CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 43 of 142 - CIA Live

April 20, 2021
virus.jpg
1min391
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 18, 2021
corona_india.jpg
1min373

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૮૬.૬૨ ટકા થઇ હતી.

દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા દરદી નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઇ હોવાની અને સક્રિય કેસની સંખ્યા ૧૮ લાખથી વધી હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

ગત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા ૧૮ લાખથી વધીને ૧૮,૦૧,૩૧૬ની સપાટીએ પહોંચી હતી, જે કુલ કેસના ૧૨.૧૮ ટકા થાય છે.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૧૫૦૧ દરદીનાં મોત થયાં હતાં અને મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૭૭,૧૫૦ થઇ હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. કોરોનાને લીધે મરનાર કુલ દરદીની ટકાવારી ઘટીને ૧.૨૦ ટકા પર પહોંચી હતી. ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૨૦ લાખથી વધી હતી, ૨૩ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૩૦ લાખથી વધી હતી, પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૪૦ લાખથી વધી હતી, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૫૦ લાખથી વધી હતી, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૬૦ લાખથી વધી હતી, ૧૧ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે ૭૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબરના દિવસે ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બર ૨૦૨૦માં ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે એક કરોડનો આંક પાર થયો હતો.

આઇએમસીઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૬,૬૫,૩૮,૪૧૬ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા અને એમાંથી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૫,૬૬,૩૯૪ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા.

દેશમાં કોરોનાને કારણે રવિવારે મરનાર કુલ ૧૫૦૧ દરદીમાંથી સૌથી વધુ ૪૧૯ દરદી મહારાષ્ટ્રનાં, ત્યાર બાદ છત્તીસગઢનાં ૧૫૮ દરદીનાં, ઉત્તર પ્રદેશનાં ૧૨૦ દરદીનાં, પંજાબના ૬૨ દરદીનાં, કર્ણાટકનાં ૮૦ દરદીનાં અને ગુજરાતનાં ૯૭ દરદીનાં મોત થયાં હતાં.

18/4/21 : India Corona Upates : 2.60 લાખ નવા કેસ

શનિવારે ભારતમાં કોરોનાના વધુ 2,60,810 નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે નોંધાયેલા 2.34 લાખ કેસ કરતા 11.5%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. આટલો મોટો ઉછાળો દેશમાં પહેલીવાર નોંધાયો છે.

રોજ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યોછે. 2 ઓક્ટોબરના રોજ મૃત્યુઆંક 1000ને પાર કર્યા હતા, હવે તે આંકડો વધુ 1,493ના મોત સાથે 1500ની નજીક પહોંચ્યો છે. શુક્રવારે પહેલીવાર મૃત્યુઆંક 1300ને પાર ગયો હતો.

જોકે રાહતની વાત એ છે કે પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક નોંધાતા હતા તેના કરતા આ વખતે કુલ કેસની સામે મૃત્યુની ટકાવારી નીચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક વધી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં આ ટકાવારીમાં ઉછાળો નોંધાશે તેવી આશંકા છે.

19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં એક દિવસના સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર 67,123 કેસ સાથે ટોપ પર છે, આ પછી દિલ્હીમાં શુક્રવારે 19,486 કેસ બાદ શનિવારે 24,375 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો તેમાં કર્ણાટકા (17,489), છત્તીસગઢ (16,083), કેરળ (13,835), મધ્યપ્રદેશ (11,269), ગુજરાત (9,541), તામિલનાડુ (9,344), રાજસ્થાન (9,046), બિહાર (7,870), હરિયાણા (7,717), પશ્ચિમ બંગાળ (7,713), પંજાબ (4,498), તેલંગાણા (4,446), ઉત્તરાખંડ (2,757), હિમાચલપ્રદેશ (1,392), પોંડિચેરી (715), લદ્દાખ (245) અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણ (158)નો સમાવેશ થાય છે.

ભારતમાં જે રીતે કોરોનાના કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એમ્બ્યુલન્સ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, સ્મશાન માટે વગેરે લાઈનો હવે લોકોને હચમચાવી રહી છે.

મહારાષ્ટ્રમાં 2 ઓક્ટોબર (424) પછી 24 કલાકમાં કોરોનાના કારણે 419 લોકોનો જીવ ગયો છે. દિલ્હીમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે છત્તીસગઢમાં 158 અને ઉત્તરપ્રદેશમાં 120ના કોરોનાના કારણે એક જ દિવસમાં મોત થયા છે.

April 18, 2021
guj_corona.jpg
1min378

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે, અર્થાત એપ્રિલની 18 તારીખ સુધીમાં જ ગુજરાતમાં 96,871 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. ગુજરાતમાં કોરોનાની રફ્તાર એટલી તીવ્ર છે કે, દર કલાકે 431 કેસ જ્યારે પ્રતિ મિનીટે 7.18 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 110 દરદીના કોરોનાથી મૃત્યુ થતા માત્ર એપ્રિલ મહિનામાં જ 858 કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા છે. જેણે મે 2020માં 824 મૃત્યુના આંકને વટાવી દીધો છે. આમ દર કલાકે ગુજરાતમાં 4.58 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થાય છે.’

બીજી બાજુ આજે dt 18/4/21 3981 દર્દીઓએ કોરોનાને મહાત આપતા કોરોનામાંથી ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3,37,545 થઇ છે.’ જ્યારે ગુજરાતમાં હાલ કૂદકે ને ભૂસકે કોરોના કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો રહ્યો છે. ગઇકાલે dt 17/4/21 55398 એક્ટિવ કેસ હતા. તેમાં 6245નો વધારો થઇને હાલ 61,647 એક્ટિવ કેસ છે જેમાં 329ની હાલત નાજુક છે.

રાજ્યમાં dt 18/4/21 નવા નોંધાયેલા 10,340 કેસમાં અમદાવાદમા 3694, સુરતમાં 2425, રાજકોટમાં 811, વડોદરામાં 509, જામનગરમાં 366, ભાવનગરમાં 298, ગાંધીનગરમાં 150, જૂનાગઢમાં 122, મહેસાણામાં 389, પાટણમાં 158, બનાસકાંઠામાં 112, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમા 98, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91, મહીસાગરમાં 89, સાબરકાંઠામાં 82, પંચમહાલમાં 75, દાહોદ અને ખેડામાં 69-69, વલસાડમાં 61, દેવભૂમિ દ્વારકામાં 60, ભરૂચમાં 59, મોરબીમાં 54, બોટાદમાં 47, ગીરસોમનાથી અને નર્મદામાં 42-42, અરવલ્લીમાં 32, છોટાઉદેપુરમાં 23, પોરબંદરમાં 18 અને ડાંગમાં 7 કેસનો સમાવેશ થાય છે.
સરકારી આંકડા મુજબ આજે dt 18/4/21 કુલ 110 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજતા અત્યાર સુધીમાં કુલ 5377 કરોના દર્દીના મૃત્યુ થયા છે.

આજે dt 18/4/21 થયેલા મૃત્યુમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11, વડોદરામાં 10, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગરમાં 5, જામનગરમાં 6, ભરૂચમાં 3, બનાસકાંઠા, મહેસાણા, મોરબી અને સાબરકાંઠામાં 2-2 જ્યારે અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ખેડામાં 1-1 મૃત્યુ થયા છે.

18/4/21 : Gujarat Corona updates : 9541 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક (Dt.17/4/2021)માં કોરોના વાયરસના નવા 9541 દર્દીઓ નોંધાયા છે અને 3783 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,56,663 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,01,70,554 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 333546 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 55398 છે જેમાં 304 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 55094 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 97 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચ્યો છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 26, અમદાવાદ કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, ભરૂચમાં 1, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3241, સુરતમાં 1720, રાજકોટમાં 412, વડોદરામાં 369 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 178, નવસારીમાં 148, પાટણમાં 147, ભાવનગરમાં 114, પંચમહાલમાં 107, તાપીમાં 98, નર્મદામાં 97, અમરેલીમાં 96, કચ્છમાં 92, સુરેન્દ્રનગરમાં 89, મહીસાગરમાં 81, ખેડામાં 79, ગાંધીનગરમાં 78, સાબરકાંઠામાં 75, આણંદમાં 71, દેવભૂમિ દ્વારકામાં 71, જુનાગઢમાં 67, દાહોદમાં 53, મોરબીમાં 50, વલસાડમાં 48 કેસો નવા નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના નવા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.

April 17, 2021
weather-forecast.jpg
1min451

દેશમાં વધતા કરોના કહેરથી પ્રભાવિત અર્થ વ્યવસ્થા અને તમામ અન્ય સેક્ટર માટે દિલ્હીથી એક સારા સમચારા આવ્યા છે. શુક્રવારે હવામાન વિભાગે વર્ષ 2021 માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ 103 ટકા જેટલો સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આઇએમડીએ આ વર્ષે તેની આગાહીને વધુ સચોટ બનાવવા માટે ખૂબ જ અદ્યતન અને વ્યાપક પ્રણાલી અપનાવી છે, જેમાં વિવિધ વપરાશકર્તાઓ અને સરકારી ઓથોરિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી ગતિવિધિઓની યોજનાને ધ્યાને રાખી કરવામાં આવતી માંગને આધારે સિઝનલ વરસાદના ક્ષેત્રીય વરસાદ પૂર્વાનુમાન સાથે વરસાદના સ્થાનિક વિતરણના પૂર્વાનુમાનને પણ દર્શાવવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતા હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ એમ. મોહપાત્રાએ કહ્યું કે, ‘મલ્ટિ-મોડેલ એન્સેમ્બલ (એમએમઇ)’ એ સાર્વત્રિક રૂપે સ્વીકૃત ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ એક જ મોડેલ આધારિત અભિગમની તુલનામાં આગાહીની કુશળતા સુધારવા અને આગાહીની ભૂલોને ઘટાડવા માટે થાય છે. પ્રભાવ સુધારણા સંપૂર્ણપણે એમએમઇ આગાહી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તમામ મોડેલોની સામૂહિક માહિતીને આભારી છે. પ્રથમ તબક્કાની આગાહી માટે, હાલની આંકડાકીય આગાહી સિસ્ટમ અને નવી એમએમઈ આધારિત આગાહી સિસ્ટમનો ઉપયોગ કરીને આગાહી કરવામાં આવે છે.’

‘સામાન્ય’ વરસાદની આગાહી એ ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર અને એકંદર માંગમાં વધારો થતા સમગ્ર દેશના અર્થતંત્રને ગતી આપે છે. ‘સામાન્ય’ વરસાદનો અર્થ એ છે કે ખરીફ પાક (ડાંગર, કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજ) ની સારી વાવણી અને આગામી પાકની સીઝન માટે દેશભરના મુખ્ય જળસંગ્રહોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ. સારા પાણીનો સંગ્રહ રવી પાક (શિયાળુ વાવેતર) પાકને પણ મદદ કરે છે, જે ખેતી માટે આખા વર્ષને બમ્પર આઉટપુટમાં ફેરવે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ વરસાદના લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવને આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.

હવામાન વિભાગ (IMD) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા (Odisha), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), છત્તીસગઢ (Chhattisgarh), પૂર્વ ઉત્તર પ્રદેશ (Eastern Uttar Pradesh) અને આસામ (Assam)માં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.

April 16, 2021
remdesivir.jpg
1min464

કોરોનાના દર્દીઓનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ આવતા ત્રણેક દિવસ નીકળી જતા હોય છે અને હાલમાં આ સમયગાળામાં દર્દીઓની તબિયત વધુ લથડી જતી હોવાથી ગુજરાતના આરોગ્ય વિભાગે એવી ગાઇડલાઇન તા.૧૫મી એપ્રિલે જાહેર કરી છે કે રેપિડ એન્ટિજન અને એચ.આર.સી.ટી.માં પોઝીટીવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનથી સારવાર શરૂ કરી શકાશે.

હાલના નિયમ મુજબ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RT-PCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા પછી માંડ માંડ ઈન્જેક્શન મળી રહ્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ઈન્જેક્શન મુદ્દે ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

April 16, 2021
vaccine-1.jpg
1min388

ચાર દિવસના ટીકા ઉત્સવ દરમિયાન ત્રણ રાજ્ય -મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશે એક કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી. કોરોનાની રસી માટે ૧૧થી ૧૪મી એપ્રિલ સુધી યોજાયેલા રસીકરણના કાર્યક્રમ દરમિયાન ૧૧મી એપ્રિલે કુલ ૨૯,૩૩, ૪૧૮ ડોઝ, ૧૨મી એપ્રિલે ૪૦,૦૪,૫૨૧ ડોઝ, ૧૩મી એપ્રિલે ૨૬,૪૬,૫૨૮ ડોઝ અને ૧૪મી એપ્રિલે ૩૩,૧૩,૮૪૮ ડોઝ આપવામાં આવ્યા હતા. ટીકા ઉત્સવ દરમિયાન દેશભરમાં રસી માટે લાયક વ્યક્તિઓને કુલ ૧,૨૮,૯૮,૩૧૪ ડોઝ આપવામાં આવ્યા હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. ત્રણ રાજ્ય- મહારાષ્ટ્ર (૧,૧૧,૧૯,૦૧૮), રાજસ્થાન (૧,૦૨,૧૫,૪૭૧) અને ઉત્તર પ્રદેશ (૧,૦૦,૧૭,૬૫૦)એ એક કરોડથી વધુ ડોઝ આપ્યા હતા. લોકોને કોરોનાની રસી આપવાને મામલે ભારત નવા વિક્રમ સ્થાપી રહ્યું છે. ટીકા ઉત્સવના પહેલા દિવસે રાતે આઠ વાગ્યા સુધી રસીકરણનું કામ ચાલ્યું હતું અને દિવસભરમાં ૨૭ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

April 14, 2021
remdesivir.jpg
1min581

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.

નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.

April 14, 2021
maharashtra_lockdown.jpg
1min423
સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી

 સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

શું બંધ?

ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.

શું ચાલુ રહેશે

અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.

મફતમાં અનાજ – શિવભોજન થાળી

ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.

નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ

ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.

ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.

૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.

April 10, 2021
corona_india.jpg
1min452

વર્લ્ડોમીટર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.70 લાખ જેટલા નવા કેસ આવ્યા છે. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસના સૌથી વધુ છે. તો આ દરમિયાન લગભગ 900 લોકોના મોત પણ થાય છે. સતત દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. દેશમાં શનિવારે 10 લાખને પાર પહોંચેલા એક્ટિવ કેસ બે જ દિવસમાં વધીને સોમવાર સુધીમાં 12 લાખને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 70 હજાર લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બનીને પોતાનો આતંક વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ્યાં દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોનાના 70 ટકા કરતા વધુ કેસ તો ફક્ત પાંચ જ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના તીવ્ર ઝડપ પકડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં પણ કોરોના વધવાનો શરું થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 63294 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા નવા કેસના આંકડામાં સૌથી વધુ છે. રાજ્યમાં મુંબઈ પછી પુણેમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પુણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12377 નવા કોરોના કેસ આવ્યા છે તો 87 લોકોના મોત થયા છે. રાજધાની મુંબઈમાં પણ 24 લાકમાં 9989 કેસ આવ્યા છે. જ્યારે 58 લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર માટે એક સારો સંકેત એ પણ છે કે 34 હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ વધીને 81.65 ટકા થઈ ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં શનિવારે એક દિવસમાં 10774 નવા કેસ સામે આવ્યા છે. તો 48 કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 હજાર કરતા વધુ કેસ આવવા સાથે શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે લોકોને ખૂબ જ જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતા વધુ ખતરનાક છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ છત્તસીગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ સિહના રાજ્યોમાં કોરોના કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાં દરરોજ વધુને વધુ કોરોના નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેવા પ.બંગાળમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. તેમ છતા ત્યાં મોટી સંખ્યામાં રોડ શો અને રેલિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કોરોના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ તૈયારી કરી રહ્યું છે.

Reported on 10/4/21 : ભારતમાં કોરોના એક્ટીવ કેસ ૧૦ લાખથી વધી ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર તા.૧૦ એપ્રિલ ૨૦૨૧ના સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. પાછલા 28 દિવસમાં દેશમાં કોરોના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. ગતત 12 માર્ચે દેશમાં એક્ટિવ કેસ 2 લાખનો આંકડો પાર કર્યો હતો. જે બાદ આજે 9 એપ્રિલે એક્ટિવ કેસનો આંક 10 લાખને પાર થયો છે. એક્ટિવ કેસની ગણના પ્રતિ દિવસ નવા નોંધાયેલા કોરના કેસમાંથી તે દિવસે રિકવર થયેલા કુલ કેસને બાદ કરવામાં આવે છે. પછી જે આંકડો મળે છે તેને એક્ટિવ કેસ કહેવાય છે.

આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે.

દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે.

વેક્સીનેશન ૧૦ કરોડ સુધી પહોંચશે

કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.

April 10, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min536

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.

વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.
રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.