એચએમપી વાઇરસ એટલે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાઇરસ શ્વસન સંવેદનાત્મક વાઇરસ (RSV) સાથે ન્યુમોવિરિડે પરિવારનો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઇરસ 200 થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી પેદા થયો હતો. પરંતુ ત્યારથી આ વાઇરસ વારંવાર વિકસિત થઈ રહ્યો છે. હાલમાં પક્ષીઓ આ વાઇરસથી સંક્રમિત નથી.
હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી. જેમ આ વાઇરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.
ભારતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપીવી)ના અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. બેંગલુરુમાં નિયમિત પરીક્ષણોમાં ICMRને બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બે મહિનાના બાળકમાં આ વાઇરસનાં લક્ષણો દેખાયાં છે.
તાવ
ખાંસી, બંધ નાક
ગળામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ
બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું જોખમ
દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. સુરેશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે “HMP વાઇરસ નવો નથી. છેલ્લાં 20 વર્ષથી લોકો આ વાઇરસથી વાકેફ છે અને શિયાળા દરમિયાન આ ચેપના કેસ નોંધાય છે. આ ફ્લૂના વાઇરસ જેવો જ છે.”
આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી) એ જણાવ્યું કે “આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી.”
નિપાહ અને અન્ય ચેપી રોગ માટે બનેલા કેરળનાં વન હેલ્થ સેન્ટરના નોડલ ઑફિસર ડૉ. ટી.એસ. અનીશે જણાવ્યું હતું કે “એચએમપી વાઇરસ અને કોવિડ-19 બંને અલગ છે.”
“કોવિડ-19 એક નવો જ વાઇરસ હતો. આ કારણોસર કોઈપણ વ્યક્તિમાં તેનો સામનો કરવાની પ્રતિરોધ ક્ષમતા નહતી.
અહેવાલ પ્રમાણે તબીબી નિષ્ણાતો કહે છે કે એચએમપી વાઇરસ રોગચાળો ફાટી નીકળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે તે કોરોના જેવી નવી બીમારી નથી અને તે કોઈ અસાધ્ય રોગ પણ નથી.
જો કે માનવ મેટાન્યુમો વાઇરસ અને કોવિડ-19 બંને ચેપી છે અને શ્વસનતંત્રને અસર કરે છે. બંનેની વિશેષતાઓ સમાન છે. બંને વાઇરસ એક જ રીતે ફેલાઇ છે. કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસની સારવાર માટે કોઈ ઍન્ટિવાયરલ થેરાપી અથવા રસીનું નિર્માણ નથી થયું.
કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસ સિઝનમાં જ આવે છે. આ રોગનાં લક્ષણો શિયાળા અને વસંતમાં જોવાં મળે છે.
અભ્યાસોએ દર્શાવ્યું છે કે, કોવિડ-19 પછી કેટલાક દેશોમાં એચએમપી વાઇરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે કોવિડ-19 નિવારણનાં પગલાં અમલમાં હતાં ત્યારે લોકો આ પ્રકારના શ્વસન રોગોથી પ્રભાવિત થતા નથી. પરંતુ આ પગલાં હળવા થયા પછી એચએમપીવી જેવા શ્વસન રોગો બહાર દેખાવા માંડ્યા.
ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરના ડૉ. ગગનદીપ કાંગે જણાવ્યું હતું, “પાંચ વર્ષની ઉંમર બાદ બાળકને આ વાઇરસ સામે સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે.”
‘ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું’ – રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?
આ વાઇરસ વિશે જાતજાતની વાતો થાય છે. આની ઓળખ 15 થી 16 વર્ષ પહેલાં થઈ હતી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. વી. રવિએ જણાવ્યું હતું, “આ એક મોસમી ચેપ છે.” તેમણે કહ્યું,”તે ઇન્ફલ્યુએન્ઝાના કેસ સાથે પણ જોવા મળે છે. બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગે છે.”
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું,” એચએમપી વાઇરસ એ એક સામાન્ય વાઇરસ છે જે ભારતમાં શરદી અને ફ્લૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય વાઇરસ છે જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે. દેશની હૉસ્પિટલો મોસમી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”
એચએમપી વાઇરસ એક ચેપી રોગ છે. તે ખાંસી અને છીંકથી મોંમાંથી નીકળતી લાળ દ્વારા ફેલાય છે.
તે હાથ મિલાવવાથી, આલિંગન અથવા તો એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.
આ વાઇરસ ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરેલા હાથ વડે પણ ફેલાય છે. જ્યારે ખાંસી અથવા વહેતા નાકને લીધે લાળ બહાર આવી જાય છે.
CDC નોંધે છે કે જે લોકો પહેલાથી જ અન્ય રોગો ધરાવતા હોય તેમને એચએમપી વાઇરસ સાથે બીજા અન્ય વધારાના ચેપ મૃત્યુ તરફ દોરી જઇ શકે છે.
2021 માં લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટા અનુસાર , પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તીવ્ર શ્વસન ચેપથી થતાં મૃત્યુમાં એચએમપી વાઇરસનો હિસ્સો એક ટકા છે.
સિંગાપોરમાં ચેપી રોગોના ચિકિત્સક સુ લી યાંગે જણાવ્યું હતું કે, એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી અને તે દાયકાઓથી છે.
એવું બહાર આવ્યું છે કે ભૂતકાળમાં લેવામાં આવેલાં પગલાંને લીધે વિશ્વભરના તમામ લોકોમાં આ વાઇરસનો સામનો કરવા માટેની રોગપ્રતિકારક શક્તિ રહેલી જ છે.
આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે. બીમારી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની હોઈ શકે છે. તેનો આધાર ચેપની તીવ્રતા પર રહેલો છે.
જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નિયમિતપણે હાથ ધોવા
જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન ફરવું
ફ્લૂની રસી મેળવવી
જો વાઇરસનાં લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાઇરસ માંથી સ્વસ્થ થતા રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, ખાંસી ઓછી થવામાં થોડો વધુ સમય લાગી શકે.
નિર્દોષ નાગરિકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવવાની તરકીબ
મહારાષ્ટ્ર પોલીસ- રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન ચેતવણી : કોઈ કોર્ટ વીડિયો કોલથી ધરપકડ કરતાં નથી
સીબીઆઈ, પોલીસ, કસ્ટમ, ઈડી કે કોઈ કોર્ટ લોકોની વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતાં નથી. ડિજિટલ ડિટેન્શન એક ફ્રોડ છે. આ ફ્રોડ દ્વારા લોકોને ધમકાવી મોટી રકમ પડાવી લેવાય છે તે સામે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. દેશમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સંદર્ભમાં સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન દ્વારા એક પબ્લિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ૧૯૯૭ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો- મહારાષ્ટ્રમાં એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવતા વિશ્વાસ નાંગરે-પાટીલે લોકોને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂક કરતા એક વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફ્રોડસ્ટરો વિવિધ સરકારી એજન્સીઓ જેવીકે ઇડી, સીબીઆઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો, સાયબર પોલીસ કોર્ટના જજ આદીના નામે તેમને વીડિયો કોલ કરે છે. જેમાં પોલીસના યુનિફોર્મમાં એક અધિકારી તમારા નામે ગુનો નોંધાયો છે અને તમારું એરેસ્ટ વારંટ બહાર પડયું છે તેવા વિવિધ કારણો આપી તમને ડરાવી મૂકે છે. ફ્રોડસ્ટરો એવું ગપ્પું ચલાવે છે કે તમારા નામે મોટા પાયે મની લોન્ડરિંગ થયું છે. અથવા તમે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અથવા તમે તમારા મોબાઇલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીક ક્લિપ્સ મોકલી છે તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવું જણાવી અમારા ઉપરી અધિકારીઓ તમને કોલ આવશે તેવું જણાવવામાં આવે છે.
ત્યાર બાદ ફ્રોડસ્ટરો ખરેખર કોઇ અધિકારી હોય તેમ યુનિર્ફોર્મમાં તમને વીડિયો કોલ કરે છે અને તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે તેવું તમને જણાવી તમારા સામે ઘણી ફરિયાદ થઇ છે અને ઘણા વોરંટ બહાર પાડવામાં આવ્યા છે તેથી આ બાબતથી બચવું હોય તો અમને કો-ઓપરેટ કરો તેવું કહેવામાં આવે છે. આબાબતે તમારા પરિવારજનોને કાંઇ જણાવતા નહીં તેવી સલાહ આપી તેઓ તમારા જે બેંક એકાઉન્ટ દ્વારા મની લોન્ડરિંગ થયું છે તે એકાઉન્ટ દ્વારા અમૂક રકમ મગાવવામાં આવે છે જે ‘ફંડ લીગલાઇઝેશન પ્રોસેસ’ માટે જરૂરી છે જેથી તમારા એકાઉન્ટમાંથી ખરેખર અંડર વર્લ્ડે તો કોઇ મનીલોન્ડરિંગ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. આવું જણાવી બેન્ક ખાતાની તમામ ગુપ્ત વિગત મેળવી તમારું તમામ ખાતું ખાલી કરી દેવામાં આવે છે.
