ગુજરાતમાં કોરોનાના કારણે શાળા કૉલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં માત્ર ટ્યુશન ફી લેવાના હાઇકોર્ટના આદેશને પગલે હવે ટેક્નિકલ કોલેજોમાં પણ ટ્યુશન ફી જ લેવા માટે સરકારે સૂચના આપી છે, જેના પગલે હવે ટેક્નિકલ કોલેજો પણ વધારાની ફી ના લે તે માટેની સૂચના સંચાલકોને આપવામાં આવશે.
વૈશ્વિક મહામારી કોરોનાના સંજોગોમાં સાવચેતીના પગલારૂપે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને હાલ ઘે૨ બેઠા ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવી ૨હ્યું છે. ત્યારે હવે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા બાદ શાળાઓની જેમ એઆઇસીટીઇ હેઠળ આવતી કોલેજોનું ફીનું માળખું પણ નિયમન સાથે ક૨વા ગુજરાત સ૨કા૨ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવેલ છે. આ સંદર્ભે ટેક્નિકલ કોલેજોની ફી નિયત ક૨તી એફઆરસીને કોરોનાને લઈને ફીનું મોડલ સ્ટ્રકચ૨ નક્કી ક૨વા માટે સ૨કા૨ દ્વારા પરિપત્ર ઈશ્યૂ કરી દેવાતા આગામી દિવસોમાં એફઆ૨સીની તાકીદની બેઠક આયોજિત ક૨વામાં આવેલ છે.
એઆઇસીટીઇ હેઠળ આવતી ટેક્નિકલ કોલેજોનું ફીનું જેમાં રાજ્યની ટેક્નિકલ કોલેજોનું ફીનું મોડલ સ્ટ્રકચ૨ નિયત કરાશે. કોલેજ સંચાલકોને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓને પ૨વડે તેવું ફીનું સ્ટ્રકચ૨ નક્કી ક૨વામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છેકે, સ્કૂલ ફીના મુદે ગુજરાત હાઈ કોર્ટ ચુકાદો આપી માત્ર ટ્યુશન ફી સિવાયની ફી નહીં લેવા જણાવેલ છે. તેમજ રાજ્ય સ૨કા૨ અને સંચાલકો વચ્ચે યોજી આ પ્રશ્નનું નિરાક૨ણ લાવવા જણાવેલ હતું. ગુજરાત હાઈ કોર્ટના આ ચુકાદા બાદ શાળાઓની જેમ ટેક્નિકલ કોલેજોનું મોડેલ ફી સ્ટ્રકચ૨(ફી માળખું) નિયત ક૨વા રાજ્ય સ૨કારે કાર્યવાહી આરંભી આ અંગે એફઆરસીને સૂચના આપી દીધી હતી. કોરોનાના કહે૨ના પગલે હાલ માત્ર ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ કોલેજોનું આ ફીનું સ્ટ્રકચ૨ નિયત કરાશે અને આ માટે આગામી દિવસોમાં એફ.આ૨.સી. (ફી નિર્ધા૨ણ કમિટી)ની ખાસ બેઠક આયોજિત ક૨વામાં આવી છે.
તા.6 ઓગસ્ટ 2020ને ગુરુવારે દેશની
સુપ્રીમ કોર્ટ સમક્ષ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક રીટ
પીટીશનમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી નીટ અને
જેઇઇ જેવી પરીક્ષાઓ મુલતવી રાખીને જ્યારે કોવીડ-19ની સ્થિતિ બિલકુલ સામાન્ય થઇ જાય
ત્યારે આ પરીક્ષા યોજવા અંગેના આદેશો જારી કરવા માટેની દાદ માગવામાં આવી છે.
11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ
કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ મારફતે રીટ દાખલ કરાવી છે. ભારતમાં મેડીકલ અને
ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે લેવાતી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તા.13મી
સપ્ટેમ્બર 2020 અને જેઇઇ મેઇન્સ તા.1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાની જાહેરાત નેશનલ
ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.
રીટ પીટીશનમાં એવી દાદ માગવામાં આવી
છે કે ભારતમાં હજુ ઘણા રાજ્યોમાં કોરોના કેસો વકરી રહ્યા છે. અનેક રાજ્યોએ કોઇપણ
પરીક્ષાઓ નહીં યોજવા અંગેની માગણી મૂકી પણ દીધી છે. પૂર્વોત્તર રાજ્યો જેવાકે અસમ,
બિહાર વગેરેમાં પૂરની સ્થિતિ પણ ભયાનક છે આવી સ્થિતિમાં પરીક્ષાઓ નોર્મલ સ્થિતિ
થાય ત્યારે થવી જોઇએ.
