CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 46 of 54 - CIA Live

November 7, 2018
government_gujarat.jpg
1min6060

સામાન્યતઃ કાળી ચૌદશે લોકો કશું અઘટિત થાય તેવું માનતા હોય છે પણ આ જ દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને બ્લોકબસ્ટર ન્યુઝ આપ્યા છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમા પગારપંચ પ્રમાણે તફાવતના રકમનો પહેલો હપ્તો ચૂકવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ રકમ નવેમ્બરમાં જ ચૂકવી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું કે,’જ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.’

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને 7માં કેન્દ્રીય પગારપંચની ભલામણો મુજબના નવા પગાર ધોરણ ‘સ્કેલ ટુ સ્કેલ” ના ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે. જે અનુસાર 1 ઓગસ્ટ 2017થી દર માસના પગારમાં રોકડના ધોરણે ચૂકવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઇ 2017 સુધીના સમયગાળાના તફાવતની રકમ પાંચ સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવવા અંગે રાજય સરકારે નિર્ણય કર્યો હતો.

November 5, 2018
gseb-1280x720.jpg
1min6220

ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવાઈ છે, પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ, 2017ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ 2018માં લેવાઈ હતી, જેમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ગાંધીનગર ખાતે લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પ્રથાને સારો પ્રતિસાદ ન મળતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર011થી ર017 દરમિયાન ધોરણ 1ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધો.11-12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ 2018થી રદ કરી દેવાઈ છે અને ગત માર્ચ 2017માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-4 પરીક્ષા લેવાઈ હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન 2018થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરી દેવાઈ છે. જેની પ્રથમવારની ધો.12 સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે 19 એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.

November 2, 2018
iitmadra.jpg
1min14410

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

October 29, 2018
mobile.jpg
1min14430

રાજકોટ સહિત રાજ્યભરમાં ચાર જિલ્લા મથકે આજે ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે લાયકાત મેળવવા માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ)નું આયોજન કરાયું હતું. જેમાં એક ઉમેદવાર મોબાઇલ ફોન સાથે કસોટી આપતા હોવાનું જણાતા તેની સામે કોપીકેસ નોંધી વીજાણું ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું હતું.

કસોટી દરમિયાન વર્ગખંડમાં મોબાઈલ સહિતના વિજાણું ઉપકરણ લઈ જવાની મનાઈ હતી દરમિયાન રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલયમાં ચેકિંગ વખતે મોબાઈલ સાથે કસોટી આપતા ઉમેદવાર ઝડપાતા ઉત્તરવહી સીલ કરી, તેનો મોબાઈલ જપ્ત કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોપીકેસ નોંધવામા આવ્યો હતો.

 

October 27, 2018
The-Institute-of-Cost-Accountants-of-India.jpg
1min12090
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ તાજેતરમાં મુંબઈમાં થયું હતું. જેમાં મૂળ રાજકોટના જસ્મીન કુબાવતને ઓએનજીસીમાં રૂ. ૧૮ લાખનું પેકેજ મળ્યું હતું. ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. ૬થી ૮.૫૦ લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-૨૦૧૮માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે ૬ કંપનીઓ આવી છે.

CMA પ્લેસમેન્ટમાં ઓએનજીસી દ્વારા આંશિક રીતે દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને 18 લાખના પેકેજની ઓફર

મુંબઈમાં થયેલા પ્લેસમેન્ટમાં ૧૮ લાખનું પેકેજ મેળવનારા જસ્મીન તુલશીભાઈ કુબાવતે જણાવ્યું હતુ કે, મારું CMA ક્વોલિફીકેશન જૂન-૧૮માં પૂર્ણ થયું છે અને મારું સિલેક્શન ONGCમાં વાર્ષિક રૂ. ૧૮ લાખના પેકેજથી થયું છે. CMAના આ અભ્યાસક્રમ દરમિયાન મને અમદાવાદ ચેપ્ટરે ખૂબ જ મદદ કરી છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા મોક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જે મને ખૂબ જ મદદરૂપ થયા હતા.
CMA કોણ કરી શકે કેવી રીતે કરી શકાય
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ અકાઉન્ટસ કોર્સ ધો.12 પાસ કોઇપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરી શકે. સી.એ., સી.એસ. ની જેમ સીએમએ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ આધારિત કોર્સ છે. સી.એમ.એ. સાથે અન્ય રેગ્યુલર ડિગ્રીનો અભ્યાસ પણ કરી શકાય છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સર્ફ કરવી.
October 26, 2018
IITRAM.jpeg
1min6790
રેગીંગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન કે અન્ય અધિકાર મંડળો ગમે તેટલા નીતિ નિયમો તૈયાર કરે, પણ તેની અસર નહીંવત જોવા મળી રહી છે. એવું નથી કે કોલેજોમાં રેગિંગ નથી થતાં, છાશવારે ઘટનાઓ બને છે. તાજેતરમાં સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં હજુ તપાસ પૂરી થઇ નથી ત્યાં તો અમદાવાદની પ્રતિષ્ઠિત ઇજનેરી કોલેજ, આઇ.આઇ.ટી. રેમ ખાતે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી અને આવતાવેંત જ કોલેજ મેનેજમેન્ટએ સેકન્ડ ઇયરના 26 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવા પડ્યા છે.
સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના કોર્સ માટે ગુજરાત સરકારે શરૂ કરાવેલી અને અમદાવાદના મણિનગરના ખોખરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આઇઆઇટી-રેમમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સેકન્ડ ઇયરમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓેએ રેગિંગ કર્યું હોવાની ઘટના બહાર આવી છે.
ઇન્સ્ટિટ્યૂટે રેગિંગ કરનારા ૨૬ વિદ્યાર્થીને ત્રણ સપ્તાહથી લઇને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરી દીધા છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના (જૂનિયર)વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના ફોર્મ ભરાવવાથી લઇને દંડ-બેઠક કરાવવા ઉપરાંત વિદ્યાર્થિનીઓને કેટ વોક કરવા બળજબરીથી ફરજ પાડી હતી. આ પ્રકારના રેગિંગ અંગે વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદની તપાસ કરવા કમિટી રચાઇ હતી. કમિટીએ સીસીટીવી ફૂટેજ જોયા હતા, તે સહિત તમામ બાબતો ચકાસી રજૂ કરેલા અહેવાલ બાદ કસૂરવાર ૨૬ વિદ્યાર્થીઓને સજા કરવાનો આ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
October 19, 2018
cbse1.jpg
4min14290

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે,’ સીબીએસઈ સાથે નવી શાળાઓની સંલગ્નતા પ્રક્રિયામાં સુધારો કર્યો છે. એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે અહીં એક પત્રકાર પરિષદમાં આ વિશે જાહેરાત કરી હતી.

‘શાળાઓને સંલગ્નતા આપવાની પ્રક્રિયામાં સીબીએસઈએ અનેક ફેરફાર કર્યા છે, રાજ્ય અને કેન્દ્ર-એમ બેઉ સ્તરે એનઓસી લેવાનું બિનજરૂરી ડુપ્લિકેશન (બેવડાપણું) અમે નિવાર્યું છે,’ એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે હાલ દેશમાં 20,700 શાળાઓ સીબીએસઈ સાથે સંલગ્ન છે અને દર વર્ષે નવી શાળા ખોલવા બેથી અઢી હજાર અરજીઓ બોર્ડને મળે છે.

અગાઉ રાજ્ય સ્તરે એનઓસી ઇન્સ્પેક્શન સંકળાયું હોય તેવી સંલગ્નતા પ્રક્રિયા રહેતી અને તે પછી એ જ એનઓસી ઈન્સ્પેક્શન સીબીએસઈ દ્વારા કરાતું એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે મંત્રાલયે આ પ્રક્રિયા દૂર કરી છે.’ ઝડપ, પારદર્શકતા અને સીબીએસઈ સાથે કામ પાડવાની સરળતા અંકે કરવા સીબીએસઈ સંલગ્નતાના બાયલોઝ સુધારવામાં આવ્યાની છણાવટ જાવડેકરે કરી હતી. હવે જિલ્લા શિક્ષણ અધિકારી સીબીએસઈ સંલગ્નતાનું ફોર્મ ચકાસશે.

News in English

Establishing a school in India was never easy. Besides building the infrastructure such as classrooms, laboratories and libraries, the paperwork and long process involved was a damper. However, getting an approval for setting up a school affiliated to the Central Board of Secondary Education (CBSE) may just be a cake walk, if the Union government walk the talk on reducing paperwork and other formalities by 75%, and taking the process online.

Union human resource development minister Prakash Javadekar on Thursday said school reforms will speed up the approval process, reduce pendency and curb duplicity of work between central and state governments.

All processes will be online to bring in transparency in the school sector, which caters to millions of students across India, added school education secretary Rina Ray.

Instead of physical verification, CBSE will focus on learning outcome while granting approval. “The inspection will focus on academic excellence and progress of students over time, innovations and quality of pedagogy, capacity of teachers and teacher training, inclusive practices in school, and quality of co-scholastic activities. This will not only help the board and the school to track students’ progress over time, but will also identify areas that would need further effort,” the central board said.

Schools affiliated to the CBSE will have to make full fee disclosures on their websites. In a way, the reform move liberalized the school affiliation system under the CBSE, authorities in the ministry said.

From now on schools will be required to provide two documents instead of 14, while seeking CBSE affiliation, according to the plan. Most physical inspections will be conducted by the district education officer.

Javadekar said the new rules reflect a “shift from the highly complex procedure followed earlier to a simplified system based on preventing duplication of processes”.

“As a result of this major change, the board shall not revisit any of the aspects vetted by the state during inspection and the delay because of scrutiny and non-compliance of deficiencies in these documents shall be drastically curtailed.”

CBSE has more than 20,783 schools under its jurisdiction, catering to over 20 million students. As it is the central board, it works as a model for nearly 28 state school boards in terms school reforms, change in inspection and approval system.

The entire school sector caters to nearly 250 million students and the country spends more than 2.5% of the gross domestic product on the sector.

Instead of school management waiting for years, the affiliation process can be completed in a few months and there will be no pendency, CBSE said.

Javadekar said that in 2018 the government cleared about 8,000 applications, some of which were seven or eight years old.

CBSE will inspect the learning outcome in affiliated schools every five years.

 

 

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944

For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944

October 16, 2018
unnati.png
1min6210

સ્કુલ માટેનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આંગળીના વેઢે ગણી શકાય તેટલી સુરત શહેરમાં ઉપલબ્ધ શાળાઓની યાદીમાં આગવું સ્થાન ધરાવતી ઉમરા વિસ્તારમાં આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીને આખરે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું સત્તાવાર એફિલયેશન પ્રાપ્ત થઇ ગયું છે. ઉમરાના ડી.આર. ઉમરીગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના સંચાલક મંડળે છેલ્લા સવા વર્ષ દરમિયાન પરીણામલક્ષી પ્રયાસો કરીને હાલ પ્રાઇમરી સેગમેન્ટ કાર્યરત હોવા છતાં શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઇ એફિલિયેશન વેલ ઇન એડવાન્સ પ્રાપ્ત કરી લેતા શાળાના સેંકડો વાલીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

વધુ માહિતી આપતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું કે શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ મિડીયમ શાળા સીબીએસઇ બેઝ્ડ રાખવા અંગેનું પ્લાનિંગ હતું. દરેક કાર્યવાહીનો એક તબક્કો હોય છે. શાળા શરૂ થઇ ત્યારે સંજોગોવસાત એફિલિયેશન અંગે કેટલીક ભ્રામક વાતો ઉડી હતી. મેનેજમેન્ટએ આવી અફવાઓ પર સહેજ પણ દરકાર કર્યા વગર સીધા જ સેન્ટ્રલ બોર્ડ સાથે સંવાદ કર્યા. સીબીએસઇને એફિલિયેશન આપવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કર્યા અને એક પ્રોપર પ્રોસેસમાં અમે બધા જ પ્રોસિડિંગ્સ પૂરા કરીને એફિલિયેશન મેળવ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાએ કશું ખોટું કરવું ન હતું, પણ દરેક પ્રક્રિયાનો એક નિર્ધારિત સમય હોય છે, એ સમયે જ એ કામ થતું હોય છે.

શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું હાલમાં ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં સેન્ટ્રલ બોર્ડના સિલેબસ અનુસાર ધો.1થી 8 સુધીના વર્ગો ચાલી રહ્યા છે. વર્ષ 2019-20 માટે પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓએ નીચે મુજબની જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી.

October 13, 2018
shankar.jpg
1min8530

ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં યુવાનો અને માબાપમાં સૌથી પ્રચલિત શૈક્ષણિક સંસ્થા શંકર આઇ.એ.એસ. એકેડેમીના સ્થાપક શંકર સર એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. શંકર IAS એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને 45 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર સ્થિત ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો. એવું માનવામાં આવે છે કે શંકર સર એ 500થી વધુ સનદી અધિકારીઓ ભારતને આપ્યા છે. તેમના ક્લાસીમાં અાપવામાં આવતી કોચિંગથી વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થતા હતા. જે વિદ્યાર્થીઓ શંકર એકેડેમીનું કોચિંગ લઇને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા હોય એ ફરીથી શંકર એકેડેમીમાં ક્લાસ લેવા સ્વેચ્છાએ આવતા હોય છે.

પ્રોફેસર શંકર દેવરાજન તમિલનાડુ દક્ષિણ ભારતમાં જ નહીં બલ્કે ભારતભરમાં ‘શંકર IAS એકેડમી’ થી જાણીતા હતા, જેની સ્થાપના 2004માં ચેન્નાઈમાં થઈ હતી. ત્યારથી આજ સુધી એમની એકેડમીમાં તૈયારી કરીને 900 યુવાનો IAS, IPS કે રાજ્ય સરકારની ક્લાસ-1-2 અધિકારી બનવામાં સફળ રહ્યાં છે.

આ રાજ્યની પ્રથમ એકેડમી હતી, જેનું લક્ષ્ય IAS અને IPS બનવા ઈચ્છતા યુવાનો તૈયારીની ટ્રેનિંગ આપતી હતી. આ એકેડમી ખાસ કરીને પછાત સમુદાયના યુવાનો પર ખાસ ધ્યાન આપતી હતી, જેથી એ ભવિષ્યમાં સફળતા હાંસલ કરી શકે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.

તમિલનાડુના કૃષ્ણગિરીમાં રહેતા શંકરનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો હતો, તેમના પિતા બાળપણમાં અવસાન પામ્યા હતાં.

શંકર દેવરાજને એગ્રી કલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

October 12, 2018
Smimer-1.jpg
1min4740

શાળા-કૉલેજોમાં રેગિંગના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતની સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં બન્યો હતો. જ્યાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડાયમંડ સિટી સુરતમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટર વિરુદ્ધ રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓર્થોપેડિકના બે ડૉક્ટરોએ ફરિયાદ નોંધાવી હતી. હૉસ્પિટલના ૬ રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા ઓર્થોપેડિકના બે ડૉક્ટરોનું કથિત રેગિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ઓર્થો વિભાગના બે ડૉક્ટરોએ આ અંગે હૉસ્પિટલના ડીનને ફરિયાદ કરી હતી. જો કે, હૉસ્પિટલના ડીને આ ઘટનાની ફરિયાદને ગંભીરતાથી લઇને સમગ્ર મામલાને એન્ટી રેગિંગ સમિતિને સોંપી હતી.

આ સમગ્ર મામલામાં એવી પણ વિગતો ચર્ચાય રહી છે કે રેગિંગની ફરીયાદ પૂર્વે બે તબીબો અને એ પછી એના જૂથો વચ્ચે પેશન્ટ ચકાસણીના મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા મામલો બિચક્યો હતો અને તે પૈકી જાણકારોના એક ગ્રુપ દ્વારા રેગિંગની ફરીયાદ નોંધાવવામાં આવી છે. જોકે, સાચુ ખોટું હવે ડીન દ્વારા હાથ ધરાયેલી તપાસ સમિતિ જ બહાર લાવી શક્શે.