CIA ALERT

Reliance Foundation 7 ભારતીય હસ્તકલાઓને સ્વદેશમાં લાવ્યું

Share On :

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની પહેલ હેઠળ સ્વદેશ એક એવું પ્રદર્શન છે જેના થકી તમે આપણી અનેક હસ્તકલાઓનો પરિચય મેળવી શકશો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પરિસરમાં વિવિધ હસ્તકલાઓ, તેની કારીગરી અને સાથે તેના કારીગરો જોવા મળે છે અને તેઓ જે પણ કામ કરે છે, જે પણ ચીજોનું ઉત્પાદન કરે છે તે ત્યાં સ્વદેશ સ્ટોરમાંથી અને એક્ઝિબિટમાંથી ખરીદી પણ શકાય છે.  તાજેતરમાં જ ભારતની સાત એવી હસ્તકલાઓના એક્સપર્ટ્સ કારીગરો NMACCના પરિસરમાં ગોઠવાયા છે કે જેમાંથી દરેકને વિશે જાણવું કોઇપણ ભારતીય માટે ગર્વની વાત થઇ પડે.  ગોંદ કલા, બાલુચારી સાડીઓ, અજરખ, હાથે રચાતી કલમકારી, લોંગપી પોટરી અને કાશ્મીરી જાજમોનું વણાટકામ, ગુત્તાપુસાલુ ઘરેણાંની બનાવટ જેવી નવી કાલકારી આ ઉનાળે NMACCની મહેમાન બની છે. તમે કલાકારો સાથે વાત કરો ત્યારે તેમના સમૃદ્ધ વારસાની ચમક તેમની આંખોમાં પણ દેખાઇ આવે છે. અહીં આવનારા કલાકારોને રાષ્ટ્રીય સન્માનથી પણ પુરસ્કૃત કરાયા છે કારણકે તેમણે પોતાના કલાત્મક વારસાને પેઢી દર પેઢી જીવંત રાખી લોકો સુધી પહોંચાડ્યો છે. 

સ્વદેશ સ્ટોરમાં આ તમામ હસ્તકલાનાં ઉત્પાદનોનું વેચાણ થાય છે
ગોંદ કલા – મધ્ય પ્રદેશ - રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ગોંદ કલા – મધ્ય પ્રદેશ – રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

બાલુચારી સાડી - પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

બાલુચારી સાડી – પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

ગુટ્ટાપુસાલુ જ્વેલરી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા- તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે

ગુટ્ટાપુસાલુ જ્વેલરી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા– તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે “નાની માછલીનું જુથ અથવા ગુછ્છો”, અને પુસાલુનો અર્થ “માળા” થાય છે. ગુટ્ટાપુસાલુ ઘરેણાંની કળા ભારતમાં દક્ષિણી કિનારે માછીમારીની નજીકના વિસ્તારોમાં ખડી થઇ. મોતીનાં ગુછ્છા દર્શાવતા પુસાલુ એટલે મણકાથી એટલા સરસ ઘરેણાં બનાવાય છે કે ન પુછો વાત. અમુક મોતી સાવ ઝીણાં હોય છે. કોરોમંડળના કિનારે પર્લ ફિશરીઝમાં પાકતા તાજા પાણીનાં મોતીઓનાં ગુછ્છાને લાલ, લીલા અને સફેદ રત્નોથી સજાવાય છે અને આ ઘરેણાં એકદમ શાહી લાગે છે. ઝીણાં મોતીઓ ઘરેણાંની કિનારી બને છે અને તેની શોભામાં અભિવૃધ્ધી કરે છે. 

શ્રીકાલહસ્તી કલમકારી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા - આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

શ્રીકાલહસ્તી કલમકારી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા – આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. 
કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત - અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત – અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

લોંગપી પોટરી - મણિપુર - મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

લોંગપી પોટરી – મણિપુર – મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) - સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) – સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે. 

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :