CIA ALERT

Alert Archives - Page 490 of 519 - CIA Live

August 16, 2018
ayush-759.jpeg
1min6170

આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.

August 16, 2018
modi.jpg
1min13090

નરેન્દ્ર મોદી 23મી તારીખના તેમના તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી ચર્ચા પણ કરશે.

બેઠક દરમિયાન આગામી ચૂંટણીથી લઈને અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. 23મી ઑગસ્ટે વલસાડ અને જૂનાગઢનો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર દરમિયાન વડા પ્રધાન લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. તા.23મી ઑગસ્ટના નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે સુરત ઍરપોર્ટ આવી પહોંચશે અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ઍરપોર્ટ પરથી તેઓ સીધા હેલિકૉપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. અહીં યોજાયેલા કાર્યક્રમમાં બપોરના 12 વાગ્યા સુધી હાજરી આપશે. વલસાડમાં કાર્યક્રમ પૂરો કરીને તેઓ હેલિકૉપ્ટર મારફતે જ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ ખાતે હૉસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમને પૂરો કરીને વડા પ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપશે.

August 15, 2018
vin.jpg
1min6600
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાએ સૌથી વધુ ઉત્તમ રહેવાલાયક સ્થળ તરીકેનું બહુમાન પ્રાપ્ત કરી લીધું છે. વિયેનાએ આ મામલે ઓસ્ટ્રેલિયાના શહેર મેલબોર્નને પાછળ રાખી દીધું છે. આ જાણકારી ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ રેકિંગ્સના સરવેમાં સામે આવી છે.
મેલબોર્ન અને ત્યાંના રહેવાસીઓ માટે આ આંચકાસમાન છે કેમકે છેલ્લા સાત વર્ષોથી આ રેંકિંગમાં મેલબોર્ન ટોચના સ્થાને રહેતું આવ્યું છે. જો કે, આ વખતે પણ મેલબોર્ને આ મામલે જોરદાર ટક્કર આપી હતી. ૧૪૦ શહેરો વચ્ચે થયેલા આ મુકાબલામાં વિયેનાને ૯૯.૧ અને મેલબોર્નને ૯૮.૪ પોઈન્ટ મળ્યા હતા.
વિયેનાના ઓછા ક્રાઈમ રેટના કારણે તેને આ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી કેમકે આ સરવેમાં સૌથી વધુ લક્ષ ક્રાઈમ રેટના આંકડાઓ પર આપવામાં આવે છે. જ્યારે આ બંને શહેરોએ હેલ્થકેર, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બંનેની સ્થિતિ ગત વર્ષના મુકાબલે ઉત્તમ થઈ છે પણ વિયેનાએ તેમાં થોડો વધુ સુધારો કર્યો છે.
વિયેના, મેલબોર્ન ઉપરાંત ટોપ-૫માં જાપાનના શહેર ઓસાકા, કેનેડાના કેલગરી અને ઓસ્ટ્રેલિયાના સિડનીને સ્થાન મળ્યું છે. યાદીમાં લંડન ૪૮મા ક્રમે રહ્યું છે પરંતુ નવી દિલ્હી ટોપ-૫૦માં પણ સામેલ થઈ શક્યું નથી. જ્યારે ફ્રાન્સનું પેરિસ ૧૯મા સ્થાને તથા અમેરિકાનું ન્યૂયોર્ક ૫૭મા ક્રમે છે.
વિયેનાની વસતી ૨૧ લાખ જેટલી છે. આ શહેરમાં હરિયાળી ઉપરાંત શાનદાર તળાવો અને બીચ આવેલા છે. ત્યાં જાહેર પરિવહન પણ ખૂબ સસ્તું છે.
આ યાદીના જણાવ્યા પ્રમાણે, રહેવા માટે સૌથી અશાંત જગ્યાની વાત કરીએ તો તે દમાસ્ક છે. તેના પછી બાંગ્લાદેશનું ઢાકા અને નાઈજિરિયાનું લાગોસ છે. આ સરવેમાં ખતરનાક શહેરોમાં બગદાદ અને કાબુલ જેવા શહેરોને સામેલ કરાયા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી યુરોપે અનેક આતંકવાદી હુમલા જોયા છે. મેલબોર્ન અને વિયેના બંનેને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેટેગરીમાં એક સમાન રેટિંગ મળ્યા છે. જો કે વિયેનાને સંસ્કૃતિના મામલે સૌથી વધુ નંબર મળ્યા છે. આ યાદીમાં ઓસાકા, કલગેરી અને સિડની જેવા શહેરોને ટોપ-૫માં સ્થાન મળ્યું છે. જ્યારે લંડન આ યાદીમાં ૪૮મા ક્રમે રહ્યું છે.
વિયેના પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે. તે હરિયાળી, સુંદર તળાવો, લોકપ્રિય સમુદ્રી તટ અને વાઈનયાર્ડ માટે પ્રખ્યાત છે. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સસ્તું છે. યુરોપમાં તે સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક માનવામાં આવે છે.
August 15, 2018
dmkstalin.jpg
1min4740

