CIA ALERT

My World Archives - Page 4 of 32 - CIA Live

July 19, 2024
અમુલખભાઈ-સવાણી.jpg
1min341
  • શહીદ જવાનોના પરિવારો માટે લોકો તરફથી મળી રહેલો સહયોગ
  • શાળાના બાળકો તથા મહિલાઓ પણ રાષ્ટ્રીયચેતનાના કાર્યમાં સહભાગી
  • કુલ ૩૦ પરિવારોને ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે

દેશ માટે લડતા જવાનો વીરગતિ પામે ત્યારે તેના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવા જય જવાન નાગરિક સમિતિ સુરતને લોકો તરફથી ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યો છે. શાળાના બાળકો, મહિલાઓ, તબીબો અને અગ્રણીઓ તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ ના બાળકોએ જન્મદિવસની ચોકલેટ ને બદલે શહીદ બોક્સમાં રકમ એકત્ર કરે છે. આજે એકત્ર કરેલી રકમ રૂપિયા રૂ. ૫૮,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરવામાં આવે છે. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ ધામેલીયા અને બાળકોએ આ રકમ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણી ને અર્પણ કરી છે. સનસીટી સ્કુલ તરફથી રૂ. ૧૦,૦૦૦/- દાન આજે શહીદોના પરિવાર માટે અર્પણ કર્યું.

દીકરીના જન્મ દિવસે ડો. અમુલખ સવાણીએ જવાનોના પરિવાર માટે રકમ અર્પણ કરી છે. દીકરી પાર્થી ને ૩૧ વર્ષ પુરા થતા તેની જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે રૂ. ૩૧,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતના મનજીભાઈ વાઘાણીને અર્પણ કર્યા હતા.

ઘેર રાખડી બનાવી તેના વેચાણની આવક માંથી બચત કરી રૂપિયા ૫૦,૦૦0/- નો ચેક રેખાબેન ચતુરભાઈ કથીરીયાએ અર્પણ કર્યો છે. ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી શ્રીમતિ રેખાબેન તરફથી સરહદ ઉપર તૈનાત જવાનો માટે રાખડી મોકલવામાં આવનાર છે.

ભોળાદ ગામના તરુણભાઈ લક્ષ્મણભાઈ પરવડીયા તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- તથા રામદેવ રેયોનના શ્રી સુરેશભાઈ ઠુંમર તરફથી રૂપિયા ૧ લાખ, આટકોટના શ્રી અરજણભાઈ રામાણી તરફથી ૧ લાખ, અમદાવાદથી હરેશભાઈ નાગજીભાઈ રામાણી તરફથી રૂપિયા ૨ લાખ તેમજ ચતુરભાઈ નાગજીભાઈ ધાનાણી તરફથી રૂપિયા ૨૫૦૦૦/- અને શ્રીમતિ ચંદ્રિકાબેન અરવિંદભાઈ કાનાણી તરફથી રૂપિયા ૧૧૦૦૦/- જવાનોના પરિવારને આપવા માટે જય જવાન નાગરિક સમિતિને મળેલ છે. આ વર્ષે કુલ ૩૦ વિર જવાનોના પરિવારોને કુલ રૂ. ૬૦ લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે.

July 18, 2024
IMG_8637-1280x853.jpg
2min241
  • અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસને દુઃખી કરે છે – થર્સ-ડે થોર્ટ
  • જીવનનું રૂપાંતરણ એ જ ગીતાજીનું કેન્દ્રબિંદુ છે.
  • માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતાની રીતે જ જીવવા મન બનાવી લે છે. – કાનજી ભાલાળા
  • માણસ પોતે જ પોતાનો વકીલ છે જે હંમેશા નિષ્ફળતાનો બચાવ કરે છે. – ડો. બાલુભાઈ શેલડીયા
  • બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે – ડો. બાલુભાઈ શેલડીયા
  • શુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણએ સુખી થવાનો ખરો રસ્તો છે. – કાનજી ભાલાળા

