CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 17 of 49 - CIA Live

October 5, 2021
CIA-1280x937.jpg
5min404
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for  discovery of temperature, touch receptors - The Hindu
U.S. scientists David Julius, Ardem Patapoutian get Medicine Nobel for discovery of temperature, touch receptors : CiA Live News web

મેડિસીનના ક્ષેત્રમાં તાપમાન અને સ્પર્શ રિસેપ્ટર્સની શોધ બદલ અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડોમ પેટાપાઉટિયનને નોબેલ ઇનામ આપવામાં આવ્યું હતું. 

નોબલ કમિટીના મહામંત્રી થોમસ પર્લમેને સોમવારે Dt.4/10/2021 વિજેતાઓનાં નામ જાહેર કર્યા હતા.

પર્લમેને જણાવ્યું હતું કે આ ખરેખર કુદરતનું એક રહસ્ય જાહેર કરે છે. ખરી રીતે આ એવી બાબત છે કે જે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે, માટે આ અત્યંત મહત્ત્વનું છે અને ખાસ શોધ છે.  આ પ્રતિષ્ઠિત ઇનામમાં સુવર્ણ ચંદ્રક અને ૧૦ મિલિયન સ્વિડીશ ક્રોનર (૧.૧૪ મિલિયન ડોલરથી વધારે)ની રકમ મળે છે. 

આ વર્ષનું આ પહેલું ઇનામ જાહેર કરાયું છે. આ સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ પણ ઇનામો આપવામાં આવે છે. 

In English

Two U.S.-based scientists were awarded the Nobel Prize in physiology or medicine on October 4 for their discovery of the receptors that allow humans to feel temperature and touch.

David Julius and Ardem Patapoutian focused their work on the field of somatosensation, that is the ability of specialised organs such as eyes, ears and skin to see, hear and feel.

“This really unlocks one of the secrets of nature,” said Thomas Perlmann, secretary-general of the Nobel Committee, in announcing the winners. “It’s actually something that is crucial for our survival, so it’s a very important and profound discovery.” The committee said Mr. Julius, 65, used capsaicin, the active component in chilli peppers, to identify the nerve sensors that allow the skin to respond to heat.

Mr. Patapoutian found separate pressure-sensitive sensors in cells that respond to mechanical stimulation, it said.

The pair shared the prestigious Kavli Award for Neuroscience last year.

“Imagine that you’re walking barefoot across a field on this summer’s morning,” said Patrik Ernfors of the Nobel Committee. “You can feel the warmth of the sun, the coolness of the morning dew, a caressing summer breeze and the fine texture of blades of grass underneath your feet. These impressions of temperature, touch and movement are feelings relying on somatosensation.”

“Such information continuously flows from the skin and other deep tissues and connects us with the external and internal world. It is also essential for tasks that we perform effortlessly and without much thought,” said Mr. Ernfors.

Mr. Perlmann said he managed to get hold of both of the winners before the announcement.

“I […] only had a few minutes to talk to them, but they were incredibly happy,” he said. “And as far as I could tell they were very surprised and a little bit shocked, maybe.”

Last year’s prize went to three scientists who discovered the liver-ravaging hepatitis C virus, a breakthrough that led to cures for the deadly disease and tests to keep the scourge from spreading though blood banks.

The prestigious award comes with a gold medal and 10 million Swedish kronor (over $1.14 million). The prize money comes from a bequest left by the prize’s creator, Swedish inventor Alfred Nobel, who died in 1895.

The prize is the first to be awarded this year. The other prizes are for outstanding work in the fields of physics, chemistry, literature, peace and economics.

October 2, 2021
indobrit.jpg
1min347

ભારતે બ્રિટનથી ભારતમાં આવતા બ્રિટિશ નાગરિકોને સમાન નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જે બ્રિટનમાં ભારતથી જતા ભારતીય નાગરિકોને લાગુ પડશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત 4 ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ નિયમો યુકેથી આવતા તમામ બ્રિટિશ નાગરિકોને લાગુ પડશે. યુકેથી ભારત આવતા તમામ બ્રિટિશ નાગરિકો, જેમણે રસી લીધી હોય કે ના લીધી હોય તે તમામ લોકોએ 4 ઓક્ટોબરથી આ નિયમોનું પાલન કરવું પડશે.

