CIA ALERT

ગુજરાત Archives - Page 157 of 158 - CIA Live

May 22, 2018
c9.jpg
2min15020
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટૂડો આઠ દિવસનાં ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. તેઓ આ પ્રવાસ પર પોતાના પરિવાર સાથે આવ્યા હતા. પીએમ જસ્ટિનનાં સૌથી નાનો દીકરો હૈડ્રિન હાલ સોશ્યલ મિડીયા પર છવાઈ ગયો છે. વિશ્વભરના લોકોને આ બાળક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સાબરમતિ આશ્રમમાં અને ગાંધીનગર અક્ષરધામમાં તેઓ કુર્તા પાયજામામાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. ટ્વિટર પર ઘણાં બધા લોકોએ તેમની સરખામણી કરીના કપૂર અને સૈફ અલીખાનના દિકરા તૈમુર સાથે પણ કરી છે.
જુઓ ક્યુટેસ્ટ કીડ ઓફ ધ વર્લ્ડ હૈડ્રિનની કેટલીક તસ્વીરો જ્યારે એ ગુજરાતમાં સાબરમતિ આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે લેવામાં આવી હતી.
May 22, 2018
ausi_india.jpg
1min14150

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
kerosene-l.jpg
1min14650

રાજ્યના તમામ મહાનગરોમાં આગામી તા. ૧લી સપ્ટેમ્બરથી એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે અને તમામ એપીએલ કાર્ડધારકોને તા. ૧લી સપ્ટેમ્બર પહેલા પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકિદ કરવામાં આવી છે.

અંત્યોદય અને બીપીએલના કાર્ડધારકોને પણ મે મહિનાથી સબસિડીના ધોરણે ગેસ જોડાણની સહાય યોજના અમલમાં મુકાઈ છે. જેમાં સરકાર કે ઉજ્જવલા યોજનાનો બન્ને તબક્કામાં જોડાણ ન મળ્યા હોય તેવા અંત્યોદક તે બીપીએલ પરિવારની મહિલાની પ્રથમ પસંદગી અને તે ના હોય તો પુરુષની પસંદગી કરીને તેમને રૂ. ૧૬૦૦ની જોડાણ માટેની સબસિડી અપાશે. રાજ્યમાં પહેલા તબક્કામાં ૧૨.૬૦ લાખ ગેસ જોડાણ આપી દીધા છે. કેરોસીનના બદલે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ વિભાગ દ્વારા જણાવાયું છે.

રેશનિંગના ગ્રાહકોને ક્રમશ: અનાજ અને કેરોસીન વિગેરે બંધ કરવાની રાષ્ટ્રીય નીતિના ભાગરૂપે રાજ્યમાં આઠ મહાનગરોના એપીએલ (એબોવ પોવર્ટી લાઈન) કાર્ડધારકોને આગામી તા.૧લી સપ્ટેમ્બરથી કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. તે પૂર્વે એપીએલ કાર્ડધારકોને તેમના ખર્ચે પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકીદ કરાઈ છે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં પણ છ માસમાં એપીએલના કાર્ડધારકોને કેરોસીન બંધ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જાહેર વિતરણના કેરોસીનમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરોમાં એપીએલને અપાતો રેશનકાર્ડ પરનો જથ્થો બંધ કરવામાં આવશે. આ ગ્રાહકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવશે. જેમાં જૂનથી ઓગસ્ટ મહિના સુધીના ગાળામાં પોતાના ખર્ચે એલપીજી કે પીએનજી જોડાણ મેળવી લેવાનું રહેશે. ૧-૯-૨૦૧૮થી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર વિતરણનું કેરોસીન એપીએલ કાર્ડધારકોને બંધ કરાશે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં ૩૦ નવેમ્બર સુધીમાં પીએનજી કે એલપીજી જોડાણ તેવી જ રીતે લેવાનું કહેવામાં આવશે અને ૧ ડિસેમ્બરથી એપીએલનું કેરોસીન બંધ કરાશે. એપીએલમાં હાલ વ્યક્તિદીઠ બે લિટર અને મહત્તમ ચાર લિટર કેરોસીન અપાય છે.

May 21, 2018
Ahmedabad-airport.png
1min13900

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.

દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.

ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.

હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.

લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

May 19, 2018
IMG_20180518_180029.jpg
1min13420

તા.1લી જૂન 2018ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટીના અમલીકરણને એક
વર્ષ પૂરું થઇ રહ્યું છે. એક વર્ષ પહેલા જીએસટીનો જે ઢાંચો હતો તેની સિકલ તો બદલાઇ ચૂકી છે પરંતુ, દર મહિનાની 4થી તારીખે
મળતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દર વખતે નવા નવા સુધારાઓ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં
જીએસટીનું સચોટ અર્થઘટન કરે તેવા કોઇ નિષ્ણાંત આખા ભારતમાં મળી શકે તેમ નથી. ટ્રાયલ એન્ડ એરર એટલે ભૂલો કરો, પ્રયત્ન
કરો, ફરી બદલી કાઢો આવી નીતિને કારણે જીએસટી જેટલું ટીકાપાત્ર આ દેશમાં કોઇ થયું નથી.

 

છેલ્લા બે દિવસથી એટલે કે તારીખ 17 મે અને તા.18મી મે ના રોજ આખા દેશના ટેક્સ કન્સલ્ટન્ટ અકળાય ઉઠ્યા હતા કેમકે જીએસટીની વેબસાઇટ ન તો ચાલી રહી હતી ન તો બંધ હતી. એક તરફ જીએસટી માટેની વેબસાઇટ પર એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ગાણું ગાઇ વગાડીને બજાવવામાં આવે છે કે તેમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે બીજીતરફ જીએસટીની સાઇટ પર રિટર્ન્સ ફાઇલ કરવા મથામણ કરતા કન્સલ્ટન્ટ આખો દિવસ માટે કમ્પ્યુટર કે લેપ્ટોપ સામે બેસી રહે છે પણ એક પણ રિટર્ન ફાઇલ થતું નથી.

May 19, 2018
ms-1280x553.jpg
1min14080

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ચેતન શાહના સનસનીખેજ આરોપોને પગલે સ્થાનિક વિક્રેતાઓના પાપે મર્સીડીઝ કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ.

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન ચેતન શાહે અમદાવાદ અને સુરતમાં મર્સીડીઝ કારના વિક્રેતા મે. લેન્ડમાર્ક કાર્સ પ્રા.લિ. અને બેંચમાર્ક કાર્સ પાસેથી ઇ-250 મોડેલની કાર ખરીદી હતી. આ કારની ખરીદી વખતે તેમને જૂની તારીખે મેન્યુફેક્ચરર્ડ થયેલી કારની તારીખ સાથે છેડછાડ કરીને નવું મોડેલ બતાવીને તેમને વેચી મારવામાં આવી છે. ચેતન શાહે મર્સીડીઝ કારના અમદાવાદ અને સુરતના વિક્રેતાઓ દ્વારા કરાયેલા આ ખેલ સામે કાયદેસરની કાર્યવાહી, કોર્ટ કેસ તો કર્યા જ છે પરંતુ, અન્ય ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપીંડી ન થાય તે માટે પણ તેમણે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ હાથ ધરી છે.

મર્સીડીઝ કાર ફ્રોડ ના નામે ફેસબુક પર એક આઇ.ડી. પણ બનાવવામાં આવ્યું છે અને એ પેજ પર પણ મર્સીડીઝ કારના અમદાવાદના વિક્રેતા લેન્ડમાર્ક કાર્સ અને સુરતના બેંચમાર્ક કાર્સ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગેની સિલસિલાબદ્ધ વિગતો પ્રકાશિત કરવામાં આવી છે.

જોકે, મર્સીડીઝ કાર્સના વિક્રેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નથી આ બાબતે રદીયો આપવામાં આવ્યો.


May 9, 2018
2018_5large_2333.jpeg
1min12430

પાલિકાની સિટીબસે સોમવારે વેસુ પાસે અત્યંત ગંભીર અકસ્માત સર્જ્યો હતો, બીઆરટીએસની લેનમાંથી નીકળતી વખતે બસના ડ્રાઇવરે ઝડપને બિલકુલ કંટ્રોલ કરી નહતી. એવામાં જંકશન ઉપર રોડ ક્રોસ કરતાં બાઈકસવારને અડફેટમાં લીધો હતો. બહેનને પાછળ બેસાડીને જતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી બહેન ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેની પણ હોસ્પિટલમાં હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યુ હતું.

May 9, 2018
2018_5large_Tithal.jpg
1min11950

તિથલ બીચ ઉપર અંધારામાં લવર્સ પોઈન્ટ બનાવવા માટે ખૂબ ચોંકાવનારો ખેલ કરાયો છે. થોડા મહિનાઓ પહેલાં જ તિથલ બીચ ઉપર બીચ ફેસ્ટિવલની ઉજવણી વખતે ટુરિઝમ વિભાગે બીચ ઉપર સોલાર એનર્જીથી ચાલતી લાઈટ્સ લગાવી હતી. થોડા મહિના લાઈટ ચાલી પણ હતી અને હજુ ચાલતી હતી પરંતુ હમણાં જ આ સોલાર લાઈટ કોઈ ચોરી ગયું હતું. આનેલીધે બીચ ઉપર ફરી સૂર્યાસ્ત પછી અંધકાર ફેલાવા માંડ્યો છે.

May 9, 2018
2018_5large_heatwave5.jpg
1min12430

– 44.1 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર
– ઉત્તર ભારતમાં મેના પ્રારંભમાં જ કાળઝાળ ગરમી
– રાજસ્થાનમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો