CIA ALERT

Alert Archives - Page 378 of 512 - CIA Live

April 12, 2019
loksabha.jpeg
1min8030

લોકસભા સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે જેમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલી વિવિધ ટીમ અને રાજ્ય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. 08-04-2019 સુધીમાં રૂ. 500.01 કરોડની કિંમતનું અંદાજે 113.7 કિલો જેટલું ડ્રગ્સ, રૂ. 9.03 કરોડનો 3.14 લાખ લિટર દારૂ તેમ જ કુલ રૂ. 3.74 કરોડ રોકડ અને રૂ. 0.79 કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે.

કુલ જપ્ત થયેલ રોકડ- વસ્તુઓની કુલ રકમ રૂ. 513.57 કરોડ થાય છે. રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું. રોકડ પૈકી આવકવેરા વિભાગે રૂ. 352.16 લાખની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. 22.07 લાખની રોકડ જપ્ત કરેલ છે.

જેમાં રૂ. 44.70 લાખ સુરત, રૂ. 93.91 લાખ વલસાડ, રૂ. 168.34 લાખ અમદાવાદ, રૂ. 35.21 લાખ નવસારી અને રૂ. 32.14 લાખ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.

રાજ્યભરમાંથી 56,925 પરવાનેદાર હથિયાર-ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં 51,938 જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે 54,758 બિન-જામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે.

જ્યારે 2,48,826 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે.

April 12, 2019
onlinevoter-1280x958.png
1min5730

જિલ્લામાં કુલ એક લાખ એક હજાર ઓનલાઇન મતદાર રજિસ્ટર્ડ થયા છે. જેમાથી 7500નું પ્રથમ વખત રજિસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું. જેનો વિશ્ર્વ વિક્રમ નોંધાયો છે, એવું જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના ચૂંટણીપંચે પણ આ ઉપલબ્ધિની નોંધ લીધી છે તથા આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે. દરમિયાન ઉંમર અને અનુભવની સદી વટાવી ચુકેલા અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવા મતદારોને આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે. અમદાવાદ જિલ્લામાં કુલ 719 શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. દરમિયાન લોકશાહીના જતન માટે દરેક મતદારોને મતદાન અવશ્ય કરવા જિલ્લા કલેકટરે ખાસ અપીલ કરી હતી.

April 12, 2019
voting.jpg
1min5170

છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા

દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા હતા અને તેઓ સુરક્ષા દળના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

જોકે સુરક્ષા દળે તેમનો માર્ગ બદલ્યો હોવાની તેમ જ તેઓ જંગલ માર્ગે જઈ રહ્યા હોવાની બળવાખોરોને જણ થતાં ગભરાટમાં તેમણે વિસ્ફોટ કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. વિસ્ફોટમાં સુરક્ષા અધિકારીઓ કે મતદાન અધિકારીઓને કોઈ હાનિ ન પહોંચી હોવાનું તેમણે કહ્યું હતું.

દાંતેવાડા, કોન્ટા, બીજાપુર અને નારાયણપુર એમ વિધાનસભાના ચાર મતદારક્ષેત્રના લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે 7:00થી બપોરે 3:00 સુધી ચાલેલા મતદાન માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  રાજ્ય અને અર્ધલશ્કરી દળના અંદાજે 80000 અધિકારીઓને આ કામ માટે ગોઠવી દેવામાં આવ્યા હતા.

વિધાનસભાના અન્ય ચાર ક્ષેત્ર (બસ્તર, ચિત્રકોટ, કોન્ડાગાંવ અને જગદલપુર)માં મતદાનનો સમય સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો હતો. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં કુલ સાત ઉમેદવાર સ્પર્ધામાં હોવાનું તેમણે કહ્યું હતું. બસ્તર લોકસભા મતદારક્ષેત્રમાં ચાલી રહેલા મતદાન દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો હતો તો સ્પેશિયલ ટાસ્ક ફૉર્સનો એક જવાન ઘાયલ થયો હતો. ચાર નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, ચાકુ, નક્સલવાદ સંબંધિત સાહિત્ય વગેરે જપ્ત કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ગઢચિરોલીમાં મતદાન કેન્દ્ર બહાર આઈઈડી બ્લાસ્ટ

ગઢચિરોલી જિલ્લામાં મતદાન સમયે નક્સલવાદી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ કમાન્ડોને ઈજા થઈ હતી. ગુરુવારે અહીં બે બ્લાસ્ટ થયા હતા. આ બન્ને કમાન્ડો પોલીસની સી-60 ફોર્સના હતા અને સારવાર માટે તેમને નાગપુર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તેમ એક અધિકારીએ માહિતી આપી હતી. આ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી પાછા ફરી રહેલી પૉલિંગ પાર્ટી પર હુમલો થતાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તુમડીકાસા નજીક ચાર વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. પોલીસ પૉસ્ટ સુધી પૉલિંગ પાર્ટી પહોંચે તે પહેલા અમુક નક્સલવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેનો જવાબ સીઆરપીએફ જવાનોએ સામે ગોળીબાર કરી આપ્યો હતો. થોડા સમય બાદ તેઓ નાસી છૂટ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ સવારે નક્સલવાદીઓએ ઈમ્પ્રોવાઈઝડ એક્સપ્લોઝિવ ડીવાઈઝ (આઈઈડી)નો ઉપયોગ કરી બ્લાસ્ટ કર્યો હતો. વાઘેઝરી નામના વિસ્તારમાં સવારે લગભગ સાડાદસ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, જે મતદાન કેન્દ્રથી લગભગ 150 મીટરના અંતરે હતો. સવારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા લાઈન લગાવી ઊભા હતા, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સીઆરપીએફ જવાન અને પોલીસના રક્ષણમાં લોકો અને મતદાન કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે લોકો મોટા પ્રમાણમાં મતદાન માટે ઊમટ્યા હોવાથી તેમનામાં ભય ફેલાવવા અને મતદાનનો અવરોધ કરવા આમ કરવામાં આવ્યું હતું.

April 11, 2019
travel.jpg
1min15690

રિંગરોડ પર સુંદરમ સ્પેશ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો કોર્સ પણ શીખી શકાશે અને શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, ટિકીટ બુકિંગ સમેતની તમામ ફેસેલિટીઝ કોર્પોરેટ સર્વિસ સ્વરૂપે ઉપલબ્ધ થશે

શહેરના ખટોદરા સબજેલ સામે રિંગ રોડ પર આવેલા સુંદરમ સ્પેશ બિલ્ડીંગ ખાતે આગામી તા.14મી એપ્રિલને રવિવારથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી તેમજ તેની સાથે ઉચ્ચ દરજ્જાની સર્વિસ પૂરી પાડતા ફ્લાઇટ સેન્ટરનું લોકાર્પણ થઇ રહ્યું છે.

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં શહેરમાં જાણીતું નામ શિરીષ પટેલ, સુનિલ ચપટવાલા અને બ્રિજેશ મોદી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે. આ એકેેડેમી શહેરના યુવા ધનને ટ્રાવેલ ટુરિઝમનું શિક્ષણ તો આપશે જ સાથે સાથે શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, એરટિકીટ બુકિંગ, ટુર પેકેજ, ટ્રાવેલિંગ આસિસ્ટન્સ વગેરેની સુવિધાઓ પણ આકર્ષક દરે પૂરી પાડશે. ખાસ બાબત એ છે કે ગ્રુપ ટ્રાવેલિંગ, ગ્રુપ ટૂર્સ, ગ્રુપ પેકેજિસના સૌથી સસ્તા દરો પણ ફ્લાઇટ સેન્ટર દ્વારા જ પૂરું પાડવામાં આવશે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીમાં શું શીખવાશે

ઇન્ટરનેસનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી હાલમાં શહેરના યુવાધનને બે કોર્સ ઓફર કરી રહી છે. જેમાં એક, છ મહિનાની અવધિ ધરાવતો ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ તથા દ્વિતીય કોર્સ છ મહિનાનો ટ્રાવેલ એજન્સી મેનેજમેન્ટ એજ્યુકેશન. આ બન્ને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને છ મહિનાની ઓન જોબ ટ્રેનિંગ એટલે કે પગાર સાથેની ટ્રેનિંગ પણ એકેડેમી પૂરી પાડશે. ટૂંકમાં કહીએ તો ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માટે સૌથી બેસ્ટ એજ્યુકેશન અહીં ઓફર કરવામાં આવશે.

 

April 11, 2019
indiavtoes.jpg
1min11750

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન સાથે આજે ગુરુવારે પહેલા તબક્કાના મતદાનના આરંભ સાથે બે મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજે દેશની 91 લોકસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થવા પામ્યો છે.

લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

સમગ્ર દેશમાં કુલ 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 11 એપ્રિલે 20 રાજ્યોમાં 91 બેઠકો માટે મતદાન યોજાશે.

આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ અને તેલંગાણાની તમામ સીટો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુર સાંસદીય વિસ્તારમાંથી મતદાન કર્યું. મતદાન બાદ કહ્યું કે મતદાન કરવું એ આપણી ફરજ છે, જેને દરેકે કરવું જોઈએ.

આ ઉપરાંત આંધ્ર, સિક્કીમ અને ઓડિશા વિધાનસભા માટે પણ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન તથા લક્ષદીપમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યાના અહેવાલો મળ્યા છે. આજે સાંજે પાંચ કલાકે દેશના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કિરણ રિજીજુ, વી કે સિંહ સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 અને વિધાનસભાની 175 બેઠકો માટે એક સાથે મતદાન યોજાઇ રહ્યું છે. તેલંગાણાની તમામ 17 લોકસભા બેઠકો, યુપીમાં આઠ બેઠકો, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં ચાર, અરૂણાચલ પ્રદેશમાં બે, છત્તીસગઢમાં એક (બસ્તર), ઓડિશામાં છ, ઉત્તરાખંડમાં તમામ પાંચ, પશ્ચિમ બંગાળમાં, જમ્મુ કાશ્મીર અને મેઘાલયમાં બે-બે બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં એક-એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે.

April 11, 2019
cash.jpg
1min6110
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમટેક્ષ વિભાગ પણ મોટી રકમની હેરફેર પર ‘બાજ’ નજર રાખી રહી છે. ત્યારે રાજકોટના પ્રહલાદ પ્લોટ રોડ પર આવેલી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.1.10 કરોડની રોકડ સીઝ કરી હતી.
(Symbolic Pic)
ચૂંટણી દરમિયાન કાળાનાણાની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્ષ વિભાગ સજ્જ બન્યુ છે. એરપોર્ટ સહિતના સ્થળોએ આઇ.ટી.ની ખાસ સ્કવોડ દ્વારા વોચ ગોઠવાય છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા મોટુ ઓપરેશન કરાતા આંગડિયા પેઢીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્રની જાણીતી આર.સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચની’ કામગીરી હાથ ધરાઇ હતી.
વિંગ કમિશનર રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 ઇન્સપેકટરો સહિતની ટીમ આ ઓપરેશનમાં જોડાઇ હતી. ગઇકાલે મોડી સાંજે આંગડિયા પેઢી’ પર તવાઇ ઉતારાતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ કામગીરી શરૂ થતાની સાથે જ પેઢીમાંથી રૂ.1.10 કરોડની રોકડ મળી આવી હતી. જેની તપાસ’ બાદ પેઢી સંચાલક વિકાસ મેકવાનની પૂછતાછ કરાઇ હતી. પરંતુ આ રકમ અંગે સંચાલકે મૌન સેવી લીધું હતું. આઇ.ટી. વિભાગ દ્વારા અંતે રકમ સીઝ કરી ચૂંટણી કમિટીમાં રીપોર્ટ મોકલ્યો છે.
મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન શરૂ થયાના થોડા સમયમાં જ રોકડ મળી આવતા તપાસનો દૌર વધુ ઘનિષ્ઠ કરાયો હતો. સર્ચ ઓપરેશનની જાણ આંગડિયા પેઢી એસોસીએશનને મળતા સંગઠનના સભ્યો દરોડાના સ્થળે પહોંચી ગયા હતા. જેના પગલે આઇ.ટી. વિભાગને પોલીસ બોલાવવી પડી હતી અને 8 થી 10 હથિયારધારી પોલીસને બોલાવ્યા બાદ બંદોબસ્ત હેઠળ કામગીરી કરી હતી.
April 11, 2019
therasa.jpg
1min8590

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બુધવારે કહ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ઈન્ડિયન ઈતિહાસ પર ‘શરમજનક દાગ’ છે. જો કે તેમણે વિધિવત માફી માગી ન હતી. થેરેસા મેએ એક નિવેદનમાં કહ્યું કે ‘1919ની જલિયાંવાલા બાગ કરુણાંતિકા બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર શરમજનક દાગ છે. 1997માં જલિયાંવાલા બાગની મુલાકાત લેતા અગાઉ હર મેજેસ્ટી ધ ક્વિન (એલિઝાબેથ દ્વિતીય)એ કહ્યું હતું તે પ્રમાણે ભારત સાથેના આપણા ભૂતકાળના ઈતિહાસમાં કરુણ બનાવ છે.’ થેરેસા મેએ રાષ્ટ્રવતી ઔપચારિક માફી ન માગી હતી અને ફક્ત ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો. સંસદમાં વિવિધ નેતાઓ દ્વારા વિધિવત માફીની માગ કરવામાં આવી હતી, પણ વડા પ્રધાન મેએ કહ્યું કે ‘જે થયું હતું અને જે યાતના સહન કરવી પડી હતી તેનો અમને ખૂબ જ ખેદ છે.’

મંગળવારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્વિને માગ કરી હતી કે ‘જે થયું હતું તેને માટે સંપૂર્ણ, સ્પષ્ટ માફી’ હોવી જોઈએ. 13મી એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો અને આગામી શનિવારે તે કરુણાંતિકાને સદી પૂરી થશે તે ધ્યાનમાં રાખી મંગળવારે બ્રિટિશ સાંસદોએ વિધિવત માફીના મુદ્દા પર વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા કરી હતી.

ભારતીય મૂળના સાંસદ પ્રીતકૌર ગિલે કહ્યું હતું કે ‘હત્યાકાંડમાં બ્રિટનની ભૂમિકાનો યુકે સરકારે સ્વીકાર કરવો જોઈએ અને ઔપચારિક માફી માગવી જોઈએ.’

April 11, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min5860

કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતને ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ નકારી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણા બધાં અમારા સંપર્કમાં હોય છે પરંતુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યા હોવાનું હાલના તબક્કે કોઇ વાત નથી. કૉંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર કૉંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરવાના સમચારા વાયુ વેગે વહેતા થયા છે. આખા હાઇવોલ્ટેજ ડ્રામામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ વાત કરતા ફોડ પાડ્યો હતો કે બધા લોકો અમારા સંપર્કમાં છે, પરંતુ અત્યારે ભાજપમાં જોડાય એવી વાત નથી. બીજી તરફ કૉંગ્રેસના નેતાઓ અલ્પેશ કૉંગ્રેસમાં જ છે અને બધું સારું થઇ જશે. આમ કૉંગ્રેસ પોતાનો બચાવ કરી રહ્યું છે બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અલ્પેશભાઇ સહતિ તમામ કાર્યકર્તાઓને માન આપે છે. માન સન્માન સાથે જ તેમને જવાબદારી પણ આપવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આ કૉંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે. અલ્પેશની નારાજગી મામલે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં બધું બરાબર થઈ જશે.

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11590

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
congress.jpg
2min15240

ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં 500થી વધુ ભાજપીઓ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

સુરત જિલ્લામાં આવતી બારડોલી અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ લોકસભા બેઠક પર આ વખતે ભાજપા માટે આકરાં ચઢાણ હોવાનું ખુદ ભાજપીઓના આંતરિક રિપોર્ટમાં બહાર આવ્યું છે અને એટલે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજરોજ તા.10મીએ જાહેરસભા યોજવી પડી છે. નરેન્દ્ર મોદી આજે તા.10મી એપ્રિલે બારડોલી લોકસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા છે એ જ સમયે કોંગ્રેસે કેટલાક ભાજપી આગેવાનો સમેત 500થી વધુ લોકો પાસે ભાજપા છોડાવીને કોંગ્રેસની કંઠી બંધાવી લીધી છે.

ભાજપીઓ પોતાના પાયાના કાર્યકર્તાઓને બચાવી ન શક્યા

સુરત જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ થવાની હોય ત્યારે જ કોંગ્રેસે ભાજપના પાયાના મનાતા નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. ભાજપના રહીને આ નેતાઓ તેમની અવગણના સહી ન શક્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપના કેટલાક નેતાઓએ આજનો કોંગ્રેસ પ્રવેશનો પ્રોગ્રામ વિફળ બનાવવાની કોશિસ કરી હતી પરંતુ, તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા.

કોણ કોણ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ચાણક્ય સમા જિલ્લા કોંગ્રેસના અગ્રણી દર્શનભાઇ નાયકે સી.આઇ.એ. સાથે વાતચીતરમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તા. 10-4-19ના રોજ ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં ડૉ. તુષારભાઈ ચૌધરી તાપી-સુરત જિલ્લા પ્રમુખની હાજરીમાં સુરત જીલ્લા પંચાયત સભ્ય રેખાબેન ચૌધરી (હળપતિ ગૃહ નિર્માણના અધ્યક્ષ) માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી અજુઁનભાઈ માલાભાઈ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી (માજી સરપંચ વાંકલ) હરેશભાઈ વસાવા (માજી સરપંચ વાડી ગામ, મંત્રી ગણપત વસાવા PA) બારડોલી તાલુકાના ભાજપના માજી તાલુકા પંચાયત સભ્ય અેવા જયેશભાઈ મણીલાલભાઈ હળપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ,મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ નાયકા,500 આગેવાનો સાથે ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાઇ ગયા છે.

બારડોલી લોકસભા અને જિલ્લા ભાજપ સંગઠન ભાજપા માટે બળતું ઘર

બારડોલી લોકસભા સીટ પર પહેલેથી જ ભાજપમાં આંતરિક ડખાં જોવાય રહ્યા છે. ગણપત વસાવા એક સમયે પરભુભાઇ વસાવાની બ્રિફ પકડીને ચાલતા હતા, હવે તેમના વિરોધી બની ચૂક્યા છે. એથી વિશેષ કેટલાક આદિવાસી નેતાઓ, વ્યારા-માંડવીના અગ્રગણ્ય લોકો પણ ભાજપની નીતિ રીતીથી કંટાળી ચૂક્યા છે. સુરત જિલ્લા ભાજપાના વર્તમાન હોદ્દેદારોની પાયાના કાર્યકરો પર કોઇ પકડ નથી. આવી સ્થિતિમાં બારડોલી લોકસભા સીટ કહો કે સુરત જિલ્લા ભાજપ સંગઠન, ભાજપીઓ માટે બળતું ઘર બની ગયું છે. સુગર ફેક્ટરીઓના પ્રશ્ન હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય, સિંચાઇના મુદ્દાઓ પર ભાજપ સરકારે કોઇ સહયોગ આપ્યો ન હોઇ, સુરત જિલ્લામાં ભાજપા માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જુના જોગી ડો. તુષાર ચૌધરી આ બેઠક પર ભાજપાના કાંગરા ખેરવી જાય તો નવાઇ નહીં.