CIA ALERT

Alert Archives - Page 507 of 512 - CIA Live

July 3, 2018
kuvar3.jpg
1min14100

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

July 3, 2018
a1.jpg
1min13920

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

July 2, 2018
gstreal1.jpg
1min13280

જયેશ બ્રહ્મભટ્ટ

ઉદ્યોગ પર જી.એસ.ટી. ની અસર પ્રારંભિક તબક્કામાં જોવા મળી હતી. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં જીએસટી લાગુ થયા પછી ઉદ્યોગમાં ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ હવે બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાને બુકિંગ સાથે પેમેન્ટ મળે તેમજ ગ્રાહકોને જીએસટીમાંથી મુક્તિ મળે તે માટે અવનવા કીમિયા શોધી કાઢ્યા છે.

બાંધકામ ઉદ્યોગમાં જી.એસ.ટી. કેવી રીતે લાગૂ થાય છે

બાંધકામ ઉદ્યોગમાં ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકા જી.એસ.ટી. લાગૂ થાય છે. જ્યારે 60 ચો.મી. સુધીના બાંધકામ પર 8 ટકા જીએસટી લાગૂ પડે છે. પૂર્ણ થઇ ગયેલા પ્રોજેક્ટ પર કોઇ જીએસટી લાગૂ થતો નથી. આમ બિલ્ડર્સ અને ઓર્ગેનાઇઝર્સ કમ્પ્લિટ પ્રોજેક્ટસ પર નીલ જીએસટીની જોગવાઇનો બરાબર ફાયદો મળે અને ગ્રાહકને પણ 12 ટકા જીએસટીમાંથી મુક્તિ મળે તે રીતે જુદા જુદા કિમીયાઓ અપનાવી રહ્યાની વિગતો માર્કેટમાંથી મળી રહી છે.

હોમબાયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇ છે જ પણ સ્પષ્ટતાના અભાવે જીએસટી મુક્તિના કિમીયાઓ સારા લાગી રહ્યા છે

ડેવલપર્સ અને મિલક્ત ખરીદનારાઓ માટે જીએસટીને ટેક્સ-તટસ્થ દરખાસ્ત માનવામાં આવે છે, જેમાં હોમ-બૉયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો પાસ કરવાની જોગવાઇ જીએસટીના કાયદામાં ઉપલબ્ધ છે જ. જો કે, આ લાભની રકમ કેટલી અને ક્યારે આપવી તે અંગેની ટાઇમલાઇન અંગેની સ્પષ્ટતાના અભાવથીને કારણે જીએસટીને ટાળવા માટેનાં રસ્તાઓ અને માધ્યમો શોધી કાઢવામાં આવ્યા હોવાનું જણાય આવે છે.

કિમીયો નં.1

હાલમાં માર્કેટમાં પ્રચલિત કેટલાક કિમીયાઓ અંગે એવી વિગતો મળે છે કે અન્ડર કન્સ્ટ્રક્શન હોય તેવા પ્રોજેક્ટ જો ખરીદનાર બુકિંગ કરાવે તો તેમની ની રકમ ને લોન સ્વીકારીને બિલ્ડર બુકિંગ કન્ફર્મ કરી દે છે. બાદમાં જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને સંબંધિત ઓથોરિટી તરફથી બિલ્ડીંગ યુઝ પરમિશન મળી જાય એ પછી પ્રોજેક્ટ બુકિંગ પેટે લીધેલી અને લોન પેટે બતાવેલી કરાવનાર ગ્રાહકને વ્યાજ સહિત કરે છે, અને એ જ રકમ પ્રોજેક્ટ ખરીદીની ચુકવણી પેટે બિલ્ડરને આપી દે છે. આવી સ્થિતિને કારણે ને 12 ટકા જી એસ ટી ની રકમ ભરવામાંથી ગ્રાહકને મુક્તિ મળી જાય છે કેમકે જીએસટી કમ્પ્લિટ થયેલા પ્રોજેક્ટ પર લાગુ પડતો નથી. 12% જી.એસ.ટી નો નો અમલ ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

કિમીયો નં.2

આ તો થઈ એક છટકબારી બીજી છટકબારી એ પણ છે કે હાલમાં બંધાઈ રહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક ખરીદી કરવાનું ફાઇનલ કરે ત્યારે ગ્રાહકની પસંદગીનું મકાન, ફ્લેટ કે દુકાન બિલ્ડર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવે એના બુકિંગ પેટે અને ડેવલોપર વચ્ચે ખાનગીમાં એગ્રિમેન્ટ તેમજ રોકડિયા વ્યવહાર થાય અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળ્યા પછી ગ્રાહક વ્હાઇટમાં પૂરેપૂરી રકમની ચુકવણી કરી દે છે. આના કારણે ગ્રાહકને 12% જી.એસ.ટી.માથી મુક્તિ મળી જાય છે. કેમકે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ પર જીએસટી લાગુ પડતો નથી.

જોકે બિલ્ડરો અને ડેવલોપર આવી સવલત ફક્ત તેમના નજીકના કે ઓળખીતા  આપે છે કારણકે બિલ્ડર્સને લાંબા ગાળે નુકસાન થવાની પૂરેપૂરી રહેલી છે.

કિમીયો નં.3

કેટલાક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં ખરીદી કરવા માંગતા ગ્રાહકોને એવી પણ ઓફર આપે છે કે તેમને જીએસટી લાગૂ નહીં થાય. કેમકે બિલ્ડર્સ ગ્રાહક વતી જીએસટીની રકમ ચૂકવવાની જવાબદારી પોતાના શિરે જ ઉઠાવી લે છે. તેઓ ગ્રાહકોને જે તે ખરીદીની એક બોક્સ અમાઉન્ટ એટલે કે લમસમ રકમ જ ઓફર કરે છે અને બોક્સ પ્રાઇસ પર જ સોદો કરી નાંખે છે. આવો માર્ગ અપનાવીને બિલ્ડર્સ ગ્રાહકનું બુકિંગ અને બુકિંગ અમાઉન્ટ પણ લઇ શકે છે. બિલ્ડર્સને આવા મામલામાં 7 ટકા જીએસટીની રકમ ભરવાની જવાબદારી ઉઠાવવી પડે છ ેજે લમસમ બોક્સ પ્રાઇસમાં પહેલેથી જ અામેજ કરી દીધેલી હોય છે.

July 2, 2018
paris1.jpg
1min14430

વિશ્વભરમાં કોઇ એવો દેશ નથી જેની જેલને સલામત કહી શકાય. ગુનેગારો વિવિધ જેલોની સલામતિ વ્યવસ્થાના લિરેલીરાં ઉડાડીને ફરાર થઇ જ જાય છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસની સૌથી સલામત ગણાતી જેલમાંથી એક અત્યંત રીઢો ગુનેગાર અન્ય ત્રણ કેદીઓને લઇને ભાગી જવામાં સફળ રહ્યો છે. કોઇ બોલિવુડની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સ્ટોરીમાં આરોપી જેલમાંથી હેલિકોપ્ટર દ્વારા ભાગી છુટવામાં સફળ નિવડ્યો છે અને પોલીસને એ હેલિકોપ્ટર ફ્રાન્સના અન્ય શહેરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ફ્રાન્સ પોલીસ માટે આ સૌથી મોટી નાલેષીજનક ઘટના લેખાવાય રહી છે.

 

paris

રેડોઇન ફૈડ આ પહેલાં પણ એક વાર જેલ તોડીને નાસી ગયો હતો. ૨૦૧૩માં ફ્રાન્સના એક જેલમાં વિસ્ફોટ કરીને તે નાસી ગયો હતો. અગાઉ દસેક વર્ષ જેલમાં પસાર કર્યા પછી રેડોઇન ફૈડને છોડવામાં આવ્યો હતો. ફૈડે ગુનાહિત ભૂતકાળ માટે ખેદ વ્યક્ત કરવા ઉપરાંત માફી માગીને નવી જિંદગી શરૂ કરવાનો નર્ધિાર પરોલ અધિકારીઓ સમક્ષ દર્શાવ્યો હતો.

paris1

(જે હેલિકોપ્ટરમાં જેલ તોડીને ગુનેગારો ભાગ્યા તે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું)

ફ્રાન્સના પાટનગર પૅરિસના ઉપનગરની જેલમાંથી ૪૬ વર્ષનો રીઢો ચોર રેડોઇન ફૈડ 30મી જુનના રોજ હેલિકૉપ્ટરમાં રફુચક્કર થઈ ગયો હતો. ચોર નાસી જવાની ઘટનાના થોડા વખત પછી પૅરિસના અન્ય ઉપનગરમાંથી આ હેલિકૉપ્ટર મળી આવ્યું હતું. પોલીસ આખા પૅરિસ શહેરમાં નાસી ગયેલા ચોર રેડોઇન ફૈડની શોધ ચલાવી રહી છે. એક સમયનો ફ્રાન્સનો તે મોસ્ટ વૉન્ટેડ અપરાધી હતો. તેની સાથે અન્ય ત્રણ કેદીઓ પણ નાસી ગયા છે. પોલીસે કહ્યું હતું કે ભારે શસ્ત્રધારી લોકોએ તેને ભાગવામાં મદદ કરી હતી.

૨૦૧૦ના મે મહિનામાં કરવામાં આવેલી સશસ્ત્ર લૂંટના કેસમાં ગયા એપ્રિલ મહિનામાં અપીલ્સ કોર્ટે રેડોઇન ફૈડને પચીસ વર્ષની કેદની સજા કરી હતી. એ લૂંટ દરમ્યાનના ગોળીબારમાં એક મહિલા પોલીસનું મૃત્યુ થયું હતું. આ ગુના માટે તે અત્યારે સજા ભોગવી રહ્યો હતો. ફૈડ કેટલાક ટીવી-પ્રોગ્રામ્સમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. રેડોઇન ફૈડ પોતાની ગુનાહિત જુવાની તથા અપરાધીરૂપે ઉછેર વિશેનાં બે પુસ્તકોનો સહલેખક પણ છે. ફૈડે ગુનાહિત જીવનની પ્રેરણા ‘સ્કારફેસ’ અને ‘હીટ’ જેવી અમેરિકન ફિલ્મો દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું.

July 2, 2018
vswallmart2.jpg
1min12980

મલ્ટિ નેશનલ કંપની વૉલમાર્ટના ભારતમાં પગપેસારો કરવા સામે આજે તા.2 જુલાઇ 2018ને સોમવારે સવારથી જ  દેશભરના સાત લાખ વેપારી, ખેડૂતો સહિત રાજકીય સંગઠનો વિરોધ પ્રદર્શન કરવા શેરી પર ઉતરી આવ્યા છે, જેમાં સુરત, અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે મહાનગરોના હજારો વેપારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વૉલમાર્ટ ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ખરીદવાની ડીલ થઈ છે ત્યારે વિદેશી કંપનીના ભારતમાં પગપેસારો કરવાથી ભારતના નાના-મોટા વેપારી, રિટેલ, હૉલસેલથી લઈને ખેડૂત વર્ગની આજીવિકા છીનવાઈ જાય એવા સંજોગ નિર્માણ થયા છે. ભારતની સૌથી મોટી ઓનલાઈન કંપનીના વેચાણને લઈને ભારતના વેપારી સંગંઠનોએ એક પછી એક સંબંધિત વિવિધ ઍજેન્સીઓમાં આની સામે ફરિયાદ નોંધાવતી પિટિશન કવાનું ચાલુ કરી દીધું છે. સરકારે આ વિવાદાસ્પદ ડીલને મંજૂરી આપવી નહીં એવી માગણી વેપારી સંસ્થાઓ દ્વારા થઈ રહી છે. આજના વિરોધ પ્રદર્શનમાં સંખ્યાબંધ ખેડૂત જમણેરી સંગઠનો તથા ટ્રેડ યુનિયનનો ટેકો મળે એવી શકયતા છે. લગભગ સાત લાખથી વધુ લોકો આ વિરોધપ્રદર્શનમાં જોડાયા હોવાનો અંદાજ છે.

July 2, 2018
rera.jpg
1min14000

ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-૨૦૧૬ હેઠળ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના થયા પછી બિલ્ડરો સામે ૯૪ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. જેમાં ૮૧ જેટલા કસુરવાર બિલ્ડરોને કુલ રૂ.૭૯,૯૭,૫૦૦ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ મુજબ ૯૪ બિલ્ડરો સામે ફરિયાદો નોંધવામાં આવી હતી. બિલ્ડરો સામે ફરિયાદના કેસો ત્રણ પ્રકારના હોય છે. એલોટી અને પ્રમોટર વચ્ચેની ફરિયાદો જેમાં પ્રમોટર નિશ્ર્ચિત અવધિમાં મકાનનું પઝેશન ના આપતા હોય, કમિટમેન્ટ પ્રમાણે ગુણવત્તા જળવાતી ના હોય તેમજ મકાનનો કારપેટ એરિયા, કોમન એરિયામાં ગોલમાલ થઈ હોય. અત્યાર સુધીમાં જેટલી ફરિયાદો આવી હતી. જેનું મોટાભાગે નિરાકરણ કરી બિલ્ડરોને દંડ કરવામાં આવ્યો છે. રેરા કાયદાનું મુખ્ય હાર્દ જ ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવાનું તથા બિલ્ડરો દ્વારા થતી છેતરપિંડી રોકવાનું છે, જેમાં બિલ્ડરો સામે ફરિયાદનું પ્રમાણ ઓછું છે, કદાચ રેરા કાયદા વિશે જાગૃતતાના અભાવને કારણે ઓછી ફરિયાદો આવી હતી.બીજી બે ફરિયાદો ઓથોરિટી દ્વારા સૂઓમોટો એટલે કે જાતે હાથ ધરવામાં આવી હતી. રેરામાં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા વિના તેની જાહેરાતો કે માકેર્ટિંગ થઈ શકતું નથી, એટલે રજિસ્ટ્રેશન વગર જાહેરાતો કરતા ૪૦ જેટલા બિલ્ડરોને પકડી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે રજિસ્ટ્રેશન વગર સ્કીમમાં બુકિંગ કર્યું હોય તેવા ૩૬ બિલ્ડરોને ઓથોરિટી દ્વારા સૂઓમોટો કાર્યવાહી કરી પકડવામાં આવ્યા હતા. અને એમનેય દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઓથોરિટીની સ્થાપના પછી અત્યાર સુધી રાજ્યભરમાંથી ૩ હજાર જેટલા પ્રોજેક્ટ્સની અને ૬૦૦ જેટલા રિયલ એસ્ટેટ એજન્ટ્સની નોંધણી થઈ છે, જેમાં સ્વાભાવિક રીતે મેગાસિટી અમદાવાદમાં સૌથી વધુ ૧૨૬૪ પ્રોજેક્ટ્સ તથા ૩૬૮ એજન્ટ્સ નોંધાયા છે.

July 2, 2018
adhar-pan-cardfeature.jpg
1min13130

આયકર વિભાગના પોલિસી મેકિંગ વિભાગે પૅનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની મુદત લંબાવીને 31-03-2019 સુધી વધારી છે. પાંચમી વખત સરકારે આધાર લીંક યોજનાની મુદત લંબાવી છે.
ઇન્કમટેક્ષ વિભાગના જણાવ્યા મુજબ સેકશન ૧૩૯ એએ (૨) અનુસાર ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં પૅનકાર્ડ મેળવનાર દરેક માટે તેને આધાર સાથે લીંક કરવું ફરિજયાત છે.

શનિવારે રાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ એકટમાં સેકશન ૧૧૯ હેઠળ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને (પાન) બાયોમેટ્રિક આઈડી (આધારકાર્ડ) સાથે જોડવાની મુદતમાં વધારો કરી ૨૭ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને અન્ય સેવા સાથે લીંક કરવાની આખરી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ આપી હતી.

બાયોમેટ્રિક સ્કીમની ખરાઈને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં પાંચ જજની બનેલી ખંડપીઠે આધારલીંક અંગે સમયમર્યાદા જાહેર કરી હતી. નવા પાનકાર્ડની માગણીમાં અને ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવામાં સરકારે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે.

કુલ ૩૩ કરોડ ફાળવેલા પૅનકાર્ડમાંથી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬.૬૫ કરોડ પૅન આધાર સાથે લીંક થયા છે.

આ અગાઉ પાન સાથે આધાર લીંક અપ અંગેની વધારવામાં આવેલી સમયમર્યાદા જુલાઈ ૩૧, ઓગસ્ટ ૩૧, ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ અને માર્ચ ૩૧, જૂન ૩૦ ૨૦૧૮ સુધીની હતી જે હવે વધારીને ૨૭ માર્ચ ૨૦૧૯ સુધીની કરવામાં આવી છે.

June 30, 2018
gst2.jpg
1min15340

બરાબર એક વર્ષ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતમાં ઐતિહાસિક ટેક્સ જીએસટી લાગૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે ‘વન નેશન વનટેક્સના સ્લોગન સાથે સાથે તા. ૧-૭-૨૦૧૭ની અસરથી ભારતમાં GSTનો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ પછી પણ GST બાબતે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ મક્કમ નથી તો પછી જેના પર GST લદાયો છે એ વ્યાપારીઓનું તો પૂછવું જ શું. GSTના અમલના એક વર્ષમાં ૩૦૦થી વધુ સુધારા-વધારા અને કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. GSTનો કાયદો હજુ અધિકારીઓ જ પુરી રીતે સમજી શક્યા નથી તો વેપારીઓની વાત જ શું કરવી. GSTને કારણે ભારતના વેપાર-ધંધા પર ઘેરી અસર થઇ છે અને ઇકોનોમી સ્લોડાઉનની સ્થિતિ સર્જાઇ હોવાના મત અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. સૌથી ઘેરી અસર સુરતના ટેક્સટાઇલ વ્યાપારીઓથી લઇને મેન્યુફેક્ચરર્સ પર પડી છે.

ટેક્સ ક્રેડિટ રિટર્ન કરવામાં આંખ મિચામણા

GSTના અમલના પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતના વેપારીઓ અને એક્સપોર્ટર્સના ૧૦ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ઠલવાઇ ચૂક્યા છે, પણ રિફંડ અંગે સરકાર મગનું નામ મરી પાડતી નથી. એકલા ગુજરાતની વાત કરીએ તો સરકારી તિજોરીમાં GST પેટે ગુજરાતના વેપારીઓના જ રૂ. ૨૦ હજાર કરોડનું રિફંડ બાકી છે.

GSTના અમલ ટાણે સતત ત્રણ મહિના સુધી તો વેપાર ધંધા જાણે કે ઠપ થઇ ગયા હતા. સરકાર જ્યારે GSTનો અમલ કરવા માગતી હતી તેના એક મહિના પહેલા સુધી તો કાયદા અને ધારાધોરણો પણ તૈયાર નહોતા. હવે GSTની જટિલ આંટીઘૂંટીમાં નાના વેપારીઓ અને જોબવર્ક કરવાવાળા અટવાઇ ગયા છે. GSTને લઇને એક વર્ષમાં ઘણા વેપાર-ધંધા બંધ થયા છે, બેરોજગારી વધી છે અને અર્થિક વિકાસ રૂંધાયો છે.

વ્યાપારીઓની સ્થિતિ

GSTના અમલના પગલે માર્કેટમાં લિક્વીડિટીની મહાસમસ્યા સર્જાવા પામી છે. બજારમાંથી રોકડ જ અદ્રશ્ય થઇ ગઇ હોય તેવી સ્થિતિ થતાં તેની આડઅસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપારીઓને દર મહિને GSTના જુદા જુદા રિટર્ન ભરવા માટે કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે છતાં રિટર્ન ફાઇલ થઇ શકતું નથી. GSTમાં વેપારીઓ પોતાની ઓફિસમાં જ રિટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા પ્રયાસ થયા હોવાની વાતો થઇ રહી છે પરંતુ વાતો અને વાસ્તવિકતા જુદી જ છે.

પરિસ્થિતિ વધુ બગડી

સ્ટેટ GST દ્વારા ગુજરાતમાં ૬૦ સ્થળે દિવેલના વેપારીઓ, બ્રોકરો, દલાલો અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ GSTની ટીમે અમદાવાદ, ડીસા, ઉંઝા, પાલનપુર, ગગલાસણ, ગોંડલ, છત્રાલ, રાજકોટ, કડી, કપડવંજ, ગાંધીધામ તથા કડીમાં આ દરોડા પાડતાં દિવેલના વેપારીઓ દોડતા થઇ ગયા છે. આ વેપારીઓ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોવાથી તેમની ઓફિસોમાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

June 30, 2018
bullet.jpg
1min6100
શુક્રવાર તા.29મી જુન 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે એ મુદ્દા પર રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે કે રાજ્ય સરકારે 2013માં કેન્દ્રના જમીન સંપાદન સંદર્ભના કેન્દ્ર સરકારના કાનૂનમાં કરેલા ફેરફારો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન સુસંગત છે કે કેમ, સુરતના એક ખેડૂત દ્વારા ગુજરાત સરકારે 2016માં કેન્દ્રના જમીન સંપાદન કાનૂનમાં કરેલા સુધારા સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલી જમીન સંપાદન કાર્યવાહી સામે સુરતના ખેડૂતની પીટીશન સાથે કુલ 2 પીટીશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે થઇ છે.
સુરતના ખેડૂત તરફે અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરવામાં આવી છે. આ મહિના આરંભે જ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ મુંબઇ-અમદાવાદ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ પીટીશન હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
સુરતના ખેડૂતે કરેલી પીટીશનમાં ગુજરાત સરકારના જમીન સંપાદન કાયદામાં એમેડમેન્ટ એક્ટ 2016ના સેક્શન 10એ સાથે સેક્શન 2-1ની વેલિડીટીને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાનૂનમાં સુધારો કરતા ગુજરાત સરકારે એવી જોગવાઇ કરી હતી કે જમીન સંપાદનના મામલામાં સોશ્યલ ઇમ્પેક્ટ (સામાજિક અસર)નું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જેને એસ.આઇ.એ. સોશ્યલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે કાનૂનમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતને બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવી હોવાની ફરીયાદ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોની છે.
આગામી દિવસોમાં આ મુદ્દા પર ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડે તેવી સ્થિતિ હાલ તુરત સર્જાવા પામી છે.
June 30, 2018
vidaadhar.jpg
1min14040
આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. UIDAIએ પહેલી જૂલાઈ એટલે કે કાલથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે. આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ ‘બેકાર’ બની જશે. જો કે બેકારનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે.
શું હોય છે VID?
આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા 1 જૂલાઈથી અનિવાર્ય થશે.
આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.