CIA ALERT

Alert Archives - Page 346 of 511 - CIA Live

July 5, 2019
grameen_bank.jpg
1min5350

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સ તરીકેની સીધી ભરતીની પરીક્ષાઓ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષા – ગુજરાતી, આસામી, બંગાળી, ક્ધનડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં પણ લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક ભાષા સારી રીતે જાણનારા લોકોને સરકારના આ નિર્ણયને લીધે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં નોકરી મેળવવામાં વધુ સરળતા પડશે. અગાઉ, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સમાં સીધી ભરતીની પરીક્ષાઓ માત્ર હિંદી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીઆરપી રિજનલ રુરલ બૅન્ક્સ 8 (2019)ની મૅન્સ એક્ઝામિનેશનથી આ નિર્ણયનો અમલ આવશે.

દેશમાં હાલમાં 45 રિજનલ રુરલ બૅન્ક (પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક) છે અને તેના કુલ કર્મચારીઓ અંદાજે 90,000 છે.

July 4, 2019
rathyatra_2019.jpg
1min5410

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6330

ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે

ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.

અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.

બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.

આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.

July 3, 2019
nigeria.jpg
1min6790
1 FB

નાઈજીરિયાઃ બેનુએ વિસ્તારમાં રસ્તા પર પલટી ગયેલા ટેન્કરમાંથી પેટ્રોલ એકઠું કરવા માટે ભીડ ઉમટી હતી. ટેન્કર પલટતાં જ તેમાંથી પેટ્રોલ ઢોળાવા લાગ્યું હતું. જે જમા કરવા માટે સ્થાનીક લોકો પહોંચ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 45 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનામાં 100 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે.

દેશની ઈમર્જન્સી સેવાએ મંગળવારે જણાવ્યું કે આ ટેન્કર મધ્ય બેનુએ વિસ્તારમાં અહુમ્બે ગામથી જતું હતું. ટેન્કર જ્યાં પલટ્યું ત્યાં બાજુમાં કેટલીક દુકાનો હતી. ટેન્કરમાંથી ઢોળાયેલ પેટ્રોલ જમા કરવા માટે લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતાં. આશરે એક કલાક સુધી ટેન્કરમાંથી ઢોળાતું પેટ્રોલ ભેગું કરવા માટે લોકો ઉમટ્યા હતાં અને અચાનક જ વિસ્ફોટ થયો હતો.

બાબાએ જણાવ્યું કે,’આ દર્દનાક ઘટનામાં શિકાર થયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બે ફાયરબ્રિગેડ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જ્યારે આગ લાગી ત્યારે યાત્રીઓથી ભરેલી એક બસ પસાર થઈ રહી હતી અને એક પાઈપ જમીન સાથે ભટકાયો અને જેથી ચિંગારી નીકળી અને આગ લાગી હતી.’

July 3, 2019
world_cup_logo.png
1min11500

એક પણ વખત વર્લ્ડ કપ ન જીતનાર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં વિશ્ર્વ કપ-૨૦૧૯ની તેમની આખરી લીગ મૅચ રમાશે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન માટે સેમીનો પ્રવેશ વધુ કઠિન થઈ જશે. એ જોતાં, આજના પરિણામમાં પાકિસ્તાનને વધુ રસ હશે. ભારત સામેના મુકાબલા સહિત કુલ ચાર મૅચ હારી જનાર પાકિસ્તાનની ટીમ પોતાના બળે આ સ્પર્ધામાં આગળ વધવાને બદલે બીજી મૅચોના રિઝલ્ટ પર વધુ મદાર રાખનારી ટીમ બની છે. આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાંથી જે પણ ટીમ હારશે એ સ્પર્ધામાંથી આઉટ નહીં થાય. ઇંગ્લૅન્ડ હારશે તો પાકિસ્તાને બંગલાદેશ સામેની શુક્રવારની મૅચ કેમેય કરીને જીતવી પડશે.

July 3, 2019
guj_budget.jpg
1min4820
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
maharashtra_map.jpg
1min4670
છેલ્લા 48 કલાકથી મહારાષ્ટ્રમાં વરસી રહેલા દેમાર વરસાદે સમગ્ર મહારાષ્ટ્રનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ભારે વરસાદને પગલે પૂના અને મુંબઇમાં દિવાલો તૂટી પડતા 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય મોટી હોનારતમાં મંગળવારે ભારે વરસાદ બાદ રાત્રે રત્નાગીરી ખાતે એક ડેમ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાવા પામી છે.
ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર વેરણછેરણ સ્થિતિમાં આવી ગયું છે.
Tiware dam

મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા વરસાદના કારણે સ્થિતિ વધારે ને વધારે બગડી રહી છે. મંગળવારે પુણે સિવાય મુંબઈના મલાડ અને કલ્યાણમાં દિવાલ પડવાની ઘટનામાં બે ડઝલથી વધુના મોત થયા હતા. હવે ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો છે. આ કારણે ડેમની આસપાસ રહેતા 7 ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અચાનક બનેલી આ ઘટનામાં 24 જેટલા લોકો ગાયબ છે. સ્થાનિક તંત્રને બે મૃતદેહ મળ્યા છે.

