CIA ALERT

Alert Archives - Page 379 of 512 - CIA Live

April 10, 2019
jitu-2.jpg
1min12320

મોદીને સારુ લગાડવા ભાજપા પ્રમુખ વાઘાણી સમેતના નેતાઓનો બેફામ વાણી વિલાસ

ભાજપાના સુપ્રીમો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે ભાજપાના નેતાઓ કંઇપણ હદે ઉતરી શકે છે. છેલ્લા સપ્તાહથી જે રીતે ગુજરાતમાં રાજકીય નેતાઓ ખાસ કરીને ભાજપી નેતાઓ એવું નથી કે તેમની જીભ લપસી જાય છે પરંતુ, ઇરાદાપૂર્વક કેટલાક શબ્દ પ્રયોગ કરીને રાહુલ ગાંધી કે કોંગ્રેસને ભાંડી રહ્યા છે, બેફામ વાણી-વિલાસને મિડીયા ચગાવે છે અને એ રીતે મોદીની નજરમાં આવી શકાય, એ રૂએ ભાજપીઓ બેફામ વાણી વિસાલ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓને હરામજાદા કરીને સંબોધ્યા હતા.

થોડા દિવસો પહેલા જીતુ વાઘાણીના દિકરાને કોલેજે પરીક્ષામાંથી ચોરી કરતા પકડ્યો હતો, હવે ચૂંટણી પંચે જીતુ વાઘાણીને પકડ્યા છે ચૂંટણીના નિયમ ભંગ માટે

એવું નથી કે ફક્ત ભાજપીઓ જ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે પરંતુ, જાહેરસભામાં કોંગ્રેસીઓ પણ ભાજપીઓને અનેક ખરીખોટી ખરાબ ભાષામાં સંભળાવી પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસી નેતાઓ પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવું કરી રહ્યા છે જ્યારે ભાજપીઓ મોદીની નજરમાં આવવા માટે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયાગ કર્યો હતો, જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઇ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાસે તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. સુઓમોટો એટલે કોઇ ફરિયાદી વગર ચૂંટણી પંચે જાતે જ ઘટનાની નોંધ લઇને ફરીયાદ દાખલ કરી છે.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી, જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું  કે કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે, રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યાર બાદ તેમણે માફી  પણ માગી હતી. ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે, રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી સુરતની જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામજાદા જેવા શબ્દથી નવાજ્યા હતા.

કોંગ્રેસીઓ પણ પોતાનું વજુદ બતાવવા ભાજપીઓને

શરમાવે તેવા નિવેદનો કરી રહ્યા છે

કોંગી ધારાસભ્ય ગેનીબેન, નેતા મોઢવાડિયાની અભદ્ર ટિપ્પણી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બેફામ કરેલા નિવેદનોએ ભાજપીઓને વધુ ઉશ્કેર્યા છે.

થરાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયના આરંભ પ્રસંગે વાવના ધારાસભ્ય  ગેનીબેને વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના આકરા પ્રહારો કરતા કહ્યું કે, કાળું નાણું  5 વર્ષમાં તમારા રાજમાં આવ્યું નથી પરંતુ મારે એમને સીધુ પૂછવું છે કે કાળું નાણું બહારથી લાવવા કોણે, એના બાપાએ ના પાડી હતી કે ના લાવતા.  આમ ગેનીબેન અભદ્ર શબ્દો બોલીને વડાપ્રધાનની ગરીમા જાળવી ન હતી. અગાઉ પણ ગેનીબેન પોતાના વિવાદિત વિધાનોના કારણે અનેક વખત ચર્ચામાં રહેલા છે.

એવી જ રીતે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ડીસા ખાતે સભાને સંબોધતા કહ્યું કે, એના ભક્તો રોજ કહે છે, અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની. કોઇ મજબૂત માણસ હોય અમારા બળદેવજી જેવા તો એની છાતી કેટલા ઇંચની હોય 36 ઇંચની, ઠઠના પહેલવાન હોય એની છાતી 42 ઇંચની હોય અને 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની અને 100 ઇંચની છાતી પાડાની હોય.

April 10, 2019
congressMLa.jpg
1min5350
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
April 10, 2019
voting.jpg
1min5670

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની તા. 8મી એપ્રિલને છેલ્લો દિવસ હતો ત્યારે કુલ452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવોરોએ ઉમેદવારી પરત ખેચતા હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

રાજ્યની ર6 બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એટલે કે આ ત્રણે બેઠક પર બે બેલેટ યુનિટ રાખવામાં આવશે.

તા.8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 452 ઉમેદવારોમાંથી 81 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં હવે કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 31 ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ 34 ઉમેદવાર પૈકી 17 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠક પર પણ 1પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે.

April 10, 2019
modihai.jpg
1min9480

 

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.

April 10, 2019
parliament-election.jpg
1min4310

11મી એપ્રિલે ગુરુવારે લોકસભાની પ્રથમ તબક્કાની 91 બેઠક માટેનો ચૂંટણીપ્રચાર મંગળવારે સાંજે બંધ થયો હતો. 18 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં 11મીએ મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશ સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની બેઠકો માટે પણ ચૂંટણી કરવામાં આવશે. તેલંગણામાં પ્રથમ તબક્કામાં લોકસભાની 17 બેઠક માટે મતદાન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની આઠ બેઠક, ઉત્તરાખંડમાં પાંચ બેઠક, ઓડિશામાં લોકસભાની ચાર અને વિધાનસભાની ર8 બેઠક માટે મતદાન થશે.

આસામમાં લોકસભાની પાંચ બેઠક માટે મતદાન થશે. મહારાષ્ટ્રની સાત, બિહારની ચાર, પશ્ર્ચિમ બંગાળની બે અને જમ્મુ-કાશ્મીરની બે બેઠક માટે મતદાન થશે.

મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, છત્તીસગઢ, નાગાલેન્ડ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વિપની પ્રત્યેકની એક બેઠક માટે 11મી એપ્રિલે મતદાન થશે. 91 બેઠક માટેના ચૂંટણીપ્રચારમાં હરીફ પક્ષોના નેતાઓના સામસામી આક્ષેપબાજી છવાયેલી રહી હતી. ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહે પ્રચારકમાન સંભાળી હતી. કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ સભાઓ ગજવી હતી.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપીના વડા એન ચંદ્રાબાબુ નાયડુનો પ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ અને વાયએસઆર કૉંગ્રેસના પ્રમુખ વાયએસ જગનરેડ્ડી એમ ત્રણ નેતા સામે કેન્દ્રિત થયો હતો. આંધ્ર પ્રદેશ માટે વિશેષ કેટેગરી, અમરાવતી રાજધાનીનું નિર્માણ પોલાવરમ જેવો જંગી પ્રોજેક્ટ વિગેરે મુદ્દાઓ પર વિવિધ હરીફ નેતાઓએ પોતાના વિચાર પ્રગટ કર્યાં હતા.

April 10, 2019
bjp-1280x960.jpg
1min6730

મધ્ય પ્રદેશમાં ચૂંટણીને લગતી આચારસંહિતાનો કથિત ભંગ કરવા બદલ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ અને શહેરના મેયર સ્વાતિ ગોડબોલે સહિત ભાજપના સાત નેતાઓને અટકમાં લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.

એ ઉપરાંત, ભાજપના જબલપુર લોકસભા મતદારક્ષેત્રના ઉમેદવાર રાકેશ સિંહને પણ આચારસંહિતાના ભંગ બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર તથા રિટર્નિંગ ઑફિસર છાવી ભારદ્વાજે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે નિયમ મુજબ ઉમેદવારીપત્ર ભરવામાં આવે ત્યારે રિટર્નિંગ ઑફિસરના કાર્યાલયમાં પક્ષના ઉમેદવાર સહિત માત્ર પાંચ જણને પ્રવેશવાની છૂટ હોય છે, પરંતુ રાકેશ સિંહે સોમવારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે પાંચથી વધુ વ્યક્તિઓ તેમની ઑફિસમાં પ્રવેશી હતી.આ ઇલેક્શન ઑફિસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ સોમવારે રાત્રે ઑમ્ટી પોલીસ સ્ટેશન ખાતે પટેલ, ગોડબોલે, ભૂતપૂર્વ પ્રધાનો અજય વિશ્નોઇ તથા શરદ જૈન, વિધાનસભ્યો સુશીલ તિવારી અને અશોક રોહાની તેમ જ ભારતીય યુવા મોરચાના રાજ્ય-પ્રમુખ અખિલેશ પાન્ડે વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યા હતા.ઉ

પટેલ મધ્ય પ્રદેશમાં દામોહા ખાતેની બેઠકના ભાજપના સંસદસભ્ય છે. રિટર્નિંગ ઑફિસરે સમગ્ર વિસ્તારમાં સલામતી પૂરી પાડવાની જવાબદારી સંભાળતા ઑમ્ટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, સિટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અને હોમગાર્ડ્સ ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટને ફરજની ઉપેક્ષા કરવા બદલ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.

April 10, 2019
chat.jpg
1min11000

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.

નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.

દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’

April 10, 2019
service_voter.jpg
1min7450

આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.

કોણ હોય છે સર્વિસ વોટર્સ

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.

ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.

સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.

સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી

દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે  તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….

April 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18410

ધો.10ની પરીક્ષા પૂર્ણ થયાના સપ્તાહમાં જ સુરતમાં ધો.11-12 સાયન્સની સ્કુલો ધમધમી ઉઠી હતી. ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની જેન્યુઇન રીતે ચાલતી સ્કુલો ઉપરાંત સુરતમાં સૌથી મોટો ઉપદ્રવ જો કોઇનો હોય તો એ ડમી સ્કુલોનો છે. જેઇઇ, નીટના નામે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો ચલાવતા હિન્દીભાષી ધંધાદારીઓએ સુરતના વાલીઓના ખીસ્સા ખંખેરવાના આશયથી સુરતમાં ડમી સ્કુલો શરૂ કરાવી છે અને આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ જાણતા હોવા છતાં ભેદી કારણોસર ડમી સ્કુલોને બેરોકટોક પણે ચાલવા દે છે.

જે.ઇ.ઇ. મેઇન્સ, નીટ, બિટ્સ પિલાની, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓના નામે હિન્દી ભાષીઓએ શહેરના કેટલાક શાળા સંચાલકોને સાધીને ડમી સ્કુલો શરૂ કરી છે. ચર્ચાસ્પદ ડમી સ્કુલો અંગે વાલીઓ પાસેથી મળેલી માહિતી મુજબ

  1. નાનપુરા સ્થિત આર.ડી. કોન્ટ્રાક્ટર સ્કુલ
  2. અડાજણ એલપી સવાણી રોડની રિવરડેલ સ્કુલ
  3. ઘોડદોડ રોડ પર આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ
  4. અડાજણની સિટીઝન સ્કુલ

માં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર શિક્ષણના નામે ડમી સ્કુલો ચાલી રહી હોવાની ફરીયાદો ઉઠી છે. જે વાલીઓ ભણી ચૂક્યા છે તેઓ પણ કહેવા માટે તૈયાર છે કે ઉપરોક્ત શાળાઓ ડમી સ્કુલ તરીકે કાર્ય કરી રહી છે. આ સ્કુલોમાં રેગ્યુલર સ્કુલ સ્ટડી કરતા ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની વધુ હાજરી હોય છે. દરેક સ્કુલોએ કોઇકને કોઇક ધંધાદારી કોચિંગ ક્લાસીસો સાથે સાંઠગાંઠ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને અનધિકૃત રીતે કેટલીક સગવડ કરી આપી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય તો પણ તેમની પૂરેપૂરી હાજરી પૂરી દેવામાં આવે છે. ડમી સ્કુલોની જો ઝીણવટભરી તપાસ કરાવવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને તો સુરતથી છેક રાજસ્થાનના કોટા કે પિલાનીમાં રહીને ત્યાં કોચિંગ ક્લાસીસના સાનિધ્યમાં પરીક્ષાની તૈયારી કરવાની છૂટ આપવામાં આવે છે.

સ્કુલમાં ગેરહાજરી છતાં હાજરી પૂરી દેવાય, પ્રેક્ટિકલ્સ બિલકુલ જ ન કરાવે

ડમી સ્કુલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ્સ કરાવવામાં આવતા નથી. આમ, હાજરીમાં છૂટછાટ, પ્રેક્ટિકલમાં છૂટ વગેરેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ ડમી સ્કુલો તરફ આકર્ષાય રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઇઇ અને નીટમાં મોટા સ્કોરની લ્હાયમાં રેગ્યુલર સ્કુલ કરતા ડમી સ્કુલોમાં એડમિશન લઇને ધંધાદારી કોચિંગ ક્લાસીસો મારફતે તૈયારી કરવાનું પસંદ કરે છે.

બોર્ડના માર્કસની જરૂર નથી એવો દુષ્પ્રચાર ડમી સ્કુલો અને કોચિંગ ક્લાસીસો કરે છે

ડમી સ્કુલોના સંચાલકો અને શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા હિન્દીભાષી ટ્યુશનીયા સંચાલકો વાલીઓમાં એવો દુષ્પ્રચાર ફેલાવે છે કે મેડીકલ-ડેન્ટલમાં નીટના સ્કોરથી જ પ્રવેશ મળે છે અને આઇ.આઇ.ટી. એનઆઇટી જેવી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડથી જ પ્રવેશ મળે છે, બોર્ડના માર્ક ગણતરીમાં લેવાતા નથી. આ બાબતમાં હકીકત દોષ હોય છે. અથવા તો આવા સંચાલકો અર્ધસત્ય જણાવાને વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષે છે.

જેન્યુઇન રીતે ચાલતી સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવે છે ડમી સ્કુલો

ડમી સ્કુલો ચલાવતા ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો જેન્યુઇન રીતે ચાલતી શહેરની વિજ્ઞાન પ્રવાહની સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવવાના ગોરખધંધામાં પડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળામાં મરજિયાત હાજરીની લાલચ, સ્કોલરશીપની લાલચ, રેડીમેડ સ્ટડી મટિરીયલની લાલચ, સ્પેશિયલ સ્કોલર બેચની લાલચ આપીને ડમી સ્કુલમાં એડમિશન લેવા માટે દુષ્પ્રેરણા આપી રહ્યા છે.

હંમેશા રેગ્યુલર ચાલતી સ્કુલોમાં જ ભણવું જોઇએ

શહેરમાં શિક્ષણ ક્ષેત્રમાં એક્સપર્ટસ પર્સનાલિટીઓને જ્યારે સી.આઇ.એ.એ પૂછ્યું કે ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ રેગ્યુલર સ્કુલમાં ભણવું જોઇએ કે ડમી સ્કુલમાં ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ડમી સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિ બાવાના બેઉ બગડ્યા જેવી થાય છે. ધો.11-12 સાયન્સ રેગ્યુલર ચાલતી સ્કુલમાં જ ભણવું જોઇએ. ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે જેટલી પ્રવેશ પરીક્ષાના માર્કસની જરૂર છે તેટલી જ જરૂર બોર્ડના પરીણામની પણ છે. આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે ધો.12ના પરીણામમાં 75 ટકા હોવા અનિવાર્ય છે. એવી રીતે મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટે ધો.12માં લઘુત્તમ 50 પર્સન્ટ અનિવાર્ય છે. શાળાઓ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શકે છે, ટ્યુશન ક્લાસીસોનો સહારો વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શક્તી નથી.

April 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5580

શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.