સુખાકારી માટે લોકોને જીવનની નવી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૮/૦૭/૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૭૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આપણા વ્યક્તિત્વને નીખારીએ તો જ સુખનો અહેસાસ થઈ શકે. જયારે કોઈપણ પ્રકારનું અભિમાન જ માણસનું પતન કરે છે. માનસીક રીતે માણસ, માણસ સાથે અથડાય છે. ત્યારે દુઃખોના તણખા શરૂ થાય છે. માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતે જ પોતાનો વકીલ છે. અને પોતે જ પોતાનો ન્યાયધીશ બની પોતાની રીતે જીવવા મન બનાવી લે છે. પરિણામ જીવનમાં સુધારો થતો જ નથી. કોઈ દોષ હોય, કોઈ ભૂલ હોય કે કોઈ ઘરના હોય વ્યક્તિ હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખતો હોય છે. માણસ પોતે જ સાચો છે. હું કહું તેમ જ થાય તે જ બરાબર છે. આવું માનતો વ્યક્તિ હંમેશા બીજાના અનુમોદનની અપેક્ષા રાખે છે. અપેક્ષા પ્રમાણે અનુમોદન ન મળે ત્યારે માણસ દુઃખી થાય છે.

નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસના દુઃખોનું કારણ બને છે. સોશીયલમિડિયામાં મુકેલી પોસ્ટને લાઈક અનુમોદન ન મળે તો પણ માણસ દુઃખી થાય છે, આજે જે માણસ પાસે બધુ જ છે તેને પણ મોજ નથી. જયારે માણસ પોતાની મર્યાદા અને ભૂલોના અસ્વીકાર કરે છે. ત્યારે તેની પ્રગતિ અટકે છે. હંમેશા મર્યાદા સ્વીકારી સતત સુધરતા રહેવુ તે જ ખરૂ જીવન છે. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ જ સુખી થવાનો ખરો રસ્તો છે. આપણે બીજાના દુઃખે દુઃખી થઈએ છીએ પરંતુ બીજાના સુખે સુખી થઈ શકતા નથી. આ ઈર્ષા ભાવ જ માણસને મોટું નુકશાન કરે છે. બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે. જે માણસને દુઃખી કરે છે.

કોલેજના નિવૃત આચાર્ય અને લેખક તથા ચિંતક એવા ડો. બાલુભાઈ એમ. શેલડીયા એ જણાવ્યું હતું કે, માણસ હંમેશા પોતાની જાતનો બચાવ કરતો હોય છે. કોઈ જગ્યાએ જવામાં મોડા પડે તો ટ્રાફિકનો દોષ, ઠેસ લાગે તો પથ્થરનો દોષ, દરેક કાર્યમાં પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા ઉપર ઢોળવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે, આપણે રસ્તામાં ખોવાયેલી નદી જેવા છીએ. આપણે સંયમના કિનારાને સ્વીકારવા તૈયાર જ નથી.. તેને કારણે દુઃખી છીએ. કોઈ પણ ભૂલ કે દોષની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી પરિણામે આપણામાં સુધારો થતો નથી. પ્રથમ કોઈ ભૂલ કે ખામી દુર કરવી તે શુદ્ધિકરણ અને પછી હંમેશા વિકસતુ રહેવું તે ઊર્ધ્વીકરણ છે. જીવનમાંથી વાસનાને દુર કરવી એ શુદ્ધિકરણ અને જીવનને સમદ્રષ્ટી સાથે એક કરી દેવું એ ઊર્ધ્વીકરણ. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ સુખી થવાન રસ્તા છે. પોતાની પાસે નથી તે જોઈએ છે. પરંતુ બીજાની પાસે હોય તો તેની ઈર્ષા કરીએ છીએ.

આ વિરોધાભાસ માણસને વિક્ષિપ્ત કરે છે. ખરેખર દુનિયા વિરાટ પાગલખાનામાં રૂપાંતરિત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂલ નો અસ્વીકાર અને મર્યાદા ના ડરથી પ્રગતિ અવરોધાય છે. જાહેરમાં નહીં, તો કંઈ નહીં પણ માણસે મનમાં પોતાની ભૂલ નો સ્વીકાર કરવો જોઈએ. આપણી ભૂલને સ્વીકારવા ને બદલે એ ભૂલ માટે આપણે બીજાનું અનુમોદન માંગીએ છીએ. જસ્ટિફીકેશન આપીને ભૂલો ને આભૂષણ પહેરાવીએ છીએ એનું નામ માલએડજસ્ટમેન્ટ એટલે કુસુમાયોજન.
આપણા કર્મો જ આપણા સુખ-દુઃખનું કારણ છે. આપણે જે કંઈ પણ છીએ તે સ્વયં આપણા જ કર્મોનું ફળ છે. બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરીને ક્યારેય આપણે સુખી થઈ શકીએ નહીં. પરંતુ સત્યની શોધ કરવાને બદલે પોતાની જ માન્યતાને સાચી માનવી એ પ્રગતિને રોકે છે. સફળતા માટે પરિવર્તન સ્વીકારવું અનિવાર્ય છે. જે કુદરતના ઉત્ક્રાંતિના નિયમને પ્રતિબિંબિત કરે છે. આપણી જાતને રૂપાંતરણ કર્યા વગર આ સંસારમાં સુખી થવું તે અશક્ય છે. સ્થગિતતા નું બીજું નામ એટલે મૃત્યુ. જ્યારે જીવનનું રૂપાંતરણ એ જ ગીતાનું કેન્દ્રબિંદુ છે

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પટેલ બોર્ડીંગના પ્રમુખ અને રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપક ચેરમેન શ્રી શામજીભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હંમેશા નીડરતાથી જીવ્યા છે. તેમનું સૂત્ર છે કે, “જીવવું તો ડરવુ નહિ અને ડરવુ તો જીવવુ નહિ”. શ્રી શામજીભાઈ ખુંટ તથા તેમના પત્ની ભગવતીબેનનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર રજુ કરતા અંકીતભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, “જીવનને નીરોગી રાખવું તે આપણી પ્રાથમિક ફરજ છે”. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે તથા વ્યવસ્થા વરાછા બેંકની ટીમ અને યુવાટીમે સંભાળી હતી.

July 9, 2024
adani-logo.png
2min245

પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન 

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે

અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.

રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ

Youtube Link: https://youtu.be/O5Xl8D6DGAE:

અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.

ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત  વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.

ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું  છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો  છે.

2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત  અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

X: https://x.com/gautam_adani/status/1810272468294099282?s=08

Instagram: https://www.instagram.com/reel/C9KTCJ8MkM4/

Facebook: https://www.facebook.com/AdaniSportsline/videos/877872410847946 ઉપર નિહાળી શકશે

July 8, 2024
એસવીએનઆઇટી-1280x721.jpeg
1min243

પેટાહેડિંગ- ભારતમાં સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર આધારીત સ્કીલ્ડ મેનપાવર ઉભો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગમાં સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર 10 દિવસીય વર્કશોપ આજથી શરૂ થયો છે. ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ગેમ ચેન્જર સમાન છે અને કેન્દ્ર સરકાર જ્યારે સેમિકન્ડક્ટરનું ભારતમાં ઉત્પાદન થાય એ માટેની તમામ પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે એસવીએનઆઇટી, સુરત ખાતે આયોજિત આ સેમિકન્ડક્ટર વર્કશોપ પર દેશભરના ઉદ્યોગકારોની નજરો કેન્દ્રીત થઇ છે.

મળતી માહિતી મુજબ ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં આયોજિત સેમિકન્ડક્ટર વર્કશોપ ભારત અને ગુજરાત સરકારના સેમિકન્ડક્ટર મિશન અનુસાર ભારતને જેની તાતી જરૂરીયાત છે એ સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં કુશળ સ્નાતકોની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ છે. આ વર્કશોપમાં રાજ્યમાં સ્થિત દેશના અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોના નિષ્ણાતો તેમના અનુભવો શેર કરી રહ્યા છે. અને એ જ કારણે સેમિકન્ડક્ટર પર આધારિત આ વર્કશોપને અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે.

July 5, 2024
Cia-Rotery-2-1280x853.jpeg
2min209

ઉમરગામથી નડિયાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોની ૧૦૫ કલબોના રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ૨૦૨૪-૨૫ના ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકે સુરતના તુષાર શાહનો પદગ્રહણ વિધિ સમારોહ રોટરી ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર રોટેરિયન એ. એસ. વેંકટેશના અતિથિ વિશેષ પદે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે સંપન્ન થયો. આ સમારોહની સાથે સાથે રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા વરાયેલા પ્રમુખ નિધી પચ્ચીગરે પણ હોદ્દો અખત્યાર કર્યો.

આ પદગ્રહણ વિધિ સમારોહને સંબોધતા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર એ. એસ. વેંકટેશે જણાવ્યું હતું કે રોટરી એટલે જૉય ઓફ ગિવીંગ- આપવાનો આનંદ.
પદ એ તો ટૂંકા સમય માટેનો આનંદ છે, અને તેથી ટૂંકા સમય માટેનો આ આનંદ છોડીને વાસ્તવિક ધરતી પર રહીને રોટરીના તમામ સાત મૂળભૂત કાર્યોને જો તમે જીવનનો ભાગ બનાવશો તો જીવન જીવવાનો આનંદ કંઇક ઔર જ હશે. જીવનમાં મારું મારું કરશો તો મરશો અને તારું તારું કરશો તો તરી જશો.

આ સિદ્ધાંતને જો સૌ કોઇ અપનાવે તો નવા સમાજનું આપણે નિર્માણ કરી શકીશું.

ડિસ્ટ્રિકટ ગવર્નર પદનો સ્વીકાર કર્યા બાદ તુષાર શાહે પોતાના સ્વીકૃતિ પ્રવચનમાં જણાવ્યું હતું કે રોટરીએ મારા જીવનને નવો વણાંક આપ્યો છે. હું જયારે જયારે પણ શિક્ષણ છોડી ગયેલા એક વિદ્યાર્થીને રોટરીના માધ્યમ દ્વારા ફરી પાછો શાળામાં ભણતો જોવ છું, ત્યારે તેનો આનંદ કંઇક અનેરો જ હોય છે.

જયારે જયારે પણ રોટરીના માધ્યમ દ્વારા આપવામાં આવેલ કૃત્રિમ પગને કારણે કોઇકને ચાલતો જોવ છું ત્યારે આંખ લાંગણીથી ભીની થઇ જાય છે.

વરસતા વરસાદમાં કોઇકને રોટરી દ્વારા આપવામાં આવેલ રેઇનકોટ પહેરેલો જોવ છું ત્યારે લાગણીથી હૃદય ઉભરાઇ જાય છે.

રોટરીએ મારી જિંદગી અર્થસભર બનાવી છે અને આવા સુંદર કાર્યો માટે મને નિમિત્ત બનાવ્યો તે માટે પ્રભુ તારો અંતઃકરણ પૂર્વક આભાર.

આ પ્રસંગે ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર નોમિની નિલેશ શાહ (વાપી), તત્કાલીન ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર નિહિર દવે (આણંદ) સહિત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરો શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્ર નગર), અનિશ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રૂચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), પરાગ શેઠ (ભરૂચ), આશિષ અજમેરા (ધૂલે), ડૉ. સુરેન્દ્રસિંહ પરમાર (સરીગામ), કુલબંધુ શર્મા (સુરત), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), હિમાંશુ ઠક્કર (સુરત), ભરત સોલંકી (સુરત), દેવેન્દ્ર શાસ્ત્રી (સુરત) તેમજ ગુરપ્રિતસિંહ શેખોન ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા પ્રમુખ તરીકે શિક્ષણવિદ નિધીબેન પચ્ચીગરે પણ હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા.

ઇન્ટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ સ્નેહા બરદિયા અને રોટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ રોહિત અજમેરાએ આ સમારંભમાં ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિકટ 3060ના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ સમા ગવર્નર મંથલી લેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

July 3, 2024
green-lab-cia-sgcci.jpeg
1min251

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે લેબમાં બનતા ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનવા સુધીની તેમજ કવોલિટી ચેક સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી મેળવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલની આગેવાનીમાં ચેમ્બરના ગૃપ ચેરમેનો શ્રી દીપક કુમાર શેઠવાલા, ડો. અનિલ સરાવગી અને શ્રી ભાવેશ ટેલર તથા ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના કો–ચેરમેન શ્રી અમિત શાહ સહિત ૪પથી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૩ જુલાઇ, ર૦ર૪ના રોજ ઇચ્છાપોર ખાતે ગુજરાત હીરા બુર્સમાં આવેલા ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLPની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી.

ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLPના પાયોનિયર શ્રી મુકેશ પટેલ અને શ્રી જિતેશ પટેલ તથા ડિરેકટર શ્રી સ્મીત પટેલે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર્યું હતું. શ્રી સ્મીત પટેલે લેબમાં ચોકકસ પ્રકારના પ્રેશરમાં બનતા લેબગ્રોન ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પાયાથી લઇને કવોલિટી ચેક સુધીની પ્રોસેસની સમજણ આપી હતી. સાથે જ તેમણે કંપનીની ત્રણ દાયકાની સફર અંગે જાણકારી માહિતી આપી હતી. રીયલ ડાયમંડમાંથી લેબ ગ્રોન ડાયમંડમાં ઝંપલાવવા પાછળના તારણો વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ દરમ્યાન ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLP ખાતે મિટીંગ પણ કરી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માન્યો હતો.

November 24, 2023
praful-panseria.jpg
1min759

સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણ માટે લોક માનસના ધડતર માટે સારા વિચારોની જરૂર છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કામરેજ રોડ, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે. ૨૩મી નવેમ્બર થેન્ક્સગીવીંગ-ડે તરીકે ઉજવાય છે. તેને ધ્યાનમાં રાખી ૩૬ માં વિચારને રજુ કરતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કૃતજ્ઞતાએ જીવનનો શ્રેષ્ઠ સદગુણ છે, ખરેખર કૃતજ્ઞતાના ભાવમાં ચમત્કારીક શક્તિ રહેલી છે. કૃતજ્ઞતાના સિધ્ધાંત સાથેનું જીવન જ સ્વપ્નો સાકાર કરે છે. તેમણે જણાવ્યું હતું કે હકારાત્મક ઉર્જાથી હદય છલકાયું હોય તો તે વ્યક્તિ વંદનીય હોય છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે જો અંતકરણથી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવેતો તે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આવે છે. લોઓફ એટ્રેક્શન એ કુદરતના સિદ્ધાંત ઉપર આપનું મન કામ કરે છે. ક્રોધ ઉપરની જીત એજ ખરી જીત છે. ગુણવતા યુક્ત જીવન જીવવા માટે આહવાન સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

|| જમનાબા ભવન ખાતે કાર્યાલય તથા સેવા પ્રવૃત્તિ કેન્દ્રનો પ્રારંભ ||

    શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનો ડ્રીમ પ્રોજેક્ટ, કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે નિર્માણાધીન છે. જમનાબાભવન માં વહીવટી કાર્યાલય અને વિવિધ સેવા પ્રવૃતિઓ માટે માર્ગદર્શન સેન્ટરનો આજથી શુભારંભ થયો છે. રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મુખ્ય નામકરણના દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલિયાના હસ્તે કાર્યાલય અને માર્ગદર્શન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં કારકિર્દી માર્ગદર્શન અને સરકારી યોજનાની જાણકારી વિનામૂલ્યે કોઈપણ ને આપવામાં આવશે. આ પ્રસંગે સિગ્નેચર ગ્રુપના યુવા ઉદ્યોગ સાહસીક હિતેશભાઈ ડી. ધામેલીયાનું દાતાટ્રસ્ટી બનવા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. ટીમ૧૦૦ ના શ્રી નરેન્દ્રભાઈ કુકડિયાએ ન્યુઝીલેન્ડ ખાતે સમાજની પ્રવૃત્તિની સુવાસ પહોંચાડી તથા ડૉ. સુરેશભાઈ જે. બલર દાતા તરીકે સંસ્થા સાથે જોડાયા છે. તે બદલ તેમનું સન્માન કરાયું હતું. તાજેતરમાં જી.પી.એસ.સી. ક્લાસ-૧ પરીક્ષા પાસ કરી (Dysp) ડી.વાય.એસ.પી ના પદ સુધી પહોચનાર કુ. સૃષ્ટિ માંડણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.  
    કામરેજ રોડ ખાતે નિર્માણાધીન જમનાબા ભવનમાં આર.સી.સી. વર્ક પૂરું થવામાં છે. આગામી ૮ માસમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તથા ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથીભવન તૈયાર થઈ જશે. પરંતુ તે પહેલા ગ્રાઉન્ડફલોરમાં વહીવટી તેમજ જરૂરી કામકાજ માટે અને પ્રવૃત્તિઓ માટે કાર્યાલયનો વપરાશ શરુ કરેલ છે. બાંધકામ સમિતિ સુરતના ધીરુભાઈ માલવિયા, શ્રી હરીભાઈ કથીરીયા, શ્રી ભવાનભાઈ નવાપરા અને સંસ્થાના ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રીશ્રી કાંતિભાઈ ભંડેરી તથા ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

થેંક્સગીવીંગ-ડે

 દર વર્ષે ૨૩મી નવેમ્બરે યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવા આવે છે. આભારભાવ પ્રગટ કરવો તે એક સદગુણ છે. દર ગુરુવારે યોજાતા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં દર વખતે એક નવા વિચારોનું વાવેતર થાય છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરી યુવાનો સહભાગી અને છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને ધ્યાનમાં રાખી એક નવો વિચાર રજુ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત અને જ્યાં પણ વિચાર વંચાય છે ત્યાં ખુબ સારી હકારાત્મક અસર જોવા મળી છે. સંસ્થાનો ઉદેશ લોકોમાં આરોગ્ય, આર્થિક અને મનની તંદુરસ્તી બાબત જાગૃતિ લાવવા તથા હકારાત્મક વિચાર વાવવાનોનો આ પ્રયાસ છે. તમામ લાગણીની એક અસર થતી હોય છે. ત્યારે આભાર પ્રગટ કરવો એટલે કે કૃતજ્ઞતાની ખુબ જાદુઈ અસર થાય છે. તમાર સ્વપ્ન સાકાર થાય છે અને એટલેજ યુરોપ અને અમેરિકામાં થેન્ક્સગીવીંગ-ડે ઉજવવામાં આવે છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવાટીમે વ્યવસ્થા જાળવી હતી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, જાગૃત ભાઈઓ, બહેનો અને યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શ્રી ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.

November 22, 2023
cia_multi-1280x1045.jpg
1min875

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન તરફથી તમામને દિવાળી અને નૂતન વર્ષની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

November 2, 2023
umeria.jpeg
1min411

મુદ્રા ડાન્સિંગ એકેડેમીના કલાગુરુ શ્રીમતી કાશ્મીરા જયકુમાર પટેલની ત્રણ શિષ્યાઓ શ્રીમતી વૈશાલી મિતેષ ઉમરીયા, શ્રીમતી તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાએ અરંગેત્રલની સંપૂર્ણ તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આગામી તા.4 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રંગભવન ખાતે ત્રણેય શિષ્યાઓ પોતાની ક્લાસિકલ ડાન્સિંગની કલા અરંગેત્રલમાં રજૂ કરશે.

આ પ્રસંગે વૈશાલીબેનના પિતા મિતેષ ઉમરીયા તેમજ પરીવારના સભ્ય હિતેષ ઉમરીયાએ જણાવ્યું હતું કે ઉમરીયા પરિવાર માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.

હિતેષભાઇ ઉમરીયાએ જણાવ્યું કે શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે અરંગેત્રલ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને આધારે નહિ, પરંતુ નૃત્યકાર તરીકેની તેની નિપુણતા તથા ગુણવત્તા પર જ આધારિત હોય છે. પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુકુળમાં રહીને નૃત્યસાધના કરતા હતા એ પરંપરા સદીો પછી પણ આજે અકબંધ છે. વર્ષોની કઠોર સાધના તથા પરિશ્રમને અંતે નૃત્યકારે પ્રાપ્ત કરેલ પરિપક્વતાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમનો મંગલ પ્રસંગ, ગામના મંદિરના પટાંગણમાં ભગવાનના આશીર્વાદ સાથે, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં ઊજવાય છે.

