CIA ALERT

Alert Archives - Page 357 of 511 - CIA Live

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12790

જયેશ બ્રહ્મભટ્ટ

આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ  294 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. એ-વન ગ્રેડ હાંસલ કરનારા કેટલા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એ અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા વહેલી સવારથી જ ગ્રાસરૂટ સરવે શરૂ કર્યા છે અને જેમ જેમ શાળાઓ તરફથી વિદ્યાર્થીઓની માર્કશીટની ઇમેજ સાથે અમને માહિતી મોકલવામાં આવી રહી છે તેમ તેમ અમે એ-વન ગ્રેડર્સની યાદી અપડેટ કરતા રહીએ છીએ.

એ-વન ગ્રેડ હાંસલ કરવો કે કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી

સુરત શહેર જિલ્લામાં અંદાજે 550થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જે ધો.11-12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિવિધ પ્રવાહોનું શિક્ષણ આપી રહી છે, જેમાંથી વધુમાં વધુ 35 સ્કુલો હોય છે જેના વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શકે છે. એ-વન ગ્રેડ હાંસલ કરવો અને કરાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ ટોચના એક ટકામાં આવતા હોય છે જેઓ સમગ્ર ગુજરાતના ટોપર્સ કહેવામાં આવે છે.

સ્કુલનું નામ                                                  વિસ્તાર                     એ-વન ગ્રેડ

આશાદીપ ગ્રુપ                                          નાના વરાછા                    64

આઇ.એન.ટેકરાવાળા શાળા                  પાલનપુર પાટીયા                14

તપોવન ગ્રુપ                                                    વરાછા                         12

ભૂલકાભવન સ્કુલ                                        અડાજણ રોડ                   11

મૌની ઇન્ટનરનેશનલ સ્કુલ                            ઉત્રાણ                           10

લુર્ડઝ કોન્વેન્ટ સ્કુલ                                અઠવાલાઇન્સ                       09

સંસ્કારભારતી વિદ્યાલય                                તાડવાડી                        08

અંકુર હાઇસ્કુલ                                              હીરાબાગ                       07

ભૂલકા વિહાર શાળા                                      પાલ                               06

જીવનભારતી વિદ્યાલય                                  નાનપુરા                         06

વનિતા વિશ્રામ                                               અઠવાગેટ                      05

એલ.પી.ડી.પૂણા હાઇસ્કુલ                         પૂણા ગામ                         05

પી. પી. સવાણી સ્કુલ                                     હીરાબાગ                      05

ડાયમંડ ગર્લ્સ સ્કુલ                                      વરાછા રોડ                        04

જ્ઞાનજ્યોત વિદ્યાલય                                 ગોદાડરા                              04

પીપી સવાણી સ્કુલ                                        અબ્રામા                          04

કેસી કોઠારી માધ્ય. શાળા                           હીરાબાગ                          03

વી.એન. ગોધાણી કન્યા વિદ્યાલય                 કતારગામ                        03

સિંધુ સેવા સમિતિ સ્કુલ                               અડાજણ                           03

લીલાબા કન્યા વિદ્યાલય                             લાલદરવાજા                       03

સીસી શાહ ઇંગ્લિશ મીડીયમ                     પાર્લે પોઇન્ટ                       03

નિલ માધવ વિદ્યાલય                               નાના વરાછા                         02

ઉમરીગર ઇંગ્લિશ મીડીયમ સ્કુલ                     ઉમરા                            02

સરસ્વતી વિદ્યાલય                                        અડાજણ                         02

લીયો સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ             ઉધના                           02

ડી.આર. રાણા વિદ્યાસંકુલ                        પાલનપુર પાટીયા                02

ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ                કતારગામ                     02

એલ.પી. સવાણી વિદ્યાભવન                            અડાજણ                     02

ભૂલકાસાગર વિદ્યાલય                                  વરાછા રોડ                       02

સ્વામીનારાયણ એચ.વી વિદ્યાલય                  અડાજણ                        02

ડીજીટલ શુભલક્ષ્મી હાઇસ્કુલ                           પૂણાગામ                      02

શિશુકુંજ હાઇસ્કુલ                                           પૂણાગામ                      02

ગુરુકૃપા વિદ્યાસંકુલ   હિન્દી મિડીયા ગુજ              ઉધના                      01

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ             પાર્લે પોઇન્ટ                     01

પ્રેસિડેન્સી સ્કુલ                                              અડાજણ                         01

ગજેરા વિદ્યાભવન ગુજ.મા.                             ઉત્રાણ                           01

સ્વામીનારાયણ ગુરુકુળ                              સિંગણપોર                        01

એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ                   પાલનપુર પાટીયા               01

