આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી.
વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.
ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનને માત્ર 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ અને શિવમ દુબે (33 રન, 22 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સપોર્ટિંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી.
ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.
છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.
ત્યાર બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બૅટ્સમેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂંકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા.
પાકિસ્તાનને 146 રન સુધી સીમિત રખાવવામાં કુલદીપ (ચાર વિકેટ), અક્ષર (બે વિકેટ), વરુણ (બે વિકેટ), બુમરાહ (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. સાહિબઝાદા (57 રન)ની હાફ સેન્ચુરી પાણીમાં ગઈ હતી.
દિલ્હીની એક ખાનગી સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી અને બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી તે બાદથી પોલીસ આ બાબાને શોધી રહી હતી, જોકે તે આગરાની એક હોટેલમાં છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજુ કર્યો હતો. ચૈતન્યાનંદને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ૬૨ વર્ષીય આ બાબાએ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી ગરીબ વર્ગની અનેક વિદ્યાર્થિનીઓનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. વિદ્યાર્થિનીઓને બદલામાં વિદેશ મોકલવાની લાલચ આપતો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ આ બાબાની સામે પોલીસમાં જઇને ફરિયાદ કરી દીધી હતી. જે બાદથી પોલીસ તેને શોધી રહી હતી.
કોર્ટમાં જ્યારે બાબાને રજુ કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે નવા ખુલાસા થયા હતા, તપાસકર્તાઓએ કહ્યું હતું કે બાબાએ અનેક વિદ્યાર્થિનીઓને ધમકીઓ આપી હતી, વિદ્યાર્થિનીઓની અવર જવર પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા, કેટલાક કેમેરા તો બાથરૂમ સુધી લગાવાયા હતા. બીજી તરફ બાબાના વકીલે દલીલ કરી હતી કે મને પરેશાન કરવા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે. જોકે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે બાબાને કસ્ટડીમાં લેવો જરૂરી છે કેમ કે તેની પૂછપરછ કરવાની બાકી છે. બીજી તરફ બાબાને શોધવામાં પોલીસે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, કેમ કે બાબા પોતાને પીએમઓ સાથે સંકળાયેલો હોવાનું જુઠ બોલીને બચાવતો ફરતો હતો, તેણે અત્યાર સુધીમાં અનેક સ્થળો બદલ્યા હતા. જોકે અંતે પોલીસે તેને આગરાની એક હોટેલમાંથી ઝડપી પાડયો હતો.
વધુ એક મોટો નિર્ણય કરતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 1 ઓક્ટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવામાં આવશે.
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2025 થી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર 100% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ “બ્રેકિંગ ગ્રાઉન્ડ” અથવા “અંડર કન્સ્ટ્રક્શન” ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી CBSE બોર્ડ પરીક્ષાઓ 2026 માટે વિગતવાર પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે. આ વર્ષે, સેન્ટ્રલ બોર્ડે 2026ની પરીક્ષા શરૂ થવાના લગભગ પાંચ મહિના પહેલા એટલે કે 146 દિવસ પહેલા પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે.
CBSE એ 2026 ની બોર્ડ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કર્યું છે. ધોરણ 10 ની પરીક્ષાઓ તા.17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તા.18 માર્ચ 2026ના રોજ પૂરી થશે.
સેન્ટ્રલ બોર્ડની ધોરણ 12 ની પરીક્ષાઓ તા.17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તા.4 એપ્રિલ સુધી ચાલશે. બધા પેપર્સ સવારે 10:30 વાગ્યાથી શરૂથી શરૂ થશે અને પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ સમયપત્રકમાં સુધારો થઈ શકે છે.
CBSE એ એ પણ જાહેરાત કરી હતી કે આ વર્ષે અંદાજે 45 લાખ ઉમેદવારો ધોરણ 10 અને 12 બંનેમાં 204 વિષયોની પરીક્ષા આપે તેવી શક્યતા છે. આમાં ભારતભરની શાળાઓ અને વિદેશમાં 26 દેશોનો પણ સમાવેશ થશે, જ્યાં CBSE સંલગ્ન શાળાઓ ધરાવે છે.