Same in English
A plea in the Supreme Court on Thursday sought
postponement of JEE (Main) April 2020 and NEET-Undergraduate examinations,
which are scheduled to be conducted in September, amid spurt in the number of
COVID-19 cases in the country. While referring to the coronavirus pandemic, the
plea has sought quashing of July 3 notices issued by the National Testing
Agency (NTA), by which it was decided to conduct Joint Entrance Examination
(Main) April 2020 and National Eligibility-cum-Entrance Test
(NEET)-Undergraduate exams in September.
The plea, filed by 11 students belonging to 11
states, said that the authorities be directed to conduct these exams only after
the normalcy is restored.
As per the public notices issued by the NTA, JEE
(Main) April 2020 is scheduled from September 1-6, while NEET UG 2020 exam is
scheduled for September 13.
The plea, filed through advocate Alakh Alok
Srivastava, has also sought direction to the authorities to increase the number
of examination centres for these exams.
“Conducting the aforesaid examination
across India at such perilous time, is nothing else but putting lives of lakhs
of young students (including petitioners herein) at utmost risk and danger of
disease and death. The best recourse at this stage can be to wait for some more
time, let COVID-19 crisis subside and then only conduct these exams, in order
to save lives of the students and their parents,” the plea said.
It claimed that NTA, which conducts entrance
exams for admission in higher educational institutions in India, has decided to
conduct JEE (Main) April-2020 through online mode and NEET UG-2020 exams
through offline mode at 161 centres across India.
It alleged that NTA has indefinitely postponed
the National Council of Hotel Management Joint Entrance Examination-2020, which
was scheduled to be conducted on June 22, in wake of the COVID-19 pandemic.
“While deciding to conduct the aforesaid
JEE (Main) April-2020 and NEET UG-2020 exams in the month of September, 2020,
the respondents (NTA and others) have overlooked that many states have refused
to allow conducting of any professional or non-professional exams in their
states at this stage and hence the same is likely to cause unimaginable
harassment to the petitioners and other similarly situated students,” it
said.
“It is respectfully submitted that the students who are well equipped with computer and strong internet connection will give online exams while in other hand the students who are unable to give and arrange online exams, will have to come to exam centres by risking their lives. This is a discrimination between students which must be avoided,” it claimed. The plea has alleged that concerned authorities have ignored the plight of lakhs of students from Bihar, Assam and north eastern states, which are presently reeling under flood, and conducting either online or offline exams in such places may not be possible.
માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.
આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.
iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.
CAT 2020 Important Dates
The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.
Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at
Ahmedabad,
Amritsar,
Bangalore,
Bodh Gaya,
Calcutta,
Indore,
Jammu,
Kashipur,
Kozhikode,
Lucknow,
Nagpur,
Raipur,
Ranchi,
Rohtak,
Sambalpur,
Shillong,
Sirmaur,
Tiruchirappalli,
Udaipur, and
Visakhapatnam.
CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.
CAT 2020 exam pattern
The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:
Section I: Verbal Ability and Reading Comprehension
Section II: Data Interpretation and Logical Reasoning
Section III: Quantitative Ability
Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.
Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.
Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.
In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”
શિક્ષકો માટે ૨૦૩૦ સુધીમાં ન્યુનતમ ડિગ્રી લાયકાત ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ હશે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) અનુસાર ગુણવત્તા વિનાની શિક્ષક તાલીમ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ભારતમાં કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી એનઇપીમાં શાળાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ બંને માટે ઘણા સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. નીતિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવાની માગ કેવી રીતે પૂરી કરવામાં આવશે તેની માર્ગરેખા પણ આપવામાં આવી છે.
૨૦૩૦ સુધીમાં શિક્ષક માટેની મિનિમમ ડિગ્રી લાયકાત ચાર વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડની ડિગ્રી રહેશે. ઉતરતી કક્ષાની શિક્ષક તાલીમ સંસ્થા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
નેશનલ કાઉન્સિલ ફોેર ટિચર્સ દ્વારા ૨૦૨૨ સુધીમાં એનસીઇઆરટી, એસસીઇઆરટી, શિક્ષકો અને નિષ્ણાત સંસ્થાઓની સલાહ સાથે શિક્ષકો માટે એક સામાન્ય રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણ વિકસાવવામાં આવશે.
પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ, બૉર્ડ પરીક્ષાનું ભારણ ઓછું કરવું, કાયદા અને તબીબી કૉલેજો સિવાય ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકાર અને યુનિવર્સિટીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધરખમ સુધારાઓનો એક ભાગ છે.
ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.
માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.
પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.
આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.
દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.
મુદ્દાસર નવી શિક્ષણ નીતિ
પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ વિવાદમાં IPS હસમુખ પટેલની Tweet ઘણી પ્રસ્તુત થઇ પડે છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ઓનલાઇન શિક્ષણના મુદ્દે વાલીઓ, સ્કુલ સંચાલકો અને સરકાર વચ્ચે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતમાં જાણિતા પોલીસ અધિકારી હસમુખ પટેલે કરેલી એક ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે.
આઇ.પી.એસ. હસમુખ પટેલ, ગુજરાત રાજ્ય
IPS હસમુખ પટેલ કે જેઓ પેરેન્ટીંગ ફોર પીસ સંદર્ભની પ્રવૃતિઓમાં પણ સક્રીય છે એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે જો સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું અભણ હોત., તૂટેલા પતરાંની છત વાળા એક વર્ગખંડમાં એક શિક્ષકથી ચાલતી ચાર ધોરણની શાળામાં હું ભણ્યોછું.
ગુજરાત કેડરના આઇપીએસ હસમુખ પટેલે આ ટ્વીટ કોઇને ઉદ્દેશીને કે અનુસંધાને ભલે ન કરી હોય પરંતુ, હાલ ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણના વિવાદમાં આ ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો, સરકાર સમેત તમામને માટે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ અનેક મેસેજ આપી જાય છે.
આ બધી ફરીયાદોનો એક જ જવાબ ટ્વીટમાંથી મળે છે
ઇન્ટરનેટ કનેક્ટીવીટી નથી
મોબાઇલ ફોન નથી
ઝુમ એપ્લિકેશન નથી
ટેલિવિઝન નથી
ટેલિવિઝન છે પણ ચેનલનું પેકેજ નથી
ફી નથી ભરાતી એટલે ઓનલાઇન શિક્ષણ બંધ
વગેરે જેટલા સવાલો એટલાનો આ એક જ ટ્વીટ ઉત્તર છે
સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું અભણ હોત, તૂટેલા પતરાની છત વાળા એક વર્ગખંડમાં એક શિક્ષકથી ચાલતી ચાર ધોરણની શાળામાં હુ ભણ્યો છું
સામાજિક વિજ્ઞાન અને માનવીય મૂલ્યો વિષયો સાથે આર્ટસ ભણનારાઓના ભાગ્ય ઉઘડી ગયા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આ પ્રકારની માહિતી તમને CiA Live સતત આપે છે, સોશ્યલ મિડીયામાં આપ અમને ફોલો કરીને સતત નવી માહિતી, નોલેજ ગેઇન કરી શકો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
જે પરીક્ષા ભારતમાં અત્યાર સુધી ફક્ત 4 વર્ષનો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કરનાર ઉમેદવારો જ આપી શક્તા હતા એ ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ) પરીક્ષા 2021થી આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ પણ આપી શકશે. ગેટ GATE 2021 પરીક્ષાના લાયકાતના ધોરણોમાં 10+2+4 (એન્જિનિયરિંગ) to 10+2+3 (કોઇપણ સ્નાતક) આ રીતે સુધારવામાં આવ્યા છે.
સામાજિક વિજ્ઞાન (સોશ્યલ સાયન્સ) અને માનવીય મૂલ્યો (હ્યુમેનિટીઝ) વિષયો સાથે આર્ટસ ગ્રેજ્યુએટ ભણનારાઓના ભાગ્ય રાતોરાત ખૂલી ગયા
ગેટ GATE 2021 પરીક્ષામાં બે નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે જેમાં એન્વારન્મેન્ટલ સાયન્સ અને એન્વારયન્મેન્ટલ એન્જિનિયરિંગ ઉપરાંત સોશ્યલ સાયન્સ અને હ્યુમેનિટીઝ સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ ગેટ પરીક્ષા આપીને પોતાની કારકિર્દીમાં મહત્વનો વળાંક લઇ શકે છે.
એન્વારન્મેન્ટલ સાયન્સ, એન્જિનિયરિંગ, હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષય સાથે હાલમાં થર્ડ ઇયર (ફાઇનલ) પરીક્ષા આપી રહેલા કે આપનારા વિદ્યાર્થીઓ પણ આગામી ફેબ્રુઆરી 2021માં લેવાનારી ગેટ પરીક્ષા આપી શકશે.
આ સાથે જ હવે ભારતમાં આર્ટસ અને કોમર્સ ગ્રેજ્યુએટ્સના અભ્યાસક્રમો ભણનારાઓની સંખ્યા અને કોલેજો બન્ને વધી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કેમકે ગેટ જેવી મહત્વની પરીક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેટ GATE 2021 અત્યંત મહત્વની પરીક્ષા મનાય છે
ગેટ GATE પરીક્ષા માસ્ટર ડિગ્રી કે પીએચડીના એન્જિનિયરિંગના અભ્યાસક્રમો માટે જ લેવામાં આવે છે પરંતુ, આગામી સમયમાં ધંધા રોજગાર, સરકારી ભરતીઓમાં હ્યુમેનિટીઝ અને સોશ્યલ સાયન્સિઝ જેવા વિષયોના નિષ્ણાંતોની પણ ઉભી થનારી માગને ધ્યાને લેતા હવે ગેટ GATE 2021 પરીક્ષામાં હ્યુમેનિટીઝ કે સોશ્યલ સાયન્સ વિષયો સાથે પાસ થયેલા આર્ટસ, સાયન્સ કે કોમર્સ કે અન્ય કોઇપણ સ્નાતકોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગેટ GATE 2021 ફેબ્રુઆરી 2021માં મુંબઇ આઇઆઇટી દ્વારા લેવામાં આવશે
The Graduate Aptitude Test in Engineering (GATE)-a qualifying exam for those seeking admissions to masters and PhD programmes in science & technology and placements in PSUs-will see a significant shift in the coming year with the inclusion of subjects in humanities and social sciences. So, students from commerce and arts background, too, can opt for GATE 2021 in February that IIT-Bombay will conduct.
ગેટ 2021નું સત્તાવાર નોટિફિકેશન હજુ બહાર પડ્યું નથી. વધુ કોઇપણ માહિતી માટે 98253 44944 પર સંપર્ક કરી શકાય
The eligibility criteria, too, has been modified from 10+2+4 to 10+2+3, enabling students in their third year of undergraduate studies to appear for the exam.
GATE aspirants can appear for 2 subjects
Recognizing the global concern over environmental issues, environmental science and engineering, too, has been introduced, taking the total subject papers to 27. With fewer job opportunities due to the pandemic, many are likely to pursue higher education and GATE will add to their options.
Considering the present Covid-19 pandemic situation, the dates for the GATE-2021 examination have been spread out over a longer duration as 5th, 6th, 7th, 12th, 13th and 14th February 2021.
“With the introduction of subjects in humanities and social sciences, IIT-Bombay, as the organizing institute, wanted to make GATE more inclusive. Many premier institutes, including IIT-Bombay, currently use UGC-NET scores or internal exams for admissions to masters in humanities. These students are not eligible for ministry of HRD scholarships.
With GATE scores, they will have an added advantage of government scholarships. Since PSUs recruit aspirants using GATE scores, it will open up avenues for arts and commerce students too,” said professor Deepankar Choudhury, the organising chairman of GATE 2021. Under humanities, English, economics, linguistics, psychology, sociology and philosophy will be offered in the first year, he said.
Subhasis Chaudhuri, director of IIT-Bombay, said, “This will create much-needed career opportunities for those in humanities and social sciences areas as this may serve as one single standardized criterion for admission to various masters and doctoral programmes in various IITs and other universities in India.”
IIT is expecting the number of aspirants to rise in 2021 with the new reforms. Close to 10 lakh students usually take the test. The exams, scheduled in February, will be spread out over a longer duration, over six days instead of four, due to the pandemic. The dates are February 5, 6, 7, 12, 13 and 14. Students will also get to appear for two subjects, unlike one so far, but only a prescribed set of combinations will be allowed in the first year. The idea is to boost opportunities to study in inter-disciplinary areas.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.
મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ
એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.
જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.
અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.
અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.
કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)
એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.
ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે
ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો
કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.
એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…
સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.
ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસીની કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયા છે. આ વખતે કોવીડ-19ની સ્થિતિને કારણે હજુ ગુજકેટની પરીક્ષા લઇ શકાઇ નથી, આમ છતાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારે કોઇ કચેરીમાં જવાનું નથી. ડોક્યુમેન્ટસની ખરાઇ કરવા પણ જવાનું નથી. જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય અગર જે વાલીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એ.સી.પી.સી. દ્વારા સાઇબર સેન્ટર સ્પેશ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ ખાનગી સાઇબર કાફેમાં જઇને લૂટાતા નહીં, નીચે જણાવેલી કોલેજોના સાઇબર સેન્ટર પર બિલકુલ મફતમાં કામગીરી કરી આપવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતની કોલેજોના આ સાઇબર સેન્ટર પરથી મફતમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે
પ્રવેશ પ્રક્રિયાની સઘળી સૂચના બે-ત્રણ વાર વાંચી જાવ એટલે મોટા ભાગના પ્રશ્નો હલ થઇ જશે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.