દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને બોંબ તા.2જી ફેબ્રુઆરી 2019ની રાત્રે દોઢ વાગ્યે ફુટશે એવી માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ એલર્ટ કરી દેવાયો હતો, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ એરપોર્ટ પર ધસી ગયા હતા. કહેવાતા બોંબને શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણો ખૂણો ખૂંદી કાઢ્યો.
અમદાવાદના ઈન્ટરનેશલ એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળતા ગઇ મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને આ માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતને એલર્ટ કરી દેવાયો હતો.
બોંબ મૂકાયાના મેસેજ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું.
સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, બોંબ શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણેખૂણો ખૂંદી કાઢ્યો હતો.
અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પહોંચીને તપાસ પર નજર રાખી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ મહેતાના નામના કોઈ શખ્સે ફોન કરીને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ આપ્યો હતો. મેસેજ પ્રમાણે 1.30 વાગે બોમ્બ ફૂટવાની ચેતવણી અપાઈ હતી.
આ મેસેજને કારણે એરપોર્ટની સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ હતી. દોડધામને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા વધારી દેવામાં આવી હતી.














