CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 65 of 139 - CIA Live

August 7, 2020
Saurastra.png
1min4720

રાજકોટની સ્થિતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરુવારે સૌરાષ્ટ્રમાં 300 નવા કેસ નોંધાયા હતા અને 18 દરદીનો ભોગ લેવાયો હતો તો 189 દરદી સાજા થયા હતા. રાજકોટ શહેરમાં તા.5ના સાંજે 5થી તા.6ના બપોર સુધીમાં’ 49 અને સાંજના 6 સુધીમાં 22 એમ ચોવિસ કલાકમાં 71 નવા કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 1600ની નજીક 1570 થવા પામ્યો હતો. જેમાંથી આજે વધુ 45 દરદીને ડિસ્ચાર્જ કરાતા હાલ 729 દરદી સારવારમાં છે. શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ શહેરમાં 10 અને વાસાવડમાં એક મળીને તાલુકામાં નવા 11 કેસ નોંધાયા હતા. જ્યારે માંડણકુંડલાના 64 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયુ હતુ. જેતપુર શહેરમાં 6 નવા કેસ આવતા તાલુકાનો કુલ આંક 131 થવા પામ્યો છે. જામકંડોરણા શહેર, તરકાસર અને રાયડી ગામેથી એક-એક મળીને તાલુકામાં 3 નવા કેસ નોંધાતા કુલ આંક 48 થયો હતો. રાજકોટમાં માંડણકુંડલાના મહિલા સહિત શહેરના 4, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 મળીને કુલ 8 દરદીનો ભોગ લેવાયો હતો. આ સાથે જિલ્લાનો કુલ આંક 2400ને નજીક 2374 થવા પામ્યો હતો. જેમાંથી 516 દરદી હાલ સારવારમાં છે. રાજકોટ શહેરમાં 71 અને તાલુકા-ગ્રામ્યમાં 19 તેમજ અન્ય જિલ્લાના 6 મળીને જિલ્લામાં નવા 96 કેસ નોંધાયા હતા, ઉપરાંત 8 દરદીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા, તો બીજી તરફ 72 દરદી સાજા થયા હતા. જ્યારે ભાવનગરમાં 44 કેસ અને 39 સાજા થયા હતા.

જામનગર 33 નવા કેસ સાથે 4 દરદી મૃત્યુ પામ્યા હતા અને 25 દરદી સાજા થયા હતા. જૂનાગઢમાં નવા 44 કેસ તથા 3 મૃત્યુ અને 16 દરદી સાજા થયા હતા.

અમરેલી 20, મોરબી 19 કેસ-2 મૃત્યુ અને 5 સાજા થયા હતા. બોટાદ 5 કેસ-3 ડિસ્ચાર્જ, ગિર સોમનાથમાં 16 કેસ તથા એક મૃત્યુ અને 25 સાજા થયા હતા. જ્યારે પોરબંદરમાં 2 કેસ-4 ડિસ્ચાર્જ, દ્વારકા 3 અને સુરેન્દ્રનગરમાં 18 નવા કેસ નોંધાયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે 44 નવા કેસ સાથે કુલ આંક 1712 થત્તા પામ્યો છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 16 પુરૂષ અને 7 ત્રી મળી કુલ 23 તથા ભાવનગરના અધેવાડા ગામે 3, ભુતેશ્વર ગામે 1, નવાગામ (ચિરોડા) ગામે 1, ગારિયાધારમાં 2, પાલિતાણામાં 4, સિહોરમાં 3, ઉમરાળાના ધોળા ગામે 3, ટીંબી ગામે 2, દડવા ગામે 1 તથા વલભીપુરમાં 1 કેસ મળી કુલ 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 26 અને તાલુકાઓના 13 એમ કુલ 39 કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થયા હતા.
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે કોરોનાથી વધુ ત્રણના મૃત્યુ નિપજતા કુલ મૃતાંક 52 થયો છે. જ્યારે આજે જૂનાગઢ શહેરમાં વધુ 26, ગ્રામ્યમાં 4, વિસાવદરમાં 4, વંથલીમાં 3, માળિયા-કેશોદમાં 2-2 કેસ, બીલખા, ચોરવાડ, ભેંસાણ, મેંદરડા, માંગરોળમાં એક-એક કેસ સહિત કુલ 44 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થતા કુલ 183 કેસ એક્ટિવ છે. માળિયા હાટિના નજીકના વીરડી ગામના યુવાન અને એસટીના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બસ સ્ટેશનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું.

