શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, સુરતની યુવા સંસ્થા “સ્પર્શ” ના નવા વરાયેલા પ્રમુખ દેશના મંથન મદ્રાસીનો પદગ્રહણ વિધિ સમારોહ શ્રી અજય લાકડાવાલા, શ્રી કેતન ઝવેરી, શ્રી પારસ જરીવાલા, શ્રી નરેશ મદ્રાસી અને શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીના સાન્નિધ્યમાં સંપન્ન થયો હતો.
સ્વાગત પ્રવચન નીમા ચિંતન ઝવેરીએ કર્યું હતું. નિવૃત્ત થયેલા પ્રમુખ જીગર લાકડાવાલાએ તેમના વર્ષમાં હાથ ધરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો અને ખાસ કરીને કોરોના દરમ્યાન હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ તેમજ આયોજિત કરવામાં આવેલા વેબીનારો વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.
નવા વરાયેલા પ્રમુખ દેશના મદ્રાસીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજના ઉત્થાન અને વિકાસમાં યુવાનોનો વિશિષ્ટ ફાળો હોય છે. જ્ઞાતિના યુવાનોએ વડીલોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવ્યો છે અને તેથી જ જ્ઞાતિના યુવાનોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
જ્ઞાતિના વડીલ શ્રી નરેશ મદ્રાસીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો જે કંઈક કરી શકે છે તે બીજું કોઈ કરી શકતું નથી. વડીલોનું કામ યુવાનોમાં વિશ્વાસ મૂકવાનું છે અને જો યોગ્ય સમયે તેઓને માર્ગદર્શન આપવામાં આવે તો ચોક્કસ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેઓએ દેશના મદ્રાસીને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા.
નવી કાર્યવાહક સમિતિની ટીમને સાજનાના મંત્રી શ્રી અજયભાઈ લાકડાવાલાએ શપથ લેવડાવ્યા હતા અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.રિદ્ધિ શાહે આભાર વિધિ કરી હતી અને પદગ્રહણ વિધિ સમારોહનું સંચાલન નિખિલ મદ્રાસીએ કર્યું હતું.
સુરતની સરકારી મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા લાખો રૂપિયાનું ભંડોળ એકત્રિત કરીને મેડીકલ સ્ટુડન્ટસ માટે અનિવાર્ય સ્પોર્ટસ એક્ટિવિટી માટે એક કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું
સુરતની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને હાલમાં સુરત તેમજ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાં સ્થાયી થયેલા હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન, એલ્યુમની એસોસીએશન, સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરત દ્વારા તાજેતરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં રમત-ગમત સંકુલનું ઉદઘાટન ગુજરાતના બીજેપી પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યું છે. આ મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ મેડીકલનો અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં કરનારા વિદ્યાર્થીઓ માટે અત્યંત અનિવાર્ય હતું, જેને પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા હોય એ રીતે ચૂકવ્યું છે. સુરતની સરકારી મેડીકલ કોલેજમાંથી તબીબ બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલા ભંડોળમાંથી રૂ.32 લાખના માતબર ખર્ચે આ સ્પોર્ટસ સંકુલ સાકારિત કરવામાં આવ્યું છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં આ રીતે સાકારીત થયેલા રમત ગમત સંકુલના ઉદઘાટન સાથે જ તેન ચર્ચા સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગ પર પડી છે. જુદી જુદી મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવા આગળ આવી રહ્યા છે અને ભવિષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ સંકુલમાં સાકાર થયેલા રમત ગમત સંકુલ જેવા સંકુલ રાજ્યમાં તેમજ દેશમાં જોવા મળે તો નવાઇ નહીં. અને એટલે જ અમે અહીં લખ્યું છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરીને હાલમાં તબીબી પ્રેક્ટિસ કરી રહેલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાકારિત સ્પોર્ટસ સંકુલ પ્રોજેક્ટ અન્યો માટે રોલ મોડેલ બની રહ્યો છે.
ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે પણ ઉદઘાટન પ્રસંગે સંકુલને રૂ.5 લાખની સહાય આપવાની જાહેરાત કરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરોઅવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે, કોવિડ-19 મહામારી સામેના લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા (જેમોલોજી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાની સ્વતંત્ર સબસિડિયરી); જેમ & જવેલરી નેશનલ રિલીફ ફોઉંડેશન (જી.જે.એન.આર.એફ.) એ શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરનું મહિલા સશક્તિકરણ અભિયાન – ‘રાજ ઉપહાર’ના ગિફ્ટ પેકેટ્સથી બિરદાવવામાં આવી હતી.
સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત ૬થી માર્ચના દિવસે કરવામાં આવી હતી.
મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવતાં આ ગિફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ’રાજ ઉપહાર’માં કામ કરતી સેંકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે!
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. CiA Live News (www.cialive.in)સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા અભિયાનની શરૂઆત ૬થી માર્ચે કરવામાં આવી. CiA Live News (www.cialive.in)આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરના ટ્રસ્ટી ડૉ. બીજલ મેહતા CiA Live News (www.cialive.in)આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા જી. આઈ. એ. ઈન્ડિયાના પ્રતિનિધિ. CiA Live News (www.cialive.in)
69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ
બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો… ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રોલ કમિટીના ચેરમેન શ્રી રથિન રોય ચૌધરી, માનનીય સાંસદ, કંધમાલ, વી.એફ.આઈ.ના અધ્યક્ષ તથા કે.આઈ.આઈટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંત, કે.આઈ.આઈ.ટીના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ અને પ્રો-વાઈસ ચાન્સલર પ્રો.સસ્મિતા સામંત, કે.આઈ.આઈ.ટી.ના વાઈસ ચાન્સલર પ્રો.એચ.કે.મોહંતી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી. ડૉ.અચ્યુત સામંતે ઉદ્ધાટન સમરોહની અધ્યક્ષતા કરી જ્યારે ડૉ.ગગનેન્દ્ર દાશ, સચિવ ઓર્ગોનાઈઝિંગ કમિટી, એસોસિએટ જોઈન્ટ સેક્રેટરી, વી.એફ.આઈ., ઓનરરી જોઈન્ટ સેક્રેટરી, ઓડિશા વૉલીબૉલએસોસિએશન અને ડાયરેક્ટર, સ્પોર્ટ્સ, કે.આઈ.આઈ.ટી. તથા કે.આઈ.એસ.એસ.એ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો.
મહામહિમ શ્રી બીજૂ પટનાયકજીની 105મી જયંતીના અવસર પર દિવંગત બીજૂ બાબૂને પુષ્પાંજલિ અર્પણ કરી આ સમારોહની શરૂઆત કરાઈ. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૉલીબૉલસંઘના અધ્યક્ષ અને મહાસચિવ પણ ઉપસ્થિત હતા.
ભારતીય વૉલીબૉલઈતિહાસમાં પહેલીવાર, ઓડિશાએ એક રાજ્ય તરીકે 68 સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.. અને આ ચેમ્પિયનશિપની યજમાની કરી. ખાસ વાત એ છે કે પહેલીવાર તમામ મેચ ઈન્ડોર કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ સાથે રમાશે. તમામ મેચ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમમાં ઓડિશા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ અનુસાર જ રમાશે. ઓડિશાને એક રાજ્યના સ્વરૂપમાં ચાર વૉલીબૉલનેશનલ ચેમ્પિયનશિપ-36મી જૂનિયર નેશનલ વૉલીબૉલચેમ્પિયનશિપ 2009, 41મી નેશનલ સબ જૂનિયર વૉલીબૉલચેમ્પિયનશિપ 2019, 68મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2019-20 અને હવે વર્તમાન 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21 ફાળવવામાં આવી ચૂકી છે. ચારેય ટૂર્નામેન્ટ કે.આઈ.આઈ.ટી. પરિસરમાં આયોજીત કરાઈ છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 1200થી વધુ પુરુષ અને મહિલા વૉલીબૉલખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ, લદ્દાખની ટીમ, વી.એફ.આઈ.ના અધ્યક્ષની ઉચિત અનુમતી સાથે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. અનેક અર્જૂન એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડી આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
આગામી એશિયાઈ ચેમ્પિયનશિપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બેઠકો માટે ભારતીય વૉલીબૉલટીમની પસંદગી આ ચેમ્પિયનશિપના માધ્યમથી કરવામાં આવશે. ભારતીય વૉલીબૉલપુરુષ ટીમની પસંદગી સમિતિમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા, અર્જૂન એવોર્ડ વિજેતા અને ભારતીય વૉલીબૉલટીમના વર્તમાન કૉચ શ્રી.જી.ઈ.શ્રીધરન; અર્જૂન એવોર્ડ વિજેતા ડૉ.દલેલ સિંહ અને શ્રી જાગીર સિંહ રંધાવા સામેલ છે. ભારતીય વૉલીબૉલમહિલા ટીમની પસંદગી સમિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એસ.એ.આઈ)ના શ્રી અજય જાંગરા, શ્રી દલજીત સિંહ અને ભારતીય વૉલીબૉલટીમનાં વર્તમાન કૉચ, સુશ્રી વૈશાલી ફડતારે સામેલ છે. શ્રી પ્રકાશ રોય અને શ્રી એ.રામના રાવ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને અર્જૂન એવોર્ડ વિજેતા આ બંને પસંદગી સમિતિના સંયોજક હશે.. ઉદ્ઘાટન મેચ પુરુષ વર્ગમાં ઓડિશા અને મધ્ય પ્રદેશ વચ્ચે જ્યારે મહિલા વર્ગમાં ઓડિશા અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી.
સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય તેની તે હક્દાર છે.
સરદારધામ સુરત યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે મહિલા દિન નિમિત્તે “શક્તિ વંદના” એવમ્ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 600 થી વધુ ભાઇ – બહેનો એ હાજરી આપી હતી. યુવા તેજ – તેજસ્વીની સુરતના ભાઇ – બહેનોએ રાત-દિવસ એક કરીને કાર્યક્રમને સજાવ્યો હતો.
કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા સરદારધામના યુવાશક્તિના સર્વાગી વિકાસ માટેના પાંચ લક્ષબિંદુઓ વિશે વિગતવાર માહિતી અપાઇ હતી.
ગગજી સુતરીયાએ કહ્યું કે…
સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ ઓનલાઇન કાર્યક્રમમાં હાજર રહીને મહિલાદિનની શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ યુવાઓને અભિનંદન આપ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે કહ્યુ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નામના મેળવી રહી છે. પુરૂષોના ગઢ ગણાતા ક્ષેત્રોમાં પણ તે ગાબડા પાડીને આગળ વધી રહી છે. નારીમાં અપાર શક્તિઓ રહેલી છે. જરૂર છે તો ફક્ત તે શક્તિઓને બહાર લાવવાની અને તેને પુરતી તક આપવાની. જયારે તમે એક નારીને શિક્ષણ આપો છો ત્યારે તમે એક પેઢીને શિક્ષણ આપો છો એમ ગણાય. દરેક રાષ્ટ્રની ઉન્નતિનો આધાર તે દેશની સ્ત્રીઓની ઉન્નતિ પર આધાર રાખતો હોય છે.
સ્ત્રી સ્વયં અદભૂત શક્તિસ્ત્રોત
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરના સમાજસેવી અને પ્રખ્યાત ઉદ્દઘોષક શ્રી નેહલબેન ગઢવીએ પોતાનું હદયસ્પર્શી વ્યકતવ્ય આપ્યું હતું. તેમણે મહિલાઓને બિરદાવતા જણાવ્યું કે સ્ત્રી એ શક્તિનું બીજું રૂપ છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સ્ત્રી તે દરેક મુસીબતોનો સામનો કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. ધીરજ એ સ્ત્રીનો ગુણ છે. ઘર- પરિવાર અને લોકો માટે વિખેરાઇ જવું, વિલીન થઈ જવું, ગુમાવી દેવું, ઓગળી જવું એ સમર્પણ દરેક સ્ત્રીનો ગુણ છે. સ્ત્રીને આજ સુધી સમાજે દેવી સ્થાને બેસાડીને તેના માણસ તરીકેના હસવા, રોવા, થાક્વાના હકથી તેને વંચિત રાખી છે. સૂરજ આજે રોજ જો સવારે નીકળતો હોયને તો તેનું એકમાત્ર કારણ આ પૃથ્વી પર સ્ત્રીઓનું રોજે રોજ નવું જોવા મળતું સૌદર્ય છે. પોતાના વક્તવ્ય દ્વારા નેહલબેને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. સ્ત્રીનું અલગ સ્વરૂપ તેમણે જાણે પોતાના વક્તવ્યમાં બતાવ્યું હતું.
કાર્યક્રમમાં અધિકારી અને રાજસ્વી પાટીદાર મહિલાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતનાં યુવા તેજસ્વીની કન્વીનર અને સહકન્વીનર શર્મિલાબેન બાંભણીયા – રાજકોટ, રશીલાબેન ધાનાણી – વડોદરા, દક્ષિણ ગુજરાત સુરત ઝોન કન્વીનરો ઉર્વશીબેન પટેલ અને રીંકલબેન જરીવાલાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત સરદારધામના ઉપપ્રમુખશ્રી- દક્ષિણ ગુજરાત ઝોન દીયાળભાઇ વાઘાણી અને સ્થાપક ટ્રસ્ટીશ્રી મનહરભાઇ સાચપરાએ પણ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરત જિલ્લાં આવેલી જિલ્લા પંયાયત, 9 તાલુકા પંચાયતો તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા વિજયને ન ભૂતો ન ભવિષ્યતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારો તો આઝાદી કાળથી કોંગ્રેસનો ગઢ ગણાતા હતા, એવા વિસ્તારોમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપ દેસાઇ અને તેમની ટીમે માઇક્રોપ્લાનિંગ કરીને ભાજપાના ઉમેદવારોને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સુરત જિલ્લા ભાજપનું સુકાન સંભાળતાની સાથે જ સંદીપ દેસાઇએ દરેક તાલુકાઓ તેમજ ગ્રામ્ય સ્તરે સુરત ભાજપા સંગઠનાત્મક પ્રવૃતિ હાથ ધરી દીધી હતી. સાથોસાથ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે લાગૂ કરેલી યોજનાઓનો સીધો જ લાભ સુરત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને કેવી રીતે આપી શકાય તે માટે સુરત જિલ્લા ભાજપાની ટીમે માઇક્રોપ્લાનિંગ શરૂ કરી દીધું હતું.
સુરત જિલ્લા ભાજપામાં પ્રમુખ સંદીપ દેસાઇ અને તેમની ટીમે કરેલી કામગીરીઓ અને ગુજરાત સરકારના વિકાસની રાજનીતિને કારણે સુરત જિલ્લામાં ભાજપે અભૂતપૂર્વ વિજય સાંપડ્યો છે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઇએ આ વિજય માટે ગુજરાત બીજેપી પ્રેસિડેન્ટ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રુપાણી તેમજ સમગ્ર ભાજપા ટીમને શ્રેય આપ્યું હતું. સંદીપ દેસાઇએ સુરત જિલ્લા ભાજપાના તમામ કાર્યકરો તેમજ મતદારોને પણ આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારે બુધવારે ફાર્માસ્યુટિકલ અને આઈટી હાર્ડવેર ક્ષેત્રને પ્રોડકશન લિન્કડ ઈન્સેટિવ (પીએલઆઈ) સ્કીમ જાહેર કરી હતી. દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઈન્સેન્ટિવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૨૦-૨૧થી ૨૦૨૮-૨૯ના સમયગાળા માટે ફાર્મા ક્ષેત્રને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.ભારતની ઉત્પાદન ક્ષમતા પ્રત્યે દેશી અને વિદેશી ઉત્પાદકોને આકર્ષવા માટે ભારતમાં લૅપટોપ, સર્વર્સ, કમ્પ્યુટર્સ અને ટૅબ્લેટ્સના ઉત્પાદનને વધારવા માટે સરકારે બુધવારે રૂ. ૭૩૫૦ કરોડની યોજના મંજૂર કરી હતી.
નવી યોજના ૧.૮૦ લાખ રોજગારની તક ઊભી કરવા સાથે આવતા ચાર વર્ષમાં રૂ. ૩.૨૬ લાખ કરોડનું ઉત્પાદન અને રૂ. ૨.૪૫ લાખ કરોડની નિકાસ કરવાનો અંદાજ જાહેર કરાયો હતો.
કૅબિનેટની બેઠક બાદ કમ્યુનિકેશન અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આઇટી હાર્ડવૅર ઉત્પાદનો માટે ઉત્પાદનને જોડતા પ્રોત્સાહન (પીએલઆઇ)ની યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને એમાં લૅપટોપ્સ, ટૅબ્લેટ્સ, ઑલ ઇન વન પીસી અને સર્વર્સનો સમાવેશ કરાયો છે.
રૂ. ૭૩૫૦ કરોડની આ યોજના ભારતને હાર્ડવૅરના ઉત્પાદનમાં વૈશ્ર્વિક હબ તરીકે આગળ લાવવા માટેની છે.
હજુ ગત સપ્તાહ દરમિયાન જ રૂ. ૧૨૧૯૫ કરોડની ટેલિકોમના સાધનોના ઉત્પાદનની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
પીએલઆઇ યોજનાનો લાભ આઇટી હાર્ડવૅર ક્ષેત્રની પાંચ મોટી વૈશ્ર્વિક અને ૧૦ સ્થાનિક કંપનીઓને મળશે. ભારતને આત્મનિર્ભર બનાવવાના આ યોજના સિંહફાળો આપશે. આ યોજના ભારતની ઇલેક્ટ્રોનિક્સની ઇકોસિસ્ટમનો વિકાસ કરશે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL)ની ફાઉન્ડેશન તકતીનું અનાવરણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, માનનીય ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી.રામાસુબ્રમણ્યમના હસ્તે કરાયું. આ અનાવરણ કાર્યક્રમ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર ખાતે યોજાયો. આ સમારોહમાં વરિષ્ઠ વકીલ અને અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (BCIT) ના પ્રમુખ શ્રી મનન કુમાર મિશ્રા, ઓડિશાના એડવોકેટ જનરલ, શ્રી અશોક પરીજા, વરિષ્ઠ એડવોકેટ અને BCITના અધ્યક્ષ શ્રી દેબી પ્રસાદ ધલ, BCITના એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી અને KIIT તથા KISSના સંસ્થાપક પ્રો. અચ્યુત સામંત સહિત ઘણી કાનૂની હસ્તીઓ હાજર રહી હતી અને સભાને સંબોધન કર્યું હતું.
IILની સ્થાપના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (બીસીઆઈટી) તથા KIITTના સહકારથી થઈ છે. જે કાયદા શિક્ષકોના કૌશલ્ય વિકાસ અને વકીલાતના અભ્યાસની સાથે સાથે નિરંતર શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવાત તથા કાયદાના શિક્ષકોની એકેડેમી માટે એક મોડેલ સંસ્થા બનશે. આ સંસ્થા દેશની કાયદાની સ્કૂલોના યુવા શિક્ષકોની સુવિધા વધારશે અને તેમની ખૂબીઓ, વ્યાવસાયિક કુશળતા અને હોશિયારી વધારવામાં મદદરૂપ બનશે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હશે.
ફાઉન્ડેશન સમારોહમાં સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિતે આઈ.આઈ.એલ.ની સ્થાપનાનું સ્વાગત કર્યું અને આ પ્રકારના કાર્ય બદલ BCIT અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે “જીવનમાં પરિવર્તન એકમાત્ર સ્થિર છે, સતત શિક્ષણ દરેક વ્યવસાય માટે અગત્યની છે જે દરેકના જીવનનો મહત્વનો ભાગ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે કદાચ આ એક પહેલું પગલું છે જે સંસ્કૃતિને ફરીથી આત્મસાત કરશે, જ્યારે આપણી પાસે આ પ્રકારની વધુમા વધુ સંસ્થાઓ હશે ત્યારે આપણે આ શિક્ષણ યથાવત રાખવાના વિચારો દરેકના મનમાં મૂળિયા જમાવશે.. માનનીય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય માટે BCI અને KIITને શુભેચ્છાઓ પાઠવી.
ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે “BCI દ્વારા વર્ષ 1988માં બેંગલુરૂમાં સ્થાપિત નેશનલ લૉ યુનિવર્સિટીએ કાયદા શિક્ષણ અને વકીલોની ગુણવત્તામાં એક મોટું પરિવર્તન લાવ્યું. આ જ રીતે IILની સ્થાપના પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં માઈલસ્ટોન છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે BCI અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીના સહયોગથી IIL એવી ફેકલ્ટીઝનું નિર્માણ કરશે જે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરશે. તેમણે એમ પણ કહ્યું કે એવા શિક્ષકોનું પણ નિર્માણ થશે જે વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યોને આત્મસાત કરશે.
આ કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી.વી.રામાસુબ્રમણ્યમે કહ્યું કે હાલ દેશમાં એક હજારથી વધુ લૉ કોલેજ છે. જે દર વર્ષે અંદાજે અઢી લાખ લૉ ગ્રેજ્યુએટ તૈયાર કરે છે. તેમણે કહ્યું કે IIL શિક્ષણવિદો અને વ્યવસાયિકો વચ્ચે અંતર સ્પષ્ટ કરવા પર વિચાર-વિમર્શ કરશે.
શ્રી મનન કુમાર મિશ્રાએ પોતાના સ્વાગત ભાષણમાં કહ્યું કે હાલ કાયદાના શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશમાં કાયદાની કોઈ તાલીમ સંસ્થા નથી. તેમણે પ્રોફેસર અચ્યુત સામંતની પહેલ અને ઉદાર સમર્થન બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી આ સંસ્થા માટે જમીન અને પાયાની સુવિધાઓ માટે જરૂરી તમામ સહાયતા પ્રદાન કરી રહી છે. શ્રી મિશ્રાએ કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાઈન્સેઝ (KISS) કે જે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલતી નિવાસી સંસ્થા છે. અહીં 30 હજાર વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ માધ્યમથી સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પ્રોફેસર સામંતની તેમણે પ્રશંસા કરી.
પ્રોફેસર અચ્યુત સામંતે કહ્યું કે ભુવનેશ્વરમાં રાષ્ટ્ર માટે મહત્વની IIL જેવી સંસ્થાની સ્થાપના, ઓડિશા માટે ગૌરવની વાત છે. KIIT સાથે ભાગીદારી બદલ BCIનો આભાર માનતા પ્રોફેસર સામંતે કહ્યું કે KIIT એક યુવા યુનિવર્સિટી છે, પરંતુ તેને ભારત સરકાર દ્વારા “ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ” ટેગથી નવાજવામાં આવી છે. KIIT ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ્સ એશિયા 2020’ના વિજેતા છે. શિક્ષણવિદો અને સંશોધન ઉપરાંત રમતગમત અને સામાજિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે શ્રી અશોક પરીજાએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં કાયદાના શિક્ષણમાં ખૂબ વધારો થયો છે. વધુમાં કહ્યું કે આજે એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટની સાથે સાથે કાયદા શિક્ષણ યુવાનોની પસંદગીનું ક્ષેત્ર બની ગયું છે. IIL દેશમાં લૉ ફેકલ્ટીની ગુણવત્તા સુધારવામાં લાંબી મંજીલ કાપશે.
આ પહેલા IILનો એક સંક્ષિપ્ત પરિચય આપતાં પ્રસિદ્ધ કાયદા શિક્ષણવિદ પ્રોફેસર એન.એલ.મિત્રાએ કહ્યું કે આ સંસ્થા દેશમાં કાયદા શિક્ષણનું વ્યાવસાયીકરણ કરશે. પ્રોફેસર મિશ્રા જે KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પૂર્ણ ચાંસલર પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ” એકતા, નિર્માણ ક્ષમતા અને ન્યાય” થકી આ સંસ્થાને રાષ્ટ્રીય ચરિત્રની એક સંસ્થા તરીકે વિકસિત કરાશે. આ પહેલ માટે તેમણે BCIની પ્રશંસા કરી..
શ્રી માનસ રંજન મહાપાત્રા, સીનિયર એડવોકેટ અને સભ્ય, વિશેષ સમિતિ, ઓડિશા સ્ટેટ બાર કાઉન્સિલે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો.
સોનીફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વિસ્તારમાં જંગી લીડની તરફ અગ્રેસર ભાજપાની પેનલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભાથું લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ અને પીપલોદના મતદારો સુધી પહોંચી રહેલા ભાજપના ઉમેદવારો શ્રી અશોકભાઇ રાંદેરીયા, શ્રી વ્રજેશભાઇ ઉનડકટ, શ્રીમતી ડિમ્પલબેન કાપડીયા અને શ્રીમતી સુમનબેન ગડીયા જંગી લીડ મેળવવા આગેકૂચ કરી રહ્યા છે. જનસંપર્ક રાઉન્ડ દરમિયાન દરેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, શેરીઓ, મહોલ્લા, સમાજ, જ્ઞાતિઓ તરફથી ઉમેદવારોને શ્રીફળ, કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને ઉમળકાભેર આવકાર આપવા સાથે મતદારો તેમને મોટી સંખ્યામાં લીડ અપાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.
નાનપુરામાં કહાર માછી સમાજ તેમજ ખારવા સમાજે પ્રચારના પહેલા જ દિવસે ભાજપાના ઉમેદવારોનું જોરદાર સ્વાગત કર્યું હતું. કહાર માછી સમાજે મતદાનના દિવસે સૌથી પહેલા મત આપ્યા બાદ અન્ય કાર્યો કરવાનું સમાજના દરેક સભ્યોને આહવાન કર્યું હતું.
તા.10મી ફેબ્રુઆરીએ સાંજે પીપલોદ વિસ્તારમાં જનસર્પક રાઉન્ડ દરમિયાન ભાજપાના ઉમેદવારોએ નિર્મળ નગર, એસ.કે. પાર્ક સોસાયટી, દિવ્યજ્યોત એપાર્ટમેન્ટ, એ પછી ગોકુલમ ડેરી નજીક અશોક નગર, ઘોડદોડ રોડ પર ઉદયપુનમ એપાર્ટમેન્ટ, કાકડીયા કોમ્પ્લેકસ વગેરેના મતદારોને રૂબરૂ મળ્યા હતા. દરેક સ્થળો પર ભાજપાની પેનલના ઉમેવદવારોને ઉળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે.
IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે મળી અને તેની છત્રછાયામાં કામ કરશે.
આજ સુધી કાયદા શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયદાના ક્ષેત્રમાં કોઈ તાલીમ સંસ્થા નહોતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ (IIL)ના માધ્યમથી કાયદા શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને વધારશે.
બી.સી.આઈ. ટ્રસ્ટે વર્ષ 1986માં બેંગ્લોરમાં નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી નામની પહેલી સંસ્થાની સ્થાપના કરી હતી. જે આજે પણ દેશની મોડલ લૉ યુનિવર્સિટી છે. IIL દેશભરમાં આ પ્રકારની પહેલી સંસ્થા હશે. લાંબા સમયથી અમારી કાઉન્સિલ આ પ્રકારની સંસ્થા અંગે વિચારી રહી હતી.
