CIA ALERT

ક્રાઇમ Archives - Page 29 of 38 - CIA Live

January 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5590
  • બોટાદ, રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત
  • રોકડ, સોના-ચાંદીના દાગીના, છ મોબાઈલ સહિત રૂ.1.પ7 લાખનો મુદ્દામાલ કબજે

બોટાદ સહિતના અનેક જિલ્લાઓમાં તરખાટ મચાવનાર બોટાદના રાણપુર ગામની મારવાડી છારાગેંગના સગીર સહિત છ શખસોને એલસીબીના સ્ટાફે ઝડપી લઈ નાની-મોટી 100 ચોરીના ભેદ ઉકેલ્યા હતા અને રૂ.1.પ7 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની સત્તાવાર માહિતી મુજબ બોટાદના રાણપુર  ગામે ખોડિયારનગર (છારાનગર)માં રહેતો મારવાડી વનરાજ ઉર્ફે રીતીક શામજી રાઠોડ, મારવાડી આસીક રાકેશ રાઠોડ, મારવાડી વજેસિંહ રાજેસિંહ ચૌહાણ, મારવાડી ભસ્મા રમેશ રાઠોડ, મારવાડી અશ્વિન શામજી રાઠોડ અને સગીર કિશોર સહિતની મારવાડી છારાગેંગ બોટાદ સહિતના અન્ય જિલ્લાઓમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઝડપી લીધા હતા અને આકરી પૂછતાછ કરતા બોટાદ, રાજકોટ શહેર-ગ્રામય, કચ્છ-ભુજ, ભાવનગર, જામનગર, મોરબી, નડિયાદ, આણંદ સહિતના જિલ્લાઓમાંથી નાની-મોટી 100 ચોરીના ગુના આચર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે મારવાડી છારાગેંગ પાસેથી રૂ.1800 ની રોકડ તથા લેપટોપ, છ મોબાઈલ, પાણીની મોટર, સોના-ચાંદીના દાગીના  સહિત રૂ.1.પ7 લાખની માલમતા કબજે કરી હતી.

છારાગેંગ પરપ્રાંતીય મજૂરોના મકાનમાં દિવસે હાથફેરો કરી લેતા હતા. ચોરી કરવાના સ્થળે મજૂરોના ઝૂંપડા પાસે ઝૂંપડા બાંધતા હતા અને મજૂરો કામે ગયા  હોય ત્યારે દિવસે હાથફેરો કરી લેતા હતા. તેમજ શહેરી વિસ્તારમાં બપોરના સમયે મકાનોમાં હાથફેરો કરતા હતા. વજેસિંહ રાજસિંહ ચૌહાણ અગાઉ ટંકારામાં ચોરીના ગુનામાં અને રાણપુરમાં દારુ પીધેલાના ગુનામાં પકડાઇ ચુકયો છે.

January 3, 2019
russel-1280x720.jpg
1min17790

રુપિયા માટે લોકો કેવા કેવા ધંધા કરવામાં ઉતરી પડ્યા છે. ગુજરાતમાંથી પહેલું એવું કૌભાંડ પકડાયું છે જેમાં ગુજરાતના જંગલોમાંથી ઝેરી સાપ પકડીને મુંબઇ વેચી મારવામાં આવે છે. સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ રેન્જમાંથી એવા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ કોબ્રા, રસેલ વાઇપર જેવા 30 ઝેરી સાપ પકડીને મુંબઇ આપવાના હતા જેના બદલામાં મુંબઇના કૌભાંડ ઓપરેટરો તેમને રૂ.12 લાખ રોકડા આપવાના હતા.

મુંબઇમાં દવા બનાવતી કંપનીઓને અત્યંત ઉપયોગી સાપનું ઝેર વેચવાના ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જંગલોમાંથી 30 સાપ પકડવાના 12 લાખ રૂપિયા ઓફર આપતા હોવાનું બહાર આવ્યું છે. સાપને મુંબઈ લાવવાની જવાબદારી પરેશ અને રાહુલ દ્વારા કરવામાં આવતી હતી.

ગુજરાતમાં સાપ પકડવાનું કામ કરતા ચાર લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ ચાર જણા પાસેથી ગુજરાતમાં કોબ્રા અને ‘રસેલ વાઈપર’ જેવા ઝેરી સાપ ક્યાંથી મળે એની વિગતો લેવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે સાપ પકડવાનું કામ કરતા અને શહેરોમાંથી મળી આવતા સાપને જંગલમાં છોડવાનું કામ કરતા પરેશ પુરોહિત, સંદીપ મિસ્ત્રી, કિશન મિસ્ત્રી અને દિવ્ય સોનારાનો સંપર્ક કર્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી કામ નહીં મળતાં સાપ પકડવાનો શોખ રાખતા આ ચાર જણાને 30 સાપ પકડવા બદલ 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

મુંબઈના પરેશ અને રાહુલ એમની પાસેથી આ ઝેરી સાપ 15 જાન્યુઆરી પછી લેવા આવવાના હતા. આ ચારેય જણા સાપ વિષે જાણકાર હતા પરંતુ દક્ષિણ ગુજરાતમાં સાપ પકડવા મુશ્કેલ હતા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને ગીરના જંગલોમાં સાપ આસાનીથી પકડી શકાય એમ હોવાથી એમને અહીંથી સાપ પકડવાનું શરૂ કર્યું હતું આજે સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળતાં સફેદ કારમાં 3 સાપ સાથે એમની ધરપકડ કરી છે.

January 1, 2019
AgustaWestland-helicopter12.jpg
1min7690

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મોટી સફળતા મેળવતાં સીબીઆઈ આ સોદામાં લાંચ લેનારા ભારતીયો સુધી પહોંચી ગઈ છે. ભારતીયોએ 432 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા છે. તેવો દાવો એજન્સીએ કર્યો હતો.

ઓગસ્ટાએ મિશેલ અને ગુડકો હાસ્કેને 432 કરોડની રકમ ભારતમાં ચૂકવવા માટે આપી હતી, તેવું તથ્ય પુરવાર કરી શકે તેવા દસ્તાવેજો મેળવી લીધા હોવાનું સીબીઆઈ જણાવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર મિશેલ અને હાસ્કેએ આઠ મે, 2011ના દુબઈમાં તૈયાર કરેલા એક કરારમાં આ રકમનો ઉલ્લેખ હતો.
દુબઈમાં આ બેઠક બન્ને પક્ષના વચેટિયાઓ વચ્ચે પૈસાની વહેંચણી અંગે સમજૂતી કરવા માટે યોજાઈ હતી. અગાઉ બન્ને વચેટિયાઓમાં વિવાદ હતો.

December 29, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5490

એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડીને ચાર જણની ધરપકડ કરી હતી. ડ્રગ્ઝનો આ જથ્થો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી ભિવંડી લવાયો હતો અને બાદમાં તે એર-કાર્ગો દ્વારા વાયા મેક્સિકો થઇ અમેરિકા પાઠવવામાં આવનાર હતો, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. બીજી તરફ પકડાયેલા ચારમાંથી એક આરોપી એક સમયે ઇકબાલ મિરચી ટોળકીનો સભ્ય રહી ચૂક્યો હોવાથી દાઉદ ગેન્ગ સાથે કોઇ કડી હોવાની શંકા પણ પોલીસ તપાસી રહી છે.

  • એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના આઝાદ મેદાન યુનિટે પાર્લા વિસ્તારમાંથી રૂ. એક હજાર કરોડની કિંમતનું ફેન્ટાનીલ ડ્રગ્સ પકડી પાડ્યું
  • વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું
  • ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો
  • ભીવંડીના ગોડાઉનમાંથી આ જથ્થો અમેરિકા મોકલવાનો હતો

એએનસીના અધિકારીઓએ વિલે પાર્લે પૂર્વમાં સુભાષનગર વિસ્તારમાંથી સલીમ ડોલા, ચંદ્રામણિ તિવારી, સંદીપ તિવારી અને ઘનશ્યામ સરોજને પકડી પાડીને 100 કિલો ફેન્ટાનીલ જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સલીમ ડોલાને 1998માં નાર્કોટિક્સ ક્ધટ્રો બ્યુરોએ મેન્ડ્રેક્સ ટેબ્લેટ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં જુલાઇ, 2013માં પવઇ વિસ્તારમાંથી રૂ. 15 કરોડના ડ્રગ્સ સાથે તેની ફરી ધરપકડ કરાઇ હતી. 2017માં ડીઆરઆઇના ઓફિસરોએ રૂ. પાંચ કરોડના ગુટખા સાથે તેને પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ફેન્ટાનીલનો આ જથ્થો જામનગરથી આવ્યો હતો અને ભિવંડીના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ બાદમાં અમેરિકા પાઠવવાનો હતો, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હોવાથી પોલીસની એક ટીમ ગુજરાત રવાના કરાઇ છે. ફેન્ટાનીલ ગુજરાતના જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી લવાયું હતું તેની માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.

આરોપી ચંદ્રામણિ તિવારી કાંદિવલીના ઠાકુર વિલેજ ખાતે મોબાઇલની દુકાન ધરાવે છે, જ્યારે સંદીપ તિવારી બેરોજગાર છે. ઘનશ્યામ સરોજ ડ્રાઇવર છે અને તેની પાસે કાર છે, જેમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

December 27, 2018
court.jpg
1min6240

નાગપુરમાં આવેલી સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલે કોર્ટ પરિસરની અંદર ન્યાયાધીશ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી. આ જિલ્લા ઘટના બુધવારે સેશન્સ કોર્ટના સાતમા માળે લિફ્ટની બહાર બન્યો હતો. ન્યાયાધીશે કરેલી ફરિયાદ મુજબ સિનિયર સિવિલ જજ (ન્યાયાધીશ) કે. આર. દેશપાંડેને મદદનીશ સરકારી વકિલ ડી. એમ. પરાટેએ કોર્ટરૂમની બહાર લાફો માર્યો હતો.

આરોપી વકિલ એક કેસના ન્યાયાધીશે આપેલા ચુકાદાથી ગુસ્સે ભરાયો હતો, જેને પગલે તેણે ન્યાયાધીશને લાફો માર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. જો કે, હજી સુધી આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી નથી. સરકારી અરજદાર નીતિન તેલગોટેએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યા અનુસાર ‘તેણે (આરોપી વકીલે) આવું કરવું જોઇતું નહોતુુંં. જો તેને કોઇ ફરિયાદ હતી તો તેની યોગ્ય રીતે રજૂઆત કરવી જોઇતી હતી. વકીલો પાસેથી આપણો સમાજ આવી અપેક્ષા નથી રાખતો.’

https://scroll.in/latest/907120/maharashtra-assistant-prosecutor-allegedly-slaps-judge-inside-court-premises-in-nagpur

December 25, 2018
CIA_Live_Logo_New2.jpg
1min12680

સુરતના ગોડાદરા ખાતે આજે અઘટિત ઘટના બની હતી. કિન્નરો પાસેથી ઉછીના રૂપિયા લઇ ગયેલા યુવકની ભાળ મેળવવા માટે સુરતના ગોડાદરા વિસ્તારમાં પહોંચેલા કિન્નરોના એક જૂથના હાથે ઉછીના રૂપિયા લેનાર યુવાન તો આવ્યો નહીં પણ તેનો મિત્ર આવી ચઢ્યો હતો.

ઉછીના રૂપિયા લેનાર યુવકના મિત્ર સાથે પ્રાથમિક જીભાજોડી બાદ મામલો બિચક્યો હતો અને કિન્નરોના જૂથે ઉછીના રૂપિયા લેનાર યુવાનના મિત્રની જે ધોલાઇ શરૂ કરી એ નો રિયલ વિડીયો અત્રે પ્રસ્તુત છે. વાચકોએ આ પ્રકારનો વિડીયો અગાઉ ક્યારેય નહીં જોયો હોય.

કિન્નરોને યુવાન પર એટલો રોષ હતો કે તેના કપડા ફાડીને ઢોર માર માર્યો હતો. કેટલાક કિન્નરોએ પણ નિર્વસ્ત્ર થઇને તેને શ્રાપ આપ્યો હતો.

આ વિડીયો તમને વિચલિત કરી શકે છે. ફક્ત પુખ્ત વયના વાચકો એ જોવો હિતાવહ છે.

December 22, 2018
CIA_Live_Logo_New2.jpg
1min9080

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે સુરત શહેરમાં બે સ્થળોએ ચાલી રહેલી મહિલાઓની શરાબ પાર્ટીમાં પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી પાડી. પહેલો કેસ હાઇપ્રોફાઇલ અને બીજો કેસ મિડલ ક્લાસનો હતો. માલેતુજાર મહિલાઓને ઉમરા પોલીસે બ્લડ સેમ્પલની કાર્યવાહી બાદ ઘરે જવા દીધી અને સગરામપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા મિડલ ક્લાસ કેસમાં અઠવા પોલીસે 4 મહિલા સમેત 14ને આખી રાત લોકઅપમાં રાખ્યા હતા. પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાને કેસ આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે કેવા પગલાં ભરવામાં આવે છે

ઉમરા પોલીસની ઓઇસ્ટર હોટેલમાં રેડ કેસ, અહીંથી હાઇપ્રોફાઇલ માલેતુજાર મહિલાઓ ઝડપાઇ હતી, જેને બ્લડ સેમ્પલ લીધા બાદ ઘરે જવા દેવાઇ, રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી

હાઇપ્રોફાઇલ કેસમાં પીપલોદ સ્થિત ઓઇસ્ટર હોટેલમાં પોલીસ કમિશનરની સીધી સૂચનાથી ઉમરા પોલીસે પાડેલી રેડમાં શહેરના કહેવાતા ખાનદાન ઘરાનાઓની 21 જેટલી મહિલાઓ દારુનો નશામાં ધૂત ઝડપાઇ જવા પામી હતી. પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ માટે મોકલી આપી હતી. દારુના નશામાં ઝડપાયેલી શહેરના કરોડોપતિ પરિવારોની મહિલાઓના બ્લડ સેમ્પલ લેવાઇ ગયા પછી આશ્ચર્યજનક રીતે ઉમરા પોલીસે મહિલાઓને ઘરે જવા દીધી. રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી. સ્થળ પર ઉપસ્થિત લોકોએ મહિલાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાની ફરીયાદો કરી હતી. પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસે હાઇપ્રોફાઇલ કેસમાં દારૂ પીને ઝડપાયેલી મહિલાઓ પરત્વે કયા કારણથી સોફ્ટ કોર્નર રાખીને ઘરે જવા દીધી એ તપાસનો વિષય બન્યો છે.

Video 01

Video 02

અઠવા પોલીસ મથકે સગરામપુરા ખાતે ચાલી રહેલી દારુની મહેફિલમાં રેડ પાડીને 5 મહિલા સમેત 14ને પકડ્યા હતા, બ્લડ સેમ્પલ લીધા બાદ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી અને રાત્રે તમામને લોકઅપમાં જ રાખવામાં આવ્યા હતા

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે જ શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં પોલીસે દારુની મહેફીલ પર રેડ પાડીને કુલ 14 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસે દારુ પીને ઝડપેલા 14 પૈકી 5 મહિલાઓ હતી. તમામને નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ અપાવડાવ્યા બાદ અઠવા પોલીસે પોતાના લોકઅપમાં મૂકી દીધા હતા. અઠવા પોલીસે રાત્રે જ દારૂની મહેફિલ અંગેની એફ.આઇ.આર. નોંધી દીધી હતી. અને 5 મહિલાઓ સમેત કુલ 14 ની ધરપકડ પણ બતાવી દીધી હતી.

ઉમરા અને અઠવા પોલીસ મથકની કામગીરીમાં એક જ વિરોધાભાસ, દારુબંધીના નિયમો બન્ને પોલીસ મથકના અલગ અલગ કેમ

ઉપરોક્ત બન્ને કેસમાં વિરોધાભાસ એ જ છે કે સુરત શહેરની હદમાં બનેલા આ બન્ને કેસ પૈકી ઉમરા પોલીસે માલેતુજાર મહિલાઓને રાત્રે ઘરે કેમ જવા દીધી એ પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્યમાં દારુબંધીનો કાયદો સમાન છે, પોલીસ કમિશનરની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસના દારુબંધીના કાટલા કેમ અલગ. ઉમરા પોલીસની શંકાસ્પદ ભૂમિકા હવે છૂપી રહી નથી. પીપલોદની ઓયસ્ટર હોટલમાંથી ઝડપાયેલી મહિલાઓને વીઆઇપી ્ટ્રીટમેન્ટ આપવાના મુદ્દે વગોવાઇ ગયેલી ઉમરા પોલીસ કયા સંજોગોમાં માલેતુજાર મહિલાઓને ઘરે જવા દીધી એનો જવાબ સંભવતઃ પોલીસ કમિશનર માગશે તો તમામ રહસ્યો ઉજાગર થઇ શકે તેમ છે.

December 22, 2018
shangani_solanki.jpg
1min5780

રાજ્યમાં છેલ્લા 19 વર્ષોથી ચાલી રહેલા ભાજપાના શાસનમાં દાયકાઓ અગાઉ થઇ ચૂકેલા કૌભાંડોના હાડપિંજર હવે બહાર આવી રહ્યા છે. એક પછી એક કૌભાંડો બહાર નીકળશે. તાજેતરમાં મત્સ્ય વિભાગમાં થયેલા રૂ.400 કરોડના જંગી કૌભાંડની વિગતો સપાટી પર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે એક પૂર્વમંત્રી દિલિપ સંઘાણી અને એક વર્તમાન મંત્રી પુરુષોત્તમ સોલંકી બન્નેને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. વાંચો ફુલ સ્ટોરી અહીંયા.

400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે હાઇકોર્ટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ દિલિપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને ઝટકો આપ્યો છે. રાજ્યસરકારના પ્રધાન પુરુસોત્તમ સોલંકી અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને હાઇકોર્ટે 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોના તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બન્ને કોન્ટ્રક્ટરો પર કેસ ચાલી રહ્યો છે જેને લઇને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલિક ફગાવીને હાઇકોર્ટે બન્ને નેતાઓને 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. પરિણામે આ બન્ને નેતાઓ સામે હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

  • રૂ.400 કરોડની જંગી રકમના મત્સ્ય કૌભાંડની સિલસિલાબદ્ધ વિગતો

  • ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી
  • ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો
  • વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા
  • મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો
  • ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • મહત્વનું છે કે, 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઇ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવી હતી. આ બન્ને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટના આધારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે હાઇકોર્ટે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને રાહત આપવાની ના કહી દીધી છે.
  • મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી
  • દિલીપ સંઘાણીએ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચર્ચા જગાડનાર આ ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો. જેમાં વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા પરંતુ મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો. ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા.

આ સમયે કૃષિ અને મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણી હતા. તેમણે રાજ્યકક્ષાના પ્રધાને નિયમ વિરુદ્ધ આપેલા કોન્ટ્રાક્ટમાં સુપરવિઝન કરવાની જવાબદારી નિભાવવાના બદલે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું એટલું જ નહીં પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેમણે આ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

December 21, 2018
Sohrabuddin.jpg
1min7720

સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે 13 વર્ષ પછી આજે ચુકાદ આવ્યો છે. વર્ષ 2005ના આ કેસમાં આરોપી તરીકે નોંધાયેલા 22 લોકો ને નિર્દોષ છોડી દેવાનો હુકમ કોર્ટે કર્યો છે. આરોપીઓમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આ મામલાની સુનાવણી કરીને આજે અંતિમ ચૂકાદો આપ્યો હતો.

(File Photo of Sohrabbudin)

કેસ દરમિયાન પ્રોસિક્યુશન પાર્ટીના આશરે 92 સાક્ષીઓ ફરી ગયા. બીજેપી અધ્યક્ષ અમિત શાહ આરોપી હોવાને કારણે આ મામલો સુરખીઓમાં કહ્યો. શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા. વર્ષ 2014માં બીજેપી અધ્યક્ષ આ મામલે આરોપમાંથી મુક્ત થઈ ગયા.

વિશેષ કોર્ટે વધુ જણાવ્યું કે તુલસીરામ પ્રજાપિતનું મર્ડર કાવતરાના ભાગરૂપે થયું હતું તે બાબત સત્ય નથી.સોહરાબુદ્દીન કેસમાં પુરતા પુરાવા નથી મળ્યા તેમજ સાંયોગિક પુરાવા પણ પુરતા નથી જેને પગલે પુરાવાના અભાવે 22 ગુનેગારોને દોષમુક્ત કરવાનો ચુકાદો સ્પેશિયલ સીબીઆઈ જજે આપ્યો હતો.

26 નવેમ્બર 2005ના અમદાવાદમાં કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનું બોગસ એન્કાઉન્ટરમાં મર્ડર કરાયું હતું અને તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ હત્યા કરી તેની લાશ સગેવગે કરી દેવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાના એક વર્ષ બાદ 27 ડિસેમ્બર 2006ના તુલસીરામ પ્રજાપતિને પણ ગુજરાત અને રાજસ્થાન પોલીસે છાપરી ગામની બોર્ડર નજીક બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

December 21, 2018
rajnish.jpg
1min4930
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે પડ્યા હતા
  • મુંબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ચુકાદો આપે તે પહેલા જ રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજનીશ રાયે આ કેસમાં સરકાર સામે બાંયો ચડાવી હતી

રજનીશ રાયે લાંબા સમયથી સેવાનિવૃતિની માંગ કરી હતી. પરંતુ તે દરખાસ્ત મંજૂર ન કરવામાં આવી અને અચાનક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલા જ સરકારે નિર્ણય આપ્યો છે. ગુજરાત કેડરના IPS રજનીશ રાય CID ક્રાઈમમાં હતા અને સોહરાબુદ્દીન કેસની તપાસ કરતા હતા.

તા.19મી ડિસેમ્બર 2018ના રોજ રજનીશ રાયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ લીધી હતી. જો કે સરકારે તેમની સેવાનિવૃતિ મંજૂર નહોતી કરી. ગૃહ મંત્રાલયે તેમની અરજી મંજૂર ન કરતા તેમણે કેંદ્રીય પ્રશાસનિક અધિકરણમાં અપીલ કરી હતી, જે બાદ કેંદ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. જેના પર એક જાન્યુઆરી 2019ના તેના પર સુનાવણી થવાની હતી. તે પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની તપાસ કરતા રજનીશ રાયે ગુજરાત કેડરના વરિષ્ઠ IPS ડી જી વણઝારા, IPS અભય ચુડાસમા અને રાજસ્થાન કેડરના IPS દિનેશ MNની ધરપકડ કરી હતી. જે બાદ તેની દેશભરમાં ચર્ચા થઈ હતી.