જામનગર શહેર – જિલ્લામાં કોરોનાની રફતાર હવે કાતિલ બની રહી છે. ગઇકાલે 62 કેસ નોંધાયા બાદ આજે જામનગર શહેરનાં 28 અને જિલ્લાના લતીપુર, કાલાવડ, દરેડ, નાના વડાલા તથા તરસાઇનાં પાંચ દરદીઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જામનગર શહેરનાં ઉકાભાઇ બાવનજીભાઇ તાળા, નવિનભાઇ કંસારા, કેશવજીભાઇ મુળજીભાઇ મુંગરા અને લાલપુરના હસીનાબેન સદામભાઇ સમાનું મૃત્યુ નીપજયું હતું.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ છવાયેલો રહેતા વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજ દિન સુધીમાં કુલ 563 કેસ નોંધાયેલા હતા. જિલ્લાના વડિયામાં પોલીસ કર્મચારી પોઝિટીવ આવતા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં આજે નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 437 થયો હતો. બીજી તરફ મોરબી અને વાંકાનેરના 1-1 દરદીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે આજે જિલ્લાના પાંચ દરદી સાજા થયા હતા અને હાલ 155 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાંથી 16 જેટલા કેસો આવેલા છે. જેમાં વેરાવળમાં 9, કોડીનાર-1, ઉના-4, ગીરગઢડા-1 અને અન્ય જિલ્લાના 1 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી 25 સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોડીનારના એક દરદીનું મૃત્યુ નિપજ્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા કુલ આંક 97 થયો હતો. દ્વારકાના ગૌરાંગ દોલતરાય ઠાકર (ઉ.38) તથા ખંભાળિયાના સમીર નવીનચંદ્ર વ્યાસ (ઉ.45) અને ખંભાળિયાના પ્રફુલ ગોવિંદભાઈ કણઝારીયા (ઉ.28)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં જલારામ મંદિર નજીક રહેતા 85 વર્ષિય વૃધ્ધા અને મોટી ખત્રીવાડમાં 22 વર્ષિય યુવતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 4 દરદીઓને કોવિડ હોસ્પિટલમાંથી આજે ગુરુવારે ડિસ્ચાર્જ કરાયા છે.

બોટાદ જિલ્લામાં શહેરના ગોવિંદની ચાલી પાસે 51 વર્ષિય મહિલા તેમજ વિસામણ શાક માર્કેટ પાસે 51 વર્ષિય પુરૂષ પાળીયાદ રોડ પર 60 વર્ષિય પુરૂષ તેમજ જિલ્લાના રાણપર ખાતે શ્રીજી વિલા સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ અને ગઢડાના માંડવા ગામે 25 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દીવમાં નવા 7 કેસ ને 3 ડિસ્ચાર્જ
દીવમાં કોરોના પોઝિટિવના સાત નવા કેસ નોંધાયા હતા. જે વણાંકબારા વિસ્તારના છે. જ્યારે આજે ત્રણ દર્દીઓ સાજા થઇ ઘરે આવ્યા હતા. દીવમાં હાલ 42 દરદી સારવારમાં છે.

August 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min9430

ભાજપ સરકારનું બેવડું વલણ સ્કુલોના વાલીઓ માટે સહાનુભૂતિ કોલેજોના વાલીઓને ઠોકર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની ભાજપા સરકારની ઢંગધડા વગરની નીતિઓને કારણે રોજેરોજ સરકારની આબરુના ધજાગરા જાહેરમાં ઉડી રહ્યા છે. સ્કુલોની ફી માટે ઉતાવળે ગુજરાત હાઇકોર્ટના નામે પરિપત્ર કરી દેનાર ગુજરાત સરકારે એ જ પરીપત્રને પંદર જ દિવસમાં પાછો ખેંચી લેવો પડ્યો. હવે ગુજરાત હાઇકોર્ટે સરકારનો કાન આમળતા કહ્યું છે કે સરકારને બહું જ ચિંતા હોય તો ફક્ત સ્કુલોની ફી માટે કેમ પરીપત્ર કર્યો કોલેજો ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડીકલની ફી અંગે સરકારે કેમ કોઇ કાર્યવાહી કરી નહીં. ગુજરાત હાઇકોર્ટની આ ટકોરની રાજ્ય સરકાર પર કશી અસર દેખાતી નથી.

રાજ્યમાં હાલ કોલેજોના મેનેજમેન્ટ દ્વારા ફી ની પઠાણી વસુલાત હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક અધ્યાપકોને હાથો બનાવીને કોલેજોના સંચાલકોએ ફી ની વસુલાત માટે વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકનમાં જોઇ લેવાની, રેકોર્ડ ખરાબ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો તો ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા છે. એ ઉપરાંત અન્ય એક કોલેજના સંચાલકોએ અધ્યાપકો મારફતે યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરાવવા માટે છેલ્લી પાયરીએ બેઠા છે.

જે સુવિધાઓનો ઉપયોગ જ નથી કર્યો તેની ફી માગી રહી છે કોલેજો

સુરતની કોલેજોની વાત કરીએ તો કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી એવી ફી માગી રહ્યા છે જે સુવિધાનો વિદ્યાર્થીઓએ ગત માર્ચ માસથી ઉપયોગ જ નથી કર્યો. લેબોરેટરી ખર્ચ, વાઇફાઇ ખર્ચ, ઇલેક્ટ્રીસિટી બિલ્સ, કેમ્પસ ડેવલપમેન્ટ ચાર્જ આવા અનેક તોતિંગ ખર્ચાઓ કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજ શરૂ હોય ત્યારે ભરતા હોય છે પણ હાલમાં કોલેજો આ ફી પણ મનસ્વી રીતે વસુલ કરી રહી છે.

રાજ્ય સરકારે આંખો મીચી દીધી હોઇ, કોલેજ મેનેજમેન્ટ ફી વસુલાત માટે છેલ્લી પાયરીએ બેઠા

રાજ્ય સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. સ્કુલોના વાલીઓ પ્રત્યે રોજેરોજ નીત નવા નિવેદનો કરતા ભાજપાના નેતાઓ કોલેજો અને યુનિવર્સિટીઓની ફી બાબતે કશું બોલતા નથી, સીધો અર્થ એ થાય કે કોલેજોના મેનેજમેન્ટ મન ફાવે તેવી ધમકીઓ આપીને વિદ્યાર્થીઓની કારકિર્દી રંગદોળી નાંખવાની ધમકીઓ આપીને હાલ તો ફી વસુલાત કરી રહી છે.

સ્કુલોના વાલીઓની આવક નથી થઇ તો કોલેજોના વાલીઓને લોકડાઉન ન નડ્યુ હોય

સવાલ એ થાય કે જો સ્કુલોના વાલીઓને જો લૉકડાઉન નડ્યું હોય, કોરોનાને કારણે ધંધારોજગાર ઠપ્પ થયા હોય તો શું કોલેજોના વાલીઓને આવી તકલીફ ન પડી હોય. રાજ્ય સરકારે કોલેજોના સંચાલકો, મેનેજમેન્ટો, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેમ ગાઇડલાઇન આપી નથી. સરકારે આ બાબતે બેધારી નીતિ છોડીને સ્પષ્ટ આદેશો જારી કરવા જોઇએ.

ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું, નીચેની લિંક ક્લીક કરીને વાંચો હાઇકોર્ટની ટકોર

https://timesofindia.indiatimes.com/home/education/news/why-no-fee-exemption-in-engineering-medical-colleges-gujarat-hc/articleshow/77384703.cms

August 6, 2020
MurmuSinha.jpg
1min4730

જમ્મુ-કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાની નિયુક્તિને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન સીએજી રાજીવ મહર્ષિ આ સપ્તાહે રિટાયર થવાના છે. આ પદ પર જીસી મૂર્મુને નિમણૂંક આપી શકાય તેમ છે.

કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનારા જીસી મુર્મુએ 9 મહિના પછી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ નાઉ સૂત્રોને ટાંકીને જાણકારી આપી છે કે, તેઓને આગામી Comptroller and Auditor General of India (CAG) બનાવવામાં આવી શકે છે. વર્તમાન CAG રાજીવ મહર્ષી આ સપ્તાહે રિટાયર થવાના છે.

31 ઓક્ટોબર, 2019એ જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પહલા એલજી બન્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું સ્થાન લીધું હતું.

એવી અટકળો છે કે, વર્તમાન સીએજી અને પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિને જમ્મુ-કાશ્મીરના આગામી એલજી બનાવવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2015માં કેન્દ્રીય ગૃહ સચિવ બનેલા મહર્ષિએ 25 સપ્ટેમ્બર, 2017એ સીએજીનું પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ આ સપ્તાહે પૂરો થઈ રહ્યો છે.

ગુજરાત કેડરના 1985 બેંચના આઈએએસ અધિકારી જીસી મુર્મુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પ્રધાન સચિવ રહી ચૂક્યા છે. તેમનું રાજીનામું એ દિવસે આવ્યું છે, જ્યારે બરાબર એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 એની જોગવાઈઓને હટાવી દેવાઈ હતી. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ દરજ્જો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો હતો.

August 6, 2020
corona_india.jpg
1min5260

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે. 

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે. 

August 5, 2020
corona-gujarat.jpg
1min4760

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

કુલ ટેસ્ટનો આંક આઠ લાખને અને કેસનો આંક ૬૩૦૦૦ને પાર

રાજ્યમાં સરેરાશ ટેસ્ટનો આંક વધારવા સાથે હવે ધનવંતરી રથ મારફતે લોકોને ઘર આંગણે જ કોવિડ સિવાયની સામાન્ય બિમારીની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે એની સાથોસાથ સંક્રમિત દર્દીઓને શોધવા રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ વ્યાપક રીતે શરૂ કરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૨૩૨૫૫ ટેસ્ટ કરાતા કુલ આંક આઠ લાખને પાર થઇ ૮,૧૪,૩૩૫ થયો છે એની સાથે પોઝિટિવ કેસનો આંક વધીને ૬૩૬૭૫ થયો છે. જોકે, આઇસીએમઆરની ગાઇડલાઇન્સને પગલે ડિસ્ચાર્જની કુલ સંખ્યા છેલ્લા ચોવીસ કલાકના ૮૦૫ દર્દીના ઉમેરા સાથે વધીને ૪૬૫૮૭ સુધી પહોંચી છે જોકે, કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ૨૪૮૭ સુધી પહોંચી ગયો છે જે દેશમાં સૌથી વધારે હતો એ હવે ઘટીને ૩.૫ ટકા થયો છે. રિવકરી રેટ ૭૩.૧૮ ટકા થયો છે. હાલ એક્વિટ કેસ ૧૪૬૦૧ છે એમાં ૮૧ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૫૨૦ સ્ટેબલ છે.

August 5, 2020
weather-forecast.jpg
1min4580

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 4, 2020
health_card.jpg
1min6080

વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.

આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.

‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.

પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.

August 3, 2020
quarantine.jpeg
1min4150

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મુંબઇ અને ગુજરાત આવતા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ ૭ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ, ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. પુણે અને અમદાવાદમાં બધા પ્રવાસીઓને ૧૪ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દરેક રાજ્ય માટે અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહારાષ્ટ્રના નાગપુર, કોલ્હાપુર અને શીરડી આવતા પ્રવાસીઓ માટે પણ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે સાત દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બીમારી હોય, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને ક્વોરન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે જરૂરી દસ્તાવેજો સાથે અંડરટેકિંગ ફોર્મ ભરીને ફશિાજ્ઞિભિંજ્ઞદશમલળફશહ.ભજ્ઞળ સાઇટ પર મોકલવાનું રહેશે.

દરમિયાન, અમદાવાદથી મળતા સંદેશામાં જણાવાયું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન અને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકિંગ

કરવામાં આવશે જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન રહેવું પડશે. તે પછી પણ સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકિંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે.

આ પહેલા ૨૫મી મેએ દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

August 1, 2020
CIA_Live_Logo_New2.jpg
2min11520

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના આરોગ્ય વિભાગે તા.30મી જુલાઇ 2020ના રોજ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે ચાઇના સમેત વિદેશમાં કોઇપણ જગ્યાએથી મેડીકલ એજ્યુકેશનની પ્રાથમિક ડિગ્રી, એમ.બી.બી.એસ. સમકક્ષ ડિગ્રી ધારકોએ જો વિદેશી સંસ્થાઓમાં મેડીકલ અભ્યાસની સાથે એક વર્ષની ઇન્ટર્નશીપ કરી હશે તો તેને સ્વીકારીને ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાંથી મુક્તિ આપવી. આવા તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન વખતે ફોરેનની સંસ્થામાં એક વર્ષ માટે કરેલી ઇન્ટર્નશીપને માન્ય ગણવા માટે દરેક રાજ્યોના મેડીકલ કાઉન્સિલ સત્તામંડળને જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956ની સેક્શન 13 (3) અન્વયે ભારત દેશમાં તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન (કાયમી નોંધણી) કરતી વખતે ફોરેન મેડીકલ ડિગ્રી ધારકોએ ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી હવે ચાઇના તેમજ અન્ય દેશોમાંથી મેડીકલ ડિગ્રી ધરાવનાર અને વિદેશમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ઉમેદવારોનું ભારતમાં તબીબ તરીકે પરમેન્ટન્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ મુજબની સ્પષ્ટતા કરી છે

રાજ્યોની મેડીકલ કાઉન્સિલને આ બાબતે જાણ કરવામાં આવી

જાહેર નોટીસ આ મુજબની છે

What does Section 13(3) in The Indian Medical Council Act, 1956 say?

The medical qualifications granted by medical institutions outside India, before such date as the Central Government may, by notification in the Official Gazette, specify which are included in Part IInd of the Third Schedule shall also be recognised medical qualifications for the purposes of this Act, but no person possessing any such qualification shall be entitled to enrolment on any State Medical Register unless he is a citizen of India and has undergone such practical training after obtaining that qualification as may be required by the rules or regulations in force in the country granting the qualification, or if he has not undergone any practical training in that country he has undergone such practical training as may be prescribed.

July 30, 2020
corona_india.jpg
1min8180

ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ બુધવાર તા.30મી જુલાઇ 2020ના રોજ નોંધાયા છે, ભારતમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યા 52,000 પ્લસ પર નોંધાઇ છે. બુધવારે આવેલા નવા કેસોમાં સૌથી વધારે નવા કેસ આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ એવું રાજ્ય બન્યું છે જ્યાં મહારાષ્ટ્ર પછી એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

પાછલા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો હતો. જેમાં બુધવારે 10,093 કેસ નોંધાય છે, આ સાથે આંધ્રપ્રદેશનો કુલ આંકડો 1,20,390 પર પહોંચ્યો છે, જે દિલ્હીના કુલ કેસ 1,33,310ને જલદી પાર કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં વધુ 65 લોકોના મોત સાથે અહીંનો કુલ મૃત્યુ આંક 1,213 થઈ ગયો છે, જે આંઠ સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક બન્યું છે.

52,898 નવા કેસ સાથે બુધવારે કુલ કેસ 15,83,483 થઈ ગયા છે અને જેમાં પાછલા 29 દિવસમાં 10 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસને જોતા જુલાઈ વધારે ગંભીર મહિનો સાબિત થયો છે, જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસ દેશમાં આવ્યા તે પછીના 63% કેસ આ મહિનામાં નોંધાયા છે. બુધવારે 771 લોકોના વાયરસના કારણે મોત થયા છે- જે બીજા નંબરનો એક દિવસનો સૌથી મોટ મૃત્યુઆંક છે. આ પહેલા મંગળવારે 781 લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ 34,950 લોકોના મોત થઈ ગયા છે. આમાંથી અડધાથી વધારે મોત જુલાઈ મહિનામાં નોંધાયા છે.

દેશમાં ફેલાયેલા કરોના વાયરસ વચ્ચે સકારાત્મક પાસું જોઈએ તો, 10 લાખ કરતા વધારે લોકો સાજા થઈ ગયા છે, પાછલા 24 કલાકમાં 32,371 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,19,081 થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર થઈ છે, રાજ્યમાં આંધ્રપ્રદેશ પછી બીજા નંબરે 9,211 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,00,651 થયો છે. આં આંકડો મેક્સિકોના કેસ (4,02,697)ની નજીક પહોંચી ગયો છે. દુનિયાના કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં ભારત છઠ્ઠા નંબર પર છે. મહારાષ્ટ્રમાં વધુ 293 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દક્ષિણ ભારતની સ્થિતિ પર નજર કરીએ તો કર્ણાટકામાં 92 લોકોના સૌથી વધારે મોત બુધવારે નોંધાયા છે, જે પછી તામિલનાડુમાં 82, આંધ્રપ્રદેશમાં 65 અને તેલંગાણામાં 12નાં મોત થયા છે. આંધ્રપ્રદેશની સાથે દેશના અન્ય 4 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે, જેમાં રાજસ્થાનમાં 1,144, ગુજરાતમાં 1,114, મધ્યપ્રદેશમાં 917 અને ઝારખંડમાં 791 કેસ નોંધાયા છે.