CIA ALERT

Alert Archives - Page 428 of 512 - CIA Live

December 18, 2018
gst.jpg
1min5440

GSTની ચોરી શોધી કાઢવા માટે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્થળ તપાસની કાર્યવાહીમાં વેપારીઓ અને GST અધિકારીઓ વચ્ચે સંઘર્ષમયી સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે. એક તરફ GST તંત્રનું કહેવું છે કે ચોરી પકડી પાડવા માટે આ ફક્ત સ્થળ તપાસ અભિયાન છે, જ્યારે વ્યાપારી વર્ગ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ ક્લસ્ટરના આગેવાનોનું કહેવું છે કે વ્યાપારીઓ માટે એક પ્રકારની વધુ હેરાનગતિ સિવાય બીજું કશું નથી.

GST અધિકારી ધંધા સ્થળે જઇને તપાસ કરશે અને ધંધાની માહિતી મેળવશે. GST ચોરીની સાથે સાથે ખોટી રીતે રિફંડ લેનારા વેપારીઓને પકડી પાડવા માટે હવે સ્થળ તપાસ જરૂરી બની હોઇ ગુજરાત GST તંત્રવાહકોએ હવે સ્થળ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આખા રાજ્યમાં આવેલી દુકાનો, કમર્શિયલ એકમો, યુનિટ્સ, મેન્યુફેક્ચરીંગ કંપની, ફેક્ટરીઝ વગેરેમાં GST અધિકારીઓ તપાસ હાથ ધરશે.

ગુજરાત GST તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં GST નંબર મેળવનાર વેપારીઓને ત્યાં વેચાણવેરા અધિકારી નિરીક્ષણ કરીને ફોટાગ્રાફી કરશે અને જો ધંધાના સ્થળે GST નંબરનું બોર્ડ નહીં હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે અને GSTની ચોરી કરનારા વેપારીઓની ઓળખ કરવામાં આવશે.

GST ચોરીના કારણે અન્ય ઇમાનદાર વેપારીઓને સહન કરવું પડે છે. જેમકે ખોટા દસ્તાવેજો રજુ કરીને રિફંડ કલેમ કરનારા વેપારીઓની સાથે હવે કડક કાર્યવાહી કરાશે, આગાઉ પણ બોગસ રિફંડ લેનાર ૬ વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. કેટલાક વેપારીઓ GSTઆર-૧ ભરતા નથી. GST વિભાગ પાસે ૧૮,૧૯૮ અરજીઓ રિફંડની આવી હતી. જેમાં તપાસ કરીને ૧૭,૩૦૫ અરજીઓનો નિકાલ કરીને ૨,૯૯૬ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું હતું.

તા.૧-૭-૧૭ થી તા.૧૪-૧૨-૧૮ સુધીમાં જેમણે GSTના નવા નંબર માટે અરજી કરી હતી તેમના ધંધા સ્થળની GST અધિકારીઓ મુલાકાત લેશે. GST નંબરવાળું બોર્ડ રાખવું પડશે. બિલ બુક રસીદ, હાજર સ્ટોક, ખરીદી-વેચાણ અને રોજમેળના હિસાબો ઉપરાંત કોમ્પોઝિશન ડીલર હોય તો તેનું બોર્ડ રાખવું પડશે. ધંધાના સ્થળની મુલાકાત લઇને નિયમ ૨૫ મુજબ ફોટોગ્રાફી પણ લેશે. જે નિયમનું પાલન નહીં કર્યું હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે.

 

December 17, 2018
fake-health-website.jpg
2min17980

દેશના દરેક રાજ્યોમાં લાખો લોકોને છેતરનારી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓની સાવ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સનું આખું લિસ્ટ વાંચો અહીંયા

  • નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  • આયુષ્યમાન ભારત યોજના
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ઉપરોક્ત યોજનાઓની સરકારની સત્તાવાર વેબસાઇટ કરતા આ જ નામની બોગસ વેબસાઇટસ પર લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભાજપા જેને વિશ્વની સૌથી મોટી વીમા યોજના ગણાવી રહી છે એ આયુષ્યમાન ભારત યોજનાની કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી એનાથી અનેક ગણા લોકો આયુષ્યમાન ભારત યોજનાની બોગસ, સાવ ફેક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ પણ છે કે ગુગલ સર્ચ એન્જિન પર પણ કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક અને આવકારદાયક યોજનાઓ સર્ચ કરવામાં આવે ત્યારે ફેક-બોગસ વેબસાઇટ પહેલા આવે છે અને સરકારની સત્તાવાર વેબસાઇટ સાવ પાછળ જોવા મળે છે. દરરોજ હજારો નહીં પણ લાખો યુઝર્સ સરકારની હેલ્થ સર્વિસીસની બોગસ વેબસાઇટ્સનો શિકાર બનતા હોવાની ગંભીર ફરીયાદો દેશના દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત થતાં આખરે કેન્દ્ર સરકારે આવી બોગસ વેબસાઇટ્સ તેમજ ફેક મોબાઇલ એપ્લિકેશન્સની ની યાદી જાહેર કરીને તેનાથી દૂર રહેવા સામાન્ય લોકોને હિદાયત આપી છે.

કેન્દ્ર સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી આ આરોગ્ય યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઉપરોક્ત યોજનાઓની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવતા તત્વોએ બે-પાંચ નહીં પરંતુ 61 જેટલી મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, 48 જેટલી ફેક વેબસાઇટ્સ શરૂ કરીને ભારતવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કેટલી મજબૂર બની કે કેન્દ્રના આરોગ્ય ખાતાને ખબર છે કે ભારત સરકારની જન આરોગ્ય લક્ષી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવા, લાભાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે ઢગલાબંધ વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ બની છે, કેન્દ્ર સરકારે લોકો જોગ માર્ગદર્શિકા જાહેર કરી છે કે બોગસ વેબસાઇટ્સ કે એપ્સથી દૂર રહેવું. સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખુદ કેન્દ્ર સરકારની યોજનાઓનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી રહેલી વેબસાઇટ્સને બંધ કેમ કરાવી શક્તી નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન વેબસાઇટ્સ કે જે ભારત બહારથી ઓપરેટ થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો ભારતમાંથી ઓપરેટ થતી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દુરુપયોગ કરી રહેલી વેબસાઇટ્સથી દૂર રહેવાની એડવાઇઝરી લોકો જોગ જારી કરી છે, આ વેબસાઇટ્સને સરકાર કેમ બંધ કરાવી શકતી નથી કે તેના પર પ્રતિબંધ કેમ મૂકી શક્તી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.

કેન્દ્ર સરકારે બોગસ જાહેર કરેલી હેલ્થ વેબસાઇટ્સની સંપૂર્ણ યાદી

 ૉ

 

December 17, 2018
sajjankumar.jpg
1min5680

દિલ્લીના દિગ્ગજ કૉંગ્રેસી નેતા સજ્જન કુમારની સાથે સાથે સમગ્ર કૉંગ્રેસ પાર્ટી માટે સોમવારનો દિવસ કાળો સાબિત થયો. સજ્જન કુમારને દોષી ઠેરવી આજીવન કેદ ફટકારવામાં આવી છે.

SAJAJN KUMAR

ઈંદિરા ગાંધીની હત્યા બાદ નવેમ્બર 1984માં દિલ્લીમાં થયેલા શીખ રમખાણોના મામલામાં આજે દિલ્લી હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો. હાઈકોર્ટની ડબલ બેંચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચાર લોકોને દોષી કરાર આપી ઉંમર કેદની સજા સંભળાવી છે. સજા સંભળાવવામાં આવ્યા બાદ સજ્જન કુમારે 31 ડિસેમ્બર સુધીમાં સરેંડર કરવાનું રહેશે.

જસ્ટિસ એક મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેંચે આ ચુકાદો સંભળાવ્યો. સજ્જનકુમારને ઉંમર કેદની સજાની સાથે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ પહેલા નીચલી અદાલતે સજ્જન કુમારને નિર્દોષ છોડી મુક્યા હતા. અહેવાલો અનુસાર જ્યારે ચુકાદો વાંચવામાં આવી રહ્યો હતો ત્યારે પીડિત પક્ષના વકીલ રડી રહ્યા હતા. એટલું જ નહીં જજની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

કોર્ટે પોતાના ચુકાદોમાં સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ, અને કૉંગ્રેસને પૂર્વ કાઉંસિલર બલવાર ખોકરને આજીવન કેદની સજા સંભળાવી. જ્યારે કિશન ખોકર અને પૂર્વ કાઉંસિલર મહેંદ્ર યાદવે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

હાઈકોર્ટે પોતાના આ કઠોર ચુકાદો દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન લોકો માર્યા ગયા હતા, જેના 37 વર્ષો બાદ દિલ્લી આવા જ રમખાણોનું સાક્ષી બન્યું. આરોપી રાજનૈતિક કારકીર્દિનો આનંદ લેતા રહ્યા અને ટ્રાયલ થી બચતા રહ્યા. હાઈકોર્ટે કુલ 7 અપીલો પર પોતાનો ચુકાદો સંભળાવ્યો.

December 17, 2018
kamal_nath.jpeg
1min7530

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર એક જ કલાકમાં કમલનાથે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કમલનાથે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે.

KAMAL NATH ORDER

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જે કમલનાથે ખેડૂતોનું દેવું માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી આવતાની સાથે 10 જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કમલનાથે રાહુલ ગાંધીનું આ વચન સૌથી પહેલા પુરું કર્યું. જેનાથી ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ ગયું છે. સાથે જ કન્યા વિવાહ યોજના અંતર્ગત દેવામાં આવતી રકમ વધારીને 51 હજાર કરી દેવામાં આવી છે. સાથે મધ્યપ્રદેશમાં ચાર ગારમેંટ પાર્ક બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

KAMAL NATH

કૃષિ અને સહકારિતા વિભાગે પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના મોડેલનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે. રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં દેવા માફીને સૌથી મોટો મુદ્દો બનાવવા માંગે છે. અને આ રણનીતિ અંતર્ગત જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવું પ્રાથમિકતાના આધાર પર માફ કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસને બહુમતિ મળી ત્યારે જ કૃષિ, સહકારિતા અને નાણા વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી હતી.

December 17, 2018
SDCA_logo.jpg
1min12380

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 17, 2018
competitive.png
1min15640

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️

પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક

ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે

✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.

✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮

✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************

નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916

December 17, 2018
pro_logo.jpg
1min15190

  • નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
  • 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
  • સસ્તા મકાનની માગમાં થયેલો વધારા

દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.

નવ શહેરોમાં થયો હતો સરવે

  • મુંબઈ
  • પુણે
  • નોઈડા
  • ગુરૂગ્રામ
  • બેંગલુરૂ
  • ચેન્નઈ
  • હૈદરાબાદ
  • કોલકાત
  • અમદાવાદ

પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.

રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.

December 17, 2018
kumbh_allhabad.jpg
1min4920

કુંભમેળા-૨૦૧૯ માટે મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોથી પ્રયાગરાજ સુધી ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) દ્વારા દોડાવાતી ટ્રેનો ઉપરાંતની આ ટ્રેનો હશે.  કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિવિધ રેલવે ઝોનમાંથી છ સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ આવશે.

પ્રયાગરાજથી નવી દિલ્હી સુધી ૫૦૦૦ પ્રવાસી ભારતીયને લઇ જવા માટે રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો વિચાર કરી રહી છે. વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ તેઓ પ્રયાગરાજ આવવાના છે. એમને પ્રયાગરાજથી દિલ્હી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લઇ જવામાં આવશે.

શરૂ થતી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ ડબ્બાઓ પર વિનિલ વ્રેપિંગથી આખા દેશમાં આ ધાર્મિક મેળાનો સંદેશ પહોંચાડવા માટે કુંભમેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. ડબ્બાઓ પર કુંભમેળા અને પ્રયાગરાજના અગત્યના સ્થળોના આકર્ષક અને રંગીન ફોટાઓ લગાવવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ અભિયાન માટે રેલવે સ્ટેશનો અને રેહવાસી કોલોનીઓમાં ચિત્રો દોરવાની પરવાનગી આપી છે અને ત્યાં કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અલાહાબાદ અને આસપાસના વિસ્તારોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રદર્શન કરતા સ્ટોલ્સ પેસેન્જર એનક્લોઝર્સમાં મૂકવામાં આવશે. અલાહાબાદ જંક્શન રેલવે સ્ટેશન પર ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ સમાઇ શકે એવા ચાર મોટા એનક્લોઝર્સઊભા કરવામાં આવ્યા છે. એમાં વેન્ડિંગ સ્ટોલ્સ, પાણીના પ્યાઉ અને ટિકિટ કાઉન્ટર્સ, એલસીડી ટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરુષ માટે સ્વતંત્ર ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આવા જ એનક્લોઝર્સ અન્ય સ્ટેશનો પર પણ ઊભા કરવામાં આવશે.

કુંભમેળાના કમાન્ડ, ક્ધટ્રૉલ સેન્ટરનું મોદી દ્વારા ઉદ્ઘાટન

પ્રયાગરાજ: કુંભમેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કમાન્ડ અને ક્ધટ્રોલ સેન્ટરનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ગંગા પૂજન કર્યું હતું અને સ્વચ્છ કુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કુંભમેળા અગાઉ ગંગા અને ઘાટોની સફાઇ માટેના વિવિધ વિકાસકાર્યો રાષ્ટ્રને અર્પણ કરવા અંડાવા જવા અગાઉ મોદીએ પ્રયાગરાજમાં અક્ષયાવતની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેઓ બમરૌલી એરપોર્ટ, પ્રયાગરાજ ગયા હતા અને ત્યાં એમણે એરપોર્ટના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.

December 17, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4500

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન મુંબઈમાં ગુમ થયેલા ૭,૭૪૦ લોકોમાંથી ૨,૯૮૪ લોકોની કોઇ ભાળ મળી ન હોવાની મુંબઈ પોલીસે માહિતી આપી હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૪,૭૫૭ ગુમ વ્યક્તિને શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

છેલ્લાં અમુક વર્ષમાં ગુમ થયા બાદ પત્તો ન લાગતો હોય એવી વ્યક્તિની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈ પોલીસના આંકડા અનુસાર ૨૦૧૪માં ૮,૩૮૯ લોકો ગુમ થયા હતા, તે પૈકી ૬૮૭ જણની ભાળ મળી નહોતી. ૨૦૧૫માં ગુમ થયેલા ૮,૭૩૨ જણ પૈકી ૮૦૩ જણનો કોઇ પત્તો લાગ્યો નહોતો. ૨૦૧૬માં ગુમ થનાર કુલ ૯,૧૭૬ પૈકી ૧,૦૦૯ લોકોની કોઇ જાણકારી મળી નહોતી. ૨૦૧૭માં ગુમ થનાર ૯,૧૮૬ જણમાંથી ભાળ ન મળી હોય એવા લોકોની સંખ્યા વધીને ૧,૫૯૨ પર પહોંચી હતી. ૨૦૧૪થી લઇને સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૭,૦૭૪ જણના ગુમ થયા બાદ કોઇ પત્તો લાગ્યો નથી.

December 15, 2018
darshan1.jpg
1min6030
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.