CIA ALERT

Alert Archives - Page 511 of 512 - CIA Live

June 16, 2018
airport_building.jpg
1min14700

સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ્સના મુદ્દે પખવાડિયામાં તપાસ રિપોર્ટ આવશે

એરપોર્ટના રનવેને નડતરરૂપ 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ પર હથોડા ઝીંકવા કે કેમ મુદ્દે હવે પખવાડિયામાં કોઈ સ્પષ્ટ સંકેત મળે તેમ છે. એરપોર્ટ ઓથોરિટીએ નાસિકની એજન્સીને સરવે કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ છે. આ એજન્સી સોમવારથી સરવેનું કામ પણ હાથ ધરી દેશે. 80 જેટલી બિલ્ડિંગ્સના તમામ નહીં પણ 190 ફ્લેટ્સ પૈકી કેટલાક સમૂળગા તોડી નાંખવા પડે તો કેટલાકના આંશિક હિસ્સાને દૂર કરીને બિલ્ડિંગની ઉંચાઇ નિર્ધારિત પ્રમાણ સુધી લાવવી પડે તેમ છે.

 (પ્રતિકાત્મક તસ્વીર)

સૌથી પહેલા આ તપાસ એજન્સીએ આજે પાલિકા, કલેક્ટરાલય અને એરપોર્ટ ઓથોરિટી સાથે એક બેઠક પણ યોજી દીધી છે. ગયા સોમવારે ડીજીસીએના સ્ટાફે સુરતની મુલાકાત પણ લીધી હતી. છેલ્લાં ઘણા સમયથી 18 પ્રોજેક્ટ્સની 80 બિલ્ડિંગ્સ અને 190 ફ્લેટ્સ સુરત એરપોર્ટને નડી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં મુકાયો છે. આ મુદ્દે ગત 26મી મેના રોજ એક બેઠક સુરત પાલિકાકલેક્ટરાલયપીડબલ્યુડી વિભાગસુડા અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.

પાલિકાના અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

બેઠકમાં પાલિકા તરફથી એવી રજૂઆત થઈ હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી માટે સુરત મહાનગર પાલિકા પાસે જે સમયે અરજીઓ સામે આવી હતી. તે સમયે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગના એનઓસીના આધારે ફાઇનલ પ્લોટ બનાવાયા હોઈ તેના ઉપર ડેવલપમેન્ટ માટેની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપ્યું હોવાથી પાલિકાએ આ તમામ 80 બિલ્ડિંગ્સને સાંકળતા 18 પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

મ્યુનિ.ને ગેરમાર્ગે દોરીને પ્લાન મંજૂર કરાવાયા હતા

તપાસના ધમધમાટને પગલે ઓર્ગેનાઈઝર્સમાં ફફડાટ ફેલાવા માંડ્યો છે કેમકે વિવાદી પ્રોજેક્ટ્સના પ્લાન મંજૂર કરાવવા માટે પાલિકાને ખોટી વિગતો અપાઈ હતી. આને આધારે પાલિકા ઇચ્છે તો પ્લાન રદ્દ કરી શકે તેમ હોવા છતાં વિવાદમાંથી પાલિકાએ હોંશિયારીપૂર્વક હાથ બહાર કાઢી લીધાં છે. ઉપરથી કલેક્ટરાલય એટલે કે રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે કોઈ સહયોગ જોઈતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએતેવું જણાવીને હાથ ઉપર રાખ્યો હતો. એટલે દડો ફરી એરપોર્ટ ઓથોરિટીના પલ્લામાં પડ્યો હતો. એટલે, એરપોર્ટ ઓથોરિટીએ આવી બિલ્ડિંગ્સની તપાસ કરીને રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે. 

June 16, 2018
carrats1.jpg
2min17980

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

ડાયમંડ નગરીથી જાણીતા સુરત શહેરના હાર્દ સમા અને હીરા ઉદ્યોગ જ્યાંથી વિસ્તરીને સમગ્ર વિશ્વમાં પહોંચ્યો છે એ વરાછા ખાતે આવેલા સૌરાષ્ટ્ર ભવન ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન વિશ્વસ્તરીય ડાયમંડ એક્સપો જેનું નામાભિધાન કેરેટ્સ કરવામાં આવ્યુ છે એનું આયોજન સુરત ડાયમંડ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હોવાની પહેલી વહેલી જાહેરાત આજે બાબુભાઇ એન. ગુજરાતી જેઓ આ સંસ્થાના પ્રમુખ છે એમણે કરી છે.

કેરેટ્સ, સુરત ડાયમંડ એક્સપો અંગેની વિગતવાર માહિતી આપતા બાબુભાઇ એન. ગુજરાતી, ગૌરવ શેઠી વગેરે આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત ખાતે યોજાનારું હીરા ઉદ્યોગનું આ પ્રદર્શન અનોખું એટલા માટે છે કેમકે તેમાં ટૂર્કી, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, મલેશિયા, ચાઇના વગેરે જેવા દેશો સમેત વિશ્વભરમાંથી અંદાજે 10 હજારથી પણ વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. આ એક્સપો એટલા માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે કેમકે એ બીટુબી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર હશે અને હીરા ઉદ્યોગના ધંધાર્થીઓને નવા જોડાણોથી વાકેફ કરાવશે. કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સપોમાં રાઉન્ડ શેપ અને ફેન્સી શેપ્સના પોલ્કી, રોઝ કટ, ફેન્સી કલર્સ ડાયમંડની આખી રેન્જ પણ જોવા મળશે.

સુરત ખાતે આગામી તા.10થી 12 જુલાઇ દરમિયાન યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સપોમાં ભાગ લેનારા 60 ટકા પ્રદર્શકો પહેલી જ વખત કોઇ એક્સપોમાં ભાગ લઇ રહ્યા છે, બાયર્સ અને ટ્રેડર્સ માટે આ જ કારણે નવા જોડાણો શક્ય બની શકશે.

રેપાપોર્ટના માર્ટિન ખાસ ઉપસ્થિત રહેશે

સમગ્ર વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રે વિશ્વસનીય નામ રેપાપોર્ટના માર્ટીન રેપાપોર્ટ કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો માટે ખાસ ઉત્તેજિત છે અને તા.10મી જુલાઇએ ખાસ ઉદઘાટનમાં પધારીને એક કલાકની કોન્ફરન્સને તેઓ સંબોધન પણ કરશે.

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો માટે ભારતમાં અનેક શહેરોમાં રૉડ શૉ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોને ભારતમાં હાઇલાઇટ કરવા માટે દિલ્હી, કોલકાત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ, જયપુર જેવા મોટા શહેરો તેમજ ટૂ ટાયર કક્ષામાં આવતા ભારતના અન્ય શહેરોમાં પણ ખાસ રોડ શૉ કરવામાં આવશે. જેમાં સુરત ખાતે યોજાનારા કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સોમાં પધારવા માટે રજિસ્ટ્રેશન, ઇન્વિટેશન વગેરે આપવામાં આવશે.

રૂ.200 વિઝીટર ચાર્જ

કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સો નિહાળવા માટેની ઇચ્છા ધરાવનાર દરેક મુલાકાતીઓએ ઓન ધ સ્પોટ રૂ.200નો ચાર્જ ચૂકવવા પડશે.

જ્યારે હાલમાં તા.30મી જુન સુધી www.sdasurat.org ખાતે રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી થઇ રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોશીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

 

NEWS for English Readers

B2B LOOSE DIAMOND EXHIBITION – 10, 11, 12 JULY 2018.

SDA is consistently working towards the growth of diamond industry and endeavors to keep it on the forefront of the world map. SDA takes great pride in announcing an exclusive showcase of loose diamonds “CARATS – Surat Diamond Expo” which will prove as a landmark event by opening new avenues for the Small and Medium scale diamond enterprises and boost B2B transactions by bringing SME’s directly in touch with big buyers.  The exhibition will be held on 10, 11, 12 July 2018 in Surat .

The exhibition brings together on a single platform in three days all operators of retail and wholesale trade, distributors, importers and exporters. The event will welcome around 10,000 global visitors and showcase comprehensive varieties of diamonds including round and fancy shapes, polki, rose cut and fancy color.

June 16, 2018
chatri1.jpeg
1min26000

ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.

આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.

                                                                                                                                                            (સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)

પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે

June 16, 2018
w1.jpg
1min16150

ચાલુ સપ્તાહમાં વોટ્સ એપ દ્વારા તેની સર્વિસ અંગેના પેજ પર કેટલાક અપડેટ્સ શેર કરવામાં આવ્યા હતા. જે મુજબ  ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કેટલા હેન્ડસેટમાં વર્ક નહીં કરી શકે. પરીણામે એ મોબાઇલ હેન્ડસેટ્સ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સસ્તા મોબાઇલ લેતા ભારતના કરોડો યુઝર્સને વ્હોટ્સએપના આ ચેન્જને કારણે મોટી અસર થશે એમ માનવામાં આવે છે.

ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન ખરીદનારાઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ આજે પણ એન્ડ્રોઇડના જૂના વર્ઝન ધરાવતા સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન લે-વેચનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. આજે આવા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ જ સોશ્યલ મિડીયા અને તેમાં પણ ફેસબુક અને વ્હોટ્સ એપ જ મહદઅંશે હોતું હોય છે ત્યારે વ્હોટ્સ એપની સુવિધા બંધ કરવાના કારણો કરોડો ફોન ઇન્સ્ટ્રુમેન્ટસ ફક્ત કોલિંગ કે ટેક્સ્ટ મેસેજિંગ સેવા માટે જ ચાલી શકશે.

  • નોકીયા S40 મોડેલમાં 31 ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કામ કરતી બંધ થઇ જશે
  • 2.3.3 નંબરના એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા મોબાઇલ ફોનમાં વ્હોટ્સ એપ એપ્લિકેશન બિલકુલ ચાલી નહીં શકે
  • વ્હોટ્સએપ 3GS/iOS 6 નંબરના આઇફોનમાં સપોર્ટ કરતું બંધ થઇ જશે
  • બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10માં વ્હોટ્સ એપ એપ્લિકેશન્સ સપોર્ટ જ નહીં કરે.
  • બ્લેકબેરીના એન્ડ્રોઇડ સિસ્ટમથી ચાલતા PRIV, DTEK50, KEYone અને KEY2માં વ્હોટ્સ એપ એપ્લિકેશન અને સુવિધા ચાલુ રહેશે
  • વિન્ડોઝ 8.0 અને તેનાથી જૂના મોબાઇલ ફોન્સમાં 1 જાન્યુઆરી 2018થી વ્હોટ્સ એપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે.
  • એન્ડ્રોઇડ 2.3.7 જીંજરબ્રેડ વર્ઝન ધરાવતા કોઇપણ મોબાઇલ ફોનમાં ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સએપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે
  • આઇફોન્સના iOS 7 મોબાઇલ ફોન્સ પર ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સ એપ કામ કરતું બંધ થઇ જશે.
June 16, 2018
pratikjoshi.png
1min15470
તા.16 જૂન 2018
વડોદરાના અનગઢ ગામે તબીબી પ્રેક્ટિસની આડમાં મહિલા દર્દીઓને ફસાવીને કામલીલી આચરનાર ડો. પ્રતિક જોશીને આખરે વડોદરા પોલીસે ઝબ્બે કરી લીધો છે. એ પૂર્વે મહિલા દર્દીઓ સાથે કામલીલી આચરતા ડો. પ્રતિક જોશીના વિડીયો સોશ્યલ મિડીયામાં એટલા વાઇરલ થઇ ચૂક્યા હતા કે પોલીસ પર તેની ધરપકડનું ભારે પ્રેશર હતું, આખરે તેની ધરપકડ સાથે પોલીસે અનેક પડતર સવાલોના જવાબ પણ શોધી કાઢ્યા છે.
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં દવાખાનું ધરાવતા ડો. પ્રતિક જોશીના વિડીયો વાઇરલ થયા બાદથી ફરાર હતો. પ્રતિક જોષી પકડાયો છે તેવી જાણકારી મળતા જ પોલીસ સ્ટેશન પર ગામના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે, વીડિયો ઉતારી પ્રતિક જોષી મહિલાઓને બ્લેકમેલ કરતો હતો. આમ, આ સમગ્ર મામલો ખૂબ જ પેચીદો બન્યો છે.
પ્રતિક જોશી અલગ રાગ આલાપે છે
પ્રતિક જોશીએ આ સમગ્ર મામલે પોતાને ફસાવાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. પ્રતિકે કહ્યું કે, એ નિર્દોષ છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેનું દવાખાનું પણ બંધ છે પણ આ મામલે તેનું અપહરણ કરીને તેની પાસેથી ખંડણી માગવામાં આવી હતી અને તેણે પોલીસને સમગ્ર હકીકત જણાવી છે.
ડૉક્ટર પ્રતિક જોશીની કામલીલા અંગે માહિતી મળતા તેની પાસેથી મોટો તોડ પણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે, જેને પ્રતિક જોશીએ પોતે પણ સમર્થન આપ્યું છે. આ સાથે તેવો પણ આરોપ છે કે કમ્પાઉન્ડરે પણ પ્રતિક જોષી પાસેથી પૈસા લીધા છે.
પ્રતિક જોશીના મહિલા દર્દીઓ સાથેના સેક્સ વીડિયો ઉતારનારો તેનો કમ્પાઉન્ડર થોડા દિવસ પહેલા જ પોલીસના હાથે ઝડપાયો છે. આ ઉપરાંત, આ વીડિયો વાયરલ કરવા બદલ ગામના ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય એક વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, મહિલા દર્દીઓને દવાખાને બોલાવી તેમની સારવાર કરવાના બહાને ડૉ.પ્રતિક જોશી તેમની સાથે કામલીલા આચરતો હતો અને તેના વીડિયો પણ બનાવતો હતો.
June 15, 2018
drug.jpg
1min13030

બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ

સમગ્ર વિશ્વમાં પથરાયેલા ડ્રગ રેકેટનો ભંડાફોડ કરતા ડીઆરઆઇએ વડોદરા-ગોવા-મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને 10 જણાની ધરપકડ તો કરી જ છે સાથે 308 કિલોગ્રામ કેટામાઇનનો જથ્થો પણ કબજે કર્યો છે. અબજો રૂપિયાના આ કાળા કારોબારનો રેલો ગુજરાતના વડોદરા સુધી વિસ્તર્યો છે.

કેટામાઇન ડ્રગ્સના બનાવીને સપ્લાય કરવાના એક ઇન્ટરનૅશનલ રૅકેટનો ભંડાફોડ DRI મુંબઇએ કર્યો છે. ડીઆરઆઇએ કરેલી કાર્યવાહીમાં ગોવા, રાયગડ તેમ જ વડોદરામાં જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી મોટા પ્રમાણમાં ડ્રગ જપ્ત કર્યું છે. અધિકારીઓએ બે બ્રિટિશ અને એક વિયેટનામના એેમ ત્રણ વિદેશી નાગરિકો સહિત કુલ ૧૦ જણની ધરપકડ કરી છે. આ રૅકેટને પકડવા માટે અધિકારીઓએ ‘ઑપરેશન વિટામિન’ હાથ ધર્યું હતું અને એમાં ૨૫૦ કિલો કેટામાઇન બનાવવા માટેનું ૨૦૦૦ કિલો રૉ-મટીરિયલ જપ્ત કર્યું છે.

આ ડ્રગની ડીલ હવાલા દ્વારા થતી હતી અને ભારતમાં આ ડ્રગની સપ્લાય માટે સારીએવી ચેઇન બનાવવામાં આવી હતી. અધિકારીઓએ ત્રણ દિવસમાં સિરીઝ પ્રમાણે ગોવા, વડોદરા અને રાયગડમાં રેઇડનું આયોજન કર્યું હતું અને ૩૦૮ કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું, જેમાં રહેવાસી અને ઇન્ડસ્ટ્રિયલ સંકુલનો પણ સમાવેશ છે.

June 15, 2018
gm-1280x1280.png
1min12670

ભારતીય-અમેરિકન મહિલા ધિવ્યા સૂર્યદેવરાની વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (GM)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી GMના હાલના CFO ચક સ્ટિવન્સનું સ્થાન લેશે.

વિશ્વવિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં મૂળ ભારતીય ધિવ્યા સૂર્યદેવરા તા.1લી સપ્ટેમ્બર 2018થી ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવશે

ચેન્નાઈમાં જન્મેલાં 39 વર્ષનાં ધિવ્યા સૂર્યદેવરા જુલાઈ 2017થી GMના કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ છે. તે કંપનીના CEO મેરી બારાને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, મેરી બારા 2014થી કંપનીના વડા છે. બારા અને ધિવ્યા સૂર્યદેવરા ઓટો ઉદ્યોગમાં તેમના હોદ્દા પર પ્રથમ મહિલા છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીના CEO કે CFO તરીકે મહિલા એક્ઝિક્યુટિવ નથી. આ સાથે GM મહિલા CEO અને CFO ધરાવતી હર્ષી કંપની અને અમેરિકન વોટરવર્ક્સ જેવી S&P 500 કંપનીઓની યાદીમાં જોડાશે.

ધિવ્યા સૂર્યદેવરાએ યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે ૨૨ વર્ષની વયે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA માટે અમેરિકા ગયાં હતાં. સૂર્યદેવરા ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને એકાઉન્ટન્ટ છે. તેમણે 25 વર્ષની વયે 2005માં GMમાં જોડાતાં પહેલાં UBS અને પ્રાઇસવોટરહાઉસકુપર્સમાં કામ કર્યું છે. બારાએ જણાવ્યું હતું કે, “ધિવ્યાના અનુભવ અને ઘણી મહત્ત્વની ભૂમિકામાં લીડરશિપથી કંપની ઉત્તમ કામગીરી દર્શાવવામાં સફળ રહી છે.”

સ્ટિવન્સ (58 વર્ષ) જાન્યુઆરી 2014થી GMના CFO રહ્યા છે. તે આગામી વર્ષે માર્ચ મહિનામાં કંપનીમાં 40 વર્ષની મેરેથોન ઇનિંગ્સ પછી નિવૃત્તિ લેશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટિવન્સ નિવૃત્તિ સુધી કંપનીના સલાહકારપદે રહેશે. સ્ટિવન્સે 1978માં બ્યુક ડિવિઝનમાં કામગીરી શરૂ કરી હતી.

June 14, 2018
bank1.jpg
1min16030

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર દેશભરમાં આવેલી કો-ઓપરેટિવ બેંકોને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તબદીલ કરવામાં આવશે અને આ કારણે હાલમાં કરોડો રૂપિયાનું ધિરાણ બેરોકટોક આપી રહેલી કો-ઓપરેટિવ બેંકો કોઇ એક ક્લાયન્ટને રૂ.25 લાખનું જ ધિરાણ આપી શકશે. સહકારી બેંકોના કાર્યક્ષેત્રને મર્યાદિત બનાવતી સ્મોલ ફાઇનાન્સ બેંકની રિઝર્વ બેંક યોજના સામે દેશભરમાંથી ભારે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી ધિરાણ નીતિમાં શહેરી સહકારી બેન્કોને સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં પરિવર્તિત કરવા ટૂંક સમયમાં સ્કીમ બહાર પાડવા કરેલી જાહેરાતના સહકારી બેન્કો તરફથી ઘેરા પ્રત્યાઘાત સાંપડ્યા છે.

ફેડરેશન ઓફ અર્બન બેંકસ ઓફ ગુજરાતના સીઇઓ આર એન જોશીએ જણાવ્યું હતું કે, “જો કોઇ સહકારી બેંક સ્મોલ બેંક બને તો તે વધુમાં વધુ ₹25 લાખનું જ ધિરાણ કરી શકે. ઉદ્યોગો કે નાના ઉદ્યોગ સાહસિકોને ₹1 કરોડ થી ₹3 કરોડ કે તેનાથી પણ વધુ રકમની લોન આપી શકતી સહકારી બેન્કો સ્મોલ બેન્કો બને તો તેનો બિઝનેસ તો બંધ થઇ જશે. અગાઉ કરતાં ઓછો બિઝનેસ કરવાની આ પ્રકારની દરખાસ્ત સધ્ધર સહકારી બેંક સ્વીકારી શકે તેમ નથી.”

દેશના સહકારી માળખા સાથે સંકળાયેલા અને સહકાર ભારતીના વડા જયોતિન્દ્ર મહેતાએ આ જાહેરાતનો સીધો છેદ ઉડાડતા કહ્યું હતું કે અમે આ પ્રકારની ભલામણનો વિરોધ કરીએ છીએ.

નેશનલ ફેડરેશન ઓફ અર્બન બેંક એન્ડ ક્રેડિટ સોસયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “આ ભલામણ જ સહકારી ક્ષેત્રના માળખાથી વિપરીત છે. કો-ઓપરેટીવ બેંકોની સ્થાપના જ નાના-મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓ માટે થઇ છે, ત્યારે આ બેન્કોની ખાનગી બેંક બનાવવી શકય નથી. તેના ખાનગી માલિકો બની જાય જેઓ હાલમાં ચૂટાઇને આવે છે.

અમે તો આ પગલાંનો વિરોધ કરીએ છીએ. એટલું જ નહીં સહકારી કાયદાઓમાં પણ સહકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની કોઇ જોગવાઇ નથી. તેવા સંજોગોમાં આવી ભલામણ સાથે હવે સહકારી કાયદાઓમાં પણ સુધારાઓ કરવામાં આવે તો આવી બાબત શકય બને,જે અંગે હાલમાં કોઇ જોગવાઇ જ નથી. ”

બુધવારે ધિરાણ નીતિની જાહેરાત કરતાં આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એન એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે, “બેન્કનો દરજ્જો બદલવા કેટલાંક વર્ગ તરફથી આરબીઆઇ સમક્ષ માગ કરવામાં આવી હતી. અમે શહેરી સહકારી બેન્કમાંથી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કન્વર્ઝન અંગે વિગતવાર સ્કીમ જાહેર કરીશું.”

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીના વડપણ હેઠળ રચાયેલી કમીટી ઓન અર્બન કો-ઓપરેટીવ બેંકે ભલામણ હતી કે મોટી અર્બન કો-ઓપરેટીવ બેંક પોતે ઇચ્છે તો, અને કેટલાંક માપદંડનું પાલન કરે તો તે સ્વૈચ્છિક રીતે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરી શકે છે. કમીટીએ ₹ 20,000 કરોડથી વધુનું ટર્નઓવર કરતી બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ કરવાની પણ ભલામણ કરી હતી. કમીટીએ આપેલા રીપોર્ટમાં અર્બન કો-ઓપરેટીવ બેંકને કોમર્શિયલ બેંકમાં તબદીલ થવા માટે ટ્રાન્ઝીશન સમય આપવાની પણ ભલામણ કરી હતી.

June 14, 2018
samsung-tv-suhd-overview-smart.jpg
1min12670

ટેલિવિઝન માર્કેટની નં 1 કંપની સેમસંગે પહેલીવાર ટીવીના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. શાઓમી સહિતની ચાઇનીઝ બ્રાન્ડ્સને કારણે ગભરાયેલી સેમસંગે મોટી સ્ક્રીન સાઇઝના એન્ટ્રી-લેવલનાં મોડલ્સના ભાવમાં મહત્તમ ઘટાડો કર્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓએ દક્ષિણ કોરિયાની સેમસંગને પછાડી દીધી છે અને હવે ટીવી માર્કેટમાં પણ ચાઇનીઝ બ્રાન્ડ્સનું વેચાણ વધી રહ્યું છે.

સેમસંગે ભાવ ઘટાડ્યા બાદ શાઓમી, Vu અને TCL જેવી ચાઇનીઝ કંપનીઓના ભાવ સામેનું પ્રીમિયમ ૧૦૦ ટકાથી ઘટીને 50-60 ટકા થઈ ગયું છે. આ ભાવ ઘટાડીને સેમસંગ તેનો બજારહિસ્સો સલામત રાખી શકશે તેમજ નવા ગ્રાહકો પણ ખેંચી શકશે.

કંપનીઓ નવાં મોડલ્સ આવે ત્યારે જૂનાં મોડલ્સના ભાવમાં નિયમિતપણે પાંચ ટકા જેટલો ઘટાડો કરતી હોય છે પરંતુ સેમસંગે 10-20 ટકા સુધી ભાવ ઘટાડ્યો છે, જે તેની પ્રાઇસિંગ સ્ટ્રેટેજીમાં કરેલા વ્યાપક ફેરફારને દર્શાવે છે. તેનાં નવાં મોડલ્સના ભાવ પણ નીચા છે.
જે ગ્રાહકો વાજબી બ્રાન્ડ્સ તરફ ખેંચાઈ રહ્યા છે તેમને આકર્ષીને બજારહિસ્સો કબજે કરવા માટે સેમસંગે ટીવી માટે ખૂબ જ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી છે.

ભારતના ₹22,000 કરોડનું મૂલ્ય ધરાવતા ટીવી માર્કેટમાં મુખ્યત્વે સેમસંગ, સોની અને LG વચ્ચે સ્પર્ધા છે અને હવે આ માર્કેટમાં શાઓમી, TCL, થોમ્સન, શાર્પ, BPL અને સ્કાયવર્થ જેવી નવી સ્પર્ધકો પણ આવી છે.

શાઓમીએ ફેબ્રુઆરીમાં ભારતમાં ટીવીનું વેચાણ શરૂ કર્યું હતું અને ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે તેનું ૪૩ ઈંચનું મોડલ ₹22,999માં, 55 ઈંચનું ₹44,999માં મળે છે. આની સામે સેમસંગે તેના ૫૫ ઈંચના ટીવીનો ભાવ ₹1,00,000થી ઘટાડીને ₹70,000 જ્યારે 43 ઈંચના ટીવીનો ભાવ ₹39,900થી ઘટાડીને ₹33,500 કર્યો છે.

મોટી બ્રાન્ડ્સ જેવા જ ફીચર ધરાવતી નવી બ્રાન્ડ્સને કારણે મોટી કંપનીઓને ભાવની સ્ટ્રેટેજી બદલવાની ફરજ પડી છે.

ભારતના ટીવી માર્કેટમાં સેમસંગનો હિસ્સો 30 ટકા છે. 55 ઈંચથી મોટાં ટીવીના માર્કેટમાં સેમસંગ 37 ટકા બજારહિસ્સો ધરાવે છે જ્યારે સોનીનો હિસ્સો 29 ટકા છે. જોકે, આ સેગમેન્ટમાં તેનો હિસ્સો જાન્યુઆરીના 39 ટકાથી ઘટીને એપ્રિલમાં 33 ટકા થયો હતો.

June 14, 2018
footballmain.png
1min12710

વિશ્ર્વના સૌથી મોટા દેશ રશિયામાં આજે ૨૧મો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં પ્રથમ મૅચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ રાત્રે ૮.૩૦ વાગ્યે આ મુકાબલાનો આરંભ થશે.

ગ્રુપ ‘એ’ની આજની આ એકમાત્ર મૅચ પછી આવતી કાલથી દરરોજ ત્રણથી ચાર લીગ મૅચો રમાશે.

ભારત અને રશિયાના સમય વચ્ચે માત્ર અઢી કલાકનો તફાવત છે અને ભારતીય સમય મુજબ મોટા ભાગની મૅચો સાંજે ૫.૩૦ વાગ્યે, રાત્રે
૮.૩૦ વાગ્યે તથા રાત્રે ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે ભારતીય ફૂટબૉલચાહકોએ મૅચો માણવા રાતના ઉજાગરાં કરવા પડતા હોય છે, પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં તેમણે બહુ મોડી રાત સુધી નહીં જાગવું પડે.

રશિયા સહિત વિશ્ર્વભરમાં ફૂટબૉલ-ફીવર ફેલાઈ રહ્યો છે. રશિયામાં વિવિધ ટીમો સઘન પ્રૅક્ટિસ કરી રહી છે અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં સૉકરપ્રેમીઓ આવી રહ્યા છે. ગયા વખતે ચૅમ્પિયન બનેલું જર્મની આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.

બે નીચલા ક્રમની ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપમાં ગુરુવારે સાઉદી અરેબિયા સામે રમાનારી આરંભિક મેચમાં આયોજક રાષ્ટ્ર રશિયાએ સારો દેખાવ નોંધાવવા માટે ભારે માનસિક દબાણ હેઠળ રમવાનું રહેશે.

પોતાની છેલ્લી આઠ મેચમાં એકેય વિજય ન નોંધાવી શકેલ સ્ટેનિસલેવ ચેર્ચસોવની ટીમ ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં છેક ૭૦મો ક્રમ ધરાવે છે અને તે અહીંના ૮૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા લુઝહનિકી સ્ટેડિયમ ખાતે તેનાથી ત્રણ સ્થાન નીચેની સાઉદીની ટીમ સામે રમનાર છે.

ગયા અઠવાડિયે તુર્કી સામે ૧-૧થી ડ્રો નીવડેલી મેચ બાદ રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ગોલકીપર ચેર્ચસોવ ઉપરાઉપરી સાત મેચમાં એક વિજય પ્રાપ્ત ન કરી શકનાર રશિયાના પ્રથમ મૅનેજર બન્યા હતા અને તેમાંથી ચાર મેચમાં તેમની ટીમનો પરાજય થયો હતો.

સ્પોર્ટ્સના આ મહાકાય કાર્યક્રમની તૈયારીમાં રશિયાએ ૧૩ અબજ ડૉલરથી વધુ ખર્ચયા છે અને પ્રમુખ વ્લાદિમિર પુટીને ટીમના સભ્યોને પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરવાની અરજ કરી હતી.

રશિયાની ટીમ તેના વિભાગમાં ઉરુગ્વે અને ઈજિપ્ત સામે પહેલા રાઉન્ડમાં પણ રમનાર છે.

“અમારી ટીમે દુર્ભાગ્યે તાજતેરના પરિણામમાં સારા પરિણામ મેળવ્યા નથી, એમ પુટીને કહેતા ઉમેયુર્ં હતું કે રશિયાામાં બધા ફૂટબોલ ચાહકો રાષ્ટ્રની ટીમ સ્વાભિમાની અને ગૌરવપૂર્વક છેવટ સુધી પોતાની લડાયક રમત દાખવે એમ ઈચ્છી રહ્યા છે.

રશિયાએ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વર્લ્ડ કપમાં નોક-આઉટ તબક્કામાં ક્યારેય પ્રવેશ કર્યો નથી અને આ ઉનાળામાં તે પોતાનો દેખાવ સુધારવા પૂરો પ્રયત્ન કરશે.

ફક્ત દક્ષિણ આફ્રિકા આયોજક રાષ્ટ્ર તરીકે ૨૦૧૦ની સ્પર્ધામાં વિભાગીય તબક્કાની મેચોમાં હારી ગયું હતું, પણ પોતાના નબળા ફોર્મ તથા કેટલાક ખેલાડીને થયેલી ઈજાની સમસ્યાના કારણે રશિયાના ફૂટબોલમાં અવ્યવસ્થા ઊભી કરી છે.

સાઉદીની ટીમ ૨૦૦૬ પછી વર્લ્ડ કપમાં પહેલી વાર ભાગ લેનાર છે કે જે માટે રાષ્ટ્રના સ્પોર્ટસના અધિકારીઓએ ફહાડ અલ-મુવાલાડ સહિત પોતાના નવ ખેલાડી ઉચ્ચ સ્તરે રમવાનો અનુભવ કેળવવા સ્પેનમાં લોન પર રમવા મોકલ્યા હતા, પણ આ અખતરો સફળ બન્યો ન હતો. ફહાડના જાપાન સામે થયેલા ગોલથી સાઉદીની ટીમ વર્લ્ડ કપમાં રમવા માટે ગયા સપ્ટેમ્બરમાં ક્વોલિફાઈ થઈ હતી.