CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 40 of 49 - CIA Live

January 24, 2019
ausi_baba.jpg
1min4910

સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ

ઓસ્ટ્રેલિયન બાબા શરભંગગિરી

અલાહાબાદમાં ચાલી રહેલા કુંભમેળામાં માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના લોકો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કુંભમેળામાં સાધુસંતો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ. આ બાબા ૧૯૯૮માં પહેલી વાર ટૂરિસ્ટ તરીકે ઑસ્ટ્રેલિયાથી ખાસ કુંભમેળો જોવા આવ્યા હતા. તેમણે સાંભળેલું કે આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ફેસ્ટિવલ છે. એ પહેલાં તેઓ એથિસ્ટ હતા. અહીં આવીને તેઓ ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેયને મYયા. તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સાધુ જીવનશૈલી આકર્ષી ગઈ. મેલબર્ન છોડીને શરભંગગિરિએ સંન્યાસ લઈ લીધો અને ત્યારથી સાધુની જેમ કુટિરમાં જીવન ગાળે છે.

January 22, 2019
Indian_currency.jpeg
1min8660

નેપાળની સેન્ટ્રલ બૅંકે રૂ. 100થી ઊપરની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ભારતીય ચલણી નૉટ પર પ્રતિબંધ લાદ્યો હતો અને નેપાળમાં ભારતીય ચલણનો છૂટથી ઊપયોગ થતો હોવાથી ત્યાં પ્રવાસે જનાર ભારતીય સહેલાણીઓ પર એની વ્યાપક અસર થવાની શક્યતા છે.

નેપાળ રાષ્ટ્ર બૅંકે રવિવાર, તા.20મી જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરેલા શ્વેતપત્રમાં કરેલી જાહેરાત પ્રમાણે નેપાળી પ્રવાસીઓ, બૅંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 100થી વધુ કિંમતની ભારતીય ચલણી નૉટ રાખવા, વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આદેશમાં જણાવાયું છે કે ભારતની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ચલણી નૉટ વાપરી કે એનો વેપારમાં ઊપયોગ થઇ નહીં શકે. 

નવા નિયમ પ્રમાણે નેપાળી નાગરિકો ભારત સિવાય આ કિમતની ચલણી નૉટો અન્ય કોઇ દેશમાં લઇ જઇ નહીં શકે. એ જ રીતે, નેપાળીઓને અન્ય દેશોમાંથી આ કિંમતની નૉટો લાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, રૂ. 100 કે એથી ઓછી કિંમતની નૉટો વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

કેબિનેટે 13મી ડિસેમ્બર 2019ના રોજ આ શ્ર્વેતપત્ર નેપાળ ગેઝેટમાં જાહેર કરવાનું નક્કી કર્યું હતું, પણ વેપારીઓ અને પર્યટન ક્ષેત્ર તરફથી આની ખૂબ ટીકા કરવામાં આવી હતી અને સરકારને એવું જણાવાયું હતું કે એક તરફ એમણે નેપાળ આવો અભિયાન શરૂ કરીને 2020 સુધીમાં 20 લાખ સહેલાણીઓને નેપાળ આકર્ષવાની યોજના જાહેર કરી છે ત્યારે આ પ્રતિબંધની ઘણી માઠી અસર થશે કારણ કે નેપાળ આવનાર મોટાભાગના ભારતના લોકો સડક માર્ગે આવતા હોય છે અને એમને માટે પોતાના ચલણને ડૉલર કે યુરોમાં કનવર્ટ કરવું ઘણું મુશ્કેલ થઇ પડશે.

એક સર્વેક્ષણ પ્રમાણે 12 લાખ સડક માર્ગે અને હવાઇ માર્ગે 1,60,132 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં આવ્યાં હતાં. સડકમાર્ગે આવનાર ભારતીય સહેલાણીઓ સરેરાશ 5.8 દિવસ રોકાયા હતા અને એમણે રૂ. 11,310નો ખર્ચ કર્યો હતો.

January 19, 2019
hacked.jpg
2min11110

દુનિયાભરમાંથી 77,29,04,991 ઇમેલ I’d. હેક થયા છે. રકમ વાંચવામાં તકલીફ પડતી હોય તો દેશી ભાષામાં લખીએ છીએ કે દુનિયાભરમાંથી કુલ 77 કરોડ 29 લાખ 4 હજાર 991 ઇમેઇ આઇ.ડી. હેક થયા છે. આની સાથે 21,222,975 જેટલા યુનિક પાસવર્ડ પણ હેકર્સે હેક કરી લીધા છે. ઘણાં લોકો માટે એક ઇમેઇલ આઇ.ડી. એટલે કોઇ કિંમત નથી પણ ઘણાં લોકો માટે ઇમેઇલ આઇડી એટલે બેંક અકાઉન્ટ કરતા પણ વધુ કિંમતી છે અને ઘણાં લોકોએ પોતાની પ્રાઇવેટ માહિતીઓ, પ્રાઇવેટ ફોટા, પ્રાઇવેટ વિડીયો પેન ડ્રાઇવ કે હાર્ડ ડિસ્ક જેવી ફિઝિકલ સ્ટોરેજ વસ્તુઓમાં સંગ્રહિત કરવાને બદલે ઇમેઇલમાં મૂકી રાખ્યા છે. જો આવા લોકોના ઇમેઇલ આઇડી હેક થયા હોય તો તેમના માટે કદાચ જીવન મરણનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે.

77 કરોડ ઇમેઇ આઇ.ડી. હેક કરીને હેકર્સે સમગ્ર વિશ્વમાં મોટું તોફાન મચાવ્યું છે હવે તેઓ ઇમેઇલમાં સંગ્રહિત કિંમતી માહિતીઓનો ઉપયોગ કરીને રૂપિયા બનાવશે, લોકોને બ્લેક મેઇલ કરશે, લોકોને ઉઘાડા પણ પાડશે.

આવી સ્થિતિમાં સી.આઇ.એ. લાઇવએ પોતાના વાચકો માટે એક ઉપયોગી લિંક અહીં મૂકી છે. તમે ખુદ ચેક કરી શકો છો કો તમારુ ઇમેઇલ આઇ.ડી. હેક થયું છે કે સલામત છે. લિંકને ફોલો કરશો એટલે પાંચથી 10 સેકન્ડમાં વેબસાઇટ દર્શાવશે કે તમારુ ઇમેઇલ આઇડી હેક થયું છે કે નથી થયું.

સંશોધકોએ એક ઇન્ટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર કર્યો છે અને તેનું નામ જ છે હેવ આઇ બીન પૉન્ડ…

  • તમારુ આઇ.ડી. હેક થયું છે કે નહીં તે જાણવા માટે આ મુજબની પદ્ધતિ અનુસરો

  • આ માટે આ વેબસાઇટ પર લોગ ઇન કરો.

  • https://haveibeenpwned.com

  • પહેલા વેરીફાઇ કરશે કે યુઝર રોબોટ તો નથી ને..

  • બીજા સ્ટેપમાં તમારું ઇમેઇલ આઇડી માંગશે એ લખ્યા બાદ લિંક પર ક્લીક કરશો એટલે 5 સેકન્ડમાં રિઝલ્ટ આવશે કે તમારું ઇમેલ હેક થયું છે કે નથી થયું.

The researcher has integrated the database on the website ‘Have I been Pwned’ (https://haveibeenpwned.com). You can easily check if your email ID was part of hacked email IDs list, by just entering your email ID in the dialog box.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ ડિસ્પ્લે થાય તો સમજી જજો કે તમારું મેઇલ આઇ.ડી. હેક છે

જો તમારુ ઇમેઇલ આઇડી હેકિંગ લિસ્ટમાં હોય તો તમને સલાહ છે કે તાત્કાલિક અસરથી ડેસ્કટોપ કે લેપ્ટોપ પરથી મેઇલ લોગઇન કરીને પાસવર્ડ બદલી નાંખજો

તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે કેવી રીતે જાણશો

પાસવર્ડ હેક થયો છે કે કેમ એ જાણવા માટે https://haveibeenpwned.com/passwords પર લોગઇન થાવ.

જો તમારી સ્ક્રીન પર નીચે દર્શાવેલી ઇમેજ આવશે તો સમજી જજો કે તમારો યુનિક પાસવર્ડ હેક થઇ ચૂક્યો છે.

જો પાસવર્ડ હેકિંગ લિસ્ટમાં હોય તો તેને બદલવું થોડું અટપટું કામ થઇ જશે.

January 10, 2019
world_bank.png
1min4980

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.

January 5, 2019
tuna_japan.jpg
1min9650

આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી. 

જાપાનની સૂશી રેસ્ટોરાં ચેનના માલિકે ટોક્યોના એક માછલી બજારમાંથી આજે તા.5મી જાન્યુઆરી 2019ને શનિવારે એક મોટી ટૂના માછલી ખરીદી હતી જેની કિંમત 22 કરોડ હતી. વિશ્વમાં કોઇ એક માછલી માટે આટલી મોટી રકમનો સોદો અગાઉ ક્યારેય થયો ન હોવાથી ટુના માછલીનો આ વિશ્વનો સૌથી મોંઘો સોદો પણ ગણવામાં આવી રહ્યો છે. આ ટૂના માછલી જાપાનનાં ઉત્તરીય તટ પાસેથી પકડવામાં આવી હતી, જેનું વજન 278 કિલોગ્રામ હતું, આ માછલીની હરાજીની કિંમત 33.36 કરોડ યેન એટલે કે 21.5 કરોડ રૂપિયા પર ઉપજી હતી.

ગત વર્ષ અંતિમ દિવસોમાં વિશ્વપ્રસિદ્ધ શુકીજી માછલી બજારની જગ્યાએ તૈયાર કરાયેલા આ નવા બજારમાં નવા વર્ષના એક દિવસ પહેલા આ માછલીની હરાજી થઇ હતી, જેમાં આ માછલીને રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી હતી.

ટૂના એક લુપ્ત પ્રજાતિ છે. ટૂના કિંગના નામથી પ્રખ્યાત કિયોશી કિમુરાએ આ કિંમત ચૂકવી હતી. અગાઉ સૌથી મોંધી માછલી 15.5 કરોડ રૂપિયા વેચાઇ હતી.આ કિંમત પણ 2013માં કિમુરાએ જ ચૂકવી હતી. સૂશી રેસ્ટરાં ચેનના માલિકે જણાવ્યું હતું કે, આ સર્વોત્તમ ટૂના છે. હું એક સ્વાદિષ્ટ, અત્યંત સારી ટૂના માછલી ખરીદવામાં સફળ રહ્યો. કિમુરાએ હરાજી બાદ જણાવ્યું હતું કે, જે કિંમત વિચારી હતી તેનાથી વધુ બોલી ઉંચી રહી હતી, પરંતુ મને આશા છે કે અમારા ગ્રાહકો આ ઉમદા ટૂના માછલીનો સ્વાદ માણી શકશે.

January 1, 2019
exports.jpg
1min6690

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

January 1, 2019
hny-1.jpg
1min6010

જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.

મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું

ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.

ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.

December 24, 2018
in1.jpg
1min7340

જ્વાળામુખી ફાટતા ઊંચા મોજાં ઊછળ્યાં: ૮૪૩ ઘાયલ, ૨૮ લાપતા

ઇન્ડોનેશિયાના કેરિટા ટાપુ પર જ્વાળામુખી ફાટવાની સાથે સુનામી આવતા સુંદા સામુદ્રધુનીની આસપાસના કાંઠાના વિસ્તારમાં અંદાજે ૨૨૨ લોકો માર્યા ગયા હતા. સપ્તાહના અંતે દરિયાકિનારે સેંકડો લોકો રજા માણી રહ્યા હતા ત્યારે આવેલા સુનામીમાં અનેક ઘર અને હૉટેલ નાશ પામ્યા હતા.

