CIA ALERT

Alert Archives - Page 508 of 519 - CIA Live

July 17, 2018
rai1.jpg
1min5880

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં રહી રહીને પડેલા ભારે વરસાદને પગલે જનજીવન તેમજ જાનમાલને ભારે નુકસાની થઇ છે. કમસે કમ 29 વ્યક્તિઓના મોત વરસાદી હોનારતોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. 110 પશુઓના પણ મોત વરસાદી ઘટનાઓને પગલે થયા હોવાની વિગતો સરકારી યાદીમાં જણાવવામાં આવી છે.

Godhara: Residents wade through flood water after heavy rains in Godhara, Gujarat on Monday. PTI Photo (PTI7_4_2016_000213B)

રાજ્યમાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં પડેલા અતિભારે વરસાદને પગલે કુલ 5 સ્ટેટ હાઇવે સમેત 126 મુખ્ય માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. ક્યાં તો પાણી ભરાવાના કારણે અગર તો બિસ્માર બની જવાના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લાખો લોકોનું સામાન્ય જનજીવન ત્રણથી પાંચ દિવસ માટે ખોરવાય જવા પામ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

July 17, 2018
bhujmp1.jpg
1min6010

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં હજુ સુધી વરસાદ ન થતાં ચિંતા ફેલાઇ છે. એક તરફ અષાઢી બીજનું શુકન પણ ન સચવાયું અને બીજી તરફ પશુ અને ખેતીને ધ્યાને રાખી કચ્છમાં પાણીની વિકટ સ્થિતિ છે ત્યારે કચ્છી લોકો પણ ઇચ્છી રહ્યા છે. કે કચ્છમાં પણ હવે સચરાચર વરસાદ થાય ત્યારે વરુણદેવને રીઝવવા માટે લોકોએ પ્રાર્થનાનો દોર શરૂ કર્યો છે.

 

પહેલા નખત્રાણામાં વરસાદ માટે યજ્ઞ યોજાયા બાદ સોમવારે ભુજ ખાતેના ખારીનદી સ્મશાનગૃહ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવના સાંનિધ્યમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સારા વરસાદ માટે યજ્ઞનુ આયોજન કર્યું હતું. સામાન્ય રીતે કચ્છમાં અષાઢી બીજના અમીછાંટણા સાથે વરસાદનુ શુકન સચવાય છે, પરંતુ આ વખતે વરસાદ ન પડતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતુ. અને આજે વિવિધ સંસ્થાઓના સહયોગ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ યજ્ઞ કરાયો હતો જેમાં હાજર રહેલાઓએ આહુતી આપવા સાથે ભૂતનાથ મહાદેવ પાસે નોંધપાત્ર વરસાદની પ્રાર્થના કરી હતી. ંકચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રમુખ અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના સ્થાનિક લોકો પણ આ યજ્ઞમા જોડાયા હતા.

July 16, 2018
vnsgu.jpg
1min11670

Veer Narmad South Gujarat University, Surat
Result Notification No. : 1438 / 2018
THIRD YEAR BACHELOR OF COMMERCE ( EXTERNAL ) Examination, JUNE – 2018
———————————————————————–
The following candidates are hereby declared successful at the
THIRD YEAR BACHELOR OF COMMERCE ( EXTERNAL )
Examination held by this University in JUNE – 2018

FIRST CLASS : 366 787 798

SECOND CLASS :

52 61 68 72 120 126 141 145 285 294
317 320 325 346 368 395 396 397 489 492
506 534 556 567 568 569 580 627 630 667
689 694 709 718 880 883 938 960 971

PASS CLASS :

12 36 43 45 46 62 65 67 71 83
104 117 119 127 142 143 156 176 180 182
183 188 200 201 207 219 223 235 241 259
260 270 272 279 282 293 295 301 302 303
305 306 327 331 338 339 340 342 356 378
383 390 400 401 409 410 413 415 416 417
429 438 444 449 450 454 455 457 458 466
474 484 504 526 535 537 540 544 548 549
559 561 562 566 572 573 574 579 581 599
600 603 604 605 610 612 618 619 637 641
643 648 651 658 662 664 670 691 701 702
703 705 708 723 726 729 730 734 735 740
744 750 752 760 786 789 791 807 829 833
834 835 836 840 841 847 855 856 857 859
860 862 863 865 866 868 871 878 896 898
901 904 915 927 929 930 933 934 937 942
943 944 946 948 970

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans : 161 167 169 714

The result of the following candidates will be Declared Later On : 870

The result of the following candidates is WITHHELD whose cases falls
UNDER O.165 as they have not passed their Lower Examination :

6 18 33 47 48 63 80 94 107 140
153 157 160 181 186 193 194 209 250 284
297 298 304 309 318 329 337 343 385 392
394 399 430 439 443 476 478 479 481 485
515 517 522 523 552 555 560 615 616 642
645 647 653 656 657 688 699 721 725 812
816 822 839 852 854 872 873 876 879 884
899 916 957 958 959 963 974

TOTAL RESULT : 26.20 %
FIRST CLASS : 3
SECOND CLASS : 39
PASS CLASS : 165
FAIL : 583
ABSENT : 102
RESERVE : 4
D.L.O. : 1
W.O165 : 77

No. Exam/BCOM/7241/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
16 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 16, 2018
scam.png
1min20680

જયેશ બ્રહ્મભટ્ટ

એક તરફ મેડીકલ-ડેન્ટલ કોલેજમાં કાયદેસર રીતે પ્રવેશ મેળવવા માટે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો મહેનત કરીને, ગદ્ધા મજૂરી કરીને અધમૂઆ થઇ જાય છે ત્યારે પણ 75 ટકા વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ મળી શક્તો નથી અને બીજી તરફ માલેતુજારોના સંતાનોને નીટ-2017માં ઝીરો અને માઇનસ 2 જેટલા માર્ક આવ્યા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ મળી ગયા છે અને તેઓએ એક વર્ષનું મેડીકલ એડમિશન પણ લઇ લીધું છે.

ભારતમાં કૌભાંડીઓ કંઇપણ કરી શકે છે, તેમને નીતિ નિયમો નડતાં જ નથી. માલેતુજારો રૂપિયા ફેંકીને ભલભલા નીતિ નિયમોને નેવે મૂકાવી ધાર્યું કરાવી શકે છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીમાં ચાલતી લાલીયાવાડી અને કરોડો રૂપિયાનો કાળો કારોબાર રોકવા માટે સુપ્રીમ કોર્ટે ખુદ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ લેવા માટે દિશા સૂચન કર્યું હતું. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નેશનવાઇડ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટના નીતિ નિયમો બનાવ્યા અને તેમાં 50 પર્સન્ટાઇલ માર્કસ આવે તો જ એમબીબીએસ કે ડેન્ટલમાં પ્રવેશ મળે તેવા લાયકાતના ધોરણો નિયત કર્યા હતા.

આખા દેશમાં આ નિયમથી 2017માં પ્રવેશ અપાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા બે દિવસ દરમિયાન એવી સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે કે નીટ 2017માં માઇનસ 2 કે ઝીરો માર્ક આવ્યા હોય તેવા બે-પાંચ નહીં પણ કમસે કમ 100 વિદ્યાર્થીઓને એમબીબીએસ કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે. એથી વિશેષ 400 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેઓ નીટ 2017માં ક્વોલિફાય થાય તેટલા પણ માર્ક નથી, આમ છતાં તેમને એમબીબીએસમાં એડમિશન આપી દેવામાં આવ્યા છે. 1990 વિદ્યાર્થીઓ તો એવા છે જેમના માર્કસ 720માંથી 150 પણ નથી, આમ છતાં તેમને પ્રવેશ મળી ચૂક્યા છે. નીટ પરીક્ષાનો નિયમ એવો પણ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ ડિવિઝન પૈકી દરેકમાં 50 પર્સન્ટાઇલ માર્કસ હોય તો જ એમબીબીએસમાં પ્રવેશ પાત્રતા ગણાય. અહીં 1990 વિદ્યાર્થીઓ આવી કોઇ લાયકાત નહીં ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા છે.

ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશનું આ અભૂતપૂર્વ અને સૌથી મોટું કૌભાંડ લેખાઇ રહ્યું છે જેમાં મેરિટ માર્ક્સ તો દૂરની વાત રહી પણ લાયકાતના ધોરણો ને જ નેવે મૂકી દેવામાં આવ્યા છે.

તપાસ કરાતા જાણવા મળ્યું કે પ્રાઇવેટ મેડીકલ કોલેજોએ રૂપિયા લઇને નીટમાં કોઇપણ પ્રકારનું ક્વોલિફીકેશન નહીં ધરાવતા હોવા છતાં પણ એમબીબીએસમાં પ્રવેશ આપી દીધા છે. આ મામલો હવે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પહોંચી ચૂક્યો છે. પણ સવાલ એ ઉપસ્થિત થયો છે કે ગેરકાયદે પ્રવેશ કૌભાંડના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને એમબીબીએસમાં પ્રવેશ મળ્યા નહીં અને લાયકાત વગરના માલેતુજારોના સંતાનોને પ્રવેશ ફાળવી દેવાયા અને એક વર્ષ થઇ જવા છતાં પણ કોઇને ગંધ સુદ્ધાં નથી.

July 16, 2018
vadtal.jpg
1min6650

નડિયાદ સેશન્સ કોર્ટે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના કેસમાં અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

વડતાલ ખાતેથી મળતી માહિતી મુજબ આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી કેમકે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદો આવવાનો હતો. અગાઉ સુનાવણી વખતે મુદત પડતા કોર્ટે 16 જુલાઈ પર સુનાવણી મુલતવી રાખી હતી.

કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નડીયાદ સેસન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો પણ આદેશ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.

નડીયાદ સેસન્સ કોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અજેન્દ્રપ્રસાદને 7 દિવસની સજા ફટકારવાનો પણ આદેશ કર્યો છે.

2003માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્ર પ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

 

July 16, 2018
acpc.png
1min7020

ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજાેમાં હાલ ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી અન્વયે આજે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયા પછી નીચે મુજબની કોલેજાેમાં સીટ્સ ખાલી પડી રહી હતી.

BE_Vacant_R2

બી.ઇ.માં કયા કોર્સમાં કેટલા રેન્ક પર એડમિશન એટક્યું, કોલેજવાઇઝ માહિતી

BE_Course_Inst_R2

બીઇમાં કોલેજ વાઇઝ અંતિમ એડમિશન અંગેની માહિતી

BE_Inst_Course_R2

July 16, 2018
us3.jpg
2min6050

મુંબઇ સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ જનરલ કચેરીના એક્ટિંગ કોન્સુલ જનરલ સુશ્રી જેનિફર લાર્સને તાજેતરમાં જ સિટી ઓફ લેક તરીકે જાણીતા અને ભારતની બિલકુલ મધ્યમાં આવેલા ભોપાલ શહેરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતનો આશય કેટલાક સામાજિક કાર્યોમાં હાજરી આપવાનો હતો. તેમણે અમેરિકા અને ભારતના તંત્રવાહકો દ્વારા કન્યા સ્વાસ્થ્ય અંગે હાથ ધરાયેલા વજુદ પ્રોજેક્ટની મુલાકાત લઇને કેટલીક જાતમાહિતી મેળવી હતી. ગૌરવી નામના સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી જે મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે, એની કામગીરીને બિરદાવી હતી. સુશ્રી જેનિફર લાર્સને ભોપાલની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ભોપાલના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની પણ મુલાકાત લીધી હતી.

Acting Consul General Jennifer Larson visited the beautiful City of Lakes, Bhopal, this week, where she connected with key stakeholders in the region and participated in an Adolescent Health Day celebration at the USAID/India-supported Wajood project. Visiting the Gauravi One Stop Crisis Center, she learned about its impressive efforts to fight #GBV and seek justice for women. She also took the time to experience #Bhopal’s rich culture and heritage with visits to the iconic Museum of Man and Bharat Bhavan.

 

July 16, 2018
badroad1.jpg
1min9050

દેશમાં જમ્મુ કાશ્મીર સમેત અન્ય રાજ્યોમાં ત્રાસવાદી હુમલાઓ થતાં રહે છે અને તેમાં જાનહાનિ થતી રહે છે. પણ એવું લાગે છે કે દેશમાંના રસ્તાઓ વધુ જોખમી છે. ખાડાને લીધે થતા અકસ્માતમાં જાનહાનિની સંખ્યાના સંદર્ભમાં સરકારની આંકડાકીય માહિતીમાં જણાવાયા પ્રમાણે સમગ્ર દેશમાં ૨૦૧૭માં ત્રાસવાદી હુમલામાં ૮૦૩ જણ માર્યા ગયા હતાં એની સરખામણીમાં રસ્તા પરના ખાડાને લીધે થયેલા અકસ્માતમાં ૩,૫૯૭ જણનાં મોત નીપજ્યા હતાં.

મોટા ભાગના મેટ્રો શહેર ખરાબ માળખાકીય વ્યવસ્થા અને માર્ગોની મરામત અને જાળવણીમાં બેરદકાર રહેતી હોવાના સમાચાર હોવાથી અધિકારીઓને તેની નોંધ લેવાની ફરજ પડશે. ગયા વર્ષે મોતની સંખ્યા દિવસ દીઠ સરેરાશ ૧૦ હતી જે ૨૦૧૬ની સંખ્યાના ૫૦ ટકા કરતાં વધુ થવા જાય છે. આટલી મોટી સંખ્યા આઘાતજનક છે. પગલાં લેવાની જરૂર છે ખાસ કરીને નકસલવાદી સહિત ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલાની સંખ્યા ૮૦૩ હોય ત્યારે ખાડાને લીધે થતાં મોતની સંખ્યા પર ધ્યાન આપીને પગલાં લેવાની જરૂર છે.

યોગી આદિત્યનાથની આગેવાની વાળા ઉત્તર પ્રદેશ આગળ છે. રાજ્યના રસ્તાઓ પરના ખાડાના સંદર્ભમાં ૯૮૭ જણે જાન ગુમાવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. બીજો નંબર મહારાષ્ટ્રનો છે મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા ૭૨૬ છે. એમાં જો આ વર્ષના પૂરને લીધે થયેલાં મોતની સંખ્યા ફડણવીસ સરકારની આંખ ખોલનારી છે.સરકારી યંત્રણા લોકો માટે સારા રસ્તાની મૂળભૂત સગવડ આપતી વખતે કરદાતાના નાણાંના વપરાશ માટે સરકારે અપનાવેલા અભિગમ છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં હરિયાણા અને ગુજરાતનું નામ ટોચ પર છે. હરિયાણામાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલાં મોતની સંખ્યા ૫૨૨ હતી. દરમિયાન, દિલ્હીમાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલી જાનહાનિની સંખ્યા આઠ હતી. રસ્તાના બાંધકામ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૦૧૬માં ૩,૮૭૮ પરથી વધીને ગયા વર્ષે ૪,૨૫૦ જેટલી હતી.

July 16, 2018
gseb.png
1min7840

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં પરીક્ષકો એટલે કે શિક્ષકોએ જે પ્રકારની ભૂલો કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી જણાતી કે પરીક્ષકોએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ રંગદોળી નાંખ્યા હશે. બોર્ડે આવા બેધ્યાન અને મિસ્ટેકીયા પરીક્ષકોને ફક્ત પેનલ્ટી ઠોકીને છોડી મૂક્યા છે પણ પરીક્ષકોની ભૂલોની સજા ભોગવતા નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની કોઇ વાત કરી નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2018માં લેવાયેલી ધો. ૧૨ તમામ પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કુલ ૫,૭૪૨ ભૂલ પકડાઈ છે. ટોટલ મારવા જેવી સામાન્ય ભૂલો સહિતની અન્ય ભૂલો બહાર આવતા તમામ પરીક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પરીક્ષકોના જવાબી ખુલાસા બાદ બોર્ડ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પરંતુ સામાન્ય ભૂલો વિદ્યાર્થીઓનું ભાવિ ધમરોળી શકે છે.

ધો.૧૨ જનરલ સ્ટ્રીમમાં અંદાજે ૬.૦૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરવહી તપાસાઈ ગયા પછી વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. કમ્પ્યુટરમાં પરિણામ તૈયાર કરતાં પહેલાં સોફ્ટવેર દ્વારા ઉત્તરવહીઓનું ક્રોસ ચેકિંગ કરાયું હતું. જેમાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા હોવાનું બહાર આવતાં જ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવાય તે માટે નિર્ણય લેવાયો હતો.

હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષકને પેપર ચકાસણી માટે ધો. ૧૦ માટે રૂ. ૫ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ૬.૫૦ અને સામાન્ય પ્રવાહ માટે રૂ. ૭ ઉત્તરવહી દીઠ ચૂકવવામાં આવે છે. પરીક્ષકોએ કરેલા છબરડાની માત્રાના આધારે બોર્ડ દ્વારા તેમને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રમાણે એક માર્કની ભૂલ દીઠ પરિક્ષક પાસેથી રૂ. ૧૦૦ની વસૂલાત કરાશે. શિક્ષકોએ ટોટલ કરવામાં ૧૦ માર્કસથી ૨૩ માર્ક્સની ભૂલો કરી હોવાનું જાણવા મળે છે. છબરડા કરનારા શિક્ષકો પૈકી ૮૦ શિક્ષકોએ તો સરવાળા કરવામાં ૧૦ કે તેનાથી વધુ માર્કસની ભૂલો કરી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડ કડક બન્યું છે. બોર્ડની જોગવાઈ મુજબ પરીક્ષક ૧ માર્ક્સની ભૂલ કરે તો રૂ. ૧૦૦ દંડ થાય છે.

July 15, 2018
tina1.jpg
1min6670

ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરનું વૈશ્ર્વિક હેલ્થકેર કેન્દ્ર બનાવવામાં પોતાના અભિયાનને અનુરૂપ ક્લિનિકલ સર્વિસિસ અને નિદાન સુવિધાઓમાં ઉત્કૃષ્ટતા પર ભાર મૂકીને ટીના અંબાણીએ નવી મુંબઈમાં તેમની બીજી સુપર સ્પેશિયાલિટી, દર્દીકેન્દ્રિત ટર્શરી-કેર સંસ્થા લોંચ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવ માળ ધરાવતી અને ર.પ લાખ ચોરસ ફીટમાં પથરાયેલી અત્યાધુનિક હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં રરપ બેડ અને તમામ શાખાઓમાં સારવાર આપતા સ્પેશિયાલ્ટી ડિપાર્ટમેન્ટ છે, જે પારદર્શકતા, સારસંભાળ અને સંવેદનનાં સિદ્ધાંતો પર ભાર મૂકીને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ સારવાર પૂરી પાડીને દેશમાં તબીબી ક્ષેત્રમાં સારસંભાળનાં માપદંડો સ્થાપિત કરે છે.

રિલાયન્સ હૉસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીના અંબાણીએ કહ્યું હતું કે, ‘રિલાયન્સ હૉસ્પિટલ ભારતના હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાની પરિવર્તનકારક સફરમાં સ્વાભાવિક પગલું છે. આ સફરની શરૂઆત કોકિલાબેન હૉસ્પિટલ સાથે થઈ હતી. થોડા નહીં, પણ તમામ ભારતીયોને વૈશ્ર્વિક કક્ષાની તબીબી સારવાર મેળવવાનો અધિકાર મળવો જોઈએ એવી માન્યતા સાથે રિલાયન્સ હૉસ્પિટલ નવી મુંબઈ અને આસપાસના વિસ્તારના લોકો માટે સ્વાસ્થ્ય અને આશાનું કિરણ બનવાનો પ્રયાસ કરે છે.