બ્રિટિશ નાગરિકોએ મુસાફરી માટે રવાના થવાના 72 કલાક પહેલા COVID-19 RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે. તો બીજી બાજુ ભારતમાં એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ કોવિડ -19 નું RT-PCR પરીક્ષણ થશે. ભારત આવ્યાના 8 દિવસ બાદ ફરી એકવાર RT-PCR ટેસ્ટ થશે. ભારતમાં આવ્યા પછી 10 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન થવું પડશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ નવા નિયમોના અમલ માટે પગલાં લેશે.

 નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, ભારત સરકારે કહ્યું હતું કે બ્રિટનમાં કોવિડશિલ્ડ રસી મેળવનારાઓ માટે બ્રિટનનો 10 દિવસનો ક્વોરેન્ટાઈનનો નિયમ `ભેદભાવપૂર્ણ` છે અને નવી દિલ્હીને પણ આ જ રીતે બદલો લેવાનો અધિકાર છે. બ્રિટનના નવા મુસાફરી નિયમ પર દેશમાં રોષ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, `અમે માનીએ છીએ કે 4 ઓક્ટોબરથી અમલમાં મૂકવાની પ્રસ્તાવિત સિસ્ટમ ભેદભાવપૂર્ણ પદ્ધતિ છે. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ઉકેલ મળી જશે. આપણને પણ આવો જવાબી વ્યવહાર અધિકાર છે.`

September 27, 2021
canada_flag.png
1min375

કેનેડાએ સોમવારથી ભારતથી સીધી ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે : કેનેડાએ પાંચ મહિનાથી વધુ સમય બાદ આ પ્રતિબંધ હટાવ્યો છે.

કેનેડાના સત્તાવાર સૂત્રોએ શનિવારે ટ્વિટર પર આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરે ૦૦.૦૧ વાગ્યાથી ભારતથી કેનેડા માટેની સીધી ફ્લાઇટોને વધારાના સ્વાસ્થ્ય સંબંધી પગલાં સાથે પરવાનગી આપવામાં આવી છે. 
આ માટે પ્રવાસીઓ પાસે દિલ્હીથી કેનેડા માટેની સીધી ફ્લાઇટ પકડવાના ૧૮ કલાકની અંદર મંજૂર કરાયેલ લૅબમાંથી કોવિડ-૧૯ના મોલેક્યુલર ટેસ્ટના રિપોર્ટ હોવા જરૂરી છે. 
ભારતમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેનેડાએ એપ્રિલ મહિનાથી ભારતથી આવનાર બધી જ સીધી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદ્યો હતો. 
ભારતના કેનેડા ખાતેના રાજદૂત અજય બિસરીયાએ આ નિર્ણયને વધાવતા ટ્વિટર પર જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા અને એર કેનેડાની દિલ્હીથી ટોરોન્ટો/વાનકુવરની સીધી ફ્લાઇટો શરૂ થવા સજ્જ છે. પ્રવાસમાં વધુ છૂટછાટ મેળવવા માટે અમે કેનેડા સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ.
જોકે, ભારતથી કેનેડા આડકતરી રીતે જનારા પ્રવાસીઓ માટે અન્ય દેશમાંથી કેનેડા જવા અગાઉ ત્રીજા દેશનો કોવિડ-૧૯ નેગેટિવનો રિપોર્ટ કઢાવવો હજુ ય ફરજિયાત રાખવામાં આવ્યો છે.

September 25, 2021
italy.png
1min419

રોમમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે રોમે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે અને જે લોકોને આ રસી મળી છે તેઓ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા વચ્ચે G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનું આ પરિણામ છે, એમ દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

“ભારતીય રસી કાર્ડ હોલ્ડર્સ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.” તેમાં ઉમેર્યું હતું કે આ પહેલા, ઇટાલીએ ફાઇઝર, મોર્ડેના, વેક્સઝેરવિયા – એસ્ટ્રાઝેનેકા અને જોહ્ન્સન એન્ડ જોહ્નસનની રસીઓને માન્યતા આપી હતી.

September 23, 2021
pmmodi-1280x855.jpg
2min346

ભારતીય સમયાનુસાર પીએમ મોદી ગુરુવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતાં, જ્યાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી જ પીએમ મોદી તેમની બેઠકોનો દોર શરૂ કરશે, જે મુજબ પહેલા દિવસે કેટલીય કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. 

એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત 

કોરોના કાળ વચ્ચે પહેલી વાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશી યાત્રા થઈ રહી છે. ગુરુવારે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન વોશિંગ્ટન પહોંચ્યા હતાં. જયાં એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આગમનને કારણે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી.  પીએમ મોદીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટર પર કેટલીક તસવીર શેર કરી હતી. 
 
આજે વડાપ્રધાન મોદીને કેટલીય મહત્વની મુલાકાત છે, જેમાં તેઓ પ્રખ્યાત કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. 

પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ (ભારતીય સમયનુસાર) 23 સપ્ટેમ્બર, ગુરુવાર

7.15 PM: ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે બેઠક.
7.35 PM: એડોબના ચેરમેન સાથે બેઠક.
7.55 PM: માર્ક વિડમરને મળો, પ્રથમ સોલ
8.15 PM: જનરલ એટોમિક્સના CEO સાથે બેઠક.
8.35 PM: બ્લેકસ્ટોનના CEO સાથે બેઠક.
11 PM: ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત

24 સપ્ટેમ્બર, શુક્રવાર

12.45 am: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા
03.00 AM: જાપાની પીએમ સાથે મુલાકાત

પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે.આ સાથે જ વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક સ્તર પર અસર પહોંચી છે.  તેવામાં પીએમ મોદીના આ પ્રવાસને ખુબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. 

September 21, 2021
Russia_Firing.jpg
1min403

રશિયાની યુનિવર્સિટીમાં ઘૂસીને એક વ્યક્તિએ સોમવારે કરેલા ગોળીબારમાં આઠ જણનાં મોત થયાં હતાં અને ૨૮ વ્યક્તિ ઘાયલ થઇ હતી.

દરમિયાન ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે પર્મ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પોલીસે કરેલા ગોળીબારમાં હુમલાખોર ઘાયલ થયા બાદ એની અટક કરવામાં આવી હતી. હુમલાખોરની ઓળખ કે ગોળીબાર કરવાનો એનો આશય શું હતો તે હજુ સુધી જાણી શકાયા નથી. હુમલા વખતે પર્મ સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ રૂમને અંદરથી બંધ કરી દીધા હતા.

રશિયાની સમાચાર સાઇટે પોસ્ટ કરેલા વીડિયોમાં કેટલાક વિદ્યાર્થી બીજા માળની બારીમાંથી કૂદતા દેખાયા હતા. અન્ય ફૂટેજમાં કાળાં કપડાં અને 

હેલ્મેટ પહેરેલી વ્યક્તિ હાથમાં લાંબી રાઇફલ લઇને કૅમ્પસમાં આટા મારતી દેખાઇ હતી. 
રશિયાની તપાસ કમિટીએ જણાવ્યું હતું કે હુમલાખોરે શિકાર કરવાની ગનથી ગોળીબાર કર્યો હતો અને એનો અર્થ એ થયો કે એણે શોટગન વાપરી હતી. ૨૯ જણ ઘાયલ થયાં હતાં અને એમાંથી કેટલાકને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, એમણે વધુ માહિતી આપી નહોતી. 
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે એમાંથી ૧૯ જણને ગોળી મારવામાં આવી હતી. બાકીના કઇ રીતે ઘાયલ થયા એ જાણી શકાયું નહોતું. 

૧૨૦૦૦ વિદ્યાર્થીને પ્રવેશ આપનાર યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે ગોળીબાર વખતે કૅમ્પસમાં ૩૦૦૦ વિદ્યાર્થી હાજર હતા. આ સ્કૂલ પર્મ શહેરમાં આવેલી છે અને દસ લાખની વસતી ધરાવતું આ શહેર મોસ્કોથી ૧૧૦૦ કિ. મી. દૂર આવેલું છે.

September 15, 2021
china.png
1min332

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે. ફુજિયાન પ્રાંતમાં કડક લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. ઓછામાં ઓછા 4.5 મિલિયન લોકો ઘરોમાં કેદ થયા છે. શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે અને અહીંના લોકોમાં કોરોના ચેપના વધુ કેસ મળવાની સંભાવના છે. 

દક્ષિણપૂર્વ પ્રાંતના ફુજિયાનમાં  સિનેમાઘરો, જીમ અને રાજમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંના રહેવાસીઓને શહેર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે ફરીથી દેખાતા ચીના આ શહેરમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ફુજિયાનના પુટિયનમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે અને લોકોમાં કોરોના ચેપના વધુ કેસ થવાની સંભાવના છે. પુટિયા શહેરની વસ્તી ૩.૨ મિલિયન છે. કોરોના ચેપના જોખમ વચ્ચે ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ નિષ્ણાત ટીમ મોકલી છે. અહીંની કેટલીક શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર 10થી 12 સપ્ટેમ્બર વચ્ચે ફુજિયામાં કોરોનાના 43 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 35 પુટિયનને મળ્યા છે. આ ઉપરાંત પુટિયનમાં 10 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 32 નોન-સિગ્નેન્ટ કેસ પણ નોંધાયા છે. જોકે, ચીન પુષ્ટિ પામેલા કિસ્સાઓમાં બિન-લક્ષણોના કેસોની ગણતરી કરતું નથી, જ્યારે ચેપગ્રસ્તને તાવ અને અન્ય ક્લિનિકલ લક્ષણો હોતા નથી.

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95થી વધુ કેસ  

12 સપ્ટેમ્બર સુધીમાં ચીનમાં કોરોનાના કુલ 95,248 કેસ નોંધાયા હતા જ્યારે 4,636 લોકો મૃત્યુ પામ્યા હતા. ચીનમાં છેલ્લે જિયાંગસુમાં કોરોનાફાટી નીકળ્યો હતો જે તાજેતરમાં બે અઠવાડિયા પહેલા સમાપ્ત થયો હતો. હવે કોઈ નવા કેસ નથી. છેલ્લા કોરોના આઉટ બ્રેકનો વિનાશ જિયાંગસુમાં એક મહિના સુધી ચાલુ રહ્યો હતો. એક સ્થાનિક આરોગ્ય અધિકારીનું કહેવું છે કે પુટિયનના કેસોની તપાસમાં બહાર આવ્યું છે કે આ માણસોને ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટથી ફટકો પડ્યો છે.

August 19, 2021
usa_flag.png
1min398

અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસના નિયંત્રણ હળવા કરીને ભારતને લેવલ-ટૂ એટલે કે સામાન્ય (મૉડરેટ) જોખમ ધરાવતા દેશોની યાદીમાં મૂક્યું છે. ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળામાં ઘટાડો થતાં અમેરિકાએ ભારતને ‘સલામત’ ગણાતા લેવલ-ટૂમાં મૂક્યું છે.
અગાઉ, અમેરિકાએ ભારતમાંના કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની શરૂઆતમાં ભારતને લેવલ-ફૉરમાં મૂક્યું હતું.

અમેરિકાના રોગ-નિયંત્રણ કેન્દ્ર (સેન્ટર ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન)એ કોવિડ-૧૯ના રોગચાળાના સંબંધમાં ભારતના પ્રવાસ માટે લેવલ-ટૂ ટ્રાવેલ હેલ્થ નોટિસ બહાર પાડી હતી અને ભારતને ‘સામાન્ય’ જાખમ ધરાવતા દેશોની યાદીમાં સમાવ્યું છે.

આમ છતાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે પૂર્વ લદાખ અને તેના પાટનગર લેહ સિવાયના જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના જોખમને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને આ પ્રદેશમાં નહિ જવાની સલાહ આપી હતી.

દરમિયાન, અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની સરહદના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં નહિ જવાની પણ પોતાના નાગરિકોને સલાહ આપી હતી અને તેના માટે બન્ને દેશ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણનું જોખમ હોવાનું કારણ આપ્યું હતું.

August 2, 2021
unsc.jpg
1min656

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં નવો ઈતિહાસ રચાયો છે. દુનિયાની સૌથી શક્તિશાળી સંસ્થાનું સુકાન 1 ઓગષ્ટને રવિવારથી ભારતે એક મહિના માટે સંભાળી લીધુ છે અને તેની બેઠકની અધ્યક્ષતા કરવાનું ગૌરવ પહેલીવાર ભારતીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પુર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદીને કહ્યુ કે નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે યુએનએસસીની બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ આપણો 8મો કાર્યકાળ છે. 7પ વર્ષમાં પહેલીવાર એવુ બન્યુ છે જ્યારે આપણાં રાજકીય નેતૃત્વએ યુએનએસસીના કોઈ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં રસ દાખવ્યો છે. જે દર્શાવે છે કે આપણાં નેતાઓ સામે ચાલીને નેતૃત્વ કરવા ઈચ્છે છે. જે વિદેશ નીતિના ઉપક્રમોમાં ભારતની મજબૂત કામગીરી દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સુકાન ભારતના હાથમાં આવતાં જ ચીન અને પાકિસ્તાનની ચિંતા વધી છે કારણ કે ભારતના સુકાન પદે તેમનો વાસ્તવિક ચહેરો દુનિયા સમક્ષ ઉજાગર થવાનો ભય છે.

અધ્યક્ષ તરીકે ભારત વિશ્વ સમુદાય સમક્ષ સમુદ્રી સુરક્ષા, આતંકવાદ અને શાંતિરક્ષણ જેવા મુદ્દાઓ ઉઠાવશે. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યુ કે આશા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ થઈને કામ કરશે અને યોગ્ય નિર્ણયો લેશે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યુ કે અમે સદસ્ય દેશો સાથે સહયોગાત્મક રીતે કામ કરવા તત્પર છીએ.

July 21, 2021
usa-1280x801.jpg
1min373

અમેરિકાએ (પોતાના નાગરિકો માટેની) પ્રવાસને લગતી સૂચનામાં ભારત ખાતેની મુસાફરીને લેવલ-થ્રીમાં મૂકી છે. અગાઉ, ભારત લેવલ-ફૉરમાં હતું.

ભારતમાં કોવિડ-૧૯ના દરદીઓ અને તેને સંબંધિત મરણાંકમાં થયેલા ઘટાડાને લીધે ભારતને લેવલ-ફૉરમાંથી લેવલ-થ્રીમાં મૂક્યું છે.અમેરિકાએ અગાઉ ગયા મહિને ભારત ખાતેના પ્રવાસને લગતી સૂચના બહાર પાડી ત્યારે ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેર ફેલાઇ હતી અને કોરોનાવાઇરસના દરરોજ  ત્રણ લાખથી વધુ દરદી નોંધાતા હતા.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે અમેરિકામાંના રોગ નિયંત્રણ વિભાગ – સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શને ભારતમાંની કોવિડ-૧૯ના રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘લેવલ-થ્રી ટ્રાવેલ હેલ્થ નૉટિસ’ બહાર પાડી હતી.

તેણે જણાવ્યું હતું કે જો તમે એફડીએ દ્વારા મંજૂર કરાયેલી કોવિડ-૧૯ સામેની રસીના બન્ને ડૉઝ લઇ લીધા હોય તો તમને (મુસાફરી દરમિયાન) આ વાઇરસનો ચેપ લાગવાની કે ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી રહે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા સેન્ટર્સ ફૉર ડિસીઝ ક્ધટ્રૉલ ઍન્ડ પ્રીવેન્શનની સંબંધિત માર્ગદર્શિકાનો અભ્યાસ કરજો. તેણે રસી લેનારા અને નહિ લેનારા – એમ બન્ને પ્રકારના લોકો માટે જરૂરી સૂચના આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત ખાતેની મુસાફરી અંગે ફેરવિચારણા કરવાની સલાહ આપીએ છીએ. આ ઉપરાંત, ગુનાખોરી અને ત્રાસવાદ સામે પણ સાવચેત રહેવું પડશે.

અગાઉ, અમેરિકાએ ભારત ખાતેના પ્રવાસ માટે પાંચમી મેએ સૂચના બહાર પાડી હતી.