CBSE Board Exams 2026 Class 12th Date Sheet Out: Complete schedule below
DAY & DATE
TIME
SUBJECT CODE
SUBJECT NAME
Tuesday, 17th February 2026
10:30 am – 01:30 pm
045
Biotechnology
10:30 am – 01:30 pm
066
Entrepreneurship
10:30 am – 01:30 pm
825
Shorthand (English)
10:30 am – 01:30 pm
826
Shorthand (Hindi)
Wednesday, 18th February 2026
10:30 am – 01:30 pm
048
Physical Education
Thursday, 19th February 2026
10:30 am – 01:30 pm
046
Engineering Graphics
10:30 am – 01:30 pm
057
Bharatanatyam – Dance
10:30 am – 01:30 pm
058
Kuchipudi – Dance
10:30 am – 12:30 pm
059
Odissi – Dance
10:30 am – 12:30 pm
060
Manipuri – Dance
10:30 am – 12:30 pm
061
Kathakali – Dance
10:30 am – 01:30 pm
816
Horticulture
10:30 am – 01:30 pm
823
Cost Accounting
Friday, 20th February 2026
10:30 am – 01:30 pm
042
Physics
Saturday, 21st February 2026
10:30 am – 01:30 pm
054
Business Studies
10:30 am – 01:30 pm
833
Business Administration
Monday, 23rd February 2026
10:30 am – 01:30 pm
037
Psychology
Tuesday, 24th February 2026
10:30 am – 01:30 pm
837
Fashion Studies
Wednesday, 25th February 2026
10:30 am – 01:30 pm
804
Automotive
10:30 am – 01:30 pm
817
Typography & Computer Application
Thursday, 26th February 2026
10:30 am – 01:30 pm
029
Geography
Friday, 27th February 2026
10:30 am – 01:30 pm
049
Painting
10:30 am – 01:30 pm
050
Graphics
10:30 am – 12:30 pm
051
Sculpture
10:30 am – 12:30 pm
052
Applied Art (Commercial Art)
Saturday, 28th February 2026
10:30 am – 01:30 pm
043
Chemistry
Monday, 2nd March 2026
10:30 am – 01:30 pm
003
Urdu Elective
10:30 am – 01:30 pm
022
Sanskrit Elective
10:30 am – 01:30 pm
031
Carnatic Music Vocal
10:30 am – 12:30 pm
032
Carnatic Music Mel Ins.
10:30 am – 12:30 pm
033
Carnatic Music Per. Ins. (Mridangam)
10:30 am – 01:30 pm
056
Kathak – Dance
10:30 am – 01:30 pm
303
Urdu Core
10:30 am – 01:30 pm
810
Front Office Operations
10:30 am – 01:30 pm
814
Insurance
10:30 am – 01:30 pm
818
Geospatial Technology
10:30 am – 01:30 pm
819
Electrical Technology
Tuesday, 3rd March 2026
10:30 am – 01:30 pm
074
Legal Studies
Thursday, 5th March 2026
10:30 am – 01:30 pm
835
Mass Media Studies
10:30 am – 01:30 pm
848
Design Thinking & Innovation
Friday, 6th March 2026
10:30 am – 12:30 pm
035
Hindustani Music Mel Ins.
10:30 am – 12:30 pm
036
Hindustani Music Per. Ins.
10:30 am – 01:30 pm
813
Health Care
10:30 am – 12:30 pm
830
Design
10:30 am – 01:30 pm
847
Electronics & Hardware
Saturday, 7th March 2026
10:30 am – 12:30 pm
841
Yoga
Monday, 9th March 2026
10:30 am – 01:30 pm
041
Mathematics
10:30 am – 01:30 pm
241
Applied Mathematics
Tuesday, 10th March 2026
10:30 am – 01:30 pm
809
Food Production
10:30 am – 01:30 pm
824
Office Procedures & Practices
10:30 am – 01:30 pm
836
Library & Information Science
10:30 am – 12:30 pm
842
Early Childhood Care & Education
Wednesday, 11th March 2026
10:30 am – 12:30 pm
034
Hindustani Music Vocal
Thursday, 12th March 2026
10:30 am – 01:30 pm
001
English Elective
10:30 am – 01:30 pm
301
English Core
Friday, 13th March 2026
10:30 am – 01:30 pm
806
Tourism
10:30 am – 01:30 pm
827
Air-conditioning & Refrigeration
Saturday, 14th March 2026
10:30 am – 01:30 pm
064
Home Science
Monday, 16th March 2026
10:30 am – 01:30 pm
002
Hindi Elective
10:30 am – 01:30 pm
302
Hindi Core
Tuesday, 17th March 2026
10:30 am – 01:30 pm
104
Punjabi
10:30 am – 01:30 pm
105
Bengali
10:30 am – 01:30 pm
106
Tamil
10:30 am – 01:30 pm
107
Telugu
10:30 am – 01:30 pm
108
Sindhi
10:30 am – 01:30 pm
109
Marathi
10:30 am – 01:30 pm
110
Gujarati
10:30 am – 01:30 pm
111
Manipuri
10:30 am – 01:30 pm
112
Malayalam
10:30 am – 01:30 pm
113
Odia
10:30 am – 01:30 pm
114
Assamese
10:30 am – 01:30 pm
115
Kannada
10:30 am – 01:30 pm
116
Arabic
10:30 am – 01:30 pm
117
Tibetan
10:30 am – 01:30 pm
120
German
10:30 am – 01:30 pm
121
Russian
10:30 am – 01:30 pm
123
Persian
10:30 am – 01:30 pm
124
Nepali
10:30 am – 01:30 pm
125
Limboo
10:30 am – 01:30 pm
126
Lepcha
10:30 am – 01:30 pm
189
Telugu Telangana
10:30 am – 01:30 pm
192
Bodo
10:30 am – 01:30 pm
193
Tangkhul
10:30 am – 01:30 pm
194
Japanese
10:30 am – 01:30 pm
195
Bhutia
10:30 am – 01:30 pm
196
Spanish
10:30 am – 01:30 pm
197
Kashmiri
10:30 am – 01:30 pm
198
Mizo
Wednesday, 18th March 2026
10:30 am – 01:30 pm
030
Economics
Thursday, 19th March 2026
10:30 am – 12:30 pm
845
Physical Activity Trainer
Friday, 20th March 2026
10:30 am – 01:30 pm
812
Marketing
Monday, 23rd March 2026
10:30 am – 01:30 pm
028
Political Science
Tuesday, 24th March 2026
10:30 am – 01:30 pm
807
Beauty & Wellness
10:30 am – 12:30 pm
843
Artificial Intelligence
Wednesday, 25th March 2026
10:30 am – 01:30 pm
065
Informatics Practices
10:30 am – 01:30 pm
083
Computer Science
10:30 am – 01:30 pm
802
Information Technology
Thursday, 27th March 2026
10:30 am – 01:30 pm
044
Biology
Saturday, 28th March 2026
10:30 am – 01:30 pm
055
Accountancy
Monday, 30th March 2026
10:30 am – 01:30 pm
027
History
Wednesday, 1st April 2026
10:30 am – 01:30 pm
805
Financial Market Management
10:30 am – 01:30 pm
808
Agriculture
10:30 am – 01:30 pm
828
Medical Diagnostics
10:30 am – 01:30 pm
831
Salesmanship
Thursday, 2nd April 2026
10:30 am – 01:30 pm
076
National Cadet Corps (NCC)
10:30 am – 01:30 pm
834
Food Nutrition & Dietetics
Saturday, 4th April 2026
10:30 am – 01:30 pm
039
Sociology
Monday, 6th April 2026
10:30 am – 01:30 pm
073
Knowledge Tradition & Practices of India
10:30 am – 01:30 pm
188
Bhoti
10:30 am – 01:30 pm
191
Kokborok
10:30 am – 01:30 pm
811
Banking
10:30 am – 01:30 pm
820
Electronics Technology
Tuesday, 7th April 2026
10:30 am – 01:30 pm
803
Web Application
Wednesday, 8th April 2026
10:30 am – 01:30 pm
118
French
10:30 am – 01:30 pm
801
Retail
10:30 am – 01:30 pm
822
Taxation
10:30 am – 01:30 pm
829
Textile Design
Thursday, 9th April 2026
10:30 am – 01:30 pm
322
Sanskrit Core
10:30 am – 01:30 pm
821
Multi-Media
10:30 am – 12:30 pm
844
Data Science
CBSE Board Exams 2026 Class 10th Date Sheet Out: Complete schedule below
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21/9/25 વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બાવીસમી સપ્ટેમ્બર 22/9/25ના સૂર્યોદયથી દેશ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે. આ સમગ્ર ભારતમાં GST બચત ઉત્સવની શરૂઆત છે. આ તહેવાર બચતમાં વધારો કરશે અને લોકોને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનું સરળ બનાવશે.
