CIA ALERT

ક્રાઇમ Archives - Page 30 of 38 - CIA Live

December 15, 2018
arun_jaitly.jpg
1min5210

સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કો (PSB – પબ્લિક સેક્ટર બૅન્ક્સ)એ ઇરાદાપૂર્વકના ડિફૉલ્ટર્સ સામે ૨૫૦૦થી વધુ FIR દાખલ કર્યા છે અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે, એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદને તા.13મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું.

PSB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિલફુલ ડિફૉલ્ટર્સ સામે ૨૫૭૧ FIR નોંધવામાં આવ્યા છે, તેમની પાસેથી વસૂલાત માટે ૯૩૬૩ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને વિલફુલ ડિફૉલ્ટર્સના ૭૬૧૬ કેસમાં સિક્યૉરિટાઇઝેશન ઍન્ડ રીકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનૅન્શિયલ ઍસેટ્સ ઍન્ડ એન્ર્ફોસમેન્ટ ઑફ સિક્યૉરિટી ઇન્ટરેસ્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ અરુણ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

December 12, 2018
sonakshi1.jpg
1min23350

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.

સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’

December 10, 2018
hukka.jpg
1min13840
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 6, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4860
  • લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકી
  • પરીક્ષા આપવા માટે સુરત ખાતે આવ્યો હતો
  • યશપાલસિંહ મહિસાગરના વીરપુર પાસેથી ઝડપાયો
  • યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર જોબ કરે છે

લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં પોલીસે મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકીને ઝડપી પાડ્યો છે. મોડી રાત્રે પોલીસે આરોપી યશપાલસિંહ સોલંકીની ધપકડ કરી.પોલીસે યશપાલસિંહને મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો. પેપર લીક કેસમાં યશપાલસિંહે પેપર ગુજરાત આવી મનહર પટેલને આપ્યું હતું અને ત્યારબાદ પીએસઆઈ પટેલ, રૂપલ શર્મા અને મુકેશ ચૌધરીને મળ્યું હતું.

આરોપી યશપાલસિંહ ઝડપાતા આ કેસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે. યશપાલસિંહને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ટાવર લોકેશનના આધારે મહિસાગર તરફ આરોપી હોવાનું ધ્યાને આવતા પોલીસે મોડી રાતે તેને ઝડપી લીધો હતો.

યશપાલસિંહ સોલંકી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. તેનો નંબર પરીક્ષા આપવા માટે સુરત ખાતે આવ્યો હતો. જોકે, પેપર લીક થઈ જતાં યશપાલ સુરતથી ગાયબ થઈ ગયો હતો. યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમજ છેલ્લા 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઇલ નંબર પણ બંધ થઈ ગયો હતો.  યશપાલસિંહ ફાઇલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કોર્પોરેશનના ડે. કમિશ્નર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થઇ હતી.

December 3, 2018
paper_scam.jpg
1min5120

2 ડિસેમ્બર 2018ના રોજ રાજ્યના 9 લાખ જેટલા ઉમેદવારો જેમાં બેસવાના હતા એ પોલીસ લોકરક્ષકની રાજ્યવ્યાપી પરીક્ષા શરૂ થાય તેના થોડા જ કલાક પહેલાં પરીક્ષા ‘રદ’ કરી દેવામાં આવી હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થઇ જતા પરીક્ષા રદ થઇ હતી. પરીક્ષા રદ કરવાને પગલે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ સમેત ભાજપાની પણ ભારે બદનામી થઇ હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફોડનારાઓને સકંજામાં લેવા માટે પોલીસે ભારે પ્રયાસો કરીને સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને હજુ ઝડપવાનો બાકી છે.

  • લોકરક્ષક પરીક્ષાના પેપર કાંડમાં 4ની ધરપકડ

  • વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલ
  • અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ
  • બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી
  • ગાંધીનગરની રૂપલ શર્મા

પોલીસ રક્ષકદળની રાજ્યવ્યાપી પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટના અંગે તા.2 ડિસેમ્બર 2018ના રોજ ગાંધીનગર સેક્ટર 7નાં પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૨૦-બી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલામાં સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં એક વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી તેમજ રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હીમાં પેપરની આન્સર કી તૈયાર કરાવડાઇ

પોલીસની પ્રારંભિક તપાસમાં જ વડોદરાના યશપાલસિંહનું નામ ખૂલ્યું હતું. લુણાવાડાનો યશપાલ સોલંકી ૨૯-૩૦ નવેમ્બરના રોજ વડોદરાથી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીમાં તેણે પેપરના તમામ સવાલોના જવાબ મેળવ્યા હતા. યશપાલ સિંહ ૧ ડિસેમ્બરના રોજ ફ્લાઈટ મારફતે વડોદરા પરત ફર્યો હતો. યશપાલસિંહ દિલ્હી જઈને આવ્યો અને પેપરની આન્સર કી દિલ્હીમાંથી લઈને આવ્યો હતો.
November 29, 2018
online_fraud-1280x720.jpg
1min12840

ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા સાઇટ્સ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વગેરે પર મૂકવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી બધી માહિતી, વિડીયો, ફોટા કે અન્ય મટિરિયલ્સ પર ભરોસો મૂકનારા મોટા ભાગે પસ્તાયા છે. ઇન્ટરનેટ પર મૂકાતી માહિતીને વેરાફાય થઇ શકે નહીં, અને ખુદ ભરોસો મૂકનારે વેરીફાય કર્યા પછી આગળ વધવું જોઇએ અન્યથા મુંબઇની એક યુવતિને આવો અનુભવ કેટલા રૂપિયામાં પડ્યો એ જાણીને તમે ક્યારેય ઇન્ટરનેટ પરની માહિતીને સાચી નહીં માની બેસો એ વાતની ગેરન્ટી છે.

મેટ્રીમોનિયલ સાઇટ પર યુવક સાથે થયેલો પરિચય 32 વર્ષની યુવતીને ભારે પડયો હતો. વિદેશમાં એરપોર્ટ પર મની લોન્ડરિંગની શંકા પરથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ વિભાગે તાબામાં લીધો હોવાનું જુઠ્ઠાણું ચલાવી યુવતી પાસેથી રૂ. 26.49 લાખ પડાવવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ નિમેશ ચોટલિયા તરીકે થઇ હતી. ધરપકડ બાદ નિમેશને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 4 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી કરતી યુવતીએ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ મેટ્રીમોનિયલ સાઇટ મારફત તેનો પરિચય નિમેશ સાથે થયો હતો. નિમેશે તેને કહ્યું હતું કે તેણે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈની બીકેસી ખાતે આવેલી કંપનીમાં હાર્ડવેર નેટવર્કિંગ વિભાગનો હેડ છે. તેણે યુકેની અનેક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. દરમિયાન યુવતીએ નિમેશના માતા-પિતા સાથે લગ્ન વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું, પણ વરલીમાં ફ્લેટ લીધા બાદ વાતચીત કરવાનું નિમેશે તેને કહ્યું હતું.

દરમિયાન તેણે યુવતીને કહ્યું હતું કે તે લંડન જઇ રહ્યો છે અને ત્યાંથી તે ન્યૂ યોર્ક આવીને તેને મળશે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તેને ન્યૂજર્સી ખાતે એરપોર્ટ પર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વિભાગે મની લોન્ડરિંગની શંકા પરથી તાબામાં લીધો હતો અને તેમાં યુવતીનું નામ આવ્યું હોવાથી આમાંથી અમેરિકન ડોલર તેના મુંબઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું યુવતીને જણાવ્યું હતું. યુવતીએ વખતોવખત 37,122 અમેરિકન ડોલર (રૂ. 26.49 લાખ) નિમેશના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન યુવતીને શંકા જતાં તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર નિમેશે આપેલા સરનામે જઇને તેના પરિવારને મળવા માટે પોતાના પિતાને કહ્યું હતું. આથી યુવતીના માતા-પિતા નિમેશના પાર્લામાં આવેલા ઘરે ગયા હતા, જ્યાં નિમેશ પાંચ વર્ષમાં ક્યારે પણ વિદેશ ગયો ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

November 27, 2018
whatsapp.jpg
1min22390

મુંબઇમાં એક એવા વ્હોટ્સએપ ગ્રુપ એડમિનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એ વ્હોટ્સએપ ગ્રુપ એડમિને એક મહિલાનો ફોન નંબર ગ્રુપમાં સામેલ કર્યો હતો, આ ગ્રુપમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હતું.

મૂળ કોલકાત્તાના રહીશ 24 વર્ષિય મુસ્તાક અલી શેખ જે વ્યવસાયે સુથારી કામ કરે છે એ વ્હોટ્સએપ ગ્રુપનો એડમિન છે અને તેની સામે મુંબઇ પોલીસે આઈપીસીની મહિલા સન્માન વિરુદ્ધ વિપત્તીજનક વ્યવહાર તેમજ આઇ.ટી. એક્ટની કલમ 67 અને 67-એ અન્વયે ગુનો દાખલ કરીને તેને જેલ ભેગો કર્યો છે.

માટુંગા પોલિસે મુસ્તાક અલી શેખની ધરપકડ ગત 15મી નવેમ્બર 2018ના રોજ કરી હતી. મુસ્તાક અલી સામે ફરીયાદ કરનાર મારુતિ શેલ્કે નામની મહિલાએ પોતાની ફરીયાદમાં લખાવ્યું હતું કે તેનો મોબાઇલ નંબર ત્રિપલ એક્સ નામના એક વ્હોટ્સ એપ ગ્રુપમાં ગત સપ્ટેમ્બર 2017થી દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાને પહેલા અેવું લાગ્યું કે તેના કોઇક મિત્રએ જ મજાકના હેતુથી ત્રિપલ એક્સ નામના વ્હોટસ એપ ગ્રુપમાં તેણીનો નંબર દાખલ કર્યો હશે એટલે નજર અંદાજ કરી હતી એ બાબત. પણ દિવસ જતા ત્રિપલ એક્સ ગ્રુપમાં બિભત્સ વિડીયો, ફોટાએ તેમજ અશ્લીલ કન્ટેન્ટની ભરમાર પોસ્ટસ રોજેરોજ કરવામાં આવતી હતી. આથી મારુતિ શેલ્કેએ પોલીસને ફરીયાદ આપવી પડી હતી.

મારુતી શેલ્કેએ પોતાની ફરીયાદમાં જણાવ્યું કે ગ્રુપમાં 12 મેમ્બર્સ છે અને તેમાંથી કોઇને એ મહિલા ઓળખતી ન હતી. એટલું વાહિયાત કન્ટેન્ટ પોસ્ટ કરવામા આવતું હતું કે તેણીએ પોલીસ ફરીયાદ નોંધાવવી પડી હતી. પોલીસે મારુતિ શેલ્કેની ફરીયાદને આધારે પશ્ચિમ બંગાળનો નંબર જે મોબાઇલ કંપનીએ ઇશ્યુ કર્યો હતો તેની તપાસ કરતા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જણાવ્યું કે વ્હોટ્સ એપ ગ્રુપ એડમિન મુશ્તાક અલી શેખ ના નામે નંબર ઇશ્યુ છે અને એ પશ્ચિમ બંગાળ નહીં મુબઇમાં જ રહે છે અને ત્યાં જ મોબાઇલનો વપરાશ કરે છે. મુંબઇ પોલીસે મુશ્તાક અલી શેખની સાયન-ધારાવી એરિયામાંથી શોધી કાઢીને ધરપકડ કરી ત્યારે તેણે બચાવમાં કહ્યું કે મહિલા મારુતી શેલ્કેનો નંબર ભૂલથી એડ થઇ ગયો હશે, હકીકતમાં મુશ્તાક શેખને એમ હતું કે એ નંબર તેના સાળાનો છે. પોલીસે તેની વાત ગ્રાહ્ય ન રાખીને તેને કસ્ટડીમાં લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઇ પોલીસે મુશ્તાક શેખનો નંબર ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યો છે. આ કારણે ગ્રુપના અન્ય 11 મેમ્બર્સ પણ મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. પોલીસ તેમના નંબરની પણ તપાસ કરી રહી છે. મુશ્તાક અલી શેખ જો કસૂરવાર ઠરશે તો તેને પાંચ વર્ષની જેલની સજા અને રૂ.10 લાખનો દંડની સજા થાય તેવી શક્યતાઓ છે.

મુંબઇ પોલીસે વ્હોટ્સ એપ ગ્રુપ વપરાશકારો તેમજ એડમિન્સને પણ ચેતવ્યા કે વ્હોટ્સ એપ ગ્રુપમાં કેવા પ્રકારની પોસ્ટસ મેમ્બર્સ કે ગ્રુપ દ્વારા મૂકવામાં આવે છે તેના પર સતત વોચ રાખવી જોઇએ અને જે લોકો અશ્લીલ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મૂકતા હોય તેમની સામે તરત જ રિપોર્ટ પોલીસમાં કરવો જોઇએ.

November 26, 2018
shah_couple_open.jpg
1min7790

અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચભરી સ્કીમ અન્વયે રૂપિયા ઉઘરાવ્યા બાદ રફૂચક્કર થઇ ગયેલા વિનય શાહ અને ભાર્ગવી શાહ દંપતિ આખરે નેપાળમાં ઝડપાયું હોવાના અહેવાલો છે. અમદાવાદ સમેત આખા ગુજરાતમાંથી આ દંપતિએ રૂ.260 કરોડ જેટલી માતબર રકમ પોન્ઝી સ્કીમ અન્વયે લોકો પાસેથી વસુલીને ફરાર થઇ ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ રૂ.260 કરોડ રૂપિયાના કૌભાંડ કરનાર વિનય શાહની નેપાળના કાઠમંડુમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં એકના ડબલ કરવાની લાલચે લોકોના રૂપિયા ચાંઉ કરી જનાર વિનય શાહ છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં છુપાયો હોવાની બાતમી મળતા ગુજરાત પોલીસે નેપાળ પહોંચીને અને વિનય શાહને ઝડપી લીધો છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતા શાહ દંપતિ, વિનય શાહ અને ભાર્ગવી શાહ વિરુદ્ધ માર્કેટિંગના બિઝનેસ દ્વારા એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ હતી. ઠગ શાહ દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની પાંચ ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજિત 250 લોકોએ 4500 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનું રોકાણ આ સ્કીમમાં કરેલું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર કૌભાંડ 260 કરોડ રૂપિયાનું છે.

November 24, 2018
tn_midday.png
1min7410

તમિલનાડુમાં ઇન્કમ ટેક્સના દરોડા દરમિયાન એક બ્લેકલિસ્ટેડ કંપનીને મિડ ડે મિલ (મધ્યાહન ભોજન) યોજનામાં વિવિધ ચીજવસ્તુઓના સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં સરકારી અધિકારીઓને રૂ.2400 કરોડની રકમ લાંચ પેટે અને તે પણ તેમના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ઇન્કમ ટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તમિલનાડુમાં આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજ્ય સરકારની મિડ ડે મીલ (મધ્યાહન ભોજન) યોજનામાં ચાલી રહેલા મસમોટા કૌભાંડના દસ્તાવેજો મળ્યા છે. મધ્યાહન ભોજન યોજનામાં તમિલનાડુ સરકારને દાળ, પામ ઓઇલ, ઇંડા જેવી સામગ્રી પૂરી પાડતી ક્રિસ્ટી ફ્રાઇડગ્રામ ઇન્ડસ્ટ્રીમાં ઇન્કમ ટેક્સની રેઇડ દરમિયાન આ કૌભાંડ મળી આવ્યું હતું. કંપની બ્લેક લિસ્ટેડ હોવા છતાં તેને કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના બદલામાં રૂ.
2400 કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાના પૂરાવા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ દસ્તાવેજોમાં વિતેલા વર્ષોમાં કરોડો રૂપિયાના હિસાબ મળી આવ્યા હતા, આ રૂપિયા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને તેમના સંબંધીઓના બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ સરકારી અધિકારીઓના સિરે ખાદ્ય સામગ્રીના ઓર્ડર આપવા અને યોજના સાથે જોડાયેલ બિલોની ચૂકવણી કરવાની જવાબદારી હતી.
રિપોર્ટ મુજબ 2014માં આ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ કંપની તેના આઇટી રિટર્નમાં નફાની ખોટી વિગતો આપી રહી હતી. આ સિવાય કંપનીએ બેન્ક લોન માટે જમા કરાવેલ દસ્તાવેજા અને અન્ય દસ્તાવેજોમાં ફેરફાર જણાયો હતો. લાંબા સમયથી આવકવેરા વિભાગ કંપનીની જાણકારી મેળવી રહી હતી. પરંતુ જ્યારે તપાસ હાથ ધરી તો તેમના હાથે સરકારી અધિકારીઓને કરોડો રૂપિયા લાંચ અપાઇ હોવાના પૂરાવા લાગ્યા હતા.
November 20, 2018
kejri.jpg
1min6260

(કેજરીવાલ પર મરચાની ભૂંકી નાંખનાર અનિલ કુમારની તસ્વીર)

નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણાં લાંબા સમય બાદ ફરી વિવાદમાં આવ્યા છે. આજરોજ તા.20મી નવેમ્બર 2018ને મંગળવારે બપોરે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની તેમની ચેમ્બરમાંથી લંચ માટે બહાર આવ્યા હતા ત્યારે અનિલ કુમાર નામના શખ્શે અરવિંદ કેજરીવાલના ચહેરા પર લાલ મરચાની ભૂકી નાંખીને હુમલો કર્યો હતો.

મરચાની ભૂંકીને લીધે અરવિંદ કેજરીવાલને થોડી તકલીફ થઇ હતી. જોકે, તેમના સિક્યુરિટી પર્સન્સએ તાબડતોબ તેમને કવર કરી લીધા હતા. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકનાર અનિલ કુમાર નામના શખ્સને ડિટેઇન કરી દીધા છે. હાલમાં અનિલ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલની પાર્ટી આપના પ્રવકત્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાની ભૂંકી ફેંકવાની ઘટનાને દિલ્હી પોલીસની ગંભીર બેજવાબદારી અને સલામતિ વ્યવસ્થા પર મોટી ચૂક ગણાવી હતી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસના રાજમાં દિલ્હીના મુખ્મમંત્રી પર મરચાની ભૂકીથી હુમલો કરવાની ઘટના અત્યંત ગંભીર છે.