શું છે અરંગેત્રલનો ઇતિહાસ

ભારતની શાસ્ત્રીય નૃત્યકલામાં દક્ષિણ ભારતની નૃત્યકલાનું વિશિષ્ટ પ્રદાન છે, જેનો પ્રારંભ આજથી આશરે 5,000  વર્ષ પહેલાં થયો હતો અને આશરે 2,000 વર્ષ પૂર્વે તે પૂર્ણત્વ પામી હતી તેવું માનવામાં આવે છે. તે સમયથી ભારતની બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં આરંગેત્રમ્ દીક્ષાન્ત સમારોહ ઊજવાતો આવે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે તથા પરંપરાથી નિર્ધારિત થયેલા ક્રમમાં તે નૃત્યનાં વિવિધ અંગોમાંથી કેટલાંક રજૂ કરે છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરતનાટ્યમનું સ્થાન મોખરે છે અને તેમાં મંદિરની દેવદાસીઓ અને નટુવંગમ્ વગાડનાર નટુવનાર એટલે કે નૃત્ય-આચાર્યોનું મુખ્ય પ્રદાન હોય છે. યુવાન દેવદાસી મંદિરમાં જ્યારે પ્રથમ વાર નર્તકી તરીકે નૃત્ય કરે છે ત્યારે તે પોતાની જાતને નટરાજને સમર્પિત કરે છે. આ પ્રસંગમાંથી આરંગેત્રમનો ઉદભવ થયો છે. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઈએ આરંગેત્રમ્ માટે ‘આરાધના’ પર્યાય આપ્યો છે.

આ સમારોહમાં નૃત્યકાર નૃત્યનાં વિવિધ અંગોમાંથી ખાસ પસંદ કરેલાં કેટલાંક રજૂ કરે છે. મંગલાચરણમાં તેમજ સમારોહની સમાપ્તિ પહેલાં નટરાજવંદના, ગુરુવંદના તથા સભાવંદનાનો સમાવેશ થાય છે. મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, તિલ્લાના, શ્લોકમ્ અને મંગલમ્ રજૂ કરવામાં આવે છે. અલારિપ્પુ એટલે કે કુમુદના પુષ્પની માફક ખીલતું. આ એક પુષ્પાંજલિની વિધિ છે, જેમાં નર્તિકા ઉચ્ચ ગ્રીવા રાખી ઈશ્વરને, સન્મુખ ઊભેલા ગુરુને તથા પ્રેક્ષકગણને વંદન કરે છે અને આશીર્વાદ આપવા માટે એ બધાનું આહવાન કરે છે. જતિસ્વરમ્ એટલે કે તાલબદ્ધ નૃત્ય અને નિશ્ચિત રાગમાં ગવાતી સ્વરાવલીનું સુંદર આયોજન. શબ્દમ્ એટલે અભિનય સાથે રજૂ થતું દેવનું યશોગાન, જે દરમિયાન નર્તકી તાલબદ્ધતામાંથી અભિનયમાં સરે છે. અલારિપ્પુ અને જતિસ્વરમની તુલનામાં શબ્દમમાં ભાવપ્રદર્શનનું પ્રાધાન્ય હોય છે. નર્તિકા પ્રેક્ષકગણને રામ, કૃષ્ણ કે શિવની કથા આદર અને અર્થનિષ્પત્તિ સહિત સમજાવે છે. વર્ણમમાં નર્તકીએ શીખેલા આડવુ(steps)ના સ્રોતમાંથી ગ્રહણ કરેલા વૈવિધ્યપૂર્ણ આડવુની ચઢતા ક્રમમાં ભવ્ય રંગભરી રજૂઆત થાય છે. તેમાં દેવનું સ્તુતિગાન હોય છે. પદમ્ અત્યંત મૃદુ રીતે રજૂ થતો નૃત્યપ્રકાર છે, જેમાં આડવુ કરતાં અભિનયનો ભાગ વધારે હોય છે અને તેથી એમાં વિવિધ નાયિકાલક્ષણો દર્શાવવાની તક રહે છે. આ પદમ્ ગુજરાતી ગીત સાથે પણ રજૂ થાય છે. તિલ્લાના ઉત્તર ભારતના તરાનાને મળતી કૃતિ છે, જેમાં વિલંબિત, મધ્ય અને દ્રુત – આ ત્રણેય લયોનો આવિષ્કાર હોવાથી તાલનું વૈવિધ્ય હોય છે. શ્લોકમમાં ઈશ્વરને ઉદ્દેશીને રચાયેલા સંસ્કૃત, તમિળ કે તેલુગુ શ્લોક પર નૃત્ય અને અભિનયની રજૂઆત થાય છે.

આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે.

આરંગેત્રમ્ બાદ જ શિષ્ય નૃત્યકાર તરીકે પોતાની કલા જાહેરમાં રજૂ કરવા માટે લાયક ગણાય છે.