CIA ALERT

ઇન્ડીયા Archives - Page 13 of 209 - CIA Live

June 4, 2025
rcb.jpg
3min179

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.

કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’

પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સની ઈનિંગ (184 રન / 7 વિકેટ – 20 ઓવર)

1) પ્રિયાંશ આર્ય (24 રન – 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન – 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન – 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન – 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન – 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન – 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 રન – 2 બોલ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ – 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

1) ફિલ સોલ્ટ (16 રન – 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન – 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન – 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન – 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન – 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન – 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન – 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન – 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી હતી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન સ્ટેજ પર

IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.

છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.

June 2, 2025
SS_Logo_Red-1280x986.png
3min171

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.

રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય – ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

JoSAA Counselling 2025: 3/6/25 to 12/6/25

The Joint Entrance Examinations (JEE) Advanced results 2025 have been released on the official website, jeeadv.ac.in. Following the release of the result, the Joint Seat Allocation Authority (JoSAA) counselling will start tomorrow, on June 3, 2025, at 5 PM. All candidates who have qualified the JEE Advanced are eligible to participate in the seat allocation process for admission to Indian Institutes of Technology (IITs), National Institute of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs), and other Government Funded Technical Institutes (GFTIs).

The registration and choice-filling window will remain open till June 12, 2025, on the official website — josaa.nic.in. Candidates are required to complete the registration, fill in their preferred institute choices, and lock them before the deadline. On June 9, 2025, the mock seat allocation 1 list will be displayed based on the choices filled by the candidates. Mock seat allocation 2 list will be displayed on June 11, 2025.

JoSAA Counselling 2025: Steps to register
Candidates can follow the steps mentioned here to apply for the JoSAA Counselling 2025:

Visit the official website: josaa.nic.in.

Click on the link for JoSAA Counselling 2025 registration.
Enter JEE Main/Advanced credentials and complete the registration.
Log in to your account and fill out the application form.
Select and prioritize institute/course choices.
Submit the form and download a copy for future reference.

Candidates must ensure all personal and academic details are accurately filled out during registration. Choice filling must be completed before the last date; preferences can influence seat allotment results.

Candidates are advised to stay in touch with the official website to get the complete details of the JoSAA counselling 2025.

June 2, 2025
IPL-25-Final.png
1min224

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

May 31, 2025
passport-police-verification.jpg
1min267

ભારત સરકાર દ્વારા હવે પાસપોર્ટ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે ઈ-પાસપોર્ટ, સિક્યોરિટી ફીચર્સ અને એપ્લિકેશન પ્રોસેસમાં બદલાવ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં પાસપોર્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે.

ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આરએફઆઈડી ચિપ લગાવવામાં આવે છે. આને કારણે તમારો બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રહે છે. ડિજિટલ ટેક્નિકથી આઈડેન્ટિટી ચોરી અને છેતરપિંડી થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ ઈ-પાસપોર્ટની શરૂઆત ગોવા અને રાંચી જેવા શહેરોમાં તો આની શરૂઆત કરી દેવામાં આવી છે.

અત્યાર સુધી પાસપોર્ટ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ચાલતું હતું, કારણ કે તેના પર તમારું રેસિડેન્શિયલ એડ્રેસ છાપવામાં આવતું હતું, પરંતુ હવે પાસપોર્ટમાંથી એડ્રેસ ગાયબ થશે અને તેની જગ્યાએ બારકોડ જોવા મળશે. બારકોડથી ઓફિશિયલ ઈમિગ્રેશન ઓફિસર તમારા એડ્રસની માહિતી જાણી શકશે. જેને કારણે પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.

નવી સિસ્ટમ પ્રમાણે હવે પાસપોર્ટમાં માતા-પિતાના નામ નહીં જોવા મળે. આ બદલાવ એવા લોકો માટે ખૂબ જ કામનું સાબિત થશે, જેમની પારિવારિક સંરચના પારંપારિક નથી, જેમ કે સિંગલ પેરેન્ટ્સ, ડિવોર્સ કે બીજા કોઈ પરિસ્થિતિ. આ પગલું અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.

ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત
જી હા, પહેલી ઓક્ટોબર, 2023 બાદ જન્મેલા લોકો માટે પાસપોર્ટ એપ્લાય કરવા માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. અધિકૃત રજિસ્ટ્રાર દ્વારા જારી કરવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ વેલિડ ગણાશે. આ પહેલાં જન્મેલા લોકો માટે બીજા વૈકલ્પિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, પેન અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ પણ માન્ય ગણાશે.

ભારત સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 2030 સુધી દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકોને નજીકના કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત સુવિધાઓ મળી શકે. આ પગલું દેશભરમાં પાસપોર્ટ સુવિધાની પહોંચ અને દક્ષતાને વધારવાની દિશામાં લેવામાં આવ્યું છે.

May 28, 2025
itr.jpg
1min126

દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે.

સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ભરનારા માટે અંતિમ તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએક ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનની કામગીરીને કારણે તારીખ લંબાવી છે.

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફત કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે સીબીડીટીએ આઈટીઆર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. હવે 31 જુલાઈના બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધી તારીખ લંબાવી છે. સરકારે નવી તારીખ લંબાવવા પાછળનો આશય ખાસ કરીને આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએસ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનનો સમાવેશ થાય છે.

31 જુલાઈ, 2025 સુધીમાં આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન લાગુ પડતી હોય છે, જેમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને તમામ પ્રકારના કરદાતાનો પણ સમાવેશ થાય છે, જેમના ખાતાનું ઓડિટ કરવાનું જરુરી હોતું નથી. હવે કર્મચારીઓને તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વધુ 46 દિવસ મળશે. જો અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરો તો 5,000 રુપિયા સુધીનો દંડ થશે.

May 27, 2025
SS_Logo_Red-1280x986.png
2min284

ભવિષ્યમાં પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત બનાવવાના કેન્દ્રના ઇરાદાનું પાલન કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તમામ સંલગ્ન શાળાઓને પૂર્વપ્રાથમિકથી ધો.5 સુધીના વિદ્યાર્થીઓની માતૃભાષામાં શિક્ષણ આપવા માટેનું આયોજન કરવા અને ઉનાળાના વેકેશનના અંત પહેલા તે મુજબ સૂચનાત્મક સામગ્રી ગોઠવવા જણાવ્યું છે.

હાલમાં, દેશભરની CBSE શાળાઓમાં પ્રાથમિક વર્ગોમાં અંગ્રેજી ભાષાનું જ પ્રભુત્વ છે. સીબીએસઈ એ સૌથી મોટું રાષ્ટ્રીય સ્કૂલ બોર્ડ છે જેની સાથે 30,000 થી વધુ શાળાઓ જોડાયેલી છે.

CBSE પરિપત્ર જણાવે છે કે પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 2 સુધીનું શિક્ષણ જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ‘ફાઉન્ડેશનલ સ્ટેજ’ કહેવામાં આવે છે – આ તબક્કામાં શિક્ષણ બાળકની માતૃભાષા અથવા પરિચિત પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ. આ ભાષા, જેને ‘R1’ તરીકે ઓળખવામાં આવે છે, તે આદર્શ રીતે માતૃભાષા હોવી જોઈએ. જો તે વ્યવહારુ ન હોય, તો તે રાજ્ય ભાષા બની શકે છે, જ્યાં સુધી તે બાળકને પરિચિત હોય, પરિપત્રમાં ઉમેર્યું છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 3 થી 5 માટે વિદ્યાર્થીઓ R1 (માતૃભાષા/પરિચિત પ્રાદેશિક ભાષા) માં શીખવાનું જારી રાખી શકે છે, અથવા તેમને R1 (એટલે ​​કે, R2) સિવાયના માધ્યમમાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે.

22 મેના પરિપત્રમાં જણાવાયું છે કે માતૃભાષામાં શિક્ષણ “જુલાઈથી શરૂ થઈ શકે છે”, પરંતુ યોગ્ય રીતે અમલ કરવા માટે શાળાઓને આ બદલાવ માટે પોતાની વ્યવસ્થા અનુસાર કાર્ય કરવાની ફ્લેક્સીબિલીટી પણ આપી છે.

ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે જ્યારે CBSE એ સૂચવ્યું છે કે તે તેની એફિલિયેટેડ શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે. અત્યાર સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની બાબતને બોર્ડ ફક્ત સલાહકાર પરિપત્રો દ્વારા તેના ઉપયોગને પ્રોત્સાહન આપતું હતું.

NEP 2020 અને NCFSE 2023 બંને પ્રાથમિક શિક્ષણમાં, ખાસ કરીને ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે પાયાના તબક્કે, આઠ વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપવા માટે માતૃભાષાનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. “બાળકો તેમની માતૃભાષામાં કલ્પનાઓ, વિચારોને સૌથી ઝડપથી અને ઊંડાણપૂર્વક શીખી શકે છે, તેથી શિક્ષણનું પ્રાથમિક માધ્યમ શ્રેષ્ઠ રીતે બાળકની માતૃભાષા/માતૃભાષા/પારિવારિક ભાષા હશે,” NCFSE 2023 જણાવે છે.

CBSE ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ મુખ્યત્વે બે ભાષાઓ અને ગણિતનો અભ્યાસ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે પરિપત્રનો અર્થ એ છે કે આ વર્ગોમાં ગણિતનું શિક્ષણ હવે માતૃભાષા અથવા પરિચિત પ્રાદેશિક ભાષામાં હોઈ શકે છે.

આ તબક્કે, વિદ્યાર્થીઓને બે બોલાતી ભાષાઓ – R1 અને R2 (R1 સિવાયની ભાષા) – થી પરિચિત કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે – પરિપત્ર જણાવે છે. શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે NCERT ના ધોરણ 1 અને 2 માટેના પાઠ્યપુસ્તકો 22 ભારતીય ભાષાઓમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, અને ઉચ્ચ વર્ગો માટેના પાઠ્યપુસ્તકોનું ભાષાંતર કરવામાં આવી રહ્યું છે.

આ પરિપત્રમાં બધી શાળાઓને મે મહિનાના અંત સુધીમાં ‘NCF અમલીકરણ સમિતિ’ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આ સમિતિ વિદ્યાર્થીઓની માતૃભાષાઓનો નકશો બનાવશે, ભાષા સંસાધનોને સંરેખિત કરશે અને અભ્યાસક્રમમાં ગોઠવણોનું માર્ગદર્શન આપશે. શાળાઓને ભાષા મેપિંગ કવાયત વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

“ઉનાળાના વેકેશનના અંત સુધીમાં, શાળાઓએ અભ્યાસક્રમ અને શિક્ષણ સામગ્રીનું પુનર્ગઠન કરવું જોઈએ જેથી R1 નો MoI (શિક્ષણનું માધ્યમ) તરીકે ઉપયોગ થાય, અને યોગ્ય તબક્કે R2 નો માળખાગત પરિચય સુનિશ્ચિત થાય. અમલીકરણ શરૂ થાય તે પહેલાં શિક્ષક ઓરિએન્ટેશન અને તાલીમ વર્કશોપ પણ પૂર્ણ કરવા જોઈએ, જેમાં બહુભાષી શિક્ષણશાસ્ત્ર, વર્ગખંડની વ્યૂહરચનાઓ અને ભાષા-સંવેદનશીલ મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે,” પરિપત્રમાં કહેવામાં આવ્યું છે.

આ વર્ષે જુલાઈથી અમલીકરણ શરૂ થઈ શકે છે, પરંતુ પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે શાળાઓને સંક્રમણ માટે સમયની જરૂર હોય છે તેઓ સંસાધનો ઉપલબ્ધ થાય, શિક્ષકો ફાળવવામાં આવે અને અભ્યાસક્રમ ફરીથી ગોઠવવામાં આવે તેની ખાતરી કરવા માટે વધારાનો સમય મેળવી શકે છે. “જોકે, અમલીકરણમાં અતિશય વિલંબ ન થાય તેની કાળજી લેવી જોઈએ,” તે કહે છે.

સીબીએસઈએ શાળાઓને જુલાઈથી માસિક પ્રગતિ અહેવાલો સબમિટ કરવા જણાવ્યું છે. “સહાય અને માર્ગદર્શન માટે શૈક્ષણિક નિરીક્ષકો દ્વારા શાળાઓની મુલાકાત પણ લઈ શકાય છે,” પરિપત્રમાં જણાવાયું છે.

આ પરિપત્ર શાળાઓ ભાષા શિક્ષણ માટે પ્રયાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે છે તે દર્શાવતા, CBSE અધિકારીએ કહ્યું કે તેઓએ તેમના સંસાધનો એકત્રિત કરવાનું શરૂ કરવાનું છે, અને જો તેમને વધારાના સમયની જરૂર હોય તો સમયમર્યાદા સૂચવવી પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે, વધુ સંસાધનો ધરાવતી શાળાઓને અવરોધોનો સામનો કરવો પડવાની અપેક્ષા નથી, પરંતુ નાની શાળાઓને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે.

દરમિયાન, શિક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે NCFSE વિદ્યાર્થીઓને માતૃભાષામાં શીખવાનો વિકલ્પ આપવાનું કહે છે, અને CBSE પરિપત્ર તે દિશામાં એક શરૂઆત દર્શાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મેપિંગ નક્કી કરશે કે શાળામાં કઈ ભાષાઓ શીખવવામાં આવે છે.

દરમિયાન, ડીએલએફ ફાઉન્ડેશન સ્કૂલ્સના ચેરપર્સન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિતા મુલ્લા વટ્ટલે સીબીએસઈના સૂચનોના અમલીકરણમાં શાળાઓને સામનો કરવો પડી શકે તેવા પડકારો તરફ ધ્યાન દોર્યું.