પરંતુ બી.સી.આઈ.ની આ યોજના કોઈને કોઈ કારણથી સાકાર નહોતી થઈ શકી. જોકે, આખરે એક મહાન દૂરદર્શી શિક્ષણવિદ, લોકસભાના માનનીય સભ્ય અને KIIT અને KISS ડીમ્ડ યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતજી સાથે પરામર્શ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ નિર્ણય કર્યો અને પ્રસ્તાવ પાસ કર્યો કે KIIT યુનિવર્સિટીના સહયોગ અને સમર્થનમાં ઓડિશાના ભુવનેશ્વરમાં Indian Institute of Lawની સ્થાપના કરવામાં આવે. બી.સી.આઈ. ટ્રસ્ટે KIIT સાથે એક કરાર (MoU) કર્યો છે. તે પ્રમાણે KIITએ ભુવનેશ્વરના પટિયામાં આવશ્યક અને અતિ મૂલ્યવાન તથા ઉપયોગી જમીન ફાળવી. આ ઉપરાંત એક લાખ 50 હજાર વર્ગના પ્રસ્તાવિત પરિસરમાં માળખાગત સુવિધાઓમાં થનાર ખર્ચમાં 40 ટકા ખર્ચનું વહન કરવા માટે પણ KIIT રાજી થઈ છે.
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ સંસ્થા વૈશ્વિક શિક્ષણના નકશા પર સમગ્ર ભારત, ખાસ કરીને ઓડિશા રાજ્યની સ્થિતિને મજબૂત બનાવીને કાયદાના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રભાવ પાડશે. આ સંસ્થા વિશેષ રીતે ઓડિશા અને સામાન્ય રીતે સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ નિરંતર કાયદાકીય શિક્ષણ, પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિફ્રેશન કોર્સ અને લર્નિંગ કોર્સ ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રેજોલ્યૂશનથી સંબંધીત કાયદા અને પદ્ધતિઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરશે. મધ્યસ્થતા અને સમાધાન શીખવા અને શીખવવા માટે વિવિધ કેન્દ્રો શરૂ કરાશે.. જેના માધ્યમથી આ કાયદાકીય, ન્યાયીક અને સામાજિક વિકાસના તમામ બિંદુઓમાં સંશોશન કરશે.. જેને પ્રકાશિત અને પ્રદર્શિત કરાશે. આ સંસ્થા નિરંતર કાયદા શિક્ષણના ઉદ્દેશ માટે તાલીમ અને કાયદાકીય શિક્ષણના ગાળામાંથી પસાર થઈ રહેલા વકીલો માટે કાયદાના વિવિધ વિષયો પર કેસબુક, પત્રિકાઓ, સમાચારપત્ર વગેરે (હાર્ડ કોપી અને ઓનલાઈન તથા ઓફલાઈનના માધ્યમથી સોફ્ટ કોપી બંને) પ્રકાશિત કરશે.
સમયાંતરે આ સંસ્થા વકીલો, શિક્ષણવિદ અને ન્યાયવિદ માટે સંવાદ, તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન અને સંચાલન કરશે.
આ સંસ્થા ભારતની અંદર અને બહાર પોતાની પ્રગતી માટે National Law Universities અને અન્ય સારી કાયદા યુનિવર્સિટી, વ્યાવસાયિક એકમો, ન્યાયપાલિકા, સરકારી વિભાગો અને બિન સરકારી સંગઠનો અને વકીલોની વિવિધ સંઘ, બાર એસોસિએશન, સ્ટેટ બાર કાઉન્સિલ તથા દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ કાયદાકીય કાર્યો સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરશે.
