CIA ALERT

Alert Archives - Page 4 of 500 - CIA Live

December 27, 2025
image-27.png
1min58

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક મહત્વ ધરાવતી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી હતી જેનું પરીણામ બે જ દિવસમાં આવી ગયું હતું., જેને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવી રહી છે. મેચના પહેલા દિવસે ટોસ હારીને પ્રથામ બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ થઇ ગઈ, બીજી તરફ ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખુબ જ ખરાબ રહી, ઇંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર 110 રનમાં સમેટાય ગયો હતો. 52 રનની લીડ સાથે બીજી ઇનિંગમાં દાવ પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 132 રનમાં ખખડી ગઇ હતી અને ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 175 રનનો પડકાર મળ્યો હતો. જે સરળતાથી સર કરીને બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને કારમી પછડાટ આપીને 5-0થી એશિઝ જીતવાના બણગાં પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

એ પૂર્વે

એશિઝ 2025-26ની ચોથી ટેસ્ટમાં ટોસ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાન ટીમના બેટર્સે ખુબ જ સાધારણ બેટિંગ કરી, કોઈ પણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં, ટીમ 45 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી ત્રણ વિકેટો તો સ્કોરબોર્ડ પર કોઈ રન ઉમેર્યા વગર જ પડી ગઈ.

ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી વધુ રન માઈકલ નેસરે(35) બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 અને એલેક્સ કેરીએ 20 રન બનાવ્યા, પાંચ ઓસ્ટ્રેલિયન બેટર્સ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા

ઇંગ્લેન્ડના જોશ ટોંગ તરફથી આક્રમક બોલિંગ જોવા મળી, તેણે 45 રન આપીને પાંચ વિકેટ લીધી. ગસ એટકિન્સને બે વિકેટ મળી, જ્યારે બ્રાયડન કાર્સ અને કેપ્ટન બેન સ્ટોક્સે એક-એક વિકેટ ખેરવી.

ઇંગ્લેન્ડનો ધબડકો:
ઓસ્ટેલિયનની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડના ચાહકો ખુશ હતાં, પરતું તેમની ખુશી લાંબી ના ટકી શકી. બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ગાડી શરૂઆતમાં જ પાટેથી ઉતરી ગઈ, ટીમે 8 ઓવરમાં માત્ર 16 રન પર 4 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી. બેન ડકેટ-2, જેકબ બેથેલ-1, જેક ક્રોલી-5 અને જો રૂટ-0 રન પર આઉટ થયો. ઓસ્ટ્રેલિયા મિશેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે બે-બે વિકેટ લીધી છે.

December 24, 2025
image-26.png
1min57

જમ્મુ કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શને હતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના નવા વર્ષે ભીડ નિયંત્રિત કરવા માટે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે આરએફઆઈડી કાર્ડ ઇસ્યુ કર્યા બાદ 24 કલાકમાં પરત આવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેમજ 10 કલાકમાં યાત્રા કરવી જરૂરી છે. આનો અમલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે મંગળવાર Dated 23/12/2025 માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સલામત, સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સીઈઓએ સંબંધિત અધિકારીઓને મુસાફરી વ્યવસ્થાપન અને સુરક્ષા પગલાં વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો. RFID- કાર્ડ દ્વારા યાત્રાના કડક નિયમો પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ ખાતરી કરવામાં આવી કે ફક્ત માન્ય RFID કાર્ડ ધરાવતા યાત્રાળુઓને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવે.

જેમાં હવે કટરા રેલ્વે સ્ટેશન નજીક યાત્રા નોંધણી કેન્દ્ર પર શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યા સુધી RFID કાર્ડ મેળવી શકશે.આ અગાઉ આ સેવા રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ હતી. ટ્રેન દ્વારા મોડી રાત્રે આવતા મુસાફરો દર્શન દેવરી પ્રવેશદ્વાર પર RFID કાર્ડ મેળવી શકે છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓએ મલ્ટી લેયર સુરક્ષા ગ્રીડ વિશે માહિતી આપી હતી. જેમાં પોલીસ, CRPF અને શ્રાઇન બોર્ડ સુરક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ ખતરાની પૂર્વ જાણકારી માટે અદ્યતન સર્વેલન્સ ડીવાઈસના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

કટરાથી વૈષ્ણોદેવી મંદિરનું અંતર આશરે 13 કિમી છે. જેમાં શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા, કુલી, બેટરી કાર અને હેલિકોપ્ટર દ્વારા મંદિર સુધી પહોંચી શકે છે. જેમાં પગપાળા મુસાફરીમાં લગભગ 8 કલાક લાગે છે. સામાન્ય દિવસોમાં મુસાફરીમાં 24 થી 36 કલાકનો સમય લાગે છે.

December 24, 2025
image-25-1280x960.png
1min44

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા અંગે ધરખમ ફેરફારો કરી રહ્યા છે. ગ્રીન કાર્ડ માટે લોટરી સિસ્ટમ બંધ કર્યા બાદ H-1B વર્ક વિઝા માટે લાંબા સમયથી ચાલતી લોટરી સિસ્ટમને સમાપ્ત કરવામાં આવી છે. લોટરી સિસ્ટમને બદલે સ્કિલ્ડ, ઉચ્ચ પગાર ધરાવતા વિદેશી વર્કર્સને વિઝા માટે પ્રાથમિકતા આપતી સીસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ફેરફારને કારણે ભારતના નવા ટેક પ્રોફેશનલ્સને યુએસના વર્ક વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની શકે છે.

યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ 27 ફેબ્રુઆરી, 2026 થી લાગુ થશે, જે હેઠળ નાણાકીય વર્ષ 2027ની શરૂઆત બાદ વાર્ષિક ધોરણે અંદાજે 85,000 H-1B વિઝા ફાળવશે.

નિષ્ણાતોના જણવ્યા મુજબ ભારત અને ચીન જેવા દેશોના વર્કર્સ ઓછા પગાર પર યુએસ બેઝ્ડ કંપનીઓ માટે કામ કરવા તૈયાર થાતાં હતાં, જેને કારણે યુએસ કંપનીઓ વિદેશી વર્કર્સને નોકરી પર રાખવાને પ્રાથમિકતા આપતી હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સમય સાથે યુએસની ટેક કંપનીઓમાં ભારત અને ચીનના વર્કર્સની સંખ્યા ખુબ વધી ગઈ છે અને યુએસના લોકોની રોજગારી છીનવાઈ રહી છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર તેની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ સ્થાનિક વર્કર્સને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના જણાવ્યા મુજબ, યુએસના એપ્લોયર્સ H-1B વિઝા માટેની હાલની રેન્ડમ સિલેકશન પ્રોસેસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ અમેરિકન વર્કર્સને ચૂકવવા પડે તેના કરતા ઓછા વેતન પર વિદેશી વર્કર્સને નોકરી પર રાખી રહ્યા છે.

નવા નિયમોની જાહેરાત સાથે પ્રેસ રિલીઝમાં એમ પણ જણાવવામાં આવ્યું કે નવા દરેક H-1B વિઝા માટે એમ્પ્લોયર્સને $1,00,000 ચૂકવવાની અગાઉની જાહેરાત લાગુ રહેશે.

નોંધનીય છે કે તાજેતરમાં રોડ્સ આઇલેન્ડ રાજ્યમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલી શૂટિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતાં અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(MIT)માં થયલા ગોળીબારમાં એક પ્રોફેસરનું મોત થયું હતું.

હુમલાખોરની ઓળખ ક્લાઉડિયો મેન્યુઅલ નેવ્સ વેલેન્ટે તરીકે થઇ હતી, તે વર્ષ 2017 માં ડાયવર્સિટી લોટરી ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ (DV1) મારફતે યુએસમાં પ્રવેશ્યો હતો અને લોટરી સીસ્ટમથી તેને ગ્રીન કાર્ડ મળ્યું હતું.

આ માહિતીને આદરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી હતી, હવે H-1B વર્ક વિઝા માટે પણ લોટરી સીસ્ટમ બંધ કરી છે.

December 23, 2025
image-24.png
1min56

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે.

અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા સોશિયલ મીડિયા અભિયાન વચ્ચે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપિન્દર યાદવે એક નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, તેમણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિગતવાર વાંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થિત અરવલ્લી પર્વતમાળાઓનું વૈજ્ઞાનિક રીતે રક્ષણ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા લીલી અરવલ્લી પર ભાર મૂક્યો છે.

ભુપિન્દર યાદવે વધુમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આ મુદ્દાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના ફકરા 38 માં જણાવાયું છે કે ગંભીર જરૂરિયાત સિવાય કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે અરવલ્લી પર્વતમાળા 20 વન્યજીવ અભયારણ્યો અને ચાર વાઘ અભયારણ્યોનું ઘર છે, જે તેના પર્યાવરણીય મહત્વ પર ભાર મૂકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે કોર્ટે ખાણકામ સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ફક્ત એક તકનીકી સમિતિની રચના કરી છે.

100 મીટર ઊંચાઈના વિવાદ અંગે, તેમણે કહ્યું કે કેટલીક ખોટી માહિતી ફેલાવવામાં આવી છે કે 100 મીટરનો નિયમ ટોચ (શિખર) થી લાગુ પડે છે, જે ખોટી છે. સંરક્ષણ તળિયેથી શરૂ થાય છે, ભલે તે ભૂગર્ભમાં શરૂ થાય. તેમણે કહ્યું કે NCR માં કોઈ ખાણકામની મંજૂરી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે સરકારની ગ્રીન પહેલને આવી માન્યતા મળી છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા ચાર રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના 39 જિલ્લાઓમાં ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળા સંબંધિત કાનૂની મુકદ્દમા 1985 થી ચાલી રહ્યા છે. “અમે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ સામે કડક નિયમોનું સમર્થન કરીએ છીએ,” તેમણે કહ્યું. દરમિયાન, ભારતીય વન સર્વેક્ષણે ચેતવણી આપી હતી કે અરવલ્લી પર્વતમાળાની 10,000 ટેકરીઓમાં ખાણકામ પ્રવૃત્તિઓ વિનાશનું કારણ બની રહી છે અને તેને રોકવાની જરૂર છે. કેન્દ્રીય સશક્ત સમિતિ (CEC) એ કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવો જોઈએ. જોકે, કેન્દ્રએ દલીલ કરી હતી કે 100-મીટર ટેકરી સિદ્ધાંત હેઠળ – જે રિચાર્ડ બરફીના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવ્યો છે – ફક્ત 100 મીટરથી ઉપરના બાંધકામોને અરવલ્લીનો ભાગ ગણવા જોઈએ.

December 22, 2025
image-21.png
1min62

ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.

22/12/2025 સોમવારે સવારે ટેકઓફ કર્યા પછી તરત જ જમણી બાજુનું એન્જિન ફેઇલ થયું હોવા છતાં એર ઇન્ડિયાનું બોઇંગ 777 વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.

ટ્વીન-એન્જિન વિમાન એક એન્જિન પર સુરક્ષિત રીતે ઉતરી શકે છે, તેથી વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર “22 ડિસેમ્બરના રોજ, દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 ના ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયા મુજબ, ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પાછા ફરવાનું નક્કી કર્યું.

વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરો અને ક્રૂ નીચે ઉતરી ગયા છે. આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયાને ખૂબ જ દુઃખ છે. વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.”

એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે “દિલ્હીમાં અમારી ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે અને તેમને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને કર્મચારીઓની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.”

એર ઇન્ડિયા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરે છે
એન્જિન નિષ્ફળતાની તપાસ કરવા ઉપરાંત, DGCA એ ફ્લાઇટના મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી હતી. એર ઇન્ડિયાએ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે બીજા B777 (VT-ALP) વિમાનની વ્યવસ્થા કરી હતી. બોર્ડિંગ ગેટ પર નાસ્તો આપવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે “મુસાફરોનું બોર્ડિંગ સવારે 9:06 વાગ્યે શરૂ થયું હતું અને વૈકલ્પિક ફ્લાઇટ સવારે 10 વાગ્યે રવાના થવાની ધારણા છે,”

December 22, 2025
image-20.png
1min62

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.

નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.

આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.

20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.

આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.

December 20, 2025
image-18.png
1min62

અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં 13 ડિસેમ્બરના રોજ પાલમાયરામાં અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી 70 થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે.

આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હું જાહેરાત કરું છું કે અમેરિકા જવાબદાર ખૂની આતંકવાદીઓ સામે ખૂબ જ ગંભીર બદલો લેવાની કાર્યવાહી કરી રહ્યું છે. અમે સીરિયામાં આઈએસઆઈએસ ના ગઢમાં જોરદાર હુમલા કરી રહ્યા છીએ, જે સ્થળ લોહીથી રંગાયેલું અને સમસ્યાઓથી ભરેલું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સીરિયાની સરકાર જેનું નેતૃત્વ એક એવું વ્યક્તિ કરી રહી છે જે સીરિયામાં મહાનતા પરત લાવવા ખુબ મહેનત કરી રહી છે. તેને અમેરિકાનું પૂર્ણ સમર્થન છે. તેમજ અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. જો તે અમેરિકા પર હુમલો કરે છે અથવા તો ધમકી આપે છે તો પહેલા કરતા જોરદાર હુમલા માટે તૈયાર રહે.

અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે. જયારે અહેમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની નવી સીરિયન સરકાર પણ અમેરિકાને ટેકો આપ્યો છે.

December 20, 2025
image-17.png
1min79

Assam Accident: આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.

મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.

December 19, 2025
image-14.png
1min58

Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં આટલો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં વેકેશન સિઝનમાં વરસાદના કારણે ચિંતા વધી છે. ગયા વર્ષ 2024માં જ દુબઈ અને અબુ ધાબીમાં આવો જ વરસાદ જોવા મળ્યો હતો.

દુબઈમાં ભારે વરસાદ વચ્ચે બુર્જ ખલીફા પર વીજળી પણ પડી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

દુબઈમાં ગુરુવાર રાતથી જ ભારે વરસાદ શરુ થઈ ગયો હતો. જ્યારે UAEના પાટનગર અબુધાબીમાં આખી રાત વાવાઝોડું આવ્યું. શુક્રવાર સવાર સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દુબઈમાં તમામ સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા હતા. અબુધાબીમાં પણ તંત્રએ સૂચના આપી હતી કે બપોરે 2 વાગ્યા સુધી જરૂરી કામ ન હોય તો સૌ કોઈ ઘરે જ રહો.

ભારે વરસાદમાં ભારતના એક યુવકનું દુ:ખદ મૃત્યુ પણ થયું છે. રાસ અલ ખૈમાહમાં દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષના સલમાન ફરીઝનું નિધન થયું છે. સલમાન કેરળના મલ્લપુરમનો વતની હતો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર સલમાન કેફેમાં કામ કરતો હતો અને રાત્રિના 3 વાગ્યે ઓર્ડર ડિલિવર કરવા માટે ગયો હતો. જોકે ભારે વરસાદના કારણે બાઇક બંધ પડી જતાં તેણે મેનેજરને ફોન કર્યો. જે બાદ એક નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી થતાં સલમાનનું નિધન થયું.

સાવચેતીના ભાગરૂપે બીચ, પાર્ક અને પર્યટન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના અનેક ફ્લાઇટ્સ રદ થતાં ક્રિસમસ વેકેશનમાં ઘરે જતાં લોકો હેરાન પરેશાન થયા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દુબઈ જેવા શહેરોમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી રહી છે. એપ્રિલ 2024માં જ આ જ પ્રકારે અતિભારે વરસાદ વરસતાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.

ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં Dated 19/12/25 શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

December 16, 2025
image-12.png
1min57

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.