આ સિવાય અમૂક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ, એફ.ડી., શેર આદીની વિગત મેળવી તે પણ અન્ય એકાઉન્ટમાં ટ્રન્સ્ફર કરાવી નાંખે છે તેથી આવા ફોન કોલ, વીડિયો કોલ પર કોઇ ધ્યાન ન આપવાની વિનંતિ કરી હતી.
આ વીડિયોમાં નાંગરે પાટીલે જણાવ્યું છે કે જો આવું કાઇં થાય છે તે તેવા કિસ્સામાં સત્વરે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર તમારી ફરીયાદ નોંધાવી દયો જેથી ‘ગોલ્ડન અવર’માં તમારા પૈસા જે ખાતામાં ટ્રાન્સ્ફર થયા છે તેને ‘ફ્રીઝ’ કરી દેવાય અને તમારી પરસેવાની કમાણીને બચાવી શકાય, આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સહિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર પર નિયમ ફોર્મેટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી એલર્ટ રહેવાની લોકોને અપીલ કરી છે.
સાયબર ઠગોએ છેલ્લો થોડા સમયમાં ડિજિટલ એરેસ્ટની ધમકીથી લોકો પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા પડાવ્યા છે. યુપીમાં ડિજિટલ એરેસ્ટથી ભય પામી એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત પણ નોંધાયું છે.
કેન્દ્ર સરકારની સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન કમિટીએ પણ પબ્લિક એડવાઈઝરીમાં સાફ સાફ જમાવ્યું છે કે સીબીઆઈ, પોલીસ, ઈડી, કસ્ટમ કે કોઈ જજ પણ આ રીતે ડિજિટલ એરેસ્ટ કરતા નથી વીડિયો કોલથી કોઈ ધરપકડ થતી નથી. ઠગો સ્કાઈપ કે વ્હોટસ એપ જેવાં માધ્યમોનો દુરુપયોગ કરી વીડિયો કોલથી ધરપકડ થયાનું દર્શાવી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે તે સામે સાવચેત રહેવા જણાવાયું છે.
મુંબઈ પોલીસે પાંચમી ઓકટોબરના એક જ દિવસમાં સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર આવેલી ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા અધિકારીઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે નિર્દોષ લોકો પાસેથી પડાવેલી લગભગ એક કરોડથી વધુની રકમ ફ્રોડસ્ટરોના હાથમાં જાય તે પહોલા જ બચાવી લીધી હતી.
ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસ-15904 (Dibrugadh Express Derailed) પાટા પરથી ખટી પડી હતી. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર એક્સપ્રેસ ટ્રેનના પાંચથી છ ડબા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આવી પરિસ્થિતિમાં અનેક પ્રવાસીઓને ઈજા થઈ હોવાના અને ચાર પ્રવાસીના મૃત્યુ થયા છે અને હજી પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
હાલમાં જ બે-ત્રણ દિવસ પહેલાં જ આપણે રેલવેના એક એવા નિયમ વિશે વાત કરી હતી કે જેમાં રેલવે સ્ટેશન પર ઈજાગ્રસ્ત થયેલાં પ્રવાસીની સારવાર કરાવવાની જવાબદારી રેલવેની છે, પછી એ પ્રવાસીએ ટિકિટ લીધી હોય કે ના લીધી હોય. આજે અમે અહીં તમને રેલવેના એક આવા જ બીજા નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રેલવે તમને 45 પૈસામાં ઈન્શ્યોરન્સ આપે છે અને આ ઈન્શ્યોરન્સ પોલિસી એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, મોટા ભાગના લોકોને આ ઈન્શ્યોરન્સ વિશે જાણકારી નથી હોતી. આ પોલિસી હેઠળ મળનારું કવર ઈન્શ્યોરન્સ કંપની દ્વારા ઈજાગ્રસ્ત કે દુર્ઘટનાનો ભોગ બનનારા પ્રવાસીની સ્થિતિ અનુસાર આપવામાં આવે છે.
આઈઆરસીટીસી (IRCTC) દ્વારા આ નિયમ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર રેલવે એક્સિડન્ટમાં 45 પૈસાવાળી ટ્રાવેલ પોલિસી હોલ્ડ ખરીદનારા પેસેન્જરનું મૃત્યુ થાય છે તો 10 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કંપની દ્વારા એ પેસેન્જરના પરિવાર (નોમિની)ને આપવામાં આવે છે.
જો પેસેન્જરને કાયમી સંપૂર્ણ અપંગત્વ આવે છે ત્યારે પણ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. જ્યારે સ્થાયી આંશિક વિકલાંગતા આવે તો 7,50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. ઈજા થનારને 2,00,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે અને મૃતદેહના પરિવહન માટે આશરે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ટ્રાવેલ પોલિસી હેઠળ બેનેફિશિયરીને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના 15 દિવસની અંદર ક્લેમ સેટલ કરવામાં આવે છે.
ટૂંકમાં કહેવાનું થાય તો હવે જ્યારે તમે પણ આઈઆરસીટીસી પર ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો 45 પૈસાનું આ ઈન્શ્યોરન્સ ખરીદવાનું ભૂલશો નહીં. ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે આ ઈન્શ્યોરન્સ ખરીદવાનું ઓપ્શનલ હોય છે, પણ જો તમે આ ખરીદી લેશો તો તમને ચોક્કસ જ ફાયદો થઈ રહ્યો છે.
YOG એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ,શ્ર્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે. શરીરનું લચીલાપન, શક્તિ, સંતુલન, તનાવ પ્રબંધન અને સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં યોગના પ્રભાવને લીધે યોગને દુનિયાભરમાં અપાર લોકપ્રિયતા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વ્યક્તિ અને પૂરા સમાજ પર યોગના સકારાત્મક પ્રભાવ અને ફેલાવા માટે એક મંચના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે.
આ દિવસે યોગના મહત્ત્વને ઉજાગર કરવા માટે વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ,કાર્ય શાળાઓ, સેમિનાર અને પ્રદર્શનના આયોજન કરવામાં આવે છે.
૨૧ જૂનના યોજાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે, જે યોગના વિભિન્ન પાસાંઓ અને સમકાલીન પડકાર માટેની પ્રાસંગિકતા પર કેન્દ્રિત હોય છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ની થીમ ‘માનવતા’ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો હેતુ યોગ અભ્યાસના લાભની બાબતમાં વૈશ્ર્વિક જાગૃતિ પેદા કરવાનો છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને પોતાના નાગરિકોની શારીરિક નિષ્ક્રિયતા ઓછી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. શારીરિક નિષ્ક્રિયતા દુનિયાભરમાં મૃત્યુનું એક પ્રમુખ કારણ છે.હૃદય સંબંધી બીમારી,કેન્સર અને મધુપ્રમેહ જેવી ગંભીર બીમારીઓ માટે શારીરિક નિષ્ક્રિયતાને એક પ્રમુખ જોખમ ગણવામાં આવે છે.જો કે યોગમાં ફક્ત શારીરિક ગતિવિધિ જ સામેલ નથી હોતી.ઉદાહરણ તરીકે, પ્રસિદ્ધ યોગાભ્યાસ કર્તા સ્વર્ગીય બી.કે.એસ.આયંગરજીએ કહ્યું હતું કે યોગ રોજબરોજની જિંદગીમાં સંતુલન અને માનસિકતા વિકસિત કરે છે તેમજ કામ કરવાની કુશળતામાં વધારો કરે છે.
યોગ મન અને શરીરનો એક અભ્યાસ છે,જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.તનાવને ઓછો કરવામાં અને લચીલાપનમાં સુધારો કરવામાં અને તાકાત વધારવામાં યોગ મદદરૂપ થાય છે. યોગ એક સાર્વભૌમિક અભ્યાસ છે. જેનો આનંદ બધી જ ઉંમરના અને વિવિધ ક્ષમતાઓ ધરાવનાર લોકો લઈ શકે છે.યોગ આપણા શરીર અને મનને જોડવા તેમજ સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક શાનદાર પ્રયોગ છે.યોગ એક એવો અભ્યાસ છે જેમાં આપણે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તનાવ અને નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ.
યોગથી બાળકોને પણ ખૂબ જ લાભ થતો હોય છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શારીરિક ગતિવિધિ અને સ્વાસ્થ્ય પર વૈશ્ર્વિક કાર્ય યોજનામાં યોગને વેગ વધારવા માટે ખૂબ ભાર દેવામાં આવ્યો છે. યોગ બાળકોની શક્તિ વધારવા માટે અને લચીલાપન વધારવા માટે એક ઉત્કૃષ્ટ વિધિ છે.યોગ અને આસન કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિનું નિર્માણ થાય છે.ચંચળતા ઘટે છે.બાળકોના દરેક કાર્યમાં ગતિ અને કૌશલ્યનો વિકાસ કરવામાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.યોગ દ્વારા બાળકોમાં શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.
અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા,નવી દિલ્હીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ ના ઉપલક્ષ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમનો વિષય ‘મહિલા સશક્તિકરણ માટે યોગ’એવો રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિદ્ધ પ્રેરક વક્તા શિવાની દીદીએ ઉપસ્થિત રહીને લોકોને સંબોધિત કર્યા હતા.એમણે પોતે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનવતાની ભલાઈનું આરોપણ થાય એ માટે થઈને યુવાનોમાં દ્રઢતા અને યોગનું મહત્ત્વ વધે એવા આયોજન થવા જોઈએ.એમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગનો અભ્યાસ શાંત મનનાં વ્યક્તિને સમાજ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ મળે છે.તેમણે આ વાત પર વિશેષ ભાર દેતા કહ્યું હતું કે સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણ અને માર્ગદર્શનમાં મન,ભાવના અને આત્માને મજબૂત કરવા માટે યોગ દિવસ મનાવવો જોઈએ.વિશેષમાં શિવાની દીદી એ જણાવ્યું કે,જીવનમાં આયુર્વેદના અનુપાલનથી જે ફાયદા થાય છે એવી જ રીતે બહારની દુનિયા સાથે એકજૂટ થવા માટે યોગ મદદરૂપ થાય છે.આયુર્વેદ અને યોગ એક સિક્કાની બે બાજુ સમાન છે.
આ પરિપ્રેક્ષ્યમાં શિવાની દીદીએ જણાવ્યું કે આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.એમણે એ પણ ઉમેર્યું કે કે માત્ર ભણાવવું જરૂરી નથી, પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરાવવો જરૂરી છે.
રિટેલ ક્ષેત્રે રાતના શોપિંગને કારણે જે ક્રાંતિ આવી રહી છે એની વાત માંડવી છે. એ પણ નોંધવું કે રાતનું શોપિંગ ગ્રાહકો માટે તો નહીં, પરંતુ રિટેલર્સ અને અર્થતંત્ર માટે લાભદાયી છે.
રિટેલ માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવા અંગે આ કોન્સેપ્ટ અમલમાં મૂકવાના પ્રારંભિક તબક્કે ઘણા વાદવિવાદ અને મતમતાંતર સર્જાયા હતા. હવે જોકે કેટલાંક રાજ્યોએ નાઇટ લાઇફવાળો આ કોન્સેપ્ટ અપનાવી લીધો છે અને એક અભ્યાસ અનુસાર તેની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે.
દેશમાં અત્યાર સુધી સાત રાજ્યમાં રિટેલ માર્કેટ ૨૪ કલાક ઓપન રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે.
ઉપરોક્ત અભ્યાસ અનુસાર રાતના શોપિંગ પાછળ લોકો ૬૦ ટકા વધુ ખર્ચ કરી રહ્યા છે અને તે ઉપરાંત ખરીદી પણ અંદાજે ૩૦ ટકા વધી જાય છે. ક્ધઝમ્પશન અથવા તો ખરીદી કે વેચાણ વધવાનું કારણ એ છે કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શોપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.
ખરીદી કર્યા બાદ ઓફિસ કે ઘરે જવા સંદર્ભના સમયની મર્યાદા ન રહેવાથી નિરાંતે અને વધુ સમય શોપિંગમાં ગાળે છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે ૪ વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શોપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં ૬૦ ટકા વધી ગયું હતું.
ખાસ કરીને ક્વિક-કોમર્સ, ફૂડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંનાં નાનાં શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે, જે આ સેગમેન્ટમાં ક્રાંતિ આવી રહી હોવાના સંકેત આપે છે.
હવે આધુનિકવાદ સાથે યુવાઓના હાથમાં અગાઉની પેઢી કરતાં અનેક ગણી વધુ નાણાછૂટ રહેતી હોવાથી એવું જોવા મળ્યું છે કે મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (૨૮-૪૩ વર્ષ) અને ઝેન-જી(૧૪-૩૪ વર્ષ) શ્રેણીના છે.
એ પણ નોંધવું રહ્યું કે તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટ નાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર પાછલા એક વર્ષમાં મોડી રાત્રે થતી ખરીદી અંદાજે ૩૦ ટકા વધી છે. તે ઉપરાંત સરેરાશ ઓર્ડર મૂલ્યમાં પણ લગભગ ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે લોકો રાત્રે વધુ ખરીદીની સાથે સાથે દરેક ખરીદી પર વધુ ખર્ચ પણ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડને કારણે ઘરાકોનું અંગત બજેટ ભલે બગડે, પરંતુ એક તરફ તેને કારણે રિટેલર્સનું વેચાણ અને નફો વધે છે અને બીજી તરફ તેનાથી સીધા કે આડકતરા કરવેરાની પ્રાપ્તિમાં વધારો થવાથી સરકારની કમાણી પણ વધી રહી છે.
આ બાબત ધ્યાનમાં રાખતાં અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવવાનું સક્રિયપણે વિચારી રહ્યાં હોવાનું જાણવા મળ્યુું છે, જેમાં મધ્ય પ્રદેશ પણ સામેલ છે.
આ ટ્રેન્ડ ગ્રાહકોના બદલાતા વર્તનને જ દર્શાવતો નથી, પરંતુ સાથે જ ૨૪ કલાકની ઇકોનોમીની માગ સાથે તાલમેલ સાધવા તત્પર હોય તેવા બિઝનેસ માટે પણ મજબૂત આર્થિક તક તરીકે ઊભર્યો છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યો હવે આ મોડલ અપનાવવા માટે આતુર હોવાથી દેશના રિટેલ સેગમેન્ટમાં ક્રાંતિ આવશે અને અર્થતંત્રના વિકાસમાં આ સેગમેન્ટનો ફાળો વધશે.
અનેક રાજ્ય સરકારો દ્વારા દુકાનો તેમ જ શોપિંગ સેન્ટર્સ ચોવીસ કલાક ઓપન રાખવાની અનુમતિ આપવાના નિર્ણયથી ગ્રાહકો માટેની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ વેપારીઓના બિઝનેસમાં પણ વૃદ્ધિ નોંધાઇ રહી છે. બિઝનેસ ચોવીસ કલાક ચાલુ રાખવા માટે તેમને નવા કર્મચારીઓની ભરતી કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેનો અર્થ છે કે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઇ રહ્યું છે.
આપણે આખી કથાનો સારાંશ જોઇએ તો ચોવીસ કલાક રિટેલ સેગમેન્ટ ધમધમતું રહેશે તો વપરાશી માગમાં વધારો થશે, જે અર્થતંત્રને વિકાસ સાધવામાં મદદ કરશે. રિટેલર્સનાં વેચાણ અને નફામાં વધારો થશે, જ્યારે ગ્રાહકોને સમયના બંધન વગરની ખરીદીના એક નવા અનુભવ અને સવલતનો લાભ મળશે.
*ભારતનો રિટેલ ઉદ્યોગ ૨૦૧૯-૨૦૩૦ દરમિયાન નવ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે ૨૦૧૯માં ૭૭૯ અબજ ડોલરથી વધીને ૧,૪૦૭ અબજ ડોલરના સ્તરે પહોંચશે.
*ભારતના રિટેલ ટ્રેડિંગ સેકટરમાં એપ્રિલ ૨૦૦૦થી ૨૦૨૩ ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં ૪.૫૬ અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ નોંધાયું છે.
*ભારતનો રિટેલ સેકટર દેશના જીડીપીમાં ૧૦ ટકા અને ૩.૫૦ કરોડથી મોટા શ્રમબળમાં લગભગ આઠ ટકા જેટલું યોગદાન આપે છે. એક અહેવાલ અનુસાર ૨૦૩૦ સુધીમાં રિટેલ ઇન્ડસ્ટ્રી ૨૫૦ લાખ લોકોને નવો રોજગાર આપશે.
ગોંદ કલા – મધ્ય પ્રદેશ – રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે.
ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે.
બાલુચારી સાડી – પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે. બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.
આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે.
ગુટ્ટાપુસાલુ જ્વેલરી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા– તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે “નાની માછલીનું જુથ અથવા ગુછ્છો”, અને પુસાલુનો અર્થ “માળા” થાય છે. ગુટ્ટાપુસાલુ ઘરેણાંની કળા ભારતમાં દક્ષિણી કિનારે માછીમારીની નજીકના વિસ્તારોમાં ખડી થઇ. મોતીનાં ગુછ્છા દર્શાવતા પુસાલુ એટલે મણકાથી એટલા સરસ ઘરેણાં બનાવાય છે કે ન પુછો વાત. અમુક મોતી સાવ ઝીણાં હોય છે. કોરોમંડળના કિનારે પર્લ ફિશરીઝમાં પાકતા તાજા પાણીનાં મોતીઓનાં ગુછ્છાને લાલ, લીલા અને સફેદ રત્નોથી સજાવાય છે અને આ ઘરેણાં એકદમ શાહી લાગે છે. ઝીણાં મોતીઓ ઘરેણાંની કિનારી બને છે અને તેની શોભામાં અભિવૃધ્ધી કરે છે.
શ્રીકાલહસ્તી કલમકારી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા – આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી.
કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે.
હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત – અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.
ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે.
લોંગપી પોટરી – મણિપુર – મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો.
કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) – સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.
કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે.
જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે
લોકોને લાગે છે કે આયુર્વેદિક દવાની કોઈ આડઅસર નથી હોતી, પરંતુ એવું નથી. આડઅસર દરેક વસ્તુની હોય છે. આયુર્વેદિક દવાની પણ હોય જ છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વગર જો તમે લઈ લેશો તો તકલીફ થવાની જ છે. આથી દવાઓ પર હળદરના ગુણોયુક્ત એવું વાંચીને બેફિકર થઈને લઈ ન લેવી. આ પ્રકારની દવાઓનું સેવન ન કરવાનું હોય ત્યારે કરો તો શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, લોહીમાં શુગરનું પ્રમાણ જરૂર કરતાં ઘણું નીચે જઈ શકે છે. ત્રિભુવન કીર્તિ નામની દવા શરદી અને તાવ આવે ત્યારે લેવાતી હોય છે, પરંતુ એ પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. વિષતિંદુકાદી વટીથી ચક્કર આવવા જેવી સાઇડ-ઇફેક્ટ સામાન્ય છે. જેને સંધિવાત હોય એવી વ્યક્તિ જો ગુગ્ગુલ દવા લે તો તકલીફ થાય છે. તેમને મહારાસ્નાદી કવાથ પણ ન અપાય. તમાકુ કે કપૂરનો ઉપયોગ જે દવાઓમાં થતો હોય એ દવાઓ ખાવાથી હૃદયની ગતિમાં તકલીફ આવી શકે છે. અભ્યંગ તેલથી બનતી ઔષધિની આડઅસરો ઘણી ગંભીર પણ હોઈ શકે છે. આસવ અરિષ્ટને લાંબો સમય સુધી લેવામાં આવે કે એને લેતી વખતે સાવધાની ન રાખીએ તો એ લિવર પર આડઅસર કરે છે એવા કેસ ઘણા જોવા મળે છે.
અલગ-અલગ પ્રકારની ભસ્મોના સેવનથી કિડની પર અસર થાય છે.
જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે. આયુર્વેદશાસ્ત્રમાં દરેક ઔષધિને વધુમાં વધુ કેટલો સમય લઈ શકાય, ઔષધિ કેટલો સમય કામ કરશે, કેટલા સમયમાં અને કઈ રીતે બગડી જશે એ બધું જ લખ્યું છે. જો દવાઓને ખોટી રીતે રાખવામાં આવે તો એમાં કીડા થઈ જાય કે એ ફુગાય પણ જઈ શકે છે. આવા સંજોગોમાં ધ્યાન ન રાખીએ તો નુકસાન થવાનું જ છે.
પંચકર્મ વૈદ્ય દ્વારા જ થવું જોઈએ. જો વૈદ્યની હાજરી વગર કોઈ પણ અણઘડ માણસ એ કરે તો ભસ્તી, વિરેચન અને નસ્યના પ્રયોગો ઘટક પણ સાબિત થઈ જતા હોય છે. સમાજમાં એવા કેસ સાંભળવા મળતા જ હોય છે. આ બધું હું એટલે નથી કહી રહ્યો કે તમે ડરી જાઓ; પરંતુ આજકાલ જે ખુદ જ પંડિત બની ગયા છે, વગર ભણ્યે ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે અને ઇન્ટરનેટ પર સર્ચ કરીને ઇલાજ શરૂ કરી દે છે એ બધી જ પરિસ્થિતિથી ચેતવવા માટે આ કહી રહ્યો છું.
આજના દિવસને ઇતિહાસ કાયમ માટે યાદ રાખશે. આજે તા.15મી નવેમ્બર 2022ના રોજ પૃથ્વી પર માનવીય વસતિ 800 કરોડની સંખ્યાને પાર કરી ગઇ છે. આ ઘટના સતત આપણને યાદ આવતી રહેશે. જનરલ નોલેજ તરીકે વિદ્યાર્થીઓને આ તારીખને સ્પર્શતા પ્રશ્નો પણ પૂછાતા રહેશે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાઇટેડ નેશન્સ)ના આંકડા મુજબ આજે તા.15 નવેમ્બર 2022નો દિવસે પૃથ્વી પર માનવીય વસતિ 8 અબજનો આંકડો વટાવી ગઇ છે. 1974માં વિશ્વની કુલ વસતિ 4 અબજ હતી ત્યાર પછી 48 વર્ષમાં વિશ્વની વસતિ બમણી થઇ ગઇ છે. સમગ્ર પૃથ્વી પરના દેશોમાં આગામી કેટલાક દાયકાઓ સુધી વિશ્વની વસતિ સતત વધતી જોવાશે, પરંતુ પછી વસતિમાં ઘટાડો થશે જે મોટાભાગે ઓછા મૃત્યુ અને આયુષ્યમાં વધારાને કારણે આવશે.
વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી છે, પરંતુ ‘વિસ્ફોટ’ સમાપ્ત થઈ ગયો છે, જેમ જેમ જન્મ દર ઘટી રહ્યો છે, આ સદીમાં તે અટકશે અને ઘટવાનું શરૂ કરશે ત્યાં સુધી વસ્તી ધીમી વધશે.
આપણે અત્યારે 8-બિલિયન વસ્તીના આંક પર છીએ, અને વર્ષ 2100 દરમિયાન 10 બિલિયનને વટાવીશું, પરંતુ યુએનના વસ્તી અંદાજ ડેટા અને ઘણા નિષ્ણાતો સંમત છે કે વિશ્વની વસ્તી કાયમ માટે વધશે નહીં. આ સદીમાં અમુક સમયે, વસ્તી ટોચ પર આવશે અને ત્યારબાદ ઘટાડો શરૂ થશે. રૂઢિચુસ્ત રીતે, 2086 માં ટોચ 10.4 બિલિયન પર રહેશે.
પ્રકાશ, ઉમંગનો તહેવાર દીવાળી દરવર્ષે કારતક મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે દીપોત્સવ એટલે કે દીવાળી 24 ઑક્ટોબર 2022ના છે. પાંચ દિવસના આ તહેવારમાં સવાર-સાંજે રંગોળી બનાવવામાં આવે છે, પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવાની રીત છે. દીવાળી પર ખાસ તો માટીના દીવા પ્રગટાવવાનું મહત્વ છે. જ્યારે ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કરી સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે આખું શહેર દીવાથી ઝગમગી ઊઠ્યું હતું. ભગવાન શ્રી રામના સ્વાગતમાં ચારેય તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. પ્રાચીન કાળથી જ શુભ કાર્ય પહેલા દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.
રં
ગોળી બનાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. શુભ કાર્યમાં લોટ, ચોખા કે માંડ અને હવે તો અનેક રંગોથી રંગોળી બનવવામાં આવે છે. રંગોળી
નો અર્થ છે રંગ
અને અવલ્લી (પંક્તિ)
. દીવાળીમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના રંગોનો ઉપયોગ કરીને રંગોળી પૂરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે રંગોળી ઉત્સાહનું પ્રતીક છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. માતા લક્ષ્મીજી ત્યાં વાસ કરે છે જ્યાં ઘરમાં સુખ-શાંતિ અને ઉત્સાહનો પ્રવાહ હોય. શાસ્ત્રો પ્રમાણે રંગોળી બનાવવાથી ઘરમાં આકર્ષણનું કેન્દ્ર એક જગ્યા પર બને છે. ધનતેરસથી લઈને દીવાળી સુધી દરરોજ સ્નાન બાદ સવારે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ચિન્હ બનાવવામાં આવે. પદ ચિન્હ ઘરની અંદર તરફ આવતા હોવા જોઈએ. આથી મા લક્ષ્મી ઘરમાં બિરાજમાન થાય છે.
દીવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવમાં આવે છે. માટીના દીવા પંચતત્વોને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે ઘર અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
ઋગ્વેદ પ્રમાણે દીવામાં દેવતાઓનો તેજ રહે છે, આના પ્રકાશથી યશ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
દીવાળીમાં માતા લક્ષ્મીની દરેક ઘરમાં પૂજા થાય છે આથી આ દિવસે ઘરનો કોઈપણ ખૂણે અંધારામાં ન રાખવો જોઈએ, કારણકે ધનનાં દેવી ત્યાં જ બિરાજમાન થાય છે જે ઘર પ્રકાશવાન છે. અનેક લોકો દીવાળીની આખી રાત એક દીપક પ્રજ્વલિત કરી રાખે છે જેથી માતા લક્ષ્મી સ્થિર થઈ જાય. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
માન્યતા છે કે પૂજા-પાઠમાં દરેક કામ માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્ર આપવામાં આવ્યા છે. આનું ઉચ્ચારણ કરતી વખતે શુભ કાર્ય કરવામાં આવે તો તેનો પ્રબાવ વધારે પડે છે. દીવાળી પર દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો – શુભમ્ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ્, શત્રૂ બુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતિ. માન્યતા છે કે આ મંત્રથી વાસ્તુ દોષ દૂર થાય છે.