CIA ALERT

Alert Archives - Page 356 of 511 - CIA Live

May 30, 2019
world_cup_logo.png
1min5390

બૅટિંગના વિક્રમો અને સિદ્ધિઓને લીધે અત્યારથી જ ક્રિકેટ-લેજન્ડ બની ગયા પછી હવે અહીં આજે શરૂ થયેલા વન-ડે વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની ઉપલબ્ધિ ‘કિંગ’ વિરાટ કોહલીના મુગટ પર ‘કોહિનૂર’ સાબિત થશે.

વિરાટ ટેસ્ટ અને વન-ડેમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વન છે અને તેના સુકાનમાં ભારત ટેસ્ટ તથા વન-ડેમાં અનુક્રમે નંબર-વન તથા નંબર-ટૂ બન્યું તો બન્યું જ છે, હવે તેણે પોતાની કૅપ્ટન્સીમાં વન-ડે જગતનો તાજ પહેરવાનું સપનું સેવ્યું છે, પરંતુ સૌથી વધુ બે હરીફ ખેલાડીઓ તેના માટે અવરોધ બની શકે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર ગયા વર્ષના બૉલ-ટૅમ્પરિંગના બનાવને પગલે 12 મહિનાનો પ્રતિબંધ ભોગવ્યા બાદ હવે ફરી ઑસ્ટ્રેલિયાને વિશ્ર્વવિજેતા બનાવીને ભૂલનો સૌથી મોટો બદલો ચૂકવવા સંકલ્પિત છે.

યજમાન ઇંગ્લૅન્ડનો આયલેન્ડમાં જન્મેલો કૅપ્ટન ઓઇન મૉર્ગન પણ પોતાની ટીમને અને પોતાના દેશ ઇંગ્લૅન્ડને અનેરી સિદ્ધિ અપાવવા થનગની રહ્યો છે. 1975માં વર્લ્ડ કપ યોજાવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ઇંગ્લૅન્ડે વિજેતાપદ નથી મેળવ્યું, પણ મૉર્ગન ટૅલન્ટેડ અને મહત્ત્વકાંક્ષી ખેલાડીઓથી ભરેલી પોતાની ટીમના ટેકાથી 44 વર્ષથી અધૂરું રહેલું એ સપનું હવે સાકાર કરાવવા મક્કમ છે.આવતા સાડા-છ અઠવાડિયા (46 દિવસ) દરમિયાન વન-ડેની ટોચની 10 રૅન્કવાળી ટીમો વન-ડે જગતના નવા શહેનશાહ બનવા એકમેક સામે એક લીગ મૅચ રમશે અને એ જંગની શરૂઆત આજે અહીં કેનિંગ્ટન ઓવલમાં યજમાન ઇંગ્લૅન્ડ અને ફૅફ ડુ પ્લેસીના સુકાનવાળી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચેના મુકાબલા (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) સાથે થશે. ઇંગ્લૅન્ડમાં તેમ જ એના જ હિસ્સા ગણાતા વેલ્સ ટાપુના કાર્ડિફનું મેદાન મળીને કુલ મળીને 11 સ્થળે વિશ્ર્વકપના કુલ 45 લીગ મુકાબલાઓ થશે અને ત્યાર પછી સેમી ફાઇનલ તથા ફાઇનલ રમાશે.

સેમી ફાઇનલ થવા માટે ક્વૉલિફાય થવા કોઈ પણ દેશની ટીમે ઓછામાં ઓછી પાંચ લીગ મૅચ જીતવી જરૂરી છે અને પ્રત્યેક ટીમનો સૌથી પહેલો લક્ષ્યાંક એ જ હશે.

ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા આ વખતે ચૅમ્પિયન બનવા ઘણા ક્રિકેટ-નિષ્ણાતોમાં પહેલેથી જ ફેવરિટ છે, ન્યૂ ઝીલૅન્ડની ‘શિસ્તબદ્ધ’ ટીમ તેમ જ તરંગી અને લહેરી પાકિસ્તાનની ટીમ અને ‘ભભકાવાળી’ અને ‘દમામદાર’ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ચૅમ્પિયન બનવા સક્ષમ છે.

બૅટ્સમેનોમાં કોણ કેટલું સફળ થાય છે એનો આધાર કેટલાક ટોચના બોલરોની સફળતા પર નિર્ભર રહેશે. ભારતીય બોલરોની વાત કરીએ તો વન-ડેનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ તેમ જ ટોચના બે રિસ્ટ-સ્પિનરો કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલ હુકમના પત્તાં બની રહેશે. ભારતની બૅટિંગ લાઇન-અપ વિરાટ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ-સેન્ચુરી ફટકારી ચૂકેલા રોહિત શર્મા તેના ઓપનિંગના સાથી શિખર ધવન, પીઢ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની તેમ જ નંબર-ચાર પર ફિક્સ થઈ ગયેલા કે. એલ. રાહુલ અને આક્રમક બૅટ્સમૅન હાર્દિક પંડ્યા પર ટીમને સૌથી વધુ આધાર રહેશે.

ધોની ચોથો અને આખરી વર્લ્ડ કપ રમી રહ્યો હોવાથી ભારતીય ટીમ તેને ચૅમ્પિયનપદની ભેટ આપવા કોઈ કસર બાકી નહીં રાખે. મિડલ-ઑર્ડરની બૅટિંગ ભારત માટે ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ સેમી ફાઇનલ સુધી પહોંચી શકાય એમ છે જ.

ગયા વખતના વિજેતા અને કુલ પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઑસ્ટ્રેલિયાને સ્મિથ-વૉર્નર ઉપરાંત ઉસ્માન ખ્વાજા, કૅપ્ટન ઍરોન ફિન્ચ, પેસ બોલરો પૅટ કમિન્સ તથા મિચલ સ્ટાર્ક, સ્પિનરો નૅથન લાયન અને ઍડમ ઝેમ્પા વર્લ્ડ કપ અપાવી શકે.

યજમાન ઇંગ્લૅન્ડનો સૌથી વધુ આધાર જૉસ બટલર, જૉ રૂટ, જૉની બેરસ્ટૉવ તેમ જ ઑલરાઉન્ડર જોફરા આર્ચર, બેન સ્ટૉક્સ તેમ જ માર્ક વૂડ અને સ્પિનરો મોઇન અલી તથા આદિલ રશીદ પર છે.

છેલ્લી લાગલગાટ 10 વન-ડે હારીને ઇંગ્લૅન્ડ આવેલી પાકિસ્તાની ટીમમાં રહી-રહીને મોહંમદ આમિર અને વહાબ રિયાઝનો સમાવેશ કરાયો છે. ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, પીઢ પ્લેયરો શોએબ મલિક તથા મોહંમદ હફીઝ અને બાબર આઝમ પણ પાક માટે મૅચ-વિનર બની શકે.

કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ માર્ટિન ગપ્ટિલ તથા કૉલિન મન્રોની મદદથી કેટલાક આંચકા સર્જીને સેમી ફાઇનલ સુધી પહોંચી શકે એમ છે. આ ટીમને બહુ સારું ફૉર્મ ધરાવતા ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ તેમ જ ઑલરાઉન્ડરો જિમ્મી નીશૅમ અને કૉલિન ડી’ગ્રેન્ડહમનો સારો ટેકો મળી શકે એમ છે.

કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર અને એમાં પણ આઇપીએલ-2019ના સ્ટાર આન્દ્રે રસેલ પર તેમ જ ‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પર રહેશે. રસેલે આ વખતની આઇપીએલમાં સૌથી વધુ 50થી પણ વધુ સિક્સર ફટકારી હતી.

સાઉથ આફ્રિકા વતી ડેલ સ્ટેન ઈજાને કારણે પહેલી મૅચ નહીં રમી શકે, પણ કૅગિસો રબાડાની પેસ તથા ઇમરાન તાહિરના સ્પિન આ ટીમને જિતાડી શકે.

અફઘાનિસ્તાનની ટીમ વન-ડે ક્રિકેટના વર્લ્ડ નંબર-થ્રી અને ટી-ટ્વેન્ટીના નંબર-વન બોલર રશીદ ખાન પર સૌથી મોટો મદાર રાખશે.

મશરફી મોર્તઝાના નેતૃત્વમાં બંગલાદેશની ટીમ મંગળવારે ભારત સામેની પ્રૅક્ટિસ-મૅચ હારી જતાં થોડી હતાશ જરૂર હશે, પરંતુ એ લડાયક ટીમ આ સ્પર્ધામાં એકાદ-બે અપસેટ તો કરી જ શકે એમ છે.

10 ટીમમાં ટચ વિનાની મનાતી એકમાત્ર ટીમ શ્રીલંકાની છે જેમાં બોલિંગ કે બૅટિંગમાં જરાય ડેપ્થ નથી દેખાતી. દિમુથ કરુણારત્નેના સુકાનવાળી આ ટીમ પાસે લસિથ મલિન્ગાના રૂપમાં અનુભવી ફાસ્ટ બોલર છે, પણ 1996માં જેમ અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ટીમમાં જેમ માહેલા જયવર્દને, સનથ જયસૂર્યા, અરવિંદ ડી’સિલ્વા હતા એમ આ વખતની ટીમમાં એવા કોઈ કાબેલ ખેલાડી નથી.

જોકે, ક્રિકેટમાં ક્યારેય પણ કંઈ પણ બની શકે. શક્તિશાળી ગણાતી ટીમ નબળી પુરવાર થાય, જ્યારે નિસ્તેજ ટીમ ભલભલી મોટી ટીમને નિશાન બનાવીને સ્પર્ધામાં પ્રગતિ કરતી રહે એવું પણ બની શકે.

May 29, 2019
vnsgu_logo.jpg
1min11500

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે

 

May 29, 2019
neet.jpeg
1min12540

Jayesh Brahmbhatt

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને હાલમાં વિદેશમાં એમ.બી.બી.એસ. અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં એ બાબતે ભારે કન્ફ્યુઝન છે કે ફોરેન સ્ટડી માટે નીટ જરૂરી છે કે નહીં, ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટમાં ક્વોલીફાય થવું જરૂરી છે કે નીટ ફક્ત એપીયર (પરીક્ષામાં બેઠા હોય) એ જ કાફી છે નીચે મુજબના સવાલોના જવાબોની સ્પષ્ટતા કરતા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક ગાઇડલાઇન જારી કરી છે જે અક્ષરસઃ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

  • ફોરેનમાં એમબીબીએસ કરવા માટે નીટ જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં મેડીકલ અભ્યાસ માટે નીટમાં ક્વોલિફાય થવું જરૂરી છે કે નહીં?
  • ફોરેનમાં અભ્યાસ કરવા માટે નીટમાં ફક્ત એપિયર થવું જરૂરી છે?
  • નીટનો સ્કોર કેટલા વર્ષ માટે વેલિડ ગણાય?

પાંચમી જૂન 2019ની આસપાસ જાહેર થઇ શકે છે નીટ 2019નું પરીણામ

May 29, 2019
fire_safty.jpg
1min7190

સ્કુલ્સ અને ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી માટે બેદરકારી દાખવાય છે, તેના સેંકડો પુરાવા મળ્યાં છે. હોસ્પિટલ્સ અને તે પણ શહેરની ટોચની હોસ્પિટલ્સ પણ આ દિશામાં સદંતર બેદરકાર જણાઈ છે. મંગળવારે 29 May 2019 પાલિકાએ આવી 40 ટોચની હોસ્પિટલ્સને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો સપ્તાહમાં કોઈ દરકાર નહીં લેવાય તો પાણીનું કનેક્શન કાપી નાંખવા માટેની ચિમકી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડે કહ્યું હતું કે, શહેરની જાણીતી હોસ્પિટલ્સ જેમાં યુનિક હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ગિરીશ ગ્રુપ હોસ્પિટલ, બી.ડી.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, નુપુર નર્સિંગ હોમ જેવી કુલ 40 હોસ્પિટલ્સને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ હોસ્પિટલ્સ હજુ તેમાં આળસ દાખવી રહી છે. જોકે, હવે તેમની આળસને નહીં બક્ષવામાં આવે. તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરે તો આ તમામ 40 હોસ્પિટલ્સના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે. તેવી આખરી મહેતલ આપવામાં આવી છે.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min4860

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.

May 25, 2019
women_power.jpg
1min622

તાજેતરમાં ચૂંટાયેલી ભારતની 17મી લોકસભામાં કુલ 542 સંસદસભ્યોમાંથી 78 સાંસદો મહિલા છે. ભારતીય લોકસભાના ઇતિહાસમાં આજ સુધીની સરખામણીમાં સૌથી વધુ 78 મહિલા સાંસદ ચૂંટાઇને આવી છે એટલે હવે ભારતીય સંસદમાં વુમન પાવર જોવા મળશે.

તાજેતરમાં ચૂંટાયેલી કુલ 78 મહિલા સાંસદો પૈકી 30 નેતા એવા છે જેમણે 1 લાખ કરતા વધારે માર્જિનથી વિજય હાંસલ કર્યો છે.

સુલ્તાનપુરથી ભાજપા ઉમેદવાર મેનકા ગાંધી સૌથી ઓછા 14500 વોટોના અંતરથી વિજેતા બન્યા છે જ્યારે, જ્યારે વડોદરાની ભાજપા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સૌથી વધારે 5,89,177 વોટોની અંતરથી જીત મેળવી છે.

મહિલા સાંસદોની અત્યાર સુધીની ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સભ્યોની સંખ્યાના 17 ટકા થઇ જશે. મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં 28 હતી.

આ લોકસભા ચૂંટમીમાં 8049 ઉમેદવારો હતો જેમાંથી 724 મહિલા ઉમેદવારો હતી.

May 25, 2019
modi111.jpg
1min12700

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

May 25, 2019
smc.jpg
1min12550

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21620

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ
May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9000

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