વશિષ્ઠ વિદ્યાલય                                          વાવ-કામરેજ                      01

સંસ્કારદીપ વિદ્યાલય                                   મોટા વરાછા                      01

ટી.એન્ડ ટી.વી. સાર્વ. વિદ્યાલય                    ગોપીપુરા                         01

કેએલએસ બાલાજી ગર્લ્સ સ્કુલ                       ગોપીપુરા                        01

અક્ષરજ્યોતિ હાયર સ્કુલ                                કતારગામ                       01

પ્રેરણા હાઇસ્કુલ                                            પૂણાગામ                         01

ક્રિષ્ણા સ્કુલ                                                  પૂણાગામ                          01

હરેકૃષ્ણ વિદ્યાલય                                         યોગીચોક                          01

યુનિટી પબ્લિક સ્કુલ                                        કામરેજ                          01

ભક્તિ ઇન્ટરનેશનલ                                        પાસોદરા                       01

અંબાબા ગર્લ્સ સ્કુલ                                        હરીપુરા                          01

વશિષ્ઠ હાઇસ્કુલ                                              પૂણાગામ                       01

આર.કે. વિદ્યાભવન                                      પૂણાગામ                          01

સરસ્વતી વિદ્યાલય                                     અશ્વનિકુમાર રોડ                01

એસ્પાયર પબ્લિક સ્કુલ                                   મોટા વરાછા                   01

આપની શાળાના ધો.12 એ-વન ગ્રેડર્સની માહિતી અહીં ન હોય તો અમને સ્કુલનું નામ અને વિદ્યાર્થીની માર્કશીટની ઇમેજ 98253 44944 નંબર વ્હોટ્સએપ કરો

May 24, 2019
congress_mukt.png
1min7180

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
udhavmodi.jpg
1min12170

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વયુક્ત એનડીએ ને સત્તા જાળવા રાખવામાં સફળતા મળી છે. આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનો આગામી 25 વર્ષ સુધી મુકાબલો કરી શકશે નહીં.

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ પાંચ વર્ષ દરમિયાન કેટલીયે વાર ભાજપની ટીકા કરી હતી. જોકે, ચૂંટણી પૂર્વ બંને પાર્ટીએ રાજીખુશીથી ગઠબંધન કર્યું હતું.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રફાલ યુદ્ધ વિમાન સંદર્ભે વિપક્ષોએ લોકોમાં ભ્રમ ફેલાવ્યો છે, એનો જડબાતોડ જવાબ આજે મળ્યો છે.  રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, આખો દેશ ‘મોદીમય’ છે. હકીકત સ્વીકારવાની સાથે, આજનો જનાદેશ દર્શાવે છે કે આગામી 25 વર્ષ સુધી મોદીનો કોઈ મુકાબલો કરશે નહીં.

May 24, 2019
congress_looses.jpg
1min5070

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી છે.

આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપનો પરાજય થયો હતો, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણીમાં ત્રણેય રાજ્યની જનતાએ કૉંગ્રેસને સદંતર નકારી છે.

જે-જે બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કકર હતી, તે-તે બેઠક ઉપર ભાજપની સરખામણીએ કૉંગ્રેસ ક્યાંય દેખાતી નથી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માત્ર પંજાબમાં કૅપ્ટન અમરિન્દર સિંઘે ભાજપ અને શિરોમણિ અકાલીદળની આગેકૂચને અટકાવી.

પહેલાં મને એવું લાગતું હતું કે કૉંગ્રેસ એકલા હાથે ભાજપને ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ મહારાષ્ટ્ર અને બિહારનાં પરિણામ જોઈએ તો એવું લાગે કે ગઠબંધન પણ કંઈ ન કરી શક્યું.

આ ચૂંટણીનું એક પાસું એ પણ છે કે તેનું કોઈ વિશ્લેષણ કરી શકાય તેમ નથી.

May 24, 2019
modi_vic.jpg
1min6620

અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, ‘ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય’ ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.”

મોદીએ કહ્યું, “આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે. તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો

May 23, 2019
mamta_vs_modi.jpg
1min4930

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહિંયા તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

ટીએમસીએ 2014ની લોકસભા ચૂંટણીમાં  42 બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મેળવી હતી.

ઓડિશામાં ભાજપ આગળ ચાલી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળે 21માંથી 20 બેઠક પર જીત મેળવી હતી.

May 23, 2019
firmodi.jpg
1min12030

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

 

May 23, 2019
bjp_logo.png
1min7420

ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.

જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.

ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.

May 23, 2019
sensex-up.jpg
1min12850

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
talaja.gif
1min14350

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.