CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 44 of 49 - CIA Live

September 13, 2018
isro.jpg
1min15150

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 12, 2018
Florence-hurricane-2.jpg
1min4850

૧૦ લાખ લોકોને સલામત સ્થળે જવાની સૂચના : ૨૬ રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર : ભારે વરસાદની આગાહી

weather

અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં ગુરુવાર સુધીમાં વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે એવી આગાહી અમેરિકન વેધશાળા દ્વારા કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે ૨૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન અને આસપાસના વિસ્તારોમાં આ વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની ધારણા છે. આના કારણે ઈસ્ટ કોસ્ટમાં વૉશિંગ્ટન ઉપરાંત નૉર્થ અને સાઉથ કૅરોલિના, વર્જિનિયા અને મૅરિલૅન્ડ સ્ટેટમાં ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસરથી બચવા માટે આશરે ૧૦ લાખ લોકોને ઘર છોડીને જતા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈસ્ટ કોસ્ટ પર ઘણાં વર્ષો બાદ આવું ભયાનક વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. ઈસ્ટ કોસ્ટમાં આવેલાં ૨૬ રાજ્યોમાં સ્કૂલોને ગઈ કાલથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સૂચના મળે ત્યાં સુધી નહીં ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

September 9, 2018
fakenews.png
1min5280

ફેસબુક પર બ્રિટિશ પ્રવાસી પર કથિત રીતે થયેલા બળાત્કારની પોસ્ટ શૅર કરનાર 12 વ્યક્તિની થાઇલૅન્ડમાં ધરપકડ કરાયા બાદ એમને જામીન પર મુક્ત કરાયા હતા.

મંગળવારથી દેશભરમાંથી બાર વ્યક્તિની આ બાબતની પોસ્ટ શૅર કરવા બદલ ધરપકડ કરાઇ હતી.

કાહ તાઓ ટાપુ પર ફરવા આવેલી 19 વર્ષની યુકેની યુવતીએ બ્રિટન પાછા ફર્યા બાદ બ્રિટિશ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો, ટાપુ પર કોઇએ ઘેનની દવા પીવડાવીને એના પર બળાત્કાર કર્યો હતો.

જોકે, કોહ તાઓ પોલીસે આ દાવાને નકારતા જણાવ્યું હતું કે આ મામલે બળાત્કારની કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. આ મામલે બાર વ્યક્તિ પર થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ સાથે મળીને ખોટી માહિતીનો પ્રચાર, પ્રસારણ અને અન્યોને મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એ બધાને ગુરુવારે 60,000 બાહટ (1830 ડૉલર)ના બોન્ડ પર જામીન પર છોડવામાં આવ્યા હતા.

કાયદા પ્રમાણે જો તેઓ દોષી ઠેરવાશે તો એમને પાંચ વર્ષ સુધીની કેદની સજા થવાની શક્યતા છે.

બે પબ્લિક ફેસબુક પેજના એડમિનિસ્ટ્રેટર સામે અરેસ્ટ વૉરન્ટ પણ બહાર પાડવામાં આવ્યા છે, પણ તેઓ બંને વિદેશના હોવાથી હજુ એમની ધરપકડ થઇ શકી નથી.

થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ ઑનલાઇન ખોટ્ટી માહિતી અપલોડ કરવા પર પ્રતિબંધ છે.

ટીકાકારોના જણાવ્યા અનુસાર કાયદાનો ઉપયોગ વિરોધ અને વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે કરવામાં આવ્યો છે.

 

 

September 9, 2018
callcenter.jpg
1min8120
અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી

અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.

અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.

અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.

 

September 7, 2018
cin4-1280x720.jpg
1min7640

ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું

US1

 

 

અમેરિકાના સિનસિનાટી શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુરુવારે ફાઉન્ટેન સ્ક્વેર પાસે ફિફ્થ થર્ડ બેન્કમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક 25 વર્ષીય ભારતીય યુવક પણ સામેલ છે. બાકીના બે મૃતકોની ઓળખ ફિલિપ કાલ્ડરન અને રિચર્ડ ન્યૂકમર તરીકે થઈ છે. ફાયરિંગની થોડી જ ક્ષણોમાં પોલીસે ગનમેનને ઠાર કર્યો. ગનમેનની ઓળખ 29 વર્ષીય ઓમર એનરિક સાંતા તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યુ કે ગુરુવારે ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું. બાદમાં તે બેન્કમાં દાખલ થયો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં મૃત્યુ પામનાર ભારતીય વ્યક્તિનું નામ પૃથ્વીરાજ કંદેપી છે, તે આંધ્રપ્રદેશના ગુંટૂરનો વતની હતો. ન્યૂયોર્કમાં ભારતનો દૂતાવાસ પોલીસ અને કંદેપીના પરિવારના સંપર્કમાં છે. ઉત્તર અમેરિકામાં તેલુગુ એસોસિયેશનના અધિકારીએ કહ્યું કે કંદેપી બેન્કમાં સલાહકારના પદ પર કામ કરતા હતા. કંદેપીના શબને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

September 5, 2018
jp2-1280x720.jpg
1min6910

જાપાન પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભૂકંપ અને વાવાઝોડા જેવી મુસીબતોનો સામનો કરતું આવ્યું છે. આવી જ એક કુદરતી આફત જાપાનના પશ્ર્ચિમી ભાગ પર ત્રાટકી છે. સમુદ્રમાં આવેલા ‘જેબી’ નામના આ ચક્રવાતી તોફાને જાપાનને ફરી એકવાર મુસીબતમાં મૂક્યું છે. આમાં છ જણનાં મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઈ છે. આ તોફાનમાં હવાની ઝડપ લગભગ 162 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ છે, જેના લીધે દરિયામાં મોટી લહેરો ઊઠી હતી. અનુમાન છે કે હવાની ઝડપમાં હજુ વધારો થશે. આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી અપાઇ છે.

જાપાનના ઈતિહાસમાં છેલ્લા પચીસ વર્ષમાં ત્રાટકનારું આ સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું છે. પશ્ર્ચિમ જાપાનમાં વાવાઝોડાના તોફાની પવનને લીધે ઘણાંને ઇજા થઈ હતી. આ ઉપરાંત ક્યોટો સ્ટેશનમાં ઘણાં કાચ તૂટી ગયા હતા. 11.9 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે.

જાપાનના ક્ધસાઇ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા હવાઇ સેવાઓ રદ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ 600થી વધારે ફલાઇટ્સને રદ કરવામાં આવી હતી. ઓસાકા અને હિરોશિમા વચ્ચેની લોકલ હાઇસ્પીડ ટ્રેન સેવાઓને હાલમાં બંધ કરી દેવાઇ હતી. ઓસાકાના પ્રવાસી સ્થળ યુનિવર્સલ સ્ટુડિયોના થીમ પાર્કને બંધ રાખવામાં આવ્યો હતો.

જાપાનની રાજધાની ટોકયોમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. ‘જેબી’ નામનું આ ચક્રવાત આ સિઝનનું 21મું તોફાન છે, જે જાપાન સાથે ટકરાઇ રહ્યું છે. કોરિયાઇ ભાષામાં જેબી ચક્રવાતનો મતલબ ‘ગળી જવું’ એવો થાય છે. આશંકા છે કે પશ્ર્ચિમી જાપાન સાથે ટકરાયા પછી આ તોફાન વધારે ભયાનક સ્વરૂપ લેશે. હાલમાં આ તોફાન હોનશૂ આઇલેન્ડ તરફ વધી રહ્યું છે. જે પછી તેને નબળું પડવાની સંભાવનાઓ છે. જાપાન સરકારે રાજધાની ટોકયોમાં જેબી તેથી સૌથી મજબૂત સ્થિતિમાં ટકરાવાની ચેતવણી આપી હતી. ટોકયોમાં હાલ ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના અહેવાલ મળ્યા છે.

જાપાનમાં દર વર્ષે ઘણા તોફાનો આવે છે. વિતેલા મહિનાઓમાં જાપાનમાં આવેલા પૂરમાં 200થી વધારે લોકોના મોત થયા હતા. હાલમાં સરકારે 1500 શિબિરો લગાવી છે. સુરક્ષાનાં કારણોથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

September 4, 2018
thailadn-1280x720.jpg
1min11780

વર્ષ ૨૦૧૮માં ૧૫ લાખ ભારતીય થાઈલૅન્ડના પ્રવાસે આવશે એવી તેમની અપેક્ષા હોવાનું થાઈલૅન્ડના એક ટોચના અધિકારીએ તા.3 સપ્ટેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું. ડિરેક્ટર ઑફ ટૂરિઝમ ઑથોરિટી ઑફ થાઈલૅન્ડ, મુંબઈ, ચોલાડા સિદ્ધિવર્ણએ કહ્યું હતું કે જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૮ દરમિયાન થાઈલૅન્ડની મુલાકાતે આવેલા ભારતીયોની સંખ્યાનો આંક ૯.૧૯ લાખ હતો.

આ આંકડો ગયા વરસે આ જ સમયગાળામાં થાઈલૅન્ડની મુલાકાતે ગયેલા ભારતીયોની સંખ્યાના આંક કરતાં ૧૩.૨૪ ટકા વધુ હતો.  થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બાકી બચેલા વર્ષમાં પણ એ સંખ્યામાં સતત વધારો જોવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે આ વરસે થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૧૫ લાખ પર પહોંચશે.

વર્ષ ૨૦૧૭માં થાઈલૅન્ડની મુલાકાતે જનારા ભારતીયોની સંખ્યાનો આંક ૧૨ લાખ હતો, એમ તેમણે કહ્યું હતું. બૅંગકોકની મુલાકાતે આવનારાં લોકોની સંખ્યામાં થયેલા વધારા અંગેનું કારણ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય મુલાકાતીઓ માટે અમે વધુ સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.  મહિલાઓ તેમ જ પરિવાર સાથે આવતા લોકોને આપવા માટે અમારી પાસે વધુ સારી સેવા અને સુવિધા છે, એમ તેમણે કહ્યું હતું. ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાની પ્રવાસીઓની સંખ્યા પર અસર પડશે એવા સવાલનો જવાબ તેમણે નકારમાં આપ્યો હતો.

વર્ષ ૨૦૨૦ સુધીમાં થાઈલૅન્ડની મુલાકાતે આવતા ભારતીયોની સંખ્યાનો આંક ૨૦ લાખને પાર કરી જશે એવી આશા તેેમણે વ્યક્ત કરી હતી.

September 3, 2018
china-flag-759.jpg
9min4400

એશિયન ગેમ્સમાં ફરી એકવાર સ્પોર્ટસ પાવર હાઉસ ચીનનું વર્ચસ્વ કાયમ રહયું છે. એ વાત અલગ છે કે 2010 અને 2014ની તુલનામાં ચીનને જાકાર્તામાં રવિવારે સમાપ્ત થયેલા 18મા એશિયન ગેમ્સમાં ઓછા ચંદ્રક મળ્યા છે. જયાં સુધી ભારતની વાત છે તો આપણા ખેલાડીઓએ 19પ1ની સ્વર્ણિમ સફળતાનું પુનરાવર્તન કરીને એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ ચંદ્રક પોતાના નામે કર્યાં છે.

ચીને જાકાર્તામાં 132 ગોલ્ડ, 92 સિલ્વર અને 6પ બ્રોન્ઝ સહિત કુલ 289 મેડલ પર કબજો જમાવ્યો. જયારે બીજા નંબર પર રહેલ જાપાને 200 મેડલનો આંકડો પાર કર્યોં. તેણે 7પ ગોલ્ડ, પ6 સિલ્વર અને 74 બ્રોન્ઝ જીતીને કુલ 20પ મેડલ કબજે કર્યાં. જયારે દ. કોરિયા ત્રીજા નંબર પર રહીને કુલ 177 મેડલ જીતવામાં સફળ રહયું. તેણે મેડલનો સરવાળો 49-પ8-70 સાથે 177 મેડલનો રહયો.

જયારે ભારતની સફર શ્રેષ્ઠ દેખાવ સાથે 1પ ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ કબજે કર્યાં અને મેડલ ટેલીમાં આઠમા નંબર પર રહયું. ભારતની ઉપર યજમાન દેશ ઇન્ડોનેશિયા (31 ગોલ્ડ સાથે કુલ 98 મેડલ જીતીને ચોથા સ્થાને), ચોથા નંબર પર ઉઝબેકિસ્તાન 21 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ પાંચમા સ્થાને, ઇરાન 20 ગોલ્ડ સહિત કુલ 62 મેડલ સાથે છઠ્ઠા અને ચીની તાઇપે 17 ગોલ્ડ સહિત કુલ 67 મેડલ સાથે સાતમા નંબર પર રહયું છે. ભારતને હોકી અને કબડ્ડીની હારને લીધે સુવર્ણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક પૂરો થયો નહીં.

Asian Games 2018 Medal Tally

Rank Country Gold Silver Bronze Total
1 China 132 92 65 289
2 Japan 75 56 74 205
3 Republic of Korea 49 58 70 177
4 Indonesia 31 24 43 98
5 Uzbekistan 21 24 25 70
6 IR Iran 20 20 22 62
7 Chinese Taipei 17 19 31 67
8 India 15 24 30 69
9 Kazakhstan 15 17 44 76
10 DPR Korea 12 12 13 37
11 Bahrain 12 7 7 26
12 Thailand 11 16 46 73
13 Hong Kong, China 8 18 20 46
14 Malaysia 7 13 16 36
15 Qatar 6 4 3 13
16 Mongolia 5 9 11 25
17 Vietnam 4 16 18 38
18 Singapore 4 4 14 22
19 Philippines 4 2 15 21
20 United Arab Emirates 3 6 5 14
21 Kuwait 3 1 2 6
22 Kyrgyzstan 2 6 12 20
23 Jordan 2 1 9 12
24 Cambodia 2 0 1 3
25 Kingdom of Saudi Arabia 1 2 3 6
26 Macau, China 1 2 2 5
27 Iraq 1 2 0 3
28 Korea 1 1 2 4
28 Lebanon 1 1 2 4
30 Tajikistan 0 4 3 7
31 Lao PDR 0 2 3 5
32 Turkmenistan 0 1 2 3
33 Nepal 0 1 0 1
34 Pakistan 0 0 4 4
35 Afghanistan 0 0 2 2
35 Myanmar 0 0 2 2
37 Syria 0 0 1 1
Total 465 465 622 1552

 

September 1, 2018
shiva.jpg
1min5550

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 30, 2018
h1b-visa.jpg
1min4790

‘એચ-વનબી’ વીઝા માટેના પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કર્યાને પાંચ માસ કરતા વધારે મુદત માટે અમેરિકાએ વિસ્તારીત કર્યા છે. ભારતના માહિતી તંત્રજ્ઞાન (આઈટી)ના વ્યવસાયિકોમાં આ ‘એચ-વનબી’ વીઝા અત્યંત લોકપ્રિય છે. વીઝા સંબંધિત દસ્તાવેજોના ઢગના ઢગ અને ભરાવાનો નિવેડો લાવવાના પ્રયાસરૂપે આરંભિક પ્રક્રિયા આગળ ધપાવવાનું થોડાક સમય માટે સ્થગિત કરાયું છે.

ઉક્ત ‘પ્રીમિયમ પ્રોસેસિંગ’ અંતર્ગત એચ-વનબી વીઝા અરજીની પ્રક્રીયા માટેનો હરહંમેશનો છ માસનો સમયગાળો ઓછો થઈને ૧૫ દિવસમાં કામ કરી શકાય છે. ૧,૨૨૫ ડૉલર (૮૬,૧૮૧ રૂપિયા)ની ફી પેટે સરેરાશ છ માસથી માંડીને ૧૫ કેલેન્ડર દિનની કરી આપે છે.

અમેરિકાના નાગરિકત્વ અને ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા ૨૮મી ઑગસ્ટે સ્થગિત કરવાની ઘોષણા કરાઇ છે. આવતા વર્ષની ૧૯મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરાયેલું રહેશે. ૧૧મી સપ્ટેમ્બરથી આરંભાતી કામચલાઉ સ્થગિત કરવાની મુદતમાં ચોક્કસ વધારાની એચ-વનબી અરજીઓનો સમાવેશ થશે.

પ્રીમિયમ પ્રોસેસિંગ અંતર્ગત યુએસસીઆઈએસને મળેલી વીઝા અરજી માટે ૧૫ દિવસની અંદર જવાબ આપવો જ જોઈએ. યુએસસીઆઈએસે માર્ચમાં જાહેરાત કરી હતી કે અમે ૨૦૧૯ના નાણાકીય વર્ષ માટે પ્રીમિયમ પ્રોસેસિંગને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેશું. અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી કે ઉચ્ચ અભ્યાસનું પ્રમાણપત્ર હોય તેમ જ રાહત અને બાકાતી ઈચ્છનારાઓનો પણ આમાં સમાવેશ થાય છે.