ઇન્ટરનેશનલ Archives - Page 51 of 51 - CIA Live

May 21, 2018
Ahmedabad-airport.png
1min13860

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.

દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.

ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.

હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.

લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

May 21, 2018
mehul-choksi-in-house.jpg
1min11960

ડાયમન્ડના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી પર PNBમાં ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ

PNB કૌભાંડમાં CBIએ બીજી ૧૨,૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે.
CBIએ આ કેસમાં ૫૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. ચાર્જશીટમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રૅન્ડ જેવી ત્રણ કંપનીઓનાં નામ છે.

બીજી ચાર્જશીટમાં PNBને થયેલા ૭૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. એના એક દિવસ પહેલાં જ PNBએ ચોથા ત્રિમાસિક ગાળામાં ૧૩,૪૧૭ કરોડનું નુકસાન બતાવ્યું છે. CBIએ સોમવારે પણ એક ચાર્જશીટ ફાઇલ કરી હતી.

અગાઉની ચાર્જશીટમાં ધરપકડ કરવામાં આવેલા ૧૯ લોકોનાં નામ હતાં. એમાં નીરવ મોદીની પત્ની અમી મોદીનું પણ નામ હતું. ચાર્જશીટમાં PNBનાં MD તેમ જ CEO ઉષા અનંતસુબ્રમણ્યમનું પણ નામ હતું. ઉષા હાલમાં અલાહાબાદ બૅન્કનાં MD તેમ જ CEO છે. બૅન્કના ર્બોડે તેમના દરેક અધિકારી છીનવી લીધા છે.

May 9, 2018
2018_5large_macron.jpg
1min13150

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની તાજેતરના તેમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબુલ તેમજ તેમના પત્નીની મહેમાનગતિના વખાણ કરવા જતા તેમની જીભ લપસી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જોઈન્ટ પ્રેસ સંવાદ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમના પત્નીને ‘સ્વાદિષ્ટ’ કહેતા હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મેક્રોને આ જાણી જોઈને કહ્યું હતું કે તેની જીભ લપસી હતી તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયામાં આ અંગે ભારે રમૂજ જોવા મળી હતી.