CIA ALERT

ગુજરાત Archives - Page 157 of 158 - CIA Live

May 22, 2018
monsoon.jpg
1min14230

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું 15મી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે 29મી મેના રોજ ચોમાસુ બેસશે. જ્યારે સામાન્ય રીતે તે બીજી જૂને બેસતું હોય છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનો પારો 42 ડિગ્રીની ઉફર રહેશે અને કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. અરબી સમુદ્રમાં વરસાદની પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને વાવાઝોડા સક્રીય થઈ રહ્યાં છે ત્યારે આગામી 48 કલાકમાં જ વાવાઝોડું સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ગરમીનો કહેર વધે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ તાપમાન 42 ડિગ્રીથી 44.5 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેને પગલે અમદાવાદમાં યલ્લો-ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને ગરમીમાં વધુને વધુ પાણી પીવા સલાહ આપવામાં આવી છે.

May 22, 2018
bitcoin_1.jpg
1min13610

– CID ગુજરાતની ટીમે વધુ એક FIR દર્જ કરી : સુરતીઓનું ‘રોકાણ’ પડાવનાર 3 પૈકીના ધવલ અને સાગરિત પીયૂષને ગોંધી રાખી બિટકોઈન અને રોકડ પડાવી લીધા હતા

– પિયુષ અને ધવલને ફાર્મહાઉસમાં રાખી રિવોલ્વર બતાવીને 2,200 રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા બિટકોઈન પડાવી લેવાયાં હતાં

આખરે, સુરતમાં ધવલ અને પિયૂષનું અપહરણ કરી, ગોંધી રાખી, રિવોલ્વર બતાવીને 155 કરોડની બિટકોઈન ખંડણીને કેસના ‘સૂત્રધાર’ તરીકે શૈલેષ ભટ્ટ સામે CIDએ ફરિયાદ નોંધી છે. શૈલેષ ભટ્ટે આપેલી અરજીના આધારે CIDએ ફરિયાદી બનીને કિરીટ પાલડિયા અને અમરેલી પોલીસ SP, PI સહિતના પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પણ, 12 કરોડનો આ બિટકોઈન ખંડણી કેસ જેના કારણે બન્યો હતો તે 155 કરોડના ખંડણી કેસમાં શૈલેષ ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની વૈસી ભરની” જેવું થયું

આ કેસમાં શૈલેષ ભટ્ટના ‘પોલીસપુત્ર’ ભાણેજ નિકુંજ ભટ્ટની રાજકોટથી અને સાગરિત દિલીપ કાનાણીની મુંબઈથી અટકાયત કર્યા પછી CIDએ વિધિવત ફરિયાદ નોંધી છે. પોલીસને નિકુંજ અને દિલીપના બે દિવસના રિમાન્ડ પર મેળવ્યાં છે. સીઆઈડીના વડા, DGP આશિષ ભાટિયાએ આજે પત્રકારોને જણાવ્યું કે, ગત તા. 30-1-2018ના રોજ દિલીપ કાનાણીએ સુરતમાં પોતાના લેપટોપમાં એરર ઠીક કરવાના બહાને પિયુષ સાવલિયાને બોલાવ્યો હતો. પિયુષને ત્રણ દિવસ ગોંધી રાખી ‘બિટ કનેક્ટ’વાળા ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું.

તા. ૧ ફેબ્રુઆરીએ ધવલને ઉઠાવી લીધો હતો અને તેની પાસેથી 2200 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને ધવલને મુક્ત કરવા રૂ. 14.50 કરોડનો આંગડિયા હવાલો મેળવી લેવાયો હતો. આમ, 155 કરોડની બિટકોઈન ખંડણી ઉઘરાવી લેવાઈ હતી. પિયુષને ધમકાવી, પૈસા આપીને પોતાનું અપહરણ થયું નથી તેવી ‘એફીડેવિટ’ કરાવી CIDમાં અપાવાઈ હતી. પણ, CIDએ પર્દાફાશ કરીને 155 કરોડની બિટકોઈન ખંડણીમાં સૂત્રધાર તરીકે શૈલેષ ભટ્ટને દર્શાવી કુલ નવ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

જુના બિટકોઈન ખંડણી કેસના ‘રાઝ’ શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો તે સાથે ખૂલી રહ્યાં છે. CIDએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવાઈ તે પછી કિરીટ પાલડિયા પાસેથી ધવલ પટેલ (માવાણી) પાસે અનેક બિટકોઈન હોવાની જાણકારી અમરેલી પોલીસને મળી હતી. અમરેલી LCBના પ્રતાપ ડેર સહિત છ પોલીસકર્મીની ટીમ ધવલને શોધવા મુંબઈ પહોંચી ગઈ હતી.

ધવલ માવાણી પાસે 1860 બિટકોઈન હોવાની જાણકારી હોવાથી અમરેલી પોલીસ મુંબઈ ગઈ અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી હતી. પણ, ધવલ પટેલ વિદેશ જતો રહ્યો હોવાની જાણકારી મળતાં આખરે આ ટીમ પાછી ફરી હતી. શૈલેષ ભટ્ટે બનાવટી ઈન્કમટેક્સ ઓફિસર બનીને અને તેના સાગરિતોને ‘નકલી પોલીસ’ એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનાવીને ધવલ પાસેથી બિટકોઈન પડાવ્યા હતા. જો કે, શૈલેષે ગોઠવેલી નકલી પોલીસ પાસે લૂંટાયેલો ધવલ અમરેલી પોલીસથી બચી ગયો હતો.

 નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ અન્ડરગ્રાઉન્ડ!

નલિન કોટડિયા પછી શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં!

‘જૈસી કરની, વૈસી ભરની’ આ અહેસાસ નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટને થતો હશે. કદાચિત, આવનારાં દિવસોમાં ધવલ માવાણી, દિવ્યેશ દરજી અને સતિષ કુંભાણીને પણ થશે. બિટકોઈન કૌભાંડ આચરીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર આ ત્રિપૂટી પૈકીના ધવલ પાસેથી શૈલેષે રૂપિયા ખંખેર્યા હતા. શૈલેષ સૂટ-બૂટ પહેરીને ઈન્કમટેક્સ ઓફિસર બન્યો હતો અને તેના સાગરિતોને નકલી પોલીસ અધિકારી બનાવ્યાં હતાં.

શૈલેષે ફેબ્રુઆરીના પ્રારંભે તોડબાજી કરી તેના ૧૫ જ દિવસ પછી તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને ખંખેરવાનું કારસ્તાન ઘડી નાખ્યું. શૈલેષે ફરિયાદ કરી તો તે પણ આરોપી બની ગયો છે. શૈલેષ ભટ્ટ સાથે ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવું થયું છે. નલિન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયાં છે તે જ રીતે શૈલેષ ભટ્ટ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કોટડિયાને શોધવા ત્રણ ટીમ કાર્યરત હોવાનું સીઆઈડીએ જણાવ્યું હતું.

May 22, 2018
c9.jpg
2min15150
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટૂડો આઠ દિવસનાં ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. તેઓ આ પ્રવાસ પર પોતાના પરિવાર સાથે આવ્યા હતા. પીએમ જસ્ટિનનાં સૌથી નાનો દીકરો હૈડ્રિન હાલ સોશ્યલ મિડીયા પર છવાઈ ગયો છે. વિશ્વભરના લોકોને આ બાળક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સાબરમતિ આશ્રમમાં અને ગાંધીનગર અક્ષરધામમાં તેઓ કુર્તા પાયજામામાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. ટ્વિટર પર ઘણાં બધા લોકોએ તેમની સરખામણી કરીના કપૂર અને સૈફ અલીખાનના દિકરા તૈમુર સાથે પણ કરી છે.
જુઓ ક્યુટેસ્ટ કીડ ઓફ ધ વર્લ્ડ હૈડ્રિનની કેટલીક તસ્વીરો જ્યારે એ ગુજરાતમાં સાબરમતિ આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે લેવામાં આવી હતી.
May 22, 2018
ausi_india.jpg
1min14280

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
kerosene-l.jpg
1min14790

રાજ્યના તમામ મહાનગરોમાં આગામી તા. ૧લી સપ્ટેમ્બરથી એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે અને તમામ એપીએલ કાર્ડધારકોને તા. ૧લી સપ્ટેમ્બર પહેલા પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકિદ કરવામાં આવી છે.

અંત્યોદય અને બીપીએલના કાર્ડધારકોને પણ મે મહિનાથી સબસિડીના ધોરણે ગેસ જોડાણની સહાય યોજના અમલમાં મુકાઈ છે. જેમાં સરકાર કે ઉજ્જવલા યોજનાનો બન્ને તબક્કામાં જોડાણ ન મળ્યા હોય તેવા અંત્યોદક તે બીપીએલ પરિવારની મહિલાની પ્રથમ પસંદગી અને તે ના હોય તો પુરુષની પસંદગી કરીને તેમને રૂ. ૧૬૦૦ની જોડાણ માટેની સબસિડી અપાશે. રાજ્યમાં પહેલા તબક્કામાં ૧૨.૬૦ લાખ ગેસ જોડાણ આપી દીધા છે. કેરોસીનના બદલે સ્વચ્છ ઈંધણનો ઉપયોગ થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ વિભાગ દ્વારા જણાવાયું છે.

રેશનિંગના ગ્રાહકોને ક્રમશ: અનાજ અને કેરોસીન વિગેરે બંધ કરવાની રાષ્ટ્રીય નીતિના ભાગરૂપે રાજ્યમાં આઠ મહાનગરોના એપીએલ (એબોવ પોવર્ટી લાઈન) કાર્ડધારકોને આગામી તા.૧લી સપ્ટેમ્બરથી કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. તે પૂર્વે એપીએલ કાર્ડધારકોને તેમના ખર્ચે પીએનજી કે એલપીજી જોડાણ મેળવી લેવા પણ તાકીદ કરાઈ છે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં પણ છ માસમાં એપીએલના કાર્ડધારકોને કેરોસીન બંધ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ જાહેર વિતરણના કેરોસીનમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરોમાં એપીએલને અપાતો રેશનકાર્ડ પરનો જથ્થો બંધ કરવામાં આવશે. આ ગ્રાહકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવશે. જેમાં જૂનથી ઓગસ્ટ મહિના સુધીના ગાળામાં પોતાના ખર્ચે એલપીજી કે પીએનજી જોડાણ મેળવી લેવાનું રહેશે. ૧-૯-૨૦૧૮થી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર વિતરણનું કેરોસીન એપીએલ કાર્ડધારકોને બંધ કરાશે. તે પછી તમામ જિલ્લાના મુખ્ય મથકોમાં ૩૦ નવેમ્બર સુધીમાં પીએનજી કે એલપીજી જોડાણ તેવી જ રીતે લેવાનું કહેવામાં આવશે અને ૧ ડિસેમ્બરથી એપીએલનું કેરોસીન બંધ કરાશે. એપીએલમાં હાલ વ્યક્તિદીઠ બે લિટર અને મહત્તમ ચાર લિટર કેરોસીન અપાય છે.

May 21, 2018
Ahmedabad-airport.png
1min14020

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે.

દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટની વધેલી કનેક્ટિવિટી અને સસ્તી ટિકિટને લઈને ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં ૧૮.૫૦ લાખનો વધારો થયો છે. વર્તમાન સમયે બિઝનેસમેન કે પછી અન્ય વ્યવસાયિકોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવું હોય છે. જેને માટે તેઓ હવે ફ્લાઈટની પહેલી પસંદગી કરી રહ્યા છે. જોકે, આ મુસાફરોની વધતી જતી સંખ્યાને લઈને એરપોર્ટ તથા એરક્રાફ્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૩.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે ૧૭-૧૮માં મુસાફરોની સંખ્યા વધીને ૯૧.૭૪ લાખ પહોંચી ગઈ છે. એક જમાનો એવો હતો કે વિમાનમાં મુસાફરી કરવી તે લક્ઝરી ગણાતી અને સમાજમાં એક સ્ટેટસ ગણાતું હતું.

ઘણા લોકો એવા હતા અને હાલમાં પણ છે કે જેમણે ક્યારેય વિમાનમાં મુસાફરી ન કરી હોય. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ વધી રહી છે. જેમની વચ્ચેની તીવ્ર હરીફાઈમાં મુસાફરોને ફાયદો થઈ રહ્યો છે.

હાલ અમદાવાદથી રોજની ૮૫થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટના આવાગમન થઈ રહ્યા છે. તેવી જ રીતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત, દુનિયાનાં ઘણાં સ્થળોએ અમદાવાદથી સીધા જ પહોંચી શકાય છે. જ્યારે દેશના તો લગભગ તમામ મોટાં શહેરોની અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહે છે. જે પણ મુસાફરો વધવા માટેનું એક જવાબદાર કારણ છે.

લક્ઝુરિયસ ટ્રેન અને વોલ્વો સહિતની એસી, સ્લીપર કોચ લકઝરીની ટિકિટના ભાવમાં જ હવે ઈકોનોમિક ફ્લાઈટની ટિકિટો મળી રહી છે. વેકેશન કે મહત્ત્વના દિવસોને બાદ કરતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટની ટિકિટ ૧૩૦૦ -૧૫૦૦માં જ મળી રહેતી હોવાથી લોકો હવે ટ્રેન અને લકઝરીમાં કલાકોનો સમય વેડફવાને બદલે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની વેબસાઈટની આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ ૯૧,૭૪,૪૨૫ મુસાફરોનું આવાગમન થયું છે. સમારકામ બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

May 19, 2018
IMG_20180518_180029.jpg
1min13520

તા.1લી જૂન 2018ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા વન નેશન વન ટેક્સ એટલે કે જીએસટીના અમલીકરણને એક
વર્ષ પૂરું થઇ રહ્યું છે. એક વર્ષ પહેલા જીએસટીનો જે ઢાંચો હતો તેની સિકલ તો બદલાઇ ચૂકી છે પરંતુ, દર મહિનાની 4થી તારીખે
મળતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દર વખતે નવા નવા સુધારાઓ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં
જીએસટીનું સચોટ અર્થઘટન કરે તેવા કોઇ નિષ્ણાંત આખા ભારતમાં મળી શકે તેમ નથી. ટ્રાયલ એન્ડ એરર એટલે ભૂલો કરો, પ્રયત્ન
કરો, ફરી બદલી કાઢો આવી નીતિને કારણે જીએસટી જેટલું ટીકાપાત્ર આ દેશમાં કોઇ થયું નથી.

 

છેલ્લા બે દિવસથી એટલે કે તારીખ 17 મે અને તા.18મી મે ના રોજ આખા દેશના ટેક્સ કન્સલ્ટન્ટ અકળાય ઉઠ્યા હતા કેમકે જીએસટીની વેબસાઇટ ન તો ચાલી રહી હતી ન તો બંધ હતી. એક તરફ જીએસટી માટેની વેબસાઇટ પર એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ગાણું ગાઇ વગાડીને બજાવવામાં આવે છે કે તેમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે બીજીતરફ જીએસટીની સાઇટ પર રિટર્ન્સ ફાઇલ કરવા મથામણ કરતા કન્સલ્ટન્ટ આખો દિવસ માટે કમ્પ્યુટર કે લેપ્ટોપ સામે બેસી રહે છે પણ એક પણ રિટર્ન ફાઇલ થતું નથી.

May 19, 2018
ms-1280x553.jpg
1min14170

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ચેતન શાહના સનસનીખેજ આરોપોને પગલે સ્થાનિક વિક્રેતાઓના પાપે મર્સીડીઝ કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ.

સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન ચેતન શાહે અમદાવાદ અને સુરતમાં મર્સીડીઝ કારના વિક્રેતા મે. લેન્ડમાર્ક કાર્સ પ્રા.લિ. અને બેંચમાર્ક કાર્સ પાસેથી ઇ-250 મોડેલની કાર ખરીદી હતી. આ કારની ખરીદી વખતે તેમને જૂની તારીખે મેન્યુફેક્ચરર્ડ થયેલી કારની તારીખ સાથે છેડછાડ કરીને નવું મોડેલ બતાવીને તેમને વેચી મારવામાં આવી છે. ચેતન શાહે મર્સીડીઝ કારના અમદાવાદ અને સુરતના વિક્રેતાઓ દ્વારા કરાયેલા આ ખેલ સામે કાયદેસરની કાર્યવાહી, કોર્ટ કેસ તો કર્યા જ છે પરંતુ, અન્ય ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપીંડી ન થાય તે માટે પણ તેમણે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ હાથ ધરી છે.

મર્સીડીઝ કાર ફ્રોડ ના નામે ફેસબુક પર એક આઇ.ડી. પણ બનાવવામાં આવ્યું છે અને એ પેજ પર પણ મર્સીડીઝ કારના અમદાવાદના વિક્રેતા લેન્ડમાર્ક કાર્સ અને સુરતના બેંચમાર્ક કાર્સ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી અંગેની સિલસિલાબદ્ધ વિગતો પ્રકાશિત કરવામાં આવી છે.

જોકે, મર્સીડીઝ કાર્સના વિક્રેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નથી આ બાબતે રદીયો આપવામાં આવ્યો.


May 9, 2018
2018_5large_2333.jpeg
1min12550

પાલિકાની સિટીબસે સોમવારે વેસુ પાસે અત્યંત ગંભીર અકસ્માત સર્જ્યો હતો, બીઆરટીએસની લેનમાંથી નીકળતી વખતે બસના ડ્રાઇવરે ઝડપને બિલકુલ કંટ્રોલ કરી નહતી. એવામાં જંકશન ઉપર રોડ ક્રોસ કરતાં બાઈકસવારને અડફેટમાં લીધો હતો. બહેનને પાછળ બેસાડીને જતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી બહેન ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેની પણ હોસ્પિટલમાં હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યુ હતું.

May 9, 2018
2018_5large_Tithal.jpg
1min12030

તિથલ બીચ ઉપર અંધારામાં લવર્સ પોઈન્ટ બનાવવા માટે ખૂબ ચોંકાવનારો ખેલ કરાયો છે. થોડા મહિનાઓ પહેલાં જ તિથલ બીચ ઉપર બીચ ફેસ્ટિવલની ઉજવણી વખતે ટુરિઝમ વિભાગે બીચ ઉપર સોલાર એનર્જીથી ચાલતી લાઈટ્સ લગાવી હતી. થોડા મહિના લાઈટ ચાલી પણ હતી અને હજુ ચાલતી હતી પરંતુ હમણાં જ આ સોલાર લાઈટ કોઈ ચોરી ગયું હતું. આનેલીધે બીચ ઉપર ફરી સૂર્યાસ્ત પછી અંધકાર ફેલાવા માંડ્યો છે.