આ બચત ઉત્સવના લાભ ગરીબ, મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગ-સાહસિકો સુધી પહોંચશે. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને વેગ આપશે, વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે, રોકાણોને વધુ આકર્ષક બનાવશે અને ખાતરી કરશે કે દરેક રાજ્ય વિકાસની દોડમાં સમાન ભાગીદાર બને.’
ભારતે ૨૦૧૭માં GST સુધારા તરફ પ્રથમ પગલાં લીધાં હતાં જે એક જૂના પ્રકરણનો અંત અને દેશના આર્થિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત હતી એ યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દાયકાઓથી નાગરિકો અને વેપારીઓ કરવેરા – ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ, એક્સાઇઝ, વૅટ (VAT-વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને સર્વિસ ટૅક્સની જટિલ જાળમાં ફસાયેલા હતા જે દેશભરમાં ડઝનબંધ જેટલી વસૂલાત હતી. એક શહેરથી બીજા શહેરમાં માલ પરિવહન કરવા માટે અનેક ચેકપૉઇન્ટ પાર કરવા, અસંખ્ય ફૉર્મ ભરવા અને દરેક સ્થાન પર અલગ-અલગ કર-નિયમોના ચક્રવ્યૂહમાં નેવિગેટ કરવાની જરૂર હતી.’
નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે વિદેશી અખબારમાં પ્રકાશિત એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એ લેખમાં એક કંપની સામે કેટલા પડકારો હતા એનું વર્ણન કરવામાં આવેલું જેણે બૅન્ગલોરથી હૈદરાબાદ ફક્ત ૫૭૦ કિલોમીટરના અંતરે માલ મોકલવામાં એટલી મુશ્કેલી પડી કે એ બૅન્ગલોરથી યુરોપ અને પછી હૈદરાબાદ પાછો માલ મોકલવાનું પસંદ કરતી હતી.’
નવા GST દરો
નવા GST દરો લાગુ પડ્યા એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સુધારો એક સતત પ્રક્રિયા છે અને જેમ-જેમ સમય બદલાય છે અને રાષ્ટ્રીય જરૂરિયાતો બદલાય છે એમ-એમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ આવશ્યક બની જાય છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા માળખા હેઠળ ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના ટૅક્સ સ્લૅબ મુખ્યત્વે રહેશે. આનો અર્થ એ છે કે મોટા ભાગની રોજિંદા ઉપયોગની વસ્તુઓ વધુ પોસાય એવી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આરોગ્ય અને જીવન વીમો જેવી અનેક વસ્તુઓ કાં તો કરમુક્ત હશે અથવા ફક્ત પાંચ ટકા કર આકર્ષિત કરશે. અગાઉ ૧૨ ટકા કર લાગતી વસ્તુઓમાંથી ૯૯ ટકા – લગભગ બધી – હવે પાંચ ટકા કરના સ્લૅબ હેઠળ લાવવામાં આવી છે.
૨૫ કરોડ ભારતીયો
છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૫ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક મહત્ત્વપૂર્ણ નવમધ્યમ વર્ગ તરીકે ઊભરી આવ્યા છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ નવમધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ અને સપનાં છે. આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરીને કરરાહત આપી છે જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં નોંધપાત્ર સરળતા અને સુવિધા આવી છે. હવે ગરીબો અને નવમધ્યમ વર્ગને લાભ લેવાનો વારો છે. તેમને બેવડો લાભ મળી રહ્યો છે – પહેલાં આવકવેરામાં રાહત દ્વારા અને હવે ઘટાડેલા GST દ્વારા. GST દરમાં ઘટાડો થવાથી નાગરિકો માટે વ્યક્તિગત સપનાં પૂરાં કરવાં સરળ બનશે – પછી ભલે એ ઘર બનાવવાનું હોય, ટીવી કે ફ્રિજ ખરીદવાનું હોય કે પછી સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું હોય – હવે બધું જ સસ્તું થશે. મુસાફરી પણ વધુ સસ્તી બનશે, કારણ કે મોટા ભાગની હોટેલ-રૂમો પર GST ઘટાડવામાં આવ્યો છે. વેપારીઓ અને દુકાનદારો GSTના ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.’
આત્મનિર્ભરતા તરફ નક્કર કદમ
વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની જરૂર છે એના પર ભાર મૂકતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી MSMEs એટલે કે ભારતના સૂક્ષ્મ, નાના અને કુટિર ઉદ્યોગોની છે. લોકોની જે પણ જરૂરિયાત છે એ દેશમાં જ ઉત્પાદિત કરી શકાય છે અને એ સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થવું જોઈએ. ભારતનું ઉત્પાદન અને ઉત્પાદન ગુણવત્તા એક સમયે વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અને શ્રેષ્ઠ હતી. એ ગૌરવ પાછું મેળવવાની જરૂર છે. હું આશા રાખું છું કે નાના ઉદ્યોગો દ્વારા બનાવેલાં ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂરાં કરે. ભારતનું ઉત્પાદન ગૌરવ અને શ્રેષ્ઠતા સાથે તમામ માપદંડોને વટાવી જવું જોઈએ અને ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા દેશની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ધ્યેયને નજરમાં રાખીને આપણે કામ કરીએ.’
સ્વદેશી
જેમ સ્વદેશીના મંત્રે ભારતના સ્વતંત્રતા-સંગ્રામને સશક્ત બનાવ્યો એવી જ રીતે એ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફની યાત્રાને પણ ઊર્જા આપશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણી વિદેશી વસ્તુઓ અજાણતાં આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે અને નાગરિકોને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો કે તેમના ખિસ્સામાં રહેલો કાંસકો વિદેશી છે કે સ્વદેશી? આવી નિર્ભરતામાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે દેશના યુવાનોની મહેનત અને પરસેવાથી બનેલાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદો. દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવો અને દરેક દુકાનને સ્વદેશી વસ્તુઓથી સુસજ્જ કરો. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વેચું છું. આ માનસિકતા દરેક ભારતીયની બનવી જોઈએ. આવા પરિવર્તનથી ભારતના વિકાસને વેગ મળશે. હું રાજ્ય સરકારોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનોને સક્રિયપણે સમર્થન કરવાની અપીલ કરું છું જેથી તેમનાં રાજ્યોમાં સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉત્પાદનને વેગ આપી શકે અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય. મને વિશ્વાસ છે કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે, દરેક રાજ્યનો વિકાસ થશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.’
નાગરિક દેવો ભવઃ
નેક્સ્ટ જનરેશન GST સુધારાઓમાં નાગરિક દેવો ભવઃનો મંત્ર પ્રતિબિંબિત થાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આવકવેરાની રાહત અને GSTના ઘટાડાને જોડવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો ભારતના લોકો માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરશે. આ જ કારણ છે કે આને હું ‘બચત ઉત્સવ’ કહું છું.’
એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે 21/09/25 ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.
પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.
ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.
18/9/25 (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે. અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જો કે, કેન્દ્ર સરાકરે કલમ 171(2)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ 2025થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી. તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.
સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે ચાર હિસાબો નહીં, પૂરે પૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા 7 ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહીં. 12 ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને 5 ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા 7 ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી ચીજવસ્તુના નવા ઘટાડેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે.
12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીમાં જાય તો નવી ઘટાડેલી કિંમત નક્કી નીચે મુજબ કરી શકાશે 100 રૂપિયાની કિંમતની ચીજવસ્તુ પર 12 ટકા જીએસટી છે. સો ગુણ્યા બાર ભાગ્યા 112 કરતાં 10.71 રૂપિયાનો ઘટાડો આવશે. આમ 89.29 રૂપિયાની કિંમત શૂન્ય જીએસટી પર થશે. પરંતુ 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકા જીએસટીના સ્લેબમાં આવી હોય તો તેના પર 5 ટકા જીએસટી ઉમેરવાનો આવે છે. 89.29 રૂપિયાની કિંમતની વસ્તુ પર 5 ટકા જીએસટી ઉમેરતા તેમાં 4.46 રૂપિયાનો ઉમેરો થાય છે. તેથી તેની બજારમાં વેચવાની કિંમત 93.75 રૂપિયાની થાય છે.
આમ 100 રૂપિયાના ભાવની અને 12 ટકા જીએસટીની વસ્તુ 5 ટકાના સ્લેબમાં જાય તો તેના ભાવમાં 6.25નો ઘટાડો આવશે. ગ્રાહકોની ગણતરી મુજબ આ ઘટાડાડો 7 રૂપિયાનો આવવો જોઈએ તે સાચુ નથી. આ જ રીતે 100 રૂપિયાની કિંતની વસસ્તુ પર 12 ટકા જીએસટી લાગતો હતો તે વસ્તુને 18 ટકા જીએસટીમાં મૂકી દેવામાં આવી હોય તો તેને પરિણામે તેના ભાવમાં 6 ટકાનો નહીં, પરંતુ 5.39 રૂપિયાનો વધારો આવશે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકલાડિલા નેતા નહીં પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારા નેતા છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગર ખાતે થયો હતો. પાંચ ભાઈ-બહેનોમાં પીએમ મોદી સાહેબ બીજા નંબરે છે. એક ચાવાળાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધીની મોદીસાહેબની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજે આપણે અહીં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના એવા કેટલાક રોચક તથ્યો વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે.
બાળપણમાં આ હુલામણા નામથી લોકો બોલાવતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા અને પીએમ મોદીને ધોરણ 9,10 અને 11માં સંસ્કૃત ભણાવતા શિક્ષક પ્રહ્લાદ પટેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્રને નરિયા કહીને બોલાવતો હતો. આખા વર્ગમાં તેઓ ક્યારેય સાચું બોલતા નહોતા ખચકાતા. બાકીના બાળકોની જેમ તોફાની ખરા પણ તેમ છતાં તેઓ તમામ શિક્ષકોનો આદર કરતાં હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના બાળપણના મિત્ર જાસુદભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં અમે મિત્રો તેમની એનડી કહીને બોલાવડા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારી તેમની મુલાકાત થઈ અને મેં તેમને એનડી કહીને બોલાવ્યા તો તેઓ હસી પડ્યા હતા.
રાજકારણ નહીં આ ક્ષેત્રે આગળ વધવું હતું
તમને જાણીને નવાઈ લાદશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણ નહીં પણ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા હતી. પીએમ મોદીજીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બાળપણમાં તેઓ જામનગર ખાતે આવેલી સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે આવું ના થઈ શક્યું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે આરએસએસ જોઈન કરી લીધું હતું.
નાટકમાં કર્યું કામ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો અને આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા એક પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે પીએમ મોદી 13-14 વર્ષના હતા ત્યારે તેમણે શાળા માટે ભંડોળ એકઠું કરવા માટે શાળાના બાકી વિદ્યાર્થીઓ સાથે નાટકમાં ભાગ લીધો હતો અને આ નાટકનું નામ હતું પીળું ફૂલ. આ નાટક ગુજરાતી નાટક હતું.
સંન્યાસી બનવા ઘરથી ભાગ્યા
શાળાનું ભણતર પૂરું થતાં જ પીએમ મોદીજી સંન્યાસી બનવા માટે ઘરથી ભાગી ગયા હતા અને તેઓ પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત દેશની અનેક જગ્યાઓ પર ગયા હતા. હિમાચલમાં તેઓ અનેક દિવસ સુધી સાધુ-સંતો સાથે રહ્યા હતા અને એ સમયે તેમને સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તો સંન્યાસ લીધા વિના પણ કરી શકાય છે. બસ આ વાત બાદ તેઓ ગુજરાત પાછા ફર્યા અને સંન્યાસને ત્યાગવાનું નક્કી કર્યું.
પીએમ મોદીનું મનપસંદ ગીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનો ખાસ કંઈ શોખ નથી, પરંતુ તેમને લતા મંગેશકરજીના ગીતો સાંભળવાનું ખૂબ જ પસંદ છે. લતાદીદીએ ગાયેલું હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે પીએમ મોદી સાહેબનું સૌથી વધુ મનપસંદ ગીત છે.
જ્યારે સીખ બની ગયા પીએમ મોદી
જી હા, 1975માં જ્યારે ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે પીએમ મોદી યુવા અવસ્થામાં હતા અને એ સમયે તેમણે સંઘના સ્વયંસેવક હોવાને નાતે આનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસથી બચવા માટે તેમણે સરદારજીનો ગેટઅપ કર્યો હતો અને અઢી વર્ષ સુધી તેઓ આ જ રીતે પોલીસને હંફાવતા રહ્યા.
દેશના પહેલાં વડા પ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના એવા પહેલાં વડા પ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે. 2001માં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને 2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. 2019માં બીજી વખત અને 2024માં તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાએ રવિવારે મોડીરાત્રે સોશ્યલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર એક પોસ્ટ જારી કરીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આવતીકાલ તા.15મી સપ્ટેમ્બર 2025ને રાત્રે 12 વાગ્યા સુધીની રહેશે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ડ્યૂટ ડેટ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનો વાઇરલ કરાયેલો મેસેજ ફેક છે.
A fake news is in circulation stating that the due of filing ITRs (originally due on 31.07.2025, and extended to 15.09.2025) has been further extended to 30.09.2025.
✅ The due date for filing ITRs remains 15.09.2025.
નાણાકીય વર્ષ 2024 25 ના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત આજરોજ સોમવાર તારીખ 15મી સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધીની છે, સામાન્ય રીતે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત 31 જુલાઈ હોય છે આ વર્ષે આ મુદત માં દોઢ મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો છતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટમાં ડેટા અપલોડ કરવાની મુશ્કેલીના કારણે આવતીકાલ અંતિમ મુદત પછી પણ સુરતના હજારો કરદાતાઓના ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જાય તેવી સ્થિતિ છે.
Income Tax Department e-filing portal face glitches
શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટે આપેલી માહિતી મુજબ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે સુરત ગુજરાત અને નેશનલ લેવલે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અવધીમાં દોઢ મહિનો વધાર્યા પછી પણ હજારો રિટર્ન ભરવાના બાકી રહી જાય તેમ છે. આ પરિસ્થિતિ માટે ટેક્સ કન્સલ્ટન્ટો કે ચાર્ટર્ડ એકાઉન્ટો કે કરદાતા કોઈનો વાંક નથી પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રિટર્ન ફાઇલ કરવાની વેબસાઈટ અત્યંત ધીમી ચાલી રહી હોવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. કર દાતાઓના ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સ્થાનિક સ્તરેથી બધી જ તૈયારીઓ છે પરંતુ રિટર્ન ના ડેટા અપલોડ થઈ શકતા નથી.
આઈટી રિટર્ન ફાઈલ કરવાની અવધી લંબાવવા માટે ક્યારની રજૂઆતો કરી દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે આખરી મુદત આડે ફક્ત 24 કલાક બાકી રહ્યા છે ત્યારે ફરી સરકારને અપીલ કરવામાં આવી છે કે વેબસાઈટમાં ધાંધિયાના કારણે સુરત સમય રાજ્યમાંથી હજારો એક્સપાયર ના રિટર્ન ફાઇલ કરવાના બાકી રહી જશે અને લેટ રિટર્ન ફાઇલિંગ પેટે ₹5,000 ની પેનલ્ટી લાગશે, કર દાતાઓને આ પ્રકારે ખોટી પેનલ્ટી કરી શકાય નહીં એ માટે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે અવધી વધારે આપવા તેમજ it ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે છેલ્લી ઘડીની રજૂઆતો કરવામાં આવી રહી છે.
What is Penalty?
According to Income Tax rules, a penalty of up to Rs 5,000 can be imposed on belated ITR. If your taxable income is less than Rs 5 lakh, then the penalty will be Rs 1,000. Apart from this, you will also have to pay interest under section 234A, 234B and 234C on delay.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.