એમ કરૂણાનિધિના અવસાનને કારણે ડીએમકેના સુકાનની વારસાઇ માટે તેમના પુત્રો વચ્ચેની લડાઇમાં સ્ટાલિન મેદાન મારી ગયા છે. પક્ષના મોટાભાગના હોદેદારોએ તેમને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ ટૂંકમાં જ પક્ષની આગેવાની સંભાળશે.

કરૂણાનિધિના લાંબાસમયના સહયોગી અને પક્ષના પ્રિન્સીપાલ સેક્રેટરી દુરાઇમુરુગને જણાવ્યું હતું કે સ્ટાલિન પાસે પાર્ટીનું સુકાન સંભાળવાના તમામ કૌશલ્ય છે. સ્ટાલિનને થલાપતિ (કમાંડર) તરીકે સંબોધતાં સીનિયર લીડરે કહ્યું હતું કે ‘ડીયર થલાપતિ તમે ટૂંકમાં જ ડીએમકે પ્રમુખ બનવા જઇ રહ્યા છો, અમે તમારા આદેશોનું પાલન કરવા સજ્જ છીએ. અમારી આગેવાની લો.’

ઉલ્લેખનીય છે કે ટૂંકમાં ડીએમકેમાંથી હકાલપટ્ટી કરી દેવાયેલા કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરીને દાવો ક્યો હતો કે તેમના પિતાના સાચા સમર્થકો તેમની સાથે છે. તેમના આ નિવેદન બાદ પક્ષમાં વારસાનો મુદો ઊભો થયો હતો.

August 15, 2018
kochi2.jpg
1min5180

કેરળમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે. કોચી એરપોર્ટ પર 18 ઓગસ્ટ બપોરે બે વાગ્યા સુધી બધી જ ફલાઇટોને રદ કરવામાં આવી હતી.  હવામાને વિભાગે વાયનાડ, કોઝિકોડ, કન્નુર, કાસરગોઝ, મલપ્પુરમ, પલક્કઝ, ઈડુક્કી અને એર્નાકુલમમાં ગુરુવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યો છે.

કોચી એરપોર્ટ પર આજે પણ ભાર વરસાદે કારણે ફલાઇટોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા બુધવાર બપોર સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતીમાં સુધાર ન જણાતા 18 ઓગસ્ટ સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી છે.
એરપોર્ટનાં અધિકારીએ જણાવ્યું કે,  એરપોર્ટની અંદર અને આજુબાજુનાં વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનાં કારણે એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે બુધવાર સવારનાં વાગ્યાથી 18 ઓગસ્ય 2 વાગ્યા સુધી એરપોર્ટની ફલાઇટો રદ કરવામાં આવી છે.
August 15, 2018
bank.jpeg
1min6220

પુણેમાં કોસમોસ બેન્કનું સર્વર હૅક કરી હેકર્સે માત્ર બે દિવસમાં રૂ. 94.42 કરોડની ઉચાપત કરતાં બેન્ક સત્તાવાળામાં ખળભળાટ મચી ગયો હતો. હેકર્સે બેન્કના હજારો ડેબિટ કાર્ડની માહિતી ચોરીને ગુનો આચર્યો હોઇ ભારતની બહાર 12,000 ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. પુણેના ચતુર્શ્રૃંગી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અજાણી વ્યક્તિ તથા હોંગકોંગની એએલએમ ટ્રેડિંગ લિમિટેડ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર 11 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યાથી 13 ઓગસ્ટ સવારે 11.30 વાગ્યા દરમિયાન આ ઉચાપત કરવામાં આવી હતી. પુણે સ્થિત ગણેશખિંડ રોડ પર કોસમોસ ટાવર ખાતે કોસમોસ બેન્કની મુખ્ય બ્રાન્ચ આવેલી હોઇ 11 ઓગસ્ટે બપોરે ત્રણથી રાતે 10 વાગ્યા દરમિયાન બેન્કનું સર્વર હૅક કરવામાં આવ્યું હતું.

અજાણી વ્યક્તિએ માલવૅઅર ઍટેક કરીને બેન્કના કેટલાક વિઝા તેમ જ રૂપે ડેબિટ કાર્ડધારકોની માહિતી ચોરીને કાડર્સ ક્લોન કર્યા હતા. તેના દ્વારા ભારતની બહાર અંદાજે 12,000 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 78 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતમાં 2,849 ટ્રાન્ઝેકશન કરીને રૂ. 2.50 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ કુલ 14,849 ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા. વિઝા તેમ જ એનપીસીઆઇ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા પાઠવાયેલી ટ્રાન્ઝેકશન રિકવેસ્ટસ બેન્ક તરફથી તેમને અપ્રૂવ કરવામાં આવી હોવાનું બતાવી અજાણી વ્યક્તિએ તેના દ્વારા આ રકમ કાઢી લીધી હતી.

બીજી તરફ 13 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યાને સુમારે અજાણી વ્યક્તિએ સ્વિફ્ટ ટ્રાન્ઝેકશન ઇનિશિયેટ કરીને હોંગકોંગની હેનસેંગ બેન્કના એ.એલ.એમ. ટ્રેડિંગ લિમિટેડના બેન્ક એકાઉન્ટમાં રૂ. 13.92 કરોડ ડિપોઝિટ કરાવ્યા બાદ કાઢી લીધા હતા. 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન કેનેડા, હોંગકોંગ તેમ જ ભારતના 25 જેટલા એટીએમ ખાતે આ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

હેકર્સ દ્વારા બેન્કની કૉર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ) હૅક કરાઇ નહોતી, પણ સ્વીચ સિસ્ટમ પર માલવેઅર એટેક થયો હતો. વિઝા-રૂપે ડેબિટ કાર્ડના પેમેન્ટ ગેટ-અવે માટે ઓપરેટિવ સિસ્ટમ છે સ્વીચ. બેન્કના એકેય કસ્ટમરના એકાઉન્ટને હાથ લગાવાયો નહોતો, પણ જે નુકસાન થયું એ બેન્કને થયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ બેન્ક દ્વારા તેના સર્વર તેમ જ નેટબેંકિંગ સુવિધા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.

August 15, 2018
dps1.jpg
1min17720

સુરતઃ ડીપીએસએસએમયુએન એક અકલ્પનીય વારસો છે કે જે તેના 10માં સફળ વર્ષમાં આગળ વધી રહ્યો છે. આ ખુબ પ્રખ્યાત કાર્યક્રમ 10 અને 11 ઓગષ્ટ,2018ના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહનું ઉદ્ઘાટન ડીપીએસ-એસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સને ડીપીએસ-એસએમયુએન 2018ના સેક્રેટરી જનરલ શિવી ખન્ના દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.

 

 

 

એક્ઝેક્યુટિવ બોર્ડનો પરિચય અને ગૌરવવંતી ફ્લેગ માર્ચના માધ્યમથી રાષ્ટ્રીય ધ્વજ તથા દેશના ઇતિહાસના દર્શન કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી. 11મી ઓગસ્ટે વૈશ્વિક સ્તર પર પ્રાસંગિક મુદ્દાઓ પર ચર્ચા કરનારા પ્રતિનિધિયો સાથે સમ્મેલનની શરૂઆત થઇ હતી.ચર્ચા અને કૂટનીતિના માધ્યમથી તેઓએ આજે વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે તેવા કેટલાંક પડકારોનું સમાધાન મેળવ્યું. તમામ મ્યુનર્સના પ્રયત્નો અને તે જે સૌથી વધુ સક્ષમ હતા તેને વિદાય સમારંભ દરમિયાન સ્વીકારવામાં આવ્યા. ડીપીએસએસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોએ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપ્યા હતા.

ડેપ્યુટી સેક્રેટરી જનરલ 2018 વેદાંશ અગ્રવાલે કાર્યક્રમ દરમિયાન શીખેલા મૂલ્યોને ચોક્કસ પણે જીવનમાં ઉપયોગ કરવામાં આવશે અને દુનિયાને રહેલા માટેનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે તેવી આશા અને સંદેશ સાથે કોન્ફરંશની પુર્ણાહુતિ કરી હતી.

-x-x-x-x-

August 15, 2018
bb5.jpg
1min7620

 

સુરત,2018:બીએનઆઇસુરત દ્વારા આજરોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ પોતાના બાહુબલી ચેપ્ટરનું 3rd લૌંચિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની થીમ પર યોજાયો હતો. BNI સુરતના બાહુબલી ચેપ્ટર ના પ્રેસિડેંટ રિઝવાન રાણાએ જણાવ્યુ હતું કે બાહુબલી ચેપ્ટરના સપોર્ટ ડાઇરેક્ટર મુકુલ ગોયલ અને BNI સુરતના સિનિયર ડાઇરેક્ટર અસ્ફાક કલકત્તાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં મુલાકાતીઓ, આમંત્રિતો સાથે જ વિભિન્ન ક્ષેત્ર ના ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા અને પોતાના બિજનેસ વિશે તેમજ નેટવર્કિંગ ના અનુભવો વિશે જણાવ્યુ હતું.

 

 

ઉલ્લેખનીય છે કે શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. બીએનઆઇ સુરતને 3સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

-x-x-x-x-

August 14, 2018
rupee-full.jpg
1min7720

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 14, 2018
kejri.jpeg
1min7600

દિલ્હી પોલીસે ફેબ્રુઆરીમાં રાજ્યના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ પર થયેલા કહેવાતા હુમલાની ચાર્જશીટ ગઈ કાલે કોર્ટમાં દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત ૧૧ વિધાનસભ્યોનાં નામનો આરોપીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતની સુનાવણી ૨૫ ઑગસ્ટે કરવામાં આવશે.

દિલ્હી પોલીસે ૧૮ મેએ સંબંધિત હુમલા બાબતે લગભગ ત્રણ કલાક માટે કેજરીવાલની પૂછપરછ કરી હતી. ૧૯ ફેબ્રુઆરીએ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર એક મીટિંગ દરમ્યાન પ્રકાશ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાની ઘટના બની એ સમયે મુખ્ય પ્રધાન કેજરીવાલ હાજર હતા.

પોલીસે કેજરીવાલના ઘરે મીટિંગ માટે હાજર રહેલા તમામ ૧૧ વિધાનસભ્યોની પૂછપરછ કરી છે. આ સંદર્ભે પાર્ટીના બે વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી છે.

ચીફ સેક્રેટરી પર કરવામાં આવેલા આ કહેવાતા હુમલાને પગલે દિલ્હી સરકાર અને એના અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ છેડાયું હતું.