76.3 થી વધીને 84.8ના ભાવે પહોંચી ચૂક્યો છે.

જમન રાણાએ જણાવ્યું હતું કે તેના પ્રવેશ સમયે તેની અભ્યાસ ફી રૂપિયામાં 19.5 લાખ હતી, ત્યારે પાઉન્ડ સામે રૂપિયાની કિંમત 85.5 રૂ. હતી, જ્યારે આજે પાઉન્ડ સામે રૂપિયો 96.7 રૂ.ના ભાવે નીચે ગયો છે. જેને પરિણામે તેની અભ્યાસ ફીમાં આશરે 2.5 લાખનો વધારો થઈ ચૂક્યો છે. જેને પરિણામે તેના માતા-પિતાનો બોજ હળવો કરવા તે અભ્યાસ સાથે કામ પણ કરી રહ્યો છે.

બ્રિટિશ યુનિવર્સિટીના ક્ધસલટન્ટ નાગપુર સ્થિત વિજય નાયડુના મત મુજબ હાલ રૂપિયાનું અવમૂલ્યન વિદ્યાર્થીઓને એટલું નુકસાનકારક નથી કારણ તેઓ એડવાન્સ ફી ભરી ચૂક્યા છે જેથી ફીનું ધારાધોરણ જળવાઈ રહ્યું છે, પરંતુ તેમના જીવનનિર્વાહના ખર્ચમાં ચોક્કસ વધારો નોંધાયો છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે છે તો આગામી વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનની વિદ્યાર્થીઓની અભ્યાસ ફી પર ગંભીર અસરો પડી શકે છે.

અમેરિકામાં 50% ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેક્સિબલ પેમેન્ટ માટે વિનંતી કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ પોતે જ કામ કરી તેમાંથી તેમના અભ્યાસનો ખર્ચ કાઢી શકે.

October 1, 2018
logocia-1280x748.jpeg
1min9640

આ તે કેવી સરકાર, નવરાત્રીમાં ફરજિયાત વેકેશન પડાવવા માટે રાજ્ય સરકારે હુકમો છોડ્યા છે અને સામે સ્કુલો, વાલીઓએ બાંયો ચઢાવી છે કે અમારે નવરાત્રીમાં સ્કુલોમાં વેકેશન લેવું નથી.

જાણકારો કહે છે કે નવરાત્રીના ફરજિયાત વેકેશનના મુદ્દે રાજ્ય સરકાર ખોટો દાખલો બેસાડી રહી છે. અત્યાર સુધી સરકાર અને સ્કુલો વચ્ચે ઘર્ષણ એ બાબતે રહેતું કે સ્કુલો કારણ વગર રજા આપી દેતી અને સરકારે પગલાં લેવા પડ્યા. નવરાત્રી વેકેશનનો મુદ્દો એવો છે કે જેમાં સરકાર વેકેશન આપવાનું કહે છે અને જેમણે વેકેશન ભોગવવાનું છે એ સ્કુલ સંચાલકો, શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધા જ નવરાત્રીમાં વેકેશન લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. રાજ્ય સરકારની જોહુકમી ચોમેર ટીકા પાત્ર થઇ રહી છે. રાજ્ય સરકાર કોઇ રચનાત્મક કે શૈક્ષણિક બાબતમાં જોરજુલ્મી, જબરદસ્તી કરે, કરાવે એ માની શકાય પણ શાળાઓમાં શિક્ષણનો ભોગ લઇને વેકેશન આપે એ બાબત તમામને અજુગતી લાગી રહી છે.

કદાચ પહેલી વખત એ પણ ઇતિહાસ સર્જાશે કે વેકેશન નહીં લેવા માટે સ્કુલો, વાલીઓ, વિદ્યાર્થીઓ આંદોલન કરશે અને વેકેશન પડાવવા માટે સરકાર જોરજુલ્મી કરશે.

  • વેકેશન નહીં લેવા પાછળ અનેક કારણો

  • દિવાળીનું 21 દિવસનું વેકેશનમાં કાપ મૂકાય તે યોગ્ય નથી
  • નવરાત્રીમાં વેકેશન પાડવા માટે કોઇ તાર્કિક દલીલ કે નક્કર કારણ નથી
  • રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલતા હોય છે પછી ઉજાગરાનો સવાલ ઉપસ્થિત થતો નથી
  • શાળામાં શિક્ષણ કાર્ય, પરીક્ષા વગેરેનું સમયપત્રક ખોરવાય તેમ છે
  • સીબીએસઇ તેમજ ગુજરાત સિવાયના બોર્ડની સ્કુલો નવરાત્રી વેકેશન નહીં આપે
  • નવરાત્રી દરમિયાન આમેય શાળાઓમાં ઉત્સવનો માહોલ જ હોય છે
  • નવરાત્રી દરમિયાન દિવસ દરમિયાન કોઇ ઉજવણી થતી કે સ્કુલો બંધ કરીને એ ઉજવણી કરવી પડે

વેકેશનનો કડક અમલ કરવાની જવાબદારી જિલ્લા અધિકારીઓને સોંપાઇ

રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઇન્કાર કરીને શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી ચૂકી છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના આપવામાં આવતા ખાનગી શાળાના સંચાલકોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણપ્રધાને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.

દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું જ રહેશે

પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ ૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા. ૫થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં ૧૯મીથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.

 

September 28, 2018
shivendra1-1280x960.jpg
1min8740

Jayesh Brahmbhatt 98253 44944

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે કે બેટી પઢાવો બેટી બચાવો પછી આખું ગામ તો બૂમો પાડી ને કહે જ ને કે બેટી પઢાવો. પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ માટે કહે છે ખબરદાર બેટીઓ (કન્યાઓ)ને પ્રવેશ આપ્યા છે. વ્યારાની હોમિયોપેથી કોલેજ એવી છે કે જ્યાં 65 ટકા જેટલા પ્રવેશાર્થીઓ મહિલા હોય છે. હોમિયોપેથી કાઉન્સિલએ કોલેજને મંજૂરી આપી અને ગુજરાત સરકારની પ્રવેશ સમિતિએ 47 કન્યાઓ સમેત 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ આપ્યું હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજને જાણે બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ પાણીમાંથી પોરા કાઢીને ચાલુ વર્ષે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ વર્તી રહી છે.

હકીકતમાં ધો.12 પછી બાયોલોજી વિષય સાથે પાસ થયેલી કન્યાઓ માટે આમેય વિકલ્પો ઓછા હોય અને તેમાં પણ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ ન મળે તો કન્યાઓ માટે પેરામેડિકલમાં નીટ બેઝડ બે જ અભ્યાસક્રમ છે. એક આયુર્વેદિક અને બીજો કોર્સ હોમિયોપેથી. દક્ષિણ ગુજરાતની કન્યાઓ માટે વ્યારા ખાતે જ્યાં 65 ટકાથી વધુ મહિલાઓ અભ્યાસ કરે છે. આ વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશ અને ખાસ કરીને શિવેન્દ્ર સરકારને ગુપ્તતામાં શું વાંકુ પડ્યું એ તો હવે પછી ખબર પડશે પણ વ્યારા હોમિયોપેથી કોલેજના પ્રવેશને અમાન્ય કરવાની ધમકીઓ કોલેજને મળી રહી છે.

હકીકતમાં હોમિયોપેથી કાઉન્સિલ અને રાજ્ય સરકારની એડમિશન કમિટી બન્નેએ વ્યારાની કોલેજને એપ્રુવલ આપીને 47 કન્યાઓ અને 28 કુમાર મળને 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ પણ ફાળવી આપ્યું છે. આમેય 2018-19ના વર્ષના શૈક્ષણિક વર્ષના પહેલા સત્રમાં 50 ટકા સમય વેડફાઇ ચૂક્યા છે, ત્યારે સત્વરે કન્યાઓનું શિક્ષણ શરૂ થાય તેમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારને રસ નથી પણ વ્યારા કોલેજ બંધ થઇ જાય એવું બતાવી દેવાની હોડમાં કોલેજમાં શિક્ષણ શરૂ થવા દેતા નથી.

આ મુજબના પ્રવેશાર્થીઓને પ્રવેશ ફાળવવા માટે રાજ્ય સરકારની  પ્રવેશ કમિટીએ સૂચના આપી છે પણ વીર નર્મદ યુનિ.માં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર હઠાગ્રહ લઇને બેઠી છે કે કોલેજ શરૂ નહીં જ થવા દઇએ

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની સરકાર કહે છે કે વ્યારા હોમીયોપેથી કોલેજમાં સુવિધાઓ નથી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી આ કોલેજ યોગ્ય રીતે ચાલી, યુનિવર્સિટીની કમિટીઓએ જ આપેલા રિપોર્ટને આધારે તેને જોડાણો અપાયા ત્યારે આ વર્ષે જ સવાલો કેમ ઉપસ્થિત થયા. શિવેન્દ્ર સરકારની આ પોલીસીથી શિક્ષણશાસ્ત્રીઓ એટલા માટે પણ હેરાન થઇ રહ્યા છે કે વ્યારાની કોલેજ કોઇ સામાન્ય બીએ, બીકોમ બીએસસી જેવા કોર્સની નથી કે જે સંખ્યાબંધ હોય, દક્ષિણ ગુજરાતમાં બે જ કોલેજ હોમિયોપેથીની છે, આખા રાજ્યમાં જ્યારે પેરામેડીકલ કોલેજોની સંખ્યાનો અભાવ વર્તાતો હોય ત્યારે  કોલેજના જોડાણના મુદ્દે વાટાઘાટોથી અમલ લાવવાને બદલે કોલેજ બંધ કરી દેવાના પેંતરા કેટલે અંશે વ્યાજબી છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગે અને ગુજરાત સરકારે જ્યારે લીલીઝંડી આપી હોય ત્યારે આ યુનિવર્સિટીની ભૂમિકા તો તેને એન્ડોર્સ કરવાની હોય છે તેની જગ્યાએ રોડાં નાંખવાનું કામ શિવેન્દ્ર સરકાર દ્વારા થઇ રહ્યું છે.

હવે આ શિવેન્દ્ર ભાઇની સરકારને જ્યારે ગુપ્તતામાં કોઇ સમજાવશે ત્યારે જ આ ગૂંચવાયેલો મામલો સૂલઝાય તેમ જણાય છે. અગાઉ પ્રોફેસર ડો. ઘનશ્યામ રાવલ ના મુદ્દે હાઇકોર્ટમાં પછડાટ ખાઇ ચૂકેલી વીર નર્મદ યુનિ.ની શિવેન્દ્ર સરકારને એ પણ યાદ દેવડાવવું પડે છે કે પ્રો.ડો. કિર્તી માટલીવાલાની પી.એચડી. ડિગ્રી હોય કે એવા અગણિત કેસ હોય જેમની સામે શિવેન્દ્ર સરકારે ધૂળ ઉડાડવાનો પ્રયાસ કર્યો તો તેમની આંખમાં જ કચરું પડ્યું હતું. આ મામલે પણ કચરું પડે એ પહેલા સમજી જાય તો સારું, કેમકે યુનિર્વસિટીના કેન્દ્રમાં વિદ્યાર્થી હિતથી સર્વોપરી કશું હોતું નથી.

September 26, 2018
gujarat-high-court.jpg
1min5000

RTEને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે.  ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. RTE મામલે ગુજરાત સરકારને ટકોરતા હાઈકોર્ટે કહ્યું છે, ‘એક બાજુ શાળાઓમાં સીટ ખાલી રહે છે, બીજી બાજુ ગરીબ બાળકો અભ્યાસથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે. આ મુદ્દો ગંભીર અને સંવેદનશીલ છે.’ સાથે જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને RTE અંગે વધુ પ્રચાર પ્રસાર કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. સાથે જ આગામી વર્ષે બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પ આપવા પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટે પહેલાં પણ કડક વલણ અપનાવીને જણાવ્યું હતું કે, દરેક શાળાએ આરટીઈ અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહીં આવે. ગરીબ બાળકોને ફાળવવામાં આવતી 25 ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું હતુ કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે આ મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા આરટીઈ એક્ટનો અમલ થયો નથી.

September 24, 2018
careerguidance.jpg
1min6650

650 શાળાઓના શિક્ષકોને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલીના તરસાડી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮” ની ઉજવણી કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓમાં શાળાકીય શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના ગુણો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી ‘કરિયર કોર્નર વીક’નું આયોજન થયું છે. સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરી, સુરત અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલા “કારકિર્દી આયોજન સપ્તાહ’ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન (એસ.એસ.સી.), યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉપરાંત સુરત જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે NCERT અભ્યાસક્રમ અને એડોલેસેન્ટ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલે ‘કરિયર કોર્નર વીક’ વિષે વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો છે, જેની મોટાભાગના વિદ્યાર્થીઓને પાયાની જાણકારી હોતી નથી. પૂરતી માહિતીના અભાવે તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કારકિર્દી આયોજન સપ્તાહના આયોજન દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો ઝડપવા માટે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર વિષયક કાર્યક્રમો તેમજ રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દ્વારા શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.

