CIA ALERT

Alert Archives - Page 500 of 512 - CIA Live

July 19, 2018
sc1-1280x720.jpg
1min11190

સરકારે આગામી ઑક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગના નવા (ઑક્ટોબરથી સપ્ટેમ્બરના) વર્ષથી શેરડીના લઘુતમ ભાવમાં ક્લિન્ટલ દીઠ રૂપિયા 20નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 કર્યો હતો.

ખાંડના કારખાનાઓએ માર્કેટિંગના આગામી વર્ષથી શેરડીના ઉત્પાદકો (ખેડૂતો)ને ક્વિન્ટલ દીઠ રૂપિયા 20 વધુ ચૂકવવા પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોને લગતી કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. ખાંડના કારખાનાઓએ શેરડીના ઉત્પાદકોને

2017-2018ના માર્કેટિંગના વર્ષમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ રૂપિયા 255 ચૂકવવાના છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે શેરડીના ઉત્પાદકોના લાભાર્થે તાજેતરમાં અનેક પગલાં લીધા હતા. સરકારે બુધવારે શેરડીના ભાવમાં કરેલો વધારો બતાવે છે કે સરકારને ખેડૂતોની તકલીફની ઘણી ચિંતા છે.

અન્ન વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે 2018-2019ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના લઘુતમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 રાખ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલ દીઠ રૂપિયા 155 થાય છે અને લઘુતમ ભાવ તેનાથી 77.42 ટકા વધુ રખાયો છે.

પાસવાને જણાવ્યું હતું કે રિકવરી રૅટ જો 10 ટકાથી વધુ હશે તો શુગર રિકવરીમાંના દરેક 0.1 ટકા વધારા પર ક્વિન્ટલ દીઠ રૂપિયા 2.75 પ્રીમિયમ અપાશે.

રિકવરી રૅટ 9.5 ટકાથી ઓછો હશે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 261.25 મળશે.

July 18, 2018
cr.jpg
1min47700

નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે   www.crpatil.com   વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે

હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ નિઃશુલ્ક અને સરળતાથી મળી રહે તેમજ  ગર્વથી ફરકાવી શકે  -સી.આર.પાટીલ

— અભિયાનનો પ્રતિભાવ જોતા આ વર્ષે અંદાજિત એક લાખ લોકો સુધી 15મી ઓગસ્ટ પહેલા રાષ્ટ્રઘ્વજ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી

 

15મી ઓગસ્ટના ગર્વથી પોતાના ઘર કે ઓફિસમાં ભારતીય ઘ્વજ ગર્વથી ફરકાવી શકે તે માટે નવસારી લોકસભા વિસ્તારના સાંસદ સી.આર.પાટીલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાન હેઠળ તમામ લોકોને ઘર બેઠા ભારતીય તિરંગો પહોંચાડવામાં આવશે, ફક્ત સાંસદની વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટર કરવાથી તિરંગો નિઃશુલ્ક મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યુંહતુંકે, ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ સરળતાથી મળી રહે અને ગર્વથી ફરકાવી શકે તેનો છે. વર્ષ 2016માં આવા જ એક અભિયાનમાં 25000 લોકો તરફથી તિરંગા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ, જોકે આ વખતે આ આંકડો એક લાખ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. ઉપરાંત લોકોમાં પણ જે રીતે અગાઉના અભિયાન સમયે પ્રતિભાવ જોવા મળ્યો હતો તે જોતા આ વખતે એક મહિના પહેલા રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.

 

ભાજપ સાથે સંકળાયેલા અગ્રણી દિનેશ રાજપુરોહિતએ જણાવ્યુંહતુંકે, નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે www.crpatil.com વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે.

 

July 18, 2018
vnsgu.jpg
2min9260

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1452/2018 of Veer Narmad South Gujarat University, Surat.
SECOND YEAR M.B.B.S. Examination, JUNE – 2018
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
The following candidates are hereby declared successful at the
SECOND YEAR M.B.B.S.
Examination held by this University in JUNE – 2018

SUCCESSFUL Nos. :

2 6 7 8 9 10 11 12 13 14
17 18 19 20 22 23 24 25 26 29
35 39 40 41 42 43 44 45 47 49
50 51 52 53 54 55 56 58 60 61
62 63 65 67 68 69 70 71 72 73
74 75 76 77 78 79 81 82 83 & 84

TOTAL RESULT : 75.95%
TOTAL PASS : 60
ABSENT : 5
FAIL : 19

No. Exam/MBBS/7398/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

 

 

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1454 / 2018 DATE:- 18/07/2018
M.Sc. ( M.L.T. ) ( FIRST SEMESTER ) Examination, APRIL – 2018
————————————————————————————-

The following candidates are hereby declared successful at the M.Sc. ( M.L.T. )
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 4 5 7

TOTAL RESULT : 71.43 %
PASS : 5
FAIL : 2

No. Exam/MSC/7430/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 18, 2018
jr2.jpg
1min5900

સમગ્ર ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઠેરઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગરીબ મધ્યવર્ગીય પરિવારો પર જાણે આકાશી આફત તૂટી પડી છે. આવા સંજોગોમાં લોકોની વચ્ચે જઇને તેમના દુખદર્દ પૂછનારાઓ જ ખરા લોકનેતા ગણાય છે.

રાજ્યના ખાદ્ય અને આપૂર્તિ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રમાં ઉદભવેલી સ્થિતિની સ્વયં સમીક્ષા કરી હતી. શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમ જૂનાગઢના કેશોદ, માણાવદરના અસરગ્રસ્ત ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નો સાંભળવા સાથે તેના ઉકેલ માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

શ્રી જયેશ રાદડીયા અને તેમની ટીમે જૂનાગઢ જીલ્લાના કેશોદ તેમજ માણાવદર તાલુકાના ધેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી મદદ પહોંચાડવા સુચન કરીને જીલ્લા અને તાલુકાના કંટ્રોલરુમની મુલાકાત લઈને કલેકટરશ્રી તેમજ પ્રાંત અધિકારીઓ સાથે પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

July 18, 2018
1min5820
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દીવ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા તેમજ ઉતર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
July 18, 2018
modi2.jpg
1min5550

આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મોદી સરકાર સામે ચાર વર્ષમાં પહેલી વખતનો પ્રસંગ છે કે વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હોય.

કેન્દ્ર સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્પીકર સુમીત્રા મહાજને સ્વીકાર્યો હતો. અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી હતી જો કે હજુ તેના પર ચર્ચાનો સમય નિશ્ચિત થયો નથી. સંસદમાં મોદી સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતા સરકાર સામે મોટું સંકટ ઘેરાયું છે. જો કે એક અંદાજ મુજબ સરકાર પાસે સાંસદોનું સંખ્યાબળ પુરતું છે જેને પગલે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બહુમત માટે 268 સંસદની જરૂર છે.

 

July 18, 2018
trans2.jpg
1min6340
છેલ્લા ઘણા સમયથી ડિઝલના ભા‌વમાં થયેલા એક તરફી વધારા, ટોલ નાકા પર ચાલકો સાથે થતી જોહુકમી, થર્ડ પાર્ટી વીમો સહિતના મુદ્દે દેશભરના ટ્રાન્સપોર્ટરોએ ૨૦મી જુલાઇથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની કરાયેલી જાહેરાતને પગલે દેશના ધંધારોજગારને અબજો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે કેમકે વ્યાપારીઓએ ઇવે બિલ જનરેટ કરવાનું બંધ કરી દીધું છે. આ વખતે હડતાળ અગાઉની જેમ છેલ્લી ઘડીએ સમેટાય જાય તેવી શક્યતાઓ ધૂંધળી જોવા મળતી હોઇ, પરિસ્થિતિ વકરે તેવા એંધાણ પણ મળી રહ્યા છે.
????????????????????????????????????????????????????????????????????????

સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં ટ્રક હડતાળની ભારે અસર એટલા માટે દેખાશે કેમકે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ તેમજ હજીરા ખાતે આવેલા ઉદ્યોગગૃહોમાંથી રોજેરોજ હજારોની સંખ્યામાં ટ્રકો માલનું વહન કરીને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નીકળે છે. ટેક્સટાઇલ વેપારીઓથી લઇને હજીરાના ઉદ્યોગગૃહોએ હડતાળના એલાનને પગલે સાવચેતીના અનેક પગલાં ભર્યા છે.
આગામી શુક્રવારે તા. ૨૦ જૂલાઇથી લાખો ટ્રાન્સપોર્ટર્સની હડતાળના અેલાનને પગલે તા.14મી જુલાઇથી જ લાંબા અંતરે રવાના કરવાના માલસામાનને ટ્રાન્સપોર્ટરોએ સ્વીકારવાનું બંધ કર્યું છે. સાથે સાથે વેપારીએ પણ હવે ઇવે-બિલ જનરેટ કરવાનું બંધ કરી દીધું છે. જોકે હજુ સુધી દૂધ, શાકભાજી જેવી પ્રાથમિક જરૂરીયાતની વસ્તુઓ સપ્લાય કરતા વાહનોના સંગઠનો હડતાળમાં જોડાયા હોવાનું જાણી શકાયું નથી પરંતુ જો તેઓ આ હડતાળમાં જોડાય તો ચોક્કસ તંત્ર દોડતું થઇ જાય.
દક્ષિણ ગુજરાતના અગ્રણી ટ્રાન્સપોર્ટર શ્રી ગોવિંદભાઇ ધૂઆએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટરોની પરેશાનીનો પાર રહ્યો નથી. ડીઝલના ભાવમાં સતત વાધારો થઇ રહ્યો છે. ડિઝલ પર સરકાર દ્વારા લેવાતી એક્સાઇઝ ઓછી કરવી જોઇએ. દેશભરમાં ટોલ ફ્રી ભ્રમણ થાય તેવી વ્યવસ્થા અને ઇવે-બિલના મુદ્દે અધિકારીઓની પરેશાની દૂર થાય તો ટ્રાન્સપોર્ટરો ધંધો કરી શકે તેમ છે.
July 18, 2018
Elphistone_Stationfinal-770x433.jpg
1min5240

વેસ્ટર્ન રેલવે પરના એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવાનો નિર્ણય તા.18 જુલાઇ 2018ને રાત્રે 00.00 વાગ્યાથી અમલમાં આવી ગયો છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નામ બદલવા સાથે સંકળાયેલાં બોર્ડ બદલવાનાં, ઈન્ડિકેટરો પર નામ બદલવાનાં અને અનાઉન્સમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રભાદેવી સ્ટેશનનો કોડ પણ નક્કી કરી નાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના નાગપુરમાં આયોજિત શિયાળુ સત્રમાં ૨૦૧૬ની ૧૬ ડિસેમ્બરે એલ્ફિન્સ્ટન રોડનું નામ પ્રભાદેવી કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

 

July 18, 2018
cara2.jpg
1min5880

બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત

 

ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપવાનો કેસને પગલે થયેલા વિવાદો દેશભરમાં ચર્ચાસ્પદ બનતા આખરે મધર ટેરેસાએ સ્થાપેલી મિશનરી ઑફ ચેરિટી (એમઓસી) દ્વારા ચલાવાતા બધા બાળાશ્રમની તત્કાળ તપાસ કરવાનો આદેશ મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બધા જ રાજ્યોને આપ્યો હતો.

બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી થયેલી હોવી જોઇએ અને એને દેશની બાળકોને દત્તક લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા સાથે એક મહિનાની અંદર લિંક કરવાનો આદેશ પણ મેનકાએ આપ્યો હતો.

કાયદા પ્રમાણે સીસીઆઇની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત છે, પણ કેટલાક અનાથાશ્રમે એની વૈધતાને પડકારી હોવાની વાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોએ જણાવી હતી.

ઝારખંડની એમઓસીએ ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપ્યા હોવાની બાબતને ગંભીરતાથી લઇને મેનકાએ બધા રાજ્યોના એમઓસીના અનાથાશ્રમોની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. રાંચીના એમઓસીએ કથિત રીતે ત્રણ બાળકોને વેચી નાખ્યા હતા અને એક બાળકને આપી દીધો હોવાની વાત પ્રકાશમાં આવી હતી.

 

July 18, 2018
amar1.jpg
1min8450

આ વખતે 2018ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થયાને હજુ ફક્ત 20 જ દિવસ થયા છે અને આટલા ઓછા દિવસોમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું હોવાના અહેવાલોએ શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને અમરનાથયાત્રાના છેલ્લા તબક્કામાં દર્શને જઇ રહેલા યાત્રાળુઓમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. 20 જ દિવસમાં હિમલિંગ પીગળીને અડધું થઇ જવા પાછળનું કારણ એ છે કે અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસથી ઉદભવેલી ગરમી છે.

પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભક્તોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.

દર વર્ષે લાખો ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વૉર્મિેગનું કારણ પણ આપતા હોય છે.

1996માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફક્ત 75000 ભક્તોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ ક્યારેય અમલમાં ન મુકાયો.

વર્ષ 2013માં તો ફક્ત બે દિવસમાં જ 75000 ભક્તોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં 29 દિવસમાં સાડા ત્રણ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.

પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભક્તોની સંખ્યા વધવાની આડઅસર ફક્ત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બૉર્ડ ભક્તોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બૉર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભક્તોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્ર્વાસોશ્ર્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે.  ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ 20 ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને 2-4 ફૂટનું રહી ગયું હતું.