પ્રથમ તબક્કામાં IILની નીચે પ્રમાણેની શાખાઓ હશે
1. શૈક્ષણિક સ્ટાફ કોલેજ (ASC)
2. સ્કૂલ ઓફ કન્ટિન્યૂઈન્ગ એજ્યુકેશન (SCE)
3. IIL તાલીમ કેન્દ્ર (IIL-TC)
4. કાયદાની સહાયતા કેન્દ્ર (CLA)
5. વિદેશી ડિગ્રી ધારકો માટે બ્રિજ કોર્સ
IILના મેનેજમેન્ટ માટે ત્રણ એકમ એટલે કે સામાન્ય પરિષદ, કાર્યકારી પરિષદ અને શૈક્ષણિક પરિષદની રચના કરશે અને મેનેજમેન્ટ સંબંધી આ એકમોમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા, સરકાર, શિક્ષણ મંત્રાલય, યૂજીસી, શિક્ષણવિદ, કાયદા વ્યવસાયના વરિષ્ઠ સભ્યો, ઓડિશાના મુખ્ય અને અન્ય ન્યાયધીશોનું પૂરતું પ્રતિનિધિત્વ હશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ પ્રારંભિક 3 વર્ષ માટે સંસ્થાના ઉપરોક્ત કાર્યક્રમોને સ્વયં સંચાલિત કરશે. ત્યારબાદ કેટલીક નેશનલ લો યુનિવર્સિટીઝ અને અન્ય પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખતી સંસ્થાઓને પણ IILની જેમ અભ્યાસક્રમ પ્રદાન કરવાની મંજૂરી અપાશે. અમે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ન્યાયધીશો, પૂર્વ ન્યાયધીશો, પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાતો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલો, બારના પ્રખ્યાત નેતાઓ અને NLU તથા અન્ય પ્રતિષ્ઠિત કાયદા શિક્ષકોના સક્રિય સહયોગ અને ભાગીદારીથી શિક્ષકોમાં કૌશલ્યવર્ધન કરવાનો નિર્ણય કર્યો છે. એવા લોકો જ સંસ્થાના માર્ગદર્શક, પૂર્ણકાલિન શિક્ષક અને અતિથિ શિક્ષક રહેશે.
આ ઉપરાંત બી.સી.આઈ. ટ્રસ્ટ ઉપરોક્ત કાર્યક્રમો માટે વિદેશના પ્રસિદ્ધ લૉ ડીન, શિક્ષણવિદ, જજ અને બારના પ્રતિનિધિઓ તથા સભ્યોને પણ આમંત્રિત કરશે.
ઉપરોક્ત તમામ કાયદાના દિગ્ગજ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. જે ન માત્ર કાયદા શિક્ષકો અને વકલોને લાભાન્વિત કરશે પરંતુ તેઓને ભારત અને વિદેશના પ્રખ્યાત શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કરવાનો અને શીખવાનો સારો અવસર અને મંચ પણ આપવામાં આવશે.
અમારૂં માનવું છે કે આ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ કાયદાકીય શિક્ષણ અને કાયદાના વ્યવસાયના ઈતિહાસમાં એક ઐતિહાસિક પગલું હશે. જે કાયદા અને ન્યાય સંબંધી શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ બનશે.
અમે ડૉ. અચ્યુત સામંતજી જેવા મહાન વ્યક્તિના આભારી છે. જેમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાના ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થાની સ્થાપના માટે ભુવનેશ્વરમાં આટલી મોટી મૂલ્યવાન જમીન પ્રદાન કરી સાથે જ અન્ય યોગદાન પણ આપી રહ્યા છે.
હા, ડૉ.સામંત વાસ્તવમાં મનુષ્યના રૂપમાં એક ભગવાન છે. આપ સૌ જાણો છો ડૉ. સામંતે વિશ્વ સ્તરની બે-બે યુનિવર્સિટી, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નર્સિંગ, લૉ, કલા અને અનેક અન્ય મોટી સંસ્થાઓના સંસ્થાપક છે. અંદાજે 35 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને દરરોજ ધોરણ એકથી લઈને અનુસ્નાતક સુધીનું મફત શિક્ષણ આપવા ઉપરાંત તેમના ભોજન, કપડા, રહેવા જેવી તમામ સુવિધા અને સેવાઓ વિનામૂલ્યે આપે છે. અમે દુનિયામાં આવા મહાન વ્યક્તિ અંગે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જે આ પ્રકારે કઠોર સેવાને આટલી સરળતાથી શાનદાર રીતે કરી રહ્યા છે.
સામંતજી એક એવા વ્યક્તિ છે જે અવિવાહિત રહ્યા અને તેમના નામે જમીન કે સંપત્તિનો એક પણ ટૂકડો નથી. તેમની પાસે જે કંઈપણ છે તે છે સમાજ, ગરીબ અને અસહાય જનતા તથા યુવાનો માટે છે.
આ બધુ જ તેમણે પોતાની પૂર્ણ આસ્થા, સમર્પણ, દૂરદર્શિતા તથા અથાક પ્રયાસોના આધારે મેળવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથની અસીમ કૃપા છે અને આ જ કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્વસહમતીથી IIL જેવી અનોખી સંસ્થાને સ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉ. સામંતને સોંપવાનો સંકલ્પ કર્યો છે.
ભગવાન જગન્નાથજી તેઓને દીર્ઘાયુ અને નિરોગી રાખે, કાયદા શિક્ષણ અને કાયદા વ્યવસાયનું કલ્યાણ થાઓ. મનન કુમાર મિશ્રઅધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.