ડિઝાસ્ટર મૅનૅજમૅન્ટ ઍજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે તા.22 ડિસેમ્બર 2018ની રાતે ૯.૨૭ વાગ્યે આવેલા સુનામીમાં ૮૪૩થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા ૨૮ જણ લાપતા છે.

ક્રાકાટાઉ જ્વાળામુખી દ્વારા નજીકમાં જ રચાયેલા જ્વાળામુખીવાળા ટાપુ અનાક ક્રાકાટોઆ ખાતે દરિયામાં ભેખડો ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. પૂનમને લીધે દરિયામાં રાતે ભરતી પણ હતી. સોશિયલ મીડિયા પર મુકાયેલા ફૂટૅજ મુજબ એક સ્થાનિક વિદ્યુત કંપનીના

કર્મચારીઓ માટે દરિયાકાંઠે તંબુમાં ‘સૅવનટીન’ નામનું પૉપ બૅન્ડ કાર્યક્રમ આપી રહ્યું હતું, મંચ પર ફ્લૅશ લાઇટ હતી, એક બાળક ટોળાની વચ્ચે ફરતું હતું, દરિયાકાંઠે સફેદ કાપડ સાથેના ટૅબલ ગોઠવ્યા હતા, બીજા ગીતની શરૂઆત થઇ હતી, ડ્રમરે ડ્રમ વગાડવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે સુનામી આવતા મંચ પરના બધા લોકો સંગીતના સાધનો દર્શકો પર ફેંકીને નાસી ગયા હતા.

બૅન્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા બાસ પ્લૅયર અને રૉડ મૅનૅજર મૃતાવસ્થામાં મળ્યા હતા, જ્યારે બૅન્ડના અન્ય ત્રણ સભ્ય અને એક કલાકારની પત્ની લાપતા છે.

દરિયાના મોજાં બહુ જ ઊંચે સુધી ઊછળ્યાં હતાં અને દરિયાકાંઠા પરના અનેક લોકોને ખેંચીને લઇ ગયા હતા.

નાતાલની રજા માણવા અહીંના દરિયાકિનારે આવેલા અનેક પર્યટક પણ મોતને ભેટ્યા હતા.

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે જણાવ્યું હતું કે અમારા કોઇ નાગરિક મૃત્યુ પામ્યા હોવાની હજી માહિતી નથી મળી, પરંતુ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

નોર્વેના એક પર્યટકે ફૅસબુક પર લખ્યું હતું કે સુનામીના મોજાં કાંઠાના ૧૫થી ૨૦ મીટર સુધીના વિસ્તારમાં આવ્યા હોવાથી મારે જીવ બચાવવા દોડવું પડ્યું હતું. હું જ્વાળામુખીના ફૉટા પાડતો હતો ત્યારે અચાનક મોટું મોજું મારા ભણી ધસી આવ્યું હતું. હું જે હૉટેલમાં રહેતો હતો તે વિસ્તાર સુધી બીજું મોજું આવ્યું હતું. હું મારા પરિવારની સાથે જંગલના માર્ગે અને ગામડાંમાં થઇને સલામતસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક લોકોએ અમારું ધ્યાન રાખ્યું હતું.

જાવામાં બાન્ટેન પ્રાંતના પાંડેગ્લાંગ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું હતું. આ પ્રદેશમાં ઉગુંગ કુલોન રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકપ્રિય દરિયાકાંઠા છે.

દક્ષિણ સુમાત્રાના બંદર લમ્પુંગ શહેરમાં સેંકડો લોકોએ સરકારી કચેરીમાં આશ્રય લીધો હતો.

સુંદા સામુદ્રધુનીમાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી આવેલો છે. આ સામુદ્રધુની હિંદ મહાસાગર અને જાવાના સમુદ્રને જોડે છે. આ જ્વાળામુખી સુનામીની અંદાજે ૨૪ મિનિટ પહેલાં ફાટ્યો હતો.

રાજધાની જાકાર્તાના વાયવ્યમાં અંદાજે ૨૦૦ કિલોમીટર દૂર આવેલો આ જ્વાળામુખી ૩૦૫ મીટર ઊંચો છે અને તેમાંથી જૂનથી લાવા નીકળી રહ્યો છે.

સુનામીને લીધે ૪૩૦ ઘર, ૯ હૉટેલ, ૧૦ જહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું. અનેક રસ્તા પર ઊંધા વળી ગયેલા વાહન જોવા મળતા હતા.

અગાઉ, ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી અને સુનામીને લીધે જાનમાલની ભારે હાનિ થઇ હતી.

સુનામી લાવનારો જ્વાળામુખી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો

ઇન્ડોનેશિયામાં શનિવારે રાતે સુનામી લાવનારો જ્વાળામુખી અનાક ક્રાકાટોઆ મૂળ ક્રાકાટોઆમાંથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને તે ગયા જૂનથી અંશત: સક્રિય છે. જ્વાળામુખીવાળા ટાપુ ક્રાકાટોઆ પર

૧૮૮૩થી જ્વાળામુખી ફાટી રહ્યા છે અને અનાક ક્રાકાટોઓ ૧૯૨૮માં એટલે કે આજથી ૯૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો અને લાવાને લીધે તે જ્વાળામુખીનો નાનો ટાપુ જ બની ગયો છે. તે દરિયાની જળસપાટીથી અંદાજે ૩૦૦ મીટર (૧,૦૦૦ ફૂટ) ઊંચો છે. અનાકા ક્રાકાટોઆ

તૈયાર થયા બાદ દર બેથી ત્રણ વર્ષે ફાટે છે. જ્વાળામુખી ફાટે ત્યારે દરિયામાં પણ ભેખડો ધસી પડે છે અથવા ધરતીકંપ થાય છે અને તેને લીધે સુનામી પણ આવી શકે છે.

જ્વાળામુખીવાળા આ ટાપુ પર કોઇ નથી રહેતું, પરંતુ પર્યટકો અને જ્વાળામુખીના અભ્યાસાર્થીઓ તેની આસપાસ જાય છે.

મૂળ ક્રાકાટોઆ ૧૮૮૩ની ૨૭મી ઑગસ્ટે ફાટ્યો હતો અને ૨૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રાખ ફેલાઇ હતી. આ જ્વાળામુખી ફાટવાનો અવાજ ઑસ્ટ્રેલિયા અને મોરિશિયસ સુધી સંભળાયો હોવાનું પણ કહેવાય છે.

સુનામીને લીધે અગાઉ ૩૬,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને મોટા પાયે જાનમાલની હાનિ થઇ હતી. પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર’ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા દેશોમાં ૧૩૦ સક્રિય જ્વાળામુખી છે.

December 23, 2018
1min8500
  • 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા
  • ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું શટડાઉન કટોકટીનો આરોપ ડેમોક્રેટ્સ પર 
  • મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની ટ્રમ્પની માંગણીની ધરાર અવગણના

અમેરિકા સમેત સમગ્ર વિશ્વના સૌથી મોટા ઉત્સવ ક્રિસમસના બે દિવસ પૂર્વે જ અમેરીકામાં ગવર્નમેન્ટ શટડાઉનનો આરંભ થયો છે. સરકારી કર્મચારીઓના પગાર, સરકારી ખાતાઓના બજેટ તેમજ પ્રેસીડેન્ટ ટ્રમ્પની કેટલીક દરખાસ્તો પર કોઇપણ પ્રકારનો નિર્ણય કર્યા વિના જ અમેરીકી સંસદ ગૃહ મુલતવી રહ્યું છે, જેને લઇને અમેરિકામાં લાખો લોકોના વેતન, સરકારી કચેરીઓના ખર્ચાઓની ફાઇલો અટકી પડવા પામી છે. અમેરીકાના અર્થતંત્રમાં આ કટોકટીને યુએસ શટડાઉન કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટા તહેવાર ક્રિસમસ પૂર્વે જ હજારો નહીં પણ લાખો કર્મચારીઓ વેતન વગર રઝળી પડ્યા છે અને અમેરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવીને હાથ ઉંચા કરવાની કોશીસ કરી હતી.

અમેરિકામાં સમવાયી ખર્ચ સંદર્ભના ખરડાને પસાર કર્યા વિના અને બોર્ડર વોલ બાંધવા જોઈતા નાણાં માટે નાણાંકીય જોગવાઇ કરવા અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીની દરકાર કર્યા વિના અમેરિકી સંસદ મુલતવી શનિવાર તા.22મી ડિસેમ્બર 2018ની સાંજે મુલતવી રહી હતી. આ સાથે ક્રિસમસ પૂર્વેનું અમેરિકી સરકારનું શટડાઉનનો પણ આરંભ થયો છે.

અમેરીકી સરકારનું આ શટડાઉન કેટલું લાંબુ ચાલશે તે કંઈ સ્પષ્ટ થતું ન હોવાના મતો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા હતા, જો કે શુક્રવારે મોડી રાતે ટ્રમ્પે એવી આશા વ્યક્ત કરી હતી કે તે લાંબુ નહીં ચાલે.’ તેના એક પરિણામરૂપે 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને બેઉ પક્ષના સંસદીય નેતાઓ વચ્ચે કેપિટોલ હિલ ખાતે છેલ્લી ઘડીની વાટાઘાટો છતાં કેટલીક ચાવીરૂપ એજન્સીઓની કામગીરી શનિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે 12.01 કલાકે અટકી પડી હતી. આ કટોકટીનું આળ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર મૂક્યું છે.

મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની માગણી ટ્રમ્પે કરી છે, જેનો ડેમોક્રેટ્સ કટ્ટરપણે વિરોધ કરે છે, સમજૂતીના અભાવે ડઝનબંધ એજન્સીઓના ભંડોળો મધરાત બાદ લેપ્સ થવાની નોબત આવી. શટડાઉન નિવારવાની કોઈ જ ગતિવિધિઓ વિના, અમેરિકી સંસદનું પ્રતિનિધિ ગૃહ (નીચલું ગૃહ) શુક્રવારે સાંજે 7 વાગ્યા પહેલાં મોકૂફ રાખી દેવાયું હતું અને સેનેટ (ઉપલું ગૃહ)તેના એક કલાક બાદ મોકૂફ કરી દેવાયું હતું.

મિલિટરી, આરોગ્ય/માનવસેવાઓના વિભાગ સહિત સરકારના ત્રણ ચતુર્થાંશ ભાગો આગામી સપ્ટે.સુધી પૂર્ણ ભંડોળ ધરાવે છે અને 25 ટકા ભાગ શનિવારે ભંડોળ વિહોણો થઈ ગયો હતો.

શું થાય છે શટડાઉનનો અર્થ

In United States politics, a government shutdown occurs when Congress fails to pass or the President refuses to sign appropriations legislation funding federal government operations and agencies.

https://www.theguardian.com/commentisfree/2018/dec/23/us-economic-precipice-donald-trump-government-shutdown

December 21, 2018
uk.png
1min4250

બ્રિટને વિઝા સિસ્ટમમાં 40 વર્ષમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. ભારતીય એન્જિનિયર્સ અને ડૉક્ટર્સનું યૂકે જવું સરળ બન્યું છે.

ઈમિગ્રેશનના નવા નિયમો પ્રમાણે હવે યૂકેમાં પ્રવેશ મેળવવા માટે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર વધુ ભાર આપવામાં આવશે. યૂકેની સરકારે બ્રેક્ઝિટ પછી વિઝા અને ઈમિગ્રેશને સ્ટ્રેટેજીને લગતી નવી દરખાસ્તો રજૂ કરી છે. જે ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ખુબ જ ફાયદાકારક છે. નવી દરખાસ્ત પ્રમાણે વ્યક્તિ ક્યાંથી આવે છે તેના બદલે તેની આવડત પર વધારે ભાર મુકવામાં આવશે. ભારત અથવા અન્ય કોઈ દેશના નાગરિકને યૂરોપિયન યુનિયનના 27 દેશોના નાગરિકોને સમાન જ ગણવામાં આવશે. બ્રિટેનના વડાપ્રધાન થેરેસા મેની સરકારે બુધવારે આ જાહેરાત કરી હતી.