‘કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત કારકિર્દી ઘડતરના તેમજ આયોજનના વિવિધ પગથિયા તેમજ લશ્કર, ફેશન, ટેકનોલોજી, ખેતીક્ષેત્રે તેમજ મેડિકલ અને એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ પ્રકારની રોજગારની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ.એન.રાઠોડ, રોજગાર અધિકારીશ્રી મુકેશભાઈ વસાવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

September 21, 2018
shameful-1280x932.jpg
1min6620

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યની મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ખોટ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન વખતે સામે ન આવે એટલે એમસીઆઇના દર ઇન્સ્પેકશન વખતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અધ્યાપકોની ઉથલપાથલ એટલે કે આડેધડ બદલી કરી દેવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર આવી પ્રેક્ટિસ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે.

ગઇ તા.19 સપ્ટેમ્બર 2018ના રોજ રાજ્ય સરકારે રાજ્યની જુદી જુદી મેડીકલ કોલેજોમાંથી 161 જેટલા અધ્યાપકોની જુદી જુદી કોલેજોમાં બદલી આદેશો કર્યા હતા. આ બદલીમાં એક મોટો લોચો એ પણ લાગ્યો કે રાજ્ય સરકારે એવા અધ્યાપિકાની બદલીનો ઓર્ડર કરી દીધો કે જે હયાત જ નથી. ફેબ્રુઆરી 2018માં કેન્સરથી જેમનું મૃત્યુ થયું હતું એમની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડો. મધુ પંજવાણી કે જેઓ ભાવનગર ખાતે સરકારી મેડીકલ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારજનોએ મિડીયા પર્સન્સને જણાવ્યું હતું કે ડો. મધુ પંજવાણી કેન્સરથી પીડાતા હતા અને ગયા ફેબ્રુઆરી 2018માં તેમનું નિધન થયું હતું. ગઇ તા.19મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 161 અધ્યાપકોની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં ડો. મધુ પંજવાણીનું નામ પણ સામેલ કરી દેવાયું. ડો. મધુ પંજવાણીને ભાવનગર મેડીકલ કોલેજમાંથી જૂનાગઢ ખાતે જીએમઇઆરએસ સેમી સરકારી મેડીકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું ઓર્ડરમાં જણાવાયું છે.

રાજ્યના આરોગ્ય વિભાગની આ બેદરકારીને લીધે તબીબી જગત તેમજ શિક્ષણ જગતમાં સરકારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

 

You can Find us on GOOGLE Play Store

September 20, 2018
medical.png
1min8190

કેગ એ ગુજરાત સરકારની તદ્દન બેપરવાહીની ગંભીર નોંધ લીધી

ગુજરાત સરકારના સાવ જ બેપરવાહીભર્યા વલણને કારણે ગુજરાતમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષથી પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રૂ.750 કરોડની જંગી રકમનું ફંડ લેપ્સ થઇ ગયું છે. કેગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં એવી નોંધ કરવામાં આવી છે કે ગુજરાત સરકારે પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવા અંગેની કોઇ દરખાસ્ત જ ન કરતા આ રકમ તો ગુમાવવી પડી છે પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની એમબીબીએસની કુલ 3900 જેટલી હયાત સીટોમાં વધારો  થઇ શક્યો હોત તે પણ ગુમાવવાનો વખત આવ્યો છે.

કેગએ એ વાતની પણ ઘેરી નોંધ લીધી છે કે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મેડીકલ કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરવામા ંઆવે છે ત્યારે ત્યારે અધ્યાપકોની આડેધડ બદલીઓ કરીને જે તે કોલેજનું સ્ટેટસ બચાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે આ બાબત સૌથી હાનિકર્તા છે. સરકાર જ જો આવું કરશે તો ગુજરાતમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ કેવી રીતે સુધરી શકશે એવી પણ નોંધ કેગ દ્વારા કરવામાં આવી છે.

એટલું જ નહીં પણ ગુજરાત સરકારે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચને પ્રોત્સાહન મળે તેવી નીતિ નક્કી કરવા માટે વચનો તો બહું જ આપ્યા પણ કમનસીબે હજુ સુધી મેડીકલ રિસર્ચ ક્ષેત્રમાં ગુજરાત સરકારની કોઇપણ પ્રકારની ગાઇડલાઇન્સ હોય તેવું પ્રતીત થતું નથી.

September 18, 2018
classroom_620.jpg
1min7400

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર કરોડો રૂપિયાના ખર્ચે શિક્ષણ સુધારણા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં ધોરણ 6થી 8ના 28 ટકા બાળકોને વાંચતા કે લખતાં પણ આવડતું નથી. જે સરકારની નિષ્ફળતા સૂચવે છે. ગુજરાતમાં ધોરણ 6થી 8ના બાળકોને લખતાં-વાંચતા ન આવડતું હોવા છતાં રાજ્યના શિક્ષણ પ્રધાન દિલ્હી જઈને ધોરણ 6થી 8માં ફરીથી પાસ-નાપાસની પદ્ધતિ શરૂ કરવા માટેની માગણી કરી ચૂક્યા છે.

ગત જુલાઈ માસથી શરૂ થયેલા ગુજરાત સરકારના મિશન વિદ્યા અભિયાનના કાર્યક્રમમાં સરકારી સ્કૂલોની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. જીસીઈઆરટી દ્વારા મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનના પ્રેઝન્ટેશનમાં ધોરણ.6થી 8ના સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓ એટલે કે, 28.38 ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં ન આવડતું હોવાનું બહાર આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે, જો ધોરણ 6થી 8ના બાળકોની આ સ્થિતિ હોય તો પછી ધોરણ 1થી 5ની શું સ્થિતિ શું હશે?

સરકારી સ્કૂલોના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પરિપક્વ બને તેના માટે મિશન વિદ્યા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આ કાર્યક્રમ નિરંતર કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પરંતુ આ કાર્યક્રમે સરકારી સ્કૂલોની સાચી સ્થિતિને ઉજાગર કરી હતી. મિશન વિદ્યા અભિયાન રાજ્યની કુલ 23,474 શાળાઓના નબળા હોય તેવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8માં 20 લાખથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય છે. જેની સરેરાશ પ્રમાણે એક ધોરણ.માં 6,66,666 બાળકો અભ્યાસ કરતા હોવાનો અંદાજ લગાવી શકાય. જોકે આ બાળકો પૈકી વાંચન, લેખન અને ગણનમાં 10 ગુણમાંથી 0થી 5 માર્કસ મેળવ્યાં હોય તેવા વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,73,352, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,03,261 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,06,867 થાય છે.જ્યારે ધોરણ.7માં વાચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,61,533, લેખનમાં નબળા હહોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,93,903 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,07,705 થાય છે. ધોરણ. 8માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,57,433, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,90,934 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,08,228 થાય છે.

September 8, 2018
saur-1280x720.jpg
1min6140

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી પી.એચડી. કરી રહેલી એક રિસર્ચ સ્કોલરની તેના ગાઇડ દ્વારા જાતીય સતામણી થતી હોવાની ગંભીર ફરીયાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિને કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રિસર્ચ સ્કોલરે ફરીયાદ કરી હતી કે તેના પી.એચડી.ના ગાઇડ દ્વારા તેની જાતીય સતામણી કરવાના ઇરાદે પોતાની કેબિનમાં વારેઘડીયે બોલાવતા અને તેને અણછાજતા પ્રયોગ કરીને પોતાની જાતિય માગણી સંતોષવા માટે મજબૂર કરી રહ્યા હતા. જ્યારે રિસર્ચ સ્કોલરે ગાઇડની ઓફિસમાં જવાનું બંધ કરી દીધું ત્યારે ગાઇડે તેની પી.એચડી.ની થીસીસ પૂરી નહીં કરવા દેવા સબબની ધમકી આપી હોવાની ફરીયાદ પણ રિસર્ચ સ્કોલરે કરી છે.

પી.એચડી. ગાઇડ દ્વારા આ પ્રકારે થતી જાતીય સતામણી અંગે રિસર્ચ સ્કોલર દ્વારા પ્રથમ તેના પરિવારજનોને ફરીયાદ કરવામાં આવી હતી. પરિવારજનોએ હિંમત આપીને લંપટ ગાઇડને સબક શીખવવા માટે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નિલંબરી દવેને ફરીયાદ કરવા જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટિંગ વીસી નિલંબરી દવેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની રિસર્ચ સ્કોલર તરફથી ફરીયાદ મળી છે અને તેના પર તપાસ ચાલી રહી છે. તપાસના અંતે કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે.