CIA ALERT

Alert Archives - Page 512 of 512 - CIA Live

June 14, 2018
smcbuilding.jpg
1min16920

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 13, 2018
chikufarmbullet.jpg
1min16050

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

નરેન્દ્ર મોદીના 17 બિલિયન અમેરિકન ડોલર્સના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગામી ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરવાની ડેડલાઇન છે પરંતુ, બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા કેરી અને ચીકુની વાડીઓ અટકાવી રહી છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ્યાં પ્રપોઝ કરાયો છે, અને જે ખેડૂતોની જમીન સંપાદનમાં લેવાની છે એ ખેડૂતો પોતાની જમીન ફાળવવા માટે રાજી નથી અને તેમણે આક્રમક આંદોલન શરૂ કર્યા છે. ખેડૂતોના આ આંદોલનને મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણીઓના આશીર્વાદ પણ સાંપડી રહ્યા છે. ચીકુ અને કેરીના ફાર્મથી ખેડૂતો દાયકાઓથી રોજીરોટી મેળવી રહ્યા છે, સંપાદન ઓથોરિટી દ્વારા જે રકમની ઓફર કરવામાં આવી છે તેનાથી કેરી અને ચીકુથી થતી આવક પણ થઇ શકે તેમ ન હોવાથી ખેડૂતો જમીનના બદલામાં આર્થિક વળતર ઉપરાંત રોજગારીની ગેરેન્ટી પણ માગી રહ્યા છે. આમ, નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનને કેરી અને ચીકુ અટકાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે ખેડૂતોએ બુલેટ ટ્રેન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે વખતની તસ્વીર

મહારાષ્ટ્રમાં તો બુલેટ ટ્રેનની જમીન સંપાદનના બદલામાં સંબંધિત ઓથોરિટી દ્વારા ખેડૂતોને માર્કેટ ભાવ કરતા 25 ટકા વધુ પ્રીમિયમ ભાવ તેમજ અન્ય સ્થળ પર જમીન આપવાની ઓફર આપવામાં આવી છે પણ ખેડૂતોએ તેને પણ ઠુકરાવી દીધી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હાલ બુલેટ ટ્રેન સામે આક્રમક દેખાવો કરી રહ્યા છે. ખેડૂતોએ જમીનના બદલામાં વળતર ઉપરાંત રોજગારીના કાયમી સ્ત્રોતની પણ તીવ્ર માગણી કરી છે જે સરકારની નીતિ વિરુદ્ધ અને ખોટો દાખલો બેસે તેમ હોવાથી જમીન સંપાદન ઓથોરિટીના હાથ બંધાય ગયા છે.

મુંબઇથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રપોઝ્ડ પ્રોજેક્ટમાં કુલ 108 રનિંગ કિલોમીટર વિસ્તારમાં જમીન સંપાદન કરવામાં ખેડૂતોના વિરોધને કારણે મોટી સમસ્યા સર્જાવા પામી છે અને આ જ કારણે આગામી ડિસેમ્બર 2018ની ડેડલાઇન સુધીમાં જમીન સંપાદન નહીં થઇ શકે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જોખમ સમાન છે.

June 13, 2018
namo1.jpg
1min14980

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસ્થાને બગીચામાં યોગ અને કસરત કરતો વિડીયો શેર કરીને ફિટનેશ ચેલન્જમાં ભાગ તો લીધો જ પરંતુ, કુમારસ્વામીને પણ ચેલેન્જ ફેંકી

તા.13 જૂન 2018, બુધવારની સવારે નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર આ રીતે પોતાનો ફિટનેસ વિડીયો રજૂ કરીને કર્ણાટકના સી.એમ., મોનિકા બત્રા અને 40 વર્ષથી વધુ વય ધરાવતા આઇ.એ.એસ. ઓફિસર્સને નોમિનેટ કર્યા હતા

ઓલલમ્પિક મેડલ વિજેતા અને હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી રાજસ્થાનના રાજ્યવર્ધનસિંહે ભારતમાં શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ખાસ્સી પ્રચલિત બની રહી છે. ભારતીયોને ફિટ એન્ડ ફાઇન રાખવાના આશયથી શરૂ કરાયેલી આ ફિટનેસ ચેલેન્જનો વ્યાપ ત્યારે વધ્યો જ્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી, ફિટનેસ ચેલેન્જ પૂરા કરતા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા અને તેમણે આ મિશન અાગળ વધારતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ ફેંકી છે. પીએમ મોદીએ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મોનિકા બત્રા અને દેશના એવા તમામ આઈપીએસ અધિકારીઓ જેમની ઉંમર 40 પ્લસ હોય તેમને ફિટનેસ ચેલેન્જ આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય વિરોધી હોવા છતાં પણ ખેલદિલીની ભાવના વ્યક્ત કરીને કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચડી કુમારસ્વામીને ફિટનેસ માટે ચેલેન્જ પણ આપી. નરેન્દ્ર મોદીએ બુધવાર, તા.13મી જૂને સોશ્યલ મિડીયા ટ્વિટર પર મોર્નિંગ એક્સરસાઈઝ કરતો તેમજ યોગ કરતો પોતાનો વીડિયો પોસ્ટ છે.

કુમારસ્વામીએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

કુમારસ્વામીએ આ ચેલેન્જનો જવાબ આપતું ટ્વીટ કર્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે મને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યો તે બદલ આભાર. હું સ્વાસ્થ્ય પ્રત્યે ઘણો ચિંતિત છું અને હું માનું છું કે શારીરિક ફિટનેસ જરૂરી છે. યોગા તેમજ ટ્રેડમીલ એ મારા ડેઈલી વર્કઆઉટનો ભાગ છે. પરંતુ હું મારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે વધુ ચિંતિત છું અને આ માટે તમારા સહયોગની અપેક્ષા છે.’

 

કોણ કોણ ફિટનેસ ચેલેન્જ સ્વીકારી ચૂક્યું છે

માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જમાં વિરાટ કોહલી, સાયના નહેવાલ સહિતના સ્પોર્ટ્સ આઈકન્લ ચેલેન્જ સ્વીકારી ચૂક્યા છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેણે પીએમ નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ ઈન્ડિયન કેપ્ટન એમ એસ ધોનીને ચેલેન્જ આપી હતી.

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15300

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.

June 12, 2018
nalin_kotadia.jpg
1min13550

પોલીસ પેપર જોતા કોટડિયા સામે બીન જામીનપાત્ર ગુનો અને ષડયંત્રમાં સામેલ હોવાનું કોર્ટે નોંધ્યું 

સુરતથી આકાર પામેલા અને ગુજરાતભરમાં ફેલાયેલા હજારો કરોડો રૂપિયાના બીટ-કોઇન ખંડણી કેસમાં પોલીસને મચક નહીં આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું ધરપકડ વોરંટ સેશન્સ કોર્ટે ઇશ્યૂ કર્યા બાદ પણ તેઓ ઘણાં સમયથી હાજર થતા નથી. પરીણામે ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચએ ધારીના પૂર્વ ભાજપી ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડૂ જાહેર કરવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા હવે સત્તાવાર રીતે કોટડિયાને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.

સીઆઇડી ક્રાઇમે કોટડિયાને સીઆરપીસીની કલમ 82 મુજબ ભાગેડૂ જાહેર કરવા સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,  બિટકોઈન ખંડણી કેસમાં કુલ છ આરોપી પકડાયા છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ખંડણી ઉઘરાવવા માટે કાવતરૂં રચાયું હતું. આરોપી કિરીટ પાલડિયા, કેતન પટેલ, જતિન પટેલ અને નલિન કોટડિયા સુરત સર્કિટ હાઉસમાં મળ્યાં હતાં. કાવતરૂં ઘડીને કેતન પટેલે અમરેલી એસ.પી. જગદિશ પટેલ સાથે વાત કરી હતી.

અગાઉ વિવાદાસ્પદ રાજકારણી નલીન કોટડિયા સામે લુકઆઉટ નોટિસ જારી કરી દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણ કરી દેવામાં આવી છે.

 

June 12, 2018
bhaiyyuji-maharaj.jpg
1min19410
રાષ્ટ્રસંતનું માન મેળવનાર ભૈય્યુજી મહારાજે મધ્યપ્રદેશના ઇન્દૌરમાં પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને મોત વહાલું કરી લેતા સમગ્ર ભારતમાં દાવાનળની જેમ સમાચાર વહેતા થયા છે. ભૈય્યુજી મહારાજે કયા કારણોસર મોત વહાલું કર્યું તે કારણો હજી જાણી શકાયા નથી. ભૈય્યજી મહારાજને ગંભીર હાલતમાં ઈન્દૌરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર દરમિયાન મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઇન્દૌરમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર જમા થયા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે પાંચ સંતોને રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો આપ્યો હતો તેમાં ભૈય્યુજી મહારાજનો પણ સમાવેશ હતો. ભૈય્યુજી મહારાજને એટલા માટે હાઇપ્રોફાઇલ સંત કહેવામાં આવે છે કેમકે નરેન્દ્ર મોદીથી લઇને આરએસએસ પ્રમુખ સમેત ટોચના વીવીઆઇપી તેમની સાથે ઘરોબો ધરાવતા હતા.
નરેન્દ્ર મોદીને પારણા કરાવીને દેશભરમાં પ્રખ્યાત થયા
ભૈય્યુજી મહારાજનું કાર્યક્ષેત્ર સામાન્યતહ મધ્યપ્રદેશ પૂરતું સિમીત હતું પરંતુ, નરેન્દ્ર મોદીએ યોજેલા ધરણા બાદ ભૈય્યુજી મહારાજે નરેન્દ્ર મોદીને પારણા કરાવ્યા હતા, એ ઘટના સમગ્ર ભારત અને વિશ્વભરમાં ભૈય્યુજી મહારાજને ફેમસ કરી દીધા હતા.
સીયારામ કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે
હાઇપ્રોફાઇલ સંત ભૈય્યુજી મહારાજની લાઇફસ્ટાઇલને કારણે તેઓ ભારે ચર્ચામાં રહ્યા છે. તેમના ઠાઠમાઠ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ રહ્યા છે. તેઓ એક સમયે સીયારામ જેવી કંપની માટે મોડેલિંગ પણ કરી ચૂક્યા છે.
ભૈય્યુજી મહારાજનું મૂળ નામ ઉદય સિંહ શેખાવત છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના શુજેલપુરમાં એક કિસાન કુટુંબમાં થયો હતો. તાજેતરમાં જ ભૈય્યજી મહારાજનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું હતું,
 
ભૈય્યુજી મહારાજને ભારતના હાઇપ્રોફાઇલ સંત માનવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય સ્તર પરના નેતાઓ સાથે તેમનો ઘરોબો છે. તાજેતરમાં ભૈય્યુજી મહારાજ સાથે જોડાયેલી બે ખબરો ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી તેમના લગ્ન અને બીજુ તેમના પર હુમલો. ગત વર્ષે એપ્રિલ 2017માં ભૈય્યુજી મહારાજે બીજી લગ્ન કર્યા હતા. તેમણે ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે સાત ફેરા લીધા હતા. ભૈય્યુ મહારાજની પ્રથમ પત્ની માધવીનું આશરે એકાદ વર્ષ પહેલા (નવેમ્બર 2015 માં) નિધન થયું હતું. પહેલા લગ્નથી તેમની એક દીકરી કુહુ છે, જે હાલ પુણેમાં અભ્યાસ કરી રહી છે.
ભૈય્યુજી મહારાજ થોડા સમય પહેલા જાહેર જીવનથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ અચાનક તેમના બીજા લગ્નએ લોકોને ચોંકાવી દીધા હતા.
June 10, 2018
sp3.jpg
12min15630

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સમગ્ર વિશ્વમાં વુમન એમ્પાવરન્મેન્ટમાં કામ ઓછું અને વાતો ઝાઝી થાય છે. સમ ખાઇ શકાય તેવા કામો કર્યા બાદ તેના બણગાં ફૂંકવામાં આવે છે. વિશ્વમાં સ્ત્રી સશક્તિકરણનો સૌથી પ્રચંડ પુરાવો જો કોઇએ આપ્યો હોય અને વુમન એમ્પાવરન્મેન્ટનું ધી બેસ્ટ એક્ઝામ્પલ કોઇએ સેટ કર્યુ હોય તો એ સ્પેશની નવી સરકાર છે.

સ્પેનમાં ગયા ગુુરુવાર તા.7મી જૂન 2018ના રોજ નવી ચૂંટાયેલી સરકારની શપથવિધી સમારોહ યોજાયો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે સ્પેન સરકારના નવા પ્રધાનમંડળમાં 11 મહિલાઓ અને ફક્ત 6 પુરુષોને સ્થાન આપવામાં આવ્યું હતું. ટૂંકમાં કહીએ તો સ્પેન આખો દેશ હવે મહિલાઓ ચલાવશે. સ્ત્રી સશક્તિકરણ તો ઠીક પણ મહિલાઓને પુરુષ સમોવડી દરજ્જો આપીને સ્પેનએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રત કર્યું છે.

સ્પેનના પ્રધાનમંડળમાં 11 મહિલા મંત્રીઓને અગત્યના ખાતાઓ જેવા કે રાષ્ટ્રીય અર્થતંત્ર, નાણાં અને સંરક્ષણ સહિતના અનેક મહત્ત્વનાં ખાતાં મહિલા મંત્રીઓને જ સોંપાયા છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝના નવા પ્રધાનમંડળમાં મહિલાઓની ટકાવારી 64.7 ટકા છે. અગાઉ, ફિનલેન્ડની સરકારે 2015માં આ માટે કરેલા 62.5 ટકાના વિક્રમને સ્પેનના આ નવા પ્રધાનમંડળે તોડ્યો છે.

વડા પ્રધાનપદે મારિયાનો રાજોયને સ્થાને સાન્ચેઝની નિમણૂક થઇ હતી. તેમણે પોતાના પ્રધાનમંડળને મહિલાઓના વર્ચસ્વવાળું, પ્રગતિશીલ અને યુરોપ-તરફી ગણાવ્યું હતું. મહિલાઓની બહુમતી ધરાવતા પ્રધાનમંડળે રાજા ફિલિપ છઠ્ઠાની સમક્ષ તા.7મી જૂન 2018ના રોજ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. કારમેન કાલ્વોએ સોરાયા સાએન્ઝ ડી સાન્તામારિયા પાસેથી નાયબ વડાં પ્રધાનપદ સંભાળી લીધું હતું.

સ્પેનના ચાર દાયકાના લોકતાંત્રિક શાસનમાં અને યુરોપના દેશોના ઇતિહાસમાં પ્રધાનમંડળમાં મહિલાઓની આ ટકાવારી પુરુષોની સરખામણીમાં સૌથી વધુ છે.

સ્ટેટિસ્ટિક્સ ઑફ ધિ ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉઑપરેશન એન્ડ ડેવલપમેન્ટે આ સંબંધમાં માહિતી પૂરી પાડી હતી.

અગાઉ, સ્પેનમાં 2011થી વડા પ્રધાનપદ સંભાળતા મારિયાનો રાજોય સામે તાજેતરમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. અહીંની એક અદાલતે રૂઢિચુસ્ત પોપ્યુલર પાર્ટીને સંડોવતા કૉન્ટ્રેક્ટ આપવા બદલ લાંચ લેવાના આરોપમાં સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

બંધારણ અને કાયદાનાં નિષ્ણાત તેમ જ ભૂતપૂર્વ સાંસ્કૃતિક પ્રધાન કારમેન કાલ્વો નાયબ વડાં પ્રધાન તરીકે કામગીરી બજાવશે. તેઓ સ્પેનમાં ફરી શરૂ કરાયેલું સમાનતા માટેનું મંત્રાલય પણ સંભાળશે.

નાયબ વડાં પ્રધાનપદ સંભાળતા કારમેન કાલ્વોએ તા.8મી જૂને યોજાયેલા સમારંભમાં જણાવ્યું હતું કે સરકારે પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસામનતા દૂર કરવા કાર્ય કરવું જોઇએ.

For our English Readers

Pedro Sánchez’s New PSOE Government

Deputy Prime Minister, Relations With Parliament & Equality Minister—Carmen Calvo (Córdoba, Andalusia 1957)—A doctor of constitutional law, Ms. Calvo was formerly Culture Minister in the government of José Luis Rodriguez Zapatero from 2004-2007 and the regional culture minister in Andalusia from 1996-2004. She was also the Deputy Speaker of Congress for a few years. A strong defender of women’s rights, she also formed part of Pedro Sánchez’s team to coordinate the suspension of home rule in Catalonia with the Popular Party following the declaration of independence last year.

Government Spokeswoman, Education & Professional Training Minister—Isabel Celaá (Bilbao, Basque Country, 1949)—A professor of English, Ms. Celaá also holds a law degree and was the regional minister of education in the Basque Country in Patxi López’s socialist government from 2009-2012. She presided, as chairwoman of the party’s Ethics & Guarantees Commission, over the primary process that saw Pedro Sánchez come back and beat Susana Díaz as leader of the PSOE in 2017, after touring Spain to obtain grassroots socialist support. ABC reported Ms. Celaá had lived for a time in both Belfast and Dublin.

Home Secretary—Fernando Grande Marlaska (Bilbao, Basque Country, 1962)—A senior judge, Marlaska has been chief justice of the criminal bench of the National High Court in Madrid since 2012. He has also been a member of Spain’s Judicial Council since 2013. He investigated cases against Basque terror group ETA and the Yak-42 plane crash that killed 62 Spanish soldiers in Turkey in 2003, while they were returning from a tour in Afghanistan.

Justice Minister—Dolores Delgado (Madrid, 1962)—A public prosecutor specialising in anti-terrorism investigations at the National High Court in Madrid, and more specifically the fight against jihadi terror. Europa Press characterised Ms. Delgado as “a firm defender of universal justice”. She worked as a prosecutor on the International Criminal Court against Muammar Gaddafi in 2011. On July 26, 2017, the day Mariano Rajoy appeared before the National High Court as a witness in the Gürtel corruption case, Ms. Delgado tweeted: “This systemic corruption is unbearable. What we have seen today is pathetic, sad and outrageous”.

Foreign Affairs, European Union & Cooperation Minister (Foreign Secretary)—Josep Borrell (Lérida, Catalonia, 1947)—An aeronautical engineer, Mr. Borrell was formerly Public Works Minister in the government of Felipe González from 1991-1996. He also won the PSOE primary to be their candidate in the general election in 2000, but stepped back in favour of Joaquín Almunia. He was also President of the European Parliament from 2004-2007. During the separatist crisis in 2017, Mr. Borrell strengthened his reputation as a statesman-like, constitutionalist debater against Catalan nationalist rhetoric. Former Catalan First Minister Carles Puigdemont—still a fugitive from Spanish justice—wondered ironically on Twitter if Mr. Borrell’s appointment was the “deescalating brotherly message” the PSOE had in mind.

Defence Minister—Margarita Robles (León, Castilla y León, 1956)—Formerly the PSOE’s spokeswoman in Spain’s lower house of parliament, Congress, Ms. Robles has been an MP since 2016 and used to be a Supreme Court judge and a member of the country’s Judicial Council, and was a secretary of state in Felipe González governments in the 1990s. On June 5, El Mundo described Ms. Robles as the PSOE’s “highway to the Basque Nationalist Party (PNV)” during the recent negotiations to oust Mr. Rajoy, and that she is also very close to senior Podemos leaders.

Public Works Minister—José Luis Ábalos (Valencia, 1959)—A schoolteacher by profession, Mr. Ábalos has been Mr. Sánchez’s secretary of organisation in the Socialist Party since he came back to power in 2017. He held several local and regional political posts in Valencia in the 1980s, 1990s and 2000s, and has been an MP since 2009. Part of Mr. Sánchez’s political inner circle, Mr. Ábalos introduced the new Prime Minister at the no-confidence debate that ousted Mariano Rajoy last week in Congress.

Finance Minister—María Jesús Montero (Seville, Andalusia, 1966)—Ms. Montero holds a medical degree and has been the regional finance and public administration minister in Andalusia since 2013, so is considered close to regional socialist leader Susana Díaz. Mrs. Montero was previously the regional health minister from 2004-2013 and is an MP in the regional parliament. The Diario de Sevilla reported the PSOE in Andalusia was happy with her appointment, as she would provide a key national link and is considered to be well-read on the intricacies of regional financing in Spain.

Economy & Business Minister—Nadia Calviño (La Coruña, Galicia, 1968)—Ms. Calviño holds degrees in law and economics and held a string of posts in Spanish ministries before being appointed Director-General for Budget at the European Commission in 2014. Spanish business daily Expansión reported Pedro Sánchez had notified Jean Claude Juncker, the President of the European Commission, in person of the appointment of Ms. Calviño “as a sign of economic stability”. The chairwoman of Banco Santander, Ana Botín, tweeted her congratulations to Mrs. Calvino on Tuesday “at a key moment for the European Union”; she would be “a guarantee Spain would continue to increase its weight in European institutions”.

Employment, Migration & Social Security Minister—Magdalena Valerio (Cáceres, Extremadura, 1959)—Ms. Valerio holds a degree in law and is a civil servant by profession, specialising in social security. She was an MP in Congress from 2011-2016 and served as a regional minister in the socialist government in Extremadura until 2010. She is a member of the PSOE’s Federal Executive Committee. Spanish media reported she is considered very close to Mr. Sánchez, supporting him in the leadership race last year against the candidate from neighbouring Andalusia, Susana Díaz.

Industry, Commerce & Tourism Minister—Reyes Maroto (Valladolid, Castilla y León, 1973)—Ms. Maroto holds an economics degree and is a university lecturer and an MP in the regional parliament in Madrid, where she works as a spokesperson on the budget committee. She has been responsible for sustainable development policies at the Madrid Socialist Party.

Health, Consumers & Social Welfare Minister—Carmen Montón (Valencia, 1976)—Ms. Montón has until now been the regional health minister in Valencia and is a political ally of the new Prime Minister, supporting him through his fight to regain power in the Socialist Party. She is considered a supporter of public healthcare and a critic of preferential treatment for pharmaceutical companies, and was an MP in Congress from 2004-2015. In a short description of herself on the PSOE website, Ms. Montón said she was most proud of having worked on legislation to bring about gay marriage and improvements in civil rights for LGBTI citizens, and abortion for women.

Agriculture, Fisheries & Food Minister—Luis Planas (Valencia, 1952)—An employment inspector who holds a law degree, Mr. Planas was briefly considered as a rival for First Minister of Andalusia against Susana Díaz, but did not receive enough support to move forward with his challenge. He has been an MP in Congress, an MEP, a senator and a regional MP in Andalusia, and Spanish Ambassador to Morocco. He served as the regional agriculture minister for just over a year from 2012-2013. Since 2014, Mr. Planas has been the secretary general of the European Economic and Social Committee

Territorial Policy & Civil Service Minister—Meritxell Batet (Barcelona, Catalonia, 1973)—Ms. Batet holds a law degree and has taught administrative and constitutional law as a university lecturer. She will be in charge of working out what to do about Catalonia after the separatist crisis in 2017. She has been an MP in Congress since 2004. “Meritxell is a person who works hard”, Pedro Sánchez told La Vanguardia for a 2015 interview with Ms. Batet: “She is a woman of her time and, above all, a woman who has made herself, which not many people know about her”.

Science, Innovation & Universities Minister—Pedro Duque (Madrid, 1963)—Spain’s first astronaut, Mr. Duque has travelled into space twice, once aboard the space shuttle Discovery in 1998 and once aboard a Soyuz spacecraft to the International Space Station. He was awarded the Prince of Asturias Prize for International Cooperation in 1999. An enthusiastic Twitter user, Mr. Duque tweeted when news of his appointment broke that he “wished mum was here” to see it. He has also tweeted against reiki and homeopathy.

Ecological Transition Minister—Teresa Ribera (Madrid, 1969)—Ms. Ribera holds a law degree, is a civil servant by profession, and was the Secretary of State for Climate Change until 2011, in the second government of José Luis Rodriguez Zapatero, and has been the director of the Institute of Sustainable Development and International Relations in Paris since 2014. She was a member of the World Economic Forum’s Global Advisory Council on climate from 2014-2016.

Culture & Sports Minister—Maxim Huerta (Valencia, 1971)—A journalist and TV presenter, Mr. Huerta has also written several novels and other books. His appointment was the last to be revealed on Wednesday, and had not been leaked to the press beforehand.

June 9, 2018
gc1.jpg
1min16900

સમગ્ર વિશ્વભરમાંથી અંદાજે 4 લાખ લોકો અમેરિકામાં સ્થાયી થવા માટે ત્યાં કાયમી વીઝા એટલે કે ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે, આ વેઇટિંગ લિસ્ટમાં ત્રીજા ભાગના લોકો ભારતીય પાસપોર્ટ ધરાવે છે. અમેરિકાના બંધારણના નિયમ મુજબ કોઇપણ વર્ષમાં કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. આ કારણે ભારતીયોને અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવામાં વર્ષો નહીં પણ દાયકાઓ નીકળી જાય તેવી સ્થિતિ હાલ તુરત છે.

ટ્રમ્પની અમેરિકન સરકારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પર જણાય આવે છે કે ચાલુ કેલેન્ડર વર્ષ, ૨૦૧૮ના મે મહિનામાં એમ્પ્લૉયમેન્ટ-બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે કુલ ૩,૯૫,૦૨૫ ફોરેન સિટીઝન્સ રાહ જોઈ રહ્યા છે. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડિપેન્ડન્ટ બેનિફિશિયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સૅલ્વેડોર (૭૨૫૨), ગ્વાટેમાલા (૬૦૨૭), હૉન્ડુરસ (૫૪૦૨), ફિલિપીન્સ (૧૪૯૧), મેક્સિકો (૭૦૦) અને વિયેટનામ (૫૨૧)નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે.

ગ્રીન કાર્ડનો આટલો વ્યાપક ક્રેઝ કેમ?

કોઇપણ દેશ રહેઠાણ, આવકના માધ્યમો, એચ.આર.ડી. રેગ્યુલેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પરીબળોના આધારે તેમજ સૌથી અગત્યનું એ દેશનો હેપ્પીનેસ ઇન્ડેક્ષના આધારે અન્ય દેશોના લોકો ત્યાં વસવાટ માટે, હંગામી, કાયમી નિવાસ માટે વીઝા માગતા હોય છે. અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

June 8, 2018
fifa.jpg
1min15210

આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે

ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓએ સિરિયા અને ઇરાકને મૃત:પ્રાય અવસ્થામાં નાખી દીધા પછી હવે તેમના તરફથી મોટો ખતરો રશિયામાં આગામી ૧૪મી જૂનથી આરંભ થનારા ફૂટબૉલ વર્લ્ડ કપ વખતે છે, એમ સલામતી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે.

વૉશિંગ્ટનના સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે કરેલા એક અંદાજ મુજબ રશિયા તેમ જ ભૂતપૂર્વ સોવિયેત સંઘના રાષ્ટ્રોમાંથી કુલ મળીને ૮,૫૦૦ જેટલા જેહાદીઓ ઇરાક-સિરિયામાં ગયા હતા અને આઇએસમાં જોડાઈ ગયા હતા. એમાંના ઘણા આતંકવાદીઓ રશિયામાં તેમ જ ચેચન્યા અને એશિયાના બીજા દેશોમાં પાછા આવ્યા છે. ઇરાક અને સિરિયાનો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તેમ જ બીજા મિત્ર દેશો અને ખાસ કરીને રશિયા દ્વારા સફાયો કરવામાં આવ્યો એ પહેલાં જ આઇએસના કમાન્ડરોએ અનેક જેહાદીઓને રશિયા સહિતના અનેક રાષ્ટ્રોમાં પાછા ફરીને ત્યાં લાગ મળે ત્યારે હુમલા કરવાનો આદેશ આપી દીધો હતો. એ જોતાં, હવે દરેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર આતંકવાદી હુમલાનો ભય તોળાય છે અને વર્લ્ડ કપ જેવી સર્વોત્તમ સ્પર્ધા એમાંથી કેવી રીતે બાકાત રહી શકે, એવું નિષ્ણાત સલામતી અધિકારીઓનું માનવું છે.

ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આર્જેન્ટિનાના લેજન્ડરી પ્લેયર લિયોનેલ મેસીના ચહેરા પર લોહીના ડાઘ સાથેના ફોટાને વાઇરલ કરવાની હરકત કરવામાં આવી ત્યારથી જ ફીફા અને આયોજક દેશો એલર્ટ મોડ પર આવી ગયા હતા. આવી બીજી અનેક તસવીરો તેમ જ વીડિયો અપલોડ કરવાનું કામ આઇએસના ડબ્લ્યૂએએફએ (વફા) મીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

૨૦૧૪ અને ૨૦૧૫ની સાલમાં આઇએસના ટેરરિસ્ટોએ પોતાના વિસ્તારોમાં અનેક લોકોને નારંગી કલરના સૂટ પહેરાવીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. અસ્સલ એવી જ રીતે એ આતંકવાદીઓના એક જૂથે મેસી તેમ જ બ્રાઝિલના સુપરસ્ટાર નેયમારને મૃત્યુદંડ આપતાં પહેલાં તેમને નારંગી સૂટ પહેરાવીને ઊભા રાખ્યા હોય એવી વીડિયોટેપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.

એટલું જ નહીં, ટેરરિસ્ટોએ મેસી-નેયમાર સહિતના કેટલાક મહારથીઓને જમીન પર સૂવડાવી, તેમના ગળા પાસે છરી રાખીને પોતે ઊભા હોય એવી તેમ જ બીજી વીડિયોમાં તેમને આગમાં ભડથું કરી દેવામાં આવ્યા હોય એવું વીડિયોમાં બતાવ્યું છે. આઇએસની પોસ્ટમાં આવું સ્લોગન પણ લખવામાં આવ્યું હતું, ‘જ્યાં સુધી મુસ્લિમ દેશોમાં અમારી સલામતી નહીં રહે ત્યાં સુધી તમે પણ સલામતી નહીં માણી શકો.’

ગયા મહિને વેસ્ટ પૉઇન્ટના કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર (સીટીસી) દ્વારા પ્રગટ કરવામાં આવેલા બ્રાયન ગ્લીન વિલિયમ્સ અને રૉબર્ટ ટ્રોય સૉઝા નામના લેખકોના અહેવાલમાં ૧૪ જૂન-૧૫ જુલાઈ ૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપ સામેના ખતરા વિશે લખવામાં આવ્યું હતું કે ‘છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આઇએસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ દ્વારા રશિયામાં સંખ્યાબંધ સફળ હુમલા થયા છે અને અમુક ષડ્યંત્રોને નાકામિયાબ પણ બનાવવામાં આવ્યા છે. આના પરથી કહી શકાય કે આ ટેરર ગ્રુપ આગામી વર્લ્ડ કપ દરમિયાન રશિયામાં વધુ હુમલા કરવા સક્ષમ છે.’

અમેરિકી નિષ્ણાતોએ વધુમાં લખ્યું છે કે આ હુમલા ‘લોન વુલ્ફ’ (એકમાત્ર આતંકવાદી દ્વારા ટ્રક અથવા કારમાં બેસીને અથવા ટોળા પર સંખ્યાબંધ ગોળીઓ છોડીને કરાતો હુમલો)ના રૂપમાં હોઈ શકે. એટલું જ નહીં, સ્થાનિક વિસ્તારોના આઇએસ સાથે સંકળાયેલા જેહાદીઓ દ્વારા પણ હુમલા થઈ શકે એમ છે. આ હુમલાખોરોમાં તાજેતરમાં સિરિયા અથવા ઇરાકમાંથી પાછા આવેલા આતંકવાદીઓનો સમાવેશ હોઈ શકે.

June 4, 2018
mbbs_1.jpg
2min20880

નીટમાં મિનીમમ કેટલા પર્સન્ટાઇલ જોઇએ

 

 

મેડીકલ, પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો

IIT, NIT, IITમાં જોસા www.josaa.nic.in થકી થતી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ

રાજ્યમાં આવેલી બી.આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

 

 

આજરોજ તા.4 જૂન 2018એ સીબીએસઇ દ્વારા નીટ-2018ના પરિણામો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે રચેલી મેડીકલ એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી હતી. સી.આઇ.એ. લાઇવ દ્વારા આ વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એન.આર.આઇ. ક્વોટામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમના માટે પણ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. અહીં પી.ડી.એફ. ફોર્મેટ લિંક ક્લીક કરશો એટલે ફાઇલ ઓપન થશે.

mbbs_nri