Siddhant Shah of Surat donates recycled hydroponic towers, providing low-income communities with a reliable and sustainable way to earn a passive income and secure lasting financial stability.
Siddhant Shah, a student at Bhagwan Mahavir International School, designs efficient, low-cost hydroponic towers using recycled materials for marginalized communities. These units utilize minimal space and water while generating a steady income for households.
Siddhant’s journey began in 2022 when underprivileged students from a nearby high school sought his help due to their families’ financial struggles. Realizing one-time donations were only short-term relief, he set out to create sustainable, community-driven solutions. Over the course of two years, he transformed a backyard experiment into a thriving social initiative that continues to grow.
From 2022 to 2025, Siddhant’s initiative evolved from simple planters to advanced hydroponic towers, delivering 200 units to underserved families and collectively enabling them to earn ₹37 lakhs. He aims to grow AeroLands to over 500 households and scale its impact nationwide.
“We must address the economic challenges marginalized communities face and commit to reducing inequality. Our focus is self-reliance, not temporary aid. I urge action—partner, donate, or spread the word—to foster sustained, positive change,” said Siddhant Shah.
ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.
પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો
જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.
વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)
ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.
ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.
મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (સેન્ટ્રલ) મુંબઇના ચેરમેન શ્રી કિરીટભાઇ ભાનુશાળી સમેત સમગ્ર મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સુરત સ્થિત ગુજરાત રિજિયનના ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયા તથા સમગ્ર સ્ટાફ તરફથી તમામને દીપાવલીની અનેકાનેક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન.
મિત્ર-પરીવાર સાથે સુરતથી બાયરોડ ઉદયપૂર જઇ રહેલા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પર ગઇ તા.26મી ઓક્ટોબરે ઉદયપુર હાઇ-વે પર લૂંટારાઓએ હુમલો કરીને સાડાત્રણ લાખથી વધુની માલમતાની લૂંટ ચલાવી હોવાની કેફિયત ખુદ આશિષ ગુજરાતીએ ટેલિફોનિક સંદેશાથી વ્યક્ત કરી હતી. આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસમાં ફરીયાદ દાખલ કરાવી છે.
ટેલિફોનિક વાતચીતમાં જાણિતા ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે તેઓ તા.26મી ઓક્ટોબરે સવારે સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્ર પરીવાર સાથે ટોયોટા હાઇરાઇડર કારમાં નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયારના સુમારે તેમણે ઉદયપુર હાઇ-વે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી. એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઉભા હતા ત્યાં બાઇક ઉભી રાખીને આશિષ ગુજરાતી કંઇ સમજે એ પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દીભાષામાં ધમકી આપી હતી. આશિષ ગુજરાતી સ્વસ્થતા કેળવે એ પહેલા તો એક લુંટારાએ તેમનું પાકીટ અને અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. આશિષ ગુજરાતીએ સ્વસ્થતા કેળવીને પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી, એ દરમિયાન લૂંટારાઓ તેમની કાર પાસે પહોંચી ગયા અને તેમના પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ મને મારી નાંખશે. પ્રતિકાર કરતાં આશિષ ગુજરાતી પણ કાર પાસે પહોંચી જતા લૂંટારામાંથી એક લૂંટારાએ આશિષ ગુજરાતીના માથા પર લાકડાના ફટકાથી જોરદાર ફટકો મારતા તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતી એ દરમિયાન લૂંટારાએ વધુ હુમલો કરીને આશિષ ગુજરાતીના હાથની આંગળીમાં પહેરેલી હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી.
આ દરમિયાન આશિષ ગુજરાતીના પત્નીએ સમયસૂચકતા વાપરીને કાર રોડ પર આડી મૂકાવી દીધી જેથી પસાર થતાં અન્ય વાહનો ફરજિયાત ઉભા રહ્યા હતા અને એ જોઇને લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. એ પછી લોહી નીગળતી હાલતમાં આશિષ ગુજરાતીને અન્ય કારચાલકે ફર્સ્ટ એઇડ બોક્સ આપીને તેમના માથામાંથી નીકળતું લોહી બંધ કરાવ્યું હતું અને એ પછી સ્વસ્થતા કેળવીને આશિષ ગુજરાતીએ સમગ્ર ઘટનાની જાણ પોલિસને કરી હતી.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસને આપેલી ફરીયાદમાં તેમના પર હુમલો કરીને હુમલાખોરો રોકડા રૂ.15 હજાર, રૂ.3 લાખની કિંમતની હીરાની વીંટી ડેબિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ધરાવતું પાકીટ વગેરેની માલમતા લૂંટી હોવાનું જણાવ્યું હતું.
અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે. નાના વાહનો પર ૮૦ રૂપિયા જ્યારે ટ્રક જેવા હેવી વાહનો પર ૭૦૦ રૂપિયા ગ્રીન ટેક્સ લાગશે. રાજ્યના સરહદી વિસ્તારોમાં આશરે ૩૭ જેટલા કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે.
આ ડિસેમ્બર મહિનાથી ઉત્તરાખંડમાં પ્રવેશ કરનારા અન્ય રાજ્યના વાહનો પર ગ્રીન સેસ કે ટેક્સ લાગશે, પર્યાવરણને ધ્યાનમા ંરાખીને રાજ્ય સરકાર દ્વારા આ વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં બહારથી હજારો વાહનો આવતા જતા હોય છે. જોકે હવે બહારના આ વાહનો પર રૂપિયા ૮૦થી ૭૦૦ સુધી ટેક્સ લાગશે. કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે.
જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે જ્યારે ઉત્તરાખંડ બહાર નોંધાયેલા વાહનોને કેમેરામાં કેદ કરીને સોફ્ટવેરની મદદથી એનપીસીઆઇ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. જ્યાંથી આપમેળે જ ફાસ્ટેગથી ઓટોમેટિક આ ટેક્સ કપાઇ જશે. આશરે ૩૭ જેટલા સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારનું અનુમાન છે કે આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.
આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.
આજે સવારના 10 વાગ્યા સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હજુ તો આવતીકાલે 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.
સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને
સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.
સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.
ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ
ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”
IIM બેંગ્લોરમાં BSc ઓનર્સ ડેટા સાયન્સ અને ઇકોનોમિક્સ અફલાતૂન અભ્યાસક્રમો શરૂ થઇ રહ્યા છે, જૂન 2026થી પ્રવેશ, પ્રવેશ પરીક્ષા 13 ડિસેમ્બરે
જો તમે હાલમાં ધો.12 સાયન્સમાં મેથેમેટીક્સ વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે ભારતમાં કારકિર્દીનો આનાથી સારો વિકલ્પ મળવો મુશ્કેલ હશે.
વિશ્વ વિખ્યાત મેનેજમેન્ટ સ્કુલ આઇઆઇએમ બેંગ્લોર જૂન 2026થી પ્રવેશ મળે એ રીતે બીએસસી ઓનર્સના બે અફલાતૂન અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. ચાર વર્ષના આ બીએસસી ઓનર્સ કોસમાં ડેટા સાયન્સ અને ઇકોનોમિક્સ મેજર સબ્જેક્ટ હશે. આ કોર્સમાં પ્રવેશ માટે આઇઆઇએમ બેંગ્લોર પ્રવેશ પરીક્ષા લેશે અને એ પ્રવેશ પરીક્ષા તા.13મી ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાશે.
IIM બેંગ્લોર 2026 ના ઇન્ટેક માટે ડેટા સાયન્સ અને ઇકોનોમિક્સમાં BSc (ઓનર્સ) માટે પ્રવેશ શરૂ રહ્યું છે.
IIM બેંગ્લોર અંડરગ્રેજ્યુએટ એડમિશન ટેસ્ટ (IIMB UGAT) 13 ડિસેમ્બરે લેવામાં આવશે, ત્યારબાદ જાન્યુઆરી 2026 માં રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર (IIM બેંગ્લોર) એ ડેટા સાયન્સ અને ઇકોનોમિક્સમાં તેના નવા ચાર વર્ષના, પૂર્ણ-સમયના રહેણાંક BSc (ઓનર્સ) કાર્યક્રમો માટે પ્રવેશ ખોલવાની જાહેરાત કરી છે. 2026-27 શૈક્ષણિક વર્ષ માટે અરજીઓનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે જે તા.20 નવેમ્બરના રોજ બંધ થશે.
ઉમેદવારો સંસ્થાની વેબસાઇટ – ug.iimb.ac.in પર નોંધણી કરાવી શકે છે.
IIM બેંગ્લોરના આગામી જીગાની કેમ્પસમાં શરૂ થનારા આ અભ્યાસક્રમોમાં બે અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી વિકલ્પો છે – ડેટા સાયન્સમાં BSc (ઓનર્સ), જેમાં અર્થશાસ્ત્રમાં માઇનોર અને અર્થશાસ્ત્રમાં BSc (ઓનર્સ), જેમાં ડેટા સાયન્સમાં માઇનોરનો સમાવેશ થાય છે.
ડેટા સાયન્સમાં બીએસસી (ઓનર્સ) એક પૂર્ણ-સમયનો, રેસિડેન્સિયલ રહેણાંક કાર્યક્રમ છે જે ડેટા સાયન્સમાં પાયો પૂરો પાડવાનો પ્રયાસ કરે છે, જેમાં અર્થશાસ્ત્રમાં સગીરનો સમાવેશ થાય છે. તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયાઓ, અલ્ગોરિધમ્સ, ડેટા સ્ટ્રક્ચર્સ અને મનોવિજ્ઞાનમાં તકનીકી કુશળતાને વ્યવહારુ વ્યવસાયિક એપ્લિકેશનો સાથે જોડે છે.
IIM બેંગ્લોર દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં જણાવાયું છે કે અભ્યાસક્રમ વાસ્તવિક-વિશ્વ સમસ્યા-નિરાકરણ, મજબૂત વિશ્લેષણાત્મક કુશળતા અને ઇન્ટર્નશિપ, વૈશ્વિક નિમજ્જન અને નેતૃત્વ વિકાસ દ્વારા વ્યવહારુ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. સ્નાતકો ડેટા સાયન્સમાં બેચલર ઓફ સાયન્સ (ઓનર્સ) મેળવે છે.
અર્થશાસ્ત્રમાં બીએસસી (ઓનર્સ) એક પૂર્ણ-સમયનો, રહેણાંક કાર્યક્રમ છે જેમાં ડેટા સાયન્સ માઇનોરનો સમાવેશ થાય છે અને મુખ્ય આર્થિક સિદ્ધાંત, આંકડાકીય પદ્ધતિઓ, અર્થમિતિ અને વર્તણૂકીય આંતરદૃષ્ટિને એકીકૃત કરે છે, જે બધા ડેટા માઇનિંગ તકનીકો અને લાગુ વ્યવસાય શિક્ષણ દ્વારા આધારભૂત છે. અભ્યાસક્રમ વિશ્લેષણાત્મક ઊંડાણ, વિવેચનાત્મક વિચારસરણી અને વ્યાવસાયિક કુશળતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઇન્ટર્નશિપ, વૈશ્વિક સંપર્ક અને જીવન-કૌશલ્ય વૃદ્ધિ દ્વારા સમર્થિત છે, નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે. સ્નાતકો અર્થશાસ્ત્રમાં બેચલર ઓફ સાયન્સ (ઓનર્સ) મેળવે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ રચાયેલ આ અંડરગ્રેજ્યુએટ કાર્યક્રમોનો હેતુ શૈક્ષણિક કઠોરતાને વાસ્તવિક દુનિયાના ઉપયોગ અને અનુભવ આધારિત શિક્ષણ સાથે મિશ્રિત કરવાનો છે.
લાયકાત માપદંડ – અરજદારોની ઉંમર 1 ઓગસ્ટ, 2026 સુધીમાં 20 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
દરેક કાર્યક્રમમાં કુલ 80 વિદ્યાર્થીઓ (પ્રતિ મુખ્ય 40) પ્રવેશ આપવામાં આવશે.
IIM બેંગ્લોર અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા (IIMB UGAT) 13 ડિસેમ્બરે લેવામાં આવશે, ત્યારબાદ જાન્યુઆરી 2026 માં વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અંતિમ પ્રવેશ ઓફર 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કરવામાં આવશે.
IIM Bangalore opens admissions for BSc (Hons) in Data Science and Economics for 2026 intake
The IIM Bangalore Undergraduate Admissions Test (IIMB UGAT) will be conducted on December 13, followed by in-person interviews in January 2026.
The Indian Institute of Management Bangalore (IIM Bangalore) has announced the opening of admissions for its new four-year, full-time residential BSc (Hons) programmes in Data Science and Economics. Applications for the 2026-27 academic year are now open and will close on November 20. Candidates can register at the institute website – ug.iimb.ac.in.
The programmes, which will be conducted at IIM Bangalore’s upcoming Jigani campus, offer two degree options – BSc (Hons) in Data Science, with a minor in Economics and BSc (Hons) in Economics, with a minor in Data Science.
The BSc (Hons) in Data Science is a full-time, residential programme that seeks to offer a foundation in data science, with a minor in Economics. It merges technical expertise in stochastic processes, algorithms, data structures, and psychology with practical business applications. The curriculum is designed to foster real-world problem-solving, strong analytical skills, and hands-on learning through internships, global immersion, and leadership development, a statement released by IIM Bangalore said. Graduates earn a Bachelor of Science (Honours) in Data Science.
The BSc (Hons) in Economics is a full-time, residential programme that includes a Data Science minor and integrates core economic theory, statistical methods, econometrics, and behavioural insights, all underpinned by data mining techniques and applied business learning. The curriculum focuses on developing analytical depth, critical thinking, and professional skills, supported by internships, global exposure, and life-skill enhancement, the statement added. Graduates earn a Bachelor of Science (Honours) in Economics.
These undergraduate programmes, designed under the National Education Policy (NEP), aim to blend academic rigor with real-world application and experiential learning.
Eligibility Criteria – Applicants must be 20 years or younger by August 1, 2026.
– Successful completion of Class 12 (or an equivalent examination) with mathematics as a subject.
– A minimum of 60 per cent marks in Mathematics in Class 10.
Each programme will admit 80 students in total (40 per major), ensuring small cohort sizes and personalised attention. The IIM Bangalore Undergraduate Admissions Test (IIMB UGAT) will be conducted on December 13, followed by in-person interviews in January 2026. Final admission offers will be made by February 28, 2026.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.