July 2, 2019
india-1280x684.jpg
1min4820
‘એજબેસ્ટેનની પિચ અને નાની બાઉન્ડ્રી લાઇનને ધ્યાને રાખી ભારતની ઈલેવનમાં ભુવનેશ્વર અને રવિન્દ્રને તકની વકી
વિશ્વ કપ-2019માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલી હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા મંગળવારે બંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ પર વાપસી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું. બીજી તરફ બંગલાદેશે વિશ્વ કપમાં અત્યાર સુધી લડાયક દેખાવ કરીને તેની સેમિની આશા જીવંત રાખી છે. ભારત સામેની હારથી તેની આશા ધૂંધળી બની જશે. આથી બંગલાદેશ ભારત સામે મરણિયો જંગ ખેલશે તેમાં કોઇ શક નથી. મિડલ ઓર્ડરના નિષ્ફળતાથી ચિંતિત ભારતીય ટીમ બંગલાદેશ સામે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
એજબેસ્ટનને પિચ અને મેદાનની સ્થિતિ જોતા કેદાર જાધવ અને યજુર્વેન્દ્ર ચહલના સ્થાને ભુવનેશ્વ કુમાર અને રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતને નવી તૈયારીનો સમય મળ્યો નથી. ભારત હાલ 7 મેચના અંતે 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો બંગલાદેશના 7 મેચમાં 7 પોઇન્ટ છે અને છઠ્ઠા નંબર પર છે. આ મેચથી ભારતીય ટીમ ફરી તેની અસલ બ્લૂ જર્સીમાં જોવા મળશે.
એજબેસ્ટનનું મેદાન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેની એક તરફથી બાઉન્ડ્રી 60 મીટરથી ઓછી છે. જેનો ઇંગ્લેન્ડના જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસે ભારત સામે ભરપૂર લાભ લીધો હતો. આવી પરિસ્થિતિમાં તમિમ ઇકબાલ, શકિબ અલ હસન, મુશફકિર રહીમ, લીટન દાસ અને સૌમ્ય સરકાર જેવા સ્પિનર સામે સારું રમી જાણતા બેટધરો સામે ટીમ ઇન્ડિયા કાંડાથી બોલિંગ કરતા બે સ્પિનરને ઉતારવાનું જોખમ લેશે નહીં.
રિપોર્ટ અનુસાર ભુવનેશ્વર હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. આથી ભારત ટૂર્નામેન્ટમાં પહેલીવાર તેના ત્રણ મુખ્ય ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભુવીને બેટિંગથી નીચેના ક્રમનું બેટિંગ પણ મજબૂત બનશે.
બંગલાદેશની ટીમની સફળતા નંબર વન ઓલરાઉન્ડર શકિબ અલ હસનને લીધે આભારી છે. શકિબ બે સદી અને 10થી વધુ વિકેટ લઇને શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેને તમિમ, મુશફકીર અને મહમદુલ્લા જેવા ખેલાડીઓનો સારો સાથ મળી રહયો છે. બંગલાદેશની સૌથી મોટી ચિંતા સુકાની મશરેફ મુર્તઝાનું કંગાળ ફોર્મ છે. તે 6 મેચમાં ફકત 1 વિકેટ જ લઇ શકયો છે.
July 2, 2019
rain3-1.jpg
1min4820

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીમાં દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી તા. 3જી જુલાઈથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે.

આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે.

આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જ્યારે આગામી તા.3જી અને તા. 4થી જુલાઈએ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, જ્યારે અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

July 2, 2019
narmada.jpg
1min4640

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો જ્યારે રાજ્યના 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં 500 મિ.મી કરતાં વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીનું સ્તર 119.85 મીટરે પહોંચી ગયું હતું જેને પગલે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. ગુજરાતમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેતા ઉપરવાસમાં વરસાદના કારણે 13278 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે મુખ્ય કેનાલમાં 2863 પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગોડબોલે વિયરમાં 510 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનું લાઈવ 1196.58 મિલીયન ક્યુબીક મીટર થયું છે. જોકે, નર્મદા ડેમની કુલ ક્ષમતા કરતાંની સામે હાલ 51.76 ટકા ભરેલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી અને ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો.