CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 92 of 142 - CIA Live

February 1, 2020
income_tax-1280x853.jpg
1min4760

બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.

નવી ટેક્સ સ્લેબ પ્રમાણે,
1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.

2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.

3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.

4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.

5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.

ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.

નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.

નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.

February 1, 2020
airlift1.jpg
1min4500

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની ચપેટમાં આવેલા ચીનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારે ચીનથી 324 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈ જેવા શહેરોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 259 લોકોના મોત થઈ ગયા છે અને 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કર્યો છે.

ચીનથી ભારતીયો પરત ફરે તે પહેલાથી જ ભારતીય સેના દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભારતીયોને લાવવા માટે ચીન ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવારે સાંજે લેન્ડ કરી ગયું હતું.

આઈટીબીપીએ પણ દિલ્હીમાં એવી વ્યવસ્થા કરી છે, જ્યાં 600 લોકોનો ઈલાજ, દેખભાળ માટે અલગ બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને નજર હેઠળ રખાશે. પહેલા યાત્રીઓની એરપોર્ટ પર તપાસ કરાશે, તે પછી તેમને માનેસર કેન્દ્ર લાવવામાં આવશે. જો કોઈ કોરોના વાયરસગ્રસ્ત હોવાની આશંકા હશે તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનાવેલા અલગ વોર્ટમાં શિફ્ટ કરવામાં આવશે.

હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. વુહાન આ હુબેઈની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે 2019-એનસીઓવી નામથી ઓળખાય છે. હુબેઈમાં લગભગ 700 ભારતીયો રહે છે. તેમાં મોટાભાગે મેડિકલના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર છે જે ભારતની યુનિવર્સિટીઓમાંથી ત્યાં અભ્યાસ માટે ગયા છે.

February 1, 2020
onion.jpg
1min5230

દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે.

મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે. રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તુર્ત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી રૂ. ૧૦ની કિલો લેખે ૨૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.

January 31, 2020
corona-1.jpg
2min7530

કોરોના કહેર : 231ના મોત : 9692 કેસ : 1600 ક્રિટીકલ : 22 દેશોમાં પહોંચી ચૂક્યો છે વાઇરસ

ચીનમાં 212 લોકોને મોતને ઘાટ ઉતારનાર સૌથી ખતરનાક મનાતા જીવલેણ કોરોના વાઇરસ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહેલી સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આખરે તા.30મી જાન્યુઆરીને ગુરુવારે કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામગીરી થઇ શકે એ માટે કોરોના વાઇરસને ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

https://twitter.cohttps://twitter.com/WHO/status/1222967082733559808

WHOના ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું કે, સૌથી મોટી ચિંતા તેવા દેશોમાં વાયરસને ફેલાતા રોકવાની છે જ્યાં સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થા ઓછી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ પ્રયાસ એ છે કે બીજા એવા દેશો જેઓ કોરોના વાયરસમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી, તેમની મદદ કરી શકાય.

ટેડ્રોસે જણાવ્યું કે, હાલ પૂરતું યાત્રા કરવા પર તેમજ વેપાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે, જો કે તેની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, ઘણા દેશો એવા છે જેણે પોતાના નાગરિકોને વુહાન જવા માટે ના પાડી છે. કેટલાક દેશોએ વુહાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ચીનની સાથે પોતાની પૂર્વીય બોર્ડરને પણ બંધ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 213એ થઇ, 9692 કરતાં વધુ લોકો પીડીત 15,000 દેખરેખ હેઠળ 1600 ક્રિટિકલ કેરમાં

9,692 cases confirmed and 213 dead and 15,000 are under observation. 1600+ under critical condition.

ભારતે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે રવાના કર્યું ખાસ પ્લેન

http://cialive.in/special-air-india-plane-ready-to-get-out-indians-trapped-in-wuhan/

January 31, 2020
budget.jpg
1min5290

સરકાર બજેટના એક દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.

આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.

ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે

હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.

January 31, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11970

વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા

રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.

આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.

January 28, 2020
hemlet-1280x720.jpg
1min5970

ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.

હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.

27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.

January 28, 2020
Wuhan.jpg
2min7410

 ચીનમાં આતંક મચાવતા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170નો ભોગ લઈ લીધો છે. તો જેની દહેશત હતી એવો આ વાયરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.’ ચીનથી પાછા ફરેલા કેરળના છાત્રમાં કોરોના વાયરસના ચેપને સમર્થન અપાયું છે. બીજીબાજુ બંગાળમાં કોરોનાના સંદિગ્ધ લક્ષણો ધરાવતી થાઈલેન્ડની એક મહિલાનું મૃત્યુ થયું છે. તો મેલેશિયામાં ત્રિપુરાના એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થયું છે.

કેરળનો આ છાત્ર ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેની તબિયત સ્થિર છે અને તબીબો તેની સારવાર અત્યારે કરી રહ્યા છે.’ બીજીતરફ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓના મામલા સામે આવ્યા છે. અગાઉ,’ જયપુર, મુંબઈ અને બિહારના છપરામાં આ દર્દીના કેસ સામે આવ્યા હતા.

દિલ્હીની હોસ્પિટલ તેમજ એરપોર્ટ પર કોરોના વાયરસની પૂરી તપાસ કરવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દરમ્યાન, ભારતમાંથી ચીન તરફ ઉડાન ભરનારી બે ભારતીય એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની મોટાભાગની ઉડાનો સ્થગિત કરવાની ઘોષણા કરી નાખી છે.
ભારતે હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકો પાછા લાવવા માટે બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવાનો ચીનને અનુરોધ કર્યો છે.

ભારતની સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં પોતાના નાગરિકોને ચીનની યાત્રા હાલ પૂરતી ટાળવાની સલાહ આપી છે.

132ના મોત, 5974 કેસો : ઝડપથી પ્રસરી રહેલો રોગચાળો

ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસના પ્રકોપથી મરનારાની સંખ્યા વધીને 132 સુધી પહોંચી ગઇ છે. અહીના 30 રાજ્યોમાં કોરોનાવાયરથી સંક્રમિત 5974 જેટલા પોઝિટિ વ મામલાઓની પુષ્ટિ કરવામાં આવી છે. 

આ સિવાય ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ આયોગ મુજબ કોરોનાવાયરસથી પીડિત 976 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને આગામી અઠવાડિયા સુધી આ ખતરનાક વાયરસના ભરડામાં સાત હજાર લોકો આવી શકવાની આશંકા છે. 

સારવાર દરમિયાન સ્વસ્થ બનેલા 60 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ચીનના શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે વાયરસના પ્રકોપને કારણે શાળાઓ માટે 2020ના સ્પ્રિંગ સેમેસ્ટરને રદ કરવામાં આવ્યું છે. 

ચીનના વુહાનમાંથી ભારતીયોને લાવવાની તૈયારીઓ

સરકારે સોમવારે ચીનની હુબેહી પ્રાંતના વુહાન શહેરમાંથી ભારતીયોને લાવવાની તૈયારી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ચીનમાં કોરોના વાઇરસથી ફાટી નીકળેલા રોગચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના વડપણ હેઠળની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય આ બાબતમાં ચીનના સત્તાવાળાઓની મદદ માગવા વિનંતી કરશે.

ચીનથી આવી રહેલા પ્રવાસીઓનો બંદરો પર સ્ક્રિનિંગ કરવાનું પણ શિપિંગ મંત્રાલય શરૂ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી વૈશ્ર્વિક જોખમ ઊભું થયું છે અને અગાઉ આપેલા સંદેશમાં સામાન્ય શબ્દ કહેવામાં આવ્યો હતો તે એક ભૂલ હતી.

દરમિયાન કોરોના વાઇરસ રોગચાળાથી મૃતકોની સંખ્યા ૮૦ થઇ હતી અને ૨,૭૪૪ દર્દી છે તેવી ચીનના સત્તાવાળાઓએ જાણ કરી હતી. ૪૬૧ દર્દીઓની હાલત ગંભીર છે તેવું નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું.

ચીનમાં પ્રવાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હોવાથી એશિયાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે ચીનના પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.

દરમિયાન કેન્દ્ર સરકારે નેપાળની ભારત સાથે સરહદ પર ચોકસાઇ વધારી દીધી છે. પ.બંગાળના પાણીટંકી અને ઉત્તરાખંડના ઝૂલાઘાટ અને જાવલીબીમાં ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નેપાળની સરહદ પર આવેલા પાંચ રાજ્ય યુપી, ઉત્તરાખંડ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમના ચીફ સેક્રેટરી અને પોલીસવાળા સાથે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પ્રિતી સુદાને વીડિયો કોન્ફરન્સ કરી હતી.

દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખી ચીનમાં અટવાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરવા વિનંતી કરી હતી. ચીને નવા વર્ષનું રજાનું વેકેશન શુક્રવારે પૂરું થતું હતું તે વધારીને રવિવાર સુધી કર્યું હતું. રજા પછી પણ શાળાઓ ખોલવાનું લંબાવવામાં આવ્યું હતું. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વુહાનમાં ગયા હતા અને રોગચાળાના નિયંત્રણ માટેના પગલાંની સમીક્ષા કરી હતી.

January 27, 2020
coronaupdate.jpg
1min17620

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 26, 2020
weather-forecast.jpg
1min5610

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.