CIA ALERT

ઇન્ડીયા Archives - Page 27 of 209 - CIA Live

July 3, 2024
kejri.jpg
1min202

કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં હજુ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જોકે,  કેજરીવાલે CBI કેસમાં પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે.

CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને પરેશાન કરાઈ રહ્યો છે

કેજરીવાલે જામીન માટે દાખલ કરેલી અરજીમાં CBI સામે કેટલાક મોટા દાવા કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે, ‘એપ્રિલ 2023માં જ્યારે મને બોલાવવામાં આવ્યો, ત્યારે મેં સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. મારી ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. રિમાન્ડ ઓર્ડર સ્પષ્ટપણે નિયમિત છે, જેના કારણે ધરપકડ અને કાર્યવાહીની સમગ્ર પ્રક્રિયાને અસર થઈ રહી છે. CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને સતત હેરાન-પરેશાન કરી રહી છે.”

આ અરજીમાં કેજરીવાલે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, મારી ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડાં ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે. સીબીઆઈનું વર્તન સ્પષ્ટ રીતે દ્વેષભાવથી ભરેલું છે. મારી સ્વતંત્રતાને મનમાની અને લાપરવાઈથી છીનવી લીધી છે.”

આ મને મુક્ત થવા પર રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે

કેજરીવાલે પોતાની વિરુદ્ધના પુરાવા અંગે અરજીમાં કહ્યું છે કે, ‘એ વાત સ્પષ્ટ છે કે મને હેરાન કરાઈ રહ્યો છે. તેમજ જે પુરાવાના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે, તે પેહલેથી જ રેકોર્ડ પર છે, અને આ કેસ નોંધાયાના 1 વર્ષ અને 10 મહિના પછી પણ આવા પુરાવા એકત્ર કર્યાના ઘણાં મહિનાઓ પછી ધરપકડનો પ્રશ્ન માત્ર કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી, એટલે સ્પષ્ટપણે આ દ્વેષભાવપૂર્વક થઈ રહ્યું છે. ધરપકડનો સમય મારી કસ્ટડીમાંથી મુક્તિને રોકવા, ટાળવા અને અટકાવવાના પ્રયાસ થઈ દર્શાવે છે. કારણ કે PMLA કેસમાં મને નિયમિત જામીન આપવામાં આવ્યા છે.

CBIનો ઉદ્દેશ્ય કેજરીવાલની સ્વતંત્રતા છીનવી લેવાનો છે

અરજીમાં કેજરીવાલે CBI જે પુરાવા પર કામ કરી રહી છે તે અંગે કહ્યું કે, મને કલમ 41(1)(b)(in) ના દરેક સિદ્ધાંતો CRPCની સાથે સાથે ધરપકડની આવશ્યકતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, અને માત્ર દંડાત્મક કેદ આપવામાં આવી છે, તેમનો ઉદ્દેશ્ય મારી સ્વતંત્રતા છીનવી લેવાનો છે,અને મનમાની કરીને આ રીતે કેદ કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા જે રેકોર્ડ પર આધાર રાખીને કામ કરી રહી છે, તેના પર એક નજર કરશો તો જાણવા મળશે કે, જે કથિત પુરાવાનો કાર્યવાહી માટે આધાર રાખે છે, તે ઘણા વર્ષો પહેલા સામે આવી ચુક્યા હતા. જેના આધારે ઘણા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

CBI દ્વારા હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવે છે: કેજરીવાલનો દાવો

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાની જામીન અરજીમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, CBI દ્વારા હેરાન અને ત્રાસ આપવામાં આવે છે. અને એજન્સીનું વર્તન સ્પષ્ટ રીતે દુર્ભાવનાપૂર્ણ છે. CBI ચાલુ તપાસ ચાલુ છેની આડમાં તેમને સતત હેરાન કરી રહી છે.આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, તેમની ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. કેજરીવાલ વધુ જણાવે છે કે, સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડા  ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈ, આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે. 

July 3, 2024
gold-dubai.png
1min240

ભારતમાં સોનાના ભાવની સરખામણીએ દુબઈમાં સોનાના ભાવ ઓછા છે. ભારત કરતાં દુબઈમાં 24 કેરેટ તોલા (10 ગ્રામ) સોનું રૂ. 10339 સસ્તું છે. જ્યારે એમસીએક્સ ગોલ્ડની તુલનાએ રૂ. 7929 પ્રતિ 10 ગ્રામ સસ્તુ છે. જો કે, દુબઈથી સોનુ ભારત લાવવાના કેટલાક નિયમો છે. જો તે નિયમોનું ઉલ્લંઘન થાય તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આકરી કાર્યવાહી અને સજાની જોગવાઈઓનો સામનો કરવો પડશે.

દુબઈમાં સોનાનો ભાવ ભારત કરતાં ઓછો છે. આજે દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 282.75 દિર્હમ (AED) પ્રતિ ગ્રામ છે. જે ભારતીય કરન્સી મુજબ રૂ. 6426.91 (1 દિર્હમ=22.73 રૂપિયા) પ્રતિ ગ્રામ થાય છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 261.75 દિર્હમ પ્રતિ ગ્રામ અર્થાત રૂ. 5949.58 પ્રતિ ગ્રામ છે. જેનો 10 ગ્રામનો ભાવ રૂ. 59491 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 64261 થાય છે.

સ્થાનિક બજારમાં અમદાવાદમાં 3 July 2024 સોનાનો ભાવ રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ છે. જે ગઈકાલ 2 July 2024 કરતાં રૂ. 450 મોંઘુ થયુ છે. ગત મહિને સોનુ રૂ. 76600ની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ (5 ઓગસ્ટ વાયદો) રૂ. 636ના ઉછાળા સાથે રૂ. 72190 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યુ હતું. 

દુબઈથી કેટલુ સોનુ સાથે લાવી શકાય

દુબઈથી ભારત આવતો મુસાફર ચોક્કસ મર્યાદા સાથે દુબઈથી સોનુ ભારત લાવી શકે છે. પુરૂષ મુસાફર દુબઈથી મહત્તમ 20 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જ્યારે મહિલા અને બાળક 40 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જો કે, તેની કિંમત ડ્યૂટી ફ્રી મર્યાદાની અંદર હોવી જોઈએ, નહિં તો તમારે કસ્ટમ ચાર્જ ચૂકવવો પડશે.

કસ્ટમ ડ્યૂટી

ભારતીય મુસાફરો કે જેઓ દુબઈમાં છ મહિનાથી વધુ સમય સુધી રહ્યા હોય તેઓ માટે કસ્ટમ ડ્યૂટી 1 કિગ્રા પર 13.7 ટકા છે. જ્યારે છ મહિનાથી ઓછો સમય રહ્યા હોય તો તેના પર 38.50 ટકા ડ્યુટી લાગુ થાય છે. જો તમારૂ સોનુ ડ્યુટી ફ્રી મર્યાદા કરતાં વધુ હોય તો તેની જાણ એરોપોર્ટ પર કરવી આવશ્યક છે.

July 3, 2024
zika-virus.png
1min184

મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી છે. જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. 

હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના છ કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક-એક કેસ નોંધાયા છે.

ઝિકા વાયરસના લક્ષણો

ઝિકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે. આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું.

સામાન્ય રીતે ઝિકા વાઇરસનો ચેપ હળવો હોય છે, અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે. પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. 

તાવ:  હળવો તાવ આવી શકે છે.

ફોલ્લીઓ:  ચામડી પર લાલ ફોલ્લીઓ હોઈ શકે છે.

સાંધામાં દુખાવો:  ખાસ કરીને હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.

સ્નાયુમાં દુખાવો:  સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.

માથાનો દુખાવો: હળવાથી મધ્યમ માથાનો દુખાવો થઈ શકે છે.

આંખમાં બળતરા: આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.

શું છે ઝિકા વાયરસ ?

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો કે, ઝિકાથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં માઇક્રોસેફાલી (માથાનું કદ ઘટે છે), જે એક મોટી ચિંતાનો વિષય છે.

ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.

June 6, 2024
cia_multi-1280x1045.jpg
1min894

સુરતના રહેવાસી અને હાલમાં અમેરીકાની મુલાકાતે ગયેલા સુનિલ શાહ નામના યુવાને અમેરીકાના ન્યુયોર્ક ખાતે વિશ્વ પ્રસિદ્ધ ટુરીસ્ટ સ્પોટ ટાઇમ સ્ક્વેર પર જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન, બિલબોર્ડસ પર ભારતના બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ ઇવેન્ટને એક્ઝિબીટ કરતું ફોટો સોંગ પ્રસારિત કરાવ્યું હતું. આ ફોટો સોંગ એકલા અમેરીકામાં જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં જ્યાં અમિતાભ બચ્ચનના ફેન્સ છે એ દરેકે દરેક દેશો અને શહેરોમાં ભારે વાઇરલ થયું છે.

જુઓ વિડીયો જેનાથી અમિતાભ બચ્ચન ભારે પ્રભાવિત થયા

https://x.com/SrBachchan/status/1798030748664135868 અમિતાભ બચ્ચનના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર પણ પોસ્ટ કર્યું છે

ખુદ અમિતાભ બચ્ચને ફેસબુકની તેમની પોસ્ટમાં સુરતના સુનિલ શાહના નામોલ્લેખ સાથે આ પ્રકારના ગેસ્ચર માટે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહને પોતાના ડેડીકેટેડ ફેન ગણાવ્યા હતા.

સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર ખાતે પોતાની ટીમ સાથે અમિતાભ બચ્ચનના સેંકડો ટી-શર્ટસ પણ અમિતાભ બચ્ચનના ફેન્સમાં વહેંચ્યા હતા. અમિતાભ બચ્ચને આ માટે તેમના ડેડીકેટેડ ફેન સુરતના સુનિલ શાહનો આભાર માનતી પોસ્ટ પોતાના ઓફિશ્યલ એક્સ (ટ્વીટર) હેન્ડલ તેમજ ફેસબુક પેજ પર મૂકી છે.

https://www.facebook.com/amitabhbachchan/videos/505475138472929 અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક ઓફિશ્યલ પેજ પર પણ આ પોસ્ટ કર્યું છે.

છેલ્લા 24 કલાકથી આ પોસ્ટ સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થઇ છે. અમિતાભ બચ્ચને સુરતના યુવાન સુનિલ શાહને પોતાની પોસ્ટમાં સ્થાન આપતા સુરતના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી છવાય ગઇ છે.

March 18, 2024
CFC-2.jpeg
1min839

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-18.13.14.jpeg
3min586

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક્ષ્પોના ઇતિહાસમાં સૌથી વધુ મેદની હાલ ચાલી રહેલા ઓટો એક્ષ્પો 2024ના પ્રથમ ત્રણ દિવસમાં ઉમટી પડી છે. ત્રણ દિવસમાં 50 હજાર પ્લસ વિઝિટર્સે ચેમ્બરના ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી. રવિવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતેના ઓટો એક્ષ્પોમાં ભીડભાડના દ્રશ્યો સોશ્યલ મિડીયા પર ભારે વાઇરલ થયા છે. સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમો પૈકી એક્સ અને ઇન્સ્ટા પર ચેમ્બરના ઓટો એક્ષ્પોના વિઝ્યુઅલ્સ ભારત અને વિદેશની અનેક કાર મેન્યુફેક્ચરીંગ કંપનીના ડાયરેક્ટર્સ અને ટોપ ઓફિશ્યલ્સે જોયા અને તેના પર કોમેન્ટ્સ પણ કરી છે. ભારતના ટોપ કાર ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ પ્રકારના ઓટો એક્ષ્પોમાં રસ પડ્યો છે જ્યાં વિઝિટર્સ ફક્ત જોવા નથી આવી રહ્યા તેઓ ખરીદી પણ કરી રહ્યા છે. ઓટો એક્ષ્પોને જે પ્રકારનું માઇલેજ સુરતમાં અને સોશ્યલ મિડીયામાંથી મળી રહ્યું છે એ જોતા 2025માં યોજાનારા ચેમ્બરના ઓટો એક્ષ્પોનું લેવલ કંઇક જુદા પ્રકારનું હશે અને સંભવ છે કે સરસાણા ડોમથી પણ વધુ જગ્યામાં બીજા હંગામી ડોમ ઉભા કરીને ઓટો એક્ષ્પો યોજવો પડે.

રવિવાર તા.17મી માર્ચે ચેમ્બર ઓફ કોમર્સના ઓટો એક્ષ્પોમાં ભારે ભીડ ઉમટી પડી

સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફરને કારણે કાર–બાઇક ખરીદવા લોકોનો અદ્‌ભૂત ધસારો

એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે, રવિવારે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું

Visitors

AUTO EXPO 2024
15/3/24 Day-1 7370 Visitors

16/3/24 Day-2 – 12730 Visitors

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ માર્કેટીંગ ઓફર આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક એકઝીબીટર્સે તેમની પ્રોડકટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફર આપતા વાહન ખરીદવા માટે લોકોનો અદ્‌ભૂત ધસારો જોવા મળી રહયો છે. એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે. રવિવારે લોકો એટલી મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા માટે આવ્યા હતા કે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું.

દરમ્યાન રવિવારે સાંજે ૪:૩૦થી ૬:૦૦ કલાક દરમ્યાન સ્ટંટ શો પણ યોજાયો હતો, જેમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

કરોડો રૂપિયાની ઇલેકટ્રીક અને હાઇબ્રીડ કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને ૬ જેટલી વીન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગઇકાલે પ્રથમ દિવસે ૭૩૭૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજરોજ બીજા દિવસે ૧ર૮૪૪ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લેતા બે દિવસમાં કુલ ર૦ર૧૪ જેટલા લોકોએ આ એક્ષ્પોની વિઝીટ કરી હતી. આવતીકાલે રવિવાર હોવાથી વિઝીટર્સનો આંકડો બમણો થવાની સંભાવના છે.

વર્ષ ૧૯ર૬માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની ટી મોડેલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે. આ કાર વિશ્વની પહેલી માસ પ્રોડકશન કાર છે. જેમાં ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કારની ડિઝાઇન ઘોડાવાળી બગ્ગી પરથી લેવામાં આવી હતી.

વર્ષ ૧૯૩૦માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની એ ફેટોન મોડેલની કાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કારમાં પણ ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કાર ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૦પ કિલોમીટરની છે.

વર્ષ ૧૯૩રમાં અમેરિકા ખાતે બનેલી હડ્‌સન એસેકસ કારને પણ પ્રદર્શન મૂકાઇ છે. ભારતમાં આ એક જ ગાડી ઉપલબ્ધ છે, જેને ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ કારની ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૧ર કિલોમીટર છે.

ભારતને જ્યારે આઝાદી મળી તે સમયે ૧૯૪૭માં અમેરિકા ખાતે બનેલી બ્યુઇક રોડમાસ્ટર પહેલી ઓટોમેટિક હાયડ્રોલિક કાર હતી. જેમાં વિન્ડો, સનરૂફ અને સીટ આગળ પાછળ થતી હતી. આ વીન્ટેજ કારમાં ૪૯૦૦ સીસીનું એન્જીન છે. આ કારની લંબાઇ ર૧ ફૂટ છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ આઠ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૩૮ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

વર્ષ ૧૯૪૮માં અમેરિકા ખાતે બનેલી ઓલ્ડ્‌સ મોબાઇલ ડાયનેમિક ૭૬ સિરીઝ વિન્ટેજ કાર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ છ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૧૧ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

આ ઉપરાંત વર્ષ ૧૯૬પમાં જર્મની ખાતે બનેલી ફોકસવેગન કંપનીની બીટલ મોડલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે, જે પ્રતિ કલાકે ૧રપ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં આ વર્ષે વોલ્વો કંપનીની XC 40 Recharge કારને લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હયુન્ડાઇ કંપનીની Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

March 18, 2024
Cia_business_news-1280x936.jpg
1min511

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નું પ્રદર્શન યોજાશે

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે, તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે

ઓટો એક્ષ્પોમાં ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા રૂ. પ લાખથી પ કરોડ સુધીની કારનું પ્રદર્શન, લોકો સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ લઇ શકશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન યોજાઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (ય્બહભ)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સ્થાન શોભાવશે.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પો ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્ષ્પો પૂરી પાડશે. આ એકઝીબીશનમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે, આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે.

મુખ્ય આકર્ષણો….
– તમારા સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ
– રૂ. પ લાખથી પ કરોડ સુધીની કાર
– ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન
– પ્રથમ વખત મોટર હોમ / વેનીટી વાન
– પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ
– ઓટો કમ્પોનન્ટ્‌સ, એકસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ
– તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન
– ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક

March 15, 2024
voting.jpg
1min593

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min452

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.

December 30, 2023
sri-ram.jpg
1min768

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.