પડકાર

“એક જ R1 પસંદ કરવાનું મુશ્કેલ બની શકે છે. જો તેમની માતૃભાષા પસંદ ન કરવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને અલગ પડી જવાનો અનુભવ થઈ શકે છે. કદાચ સુવિધા ખાતર, માતા-પિતા કહી શકે છે કે ચાલો હિન્દી સાથે ચાલુ રાખીએ, જોકે આપણી માતૃભાષા અલગ છે. પરિવારો પણ અંગ્રેજી-માધ્યમ શિક્ષણ પસંદ કરી શકે છે. ઘરની આકાંક્ષાઓ અને શાળા નીતિઓ વચ્ચે સંઘર્ષ હોઈ શકે છે. માતૃભાષા તરફ સંક્રમણ ધીમે ધીમે અને સારી રીતે સમર્થિત હોવું જોઈએ. ઉપરાંત, જો વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ હોય તો વર્ગખંડો કેવી રીતે ગોઠવવા જોઈએ

“ઉદાહરણ તરીકે, ગુડગાંવમાં ખાસ કરીને મોબાઇલ વસ્તી છે. બધા રાજ્યોમાંથી યુવાનો આવી રહ્યા છે, અને ગુડગાંવમાં વિવિધ ભાષાઓ છે. વિદ્યાર્થીની ભાષાકીય પ્રોફાઇલ મેળવવી પોતે જ મુશ્કેલ હોઈ શકે છે – માતાપિતાએ તેઓ શું બોલે છે તે જાહેર કરવું પડશે, ક્યારેક માતાપિતા ઘરે માતૃભાષા બોલતા ન પણ હોય. શહેરી વિસ્તારોમાં, તમારી પાસે મિશ્ર ભાષાના વર્ગખંડો છે અને અમારા સંસાધનો મર્યાદિત છે. આપણે એવા શિક્ષકોની ભરતી કરવી પડશે જેઓ ફક્ત ભાષા જ નહીં પણ તે ભાષામાં કેવી રીતે શીખવવું તે પણ જાણે છે. આપણે માતાપિતા સાથે વાતચીત કરવી પડશે, અને આના તર્કને સમજાવવા માટે એક અભિગમ રાખવો પડશે.

May 26, 2025
monsoon.jpg
1min122

કેરળમાં આ વખતે 24 મેના રોજ ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં ભારતમાં પ્રવેશતું ચોમાસું નક્કી તારીખથી 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું હતું. જોકે હવે હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે કહ્યું કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.  

મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 

May 26, 2025
4th-largest-economy.png
1min129

  • નીતિ આયોગના સીઈઓએ આંકડા જાહેર કર્યા
  • પાંચમા ક્રમે પહોંચી ગયેલા જાપાનના ૪.૧૮૬ લાખ કરોડ ડોલરના જીડીપી સામે ભારતનો જીડીપી ૪.૧૮૭ લાખ કરોડ ડોલર
  • અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે

ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.

‘નીતિ આયોગ’ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.

આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.

નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.

ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.

ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.

આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.

જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.

May 23, 2025
supreme.jpg
1min151
  • ઇડીની કાર્યવાહી અસંગત અને ગેરબંધારણીય: મુખ્ય ન્યાયાધીશ ગવઈ
  • ઇડીએ રાજકીય બદલો લેવા કાર્યવાહી કર્યાનો તમિલનાડુ સરકારનો આરોપ

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોઓપરેશનના રૂ. ૧,૦૦૦ કરોડના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા અસ્થાયી રીતે અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, ઈડી તમામ હદો પાર કરી રહી છે. તપાસ એજન્સી સંઘીય માળખાનો ભંગ કરી રહી છે. સુપ્રીમે સવાલ કર્યો હતો કે, તપાસ એજન્સી કોર્પોરેશન વિરુદ્ધ ગૂનો નોંધી કેસ કેવી રીતે શકે?

તમિલનાડુની સરકારી દારૂ કંપની તસમાક (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા પર સુપ્રીમ કોર્ટે અસ્થાયી રીતે સ્ટે મૂકી દીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કેન્દ્રીય એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે, ઈડીની કાર્યવાહી અસંગત અને સંભવતઃ ગેરબંધારણીય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. સુપ્રીમે એવો પણ સવાલ કર્યો હતો કે, સરકારી એજન્સી રાજ્ય સરકારના એકમ પર દરોડો કેવી રીતે પાડી શકે?

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ઈડીએ રાજ્ય સરકારના નિગમને નિશાન બનાવીને બધી જ હદો પાર કરી દીધી છે અને સંઘીય માળખાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં કરેલી અરજી પછી આ આદેશ આપ્યો છે.

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તસમાકના કથિત રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને મંજૂરી આપી હતી. ઈડીએ તમિલનાડુમાં રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં ડિસ્ટિલરીએ દારૂના પૂરવઠાનો ઓર્ડર મેળવવા માટે અસાધારણ રોકડ આપી હોવાનો દાવો કર્યો છે. જોકે, તમિલનાડુ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકાર અને તસમાકે રાજ્યમાં દારૂની દુકાનોને લાઈસન્સ આપવામાં કથિત ગેરરીતિઓ સામે ફોજદારી કાર્યવાહી કરતાં પગલાં લીધા છે. વર્ષ ૨૦૧૪થી દારૂની દુકાનના લાઈસન્સની ફાળવણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકારે ૪૧ એફઆઈઆર નોંધી છે અને હવે આ કેસમાં ઈડી કૂદી પડી અને તસમાક પર દરોડા પાડયા હતા.

તમિલનાડુ સરકારે તાસમેક પર ઈડીના દરોડા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું કે, તે કેન્દ્રીય એજન્સીની શક્તિઓનું અતિક્રમણ અને બંધારણનો ભંગ છે. તમિલનાડુએ ઈડી પર રાજકીય બદલો લેવાનો પણ આરોપ મૂક્યો હતો અને ઈડીના દરોડાને ગેરકાયદે ગણાવ્યા હતા. તમિલનાડુ સરકાર અને તસમાકે દલીલ કરી કે ઈડી તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈ રહી છે. મહિલા કર્મચારીઓ સહિત તસમાકના અધિકારીઓ અને કર્મચારીઓએ પજવણીનો સામનો કરવો પડયો. તલાશી સમયે લાંબા સમય સુધી તેમની અટકાયત કરાયેલી હતી. તેમના ફોન અને પર્સનલ ડિવાઈસ જપ્ત કરી લેવાયા હતા.

ઈડી દોષ સાબિત કરી શકતી નથી, આરોપીઓને ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય : સુપ્રીમનો સવાલ

દેશમાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને દોષિત ઠેરવી સજા કરાવવાની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કન્વિક્શન રેટ એટલે કે આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાવવાનો દર માત્ર એક ટકા છે તેમ કેન્દ્ર સરકારે જ સંસદને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે ઈડી આરોપીઓને દોષિત સાબિત કરી શકતી નથી તો તેમને કેટલો લાંબો સમય સુધી જેલમાં ગોંધી રાખી શકાય ?

દેશમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ કરતી તપાસ એજન્સી ઈડી સરકારનો રાજકીય હાથો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપ કરતો હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોને દોષિત ઠેરવવાની સફળતાનો ઈડીનો દર માત્ર એક ટકા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના ૧૦ વર્ષમાં ઈડીએ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો વિરુદ્ધ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં ઈડી આરોપીઓને સજા અપાવી શકી છે. આ ૧૯૩ કેસોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૩૮ કેસ છેલ્લા પાંચ વર્ષમાં જ નોંધાયા છે. આ માહિતી કેન્દ્ર સરકારે પોતે જ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં આપી હતી. ઈડીના અત્યંત ખરાબ કન્વિક્શન રેટ અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે ઈડીને ગુણવત્તાપૂર્ણ કાર્યવાહીની સલાહ આપી હતી. વધુમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ આવતા આરોપીઓને ટ્રાયલ વિના જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા હોય છે ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીની જામીન અરજીની સુનાવણી સમયે પણ સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવી હતી. સુપ્રીમે ટ્રાયલ વિના લાંબા સમય સુધી આરોપીઓને જેલમાં રાખવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ઈડી આરોપીઓ સામેના દોષ સાબિત કરી શકતી નથી તો તેમને ટ્રાયલ વિના ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય?

May 17, 2025
image-7.png
1min140

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.

નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.

જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.

દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

જુલિયન વેબર (જર્મની) – 91.06 મીટર
નીરજ ચોપરા (ભારત) – 90.23 મીટર
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 85.64 મીટર
કેશોર્ન વોલ્કોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 84.65 મીટર
મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત) – 79.42 મીટર
ઓલિવર હેલૈન્ડર (ફિનલેન્ડ) – 79.61 મીટર
જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 79.06 મીટર
કિશોર જેના (ભારત)- 78.60 મીટર
જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મીટર
રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મીટર
મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મીટર
ચોપરાના ટોચના પાંચ થ્રો

89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022