વર્ષ 2021થી આ પ્રસ્તાવ લાગુ પડશે. વિઝાના નિયમોના કારણે ભારતથી ખુબ જ ઓછા લોકો બ્રિટન જઈ શકતા હતા. પરંતુ હવે વિઝાના નિયમોમાં ફેરફાર બાદ બ્રિટેનમાં સૌથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને કામ મળી જશે. બુધવારે જે પ્રસ્તાવ રજૂ થયો તેમાં સ્કિલ્ડ પ્રોફેનલ્સ માટે એક નવો વિઝા માર્ગ અને વર્ક પરમિટ માટે વાર્ષિક 20, 700ની સીમા ખતમ કરવાનો પ્રસ્તાવ છે. બ્રિટન યૂરોપિયન યુનિયનમાંથી બહાર થઈ જશે. જો બ્રેક્ઝિટની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, તો આ પ્રસ્તાવ 2021થી લાગુ પડશે. જેથી ભારતીયોને સૌથી વધુ લાભ મળશે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે બ્રિટન ઈયુથી અલગ થશે અને મુક્ત વેપારનો પણ અંત આવશે.

જાણો નવા નિયમો

1. નવી દરખાસ્ત લાગુ થયા બાદ પ્રતિ વર્ષ 20,700 ઇમિગ્રન્ટ્સને વિઝા આપવામાં આવશે તે નિયમમાં પણ બદલાવ આવશે, જેનો લાભ ભારતના ડોક્ટરો અને આઇટી પ્રોફેશનલ્સને સૌથી વધુ મળશે.

2. અન્ય ક્ષેત્રોના પ્રોફેશનલ્સ માટે પણ 12 મહિનાના કામચલાઉ વિઝાનો પણ નવો નિયમ લાગુ થશે, જેથી બ્રિટનના બિઝનેસ જરૂરિયાતના આધારે સ્ટાફને ઓછા સમયગાળા માટે નોકરી આપી શકે.

3. જે લોકો 12 મહિનાના વિઝાના આધારે આવી રહ્યા છે તેઓ પોતાના પરિવારને સાથે લાવી શકશે નહીં, ઉપરાંત 12 મહિનાના વિઝા ખતમ થતાં જ અહીં રહેવાનો અધિકાર પણ પૂરો થઇ જશે.

4. પ્રોફેશનલ્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેબર માર્કેટ દ્વારા થતી ભારેખમ પ્રોસેસનો અંત આવશે.

વિદ્યાર્થીઓ માટે ક્યા નિયમો લાગુ પડશે?

1. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જેઓ યુકેમાં પોતાની ડિગ્રી લેવા ઇચ્છે છે અને અહીં જ કામ કરવા ઇચ્છે છે એ તમામ સ્ટુડન્ટ્સને છ મહિનાની પોસ્ટ-સ્ટડી લીવ આપવામાં આવશે, આ માસ્ટર્સ અને બેચલર્સના સ્ટુડન્ટ્સ માટે ડિગ્રી એવોર્ડિંગ પાવર તરીકે હશે. આનો મૂળ હેતુ એ છે કે, આટલા સમયગાળા દરમિયાન તેઓ કાયમી જોબ મેળવી શકે અને ત્યાં સુધી કામચલાઉ ધોરણે અન્ય સ્થળે કામ કરી શકે.

2. યુકેમાં બેચલર્સ ડિગ્રી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને તેઓનો કોર્સ પૂર્ણ થાય તે પહેલાં ત્રણ મહિનાના સ્કિલ્ડ વર્કર્સ રૂટ માટે એપ્લિકેશન કરવાની છૂટ મળશે.