CIA ALERT

Alert Archives - Page 6 of 497 - CIA Live

October 8, 2025
image-6.png
1min79

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિક ચકાસણીનું વધુ એક સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યુ છે.  ડિજિટલ પેમેન્ટ્સને વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની દિશામાં અને ગ્રાહક સગવડ વધારવાની દિશામાં લેવામાં આવેલું આ મહત્ત્વનું પગલું છે. નવા ફીચરને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ નવા ફીચરનું ઉદઘાટન કરતાં નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુએ જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ફીચરની મદદથી યુઝર્સ ઓન ડિવાઇસ બાયોમેટ્રિક્સ જેવા કે ફિંગર પ્રિન્ટ્સ કે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકશે, આમ બાયોમેટ્રિક્સ પરંપરાગત યુપીઆઈ પિનનું સ્થાન લેશે. તેનો અમલ બુધવારે આઠમી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. 

આ ઉપરાંત બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા અને એટીએમ પરથી રોકડ ઉપાડ માટે કરવા થઈ શકે છે. એનપીસીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલું બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, યુઝર્સે તેની ઇચ્છા હોય તો જ તેને ઉપયોગમાં લેવાનું છે. તે ફરજિયાત ધોરણે અમલી નથી. યુઝર્સ ફોન અને ટ્રાન્ઝેકશનને સલામત રાખવા વધુ સિક્યોરિટી ઇચ્છતો હોય તો આ ફીચર્સનો ઉપયોગ કરી શકે. 

તેમણે ઉમેર્યુ હતું કે એડવાન્સ ક્રિપ્ટો ગ્રાફિક ચકાસણી દ્વારા આ વ્યવહાર પૂરો કરનારી દરેક બેન્ક તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકશે. તેની સાથે મજબૂત ડેટા સંરક્ષણ અને આંખના પલકારામાં ચૂકવણી કરી શકશે. 

આ બાયોમેટ્રિક્સને રજૂ કરવાનું કારણ  ડિજિટલ વ્યવહારને વધુ સુલભ બનાવવાનો છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવા યુપીઆઈ યુઝર્સ માટે પણ તે ઉપયોગી નીવડશે. અત્યાર સુધી યુપીઆઈ પિન બનાવવા ડેબિટ કાર્ડની  વિગતો ભરવી પડતી હતી, આધાર આધારિત ફેસ રેકગ્નિશન કરવું પડતું હતું. હવે યુઝર્સ કોઈપણ કાર્ડની મદદ વગર કે જટિલ પગલાં અનુસર્યા વગર બાયોમેટ્રિક ચકાસણી કરી શકશે.

October 8, 2025
cia_multi-1280x1045.jpg
1min108

ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંદૂલકર જેનું આયોજન કરી રહ્યા છે એ ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLની સીઝન 3ની ફાઇનલ સમેતની તમામ મેચો રમાડવા માટે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLનો આરંભ તા.9મી જાન્યુઆરી 2026થી થશે અને તા.6 ફેબ્રુઆરી 2026એ ફાઇનલ સાથે પૂર્ણાહૂતિ થશે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLના મુખ્ય આયોજક સચિન તેદૂલકર છે જ્યારે રવિ શાસ્ત્રી ચીફ મેન્ટર છે.

પત્રકાર પરીષદને સંબોધતા એસડીસીએના ડો. નૈમિષ દેસાઇ, વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગજ્જર, સેક્રેટરી હિતેશ પટેલ વગેરેએ જણાવ્યું હતું કે સચિન તેદૂલકર સમેતના આયોજકોની એક ટીમે તાજેતરમાં સુરતના લાલભાઇ સ્ટેડીયમની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ ચકાસી હતી. એ પછી જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ટુર્નામેન્ટની સીઝન-3 સુરતમાં રમાડવામાં આવશે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટેનિસ બોલથી રમાય છે અને તેમાં ભાગ લેતી ટીમોના માલિકોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હ્રિતીક રોશન, અજય દેવગન, અક્ષયકુમાર, કરીના કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમાવાની હોઇ, સ્ટેડીયમ મેનેજમેન્ટ દ્વારા અત્યારથી જ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL સીઝન થ્રીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તેમાં રમવા માટે દેશભરમાંથી કુલ 45 લાખ યુવાઓએ નોંધણી કરાવી છે અને તેમાંથી 350 ખેલાડીઓને સિલેક્ટ કરવા માટે ગઇ તા.6 ઓક્ટોબરથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

October 7, 2025
SS_Logo_Red-1280x986.png
1min189

દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી FRC સમક્ષ Self Finance શાળા સંચાલક મંડળે એવી માંગણી કરી છે કે હાલ દિવાળીનો મહિનો ચાલી રહ્યો હોય ફી વધારવા માટેની અરજી કરવાની અંતિમ મુદત વધારી આપવામાં આવે.

સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું એક પ્રતિનિધિ મંડળ તા.6 ઓક્ટોબરના રોજ સાંજે દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી પર પહોંચ્યું હતું. શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે એવી માંગણી કરી હતી કે ફી વધારવા માટેની દરખાસ્ત કરવાની અંતિમ મુદત આગામી તારીખ 31મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના સારા સંચાલક મંડળો આ તારીખ સુધીમાં ફી વધારાની દરખાસ્ત કરી શકે તેમ નથી. કારણ કે આગામી તારીખ 18મી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં શાળાઓ બંધ રહેશે અને સ્ટાફ પણ રજા પર હોય તે વધારાની દરખાસ્ત થઈ શકે તેમ નથી. હાથી ફી વધારાની દરખાસ્ત માટેની અંતિમ મુદત એક મહિનો વધારીને તારીખ 30 મી નવેમ્બર કરી આપવામાં આવે.

ફ્રી રેગ્યુલેટરી કમિટી રજૂઆતો સાંભળ્યા બાદ આ અંગે લેખિત પત્ર દ્વારા માંગણી રજૂ કરવા જણાવી પોતાનો નિર્ણય બાદમાં જણાવવામાં આવશે એમ સંચાલકોને જણાવ્યું હતું.

October 7, 2025
image-4.png
1min93

બિહારની વિધાનસભા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાતી હતી છેવટે ચૂંટણીપંચે તેની તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહારની ૨૪૩ બેઠકોની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં ૬ અને ૧૧ નવેમ્બરના રોજ યોજાશે. તેનું પરિણામ ૧૪ નવેમ્બરના રોજ આવશે. બિહારમાં છ નવેમ્બરે પ્રથમ તબક્કામાં ૧૨૧ અને ૧૧ નવેમ્બરે બીજા તબક્કામાં ૧૨૨ બેઠકોની ચૂંટણી યોજાશે.   

બિહારની ચૂંટણીને લઈને ૧૦મી ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડશે. ૧૭મી ઓકટોબર  ઉમેદવારીપત્રક દાખલ કરવાની અંતિમ તારીખ હશે. જ્યારે ૨૦મી ઓક્ટોબર ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. 

– બિહારમાં કુલ 7.4 કરોડ મતદારોમાં 3.92 કરોડ પુરુષ, 3.50 કરોડ મહિલા, 100 વર્ષથી વધુ વયના 14 હજારથી વધુ મતદારો

બિહારમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં ૭.૪ કરોડ જેટલા મતદારો મતદાન કરશે. તેમા ૧૪ લાખ મતદારો નવા હશે. કુલ મતદારોમાં પુરુષ મતદારો ૩.૯૨ કરોડ અને મહિલા મતદારો ૩.૫૦ કરોડ છે.  તેમણે ચૂંટણી શાંતિપૂર્ણ રહેવાનો દાવો કર્યો છે. બિહારમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ વયના ૧૪ હજાર મતદારો છે. આ ઉપરાંત બુરખામાં આવતી મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આંગણવાડીના મહિલા કાર્યકરોની મદદ લેવામાં આવશે. 

આના પગલે હવે આગામી ચૂંટણીમાં શાસક પક્ષ એનડીએ શાસિત ભાજપ, જેડીયુ, એલજેપી અને એચએએમ તથા આરજેડી, કોંગ્રેસ, ડાબેરી મોરચાના સંગઠન યુપીએ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે. 

October 1, 2025
image-1.png
1min150

આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. 

ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. 

આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી. 

October 1, 2025
image-1280x854.png
1min112

ફિલિપાઈન્સ જેવા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં રહેતા લોકો માટે ભૂકંપ એક અનિશ્ચિત તલવાર જેવું છે, જે કોઈ પણ સમયે ત્રાટકી શકે છે. મંગળવારે આવેલા આ શક્તિશાળી ભૂકંપે દેશને હલબલાવી દીધો છે, જ્યાં 6.9 તીવ્રતાના આંચકાએ અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ પ્રાકૃતિક આફતે ન માત્ર ઈમારતોને ધરાશાયી કરી છે, પરંતુ માનવ જીવનને પણ ભારે અસર કરી છે, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

સ્થાનિક સમય અનુસાર બપોર પછી અનેક વિસ્તારોમાં તીવ્ર આંચકા અનુભવાયા, જેનાથી લોકોમાં ભય અને અરાજકતા ફેલાઈ ગઈ. ઘરો અને ઓફિસોમાંથી લોકો ભાગીને ખુલ્લા મેદાનમાં આવી ગયા. આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે જૂની ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ અને અનેક લોકો કાટમાળમાં દટાઈ ગયા. અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ આફતે દેશના અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. જોકે કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્પષ્ટ વિગતો હજુ આવવાની બાકી છે.

આપદા વ્યવસ્થાપન અધિકારીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો શરૂ કર્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તબીબી ટીમો તેમની સારવારમાં વ્યસ્ત છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે અનેક લોકો હજુ ગુમ છે અને કેટલાક વિસ્તારોમાં વીજળી તથા સંચાર સેવાઓ અટકી ગઈ છે, જેનાથી રાહત કાર્યોમાં અડચણો આવી રહી છે.

ફિલિપાઈન્સમાં ભૂકંપનું જોખમ હંમેશા રહેલું છે, કારણ કે તે પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ પર આવેલું છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલથી વારંવાર ભૂકંપ અને જ્વાળામુખીના વિસ્ફોટ થાય છે. તાજેતરના વર્ષોમાં અહીં અનેક મોટા ભૂકંપ આવ્યા છે, જેમ કે 2013માં બોહોલમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આવી ઘટનાઓ દેશને વધુ તૈયારી અને જાગૃતિની જરૂરિયાત યાદ અપાવે છે.

September 30, 2025
SS_Logo_Red-1280x986.png
1min256

સુરત સમેત રાજ્યના મોટા શહેરોના શિક્ષણમાં જેનો ભારે ઉપદ્રવ વધી ગયો છે એવા ધંધાદારી ટ્યુશન, કોચિંગ ક્લાસીસો પર સકંજો કસતા ગુજરાત સરકારે એક્ટ બનાવવાનો ઇરાદો ઘોષિત કરી દીધો છે અને એક્ટ તેમજ નીતિ નિયમો નક્કી કરવા માટે ગુજરાત બોર્ડના અધ્યક્ષની રાહબરી હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી બે મહિનામાં એક્ટ તૈયાર કરીને સરકારને સોંપશે અને પછી તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના સચિવે બહાર પાડેલા નોટિફિકેશનમાં નિર્દેશ કર્યો છે કે સ્પુરીમ કોર્ટે તા.25મી જુલાઇના રોજ આપેલા એક ચુકાદામાં રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવા આદેશ કર્યો છે. આ નિયમો માટે સૌથી પહેલી જરૂરીયાત એક્ટ અને તે અન્વયે નિયમોનો મુસદ્દો ઘડવાની છે. આથી ગુજરાત સરકારે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.
સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરો તેમજ નાના ટાઉનોમાં ટ્યુશન ક્લાસીસોના સંચાલકોનો એટલો વ્યાપક ઉપદ્રવ છે કે તેઓ સ્કુલોના સંચાલકોને તેમનો સમય બદલવા માટે બાનમાં લઇ રહ્યા છે. એથી વિશેષ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને ધો.11-12 સાયન્સમાં કોચિંગ ક્લાસીસોના સંચાલકો એટલા ફાટીને ધુમાડે ગયા છે કે તેઓ રેગ્યુલર સ્કુલોમાં એડમિશન નહીં લઇને પોતાના કન્ટ્રોલમાં ચાલતી ડમી સ્કુલોમાં એડમિશન લેવડાવી રહ્યા છે. આ બધી બાબતો પર એક્ટને કારણે સકંજો કસી શકાશે એમ મનાય રહ્યું છે.

September 29, 2025
image-32.png
1min97

વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.

ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનને માત્ર 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ અને શિવમ દુબે (33 રન, 22 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સપોર્ટિંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી.

ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.

છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.

ત્યાર બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બૅટ્સમેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂંકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા.

પાકિસ્તાનને 146 રન સુધી સીમિત રખાવવામાં કુલદીપ (ચાર વિકેટ), અક્ષર (બે વિકેટ), વરુણ (બે વિકેટ), બુમરાહ (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. સાહિબઝાદા (57 રન)ની હાફ સેન્ચુરી પાણીમાં ગઈ હતી.

September 26, 2025
image-30.png
1min131

વધુ એક મોટો નિર્ણય કરતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 1 ઓક્ટોબરથી વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ભારે ટ્રક પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેક્સ, કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50% , અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ટેક્સ લાદવામાં આવશે.

ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2025 થી, અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પર 100% ટેરિફ લાદીશું. કરમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ લાગુ થશે જો કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. જો આ કંપનીઓ “બ્રેકિંગ ગ્રાઉન્ડ” અથવા “અંડર કન્સ્ટ્રક્શન” ની સ્થિતિમાં હશે તો તેમને કરમુક્તિ આપવામાં આવશે.

September 25, 2025
image-29.png
1min137

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નવા તાલુકા ૧૦ જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ તાલુકાની સંખ્યા હવે ૨૬૫ થઈ

આ ઉપરાંત વાવ–થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકા વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લાના મુખ્ય મથક સાથે વાવ–થરાદ જિલ્લાની રચનાને કૅબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નવા તાલુકા કયા?

નવા ૧૭ તાલુકાઓ બન્યા છે એમાં ગોધરા, કોઠંબા, ચીકદા, નાનાપોંઢા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, કદવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, અરેઠ અને અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે.