CIA ALERT

Alert Archives - Page 509 of 512 - CIA Live

June 26, 2018
narmada.jpg
1min12320

ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદ તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી 9826 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી 1 સેન્ટિમીટર જેટલી વધી રહી છે.

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો જોવાયો હતો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

 

June 25, 2018
gold2.jpg
1min12450

ગયા વર્ષે પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે તેમના બિઝનેસને ફટકો પડ્યો છે.

નવી ટેક્સ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઇન્ટ પર ટેક્સ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને અપેક્ષા હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેક્સના નિયમોનું પાલન થશે. પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે.

અગ્રણી બુલિયન સંચાલકે જણાવ્યું કે “જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેક્સ ચોરીની ફરજિયાત ચકાસણી અટકાવી દીધી છે.”

કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો
ગોલ્ડ પર ત્રણ ટકા જીએસટી અને 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે. કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો છે. જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના આગેવાને કહ્યું કે ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પૂરતું મર્યાદિત નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી.”

ભારતમાં વર્ષે 800થી 850 ટન સોનાનો વપરાશ થાય છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો 40 ટકા છે. ત્યાર બાદ 25 ટકા હિસ્સો પશ્ચિમ ભારત, 20 ટકા હિસ્સો ઉત્તર અને 15 ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે.

કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણાંમાં રૂપાંતરિત કરીને ડાયરેક્ટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં 40 ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.

June 25, 2018
bombaybaris.jpg
1min17180

સમગ્ર પશ્ચિમ ભારતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે સોમવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને સપ્તાહનો પ્રારંભ બોમ્બેવાસીઓ માટે કપરો રહ્યો હતો. વરસાદને કારણે સર્જાયેલી ઘટનાઓના  વિડીયોઝ અને ફોટા સોશ્યલ મિડીયામાં ગરમાગરભ ભજીયા ઉપડતા હોય તે રીતે ટ્રોલ થયા હતા. અહીં

 

 

 

 

June 25, 2018
Emergency-3.jpg
1min12790

 

જયેશ બ્રહ્મભટ્ટ

43મી વરસીએ ઇમરજન્સી-1975 સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ

આજથી બરાબર 43 વર્ષ અગાઉ તા.25મી જુન 1975ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી)ની જાહેરાત કરી હતી. 1977 સુધી ચાલેલી આ ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં સૌથી કલંકિત ઘટના તરીકે લેવામાં આવે છે. તા.25મી જુનને દર વર્ષે ડાર્કેસ્ટ ડે તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે.

  • ઇમરજન્સીની ઘોષણા તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ કરી હતું.

  • સત્તાવાર નોટિફિકેશન તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ઇશ્યુ થયું હતું.

  • ઇમરજન્સી તા.25મી જુન 1975ના દિને ઇમ્પોઝ કરવામાં આવી હતી.

  • ઇમરજન્સી તા.21મી માર્ચ 1977ના દિને પરત ખેંચી લેવામાં આવી.

  • ઇમરજન્સી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ લોકસભામાં 352 સીટનું હતું.

  • ઇમરજન્સી પછી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 153 પર સીમીત થઇ ગયું હતું.

 

ઇન્દીરા ગાંધીએ ભારતમાં લાદેલી એ ઇમરજન્સી આમ તો 3જી કટોકટી હતી. એ પહેલા 1962માં ચાઇના સામેની જંગ સમયે પહેલી વખત ભારતમાં ઇમરજન્સી ઘોષિત કરવાાં આવી હતી. દ્વિતીય ઇમરજન્સી 1972માં પાકિસ્તાન યુદ્ધ વખતે અને એ પછી 1975માં ઇન્દીરા ગાંધીએ રાજકીય કારણોસર ઇમરજન્સી ઘોષિત કરી હતી. ત્રીજી ઇમરજન્સી કોઇ બાહ્ય કારણથી નહીં બલ્કે દેશમાં અંદરોઅંદરના વિખવાદો ખાસ કરીને રાજકીય સ્થિરતાના અભાવે લાદવામાં આવી હોવાનો આરોપ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પર મૂકવામાં આવ્યો હતો. 1975ની ઇમરજન્સી વખતે લોકસભાની ચૂંટણીઓ રદ કરી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સરકાર વિરોધી દેખાવોને સખત હાથે ડામી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પ્રેસ-મિડીયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. કેટલાક કાયદાઓ સરકારની તરફેણમાં બદલી નાંખવામાં આવ્યા હતા.

June 25, 2018
iit.jpg
1min5830

જયેશ બ્રહ્મભટ્ટ

IIT જાણે મહિલાઓ માટે બની જ નથી એ પ્રકારનું દ્રશ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે. IIT જેવી વૈશ્વિક ઇજનેરી કોલેજોમાં મહિલા ઉમેદવારોની સંખ્યા જળવાય રહે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ 2018થી IITમાં ખાસ ફિમેલ ઓન્લી પુલ ઉભું કરીને તેમાં 800થી વધારે સીટ્સ ઉમેરવામાં આવી છે જેમાં ફક્તને ફક્ત ગર્લ્સ કેન્ડીડેટ્સને જ પ્રવેશ આપવામાં આવશે એવું નક્કી કરાયું છે. પરંતુ, જેઇઇ એડવાન્સ્ડ 2018 ના પરીણામો જોતા આ વખતે પણ IITમાં મહિલાઓનું પ્રમાણ સાવ નિમ્નસ્તરે જ રહેશે તેવું જણાય રહ્યું છે. આઇઆઇટી જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 24,500 રેન્કર્સમાં ગર્લ્સ કેન્ડીડેટ્સની સંખ્યા ફક્ત 3000 છે.

જેઇઇ એડવાન્સ્ડના ટોપ રેન્કર્સ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ફિમેલ કેન્ડીડેટની સંખ્યા પર નજર કરીએ તો ટોચના 500 વિદ્યાર્થીઓમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 14 છે. ટોચના 1000 રેન્કર્સમાં 46ની સંખ્યા છે, જે ગયા વર્ષે 2017માં 68ની હતી. જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 5000 રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 410, ટોચના 10000 જેઇઇ એડવાન્સડ રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 935 જ છે.

જેઇઇ એડવાન્સ્ડમાં ગર્લ્સ સ્કોરર્સની સંખ્યા કેટલી

  • ટોપ સ્કોરર સંખ્યા         ગર્લ્સની સંખ્યા
  • 500                                 14
  • 1000                              46
  • 5000                             410
  • 10000                           935
  • 12,500                        1202
  • 24500                        3000

ગર્લ્સ ઓન્લી પુલ્સની 800 સીટને બાદ કરીએ તો દેશભરમાં કુલ 23 આઇઆઇટીમાં 11,270 સીટ્સ છે. એ જોતા જેઇઇ એડવાન્સ્ડમાં ટોચના 12,000 રેન્કર્સમાં 1202 જ ગર્લ્સ સ્થાન મેળવી શકી છે. આમ, સમગ્ર આઇ આઇટી સીટ્સમાં પણ આ વખતે મહિલાઓની સંખ્યા 10 ટકાને પણ પાર કરી શકે તેમ નથી.

અહીં એ પણ નોંધપાત્ર બાબત છે કે સૌથી જુની દેશની 7 આઇઆઇટીમાં મહિલા વિદ્યાર્થિનીઓની સંખ્યા ફક્ત 3 ટકા જ છે.

June 24, 2018
zimfe.jpg
1min14290

ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો ખાતે તા.23મી જુને થયેલા એક બોંબ વિસ્ફોટથી વ્હેંત છેટા રહીને બચી જવા પામ્યા હતા. ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો શહેરના સિટી સ્ટેડીયમ ખાતે એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોંબ વિસ્ફોટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે પ્રેસિડેન્ટની રેલીમાં વિસ્ફોટ થયાની બીજી મિનિટે લેવાયેલી તસ્વીર

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે બોંબ વિસ્ફોટ બાદ રેડક્રોસ સોસાયટીએ ત્વરિત બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી

બોંબ વિસ્ફોટ ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટની બેઠકથી થોડા ઇંચ પર જ થયો હતો. વિસ્ફોટ અંગે ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટએ ટ્વીટર પર પણ જાણકારી આપીને તેમને ઉગારી લેવા બદલ પ્રભુનો પાડ માન્યો હતો.

June 24, 2018
wifi_calling1.jpg
1min13210

જયેશ બ્રહ્મભટ્ટ

ગ્રાહક વાઇ-ફાઇ પરથી વોઇસ કોલ કરે ત્યારે ટેલિકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટ ઓથોરિટીએ મંજૂરી આપી છે. થર્ડ પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી નજીકના ભવિષ્યમાં જ મોબાઇલ યુઝર્સ કે અન્ય કોઇપણ ભારતમાં તેમના લોકેશનથી નજીક વાઇ-ફાઇ નેટવર્ક પરથી વોઇસ કોલ કરી શક્શે. નબળી કોલ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં આ સેવા ઉપયોગી સાબિત થશે.

ગઇ તા.21મી જૂનના રોજ  ટેલિકોમ વિભાગે લાઇસન્સની શરતોમાં સુધારો કર્યો હતો અને ટેલિકોમ કંપનીઓને સેલ્યુલર મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ એમ બંને માટે એક મોબાઇલ નંબર ફાળવવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આના કારણે ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં સેલ્યુર સિગ્નલ ન હોય તો પણ વાઇ-ફાઇ સર્વિસ પરથી વોઇસ કોલની સુવિધા પૂરી પાડી શકશે.

આ સેવાને કારણે મોબાઇલ યુઝર નજીકના પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરીને સામે છેડાના મોબાઇલ કે લેન્ડલાઇન પર ઇન્ટરનેટ કોલ કરી શકશે. ડોટે એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેલિફોની સેવા માટે લાઇસન્સધારકે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે.

ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા અને રિલાયન્સ જીઓનું પ્રતિનિધિત્વ કરતા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે જણાવ્યું હતું કે, આ હિલચાલની અસર ગ્રાહક અને ઓપરેટર્સ પ્રમાણે અલગ અલગ રહેશે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે ગ્રાહક પાસે વોઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હોય તેને આ વિકલ્પથી કોઈ ફેર નહીં પડે.

અગાઉ એવા અહેવાલો પ્રકાશિત થઇ ચૂક્યા છે કે  જીઓ, આઇડિયા અને એરટેલ સહિતની કંપનીઓ વાઇ-ફાઇ રૂટ પર વોઇસ ઓવર સેવા માટે છૂપી રીતે તૈયારી કરી રહી છે. આવી સેવા 4G VoLTE ડિવાઇસ પર તરત જ કામ કરી શકશે. જીઓએ આંતરિક રીતે આ સેવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું મનાય છે.

June 24, 2018
ewayfeature.jpg
1min17750

વડાપ્રધાન મોદીએ હજુ 20 દિવસ પહેલા જ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો હતો

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચોર-લૂંટારાઓની નજર લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે વડાપ્રધાને ઉદ્‌ઘાટન કર્યું તેના ૨૦ દિવસમાં જ તસ્કરોએ લગભગ અઢી કરોડની કિંમતનું સ્ટ્રીટ ફર્નિચર ચોરી ગયા છે. તસ્કરો જેના પર હાથફેરો કર્યો છે તેમાં સોલાર પેનલ હોય કે ફુવારા, એક્સપ્રેસ વેની વાડ હોય કે સાજસજ્જાનો સામાન એમ બધું જ ચોર ઉપાડી ગયા છે.

(ચોરટાંઓ આવા સ્ટેન્ડ પર સ્થાપિત કરાયેલી સોલાર પેનલ જ ચોરી ગયા)

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ૧૩૫ કિમી લાંબા હાઈવે પર લગભગ ૪૦૦૦ કિલોવોટની સૌર ઊર્જાથી ઝગમગી રહ્યો હતો પણ ચોરટાંઓ આ સોલાર પેનલ જ ઉખાડીને લઈ ગયા છે. ક્યાંકથી તેઓ કન્વર્ટર બેટરી જ ચોરી ગયા છે. બાગપતથી દાસના વચ્ચેના ૫૦ કિમીમાં ૨૫૦ સોલાર પેનલ લગાવાઈ હતી. તેમાંથી અડધાથી વધુ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે.

એક સોલાર પેનલની કિંમત દોઢ લાખ જેટલી છે. આ ઉપરાંત અંડરપાસમાં મરક્યુરી લાઈટની પણ ચોરી થઈ ગઈ છે. પ્લાસ્ટિકના પાઈપ કાપીને અનેક મીટર વીજળીના તાર પણ ચોરાઈ ગયા છે. ઈસ્ટર્ન પેરિફેરલની સુંદરતા વધારવા માટે લગભગ અંદાજે અર્ધા કરોડ રૂપિયાના આ ફુવારા લગાવાયા હતા. મોટા ભાગના ફુવારાઓ ચોરાઇ ગયા છે.

જાણકારો કહે છે કે આ હાઇવે પર રાતના સમયે ચોરી થાય છે. ચોરો અંગે સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પણ અપેક્ષા મુજબ પોલીસ બે કલાક બાદ સ્થળ પર પહોંચે છે.

તસ્કરોએ વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ ઉપાડી લીધું

વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ આ એક્સપ્રેસ વે પર સ્થાપિત કરાયું  હતું, તસ્કરોએ તેના પર પણ હાથફેરો કરી દીધો હતો. આ મિનિએચર જયપુરથી છ લાખ રૂપિયામાં આવ્યું હતું, તેની પણ ચોરી થઈ ગઇ છે.

June 24, 2018
bapufeature.jpg
1min18980

જયેશ બ્રહ્મભટ્ટ

સ્વચ્છતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ જેનું વૈશ્વિક સ્તરે ઐતિહાસિક મૂલ્ય છે, એવા ગુજરાતના પોરબંદરમાં સ્વચ્છતાની પરિસ્થિત દયાજનક છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાના તા.22 જૂનના રોજ જાહેર થયેલા પરીણામોમાં ગાંધીબાપૂના જન્મસ્થળ પોરબંદરનો નંબર 225મો છે. કમનસીબી તો એ છે કે 2017ના સ્વચ્છ સર્વેક્ષણમાં પોરબંદરનો નંબર 184મો હતો જેમાં વધુ 41 નંબર પછડાઇને 2018માં પોરબંદર દેશના સ્વચ્છ શહેરોમાં 225માં નંબરે સરકી ગયું છે.

સમગ્ર વિશ્વના લોકો ગાંધીબાપૂમાંથી સ્વચ્છતાની પ્રેરણા લઇ રહ્યા છે. ભારતમાં સ્વચ્છ ભારત મિશનના સિમ્બોલ તરીકે મહાત્મા ગાંધી બાપૂના ચશ્માને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ સ્થાનિક રાજકારણીઓએ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને સ્વચ્છ રાખવામાં જરૂર ચૂક કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન જે તે શહેરમાં થયેલી કામગીરીના આધારે નિર્ણય લેવાય છે જેમાં પોરબંદર ખાતે શૌચાલયોના નિર્માણ, કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા, સ્વચ્છતા જાગૃતિ વગેરે બાબતોમાં પોરબંદર નગરપાલિકાની કામગીરી કંગાળ રહેવા પામી છે. 2016માં તો પોરબંદરએ સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ જ લીધો ન હતો. 2017માં એ 184 નંબર પર આવ્યું હતું.

June 23, 2018
electricc1feature.jpg
1min14910

જયેશ બ્રહ્મભટ્ટ

દેશમાંથી પ્રદૂષણનો યક્ષ પ્રશ્ન દૂર કરવાના આશય સાથે ભારતમાં આગામી 12 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં કુલ વાહનોનો 40 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ફેરવવાની યોજના હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ પર લેવામાં આવી છે. અને તેના ભાગરૂપે સરકાર પસંદગીનાં શહેરો અને હાઈ-વે પર 4,000 ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યોની વીજ કંપનીઓ, જાહેર ક્ષેત્રનાં સાહસો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવાની યોજના આગળ વધી છે. સરકારે ગીચ વસતિ ધરાવતાં શહેરો અને મોટા હાઈ-વે પર 4,200 પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સ માટે ₹1,050 કરોડની ગ્રાન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, તેમને રાહત દરે જમીન આપવામાં આવશે અને સ્થાનિક સત્તાવાળા તમામ સહાય કરશે. પરીણામે પેટ્રોલ પંપો, ડીઝલ પંપો, સી.એન.જી. ગેસ સ્ટેશનની જેમ હવે ઠેકઠેકાણે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન્સ પણ ભારતમાં જોવા મળશે.

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી પર કામ કરી રહી છે. જેમાં NTPC, પાવર ગ્રિડ, રાજ્યોની વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પસંદગીના મ્યુનિસિપલ કોર્પોરેશન્સે સ્થળની પસંદગી કરી એક વર્ષમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહેશે.

કેન્દ્ર અને રાજ્ય સ્તરની સમિતિઓ શહેરો અને હાઈ-વે અને નોડલ એજન્સીની પસંદગી કરશે. ઉપરાંત, ચાર્જિંગ સ્ટેશન્સના નિર્માણની સમીક્ષા પણ તેમણે જ કરવાની રહેશે. તેઓ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ દ્વારા ચાર્જિંગ સ્ટેશન્સના બલ્ક પ્રોક્યોરમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે.


ઓલા, ઉબર, M&M, ટાટા મોટર્સ સહિતની ખાનગી કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રવેશવા સક્રિય છે, પણ ઇ-વ્હિકલ્સના વેચાણમાં વધારો થાય ત્યારે જ આ કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એન્ટ્રી કરશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકારનું આ પગલું જરૂરી હતું. કારણ કે ચાર્જિંગ પોઇન્ટ્સના અભાવે ઇલેક્ટ્રિક વાહનો વેચાતાં નથી અને ચાર્જિંગ પોઇન્ટ એટલે બનતા નથી કારણ કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નહીંવત્ છે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગમે તે હોય પણ PSUsને પ્રારંભિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જણાવાશે.”

સરકાર 10 લાખથી વધુ વસતિ હોય એવાં શહેરોમાં દર ત્રણ કિલોમીટરે અને વ્યસ્ત રાષ્ટ્રીય હાઈ-વે પર દર 30 કિલોમીટરે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન્સ નેટવર્ક ઊભું કરવાનું આયોજન થઇ રહ્યું છે.

એપ્રિલમાં વીજમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન્સ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ અલગ લાઇસન્સની જરૂર નહીં પડે.